26-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - દેવતા
બનવું છે તો અમૃત પીવો અને પીવડાવો , અમૃત પીવા વાળા જ શ્રેષ્ઠાચારી બને છે”
પ્રશ્ન :-
આ સમયે સતયુગી
પ્રજા કયાં આધાર પર તૈયાર થઈ રહી છે ?
ઉત્તર :-
જે આ જ્ઞાન થી પ્રભાવિત થાય છે, ખુબ સરસ, ખુબ સરસ કહે છે પરંતુ ભણતર નથી ભણતાં,
મહેનત કરી નથી શકતાં, તે પ્રજા બની જાય છે. પ્રભાવિત થવું અર્થાત્ પ્રજા બનવું.
સૂર્યવંશી રાજા-રાણી બનવા માટે તો મહેનત જોઈએ. ભણતર પર પૂરું અટેન્શન હોય. યાદ કરતાં
અને કરાવતાં રહે તો ઊંચું પદ મળી શકે છે.
ગીત :-
તૂને રાત ગવાઇ સો કે…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું કે અમારું જીવન હીરા જેવું હતું. હમણાં કોડી જેવું થઈ ગયું છે. આ તો કોમન
(સામાન્ય) વાત છે. નાનું બાળક પણ સમજી શકે છે. બાબા બહુજ સહજ રીતે સમજાવે છે, જે
કોઈ નાનું બાળક પણ સમજી શકે. સત્ય નારાયણ ની કથા સંભળાવે છે તો નાનાં-નાનાં બાળકો
પણ બેસી જાય છે. પરંતુ તે સતસંગો વગેરે માં જે સંભળાવે છે તે બધી છે કથાઓ. કથા કોઈ
જ્ઞાન નથી, બની-બનાવેલી કથાઓ છે. ગીતા ની કથા, રામાયણ ની કથા ભિન્ન-ભિન્ન શાસ્ત્ર
છે, જેમની કથાઓ બેસી સંભળાવે છે. તે બધી છે કથાઓ. કથાઓથી કોઈ ફાયદો થાય છે શું! આ
છે સત્યનારાયણની અર્થાત્ નર થી નારાયણ બનવાની સાચી વાર્તા. આ સાંભળવાથી તમે નર થી
નારાયણ બની જશો. આ અમરકથા પણ થઈ. તમે નિમંત્રણ આપો છો કે આવો અમરકથા તમને સંભળાવીએ
તો તમે અમરલોક માં ચાલ્યાં જશો. તો પણ કોઈ નથી સમજતું. શાસ્ત્રો ની કથા સાંભળતા આવે
છે. મળતું કંઈ પણ નથી. જશે લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં, ચલો દર્શન કરીને આવીએ.
મહાત્મા નાં દર્શન કરી આવીએ. આ એક રીત-રિવાજ ચાલતી આવી છે. ઋષિ-મુનિ વગેરે જે થઈ ને
ગયાં છે એમનું માથું ટેકતાં આવ્યાં છે. પૂછો, રચતા અને રચના ની કથાની ખબર છે? તો
કહેશે ના. હમણાં આપ બાળકો સમજો છો કે આ રચતા અને રચના ની કથા તો ખુબ સહજ છે. અલ્ફ
અને બે ની કથા છે. ભલે પ્રદર્શની માં જે જાય છે તે કથા તો ઠીક સાંભળી લે છે પરંતુ
પવિત્ર નથી બનતાં. સમજે છે આ વિકારોમાં જવાની રીત-રિવાજ પણ અનાદિ છે. મંદિરમાં
દેવતાઓની આગળ જઈને ગાએ છે આપ સંપૂર્ણ નિર્વિકારી છો…. પછી બહાર આવીને કહે છે વિકારમાં
જવું તો અનાદિ છે. આનાં વગર દુનિયા કેવી રીતે ચાલશે? લક્ષ્મી-નારાયણ વગેરે ને પણ તો
બાળકો હતાં ને, એવું કહી દે છે તો એવાં ને શું કહીએ! મનુષ્યનું લકબ (પદ) તો આપી ન
શકાય. દેવતાઓ પણ મનુષ્ય હતાં, કેટલાં સુખી હતાં - લક્ષ્મી-નારાયણ નાં રાજ્યમાં. આપ
બાળકો ને બાબા ખુબ સહજ વાત બતાવે છે, બરાબર અહીંયા ભારતમાં જ સ્વર્ગ હતું.
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ચિત્ર પણ છે, આ તો બધાં માનશે કે સતયુગમાં આમનું જ
રાજ્ય હતું. ત્યાં કોઈ દુઃખી નહોતાં, સંપૂર્ણ નિર્વિકારી હતાં, એમના મંદિરો પણ
મોટા-મોટા બનેલાં હતાં. એમને ૫ હજાર વર્ષ થયાં. હમણાં તેઓ નથી. આ તો કળયુગ નો અંત
છે. મનુષ્ય આપસમાં લડતાં-ઝઘડતાં રહે છે. ભગવાન તો ઉપર જ રહે છે નિર્વાણધામ માં. અસલ
માં આપણે આત્માઓ પણ ત્યાં રહીએ છીએ, અહીંયા પાર્ટ ભજવવા આવીએ છીએ. પહેલાં આપણે
લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં હતાં. ત્યાં બહુજ સુખ-આનંદ હતું પછી આપણે ૮૪ જન્મ લેવા
પડે. ગવાય પણ છે ૮૪ નું ચક્ર. આપણે સૂર્યવંશી માં ૧૨૫૦ વર્ષ રાજ્ય કર્યું. ત્યાં
અથાહ સુખ હતું, સંપૂર્ણ નિર્વિકારી હતાં, હીરા ઝવેરાત નાં મહેલ હતાં. આપણે રાજ્ય
કર્યું પછી ૮૪ જન્મો માં આવવું પડે. આ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી નું ચક્ર ફરતું
રહે છે. અડધોકલ્પ સુખ હતું. રામરાજ્ય માં હતાં પછી મનુષ્ય ની વૃદ્ધિ થતી ગઈ. સતયુગમાં
૯ લાખ હતાં. સતયુગ અંત માં વૃદ્ધિ થઇ ને ૯ લાખ થી ૨ કરોડ થઇ ગયાં, પછી ૧૨ જન્મ
ત્રેતામાં બહુજ સુખ-ચેન માં હતાં. એક જ ધર્મ હતો. પછી શું થયું? પછી રાવણ રાજ્ય શરું
થયું. રામરાજ્ય અને રાવણ રાજ્ય જુઓ ખુબ સહજ રીતે સમજાવું છું. નાનાં-નાનાં બાળકોને
પણ આમ બતાવવું જોઈએ બીજું શું થયું? મોટાં-મોટાં સોના હીરા ઝવેરાતો નાં મહેલ
ધરતીકંપ માં અંદર ચાલ્યાં ગયાં. ભારતવાસીઓનાં વિકારી બનવાથી જ ધરતીકંપ થયો, પછી
રાવણ રાજ્ય શરું થયું. પવિત્ર થી અપવિત્ર થઈ ગયાં. કહે પણ છે સોનાની લંકા અંદર ચાલી
ગઈ. કાંઈક તો બચ્યું હશે ને, જેનાથી પછી મંદિર વગેરે બનાવ્યાં હશે. ભક્તિમાર્ગ શરું
થયો-મનુષ્ય વિકારી થવા લાગ્યાં. પછી રાવણ રાજ્ય ચાલ્યું તો આયુ (ઉમર) પણ ઓછી થઈ ગઈ.
આપણે નિર્વિકારી યોગી થી વિકારી ભોગી બની ગયાં, યથા રાજા રાણી તથા પ્રજા બધાં વિકારી
બની ગયાં. આ કથા કેટલી સહજ છે. નાની-નાની બાળકીઓ પણ આ સંભળાવે તો મોટા-મોટા
વ્યક્તિઓનું મોઢું નીચું થઈ જાય. હમણાં બાપ બેસી સંભળાવે છે, તે જ જ્ઞાન નાં સાગર
પતિત-પાવન છે. અચ્છા દ્વાપર માં ભોગી પતિત બની ગયાં પછી બીજા ધર્મ પણ શરું થતાં ગયાં.
અમૃત નો જે નશો હતો તે ખલાસ થઈ ગયો. લડાઈ-ઝઘડા થવાં લાગ્યાં. દ્વાપર થી લઈને આપણે
નીચે ઉતર્યા, કળયુગ માં આપણે વધારે જ વિકારી બન્યાં. પથ્થરની મૂર્તિઓ બનાવતાં રહ્યાં.
હનુમાન, ગણેશની…. પથ્થર બુદ્ધિ થવાં લાગ્યાં તો પથ્થર ની પૂજા કરવાં લાગ્યાં. સમજતાં
હતાં કે ભગવાન પથ્થર-ઠીક્કર માં છે. એમ કરતાં-કરતાં ભારતની આ હાલત થઈ ગઈ હમણાં ફરી
બાપ કહે છે વિષ છોડી અમૃત પી ને પવિત્ર બનો અને પછી રાજાઈ લો. વિષ છોડો તો પછી તમે
મનુષ્ય થી દેવતા બની જશો. પરંતુ વિષ છોડતાં નથી. વિષ નાં માટે કેટલું મારે, હેરાન
કરે છે ત્યારે તો દ્રૌપદી એ પોકાર્યું ને. તમે સમજો છો કે અમૃત પીધાં વગર અમે દેવતા
કેવી રીતે બનશું. સતયુગમાં તો રાવણ હોતો જ નથી. બાપ કહે છે, જ્યાં સુધી શ્રેષ્ઠાચારી
નહીં બનશો, સ્વર્ગમાં નહીં આવી શકો. જે શ્રેષ્ઠાચારી હતાં, તે હવે ભ્રષ્ટાચારી બન્યાં
છે. પછી હમણાં અમૃત પી ને શ્રેષ્ઠાચારી બનવાનું છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો.
શું ગીતા ભૂલી ગયાં છો? ગીતા રચી મેં, નામ નાખી દીધું કૃષ્ણ નું. આ લક્ષ્મી-નારાયણ
ને આ રાજાઈ કોણે આપી? જરુર ભગવાને આપી હશે. આગલા જન્મ માં ભગવાને રાજ્યોગ શીખવાડયો,
નામ પછી નાખ્યું છે કૃષ્ણ નું. સમજાવવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. ખુબ સહજ કથા છે. બાબા
ને કેટલો સમય લાગ્યો? અડધા કલાકમાં આટલી સહજ વાત પણ સમજી નથી શકતાં એટલે બાપ કહે છે
ફક્ત એક નાની કથા બેસી કોઈ ને સમજાવો. હાથ માં ચિત્ર લો. સતયુગ માં લક્ષ્મી-નારાયણ
નું રાજ્ય, પછી ત્રેતા માં રામ-સીતા નું રાજ્ય….પછી દ્વાપર માં રાવણ નું રાજ્ય થયું.
કેટલી સહજ કથા છે. બરાબર આપણે દેવતા હતાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. હમણાં
પોતાને દેવતા ન સમજવાનાં કારણે હિન્દુ કહી દે છે. ધર્મ શ્રેષ્ઠ, કર્મ શ્રેષ્ઠ થી
ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયાં છે. આવું નાની-નાની બાળકીઓ બેસી ભાષણ કરે તો આખી
સભામાં સાંભળો-સાંભળો થઈ જાય.
બાબા બધાં સેવાકેન્દ્રો વાળાઓ ને સંભળાવી રહ્યાં છે. હવે આ મોટાં-મોટાં નથી શીખતાં
તો નાની-નાની કુમારીઓ ને શીખવાડો. કુમારીઓનું નામ પણ છે. દિલ્લી-બોમ્બે માં ખુબ
સારી-સારી કુમારીઓ છે. ભણેલી છે. એમણે તો ઉભાં થઈ જવું જોઈએ. કેટલું કામ કરી શકો
છો. જો કુમારીઓ ઉભી થઈ જાય તો નામ પ્રસિદ્ધ થઈ જાય. સાહૂકાર ઘરની જે છે તે મુશ્કેલ
હિંમત રાખે છે. સાહૂકારી નો નશો રહે છે. દહેજ વગેરે મળે છે તો બસ. કુમારીઓ લગ્ન કરી
કાળું મોઢું કરી દે અને બધાની આગળ ઝૂકવું પડે છે. તો બાપ કેટલું સહજ સમજાવે છે.
પરંતુ પારસબુદ્ધિ બનવાનો વિચાર જ નથી આવતો. જુઓ જે નથી ભણતા તે પણ આજકાલ એમ.પી.,
એમ.એલ.એ વગેરે બની ગયાં છે. ભણતર થી તો શું-શું બની જાય છે. આ ભણતર તો ખુબ સહજ છે.
બીજાઓને પણ જઈને શીખવાડવું જોઈએ. પરંતુ શ્રીમત પર નથી ચાલતાં તો ભણતાં પણ નથી. બહુજ
સારી-સારી કુમારીઓ છે પરંતુ પોતાનો જ નશો ચઢેલો છે. થોડું કામ કર્યું તો સમજે છે અમે
બહુજ કામ કર્યું છે. હજું તો બહુજ કામ કરવાનું છે. આજકાલ ફેશનમાં જ કુમારીઓ રહે છે.
ત્યાં તો નેચરલ શૃંગાર રહે છે. અહીંયા તો કેટલો આર્ટિફિશિયલ (બનાવટી) શૃંગાર કરે
છે. ફક્ત વાળ બનાવવામાં જ કેટલા પૈસા આપે છે. આ છે માયા નો પામ્પ. ફોલ ઓફ માયા રાવણ
રાજ્ય, પછી રાઈઝ ઓફ રામરાજ્ય. હવે રામરાજ્ય સ્થાપન થાય છે. પરંતુ તમે મહેનત તો કરો
ને. તમે શું બનશો! જો ભણશો નહીં તો ત્યાં જઈને પાઈ-પૈસા ની પ્રજા બનશો. આજકાલ નાં
મોટા-મોટા વ્યક્તિ બધાં ત્યાંની પ્રજામાં આવી જશે. સાહૂકાર લોકો ફક્ત સારું-સારું
કહી પોતાના ધંધામાં લાગી જાય છે. બહુ સારા પ્રભાવિત થાય છે પછી શું! અંતમાં શું થશે?
ત્યાં જઈને પ્રજા બનશે. પ્રભાવિત એટલે પ્રજા. જે મહેનત કરે છે તે રામ રાજ્ય માં આવી
જશે. સમજણ (જ્ઞાન) તો ખુબ સહજ છે. આ કથા નાં નશા માં કોઈ રહે તો બેડો પાર થઈ જાય.
આપણે શાંતિધામ માં જઈશું પછી સુખધામ માં આવીશું બસ યાદ કરતાં-કરાવતાં રહેવાનું છે,
ત્યારે જ ઊંચ પદ પામશો. અટેન્શન (ધ્યાન) ભણતર પર આપવાનું છે. ચિત્ર હાથ માં હોય.
જેમ બાબા જ્યારે લક્ષ્મી-નારાયણની પૂજા કરતાં હતાં તો ચિત્ર ખિસ્સા માં પડ્યું રહેતું
હતું. ચિત્ર નાના પણ છે, લોકેટ માં પણ છે. એનાં પર સમજાવવાનું છે. આ છે બાબા, એમનાં
દ્વારા વારસો મળી રહ્યો છે. હવે પવિત્ર બનો, બાપ ને યાદ કરો. કેટલું નોલેજ છે આ
મેડલ્સ (બેજ) માં. આમાં બધું જ્ઞાન છે. આનાં પર સમજાવું ખુબ સહજ છે. સેકન્ડ માં બાપ
થી સ્વર્ગની જીવનમુક્તિ નો વારસો. કોઈ પણ સમજાવે તો જીવનમુક્તિ પદ નો અધિકારી બની
જાય. બાકી ભણતર અનુસાર ઊંચ પદ પામશે. સ્વર્ગ માં તો આવશે ને. પછી થી આવશે તો જરુર
ને. વૃદ્ધિ તો થવાની છે. દેવી-દેવતા ધર્મ ઉંચ છે, તે પણ તો બનશે ને. પ્રજા તો લાખો
બનશે. સૂર્યવંશી બનવામાં મહેનત છે. સેવા કરવા વાળા જ સારું પદ પામશે. એમનું નામ પણ
પ્રસિદ્ધ છે - કુમારકા છે, જનક છે સારુ સેન્ટર સંભાળી રહ્યાં છે. કોઈ ખિટપિટ નથી.
બાપ કહે છે ખરાબ ન
જુઓ, ખરાબ ન બોલો તો પણ એવી-એવી વાતો કરતાં રહે છે. એવાં-એવાં શું જઈને બનશે. આટલી
સહજ સેવા પણ નથી કરતાં. નાની-નાની બાળકીઓ પણ આ સમજાવી શકે છે. સંભળાવી શકે છે. વાનર
સેના પણ પ્રસિદ્ધ છે. સીતાઓ જે રાવણની જેલમાં ફસાયેલી છે એમને છોડાવવાની છે. કથાઓ
તો શું-શું બનાવી દીધી છે. આમ-આમ કોઈ ભાષણ કરે. બાકી ફક્ત કહે છે ફલાણા બહુજ
પ્રભાવિત થયાં. પૂછો, તમે શું બનવા ઈચ્છો છો? ફક્ત બીજાઓને કહેશે એમનું જ્ઞાન બહુજ
સારું છે. પોતે સમજતાં કંઈ નથી, એનાથી શું ફાયદો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પારસ બુદ્ધિ
બનવા માટે ભણતર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. શ્રીમત પર ભણવાનું અને ભણાવવાનું છે.
હદની સાહૂકારી નો નશો, વગેરે છોડી આ બેહદ સેવામાં લાગી જવાનું છે.
2. ખરાબ ન સાંભળો,
ખરાબ ન જુઓ…. કોઈ પણ વ્યર્થ વાતો નથી કરવાની. કોઈ પર પ્રભાવિત નથી થવાનું. બધાને
સત્ય નારાયણ ની નાની એવી કથા સંભળાવવાની છે.
વરદાન :-
નોલેજ ની લાઈટ
- માઈટ દ્વારા પોતાના ભાગ્ય ને જગાડવા વાળા સદા સફળતા મૂર્ત ભવ
જે બાળકો નોલેજ ની
લાઈટ અને માઇટ થી આદિ-મધ્ય-અંત ને જાણી ને પુરુષાર્થ કરે છે, એમને સફળતા અવશ્ય
પ્રાપ્ત થાય છે. સફળતા પ્રાપ્ત થવી એ પણ ભાગ્યની નિશાની છે. નોલેજફુલ બનવું જ ભાગ્ય
ને જગાડવાનું સાધન છે. નોલેજ ફક્ત રચયિતા અને રચનાનું જ નહીં પરંતુ નોલેજફુલ અર્થાત્
દરેક સંકલ્પ, દરેક શબ્દ અને દરેક કર્મમાં જ્ઞાન સ્વરુપ હોય ત્યારે સફળતા મૂર્ત બનશે.
જો પુરુષાર્થ સાચો હોવા છતાં પણ સફળતા નથી દેખાતી તો આ જ સમજવું જોઈએ કે આ અસફળતા
નહીં, પરિપકવતા નું સાધન છે.
સ્લોગન :-
ન્યારા બનીને
કર્મેન્દ્રિયો થી કર્મ કરાવો તો કર્માતીત સ્થિતિ નો અનુભવ સહજ કરી શકશો.