19-04-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - જ્યારે પણ સમય મળે તો એકાંત માં બેસી સાચાં માશૂક ને યાદ કરો કારણ કે યાદ થી જ સ્વર્ગની બાદશાહી મળશે”

પ્રશ્ન :-
બાપ મળ્યાં છે તો કયું અલબેલાપણું સમાપ્ત થઈ જવું જોઈએ?

ઉત્તર :-
કેટલાંક બાળકો અલબેલા થઈ કહે છે અમે તો બાબાનાં છીએ જ. યાદ ની મહેનત નથી કરતાં. ઘડી-ઘડી યાદ ભુલાઈ જાય છે. આ જ છે અલબેલાપણું. બાબા કહે બાળકો, જો યાદ માં રહો તો અંદર સ્થાઈ ખુશી રહેશે. કોઈ પણ પ્રકારનાં ઘુટકા નહીં આવશે. જેમ બાંધેલીઓ યાદ માં તડપે છે, દિવસ-રાત યાદ કરે છે, એમ તમને પણ નિરંતર યાદ રહેવી જોઈએ.

ગીત :-
તકદીર જગાકર આઈ હૂઁ…

ઓમ શાંતિ!
બાપે બાળકોને સમજાવ્યું છે - તમે પણ કહો છો ઓમ્ શાંતિ. બાબા પણ કહે છે ઓમ્ શાંતિ અર્થાત્ તમે આત્માઓ શાંત સ્વરુપ છો. બાપ પણ શાંત સ્વરુપ છે, આત્માનો સ્વધર્મ શાંત છે. પરમાત્મા નો પણ સ્વધર્મ શાંત છે. તમે પણ શાંતિધામમાં રહેવા વાળા છો. બાપ પણ કહે છે - હું પણ ત્યાંનો રહેવા વાળો છું. આપ બાળકો પુનર્જન્મ માં આવો છો, હું નથી આવતો. હું આ રથમાં પ્રવેશ કરું છું. આ મારો રથ છે. શંકર થી જો પૂછશે, પૂછી તો નથી શકતાં પરંતુ સમજો સૂક્ષ્મવતન માં જઇને કોઇ પૂછે તો કહેશે આ સૂક્ષ્મ શરીર મારું છે. શિવબાબા કહે છે આ મારું શરીર નથી. આ મેં ઉધાર લીધું છે કારણ કે મને પણ કર્મેન્દ્રિયો નો આધાર જોઈએ. પહેલી-પહેલી મુખ્ય વાત સમજાવવાની છે કે પતિત-પાવન, જ્ઞાનનાં સાગર શ્રીકૃષ્ણ નથી. શ્રીકૃષ્ણ સર્વ આત્માઓને પતિત થી પાવન નથી બનાવતાં, તે તો આવીને પાવન દુનિયામાં રાજ્ય કરે છે. પહેલાં પ્રિન્સ (રાજકુમાર) બને છે પછી મહારાજા બને છે. તેમનામાં પણ આ જ્ઞાન નથી. રચના નું જ્ઞાન તો રચતામાં જ હશે ને. શ્રીકૃષ્ણ ને રચના કહેવાય છે. રચતા બાપ જ આવીને જ્ઞાન આપે છે. હમણાં બાપ રચી રહ્યાં છે, કહે છે તમે મારા બાળકો છો. તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ. કહેવાય પણ છે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણોની સ્થાપના. નહીં તો બ્રાહ્મણ ક્યાંથી આવ્યાં. સૂક્ષ્મવતન વાળા બ્રહ્મા કોઈ બીજા નથી. ઉપરવાળા સો નીચેવાળા સો ઉપરવાળા. એક જ છે. અચ્છા વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણ પણ એક જ વાત છે. તે ક્યાનાં છે? બ્રહ્મા સો વિષ્ણુ બને છે. બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ પછી એ જ આખાં કલ્પ ૮૪ જન્મોનાં પછી આવીને સંગમ પર બ્રહ્મા-સરસ્વતી બને છે. લક્ષ્મી-નારાયણ પણ મનુષ્ય છે, એમનો દેવી-દેવતા ધર્મ છે. વિષ્ણુ ને પણ ૪ ભુજાઓ આપી છે. આ પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે. ભારતમાં શરુ થી જ પ્રવૃત્તિ માર્ગ ચાલ્યો આવે છે એટલે વિષ્ણુ ને ૪ ભુજાઓ આપી છે. અહીંયા છે બ્રહ્મા-સરસ્વતી, તે સરસ્વતી એડોપ્ટેડ બાળકી છે. આમનું અસલ નામ લખીરાજ હતું, પછી આમનું નામ રાખ્યું બ્રહ્મા. શિવબાબા એ આમનામાં પ્રવેશ કર્યો અને રાધે ને પોતાની બનાવી, નામ રાખ્યું સરસ્વતી. સરસ્વતી નાં બ્રહ્મા કોઈ લૌકિક બાપ નથી. આ બંને નાં લૌકિક બાપ પોત-પોતાના હતાં. હવે તે નથી. આ શિવબાબાએ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યા છે. તમે છો એડોપ્ટેડ બાળકો. બ્રહ્મા પણ શિવબાબાનું બાળક છે. બ્રહ્માનાં મુખ કમળ થી રચે છે એટલે બ્રહ્મા ને પણ માતા કહેવાય છે. તુમ માત પિતા હમ બાલક તેરે, તુમ્હરી કૃપા સે સુખ ઘનેરે… ગાએ છે ને. તમે બ્રાહ્મણ આવીને બાળક બન્યાં છો. આમાં સમજવાની બુદ્ધિ ખૂબ સારી જોઈએ. આપ બાળકો શિવાબાબા થી વારસો લો છો. બ્રહ્મા કોઈ સ્વર્ગનાં રચયિતા કે જ્ઞાન સાગર નથી. જ્ઞાનનાં સાગર એક જ બાપ છે. આત્માનાં બાપ જ જ્ઞાન નાં સાગર છે. આત્મા પણ જ્ઞાન સાગર બને છે પરંતુ આમને જ્ઞાન સાગર નહીં કહેશું કારણ કે સાગર એક જ છે. તમે બધી નદીઓ છો. સાગર ને પોતાનું શરીર નથી. નદીઓ ને છે. તમે છો જ્ઞાન નદીઓ. કલકત્તા માં બ્રહ્મપુત્રા નદી ખૂબ મોટી છે કારણ કે તેનું સાગર થી કનેક્શન (સંબંધ) છે. તેનો મેળો ખૂબ મોટો લાગે છે. અહીંયા પણ મેળો લાગે છે. સાગર અને બ્રહ્મપુત્રા બંને કમ્બાઈન્ડ (સંયુક્ત) છે. આ છે ચૈતન્ય, તે છે જડ. આ વાતો બાપ સમજાવે છે. શાસ્ત્રોમાં નથી. શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નો ડિપાર્ટમેન્ટ (વિભાગ). આ છે જ્ઞાનમાર્ગ, તે છે ભક્તિમાર્ગ. અડધોકલ્પ ભક્તિમાર્ગ ની ડિપાર્ટમેન્ટ ચાલે છે. તેમાં જ્ઞાન સાગર છે નહીં. પરમપિતા પરમાત્મા, જ્ઞાન નાં સાગર બાપ સંગમ પર આવીને જ્ઞાન સ્નાન થી સર્વની સદ્દગતિ કરે છે.

તમે જાણો છો કે આપણે બેહદનાં બાપ થી સ્વર્ગનાં સુખો ની તકદીર બનાવી રહ્યાં છીએ. બરાબર આપણે સતયુગ, ત્રેતામાં પૂજ્ય દેવી-દેવતા હતાં. હમણાં આપણે પુજારી મનુષ્ય છીએ. પછી મનુષ્ય થી તમે દેવતા બનો છો. બ્રાહ્મણ સો દેવતા ધર્મમાં આવ્યાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. ૮૪ જન્મ લેતા-લેતા નીચે ઉતરવું પડ્યું છે. આ પણ તમને બાપે બતાવ્યું છે. તમે પોતાનાં જન્મોને નહોતાં જાણતાં. ૮૪ જન્મ પણ તમે જ લો છો. જે પહેલાં-પહેલાં આવે છે, તે જ પૂરાં ૮૪ જન્મ લે છે. યોગ થી જ ખાદ નીકળે છે, યોગમાં જ મહેનત છે. ભલે કેટલાંક બાળકો જ્ઞાનમાં હોશિયાર છે પરંતુ યોગ માં કાચાં છે. બાંધેલીઓ યોગમાં છૂટેલીઓ થી પણ સારી છે. તે તો શિવબાબા થી મળવા માટે રાત-દિવસ તડપે છે. તમે મળ્યાં છો. તમને કહેવાય છે યાદ કરો તો તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો. તમને તોફાન ખૂબ આવે છે. તે યાદમાં તડપે છે. તમે તડપતાં નથી. તેમનું ઘરે બેઠાં પણ ઊંચ પદ થઈ જાય છે. આપ બાળકો જાણો છો - બાબાની યાદમાં રહેવાથી આપણ ને સ્વર્ગ ની બાદશાહી મળશે. જેમ બાળક ગર્ભ થી નીકળવા માટે તડપે છે. તેમ બંધેલીઓ તડપતાં-તડપતાં પોકારે છે, શિવબાબા આ બંધન થી નીકાળો. દિવસ-રાત યાદ કરે છે. તમને બાપ મળ્યાં છે તો તમે અલબેલા બની ગયાં છો. આપણે બાબાનાં બાળકો છીએ. અમે આ શરીર છોડી જઈ પ્રિન્સ બનીશું, આ અંદર માં સ્થાઈ ખુશી રહેવી જોઈએ. પરંતુ માયા યાદ રાખવા નથી દેતી. યાદ થી ખુશીમાં ખૂબ રહેશો. યાદ નહીં કરશો તો ઘુટકા ખાતા રહેશો. અડધોકલ્પ તમે રાવણ રાજ્ય માં દુઃખ જોયું છે. અકાળે મૃત્યુ થતું આવ્યું છે. દુઃખ તો છે જ છે. ભલે કેટલાં પણ સાહૂકાર હોય, દુઃખ તો થાય છે. અકાળે મૃત્યુ થઈ જાય છે. સતયુગ માં આવી રીતે અકાળે નથી મરતાં, ક્યારેય બીમાર નહીં થશે. સમય પર બેઠા-બેઠા જાતે જ એક શરીર છોડી બીજું લઈ લે છે. એનું નામ જ છે-સુખધામ. મનુષ્ય તો સ્વર્ગની વાતો ને કલ્પના સમજે છે. કહેશે, સ્વર્ગ ક્યાંથી આવ્યું. તમે જાણો છો આપણે તો સ્વર્ગ માં રહેવા વાળા છીએ પછી ૮૪ જન્મ લઈએ છીએ. આ આખો ખેલ ભારત પર જ બનેલો છે. તમે જાણો છો આપણે ૨૧ જન્મ પાવન દેવતા હતાં પછી આપણે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. હવે ફરી બ્રાહ્મણ બન્યાં છીએ. આ સ્વદર્શન ચક્ર ખૂબ સહજ છે. આ શિવબાબા બેસી સમજાવે છે.

તમે જાણો છો શિવબાબા બ્રહ્માનાં રથ માં આવ્યાં છે, જે બ્રહ્મા છે તે જ સતયુગ આદિ માં શ્રીકૃષ્ણ હતાં. ૮૪ જન્મ થઈ પતિત બન્યાં છે પછી આમનામાં બાપે પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. સ્વયં કહે છે મેં આ તન નો આધાર લઇ તમને પોતાનાં બનાવ્યાં છે. પછી તમને સ્વર્ગની રાજધાની નાં લાયક બનાવું છું, જે લાયક બનશે તે જ રાજધાની માં આવશે. આમાં મેનર્સ (સભ્યતા) સારા જોઈએ. મુખ્ય છે જે પવિત્રતા. આનાં પર અબળાઓ પર અત્યાચાર થાય છે. ક્યાંક-ક્યાંક પુરુષો પર પણ અત્યાચાર થાય છે. વિકાર માટે એક-બીજા ને હેરાન કરે છે. અહીંયા માતાઓ ખુબ હોવાનાં કારણે શક્તિ સેના નામ ગવાયેલું છે, વંદે માતરમ્. હમણાં તમે જ્ઞાન-ચિતા પર બેઠા છો કામ-ચિતા થી ઉતરી ગોરા બનવા માટે. દ્વાપર થી લઈને કામ-ચિતા પર બેઠા છો. એક-બીજા ને વિકાર આપવાનું બંધન વિકારી બ્રાહ્મણ બાંધે છે. તમે છો નિર્વિકારી બ્રાહ્મણ. તમે તે કેન્સલ કરાવી જ્ઞાન-ચિતા પર બેસાડો છો. કામ-ચિતા થી કાળા બન્યાં છે, જ્ઞાન-ચિતા થી ગોરા બની જશે. બાપ કહે છે ભલે સાથે રહો પરંતુ પ્રતિજ્ઞા કરવાની છે અમે વિકારમાં નહીં જઈશું, એટલે બાબા વીંટી પણ પહેરાવે છે. શિવબાબા, બાબા પણ છે, સાજન પણ છે. બધી સીતાઓનાં રામ છે. એ જ પતિત-પાવન છે. બાકી રઘુપતિ રાઘવ રાજારામ ની વાત નથી. એમણે સંગમ પર જ આ પ્રાલબ્ધ પામી હતી. એમને હિંસક બાણ દેખાડવું ખોટું છે. ચિત્ર માં પણ ન આપવું જોઈએ. ફક્ત લખવાનું છે ચંદ્રવંશી. બાળકો ને સમજાવવું જોઈએ શિવબાબા આમનાં દ્વારા આપણને આ ચક્રનું રહસ્ય સમજાવી રહ્યાં છે. સત્ય-નારાયણની કથા હોય છે ને. તે છે મનુષ્યો ની બનાવેલી કથા. નર થી નારાયણ તો કોઈ બનતાં નથી. સત્ય નારાયણની કથા નો અર્થ જ છે નર થી નારાયણ બનવું. અમરકથા પણ સંભળાવે છે પરંતુ અમરપુરી માં તો કોઈ જતું નથી. મૃત્યુલોક ૨૫૦૦ વર્ષ ચાલે છે. તીજરી ની કથા માતાઓ સાંભળે છે. હકીકત માં આ છે ત્રીજું જ્ઞાનનું નેત્ર આપવાની કથા. હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર આત્મા ને મળ્યું છે તો આત્મ-અભિમાની બનવાનું છે. હું આ શરીર દ્વારા હવે દેવતા બનું છું. મારામાં જ સંસ્કાર છે. મનુષ્ય બધાં દેહ-અભિમાની છે. બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે. લોકો પછી કહી દે છે આત્મા પરમાત્મા એક છે. પરમાત્માએ આ બધાં રુપ ધારણ કર્યા છે. બાપ કહે છે આ બધું ખોટું છે, આને મિથ્યા અભિમાન, મિથ્યા જ્ઞાન કહેવાય છે. બાપ બતાવે છે હું બિંદી માફક છું. તમે પણ નહોતાં જાણતાં, આ પણ નહોતાં જાણતાં. હવે બાપ સમજાવે છે - આમાં સંશય ન આવવો જોઈએ. નિશ્ચય હોવો જોઈએ. બાબા જરુર સત્ય જ બોલે છે, સંશયબુદ્ધિ વિનશ્યન્તી. તે પૂરો વારસો નહીં પામશે. આત્મ-અભિમાની બનવામાં જ મહેનત છે. ખાવાનું બનાવતાં બુદ્ધિ બાપની તરફ લાગેલી રહે. દરેક વાતમાં આ પ્રેક્ટિસ કરવી જોઈએ. રોટલી વણતાં, પોતાનાં માશૂક ને યાદ કરતાં રહેવું - આ અભ્યાસ દરેક વાતમાં જોઈએ. જેટલો સમય ફુરસદ મળે યાદ કરવાનાં છે. યાદ થી જ તમે સતોપ્રધાન બનશો. ૮ કલાક કર્મ કરવા માટે છૂટ છે. વચ માં પણ એકાંતમાં જઇને બેસવું જોઈએ, તમારે બધાને બાપ નો પરિચય પણ સંભળાવવાનો છે. આજે નહીં સાંભળશે તો કાલે સાંભળશે. બાપ સ્વર્ગ સ્થાપન કરે છે, આપણે સ્વર્ગમાં હતાં પછી હમણાં નર્કવાસી થયાં છીએ. હવે ફરી બાપ થી વારસો મળવો જોઈએ. ભારતવાસીઓ ને સમજાવે છે. બાપ આવે પણ ભારતમાં જ છે. જુઓ, તમારી પાસે મુસલમાન લોકો પણ આવે છે, તે પણ સેવાકેન્દ્ર સંભાળે છે. કહે છે શિવબાબા ને યાદ કરો. સિક્ખ પણ આવે છે, ક્રિશ્ચિયન પણ આવે છે, આગળ ચાલીને ઘણાં આવશે. આ જ્ઞાન બધાં માટે છે કારણ કે આ છે જ સહજ યાદ અને સહજ વારસો બાપનો. પરંતુ પવિત્ર તો જરુર બનવું પડશે. દે દાન તો છૂટે ગ્રહણ. હમણાં ભારત પર રાહુ નું ગ્રહણ છે પછી બૃહસ્પતિની દશા શરું થશે ૨૧ જન્મોનાં માટે. પહેલાં હોય છે બૃહસ્પતિની દશા. પછી શુક્રની દશા. સૂર્યવંશીઓ પર બૃહસ્પતિની દશા, ચંદ્રવંશીઓ પર શુક્રની દશા કહેશે. પછી દશા ઓછી થતી જાય છે. સૌથી ખરાબ છે રાહુની દશા. બૃહસ્પતિ કોઈ ગુરુ નથી હોતાં. આ દશા છે વૃક્ષપતિની. વૃક્ષપતિ બાપ આવે છે તો બૃહસ્પતિ અને શુક્રની દશા થાય છે. રાવણ આવે છે તો રાહુની દશા થઈ જાય છે. આપ બાળકો પર હમણાં બૃહસ્પતિની દશા બેસે છે. ફક્ત વૃક્ષપતિ ને યાદ કરો, પવિત્ર બનો, બસ. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક કાર્ય કરતાં આત્મ-અભિમાની બનાવવાની પ્રેક્ટિસ કરવાની છે. દેહનો અહંકાર સમાપ્ત થઈ જાય. આનાં માટે જ મહેનત કરવાની છે.

2. સતયુગી રાજાઈ નાં લાયક બનવા માટે પોતાનાં મેનર્સ (સભ્યતા) રોયલ બનાવવાનાં છે. પવિત્રતા જ સૌથી ઉંચી ચલન છે. પવિત્ર બનવાથી જ પવિત્ર દુનિયાનાં માલિક બનશો.

વરદાન :-
ભોળપણ ની સાથે ઓલમાઈટી ઓથોરિટી બની માયાનો સામનો કરવાવાળા શક્તિ સ્વરુપ ભવ

ક્યારેક-ક્યારેક ભોળપણ ખૂબ ભારે નુકસાન કરી દે છે. સરળતા ભોળું રુપ ધારણ કરી લે છે. પરંતુ એવાં ભોળા નહીં બનો જે સામનો ન કરી શકો. સરળતા ની સાથે સમાવવાની અને સહન કરવાની શક્તિ જોઈએ. જેમ બાપ ભોળાનાથ ની સાથે ઓલમાઈટી ઓથોરિટી (સર્વ શક્તિવાન સત્તા) છે, એમ તમે પણ ભોળપણ ની સાથે-સાથે શક્તિ સ્વરુપ પણ બનો તો માયા નો ગોળો નહીં લાગશે, માયા સામનો કરવાનાં બદલે નમસ્કાર કરી દેશે.

સ્લોગન :-
પોતાનાં દિલમાં યાદ નો ઝંડો લહેરાવો તો પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાઈ જશે.