11-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 10.12.87
બાપદાદા મધુબન
“ તન , મન , ઘન અને સંબંધ
નો શ્રેષ્ઠ સોદો”
આજે સર્વ ખજાનાનાં
સાગર રત્નાગર બાપ પોતાનાં બાળકોને જોઈ હર્ષાઇ રહ્યાં છે કે સર્વ ખજાનાનાં રત્નાગર
બાપનાં સોદાગર બાળકો અર્થાત્ સોદો કરવાવાળા કોણ છે અને કોનાથી સૌદો કર્યો છે?
પરમાત્મ-સોદો આપવા વાળા અને પરમાત્મા થી સોદો કરવા વાળી સૂરત (ચહેરા) કેટલી ભોળી છે
અને સોદો કેટલો મોટો કર્યો છે! આ આટલો મોટો સોદો કરવા વાળી સોદાગર આત્માઓ છે - આ
દુનિયા વાળાઓની સમજમાં આવી નથી શકતું. દુનિયાવાળા જે આત્માઓ ને ના-ઉમ્મીદ, અતિ ગરીબ
સમજી, અસંભવ સમજી કિનારે કરી દીધાં કે આ કન્યાઓ, માતાઓ પરમાત્મ-પ્રાપ્તિનાં અધિકારી
શું બનશે? પરંતુ બાપે પહેલાં માતાઓ, કન્યાઓને જ આટલો મોટામાં મોટો સોદો કરવા વાળી
શ્રેષ્ઠ આસામી બનાવી દીધાં. જ્ઞાનનો કળષ પહેલાં માતાઓ, કન્યાઓનાં ઉપર રાખ્યો.
યજ્ઞ-માતા જગદંબા નિમિત્ત ગરીબ કન્યા ને બનાવી. માતાઓની પાસે છતાં પણ પોતાની કંઈક
ને કંઈક છુપાવેલી પ્રોપર્ટી (મિલકત) હોય છે પરંતુ કન્યા, માતાઓ થી પણ ગરીબ હોય. તો
બાપે ગરીબ થી ગરીબ ને પહેલાં સોદાગર બનાવ્યાં અને સોદો કેટલો મોટો કર્યો! જે ગરીબ
કુમારી થી જગતઅંબા સો ધન દેવી લક્ષ્મી બનાવી દીધી! જે આજ દિવસ સુધી પણ ભલે કેટલાં
પણ મલ્ટી-મિલેનિયર (કરોડપતિ) હોય પરંતુ લક્ષ્મી થી ધન જરુર માંગશે, પૂજા જરુર કરશે.
રત્નાગર બાપ પોતાનાં સોદાગર બાળકો ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. એક જન્મ નો સોદો
કરવાથી અનેક જન્મ સદા માલામાલ ભરપૂર થઈ જાય છે. અને નિમિત્ત સોદો કરવા વાળા ભલે
કેટલાં પણ મોટા બિઝનેસમેન (વ્યાપારી) હોય પરંતુ તે ફક્ત ધનનો સૌદો, વસ્તુનો સોદો
કરશે. એક જ બેહદનાં બાપ છે જે ધન નો પણ સોદો કરે, મન નો પણ સોદો કરે, તન નો પણ અને
સદા શ્રેષ્ઠ સંબંધ નો પણ સોદો કરે. એવાં દાતા કોઈ જોયાં? ચારેય પ્રકારનાં સોદા કર્યા
છે ને? તન સદા તંદુરસ્ત રહેશે, મન સદા ખુશ, ધન નાં ભંડાર ભરપૂર અને સંબંધ માં
નિઃસ્વાર્થ સ્નેહ. અને ગેરંટી (ખાતરી) છે. આજકાલ પણ જે મૂલ્યવાન વસ્તુ હોય છે તેની
ગેરંટી આપે છે. ૫ વર્ષ, ૧૦ વર્ષની ગેરંટી આપશે, બીજું શું કરશે? પરંતુ રત્નાગર બાપ
કેટલાં સમયની ગેરંટી આપે છે? અનેક જન્મો ની ગેરંટી આપે છે. ચારેય માં એકની પણ કમી
હોઈ ન શકે. ભલે પ્રજાની પ્રજા પણ બને પરંતુ તેમને પણ છેલ્લાં જન્મ સુધી અર્થાત્
ત્રેતા નાં અંત સુધી પણ આ ચારેય વાતો પ્રાપ્ત થશે. એવો સોદો ક્યારેય કર્યો? હમણાં
તો કર્યો છે ને સોદો? પાક્કો સોદો કર્યો છે કે કાચ્ચો? પરમાત્મા થી કેટલો સસ્તો સોદો
કર્યો છે! શું આપ્યું, કોઈ કામની વસ્તુ આપી?
ફોરેનર્સ (વિદેશીઓ) બાપદાદા ની પાસે સદૈવ દિલ બનાવીને મોકલી દે છે. પત્ર પણ દિલનાં
ચિત્રની અંદર લખશે, ગિફ્ટ (ભેટ) પણ દિલની મોકલશે. તો દિલ આપ્યું ને. પરંતુ કયું દિલ
આપ્યું? એક દિલ નાં કેટલાં ટુકડા થયેલાં હતાં? માં, બાપ, કાકા, મામા, કેટલી લાંબી
લિસ્ટ છે? જો સબંધની લિસ્ટ નીકાળો કળયુગ માં તો કેટલી લાંબી લિસ્ટ હશે! એક સંબંધમાં
દિલ આપી દીધું, બીજું વસ્તુઓમાં પણ દિલ આપી દીધું... તો દિલ લગાવવા વાળી વસ્તુઓ
કેટલી છે, વ્યક્તિ કેટલાં છે? બધામાં દિલ લગાવીને દિલ જ ટુકડા-ટુકડા કરી દીધું. બાપે
અનેક ટુકડાવાળા દિલ ને એક તરફ જોડી લીધું. તો આપ્યું શું અને લીધું શું! અને સોદો
કરવાની વિધિ કેટલી સહજ છે! સેકન્ડ નો સોદો છે ને. “બાબા’’ શબ્દ જ વિધિ છે. એક શબ્દની
વિધિ છે, એમાં કેટલો સમય લાગે? ફક્ત દિલ થી કહ્યું “બાબા’’ તો સેકન્ડમાં સોદો થઈ ગયો.
કેટલી સહજ વિધિ છે. આટલો સસ્તો સોદા સિવાય આ સંગમયુગ નાં બીજા કોઈ પણ યુગમાં નથી કરી
શકતાં. તો સોદાગરો ની સૂરત-મૂરત જોઈ રહ્યાં હતાં. દુનિયાનાં અંતર માં કેટલાં
ભલા-ભોળા છે! પરંતુ કમાલ તો આ ભલા-ભોળાઓએ કરી છે. સોદો કરવામાં તો હોશિયાર નીકળ્યાં
ને. આજ નાં મોટા-મોટા નામીગ્રામી ધનવાન, ધન કમાવવાનાં બદલે ધન ને સંભાળવાની મૂંઝવણમાં
પડેલાં છે. એજ મૂંઝવણમાં બાપ ને ઓળખવાની પણ ફૂરસદ નથી. પોતાને બચાવવામાં, ધન ને
બચાવવામાં જ સમય ચાલ્યો જાય છે. જો બાદશાહ પણ છે તો ફિકર વાળા બાદશાહ છે કારણ કે છતાં
પણ કાળું ધન છે ને, એટલે ફિકર વાળા બાદશાહ છે અને તમે બહાર થી કોડી વગર છો પરંતુ
બેફિકર બાદશાહ છો, બેગર (કંગાળ) હોવા છતાં પણ બાદશાહ. શરુ-શરુ માં હસ્તાક્ષર શું
કરતા હતાં? બેગર ટૂ પ્રિન્સ. હમણાં પણ બાદશાહ અને ભવિષ્યમાં પણ બાદશાહ છો. આજકાલ
નાં જે નંબરવન ધનવાન આસામી છે તેની સામે તમારી ત્રેતા અંતવાળી પ્રજા પણ વધારે ધનવાન
હશે. આજકાલની સંખ્યાનાં હિસાબ થી વિચારો - ધન તો એજ હશે, દબાયેલું ધન પણ નીકળશે. તો
જેટલી મોટી સંખ્યા છે, તેનાં પ્રમાણે ધન વેચાયું છે. અને ત્યાં સંખ્યા કેટલી હશે?
તેનાં હિસાબ થી જુઓ તો કેટલું ધન હશે! પ્રજાને પણ અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. તો
બાદશાહ થયાં ને. બાદશાહ નો અર્થ આ નથી કે તખ્ત પર બેસે. બાદશાહ અર્થાત્ ભરપૂર, કોઇ
અપ્રાપ્તિ નહીં, કમી નહીં. તો એવો સોદો કરી લીધો છે કે કરી રહ્યાં છો? કે હમણાં
વિચારી રહ્યાં છો? ક્યારેક કોઈ મોટી વસ્તુ સસ્તી અને સહજ મળી જાય છે તો પણ મૂંઝવણ
માં પડી જાય કે ખબર નહીં ઠીક છે કે નહીં? એવી મૂંઝવણ માં તો નથી ને? કારણ કે
ભક્તિમાર્ગ વાળાઓએ સહજ ને આટલું મુશ્કિલ કરી વધારે ચક્ર માં નાખી દીધાં છે, જે આજે
પણ બાપને તે રુપ થી શોધતા રહે છે. નાની વાતને મોટી વાત બનાવી દીધી છે, એટલે મૂંઝવણ
માં પડી જાય છે. ઊંચે થી ઊંચા ભગવાન એમનાથી મળવાની વિધિઓ પણ લાંબી-પહોળી બતાવી દીધી.
એજ ચક્રમાં ભક્ત આત્માઓ વિચારમાં જ પડેલી છે. ભગવાન ભક્તિનું ફળ આપવા પણ આવી ગયાં
છે પરંતુ ભક્ત આત્માઓ મૂંઝવણનાં કારણે પત્તા-પત્તા ને પાણી આપવામાં જ બીઝી (વ્યસ્ત)
છે. કેટલો પણ તમે સંદેશ આપો છો તો શું કહે છે? આટલાં ઊંચા ભગવાન, આવી રીતે સહજ આવે
- થઇ જ ન શકે, એટલે બાપ હર્ષાઇ રહ્યાં હતાં કે આજકાલ નાં ભલે ભક્તિનાં નામીગ્રામી,
ભલે ધન નાં નામીગ્રામી, ભલે કોઈપણ ઓક્યુપેશન નાં નામીગ્રામી - પોતાનાં જ કાર્યમાં
બીઝી છે. પરંતુ આપ સાધારણ આત્માઓ એ બાપ થી સોદો કરી લીધો. પાંડવો એ પાક્કો સોદો કરી
લીધો ને? ડબલ ફોરેનર્સ સોદો કરવામાં હોશિયાર છે. સોદો તો બધાએ કર્યો પરંતુ બધી વાતમાં
નંબરવાર હોય છે. બાપે તો બધાને એક જેવાં સર્વ ખજાના આપ્યાં કારણ કે અખુટ સાગર છે.
બાપ ને આપવામાં નંબરવાર આપવાની આવશ્યકતા જ નથી.
જેમ આજકાલ ની વિનાશકારી આત્માઓ કહે છે કે વિનાશ ની એટલી સામગ્રી તૈયાર કરી છે જે આવી
અનેક દુનિયાઓ વિનાશ થઇ શકે છે. બાપ પણ કહે બાપની પાસે પણ એટલાં ખજાના છે જે આખાં
વિશ્વની આત્માઓ આપ જેવાં સમજદાર બની સોદો કરી લે તો પણ અખુટ છે. જેટલી આપ
બ્રાહ્મણોની સંખ્યા છે, એનાથી વધારે પદમગુણા પણ આવી જાય તો પણ લઈ શકે છે. આટલો અથાહ
ખજાનો છે! પરંતુ લેવાવાળા માં નંબર થઈ જાય છે. ખુલ્લા દિલથી સોદો કરવાવાળા
હિમ્મતવાન થોડા જ નીકળે છે, એટલે બે પ્રકારની માળા પૂજાય છે. ક્યાં અષ્ટ રત્ન અને
ક્યાં ૧૬ હજાર નો છેલ્લું! કેટલું અંતર થઈ ગયું! સોદો કરવામાં તો એક જેવાં જ છે.
છેલ્લો નંબર પણ કહે બાબા અને ફર્સ્ટ નંબર પર કહે બાબા. શબ્દ માં અંતર નથી. સોદો
કરવાની વિધિ એક જેવી છે અને આપવા વાળા દાતા પણ એક જેવું આપે છે. જ્ઞાનનો ખજાનો કે
શક્તિઓનો ખજાનો, જે પણ સંગમયુગી ખજાના જાણો છો, બધાની પાસે એક જેવાં જ છે. કોઈને
સર્વશક્તિઓ આપી, કોઈને એક શક્તિ આપી કે કોઈને એક ગુણ કે કોઈને સર્વગુણ આપ્યાં-આ
અંતર નથી. બધાનું ટાઈટલ એક જ છે - આદિ-મધ્ય-અંત નાં જ્ઞાનને જાણવાવાળા ત્રિકાળદર્શી,
માસ્ટર સર્વશક્તિવાન છે. એવું નથી કે કોઈ સર્વશક્તિવાન છે, કોઈ ફક્ત શક્તિવાન છે.
ના. બધાને સર્વગુણ સંપન્ન બનવાવાળી દેવ આત્મા કહે છે, ગુણ મૂર્તિ કહે છે. ખજાના
બધાની પાસે છે. એક મહિનાથી સ્ટડી (ભણવા) કરવા વાળા પણ જ્ઞાનનો ખજાનો એવી રીતે જ
વર્ણન કરે જેમ ૫૦ વર્ષ વાળા વર્ણન કરે છે. જો એક-એક ગુણ પર, શક્તિઓ પર ભાષણ કરવા
માટે કહે તો ખૂબ સારું ભાષણ કરી શકે છે. બુદ્ધિમાં છે ત્યારે તો કરી શકે છે ને. તો
ખજાના બધાની પાસે છે, બાકી અંતર શું થઈ ગયું? નંબરવન સોદાગર ખજાના ને સ્વનાં પ્રતિ
મનન કરવાથી કાર્યમાં લગાવે છે. એનાં અનુભવની ઓથોરિટી થી અનુભવી બની બીજાને આપે.
કાર્યમાં લગાવવું અર્થાત્ ખજાના ને વધારવો. એક છે ફક્ત વર્ણન કરવા વાળા, બીજા છે
મનન કરવા વાળા. તો મનન કરવા વાળા જેમને પણ આપે છે તે સ્વયં અનુભવી હોવાનાં કારણે
બીજાને પણ અનુભવી બનાવી શકે છે. વર્ણન કરવા વાળા બીજાને પણ વર્ણન કરવા વાળા બનાવી
દે છે. મહિમા કરતા રહેશે પરંતુ અનુભવી નહીં બનશે. સ્વયં મહાન નહીં બને પરંતુ મહિમા
કરવા વાળા બનશે.
તો નંબરવન અર્થાત્ મનન ની શક્તિ થી ખજાનાનાં અનુભવી બની અનુભવી બનાવવા વાળા અર્થાત્
બીજાઓને પણ ધનવાન બનાવવા વાળા, એટલે તેમનાં ખજાના સદા વધતાં જાય છે અને સમય પ્રમાણે
સ્વયં પ્રતિ અને બીજાઓનાં પ્રતિ કાર્ય માં લગાવવાથી સફળતા સ્વરુપ સદા રહે છે. ફક્ત
વર્ણન કરવા વાળા બીજાઓને પણ ધનવાન બનાવી નથી શકતાં અને પોતાનાં પ્રતિ પણ સમય પ્રમાણે
જે શક્તિ, જે ગુણ, જે જ્ઞાનની વાતો યૂઝ કરવી જોઈએ તે સમય પર નહીં કરી શકે, એટલે
ખજાના નાં ભરપૂર સ્વરુપ નું સુખ અને દાતા બની આપવાનો અનુભવ નથી કરી શકતાં. ધન હોવા
છતાં પણ ધન થી સુખ લઈ નથી શકતાં. શક્તિ હોવા છતાં પણ સમય પર શક્તિ દ્વારા સફળતા પામી
નથી શકતાં. ગુણ હોવા છતાં પણ સમય પ્રમાણે તે ગુણને યુઝ કરી નથી શકતાં. ફક્ત વર્ણન
કરી શકે છે. ધન બધાની પાસે છે પરંતુ ધનનું સુખ સમય પર યુઝ કરવાથી અનુભવ થાય. જેમ
આજકાલ નાં સમયમાં પણ કોઈ-કોઈ વિનાશી ધનવાન ની પાસે પણ ધન બેંક માં હશે, તિજોરીમાં
હશે કે ઓશિકાની નીચે હશે, ન જાતે કાર્યમાં લગાવશે, ન બીજાઓને લગાવવા દેશે. ન સ્વયં
લાભ લેશે, ન બીજાઓ ને લાભ આપશે. તો ધન હોવા છતાં પણ સુખ તો લીધું નહીં ને. ઓશિકાની
નીચે જ રહી જશે, સ્વયં ચાલ્યાં જશે. તો આ વર્ણન કરવું અર્થાત્ યુઝ ન કરવું, સદા
ગરીબ દેખાશે. આ ધન પણ જો સ્વયં પ્રતિ કે બીજાઓનાં પ્રતિ સમય પ્રમાણે યુઝ નથી કરતાં,
ફક્ત બુદ્ધિમાં રાખે છે તો ન સ્વયં અવિનાશી ધનનાં નશા માં, ખુશી માં રહે, ન બીજાઓને
આપી શકે. સદા શું કરીએ, કેવી રીતે કરીએ….. આ વિધિ થી ચાલતા રહેશે, એટલે બે માળાઓ થઈ
જાય છે. તે મનન કરવા વાળી, તે ફક્ત વર્ણન કરવા વાળી. તો કયા સોદાગર છો? નંબરવન વાળા
કે બીજા નંબર વાળા? આ ખજાનાની કન્ડીશન (શરત) આ છે - જેટલો બીજાઓ ને આપશો, જેટલો
કાર્યમાં લગાવશો એટલો વધશે. વૃદ્ધિ થવાની વિધિ આ છે. આમાં જ વિધિને ન અપનાવવાનાં
કારણે સ્વયં માં પણ વૃદ્ધિ નથી અને બીજાઓની સેવા કરવામાં પણ વૃદ્ધિ નથી. સંખ્યાની
વૃદ્ધિ નથી કહી રહ્યાં, સંપન્ન બનાવવાની વૃદ્ધિ. ઘણાં વિદ્યાર્થી સંખ્યામાં તો ગણતરી
માં આવે છે પરંતુ હજું સુધી પણ કહેતા રહે - સમજમાં નથી આવતું યોગ શું છે, બાપ ને
યાદ કેવી રીતે કરીએ? હજું શક્તિ નથી. તો વિદ્યાર્થી ની લાઈનમાં તો છે, રજીસ્ટર માં
નામ છે પરંતુ ધનવાન તો ન બન્યાં ને. માંગતા જ રહેશે. ક્યારેક કોઈ ટીચર ની પાસે જશે
- મદદ આપો, ક્યારેક બાપ થી રુહરુહાન કરશે - મદદ આપો. તો ભરપૂર તો ન થયાં ને. જે
સ્વયં પોતાનાં પ્રતિ મનન ની શક્તિ થી ધનને વધારે છે તે બીજાઓને પણ ધનમાં આગળ વધારી
શકે છે. મનન શક્તિ અર્થાત્ ધનને વધારવું. તો ધનવાન ની ખુશી, ધનવાન નું સુખ અનુભવ
કરવું. સમજ્યાં? મનન શક્તિનું મહત્વ ખુબજ છે. પહેલાં પણ થોડો ઈશારો સંભળાવ્યો છે.
હજું પણ મનન શક્તિનાં મહત્વ નું આગળ સંભળાવશે. ચેક કરવાનું કામ આપતાં રહે છે.
રીઝલ્ટ આઉટ થાય અને પછી તમે કહો કે અમને તો ખબર નથી, આ વાત તો બાપદાદાએ કહી નહોતી,
એટલે રોજ સંભળાવતા રહે છે. ચેક કરવું અર્થાત્ ચેન્જ કરવું. અચ્છા.
સર્વ શ્રેષ્ઠ સોદાગર આત્માઓ ને, સદા સર્વ ખજાનાને સમય પ્રમાણે કાર્ય માં લગાવવા વાળા
મહાન વિશાળ બુદ્ધિવાન બાળકો ને, સદા સ્વયં ને અને સર્વ ને સંપન્ન અનુભવ કરી અનુભવી
બનાવવા વાળા અનુભવ ની ઓથોરિટી વાળા બાળકો ને ઓલમાઈટી ઓથોરિટી બાપદાદાનાં યાદપ્યાર
અને નમસ્તે.
ઈસ્ટર્ન ઝોન નાં ભાઈ
બહેનો થી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત
ઈસ્ટ થી સૂર્ય ઉદય થાય છે ને. તો ઈસ્ટર્ન ઝોન અર્થાંત્ સદા જ્ઞાન સૂર્ય ઉદય છે જ.
ઈસ્ટર્ન વાળા અર્થાત્ સદા જ્ઞાન સૂર્ય નાં પ્રકાશ દ્વારા દરેક આત્મા ને પ્રકાશ માં
લાવવા વાળા, અંધકાર સમાપ્ત કરાવવા વાળા. સૂર્ય નું કામ છે અંધકાર ને ખતમ કરવો. તો
આપ સર્વ માસ્ટર જ્ઞાન સૂર્ય અર્થાત્ ચારેય તરફનાં અજ્ઞાન ને સમાપ્ત કરાવવા વાળા છો
ને. બધાં આ જ સેવા માં બીઝી રહો છો કે પોતાની કે પ્રવૃત્તિ ની પરિસ્થિતિઓનાં ઝંઝટ
માં ફસાયેલાં રહો છો? સૂર્ય નું કામ છે પ્રકાશ આપવાનાં કાર્યમાં બીઝી રહેવાનું. ભલે
પ્રવૃત્તિ માં, ભલે કોઈ પણ વ્યવહાર માં હોવ, ભલે કોઈપણ પરિસ્થિતિ સામે આવે પરંતુ
સૂર્ય પ્રકાશ આપવાનાં કાર્ય વગર રહી નથી શકતો. તો એવાં માસ્ટર જ્ઞાન સૂર્ય છો કે
ક્યારેક મૂંઝવણ માં આવી જાઓ છો? પહેલું કર્તવ્ય છે - જ્ઞાન નો પ્રકાશ આપવાનું.
જ્યારે આ સ્મૃતિમાં રહે છે કે પરમાર્થ દ્વારા વ્યવહાર અને પરિવાર બન્નેને શ્રેષ્ઠ
બનાવવાનો છે ત્યારે આ સેવા સ્વતઃ થાય છે. જ્યાં પરમાર્થ છે ત્યાં વ્યવહાર સિદ્ધ અને
સહજ થઈ જાય છે. અને પરમાર્થ ની ભાવના થી પરિવાર માં પણ સાચ્ચો પ્રેમ, એકતા સ્વતઃ જ
આવી જાય છે. તો પરિવાર પણ શ્રેષ્ઠ અને વ્યવહાર પણ શ્રેષ્ઠ. પરમાર્થ વ્યવહાર થી
કિનારો નથી કરાવતો, વધારે જ પરમાર્થ-કાર્યમાં બીઝી રહેવાથી પરિવાર અને વ્યવહાર માં
સહારો મળી જાય છે. તો પરમાર્થ માં સદા આગળ વધતાં ચાલો. નેપાળ વાળાઓની નિશાની માં પણ
સૂર્ય દેખાડે છે ને. તેમ રાજાઓમાં સૂર્યવંશી રાજાઓ પ્રસિદ્ધ છે, શ્રેષ્ઠ મનાય છે.
તો તમે પણ માસ્ટર જ્ઞાન સૂર્ય બધાને પ્રકાશ આપવા વાળા છો. અચ્છા.
વરદાન :-
સંગમયુગ પર
દરેક કર્મ કળા નાં રુપમાં કરવા વાળા ૧૬ કળા સંપન્ન ભવ
સંગમયુગ વિશેષ કર્મ
રુપી કળા દેખાડવાનો યુગ છે. જેમનું દરેક કર્મ કળાનાં રુપમાં થાય છે તેમનાં દરેક
કર્મનું કે ગુણોનું ગાયન થાય છે. ૧૬ કળા સંપન્ન અર્થાત્ દરેક ચલન સંપૂર્ણ કળાનાં
રુપમાં દેખાઈ આવે-આ જ સંપૂર્ણ સ્ટેજ ની નિશાની છે. જેમ સાકાર નાં બોલવાં, ચાલવાં….
બધામાં વિશેષતા જોઈ, તો આ કળા થઈ. ઉઠવાં-બેસવાની કળા, જોવાની કળા, ચાલવાની કળા હતી.
બધામાં ન્યારાપણું અને વિશેષતા હતી. તો એવી રીતે ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરી ૧૬
કળા સંપન્ન બનો.
સ્લોગન :-
પાવરફુલ (શક્તિશાળી)
તે છે જે તરત પારખી ને નિર્ણય કરી લે.