22.04.2021 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન
"મીઠા બાળકો - બાપ આવ્યા છે, ભારત ને સૈલવેજ ( મુક્ત ) કરવાં, આપ બાળકો આ સમયે બાપ નાં મદદગાર બનો છો, ભારત જ પ્રાચીન ખંડ છે” પ્રશ્ન :- ઉંચી મંઝિલ માં રુકાવટ (અડચણ) નાખવા વાળી નાની-નાની વાતો કઈ છે? ઉત્તર :- જો જરા પણ કોઈ શોખ છે, અનાસક્ત વૃત્તિ નથી. સારું પહેરવાં, ખાવામાં બુદ્ધિ ભટકતી રહે છે... તો આ વાતો ઊંચી મંઝિલ પર પહોંચવામાં અડચણ નાખે છે એટલે બાબા કહે છે બાળકો, વનવાસ માં રહો. તમારે તો બધું જ ભુલવાનું છે. આ શરીર પણ યાદ ન રહે. ઓમ્ શાંતિ ! બાળકોને આ સમજાવ્યું છે કે આ ભારત જ અવિનાશી ખંડ છે અને આનું અસલ નામ છે જ ભારત ખંડ. હિન્દુસ્તાન નામ તો પછી પડ્યું છે. ભારત ને કહેવાય છે-આધ્યાત્મિક ખંડ. આ પ્રાચીન ખંડ છે. નવી દુનિયામાં જ્યારે ભારત ખંડ હતો તો બીજો કોઈ ખંડ હતો નહીં. મુખ્ય છે જ ઇસ્લામી, બૌદ્ધી અને ક્રિશ્ચન. હવે તો બહુજ ખંડ થઈ ગયાં છે. ભારત અવિનાશી ખંડ છે, આને જ સ્વર્ગ, હેવન કહે છે. નવી દુનિયામાં નવો ખંડ એક ભારત જ છે. નવી દુનિયા રચવા વાળા છે પરમપિતા પરમાત્મા, સ્વર્ગનાં રચયિતા હેવનલી ગોડફાધર. ભારતવાસી જાણે છે કે આ ભારત અવિનાશી ખંડ છે. ભારત સ્વર્ગ હતું. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા, સમજે છે સ્વર્ગ ક્યાંક ઉપરમાં છે. દેલવાડા મંદિરમાં પણ વૈકુંઠનાં ચિત્ર ઉપર માં દેખાડયાં છે. આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે ભારત જ સ્વર્ગ હતું, હમણાં નથી. હમણાં તો નર્ક છે. તો આ પણ અજ્ઞાન થયું. જ્ઞાન અને અજ્ઞાન બે વસ્તુ હોય છે. જ્ઞાન ને કહેવાય છે દિવસ, અજ્ઞાન ને રાત. ઘોર અજવાળું અને ઘોર અંધારું કહેવાય છે. અજવાળું એટલે રાઈઝ (ઉદય થવો), અંધારું એટલે ફોલ (અસ્ત થવું). મનુષ્ય સૂર્ય ને આથમતા જોવા માટે સનસેટ પર જાય છે. હવે તે તો છે હદ ની વાત. આનાં માટે કહેવાય છે બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. હવે બ્રહ્મા તો છે પ્રજાપિતા. તો જરુર પ્રજાનાં પિતા થયાં. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. આ વાતો દુનિયામાં કોઈ પણ નથી સમજતું. આ છે નવી દુનિયા માટે નવું નોલેજ. સ્વર્ગ માટે સ્વર્ગનાં રચયિતાનું નોલેજ જોઈએ. ગવાય પણ છે કે ફાધર ઈઝ નોલેજફુલ (પરમપિતા જ્ઞાનનાં સાગર છે). તો શિક્ષક થઈ ગયાં. ફાધર ને કહેવાય જ છે પતિત-પાવન બીજા કોઈ ને પતિત-પાવન કહી નહીં શકાય. શ્રીકૃષ્ણ ને પણ કહી ન શકાય. ફાધર તો બધાનાં એક જ છે. શ્રીકૃષ્ણ તો બધાનાં ફાધર નથી. તે તો જ્યારે મોટા થાય લગ્ન કરે ત્યારે એક-બે બાળકોનાં બાપ બનશે. રાધા-કૃષ્ણ ને પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) કહેવાય છે. ક્યારેક સ્વયંવર પણ થયો હશે. લગ્ન પછી જ મા-બાપ બની શકે છે. એમને ક્યારેય કોઈ વર્લ્ડ ગોડફાધર (વિશ્વનાં પરમપિતા) કહી ન શકે. વર્લ્ડ ગોડફાધર ફક્ત એક જ નિરાકાર બાપ ને કહેવાય છે. ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર શિવબાબા ને ન કહી શકાય. ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે પ્રજાપિતા બ્રહ્મા. એમનાથી સંપ્રદાય નીકળે છે. એ નિરાકાર ગોડફાધર, નિરાકાર આત્માઓનાં બાપ છે. નિરાકારી આત્માઓ જ્યારે અહીંયા શરીરમાં છે ત્યારે ભક્તિમાર્ગ માં પોકારે છે. આ બધી તમે નવી વાતો સાંભળો છો. યથાર્થ રીતે કોઈ પણ શાસ્ત્રમાં નથી. બાપ કહે છે, હું સન્મુખ બેસી આપ બાળકોને સમજાવું છું. પછી આ જ્ઞાન બધુ ગુમ થઈ/ખોવાઈ જાય છે. પછી જ્યારે બાપ આવે ત્યારે આવીને યથાર્થ જ્ઞાન સંભળાવે. બાળકો ને જ સન્મુખ સમજાવીને વારસો આપે છે. પછી પાછળ થી શાસ્ત્ર બને છે. યથાર્થ તો બની ન શકે કારણ કે સત્યની દુનિયા જ ખતમ થઈ જુઠ્ઠખંડ થઈ જાય છે. તો જુઠ્ઠી વસ્તુ જ હશે કારણ કે ઉતરતી કળા જ હોય છે. સત્ય થી તો ચઢતી કળા થાય છે. ભક્તિ છે રાત, અંધારામાં ઠોકરો ખાવી પડે છે. માથા ટેકતાં રહે છે. એવું ઘોર અંધારું છે. મનુષ્ય ને તો કંઈ પણ ખબર નથી હોતી. દર-દર ધક્કા ખાતા રહે છે. આ સૂર્યનો પણ ઉદય અને અસ્ત થાય છે, જે બાળકો જઈને જુએ છે. હવે તો આપ બાળકોએ જ્ઞાન સૂર્ય નો ઉદય થતો જોવાનું છે. રાઈઝ ઓફ ભારત અને ડાઉન ફોલ ઓફ ભારત (ભારત નું ઉત્થાન અને પતન). ભારત એવું ડુબે છે જેમ સૂર્ય ડૂબે છે. સત્યનારાયણ ની કથામાં આ દેખાડે છે કે ભારતનો બેડો નીચે ચાલ્યો જાય છે પછી બાપ આવીને એને મુક્ત કરે છે. તમે આ ભારત ને ફરીથી મુક્ત કરો છો. આ આપ બાળકો જ જાણો છો. તમે નિમંત્રણ પણ આપો છો, નવનિર્માણ પ્રદર્શની પણ નામ ઠીક છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે, એની પ્રદર્શની. ચિત્રો દ્વારા સમજણ અપાય છે. તો એ જ નામ ચાલ્યું આવે તો સારું છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે અથવા ઉત્થાન કેવી રીતે થાય છે, આ તમે દેખાડો છો. જરુર જૂની દુનિયાનું પતન થાય છે ત્યારે દેખાડે છે કે ઉત્થાન કેવી રીતે થાય છે. આ પણ એક કથા છે-રાજ્ય લેવું અને ગુમાવવું. ૫ હજાર વર્ષ પહેલાં શું હતું? કહેશે, સૂર્યવંશીઓનું રાજ્ય હતું. પછી ચંદ્રવંશી રાજ્ય સ્થાપન થયું. તેઓ તો એક-બીજા થી જ રાજ્ય લે છે. દેખાડે છે ફલાણા થી રાજ્ય લીધું. તેઓ કોઈ સીડી નથી સમજતાં. આ તો બાપ સમજાવે છે કે તમે ગોલડન એજ (સતયુગ) થી સિલ્વર એજ (ત્રેતાયુગ) માં ગયાં, સીડી ઉતરતા આવ્યાં. આ ૮૪ જન્મોની સીડી છે. સીડી ઉતરવાની હોય છે પછી ચઢવાની પણ હોય છે. ડાઉન ફોલ (પતન) નું પણ રહસ્ય સમજાવવાનું હોય છે. ભારતનું ડાઉન ફોલ કેટલો સમય, રાઈઝ કેટલો સમય? ફોલ અને રાઈઝ ઓફ ભારતવાસી. વિચાર સાગર મંથન કરવાનું હોય છે. મનુષ્યો ને પ્રલોભન માં કેવી રીતે લાવીએ અને પછી નિમંત્રણ પણ આપવાનું છે. ભાઈઓ-બહેનો આવીને સમજો. બાપની મહિમા તો પહેલાં બતાવવાની છે. શિવબાબા ની મહિમાનું એક બોર્ડ હોવું જોઈએ. પતિત-પાવન જ્ઞાનનાં સાગર, પવિત્રતા, સુખ શાંતિનાં સાગર, સંપત્તિનાં સાગર, સર્વનાં સદ્દગતિ દાતા, જગત-પિતા, જગત-શિક્ષક, જગત-ગુરુ શિવબાબાથી આવીને પોતાનો સૂર્યવંશી, ચંદ્રવંશી વારસો લો. તો મનુષ્યો ને બાપ ની ખબર પડે. બાપની અને શ્રીકૃષ્ણની મહિમા અલગ-અલગ છે. આ આપ બાળકોની બુદ્ધિમાં બેસેલું છે. સર્વિસેબલ (સેવાધારી) બાળકો જે છે તે આખો દિવસ દોડા-દોડી કરતાં રહે છે. પોતાની લૌકિક સર્વિસ હોવા છતાં પણ છુટ્ટી (રજા) લઈ સેવામાં લાગી જાય છે. આ છે જ ઈશ્વરીય ગવર્મેન્ટ. ખાસ બાળકીઓ જો એવી સર્વિસમાં લાગી જાય તો બહુજ નામ નીકળી શકે છે. સેવાધારી બાળકોની પાલના તો સારી રીતે થતી જ રહે છે, કારણ કે શિવબાબાનો ભંડારો ભરપૂર છે. જે ભંડારા થી ખાધું તે ભંડારો ભરપૂર, કાલ કંટક દૂર. તમે છો શિવવંશી. તે રચતા છે, આ રચના છે. બાબુલ નામ બહુ જ મીઠું છે. શિવ સાજન પણ તો છે ને. શિવબાબા ની મહિમા જ અલગ છે. નિરાકાર અક્ષર લખવાથી સમજે છે કે એમનો કોઈ આકાર નથી. બિલવેડ મોસ્ટ (સૌથી પ્રિય) શિવબાબા છે - પરમપ્રિય તો લખવાનું જ છે. આ સમયે લડાઈ નું મેદાન એમનું પણ છે તો તમારું પણ છે. શિવશક્તિઓ અહિંસક ગવાય છે. પરંતુ ચિત્રોમાં દેવીઓને પણ હથિયાર આપી હિંસા દેખાડી દીધી છે. હકીકતમાં તમે યોગ અથવા યાદનાં બળ થી વિશ્વની બાદશાહી લો છો. હથિયારો વગેરે ની વાત જ નથી. ગંગા નો પ્રભાવ બહુજ છે. અનેકોને સાક્ષાત્કાર પણ થશે. ભક્તિમાર્ગ માં સમજે છે કે ગંગાજળ મળે ત્યારે ઉદ્ધાર થાય, એટલે ગુપ્ત ગંગા કહેતાં રહે છે. કહે છે, બાણ માર્યું અને ગંગા નીકળી. ગૌમુખ થી પણ ગંગા દેખાડે છે. તમે પૂછશો તો કહેશે કે ગુપ્ત ગંગા નીકળી રહી છે. ત્રિવેણી પર પણ સરસ્વતી ને ગુપ્ત દેખાડી છે. મનુષ્યોએ તો ખુબ વાતો બનાવી દીધી છે. અહીંયા તો એક જ વાત છે. ફક્ત અલ્ફ, બસ. અલ્લાહ આવીને બહિશ્ત સ્થાપન કરે છે. ખુદા હેવન (સ્વર્ગ) સ્થાપન કરે છે. ઈશ્વર સ્વર્ગ સ્થાપન કરે છે. હકીકતમાં ઈશ્વર તો એક છે. આ તો પોત-પોતાની ભાષામાં ભિન્ન-ભિન્ન નામ રાખી દીધાં છે. પરંતુ આ સમજે છે કે અલ્લાહ થી જરુર સ્વર્ગની બાદશાહી મળશે. અહીંયા તો બાપ કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરવાથી વારસો જરુર યાદ આવશે. રચતા ની રચના છે જ સ્વર્ગ. એવું થોડી કહેશે કે રામે નર્ક રચ્યું. ભારતવાસીઓને આ ખબર જ નથી કે નિરાકાર રચતા કોણ છે? તમે જાણો છો કે નર્ક નો રચતા રાવણ છે, જેને બાળે છે. રાવણ રાજ્ય માં ભક્તિમાર્ગ ની કલમ કેટલી મોટી છે. રાવણનું રુપ પણ ખુબ ભયંકર બનાવ્યું છે. બોલે પણ છે કે રાવણ અમારો દુશ્મન છે. બાપે અર્થ સમજાવ્યો છે - વિસ્તાર મોટો છે તો રાવણનું શરીર પણ મોટું બનાવે છે. શિવબાબા તો બિંદી છે. પરંતુ ચિત્ર મોટું બનાવી દીધું છે. નહીં તો બિંદી ની પૂજા કેવી રીતે થાય. પૂજારી તો બનવાનું છે ને. આત્મા માટે તો કહે છે-ભ્રકુટીનાં વચમાં ચમકે છે અજબ તારો. અને પછી કહે છે-આત્મા સો પરમાત્મા. તો પછી હજાર સૂર્ય થી વધારે તેજ કેવી રીતે હશે? આત્માનું વર્ણન તો કરે છે પરંતુ સમજતાં નથી. જો પરમાત્મા હજાર સૂર્ય થી તેજ હોય, તો દરેકમાં પ્રવેશ કેવી રીતે કરે? કેટલી અયથાર્થ વાતો છે, જે સાંભળીને શું બની ગયાં છે. કહે છે આત્મા સો પરમાત્મા તો બાપનું રુપ પણ એવું જ હશે ને, પરંતુ પૂજા માટે મોટું બનાવ્યું છે. પથ્થર નાં કેટલા મોટા-મોટા ચિત્ર બનાવે છે. જેમ ગુફામાં મોટા-મોટા પાંડવ દેખાડયાં છે, જાણતા કંઈ નથી. આ છે ભણતર. ધંધો અને ભણતર અલગ-અલગ છે. બાબા ભણાવે પણ છે અને ધંધો પણ શીખવાડે છે. બોર્ડ માં પણ પહેલા બાપની મહિમા હોવી જોઈએ. બાપની ફુલ (પૂરી) મહિમા લખવાની છે. આ વાતો આપ બાળકોની પણ બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર આવે છે એટલે મહારથી, ઘોડેસવાર કહેવાય છે. હથિયાર વગેરેની કોઈ વાત નથી. બાપ બુદ્ધિનું તાળું ખોલી દે છે. આ ગોદરેજ નું તાળું કોઈ ખોલી ન શકે. બાપની પાસે મળવા આવે છે તો બાબા બાળકોથી પૂછે છે કે પહેલાં ક્યારે મળ્યાં છો? આ જગ્યા પર, આ દિવસે ક્યારે મળ્યાં છો? તો બાળકો કહે હા બાબા, ૫ હજાર વર્ષ પહેલાં મળ્યાં છીએ. હવે આ વાતો આવી રીતે કોઈ પૂછી ન શકે. કેટલી ગુહ્ય સમજવાની વાતો છે. કેટલી જ્ઞાનની યુક્તિઓ બાબા સમજાવે છે. પરંતુ ધારણા નંબરવાર હોય છે. શિવબાબાની મહિમા અલગ છે, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની મહિમા અલગ છે. દરેક નો પાર્ટ અલગ-અલગ છે. એક ન મળે બીજા થી. આ અનાદિ ડ્રામા છે. એ જ પછી રિપીટ (પુનરાવૃત્તિ) થશે. હમણાં તમારી બુદ્ધિમાં બેસેલું છે કે આપણે કેવી રીતે મૂળવતન માં જઈએ છે પછી આવીએ છીએ પાર્ટ ભજવવા માટે. જઈએ છીએ વાયા સૂક્ષ્મવતન. આવતાં સમયે સૂક્ષ્મવતન નથી. સૂક્ષ્મવતન નો સાક્ષાત્કાર ક્યારેય કોઈને થતો જ નથી. સૂક્ષ્મવતન નો સાક્ષાત્કાર કરવા માટે કોઈ તપસ્યા નથી કરતાં કારણ કે એને કોઈ જાણતું જ નથી. સૂક્ષ્મવતન નો કોઈ ભગત થોડી હશે. સૂક્ષ્મવતન હમણાં રચે છે વાયા સૂક્ષ્મવતન જઈ પછી નવી દુનિયામાં આવશું. આ સમયે તમે ત્યાં આવતાં-જતાં રહો છો. તમારી સગાઈ થઈ છે, આ પિયરઘર છે. વિષ્ણુ ને પિતા નહીં કહેશું. તે છે સસુરઘર. જ્યારે કન્યા સાસરે જાય છે તો જૂનાં કપડા બધું છોડી જાય છે. તમે જૂની દુનિયાને જ છોડી દો છો. તમારા અને એમનાં વનવાસ માં કેટલો ફરક છે. તમારે પણ બહુજ અનાસક્ત રહેવું જોઈએ. દેહ-અભિમાન તોડવાનું છે. ઉંચી સાડી પહેરશો તો ઝટ દેહ-અભિમાન આવી જશે. હું આત્મા છું, આ ભૂલી જશો. આ સમયે તમે છો જ વનવાસ માં. વનવાસ અને વાનપ્રસ્થ એક જ વાત છે. શરીર જ છોડવાનું છે તો સાડી નહીં છોડશો શું! હલકી સાડી મળે છે તો દિલ જ નાનું થઈ જાય છે. એમાં તો ખુશી થવી જોઈએ-સારું થયું છે હલકું વસ્ત્ર મળ્યું. સારી વસ્તુ ને તો સંભાળવી પડે છે. આ પહેરવાં, ખાવાની નાની-નાની વાતો પણ ઉંચી મંઝિલ પર પહોંચવામાં અટકાવે છે. મંઝિલ ખુબ મોટી છે. કથામાં પણ સંભળાવે છે ને કે પતિએ કહ્યું-આ લાકડી પણ છોડી દો. બાપ કહે છે આ જૂનાં કપડા, જૂની દુનિયા બધું ખલાસ થવાનું છે, એટલે આ આખી દુનિયાથી બુદ્ધિયોગ તોડવાનો છે, આને બેહદનો સન્યાસ કહેવાય છે. સંન્યાસીઓએ તો હદ નો સન્યાસ કર્યો છે હવે તો ફરી તે અંદર આવી ગયાં છે. પહેલાં તો એમનામાં બહુજ તાકાત હતી. ઉતરવા વાળાની મહિમા શું થઈ શકે છે. નવી-નવી આત્માઓ પણ પાછળ સુધી આવતી રહે છે પાર્ટ ભજવવાં, એમનામાં શું તાકાત હશે. તમે તો પૂરા ૮૪ જન્મ લો છો. આ બધું સમજવા માટે કેટલી સારી બુદ્ધિ જોઈએ. સર્વિસેબલ બાળકો સેવામાં ઉછળતા રહેશે. જ્ઞાન સાગરનાં બાળકો એવું ભાષણ કરે જેવી રીતે બાબા ઉછળે છે, એમાં ફંક નથી થવાનું. અચ્છા. મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર :- - બુદ્ધિ થી બેહદનો સન્યાસ કરવાનો છે. પાછાં ઘરે જવાનો સમય છે એટલે જૂની દુનિયા અને જૂનાં શરીર થી અનાસક્ત રહેવાનું છે.
- ડ્રામા નાં દરેક દૃશ્ય ને જોવાં છતાં સદા હર્ષિત રહેવાનું છે.
વરદાન :- પોતાની હાઈએસ્ટ પોઝિશન માં સ્થિત રહીને દરેક સંકલ્પ, બોલ અને કર્મ કરવા વાળા સંપૂર્ણ નિર્વિકારી ભવ સંપૂર્ણ નિર્વિકારી અર્થાત્ કોઈ પણ પરસેન્ટ (ટકાવારી) માં કોઈ પણ વિકાર તરફ આકર્ષણ ન જાય, ક્યારેય એમનાં વશીભૂત ન થાય. હાઈએસ્ટ પોઝિશન વાળી આત્માઓ કોઈ સાધારણ સંકલ્પ પણ ન કરી શકે. તો જ્યારે કોઈ પણ સંકલ્પ કે કર્મ કરો છો તો ચેક કરો કે જેવું ઊંચુ નામ તેવું ઊંચુ કામ છે? જો નામ ઊંચુ, કામ નીચું તો નામ બદનામ કરો છો એટલે લક્ષ પ્રમાણે લક્ષણ ધારણ કરો ત્યારે કહેશે સંપૂર્ણ નિર્વિકારી અર્થાત્ હોલીએસ્ટ આત્મા. સ્લોગન :- કર્મ કરતાં કરન-કરાવનહાર બાપ ની સ્મૃતિ રહે તો સ્વ-પુરુષાર્થ અને યોગનું બેલેન્સ (સંતુલન) ઠીક રહેશે.
|
|