25.04.2021 પ્રાતઃમુરલી ઓમ શાંતિ "અવ્યક્ત-બાપદાદા” રીવાઈઝ ૧૮-૧૨-૮૭ મધુબન


" કર્માતીત સ્થિતિ ની ગુહ્ય પરિભાષા”

આજે વિદેહી બાપદાદા પોતાનાં વિદેહી સ્થિતિમાં સ્થિત રહેવાવાળા શ્રેષ્ઠ બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બ્રાહ્મણ આત્મા વિદેહી બનવાનાં કે કર્માતીત બનવાનાં શ્રેષ્ઠ લક્ષ ને લઇ સંપૂર્ણ સ્ટેજ નાં સમીપ આવી રહી છે. તો આજે બાપદાદા બાળકોની કર્માતીત વિદેહી સ્થિતિની સમીપતા ને જોઈ રહ્યાં હતાં કે કોણ-કોણ કેટલાં સમીપ પહોંચ્યા છે, ‘ફોલો બ્રહ્મા બાપ’ ક્યાં સુધી કર્યુ છે કે કરી રહ્યાં છે? લક્ષ બધાનું બાપ નાં સમીપ અને સમાન બનવાનું જ છે. પરંતુ પ્રેક્ટિકલમાં નંબરવાર બની જાય છે. આ દેહ માં રહેતાં વિદેહી અર્થાત્ કર્માતીત બનવાનું એક્ઝામ્પલ (ઉદાહરણ) સાકાર માં બ્રહ્મા બાપ ને જોયાં. તો કર્માતીત બનવાની વિશેષતા શું છે? જ્યાં સુધી આ દેહ છે, કર્મેન્દ્રિયો ની સાથે આ કર્મક્ષેત્ર પર પાર્ટ ભજવી રહ્યાં છો, ત્યાં સુધી કર્મ વગર સેકન્ડ પણ રહી નથી શકતાં. કર્માતીત અર્થાત્ કર્મ કરતાં કર્મ નાં બંધન થી પરે. એક છે બંધન અને બીજો છે સંબંધ. કર્મેન્દ્રિયો દ્વારા કર્મ નાં સંબંધમાં આવવું અલગ વસ્તુ છે, કર્મ નાં બંધનમાં બંધાવું તે અલગ વસ્તુ છે. કર્મબંધન, કર્મ નાં હદનાં ફળ ની વશીભૂત બનાવી દે છે. વશીભૂત શબ્દ જ સિદ્ધ કરે છે કે જે કોઈનાં પણ વશમાં આવી જાય. વશ માં આવવા વાળા ભૂત નાં સમાન ભટકવા વાળા બની જાય છે. જેમ અશુદ્ધ આત્મા ભૂત બની જ્યારે પ્રવેશે છે તો મનુષ્ય આત્માની શું હાલત થાય છે? પરવશ થઈ ભટકતાં રહે છે. એવી રીતે કર્મનાં વશીભૂત અર્થાત્ કર્મનાં વિનાશી ફળની ઇચ્છા નાં વશીભૂત છે તો કર્મ પણ બંધનમાં બાંધી બુદ્ધિ દ્વારા ભટકાવતું રહે છે. આને કહેવાય છે કર્મબંધન, જે સ્વયં ને પણ પરેશાન કરે છે અને બીજાઓને પણ પરેશાન કરે છે. કર્માતીત અર્થાત્ કર્મ નાં વશ થવાવાળા નહીં પરંતુ માલિક બની, ઓથોરિટી બની કર્મેન્દ્રિયો નાં સંબંધમાં આવી, વિનાશી કામનાઓથી ન્યારા થઈ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવે. આત્મા માલિક ને કર્મ પોતાનાં અધીન ન કરે પરંતુ અધિકારી બની કર્મ કરાવતી રહે. કર્મેન્દ્રિય પોતાનાં આકર્ષણ માં આકર્ષિત કરે છે અર્થાત્ કર્મ નાં વશીભૂત બને છે, અધીન થાય છે, બંધનમાં બંધાય છે. કર્માતીત અર્થાત્ આનાથી અતીત અર્થાત્ ન્યારા. આંખનું કામ છે જોવાનું પરંતુ જોવાનું કર્મ કરાવવા વાળું કોણ છે? આંખ કર્મ કરવા વાળી છે અને આત્મા કર્મ કરાવવા વાળી છે. તો કરાવવા વાળી આત્મા, કરવાવાળી કર્મેન્દ્રિયો નાં વશ થઈ જાય - આને કહેવાય છે કર્મબંધન. કરાવવા વાળા બની કર્મ કરાવો - આને કહેવાય છે કર્મ નાં સંબંધમાં આવવું. કર્માતીત આત્મા સંબંધમાં આવે છે પરંતુ બંધન માં નથી રહેતી. ક્યારેક-ક્યારેક કહો છો ને કે બોલવા નહોતાં ઇચ્છતાં પરંતુ બોલી દીધું, કરવા નહોતાં ઈચ્છતાં પરંતુ કરી લીધું. આને કહેવાય છે કર્મનાં બંધનમાં વશીભૂત આત્મા. આવી આત્મા કર્માતીત સ્થિતિ નાં નજીક કહેશું કે દૂર કહેશું?

કર્માતીત અર્થાત્ દેહ, દેહનાં સંબંધ, પદાર્થ, લૌકિક અથવા અલૌકિક બંને સંબંધ થી, બંધન થી અતીત અર્થાત્ ન્યારા. ભલે સંબંધ શબ્દ કહેવામાં આવે છે - દેહનો સંબંધ, દેહનાં સંબંધીઓનો સંબંધ, પરંતુ દેહ માં કે સંબંધમાં જો અધીન છો તો સંબંધ પણ બંધન બની જાય છે. સંબંધ શબ્દ ન્યારા અને પ્યારા અનુભવ કરાવવા વાળો છે. આજની બધી આત્માઓનો સંબંધ બંધન નાં રુપમાં બદલાઈ ગયો છે. જ્યાં સંબંધ, બંધન નું રુપ બની જાય છે તો બંધન સદા સ્વયં ને કોઈને કોઈ પ્રકાર થી પરેશાન કરતું રહેશે, દુઃખની લહેર અનુભવ કરાવશે, ઉદાસી નો અનુભવ કરાવશે. વિનાશી પ્રાપ્તિઓ હોવા છતાં પણ અલ્પકાળ માટે તે પ્રાપ્તિઓનું સુખ અનુભવ કરશે. સુખની સાથે-સાથે હમણાં-હમણાં પ્રાપ્તિ સ્વરુપનો અનુભવ થશે, હમણાં-હમણાં પ્રાપ્તિઓ હોવા છતાં પણ અપ્રાપ્ત સ્થિતિ નો અનુભવ થશે. ભરપૂર હોવા છતાં પણ પોતાને ખાલી-ખાલી અનુભવ કરશે. બધું હોવા છતાં પણ ‘કંઈક હજું જોઈએ’ - એવો અનુભવ કરતાં રહેશે અને જ્યાં ‘જોઈએ-જોઈએ’ છે તો ત્યાં ક્યારેય પણ સંતુષ્ટતા નહીં રહેશે. મન પણ રાજી, તન પણ રાજી રહે, બીજા પણ રાજી રહે - આ સદા થઇ નથી શકતું. કોઈ ને કોઈ વાતમાં સ્વયં થી નારાઝ કે બીજાઓથી નારાઝ ન ઇચ્છતાં પણ થતાં રહેશે કારણ કે નારાઝ અર્થાત્ ન રાઝ અર્થાત્ રાઝ (રહસ્ય) ને નથી સમજયું. અધિકારી બની કર્મેન્દ્રિયો થી કર્મ કરાવવાનું રહસ્ય નથી સમજયું. તો નારાજ જ થશે ને. કર્માતીત ક્યારેય નારાજ નથી થતાં કારણ કે તે કર્મ-સંબંધ અને કર્મ-બંધન નાં રહસ્ય ને જાણે છે. કર્મ કરો પરંતુ વશીભૂત થઈને નહીં, અધિકારી માલિક થઈને કરો. કર્માતીત અર્થાત્ પોતાનાં પાછળનાં કર્મોનાં હિસાબ-કિતાબ નાં બંધન થી પણ મુક્ત. ભલે પાછળ નાં કર્મો નાં હિસાબ-કિતાબ નાં ફળ સ્વરુપ તન નો રોગ હોય, મન નાં સંસ્કાર અન્ય આત્માઓનાં સંસ્કારો થી ટક્કર પણ ખાતા હોય પરંતુ કર્માતીત, કર્મભોગ નાં વશ ન થઈને માલિક બની ચૂકતું કરાવશે. કર્મયોગી બની કર્મભોગ ચૂકતું કરવું - આ છે કર્માતીત બનવાની નિશાની. યોગ થી કર્મભોગ ને હસતાં-હસતાં શૂળી થી કાંટો કરી ભસ્મ કરવું અર્થાત્ કર્મભોગ ને સમાપ્ત કરવાનું છે. વ્યાધિ નું રુપ ન બને. જે વ્યાધિ નું રુપ બની જાય છે તે સ્વયં સદા વ્યાધિ નું જ વર્ણન કરતાં રહેશે. મનમાં પણ વર્ણન કરશે તો મુખ થી પણ વર્ણન કરશે. બીજી વાત - વ્યાધિ નું રુપ હોવાનાં કારણે સ્વયં પણ પરેશાન થશે અને બીજાઓને પણ પરેશાન કરશે. તે ચિલ્લાવશે અને કર્માતીત ચલાવી લેશે. કોઈને થોડુંક દર્દ થાય છે તો પણ ચિલ્લાવે ખૂબ છે અને કોઈ ને વધારે દર્દ થાય તો પણ ચલાવે છે. કર્માતીત સ્થિતિવાળા દેહ નાં માલિક હોવાનાં કારણે કર્મભોગ હોવા છતાં પણ ન્યારા બનવાના અભ્યાસી છે. વચ-વચ માં અશરીરી સ્થિતિ નો અનુભવ બીમારી થી પરે કરી દે છે. જેવી રીતે સાયન્સનાં સાધન દ્વારા બેહોશ કરી દે છે તો દર્દ હોવા છતાં પણ ભૂલી જાય છે, દર્દ અનુભવ નથી કરતાં કારણ કે દવા નો નશો હોય છે. તો કર્માતીત અવસ્થા વાળા અશરીરી બનવાના અભ્યાસી હોવાનાં કારણે વચ-વચ માં આ રુહાની ઇન્જેક્શન લાગી જાય છે. આનાં કારણે શૂળી થી કાંટો અનુભવ થાય છે. બીજી વાત - ફોલો ફાધર હોવાનાં કારણે વિશેષ આજ્ઞાકારી બનવાનું પ્રત્યક્ષ ફળ બાપ થી વિશેષ દિલની દુવાઓ પ્રાપ્ત થાય છે. એક પોતાનો અશરીરી બનવાનો અભ્યાસ, બીજો આજ્ઞાકારી બનવાનું પ્રત્યક્ષ ફળ બાપની દુવાઓ, તે બીમારી અર્થાત્ કર્મભોગ ને શૂળી થી કાંટો બનાવી દે છે. કર્માતીત શ્રેષ્ઠ આત્મા કર્મભોગ ને, કર્મયોગ ની સ્થિતિમાં પરિવર્તન કરી દેશે. તો એવો અનુભવ છે કે ખૂબ મોટી વાત સમજો છો? સહજ છે કે મુશ્કેલ છે? નાની ને મોટી વાત બનાવવી અથવા મોટી ને નાની વાત બનાવવી - આ પોતાની સ્થિતિ ઉપર છે. પરેશાન થવું કે પોતાનાં અધિકારીપણા ની શાન માં રહેવું - પોતાની ઉપર છે. શું થઈ ગયું કે જે થયું તે સારું થયું - આ પોતાની ઉપર છે. આ નિશ્ચય ખરાબ ને પણ સારા માં બદલી શકે છે કારણ કે હિસાબ-કિતાબ ચૂકતું થવાનાં કારણે કે સમય પ્રતિ સમય પ્રેક્ટિકલ પેપર ડ્રામા અનુસાર હોવાનાં કારણે કોઈ વાત સારા રુપમાં સામે આવશે અને ઘણીવાર સારા રુપમાં હોવા છતાં પણ બહારનું રુપ નુકસાન વાળું હશે અથવા જેને તમે કહો છો આ આ રુપથી સારું નહીં થયું. વાતો આવશે, હમણાં સુધી પણ એવાં રુપ ની વાતો આવતી રહે છે આવતી પણ રહેશે. પરંતુ નુકસાન નાં પડદા ની અંદર ફાયદો છુપાયેલો હોય છે. બહાર નો પડદો નુકસાન નો દેખાય છે, જો થોડોક સમય ધેર્યવત અવસ્થા, સહનશીલ સ્થિતિ થી અંતર્મુખી થઈ જુઓ તો બહાર નાં પડદા ની અંદર જે છુપાયેલું છે, તમને તે જ દેખાશે, ઉપરનું જોવા છતાં પણ નહીં જોશો. હોલી હંસ છો ને? જ્યારે તે હંસ પથ્થર અને રત્નો ને અલગ કરી શકે છે તો હોલી હંસ પોતાનાં છુપાયેલા ફાયદા ને લઈ લેશે, નુકસાન ની વચ્ચે ફાયદા ને શોધી લેશે. સમજ્યાં? જલ્દી ગભરાઈ જાઓ છો ને. એનાથી શું થાય છે? જે સારું વિચારાય તે પણ ગભરાવા નાં કારણે બદલાઈ જાય છે. તો ગભરાઓ નહીં. કર્મ ને જોઈ કર્મ નાં બંધનમાં નહીં ફસાઓ. શું થઈ ગયું, કેવી રીતે થઈ ગયું, આવું તો થવું ન જોઈએ, મારા થી જ કેમ થાય, મારું જ ભાગ્ય કદાચ આવું છે - આ દોરીઓ બાંધતાં જાઓ છો. આ સંકલ્પ દોરી છે. એટલે કર્મ નાં બંધનમાં આવી જાઓ છો. વ્યર્થ સંકલ્પ જ કર્મબંધન ની સૂક્ષ્મ દોરીઓ છે. કર્માતીત આત્મા કહેશે - જે થાય છે તે સારું છે, હું પણ સારો, બાપ પણ સારા, ડ્રામા પણ સારો. આ બંધન ને કાપવાની કાતર નું કામ કરે છે. બંધન કપાઈ ગયાં તો કર્માતીત થઈ ગયાં ને. કલ્યાણકારી બાપ નાં બાળકો હોવાનાં કારણે સંગમયુગ ની દરેક સેકન્ડ કલ્યાણકારી છે. દરેક સેકન્ડ નો તમારો ધંધો જ કલ્યાણ કરવાનો છે, સેવા જ કલ્યાણ કરવાની છે. બ્રાહ્મણોનું ઓક્યૂપેશન (કર્તવ્ય) જ છે વિશ્વ-પરિવર્તક, વિશ્વ કલ્યાણકારી. એવી નિશ્ચયબુદ્ધિ આત્મા માટે દરેક ઘડી નિશ્ચિત કલ્યાણકારી છે. સમજ્યાં?

હમણાં તો કર્માતીત ની પરિભાષા ઘણી છે. જેમ કર્મો ની ગતિ ગહન છે, કર્માતીત સ્થિતિ ની પરિભાષા પણ ખૂબ મહાન છે, અને કર્માતીત બનવું જરુરી છે. કર્માતીત બન્યાં વગર સાથે નહીં ચાલશો. સાથે કોણ જશે? જે સમાન હશે. બ્રહ્મા બાપ ને જોયાં - કર્માતીત સ્થિતિ ને કેવી રીતે પ્રાપ્ત કરી? કર્માતીત બનવાનું ફોલો કરવું અર્થાત્ સાથે ચાલવાં યોગ્ય બનવું. આજે આટલું જ સંભળાવે છે, આટલું ચેકિંગ કરજો, પછી બીજું સંભળાવશે. અચ્છા!

સર્વ અધિકારી સ્થિતિ માં સ્થિત રહેવા વાળા, કર્મબંધન ને કર્મ નાં સંબંધમાં બદલવા વાળા, કર્મભોગ ને કર્મયોગ ની સ્થિતિ માં શૂળી થી કાંટો બનાવવાવાળા, દરેક સેકન્ડ કલ્યાણ કરવા વાળા, સદા બ્રહ્મા બાપ સમાન કર્માતીત સ્થિતિ નાં સમીપ અનુભવ કરવાવાળા - એવી વિશેષ આત્માઓને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.

અવ્યક્ત બાપદાદાની પાર્ટીઓ થી મુલાકાત

૧. સદા પોતાને સમર્થ બાપનાં સમર્થ બાળકો અનુભવ કરો છો? ક્યારેક સમર્થ, ક્યારેક કમજોર - એવું તો નથી? સમર્થ અર્થાત્ સદા વિજયી. સમર્થ ની ક્યારેય હાર થઈ નથી શકતી. સ્વપ્ન માં પણ હાર નથી થઈ શકતી. સ્વપ્ન, સંકલ્પ અને કર્મ બધામાં સદા વિજયી - આને કહેવાય છે સમર્થ. એવાં સમર્થ છો? કારણ કે જે હમણાં નાં વિજયી છે, લાંબાકાળ થી તે જ વિજય માળામાં ગાયન-પૂજન યોગ્ય બને છે. જે લાંબાકાળનાં વિજયી નથી, સમર્થ નથી તો લાંબાકાળ નાં ગાયન-પૂજન યોગ્ય નથી બનતાં. જે સદા અને લાંબાકાળ નાં વિજયી છે તે જ લાંબોસમય વિજય માળા માં ગાયન-પૂજન માં આવે છે અને જે ક્યારેક-ક્યારેક નાં વિજય છે તે ક્યારેક-ક્યારેક ની અર્થાત્ ૧૬ હજાર ની માળામાં આવશે. તો લાંબાકાળ નો હિસાબ છે અને સદા નો હિસાબ છે. ૧૬ હજારની માળા બધાં મંદિરોમાં નથી હોતી, ક્યાંક-ક્યાંક હોય છે.

૨. બધાં પોતાને આ વિશાળ ડ્રામા ની અંદર હીરો પાર્ટધારી આત્માઓ અનુભવ કરો છો? તમારા બધાનો હીરો પાર્ટ છે. હીરો પાર્ટધારી કેમ બન્યાં? કારણ કે જે ઊંચેથી ઊંચા બાપ ઝીરો છે - એમની સાથે પાર્ટ ભજવવા વાળા છો. તમે પણ ઝીરો અર્થાત્ બિંદી છો. પરંતુ તમે શરીરધારી બનો છો અને બાપ સદા ઝીરો છે. તો ઝીરો ની સાથે પાર્ટ ભજવવા વાળા હીરો એક્ટર છીએ - આ સ્મૃતિ રહે તો સદા યથાર્થ પાર્ટ ભજવશો, સ્વતઃ જ એટેન્શન જશે. જેમ હદનાં ડ્રામા ની અંદર હીરો પાર્ટધારી ને કેટલું અટેન્શન હોય છે! સૌથી મોટામાં મોટો હીરો પાર્ટ તમારો બધાનો છે. સદા આ નશા અને ખુશી માં રહો - વાહ, મારો હીરો પાર્ટ જે આખાં વિશ્વની આત્માઓ વારંવાર હેયર-હેયર કરે છે? આ દ્વાપર થી જે કીર્તન કરે છે આ તમારા આ સમય નાં હીરો પાર્ટ નું જ યાદગાર છે. કેટલું સરસ યાદગાર બનેલું છે! તમે સ્વયં હીરો બન્યાં છો ત્યારે તમારી પાછળ હજું સુધી પણ તમારું ગાયન ચાલતું રહે છે. અંતિમ જન્મમાં પણ પોતાનું ગાયન સાંભળી રહ્યાં છો. ગોપીવલ્લભ નું પણ ગાયન છે તો ગ્વાલ-બાળ નું પણ ગાયન છે, ગોપિકાઓ નું પણ ગાયન છે. બાપનું શિવનાં રુપમાં ગાયન છે તો બાળકોનું શક્તિઓનાં રુપમાં ગાયન છે. તો સદા હીરો પાર્ટ ભજવવા વાળી શ્રેષ્ઠ આત્માઓ છીએ - આ જ સ્મૃતિમાં ખુશીમાં આગળ વધતાં ચાલો.

કુમારો થી :- ૧. સહજયોગી કુમાર છો ને? નિરંતર યોગી કુમાર, કર્મયોગી કુમાર કારણ કે કુમાર જેટલા પોતાને આગળ વધારવાં ઈચ્છે એટલું વધારી શકે છે. કેમ? નિર્બન્ધન છે, બોજ નથી અને જવાબદારી નથી એટલે હલકા છે. હલકા હોવાનાં કારણે જેટલાં ઊંચા જવા ઈચ્છે જઈ શકે છે. નિરંતર યોગી, સહજ યોગી - આ છે ઊંચી સ્થિતિ, આ છે ઊંચું જવું. આવી ઊંચ સ્થિતિ વાળા ને કહે છે - ‘વિજયીકુમાર’. વિજયી છો કે ક્યારેક હાર, ક્યારેક જીત - આ રમત તો નથી રમતાં? જો ક્યારેક હાર ક્યારેક જીત નાં સંસ્કાર હશે તો એકરસ સ્થિતિ નો અનુભવ નહીં થશે. એક ની લગન માં મગન રહેવાનો અનુભવ નહીં કરશો.

૨. સદા દરેક કર્મમાં કમાલ કરવાવાળા કુમાર છો ને? કોઇ પણ કર્મ સાધારણ ન હોય, કમાલ નું હોય. જેમ બાપ ની મહિમા કરો છો, બાપ ની કમાલ ગાઓ છો. તેમ કુમાર અર્થાત્ દરેક કર્મ માં કમાલ દેખાડવા વાળા. ક્યારેક કેવાં, ક્યારેક કેવી રીતે વાળા નહીં. એવાં નહીં - જ્યાં કોઈ ખેંચે ત્યાં ખેંચાઈ જાઓ. ગબડવા વાળા લોટો નહીં. ક્યારેક ક્યાંક ગબડી જાઓ, ક્યારેક ક્યાંક. એવાં નહીં. કમાલ કરવાવાળા બનો. અવિનાશી, અવિનાશી બનાવવા વાળા છો - એવાં ચેલેન્જ કરવાવાળા બનો. એવી કમાલ કરી ને દેખાડો જે દરેક કુમાર હરતાં-ફરતાં ફરિશ્તા હોય, દૂર થી જ ફરિશ્તાપણા ની ઝલક અનુભવ થાય. વાણી થી સેવા નાં પ્રોગ્રામ તો ખુબ બનાવી લીધાં, તે તો કરશો જ પરંતુ આજકાલ પ્રત્યક્ષ પ્રુફ (પ્રમાણ) ઈચ્છે છે. પ્રત્યક્ષ પ્રમાણ, સૌથી શ્રેષ્ઠ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલાં થઈ જાય તો સહજ સેવા થઈ જશે. ફરિશ્તાપણા ની સેવા કરો તો મહેનત ઓછી સફળતા વધારે થશે. ફક્ત વાણી થી સેવા નહીં કરો પરંતુ મન વાણી અને કર્મ ત્રણેય સાથે-સાથે સેવા થાય - આને કહેવાય છે ‘કમાલ’. અચ્છા!

વિદાયનાં સમયે :- ચારેય તરફ ની તીવ્ર પુરુષાર્થી, સદા સેવાધારી, સદા ડબલ લાઈટ બની બીજાઓને પણ ડબલ લાઈટ બનાવવાવાળી, સફળતા ને અધિકાર થી પ્રાપ્ત કરવાવાળી, સદા બાપ સમાન આગળ વધવા વાળી અને બીજાઓને પણ આગળ વધારવા વાળી, એવાં સદા ઉમંગ-ઉત્સાહ માં રહેવા વાળી શ્રેષ્ઠ આત્માઓને, સ્નેહી બાળકો ને બાપદાદા નો ખૂબ-ખૂબ સિક વ પ્રેમ થી યાદપ્યાર ઔર ગુડમોર્નિંગ.

વરદાન :-

કદમ - કદમ પર સાવધાની રાખતાં પદમો ની કમાણી જમા કરવા વાળા પદમપતિ ભવ

બાપ બાળકોને ખૂબ ઊંચી સ્ટેજ પર રહેવાની સાવધાની આપી રહ્યાં છે એટલે હમણાં જરા પણ ગફલત કરવાનો સમય નથી, હવે તો કદમ-કદમ પર સાવધાની રાખતાં, કદમો માં પદમો ની કમાણી કરતાં પદમપતિ બનો. જેવું નામ છે પદમાપદમ ભાગ્યશાળી, એવું કર્મ પણ હોય. એક કદમ પણ પદમ ની કમાણી વગર ન જાય. તો ખૂબ વિચારી-સમજી ને શ્રીમત પ્રમાણે દરેક કદમ ઉઠાવો. શ્રીમત માં મનમત મિક્સ નહીં કરો.

સ્લોગન :-

મન ને ઓર્ડર પ્રમાણે ચલાવો તો મનમનાભવ ની સ્થિતિ સ્વતઃ રહેશે.