04-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 06.12.87
બાપદાદા મધુબન
“ સિદ્ધિ નો આધાર - ‘
શ્રેષ્ઠ વૃત્તિ’ ”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફનાં હોલીહંસો ની સભા ને જોઈ રહ્યાં છે. દરેક હોલીહંસ પોતાની શ્રેષ્ઠ
સ્થિતિનાં આસન પર વિરાજમાન છે. બધાં આસનધારી હોલીહંસો ની સભા આખાં કલ્પમાં અલૌકિક
અને ન્યારી છે. દરેક હોલીહંસ પોતાની વિશેષતાઓથી અતિ સુંદર સજેલાં છે. વિશેષતાઓ
શ્રેષ્ઠ શ્રુંગાર છે. સજેલાં હોલીહંસ કેટલાં પ્યારા લાગે છે? બાપદાદા દરેક ની
વિશેષતાઓનો શ્રુંગાર જોઈ હર્ષિત થાય છે. શ્રુંગારેલાં બધાં છે કારણ કે બાપદાદાએ
બ્રાહ્મણ જન્મ આપતાં જ બાળપણ થી જ ‘વિશેષ આત્મા ભવ’ નું વરદાન આપ્યું. નંબરવાર હોવા
છતાં પણ લાસ્ટ નંબર પણ વિશેષ આત્મા છે. બ્રાહ્મણ જીવનમાં આવવું અર્થાત્ વિશેષ
આત્મામાં માં આવી જ ગયાં. બ્રાહ્મણ પરિવાર માં ભલે લાસ્ટ નંબર હોય પરંતુ વિશ્વની
અનેક આત્માઓનાં અંતર માં તે પણ વિશેષ ગવાય, એટલે કે કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ
ગવાયેલ છે. તો બ્રાહ્મણોની સભા અર્થાંત્ વિશેષ આત્માઓની સભા.
આજે બાપદાદા જોઈ રહ્યાં હતાં કે વિશેષતાઓનો શ્રુંગાર બાપે તો બધાને સમાન એક જેવો જ
કરાવ્યો છે પરંતુ કોઈ તે શ્રુંગાર ને ધારણ કરી સમય પ્રમાણે કાર્યમાં લગાવે છે અને
કોઈ કાં તો ધારણ કરી નથી શકતાંં અથવા કોઈ સમય પ્રમાણે કાર્યમાં લાવી નથી શકતાંં.
જેમ આજકાલ ની રોયલ ફેમિલી વાળા સમય પ્રમાણે શ્રુંગાર કરે છે તો કેટલો સારો લાગે છે!
જેવો સમય તેવો શ્રુંગાર, આને કહેવાય છે નોલેજફુલ. આજકાલ શ્રુંગાર નાં અલગ-અલગ સેટ
રાખે છે ને. તો બાપદાદા એ અનેક વિશેષતાઓનાં, અનેક શ્રેષ્ઠ ગુણોનાં કેટલાં વેરાયટી (વિવિધ)
સેટ આપ્યાં છે! ભલે કેટલો પણ અમૂલ્ય શ્રુંગાર હોય પરંતુ સમય પ્રમાણે જો ન હોય તો
શું લાગશે? એવી રીતે વિશેષતાઓનાં, ગુણોનાં, શક્તિઓનાં, જ્ઞાન રત્નોનાં અનેક
શ્રુંગાર બાપે બધાં ને આપ્યાં છે પરંતુ સમય પર કાર્યમાં લગાવવામાં નંબર બની જાય છે.
ભલે આ બધાં શ્રુંગાર છે પણ, પરંતુ દરેક વિશેષતા કે ગુણ નું મહત્વ સમય પર થાય છે.
હોવા છતાં પણ સમય પર કાર્યમાં નથી લગાવતાં તો અમૂલ્ય હોવા છતાં પણ તેનું મૂલ્ય હોતું
નથી. જે સમયે જે વિશેષતા ધારણ કરવાનું કાર્ય છે એ જ વિશેષતાનું જ મૂલ્ય છે. જેમ હંસ
કાંકરા અને રત્ન - બંનેને પારખી અલગ-અલગ કરી ધારણ કરે છે. કાંકરા ને છોડી દે છે,
બાકી રત્ન-મોતી ધારણ કરે છે. એવાં હોલીહંસ અર્થાત્ સમય પ્રમાણ વિશેષતા કે ગુણ ને
પારખી એ જ સમય પર યુઝ કરે. આને કહે છે પરખવાની શક્તિ, નિર્ણય કરવાની શક્તિવાળા
હોલીહંસ. તો પારખવું અને નિર્ણય કરવો - આ જ બંને શક્તિઓ નંબર આગળ લઈ જાય છે. જ્યારે
આ બંને શક્તિઓ ધારણ થઈ જાય ત્યારે સમય પ્રમાણે એ જ વિશેષતાથી કાર્ય લઈ શકાય. તો
દરેક હોલીહંસ પોતાની આ બંને શક્તિઓ ને ચેક કરો. બંને શક્તિઓ સમય પર દગો તો નથી આપતી?
સમય વીતી ગયાં પછી જો પારખી પણ લીધું, નિર્ણય કરી પણ લીધો પરંતુ સમય તો તે વીતી ગયો
ને. જે નંબરવન હોલીહંસ છે, તેમની આ બંને શક્તિઓ સદા સમય પ્રમાણે કાર્ય કરે છે. જો
સમયનાં પછી આ શક્તિઓ કાર્ય કરે તો સેકન્ડ નંબર માં આવી જાઓ! થર્ડ નંબર ની તો વાત જ
છોડો. અને સમય પર એ જ હંસ કાર્ય કરી શકે જેમની સદા બુદ્ધિ હોલી (પવિત્ર) છે.
હોલી નો અર્થ સંભળાવ્યો હતો ને. એક હોલી અર્થાત્ પવિત્ર અને હિન્દીમાં હો લી અર્થાત્
વીતી સો વીતી. તો જેમની બુદ્ધિ હોલી અર્થાત્ સ્વચ્છ છે અને સદા જ જે સેકન્ડ, જે
પરિસ્થિતિ વીતી ગઈ તે હો લી - આ અભ્યાસ છે, એવી બુદ્ધિવાળા સદા હોલી અર્થાંત્ રુહાની
રંગમાં રંગાયેલા રહે છે, સદા જ બાપનાં સંગ નાં રંગમાં રંગાયેલાં છે. તો એક જ હોલી
શબ્દ ત્રણ રુપ થી યુઝ થાય છે. જેમાં આ ત્રણેય અર્થ ની વિશેષતાઓ છે અર્થાત્ જે હંસો
ને આ વિધિ આવડે છે, તે દરેક સમયે સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તો આજે બાપદાદા હોલીહંસો
ની સભામાં બધાં હોલીહંસોની આ વિશેષતા જોઈ રહ્યાં છે. ભલે સ્થૂળ કાર્ય અથવા રુહાની
કાર્ય હોય પરંતુ બંનેમાં સફળતાનો આધાર પરખવાની અને નિર્ણય કરવાની શક્તિ છે. કોઈનાં
પણ સંપર્કમાં આવો છો, જ્યાં સુધી તેનાં ભાવ અને ભાવના ને પારખી નથી શકતાંં અને
પારખવાનાં પછી યથાર્થ નિર્ણય નથી કરી શકતાં, તો બંને કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી
- ભલે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હોય કારણ કે વ્યક્તિઓનાં સંબંધમાં પણ આવવું પડે છે
અને પરિસ્થિતિઓ ને પણ પાર કરવી પડે છે. જીવનમાં આ બંને જ વાતો આવે છે. તો નંબરવન
હોલીહંસ અર્થાત્ બંને વિશેષતાઓમાં સમ્પન્ન. આ થયાં આજની આ સભાનાં સમાચાર. આ સભા
અર્થાત્ ફક્ત સામે બેઠેલા નહીં. બાપદાદા ની સામે તો તમારી સાથે-સાથે ચારેય તરફનાં
બાળકો પણ ઈમર્જ (જાગૃત) થાય છે. બેહદનાં પરિવારની વચ્ચે બાપદાદા મિલન મનાવે અથવા
રુહરુહાન કરે છે. બધાં બ્રાહ્મણ આત્માઓ પોતાની યાદની શક્તિ થી સ્વયં પણ મધુબન માં
હાજર થાય છે. અને બાપદાદા આ પણ વિશેષ વાત જોઈ રહ્યાં છે કે દરેક બાળકની વિધિની લાઈન
અને સિદ્ધિની લાઈન, આ બંને રેખાઓ કેટલી સ્પષ્ટ છે, આદિ થી હમણાં સુધી વિધિ કેવી રહી
છે અને વિધિ નાં ફળ સ્વરુપ સિદ્ધિ કેટલી પ્રાપ્ત કરી છે, બંને રેખાઓ કેટલી સ્પષ્ટ
છે અને કેટલી લાંબી અર્થાંત્ વિધિ અને સિદ્ધિનું ખાતું કેટલું યથાર્થ રુપથી જમા છે?
વિધિ નો આધાર છે શ્રેષ્ઠ વૃત્તિ. જો શ્રેષ્ઠ વૃત્તિ છે તો યથાર્થ વિધિ પણ છે અને
યથાર્થ વિધિ છે તો સિદ્ધિ શ્રેષ્ઠ છે જ છે. તો વિધિ અને સિદ્ધિનું બીજ વૃત્તિ છે.
શ્રેષ્ઠ વૃત્તિ સદા ભાઈ-ભાઈની આત્મિક વૃત્તિ હોય. આ તો મુખ્ય વાત છે જ પરંતુ
સાથે-સાથે સંપર્કમાં આવતા દરેક આત્માનાં પ્રતિ કલ્યાણની, સ્નેહની, સહયોગની,
નિઃસ્વાર્થપણાની નિર્વિકલ્પ વૃત્તિ હોય, નિરવ્યર્થ-સંકલ્પ વૃત્તિ હોય. ઘણી વખત કોઈ
પણ આત્માનાં પ્રતિ વ્યર્થ સંકલ્પ કે વિકલ્પ ની વૃત્તિ થાય છે તો જેવી વૃત્તિ દૃષ્ટિ
તેવી જ તે આત્માનાં કર્તવ્ય, કર્મની સૃષ્ટિ દેખાશે. ક્યારેક-ક્યારેક બાળકોનું સાંભળે
પણ છે અને જોવે પણ છે. વૃત્તિનાં કારણે વર્ણન પણ કરે છે, ભલે તે કેટલું પણ સારું
કાર્ય કરે પરંતુ વૃત્તિ વ્યર્થ હોવાનાં કારણે સદા જ તે આત્માનાં પ્રતિ વાણી પણ એવી
જ નીકળે કે આ તો છે જ એવાં, એવું જ થાય છે. તો આ વૃત્તિ તેમનાં કર્મ રુપી સૃષ્ટિ,
તેવો જ અનુભવ કરાવે છે. જેવીરીતે તમે લોકો આ દુનિયામાં આંખોની નજરનાં ચશ્માનું
દૃષ્ટાંત આપો છો; જેવાં રંગનાં ચશ્મા પહેરશો એજ દેખાશે. એવી રીતે આ જેવી વૃત્તિ હોય
છે, તો વૃત્તિ દૃષ્ટિ ને બદલે છે, દૃષ્ટિ સૃષ્ટિ ને બદલે છે. જો વૃત્તિ નું બીજ સદા
જ શ્રેષ્ઠ છે તો વિધિ અને સિદ્ધિ સફળતાપૂર્વક છે જ. તો પહેલાં વૃત્તિનાં ફાઉન્ડેશન
(પાયા) ને ચેક કરો. આને શ્રેષ્ઠ વૃત્તિ કહેવાય છે. જો કોઈ સંબંધ-સંપર્ક માં શ્રેષ્ઠ
વૃત્તિ નાં બદલે મિક્સ છે તો ભલે કેટલી પણ વિધિ અપનાવો પરંતુ સિદ્ધિ નહીં થાય કારણ
કે બીજ છે વૃત્તિ અને વૃક્ષ છે વિધિ અને ફળ છે સિદ્ધિ. જો બીજ કમજોર છે તો વૃક્ષ ભલે
કેટલું પણ વિસ્તાર વાળું હોય પરંતુ સિદ્ધિ રુપી ફળ નહીં થશે. આવી વૃત્તિ અને વિધિનાં
ઉપર બાપદાદા બાળકોનાં પ્રતિ એક વિશેષ રુહરુહાન કરી રહ્યાં હતાં.
સ્વ-ઉન્નતિ નાં પ્રતિ કે સેવાની સફળતાનાં પ્રતિ એક રમણીક સ્લોગન (સુવિચાર) રુહરુહાન
માં બતાવી રહ્યાં હતાં. આપ સર્વ આ સ્લોગન પરસ્પર કહો પણ છો, દરેક કાર્ય માં ‘પહેલાં
આપ’- આ સ્લોગન યાદ છે ને? એક છે ‘પહેલાં આપ’ બીજું છે ‘પહેલાં હું’. બંને સ્લોગન
“પહેલાં આપ’’ અને ‘પહેલાં હું’ - બંને આવશ્યક છે. પરંતુ બાપદાદા રુહરુહાન કરતા
હર્ષાઈ રહ્યાં હતાં. જ્યાં ‘પહેલાં હું’ હોવું જોઈએ ત્યાં ‘પહેલાં આપ’ કરી દે છે,
જ્યાં ‘પહેલાં આપ’ કરવું જોઈએ ત્યાં ‘પહેલાં હું’ કરી દે છે. બદલી કરી દે છે. જ્યારે
કોઈ સ્વ-પરિવર્તન ની વાત આવે છે તો કહો છો ‘પહેલાં આપ’, આ બદલાય તો હું બદલાઉં. તો
પહેલાં આપ થયું ને. અને જ્યારે કોઈ સેવાનો અથવા કોઈ એવી પરિસ્થિતિ નો સામનો કરવાનો
ચાન્સ બને છે તો કોશિશ કરે છે - પહેલાં હું, હું પણ તો કંઈ છું, મને પણ કાંઈ મળવું
જોઈએ. તો જ્યાં ‘પહેલાં આપ’ કહેવું જોઈએ, ત્યાં ‘હું’ કહી દે છે. સદા સ્વમાન માં
સ્થિત થઈ બીજાને સમ્માન આપવું અર્થાંત્ ‘પહેલાં આપ’ કરવું. ફક્ત મુખ થી કહો ‘પહેલાં
આપ’ અને કર્મમાં અંતર હોય - આ નહીં. સ્વમાન માં સ્થિત થઈ સ્વમાન આપવાનું છે. સ્વમાન
આપવું કે સ્વમાન માં સ્થિત થવું, તેની નિશાની શું હશે? આમાં આ બે વાતો સદા ચેક કરો-
એક હોય છે અભિમાન ની વૃત્તિ, બીજી છે અપમાન ની વૃત્તિ. જે સ્વમાન માં સ્થિત હોય છે
અને બીજાઓને સ્વમાન આપવા વાળા દાતા હોય, એમાં આ બંને વૃત્તિ નહીં હશે - ન અભિમાન
ની, ન અપમાન ની. આ તો કરે જ આવું છે, આ હોય જ આવું છે, તો આ પણ રોયલ રુપનું તે
આત્માનું અપમાન છે. સ્વમાન માં સ્થિત થઈને સ્વમાન આપવું આને કહેવાય છે ‘પહેલાં આપ’
કરવાનું. સમજ્યાં? અને જે પણ સ્વ-ઉન્નતિ ની વાત હોય એમાં સદા ‘પહેલાં હું’ નું
સ્લોગન યાદ હોય તો શું રીઝલ્ટ હશે? પહેલાંં હું અર્થાત્ જે ઓટે સો અર્જુન. અર્જુન
અર્થાત્ વિશેષ આત્મા, ન્યારી આત્મા, અલૌકિક આત્મા, અલૌકિક વિશેષ આત્મા. જેવી રીતે
બ્રહ્મા બાપ સદા ‘પહેલાં હું’ નાં સ્લોગન થી જે ઓટે સો અર્જુન બન્યાં ને અર્થાત્
નંબરવન આત્મા. નંબરવન નું સંભળાવ્યું-નંબરવન ડિવિઝન (પ્રથમ શ્રેણી). તેમ નંબરવન તો
એક જ હશે ને. તો સ્લોગન છે બંને જરુરી. પરંતુ સંભળાવ્યું ને - નંબર કયા આધાર પર બને.
જે સમય પ્રમાણે કોઈપણ વિશેષતા ને કાર્યમાં નથી લગાવતા તો નંબર આગળ-પાછળ થઈ જાય. સમય
પર જે કાર્યમાં લગાવે છે, તે વિન (વિજય) કરે છે અર્થાંત્ વન (પ્રથમ) થઈ જાય. તો આ
ચેક કરો કારણ કે આ વર્ષ સ્વ ની ચેકિંગ ની વાતો સંભળાવી રહ્યાં છે. ભિન્ન-ભિન્ન વાતો
સંભળાવી છે ને? તો આજે આ વાતો ને ચેક કરજો - ‘આપ’ નાં બદલે ‘હું’, ‘હું’ નાં બદલે
‘આપ’ તો નથી કરી દેતાં? આને કહે છે યથાર્થ વિધિ. જ્યાં યથાર્થ વિધિ છે ત્યાં સિદ્ધિ
છે જ. અને આ વૃત્તિની વિધિ સંભળાવી - બે વાતોની ચેકિંગ કરજો - ન અભિમાન ની વૃત્તિ
હોય, ન અપમાન ની. જ્યાં આ બન્ને ની અપ્રાપ્તિ છે ત્યાં જ સ્વમાન ની પ્રાપ્તિ છે. તમે
કહો ન કહો, વિચારો ન વિચારો પરંતુ વ્યક્તિ, પ્રકૃતિ - બંનેવ સદા સ્વતઃ જ સ્વમાન આપતાં
રહેશે. સંકલ્પ-માત્ર પણ સ્વમાનનાં પ્રાપ્તિની ઈચ્છા થી સ્વમાન નહીં મળશે. નિર્માન
બનવું અર્થાંત્ ‘પહેલાં આપ’ કહેવું. નિર્માન સ્થિતિ સ્વતઃ જ સ્વમાન અપાવશે. સ્વમાન
ની પરિસ્થિતિઓમાં ‘પહેલાં આપ’ કહેવું અર્થાત્ બાપ સમાન બનવું. જેમ બ્રહ્મા બાબાએ સદા
સ્વમાન આપવામાં પહેલાં જગતઅંબા, પહેલાં સરસ્વતી માં, પાછળ બ્રહ્મા બાપ રાખ્યાં.
બ્રહ્મા માતા હોવા છતાં પણ સ્વમાન આપવાં અર્થ જગતઅંબા માં ને આગળ રાખ્યાં. દરેક
કાર્ય માં બાળકો ને આગળ રાખ્યાં અને પુરુષાર્થ ની સ્થિતિ માં સદા સ્વયં ને ‘પહેલાં
હું’ એન્જીન નાં રુપમાં જોયા. એન્જીન આગળ હોય છે ને. સદા આ સાકાર જીવન માં જોયું કે
જે હું કરીશ મને જોઈ બધાં કરશે. તો વિધિ માં, સ્વ-ઉન્નતિ માં કે તીવ્ર પુરુષાર્થની
લાઈન માં સદા ‘પહેલાં હું’ રાખ્યું. તો આજે વિધિ અને સિદ્ધિની રેખાઓ ચેક કરી રહ્યાં
હતાં. સમજ્યાં? તો બદલી નહીં કરી દેતાં. આ બદલી કરવું એટલે ભાગ્ય ને બદલી કરવું. સદા
હોલીહંસ બની નિર્ણય શક્તિ, પરખવાની શક્તિ ને સમય પર કાર્ય માં લગાવવા વાળા વિશાળ
બુદ્ધિ બનો અને સદા વૃત્તિ રુપી બીજ ને શ્રેષ્ઠ બનાવી વિધિ અને સિદ્ધિ સદા શ્રેષ્ઠ
અનુભવ કરતા ચાલો.
પહેલાં પણ સંભળાવ્યું હતું કે બાપદાદા નો બાળકો થી સ્નેહ છે. સ્નેહની નિશાની શું
હોય છે? સ્નેહ વાળા સ્નેહીની કમી ને જોઈ નથી શકતાંં, સદા સ્વયં ને અને સ્નેહી
આત્માને સંપન્ન સમાન જોવા ઈચ્છે છે. સમજ્યાં? તો વારંવાર અટેન્શન ખેંચાવે છે,
ચેકિંગ કરાવે છે - આ જ સંપન્ન બનાવવાનો સાચ્ચો સ્નેહ છે. અચ્છા.
હમણાં બધી તરફ થી જૂનાં બાળકો મેજોરીટી (અધિકાંશ) માં છે. જૂનાં કોને કહેવાય છે,
અર્થ જાણો છો ને? બાપદાદા જૂનાં ને કહે છે - બધી વાતોમાં પાક્કા. જૂનાં અર્થાંત્
પાક્કા. અનુભવ પણ પાક્કા બનાવે છે. એવાં કાચ્ચા નહીં જે જરાક એવી માયા બિલાડી આવે
અને ગભરાઈ જાય. બધાં જૂનાં - પાક્કા આવ્યાં છો ને? મળવાનો ચાન્સ લેવા માટે બધાએ
‘પહેલાં હું’ કર્યુ તો કોઈ વાંધો નહીં. પરંતુ દરેક કાર્યમાં કાયદો અને ફાયદો તો છે
જ. એવું પણ નહીં ‘પહેલાં હું’ તો એનો અર્થ એક હજાર આવી જાય. સાકાર સૃષ્ટિ માં કાયદો
પણ છે, ફાયદો પણ છે. અવ્યક્ત વતનમાં કાયદા ની વાત નથી, કાયદા બનાવવો નથી પડતો.
અવ્યક્ત મિલન માટે મહેનત લાગે છે, સાકાર મિલન સહજ લાગે છે, એટલે ભાગી આવો છો. પરંતુ
સમય પ્રમાણે જેટલાં કાયદા એટલાં ફાયદા હોય છે. બાપદાદા થોડો પણ ઈશારો આપે છે તો સમજે
છે - હવે ખબર નહીં શું થવાનું છે? જો કંઈ થવાનું પણ હશે તો બતાવીને નહીં થાય. સાકાર
બાપ અવ્યક્ત થયાં તો બતાવીને ગયાં શું? જે અચાનક થાય છે તે અલૌકિક પ્યારું થાય છે.
એટલે બાપદાદા કહે છે સદા એવરરેડી (સદા તૈયાર) રહો. જે થશે તે સારા થી સારું થશે.
સમજ્યાં? અચ્છા.
સર્વ હોલી હંસો ને, સર્વ વિશાળ બુદ્ધિ, શ્રેષ્ઠ સ્વચ્છ બુદ્ધિ ધારણ કરવાવાળા
બુદ્ધિવાન બાળકો ને, સર્વ શક્તિઓ ને, સર્વ વિશેષતાઓ ને સમય પ્રમાણે કાર્ય માં લાવવા
વાળા જ્ઞાની તૂ આત્માઓ, યોગી તૂ આત્માઓ બાળકો ને, સદા બાપ સમાન સંપન્ન બનવાનાં
ઉમંગ-ઉત્સાહ માં રહેવા વાળા સંપન્ન બાળકો ને બાપદાદા નો યાદપ્યાર અને નમસ્તે.
વરદાન :-
માલિકપણા ની
સ્મૃતિ દ્વારા હાઈએસ્ટ ઓથોરિટી ( સર્વોચ્ચ સત્તા ) નો અનુભવ કરવાવાળા કમ્બાઇન્ડ
સ્વરુપ ધારી ભવ
પહેલાં પોતાનાં શરીર
અને આત્માનાં કમ્બાઇન્ડ રુપ ને સ્મૃતિ માં રાખો. શરીર રચના છે, આત્મા રચતા છે. આનાથી
માલિકપણું સ્વતઃ સ્મૃતિ માં રહેશે. માલિકપણા ની સ્મૃતિ થી સ્વયંને હાઈએસ્ટ ઓથોરિટી
અનુભવ કરશો. શરીરને ચલાવવા વાળા હશો. બીજું - બાપ અને બાળકો (શિવ શક્તિ) નાં
કમ્બાઇન્ડ સ્વરુપ ની સ્મૃતિ થી માયાનાં વિઘ્નો ને ઓથોરિટી થી પાર કરી લેશો.
સ્લોગન :-
વિસ્તાર ને
સેકન્ડમાં સમાવીને જ્ઞાનનાં સાર નો અનુભવ કરો અને કરાવો.