29-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પાવન
બનો તો રુહાની સેવા નાં લાયક બનશો , દેહી - અભિમાની બાળકો રુહાની યાત્રા પર રહેશે
અને બીજાઓને પણ આ જ યાત્રા કરાવશે”
પ્રશ્ન :-
સંગમ પર આપ
બાળકો જે કમાણી કરો છો, એ જ સાચી કમાણી છે - કેવી રીતે?
ઉત્તર :-
હમણાની જે કમાણી છે તે ૨૧ જન્મ સુધી ચાલે છે, આનું ક્યારેય પણ દેવાળું નથી નીકળતું.
જ્ઞાન સાંભળવું અને સંભળાવવું, યાદ કરવું અને કરાવવું - આ જ છે સાચી-સાચી કમાણી, જે
સાચાં-સાચાં બાપ જ તમને શીખવાડે છે. આવી કમાણી આખાં કલ્પ માં કોઈ પણ કરી ન શકે. બીજી
કોઈ પણ કમાણી સાથે નથી ચાલતી.
ગીત :-
હમેં ઉન રાહો પર ચલના હૈ…
ઓમ શાંતિ!
ભક્તિમાર્ગ
માં તો બાળકોએ ઘણી ઠોકરો ખાધી છે. ભક્તિમાર્ગ માં તો ખૂબ જ ભાવના થી યાત્રા કરવાં
જાય છે, રામાયણ વગેરે સાંભળે છે. એવી રીતે પ્રેમ થી બેસી કથાઓ સાંભળે છે - જે રડવું
પણ આવી જાય છે. અમારા ભગવાન ની સીતા ભગવતી ને રાવણ ડાકૂ લઈ ગયો. પછી સાંભળવા સમયે
બેસી રડે છે. આ છે બધી દંતકથાઓ, જેનાથી ફાયદો કાંઈ પણ નથી. પોકારે પણ છે - હેં
પતિત-પાવન આવો, આવીને અમને દુઃખી આત્માઓને સુખી બનાવો. આ નથી સમજતાં કે આત્મા દુઃખી
થાય છે કારણ કે તેઓ તો આત્મા ને નિર્લેપ કહી દે છે. સમજે છે આત્મા સુખ દુઃખ થી
ન્યારી છે. કેમ કહે છે? કારણ કે સમજે છે - પરમાત્મા સુખ દુઃખ થી ન્યારા છે, તો બાળકો
પછી સુખ દુઃખ માં કેવી રીતે આવશે? આ બધી વાતો ને હવે બાળકોએ સમજ્યું છે. આ
જ્ઞાનમાર્ગમાં પણ ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક કંઈ થાય છે. ક્યારેક
પ્રફુલ્લિત રહેશે, ક્યારેક મુરઝાયેલો ચહેરો રહે છે. આ હોય છે માયા થી લડાઈ. માયા પર
જીત પામવાની છે. જ્યારે બેહોશ હોય છે ત્યારે સંજીવની બૂટી અપાય છે - મનમનાભવ.
ભક્તિમાર્ગ માં ભબકો ખૂબ છે. દેવતાઓની મૂર્તિઓ ને કેટલી શ્રુંગારે છે, સાચાં ઘરેણા
પહેરાવે છે. તે ઘરેણા તો ઠાકુર ની પ્રોપર્ટી (મિલકત) થઈ. ઠાકુર ની પ્રોપર્ટી સો
પૂજારી કે ટ્રસ્ટી ની થઈ જાય છે. આપ બાળકો જાણો છો કે આપણે ચૈતન્ય માં ખૂબ હીરા
ઝવેરાત થી સજેલા હતાં. પછી જ્યારે પૂજારી બનીએ છીએ તો પણ ખૂબ ઘરેણા પહેરીએ છીએ. હવે
કાંઈ પણ નથી. ચૈતન્ય રુપમાં પણ પહેર્યા પછી જડ રુપમાં પણ પહેર્યા. હવે કોઈ ઘરેણા નથી.
બિલકુલ સાધારણ છીએ. બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું. કોઈ રાજાઈ વગેરેની
ઠાઠ-બાઠ નથી. સંન્યાસીઓનાં પણ ખુબ ઠાઠ-બાઠ હોય છે. હવે તમે સમજી ગયાં તો બરાબર
સતયુગમાં કેવી રીતે આપણે આત્માઓ પવિત્ર હતી. શરીર પણ આપણા પવિત્ર હતાં. તેમનો
શ્રુંગાર પણ ખુબ સરસ હોય છે. કોઇ રુપાળા હોય છે તો તેમને શ્રુંગાર નો પણ શોખ રહે
છે. તમે પણ ખૂબસૂરત હતાં તો ખૂબ સારા-સારા ઘરેણા પહેરતાં હતાં. હીરાનાં મોટા હાર
વગેરે પહેરતા હતાં. અહીંયા દરેક વસ્તુ શ્યામ છે. જુઓ ગાયો પણ શ્યામ થતી ગઈ છે. બાબા
જયારે શ્રીનાથ દ્વાર ગયાં હતાં તો ખૂબ સારી ગાયો હતી. કૃષ્ણ ની ગાયો ખૂબ સારી દેખાડે
છે. અહીંયા તો જુઓ કોઈ કેવાં, કોઈ કેવાં છે કારણ કે કળયુગ છે. આવી ગાયો ત્યાં હોતી
નથી. આપ બાળકો વિશ્વનાં માલિક બનો છો. તમારી સજાવટ પણ ત્યાં એવી સુંદર હોય છે.
વિચાર કરો - ગાયો તો જરુર હોવી જોઈએ. ત્યાંની ગાયો નું ગોબર પણ કેવું હોતું હશે.
કેટલી તાકાત હશે. જમીન ને ખાદ જોઇએ ને. ખાદ નખાય છે તો સારું અનાજ ઉત્પન થાય છે.
ત્યાં બધી વસ્તુ સારી તાકાતવાળી હોય છે. અહીંયા તો કોઈ ચીજમાં તાકાત નથી. દરેક
વસ્તુઓ બિલકુલ જ પાવરલેસ (શક્તિહીન) થઈ ગઈ છે. બાળકીઓ સૂક્ષ્મવતન માં જતી હતી. કેટલાં
સારા-સારા મોટા ફળ ખાતી હતી, શૂબીરસ વગેરે પીતી હતી. આ બધાં સાક્ષાત્કાર કરાવતા હતાં.
માળી ત્યાં કેવી રીતે ફળ વગેરે કાપીને આપે છે. સૂક્ષ્મવતન માં તો ફળ વગેરે હોઈ ન શકે.
આ સાક્ષાત્કાર થાય છે. વૈકુંઠ તો છતાં પણ અહીંયા હશે ને. મનુષ્ય સમજે છે વૈકુંઠ કોઈ
ઉપર માં છે. વૈકુંઠ ન સૂક્ષ્મવતન માં, ન મૂળવતન માં હોય છે. અહીંયા જ હોય છે. અહીંયા
જે બાળકીઓ સાક્ષાત્કાર કરે છે. તે પછી આ આંખો થી જોઈશું. જેવી પોઝિશન એવી સામગ્રી
પણ હોય છે. રાજાઓનાં મહેલ જુઓ કેવાં સારા-સારા હોય છે. જયપુર માં ખૂબ સારા-સારા
મહેલ બનેલા છે. ફક્ત મહેલ જોવા માટે મનુષ્ય જાય છે તો પણ ટિકિટ હોય છે. ખાસ તે મહેલ
જોવા માટે રાખે છે. પોતે પછી બીજા મહેલો માં રહે છે. તે પણ હમણાં કળયુગ માં. આ છે જ
પતિત દુનિયા. કોઈ પોતાને પતિત સમજે થોડી છે. તમે હમણાં સમજો છો - આપણે તો પતિત હતાં.
કોઈ કામ નાં નહોતા પછી આપણે ગોરા બનીશું. તે દુનિયા જ ફર્સ્ટ ક્લાસ હશે. અહીંયા ભલે
અમેરિકા વગેરે માં ફર્સ્ટ ક્લાસ મહેલ છે. પરંતુ ત્યાંની ભેટ માં આ તો કંઈ નથી કારણ
કે આ તો અલ્પકાળ નું સુખ આપવા વાળા છે. ત્યાં તો ફર્સ્ટ ક્લાસ મહેલ હોય છે. ફર્સ્ટ
ક્લાસ ગાયો હોય છે. ત્યાં ગોવાળિયા પણ હોય છે. કૃષ્ણને ગોવાળીયો કહે છે ને. અહીંયા
જે ગાયો ને સંભાળવા વાળા છે, તે કહે છે અમે ગૂજર (ગોવાળિયા) છીએ. કૃષ્ણનાં વંશાવલી
છીએ. હકીકત માં કૃષ્ણનાં વંશાવલી નહીં કહેશું. કૃષ્ણની રાજધાની નાં કહેશું. સાહૂકારો
ની પાસે ગાયો હશે તો ગૂજર સંભાળવા વાળા પણ હશે. આ ગૂજર નામ સતયુગ નું છે. કાલ ની
વાત છે. કાલે આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મના હતાં પછી પતિત બન્યાં છીએ તો પોતાને
હિંદુ કહીએ છીએ. પૂછો, તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં છો કે હિંદુ ધર્મનાં છો?
આજકાલ બધાં હિંદુ લખી દે છે. હિંદુ ધર્મ કોણે સ્થાપન કર્યો? દેવી દેવતા ધર્મ કોણે
સ્થાપન કર્યો? આ પણ કોઈ નથી જાણતાં. બાબા આ પ્રશ્ન પૂછે છે બતાવો આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યો? શિવબાબા બ્રહ્મા દ્વારા કરી રહ્યાં છે. રામ કે
શિવબાબા ની શ્રીમત પર આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. પછી રાવણ રાજ્ય થાય
છે, વિકારમાં જાય છે. ભક્તિમાર્ગ શરું થઈ જાય છે ત્યારે હિંદુ કહેવા લાગે છે. હમણાં
પોતાને કોઈ દેવતા કહી ન શકે. રાવણએ વિશશ (વિકારી) બનાવ્યાં, બાપ આવીને વાઈસલેસ (નિર્વિકારી)
બનાવે છે. તમે ઈશ્વરીય મત થી દેવતા બનો છો. બાપ જ આવીને આપ બ્રાહ્મણો ને દેવતા બનાવે
છે. સીડી કેવી રીતે ઉતરીએ છીએ, આ આપ બાળકોની બુદ્ધિમાં નંબરવાર બેસે છે. તમે જાણો
છો બીજા બધાં મનુષ્ય આસુરી મત પર ચાલી રહ્યાં છે અને તમે ઈશ્વરીય મત પર ચાલી રહ્યાં
છો. રાવણ ની મત થી સીડી ઉતરતા આવ્યાં છો. ૮૪ જન્મોનાં પછી ફરી પહેલો નંબર જન્મ થશે.
ઈશ્વરીય બુદ્ધિ થી તમે આખાં સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણી જાઓ છો. આ તમારું જીવન
ખૂબ અમૂલ્ય છે, આમની બહાદુરી છે. જ્યારે બાપ આવીને આપણને આટલાં પાવન બનાવે છે. આપણે
રુહાની સેવાનાં લાયક બનીએ છીએ. તેઓ છે શારીરિક સોશલ વર્કર (સમાજસેવક), જે
દેહ-અભિમાન માં રહે છે. તમે દેહી-અભિમાની છો. આત્માઓને રુહાની યાત્રા પર લઈ જાઓ છો.
બાપ સમજાવે છે તમે સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બન્યાં છો. સતોપ્રધાન ને પાવન,
તમોપ્રધાન ને પતિત કહેવાય છે. આત્મા માં ખાદ જ પડી છે. આત્માને જ સતોપ્રધાન બનાવવાની
છે. જેટલાં યાદ માં રહેશો, એટલાં પવિત્ર બનશો. નહીં તો ઓછા પવિત્ર બનશો. પાપોનો બોજો
માથા પર રહી જશે. આત્માઓ તો બધી પવિત્ર હોય છે પછી દરેક નો પાર્ટ અલગ છે. બધાનો એક
જેવો પાર્ટ હોઈ ન શકે. સૌથી ઊંચો બાબા નો પાર્ટ પછી બ્રહ્મા સરસ્વતી નો કેટલો પાર્ટ
છે. જે સ્થાપના કરે છે તે જ પાલના પણ કરે છે. મોટો પાર્ટ એમનો છે. પહેલાં છે શિવબાબા
પછી છે બ્રહ્મા-સરસ્વતી, જે પુનર્જન્મ માં આવે છે. શંકર તો ફક્ત સૂક્ષ્મ રુપ ધારણ
કરે છે. એવું નથી કે શંકર કોઈ શરીર ની લોન (આધાર) લે છે. કૃષ્ણને પોતાનું શરીર છે.
અહીંયા ફક્ત શિવબાબા શરીર ની લોન લે છે. પતિત શરીર, પતિત દુનિયામાં આવીને સેવા કરે
છે, મુક્તિ-જીવનમુક્તિ માં લઇ જવા. પહેલાં મુક્તિ માં જવું પડે. નોલેજફુલ એક જ બાપ
પતિત-પાવન છે, એમને જ કહે છે શિવબાબા. શંકર ને બાબા કહેતા શોભતું નથી. શિવબાબા
અક્ષર ખૂબ મીઠો છે. શિવ ની ઉપર કોઈ અક ચઢાવે છે, કોઈ શું ચઢાવે છે. કોઈ દૂધ પણ ચઢાવે
છે.
બાપ બાળકોને અનેક પ્રકારની સમજણ આપતાં રહે છે. બાળકોનાં માટે સમજાવાય છે, બધો આધાર
યોગ પર છે. યોગ થી જ વિકર્મ વિનાશ થશે. યોગ વાળા ને જ્ઞાનની ધારણા પણ સારી હશે.
પોતાની ધારણા માં ચાલતા રહેશે કારણ કે પછી સંભળાવવું પણ પડે છે. આ છે નવી વાત -
ભગવાને જેમને ડાયરેક્ટ સંભળાવ્યું, તેમણે સાંભળ્યું પછી તો આ જ્ઞાન રહેતું જ નથી.
હમણાં બાપ તમને જે સંભળાવે છે તે હમણાં તમે સાંભળો છો. ધારણા થાય છે તો પછી તો
પ્રાલબ્ધ નો પાર્ટ ભજવવાનો હોય છે. જ્ઞાન સાંભળવાનું, સંભળાવવાનું હમણાં હોય છે.
સતયુગ માં આ પાર્ટ નહીં હશે. ત્યાં તો છે જ પ્રાલબ્ધ નો પાર્ટ. મનુષ્ય બૅરીસ્ટર નું
ભણે છે પછી બૅરિસ્ટર બની કમાય છે. આ કેટલી મોટી કમાણી છે, આને દુનિયા વાળા નથી જાણતાં.
તમે જાણો છો સાચાં બાબા આપણને સાચી કમાણી કરાવી રહ્યાં છે. આમનું ક્યારેય દેવાળું
નીકળી ન શકે. હમણાં તમે સત્ય ની કમાણી કરો છો. તે પછી ૨૧ જન્મ સાથે રહે છે. તે કમાણી
સાથ નથી આપતી. આ સાથ આપવા વાળી છે તો આવી કમાણી ને સાથ આપવો જોઈએ, આ વાતો તમારા
સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી. તમારામાં પણ ઘડી-ઘડી કોઈ ભૂલી જાય છે. બાપ અને
વારસા ને ભુલવું ન જોઈએ. બસ, વાત એક જ છે. બાપ ને યાદ કરો. જે બાપ થી ૨૧ જન્મ નો
વારસો મળે છે, ૨૧ જન્મ નિરોગી શરીર રહે છે. વૃદ્ધ અવસ્થા સુધી અકાળે મૃત્યુ થતું નથી.
બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપની યાદ છે મુખ્ય, આમાં જ માયા વિધ્ન નાખે છે.
તોફાન લાવે છે. અનેક પ્રકારનાં તોફાન આવે છે. તમે કહેશો - બાપ ને યાદ કરું, પરંતુ
કરી નહીં શકશો. યાદમાં જ ખુબ ફેલ થાય છે. યોગની અનેકોમાં કમી છે. જેટલું થઈ શકે,
યોગમાં મજબૂત થવું જોઈએ. બાકી બીજ અને ઝાડ નું જ્ઞાન કોઈ મોટી વાત નથી.
બાપ કહે છે મને યાદ
કરો. મને યાદ કરવાથી, મને જાણવાથી તમે બધું જાણી જશો. યાદમાં જ બધું ભરેલું છે.
સ્વીટ બાબા, શિવબાબા ને યાદ કરવાનાં છે. ઊંચે થી ઊંચા છે ભગવાન. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ
એ છે. ઊંચે થી ઊંચો વારસો આપે છે ૨૧ જન્મનાં માટે. સદા સુખી અમર બનાવે છે. તમે
અમરપુરી નાં માલિક બનો છો. તો એવાં બાપને ખૂબ યાદ કરવાં જોઈએ. બાપ ને યાદ નહીં કરશો
તો બીજું બધું યાદ આવી જશે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ઈશ્વરીય
જીવન ખૂબ-ખૂબ અમૂલ્ય છે, આ જીવનમાં આત્મા અને શરીર બંનેવ ને પાવન બનાવવાનું છે.
રુહાની યાત્રા માં રહી ને બીજાઓને આ જ યાત્રા શીખવાડવાની છે.
2. જેટલું થઈ શકે -
સત્ય ની કમાણી માં લાગી જવાનું છે. નિરોગી બનવા માટે યાદ માં મજબૂત થવાનું છે.
વરદાન :-
માસ્ટર
નોલેજફુલ બની અજાણ્યા પણાને સમાપ્ત કરવા વાળા જ્ઞાન સ્વરુપ , યોગયુક્ત ભવ
માસ્ટર નોલેજફુલ
બનવાવાળા માં કોઈ પણ પ્રકારનું અજાણ્યા પણું નથી રહેતું, તેઓ એવું કહીને પોતાને
છોડાવી નહીં શકશે કે આ વાતની અમને ખબર જ નહોતી. જ્ઞાન સ્વરુપ બાળકોમાં કોઇ પણ વાત
નું અજ્ઞાન ન રહી શકે, અને જે યોગયુક્ત છે તેને અનુભવ થાય જેમ કે પહેલાં થી બધું
જાણે છે. તે આ જાણે છે કે માયા ની છમ-છમ, રિમઝિમ ઓછી નથી, માયા પણ ખૂબ રોનકદાર છે,
એટલે તેનાથી બચીને રહેવાનું છે. જે બધાં રુપો થી માયાનાં નોલેજને સમજી ગયાં તેમનાં
માટે હાર ખાવી અસંભવ છે.
સ્લોગન :-
જે સદા
પ્રસન્ન ચિત્ત છે, તે ક્યારેય પ્રશ્નચિત નથી થઈ શકતાં.