10-04-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - પતિત જગત થી સંબંધ તોડી એક બાપ થી બુદ્ધિયોગ લગાવો તો માયાથી હાર થઈ ન શકે”

પ્રશ્ન :-
સમર્થ બાપ સાથે હોવા છતાં પણ યજ્ઞમાં અનેક વિઘ્ન કેમ પડે છે? કારણ શું છે?

ઉત્તર :-
આ વિઘ્ન તો ડ્રામા અનુસાર પડવાનાં જ છે કારણ કે જ્યારે યજ્ઞમાં અસુરોનાં વિઘ્ન પડે ત્યારે તો પાપ નો ઘડો ભરાય. આમાં બાપ કાંઇ ન કરી શકે, આ તો ડ્રામામાં નોંધ છે. વિઘ્ન પડવાનાં જ છે પરંતુ વિઘ્નો થી તમારે ગભરાવાનું નથી.

ગીત :-
કોન હૈ માતા, કોન પિતા હૈ…

ઓમ શાંતિ!
બાળકોએ બેહદનાં બાપનું ફરમાન સાંભળ્યું. આ જે આ જગતનાં મમ્મા-બાબા છે, આ જે તમારો સંબંધ છે, દેહનાં સાથે છે કારણ કે દેહ થી પહેલાં-પહેલાં માતાની પછી પિતાની લાગણી થાય છે પછી ભાઈ-બંધુ વગેરેની થાય છે. તો બેહદનાં બાપનું કહેવું છે કે આ જગતમાં તમારા જે માતા-પિતા છે એમનાથી બુદ્ધિનો યોગ તોડી દો. આ જગત થી સંબંધ નહીં રાખો. કારણ કે આ બધાં છે કળયુગી છી-છી સંબંધ. જગત અર્થાત્ દુનિયા. આ પતિત દુનિયાથી બુદ્ધિનો યોગ તોડી મુજ એક થી જોડો અને પછી નવાં જગત સાથે જોડો, કારણ કે હવે તમારે મારી પાસે આવવાનું છે. ફક્ત સંબંધ જોડવાની વાત છે બીજી કોઈ વાત નથી બીજી કોઈ તકલીફ નથી. સંબંધ જોડશે તે જેમને ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે. સતયુગ માં પહેલાં સંબંધ સારો હોય છે, સતોપ્રધાન પછી નીચે ઉતરતાં જાય છે. પછી જે સુખનો સંબંધ છે તે ધીરે-ધીરે ઓછો થતો જાય છે. હમણાં તો બિલકુલ જ આ જૂની દુનિયાથી સંબંધ તોડવો પડે. બાપ કહે છે મારી સાથે સંબંધ જોડો. શ્રીમત પર ચાલો અને જે પણ દેહનાં સંબંધ છે તે બધાં છોડી દો. વિનાશ તો થવાનો જ છે. બાળકો જાણે છે બાપ જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, તે પણ ડ્રામા અનુસાર સર્વિસ (સેવા) કરે છે. તે પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલાં છે. મનુષ્ય તો સમજે છે એ સર્વશક્તિમાન્ છે. જેમ કૃષ્ણ ને પણ સર્વશક્તિમાન્ માને છે. એમને સ્વદર્શન ચક્ર આપી દીધું છે. સમજે છે એનાથી ગળું કાપે છે. પરંતુ આ નથી સમજતાં કે દેવતાઓ હિંસાનું કામ કેવી રીતે કરશે. તે તો કરી ન શકે. દેવતાઓનાં માટે તો કહેવાય છે-અહિંસા પરમો ધર્મ હતાં. એમનામાં હિંસા ક્યાંથી આવી? જેમને જે આવડ્યું તે બેસીને લખી દીધું છે. કેટલી ધર્મની ગ્લાની કરી છે. બાપ કહે છે આ શાસ્ત્રોમાં સાચું તો બિલકુલ લોટમાં મીઠું જેટલું છે. આ પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો હતો. એમાં અસુર વિઘ્ન નાખતાં હતાં. અબળાઓ પર અત્યાચાર થતાં હતાં. તે તો ઠીક લખેલું છે. હમણાં તમે સમજો છો - શાસ્ત્રો માં સાચું શું છે, ખોટું શું છે. ભગવાન પોતે કહે છે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન પડશે જરુર. ડ્રામામાં નોંધ છે. એવું નથી કે પરમાત્મા સાથે છે તો વિઘ્નો ને હટાવી દેશે. આમાં બાપ શું કરશે! ડ્રામા માં થવાનું જ છે. આ બધાં વિઘ્ન નાખે ત્યારે તો પાપ નો ઘડો ભરાય ને. બાપ સમજાવે છે ડ્રામા જે નોંધ છે એ જ થવાનું છે. અસુરોનાં વિઘ્ન જરુર પડશે. આપણી રાજધાની જે સ્થાપન થઈ રહી છે. અડધોકલ્પ માયાનાં રાજ્યમાં મનુષ્ય કેટલાં તમોપ્રધાન બુદ્ધિ, ભ્રષ્ટાચારી બની જાય છે. પછી એમને શ્રેષ્ઠાચારી બનાવવાં બાપનું કામ છે ને. અડધોકલ્પ લાગે છે ભ્રષ્ટાચારી બનવામાં. પછી એક સેકન્ડમાં બાપ શ્રેષ્ઠાચારી બનાવે છે. નિશ્ચય થવામાં વાર થોડી લાગે છે. એવાં ઘણાં સારા બાળકો છે જેમને નિશ્ચય હોય છે, ઝટ પ્રતિજ્ઞા કરે છે, પરંતુ માયા પણ તો પહેલવાન છે ને. કંઈ ને કંઈ મન્સામાં તોફાન લાવે છે. પુરુષાર્થ કરી કર્મણામાં નથી આવવાનું. બધાં પુરુષાર્થ કરી રહ્યાં છે. કર્માતીત અવસ્થા તો થઈ નથી. કંઈ ને કંઈ કર્મેન્દ્રિયો થી થઈ જાય છે. કર્માતીત અવસ્થા સુધી પહોંચવામાં વચ્ચે વિઘ્ન જરુર પડશે. બાપે સમજાવ્યું છે - પુરુષાર્થ કરતાં-કરતાં અંતમાં જઈને કર્માતીત અવસ્થા થાય છે પછી તો આ શરીર રહેવાનું નથી, એટલે સમય લાગે છે. વિઘ્ન કંઈક ને કંઈક પડે છે. કયાંક માયા હરાવી પણ દે છે. બોક્સિંગ (યુધ્ધ) છે ને. ઈચ્છે છે બાબાની યાદમાં રહીએ, પરંતુ રહી નથી શકતાં. થોડો ઘણો સમય જે બાકી છે, ધીરે-ધીરે તે અવસ્થા ધારણ કરવાની છે. કોઈ જન્મતા જ રાજા તો નથી હોતાં. નાનું બાળક ધીરે-ધીરે મોટું થશે ને, આમાં પણ સમય લાગે છે. હવે તો બાકી થોડો સમય રહ્યો છે. બધો આધાર પુરુષાર્થ ઉપર છે. અટેન્શન આપવાનું છે, અમે કેવી રીતે પણ કરીને બાપ થી વારસો લઈશું જરુર. માયા નો સામનો જરુર કરશું એટલે પ્રતિજ્ઞા કરે છે. માયા પણ ઓછી નથી. હલકા થી હલકા રુપમાં પણ આવે છે. રુસ્તમનાં સામે સારું જોર મારે છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બાપ કહે છે કે આપ બાળકો ને હમણાં સમજાવું છું. બાપ દ્વારા તમે સદ્દગતિ ને પામી લો છો. પછી આ જ્ઞાનની દરકાર જ નથી રહેતી. જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય છે. સદ્દગતિ કહેવાય છે સતયુગ ને.

તો મીઠા-મીઠા બાળકો ને લક્ષ્ય મળ્યું છે - આ પણ સમજે છે ડ્રામા અનુસાર ઝાડ વધવામાં સમય તો લાગે જ છે. વિઘ્ન તો ખૂબ પડે છે. ચેન્જ (પરિવર્તન) થવું પડે છે. કોડી થી હીરા જેવાં બનવું પડે છે. રાત-દિવસ નો ફર્ક છે. દેવતાઓનાં મંદિર હમણાં સુધી પણ બનાવતાં રહે છે. તમે બ્રાહ્મણ હમણાં મંદિર નહીં બનાવશો કારણ કે તે છે ભક્તિમાર્ગ. દુનિયાને આ ખબર જ નથી કે હવે ભક્તિમાર્ગ ખતમ થઈ જ્ઞાનમાર્ગ જિંદાબાદ થવાનો છે. આ ફક્ત આપ બાળકોને ખબર છે. મનુષ્ય તો સમજે છે કળયુગ હમણાં બાળક છે. તેમનો બધો આધાર છે - શાસ્ત્રો પર. આપ બાળકોને તો બાપ બેસી બધાં વેદો શાસ્ત્રો નું રહસ્ય સમજાવે છે. બાપ કહે છે-હમણાં સુધી તમે જે ભણ્યાં છો, તે બધું ભૂલી જાઓ. એનાથી કોઈની સદ્દગતિ થતી નથી. ભલે કરીને અલ્પકાળ નું સુખ મળતું આવ્યું છે. સદા સુખ જ સુખ મળે, એવું થઈ ન શકે. આ છે ક્ષણભંગુર સુખ. મનુષ્ય દુઃખમાં રહે છે. મનુષ્ય આ નથી જાણતાં કે સતયુગ માં દુઃખનું નામ નિશાન નથી હોતું. એમણે ત્યાનાં માટે પણ એવી વાતો બતાવી દીધી છે. ત્યાં કૃષ્ણપુરી માં કંસ હતો, આ હતો… કૃષ્ણએ જેલમાં જન્મ લીધો. ઘણી વાતો લખી દીધી છે. હવે શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં પહેલા નંબર પ્રિન્સ, એણે શું પાપ કર્યા? આ છે દંત કથાઓ, તે પણ તમે હમણાં સમજો છો જ્યારે કે બાપે સાચું બતાવ્યું છે. બાપ જ આવીને સચખંડ સ્થાપન કરે છે. સચખંડ માં કેટલું સુખ હતું, જુઠ ખંડ માં કેટલું દુઃખ છે. આ બધાં ભૂલી ગયાં છે. તમે જાણો છો આપણે શ્રીમત પર સચખંડ સ્થાપન કરીને એનાં માલિક બનીશું.

બાપ સમજાવે છે, આમ-આમ શ્રીમત પર ચાલવાથી તમે ઊંચ પદ પામી શકશો. બાળકો આ જાણે છે અમારે આ ભણતર ભણીને સૂર્યવંશી મહારાજા મહારાણી બનવાનું છે. દિલ પણ બધાનું થાય છે ઊંચ પદ પામવાનું. બધાનો પુરુષાર્થ ચાલે છે. સારા પાક્કા ભક્ત જે હોય છે તે ચિત્ર સાથે રાખે છે તો ઘડી-ઘડી એમની યાદ રહેશે. બાબા પણ કહે છે ત્રિમૂર્તિ નું ચિત્ર સાથે રાખી દો તો ઘડી-ઘડી યાદ આવશે. બાપ ને યાદ કરવાથી અમે સૂર્યવંશી પરિવારમાં આવી જઈશું. ઓરડામાં ત્રિમૂર્તિનું ચિત્ર લાગેલું હશે તો ઘડી-ઘડી નજર સામે પડશે. બાબા દ્વારા આપણે આ સૂર્યવંશી પરિવારમાં જઈશું. સવારે ઉઠતાં જ નજર તેનાં પર જશે. તે પણ એક પુરુષાર્થ છે. બાબા સલાહ આપે છે - સારા-સારા ભગત ખૂબ પુરુષાર્થ કરે છે. આંખો ખોલવાથી જ કૃષ્ણ યાદ આવી જાય, એટલે ચિત્ર સામે રાખી દે છે. તમારા માટે તો ખૂબ જ સહજ છે. જો સહજ યાદ નથી આવતી, માયા હેરાન કરે છે તો આ ચિત્ર મદદ કરશે. શિવબાબા આપણને બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી નાં માલિક બનાવે છે. આપણે બાબા થી વિશ્વનાં માલિક બની રહ્યાં છે. આ સિમરણ માં રહેવાથી પણ મદદ બહુજ મળશે. જે બાળકો સમજે છે યાદ ઘડી-ઘડી ભૂલાઈ જાય છે તો બાબા સલાહ આપે છે, ચિત્ર સામે રાખી દો તો બાપ પણ અને વારસો પણ યાદ આવશે. પરંતુ બ્રહ્માને યાદ નથી કરવાનાં. સગાઈ કરે છે તો દલાલ થોડી યાદ આવે છે. તમે બાબાને સારી રીતે યાદ કરો તો બાબા પણ તમને યાદ કરશે. યાદ થી યાદ મળે છે. હમણાં માશૂક નાં કર્તવ્ય ની તમને ખબર છે. શિવ નાં કેટલાં બધાં ભગત છે. શિવ-શિવ કહેતાં રહે છે. પરંતુ તે ખોટું છે. શિવકાશી, વિશ્વનાથ પછી ગંગા કહી દે છે. પાણીનાં કિનારે જઈને બેસે છે. આ સમજતાં નથી કે જ્ઞાનનાં સાગર બાપ છે. બનારસ માં બહુજ વિદેશીઓ વગેરે જાય છે જોવાં. મોટા-મોટા ઘાટ છે છતાં પણ બધાને બાપ નું મંદિર તો ખેંચે છે. બધાં એમની પાસે જાય છે. મંદિર તો કોઈ ની પાસે જશે નહીં. મંદિરનાં દેવતાઓ ખેંચે છે. શિવબાબા પણ ખેંચે છે. નંબરવન છે શિવબાબા પછી સેકન્ડ નંબરમાં આ બ્રહ્મા, સરસ્વતી સો વિષ્ણુ. વિષ્ણુ સો બ્રહ્મા. બ્રાહ્મણ સો વિષ્ણુપુરી નાં દેવતાઓ. વિષ્ણુપૂરી નાં દેવતાઓ સો બ્રાહ્મણ. હવે તમારો ધંધો આ થયો, હમ સો દેવતા બની રહ્યાં છો તો બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. બીજા બધાં છે જંગલમાં લઈ જવા વાળા. તમે જંગલ થી નીકાળી બગીચામાં લઈ જાઓ છો. શિવબાબા આવીને કાંટા ને ફૂલ બનાવે છે. તમે પણ આ ધંધો કરો છો. આ વાતોને તમે જ જાણો છો. કોઈ રાજા-રાણી તો છે નહીં જેમને તમે સમજાવો. ગવાયું છે પાંડવો ને ૩ પગ પૃથ્વીનાં મળતાં નહોતાં. બાપ સમર્થ હતાં તો એમને વિશ્વની બાદશાહી આપી દીધી. હવે પણ એ જ પાર્ટ ભજવાશે ને. બાપ છે ગુપ્ત. કૃષ્ણ ને તો કોઈ વિઘ્ન પડી ન શકે. હવે બાપ આવ્યાં છે, બાપ થી આવીને વારસો લેવાનો છે, એનાં માટે મહેનત કરવાની હોય છે. દિવસ પ્રતિદિવસ નવી-નવી પોઈન્ટ્સ નીકળતી રહે છે. જોવામાં આવે છે, પ્રદર્શની માં સમજાવવાથી સારો પ્રભાવ પડે છે. બુદ્ધિ થી કામ લેવાય છે કે પ્રદર્શની થી સારો પ્રભાવ થાય છે કે પ્રોજેક્ટર થી? પ્રદર્શની માં સમજાવવાથી ચહેરો જોઈને સમજાવી શકાય છે. સમજો છો ગીતાના ભગવાન બાપ છે, તો બાપ થી પછી વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે. ૭ દિવસ આપવાનાં છે. લખીને આપો. નહીં તો બહાર જવાથી જ માયા ભૂલાવી દેશે. તમારી બુદ્ધિમાં આવી ગયું - અમે ૮૪ નું ચક્ર લગાવ્યું છે, હવે જવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ ચિત્ર તો સાથે હોવાં જ જોઈએ. ખૂબ સારા છે. બિરલા વગેરે પણ આ નથી જાણતાં કે આ લક્ષ્મી-નારાયણે આ રાજ્ય-ભાગ્ય ક્યારે અને કેવી રીતે લીધું. તમે જાણો છો તો તમને ખૂબ ખુશી થવી જોઈએ. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર લઈ, ઝટ કોઈ ને સમજાવશો. એમણે આ પદ કેવી રીતે પામ્યું? આ વાતો બુદ્ધિથી સમજવાની અને સમજાવવાની છે. મંઝિલ છે ઊંચી. જે જેવાં ટીચર છે તે તેવી જ સર્વિસ કરે છે. જુએ છે - કોણ-કોણ સેવાકેન્દ્ર સંભાળી રહ્યાં છે, પોતાની અવસ્થા અનુસાર. નશો તો બધાને છે. પરંતુ વિવેક કહે છે સમજાવવા વાળા જેટલાં હોશિયાર હશે એટલી સર્વિસ સારી થશે. બધાં તો હોશિયાર હોઈ ન શકે. બધાને એક જેવા ટીચર મળી ન શકે. જેમ કલ્પ પહેલાં ચાલ્યું હતું તેમ જ ચાલી રહ્યું છે. બાપ કહે છે પોતાની અવસ્થા ને જમાવતાં રહો. કલ્પ-કલ્પ ની બાજી છે. દેખાઈ રહ્યું છે-કલ્પ પહેલાં માફક દરેક નો પુરુષાર્થ ચાલી રહ્યો છે. જે કાંઈ થાય છે - આપણે કહી દઈએ કલ્પ પહેલાં પણ આમ થયું હતું. પછી ખુશી પણ રહે છે, શાંતિ પણ રહે છે. બાપ કહે છે કર્મ કરતાં બાપ ને યાદ કરો. બુદ્ધિનો યોગ ત્યાં લટકી રહે તો ખૂબ કલ્યાણ થશે, જે કરશે તે પામશે. સારું કરશે સારું પામશે. માયાની મત પર બધાં ખોટું જ કરતાં આવ્યાં છે. હવે મળે છે શ્રીમત. ભલું કરો તો ભલું થાય. દરેક પોતાનાં માટે મહેનત કરે છે. જેવું કરશે તેવું પામશે. કેમ નહીં આપણે યોગ લગાવી સર્વિસ કરતાં રહીએ. યોગ થી ઉંમર વધશે. યાદની યાત્રા થી નિરોગી બનવાનું છે તો કેમ નહીં આપણે બાબાની યાદ માં રહીએ! યથાર્થ વાત છે તો કેમ નહીં આપણે કોશિશ કરીએ. જ્ઞાન તો બિલકુલ સહજ છે. નાનાં બાળકો પણ સમજી જાય છે અને સમજાવે છે. પરંતુ તે યોગી તો ન થયાં ને. આ તો પાક્કું કરવાનું છે કે બાપ ને યાદ કરો. જે સમજે છે, ઘડી-ઘડી ભૂલી જવાય છે તો ચિત્ર રાખી દો, તો પણ સારું છે. સવારે ચિત્ર ને જોતાં જ યાદ આવી જાય છે. શિવબાબા થી આપણે વિષ્ણુપુરી નો વારસો લઇ રહ્યાં છીએ. આ ત્રિમૂર્તિ નું ચિત્ર જ મુખ્ય છે, જેનો અર્થ તો તમે હમણાં સમજો છો. દુનિયામાં આવાં ત્રિમૂર્તિ નાં ચિત્ર બીજા કોઈની પાસે છે નહીં. આ તો બિલકુલ સહજ છે. આપણે લખીએ કે ન લખીએ. આ તો બધાં જાણે છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયાની બોક્સિંગ માં ક્યારેય પણ હાર ન થાય - આનું ધ્યાન રાખવાનું છે. કલ્પ પહેલા ની સ્મૃતિ થી પોતાની અવસ્થા ને જમાવવાની છે. ખુશી અને શાંતિ માં રહેવાનું છે.

2. પોતાનું ભલું કરવા માટે શ્રીમત પર ચાલવાનું છે. આ જૂની દુનિયાથી સંબંધ તોડી દેવાનો છે. માયાનાં તોફાન થી બચવા માટે ચિત્રો ને સામે રાખી બાપ અને વારસાને યાદ કરવાનું છે.

વરદાન :-
નિર્બળ આત્માઓમાં શક્તિઓ નો ફોર્સ ભરવા વાળા જ્ઞાન - દાતા સો વરદાતા ભવ

વર્તમાન સમયે નિર્બળ આત્માઓમાં એટલી શક્તિ નથી જે જમ્પ (છલાંગ) આપી શકે, એમને એક્સ્ટ્રા ફોર્સ (બળ) જોઈએ. તો આપ વિશેષ આત્માઓએ સ્વયં માં વિશેષ શક્તિ ભરીને એમને હાઈ જમ્પ અપાવવાની છે. એનાં માટે જ્ઞાન દાતાનાં સાથે-સાથે શક્તિઓનાં વરદાતા બનો. રચતા નો પ્રભાવ રચના પર પડે છે એટલે વરદાની બનીને પોતાની રચના ને સર્વ શક્તિઓ નો વરદાન આપો. હમણાં આ જ સર્વિસ ની આવશ્યકતા છે.

સ્લોગન :-
સાક્ષી થઈને દરેક ખેલ જુઓ તો સેફ (સુરક્ષિત) પણ રહેશો અને મજા પણ આવશે.