20-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
દેહ - અભિમાન નો દ્વાર બંધ કરી દો તો માયા નાં તોફાન આવવાનાં બંધ થઇ જશે”
પ્રશ્ન :-
જે બાળકોની
વિશાળ બુદ્ધિ છે, એમની નિશાનીઓ સંભળાવો!
ઉત્તર :-
૧. એમને આખો દિવસ સેવાનાં જ વિચાર ચાલતાં રહેશે. ૨. તે સેવા વગર રહી નથી શકતાં. ૩.
એમની બુદ્ધિમાં રહેશે કે કેવી રીતે આખાં વિશ્વમાં ઘેરાવ નાખી બધાને પતિત થી પાવન
બનાવીએ. તે વિશ્વને દુઃખધામ થી સુખધામ બનાવવાની સેવા કરતાં રહેશે. ૪. તે અનેકોને આપ
સમાન બનાવતાં રહેશે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
મીઠા-મીઠા બાળકો ને બેસી સમજાવે છે, બાળકો પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો
તમારું બધું દુઃખ સદાનાં માટે મટી જશે. પોતાને આત્મા સમજી બધાને ભાઈ-ભાઈની દૃષ્ટિ
થી જુઓ તો પછી દેહ ની દૃષ્ટિ વૃત્તિ બદલાઈ જશે. બાપ પણ અશરીરી છે, આપ આત્મા પણ
અશરીરી છો. બાપ આત્માઓને જ જુએ છે, બધાં અકાળતખ્ત પર વિરાજમાન આત્માઓ છે. તમે પણ
આત્મા ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ, એમાં બહુ મહેનત છે. દેહનાં ભાનમાં આવવાથી જ માયાનાં
તોફાન આવે છે. આ દેહ-અભિમાનનો દ્વાર બંધ કરી દો તો માયાનાં તોફાન આવવાનાં બંધ થઇ જશે.
આ દેહી-અભિમાની બનવાની શિક્ષા આખાં કલ્પમાં આ પુરુષોત્તમ સંગમયુગ પર બાપ જ આપ
બાળકોને આપે છે.
મીઠા-મીઠા સિકીલધા
બાળકો તમે જાણો છો હમણાં આપણે નર્ક નો કિનારો છોડી આગળ જઈ રહ્યાં છીએ, આ પુરુષોત્તમ
સંગમયુગ બિલકુલ અલગ છે વચ્ચે નો. વચ્ચે દરિયામાં (સમુદ્રમાં) તમારી બોટ (નાવ) છે.
તમે ન સતયુગી છો, ન કળયુગી છો. તમે છો પુરુષોત્તમ સંગમયુગી સર્વોત્તમ બ્રાહ્મણ.
સંગમયુગ હોય જ છે બ્રાહ્મણો નો. બ્રાહ્મણ છે ચોટી. આ બ્રાહ્મણોનો બહુજ નાનો યુગ છે.
આ એક જ જન્મ નો યુગ હોય છે. આ છે તમારી ખુશી નો યુગ. ખુશી કઈ વાતની છે? ભગવાન આપણને
ભણાવે છે! એવાં વિદ્યાર્થી ને કેટલી ખુશી હશે! તમને હવે આખાં ચક્ર નું જ્ઞાન
બુદ્ધિમાં છે. હમણાં હમ સો બ્રાહ્મણ છીએ પછી હમ સો દેવતા બનીશું. પહેલાં પોતાનાં ઘરે
સ્વીટ હોમ માં જઈશું પછી નવી દુનિયામાં આવીશું. આપણે બ્રાહ્મણ જ સ્વદર્શનચક્રધારી
છીએ. આપણે જ બાજોલી રમીએ છીએ. આ વિરાટ રુપ ને પણ આપ બ્રાહ્મણ બાળકો જ જાણો છો,
બુદ્ધિમાં આખો દિવસ આ વાતો સિમરણ થવી જોઈએ. મીઠા બાળકો તમારો આ બહુજ પ્રેમાળ પરિવાર
છે, તો આપ દરેકે ખુબ-ખુબ પ્રેમાળ હોવું જોઈએ. બાપ પણ મીઠા છે તો બાળકો પણ એવાં મીઠા
બનાવે છે. ક્યારેય કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ. મન્સા વાચા કર્મણા કોઈને દુઃખ નથી
આપવાનું. બાપ ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. જેટલું બાપ ને યાદ કરશો એટલાં મીઠા બનતાં
જશો. બસ આ યાદ થી જ બેડો પાર છે - આ છે યાદની યાત્રા. યાદ કરતાં-કરતાં વાયા
શાંતિધામ સુખધામ જવાનું છે. બાપ આવ્યાં જ છે બાળકોને સદા સુખી બનાવવાં. ભૂતો ને
ભગાવવા ની યુક્તિ બાપ બતાવે છે મને યાદ કરો તો આ ભૂત નીકળતાં જશે. કોઈ પણ ભૂત ને
સાથે નહીં લઈ જાઓ. કોઈ પણ ભૂત હોય તો અહીંયા જ મારી પાસે છોડી જાઓ. તમે કહો જ છો
બાબા આવીને અમારા ભૂતો ને કાઢી પતિત થી પાવન બનાવો. તો બાપ કેટલાં ગુલ-ગુલ બનાવે
છે. બાપ અને દાદા બંને મળીને આપ બાળકોનો શૃંગાર કરે છે. માતા-પિતા જ બાળકો નો
શૃંગાર કરે છે ને. તે છે હદ નાં બાપ-આ છે બેહદનાં બાપ. તો બાળકોએ બહુજ પ્રેમ થી
ચાલવાનું અને ચલાવવાનું છે. બધાં વિકારો નું દાન આપવું જોઈએ, દે દાન તો છૂટે ગ્રહણ.
આમાં કોઈ બહાના વગેરેની વાત નથી. પ્રેમ થી તમે કોઈને પણ વશ કરી શકો છો. પ્રેમ થી
સમજાવો, પ્રેમ બહુજ મીઠી વસ્તુ છે - વાઘ ને, હાથી ને, જાનવરો ને પણ મનુષ્ય પ્રેમ થી
વશ કરી લે છે. તે તો, તો પણ આસુરી મનુષ્ય છે. તમે તો હવે દેવતા બની રહ્યાં છો. તો
દૈવી ગુણ ધારણ કરી બહુજ-બહુજ મીઠા બનવાનું છે. એક-બીજા ને ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેન ની
દૃષ્ટિ થી જુઓ. આત્મા, આત્માને ક્યારેય દુઃખ નથી આપી શકતી. બાપ કહે છે મીઠા બાળકો
હું તમને સ્વર્ગનું રાજ્ય-ભાગ્ય આપવા આવ્યો છું. હમણાં તમને જે જોઇએ તે મારા થી લો.
હું તો વિશ્વનાં માલિક ડબલ સિરતાજ તમને બનાવવાં આવ્યો છું. પરંતુ મહેનત તમારે કરવાની
છે. હું કોઈનાં ઉપર તાજ નહીં રાખીશ. તમારે પોતાનાં પુરુષાર્થ થી જ સ્વયંને રાજતિલક
આપવાનું છે. બાપ પુરુષાર્થ ની યુક્તિ બતાવે છે કે આમ-આમ વિશ્વનાં માલિક ડબલ સિરતાજ
પોતાને બનાવી શકો છો. ભણતર પર પૂરું ધ્યાન આપો. ક્યારેય પણ ભણતર ને નહીં છોડો. કોઈ
પણ કારણ થી રિસાઈને ભણતર ને છોડી દીધું તો ખુબ-ખુબ ઘાટો થઈ જશે. નુકસાન અને ફાયદા
ને જોતાં રહો. તમે ઈશ્વરીય યુનિવર્સિટી નાં વિદ્યાર્થી છો, ઈશ્વર બાપ થી ભણી રહ્યાં
છો, ભણીને પૂજ્ય દેવતા બની રહ્યાં છો. તો વિદ્યાર્થી પણ એવાં નિયમિત બનવાં જોઈએ.
સ્ટુડન્ટ લાઈફ ઈઝ ધ બેસ્ટ (વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ છે). જેટલું ભણશો ભણાવશો અને
મેનર્સ સુધારશો એટલા ધી બેસ્ટ બનશો.
મીઠા બાળકો હવે તમારી
રિટર્ન યાત્રા છે, જેમ સતયુગ થી ત્રેતા, દ્વાપર, કળયુગ સુધી નીચે ઉતરતાં આવ્યાં છો
તેમ હવે તમારે આઇરન એજ (કળયુગ) થી ઉપર ગોલ્ડન એજ (સતયુગ) સુધી જવાનું છે. જ્યારે
સિલવર એજ (ત્રેતાયુગ) સુધી પહોંચશો તો પછી આ કર્મેન્દ્રિયો ની ચંચળતા ખતમ થઇ જશે
એટલે જેટલું બાપ ને યાદ કરશો એટલી આપ આત્માઓથી રજો તમો ની કટ નીકળતી જશે અને જેટલી
કટ નીકળતી જશે એટલી બાપ ચુંબકની તરફ કશિશ (આકર્ષણ) વધતી જશે. કશિશ નથી હોતી તો જરુર
કટ લાગેલી છે-કટ એકદમ નીકળી પ્યોર (શુદ્ધ) સોનું બની જાય તે છે અંતિમ કર્માતીત
અવસ્થા.
તમારે ગૃહસ્થ વ્યવહાર
માં, પ્રવૃતિ માં રહેતાં પણ કમળ પુષ્પ સમાન બનવાનું છે. બાપ કહે છે મીઠા બાળકો ઘર
ગૃહસ્થ ને પણ સંભાળો, શરીર નિર્વાહ અર્થ કામકાજ પણ કરો. સાથે-સાથે આ ભણતર પણ ભણતાં
રહો. ગાયન પણ છે હથ કાર ડે દિલ યાર ડે. કામકાજ કરતાં એક માશૂક બાપ ને યાદ કરવાનાં
છે. તમે અડધાકલ્પ નાં આશિક છો. નૌધા ભક્તિમાં પણ જુઓ કૃષ્ણ વગેરે ને કેટલાં પ્રેમ
થી યાદ કરે છે. તે છે નૌધા ભક્તિ, અટલ ભક્તિ. કૃષ્ણની અટલ યાદ રહે છે પરંતુ એનાથી
કોઈ ને મુક્તિ નથી મળતી. આ પછી છે નિરંતર યાદ કરવાનું જ્ઞાન. બાપ કહે છે મુજ
પતિત-પાવન બાપ ને યાદ કરો તો તમારા પાપ નાશ થઈ જશે, પરંતુ માયા પણ ખુબ પહેલવાન છે.
કોઈને છોડતી નથી. માયા થી વારંવાર હાર ખાવાથી તો માથું નીચે કરી પશ્ચાતાપ કરવો જોઈએ.
બાપ મીઠા બાળકોને શ્રેષ્ઠ મત આપે જ છે શ્રેષ્ઠ બનવા માટે. બાપ જુએ છે એટલી મહેનત
બાળકો કરતાં નથી એટલે બાપ ને તરસ આવે છે. જો આ અભ્યાસ હમણાં નહીં કરશે તો પછી સજાઓ
બહુજ ખાવી પડશે અને કલ્પ-કલ્પ પાઈ પૈસાનું પદ પામતાં રહેશે.
મૂળ વાત મીઠા બાળકોને
બાપ સમજાવે છે દેહી-અભિમાની બનો. દેહ સહિત દેહનાં બધાં સંબંધો ને ભૂલી મામેકમ્ યાદ
કરો, પાવન પણ જરુર બનવાનું છે. કુમારી જ્યારે પવિત્ર છે તો બધાં એને માથું ટેકવે
છે. લગ્ન કરવાથી પછી પૂજારી બની જાય છે. બધાની આગળ માથું ઝુકાવવું પડે છે. કન્યા
પહેલાં પિયરઘર માં હોય છે તો એટલાં વધારે સંબંધ યાદ નથી આવતાં. લગ્ન પછી દેહનાં
સંબંધ પણ વધતાં જાય પછી પતિ બાળકોમાં મોહ વધતો જાય. સાસુ-સસરા વગેરે બધાં યાદ આવતા
રહેશે. પહેલાં તો ફક્ત મા-બાપમાં જ મોહ હોય છે. અહીંયા તો પછી એ બધાં સંબંધો ને
ભૂલવા પડે છે કારણ કે આ એક જ તમારા સાચાં-સાચાં માતા-પિતા છે ને. આ છે ઇશ્વરીય
સંબંધ. ગાએ પણ છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ... આ માત પિતા તો તમને વિશ્વનાં માલિક
બનાવે છે એટલે બાપ કહે છે મુજ બેહદનાં બાપ ને નિરંતર યાદ કરો બીજા કોઈ પણ દેહધારી
થી મમત્વ નહીં રાખો. સ્ત્રી ને કળયુગી પતિની કેટલી યાદ રહે છે, તે તો ગટર માં પાડે
છે. આ બેહદનાં બાપ તો તમને સ્વર્ગમાં લઈ જાય છે. આવાં મીઠા બાપ ને બહુજ પ્રેમ થી
યાદ કરો અને સ્વદર્શન ચક્ર ફરાવતાં રહો. આ જ યાદનાં બળ થી જ તમારી આત્મા કંચન બની
સ્વર્ગની માલિક બની જશે. સ્વર્ગનું નામ સાંભળીને જ દિલ ખુશ થઈ જાય છે. જે નિરંતર
યાદ કરતાં અને બીજાઓ ને પણ યાદ કરાવતાં રહેશે તે જ ઊંચ પદ પામશે. આ પુરુષાર્થ
કરતાં-કરતાં અંતમાં તમારી તે અવસ્થા જામી જશે. આ તો દુનિયા પણ જૂની છે, દેહ પણ જૂનો
છે, દેહ સહિત દેહનાં સર્વ સંબંધ પણ જૂનાં છે. એ બધાથી બુદ્ધિયોગ હટાવી એક બાપ નો
સંગ જોડવાનો છે, છે અંતકાળે પણ એ એક બાપની યાદ રહે બીજા કોઈનો સંબંધ યાદ હશે તો પછી
અંતમાં પણ તે યાદ આવી જશે અને પદ ભ્રષ્ટ થઈ જશે. અંતકાળે જે બેહદ બાપની યાદમાં રહેશે
તે જ નર થી નારાયણ બનશે. બાપની યાદ છે તો પછી શિવાલય દૂર નથી.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો બેહદનાં બાપ પાસે આવે જ છે રિફ્રેશ થવા માટે કારણ કે બાળકો જાણે છે બેહદનાં
બાપ થી બેહદ વિશ્વની બાદશાહી મળે છે. આ ક્યારેય ભુલવું ન જોઈએ. તે સદૈવ યાદ રહે તો
પણ બાળકોને અપાર ખુશી રહે. આ બેજ ચાલતાં-ફરતાં ઘડી-ઘડી જોતાં રહો-એકદમ હૃદય થી લગાવી
દો. ઓહો! ભગવાન ની શ્રીમત થી અમે આ બની રહ્યાં છીએ. બસ બેજ ને જોઈ એને પ્રેમ કરતાં
રહો. બાબા, બાબા કરતાં રહો તો સદૈવ સ્મૃતિ રહેશે. આપણે બાપ દ્વારા આ બનીએ છીએ. બાપની
શ્રીમત પર ચાલવું જોઈએ ને. મીઠા બાળકોની ખુબ વિશાળ બુદ્ધિ જોઈએ. આખો દિવસ સર્વિસ
નાં જ વિચાર ચાલતાં રહે. બાબાને તો તે બાળકો જોઈએ જે સર્વિસ (સેવા) વગર રહી ન શકે.
આપ બાળકોએ આખાં વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે અર્થાત્ પતિત દુનિયાને પાવન બનાવવાની છે.
આખાં વિશ્વને દુઃખધામ થી સુખધામ બનાવવાનું છે. શિક્ષક ને પણ ભણાવવામાં મજા આવે છે
ને. તમે તો હવે બહુજ ઊંચા શિક્ષક બન્યાં છો. જેટલાં સારા શિક્ષક, તે અનેકોને આપ
સમાન બનાવશે, ક્યારેય થાકશે નહીં. ઈશ્વરીય સર્વિસમાં બહુજ ખુશી રહે છે. બાપની મદદ
મળે છે. આ મોટો બેહદનો વ્યાપાર પણ છે, વ્યાપારી લોકો જ ધનવાન બને છે. તેઓ આ
જ્ઞાનમાર્ગ માં પણ વધારે ઉછળે છે. બાપ પણ બેહદનાં વ્યાપારી છે ને. સોદો બહુજ ફર્સ્ટ
ક્લાસ છે પરંતુ આમાં ખુબ સાહસ ધારણ કરવું પડે છે. નવાં-નવાં બાળકો જૂનાંથી પણ
પુરુષાર્થ માં આગળ જઈ શકે છે. દરેકની વ્યક્તિગત તકદીર છે, તો પુરુષાર્થ પણ દરેકે
વ્યક્તિગત કરવો જોઈએ. પોતાની પૂરી ચેકિંગ કરવી જોઈએ. આવી ચેકિંગ કરવાવાળા એકદમ
રાત-દિવસ પુરુષાર્થ માં લાગી જશે, કહેશે અમે પોતાનો સમય વ્યર્થ કેમ કરીએ. જેટલું થઈ
શકે સમય સફળ કરીએ. પોતાનાથી પાકું પ્રણ કરી લે છે, અમે બાપ ને ક્યારેય નહીં ભૂલશું.
સ્કોલરશિપ લઈને જ છોડશું. એવાં બાળકોને પછી મદદ પણ મળે છે. એવાં પણ નવાં-નવાં
પુરુષાર્થી બાળકો તમે જોશો. સાક્ષાત્કાર કરતાં રહેશો. જેમ શરું માં થયું એ જ પછી
પાછળ માં પણ જોશો. જેટલા નજીક થતાં જશો એટલી ખુશી માં નાચતાં રહેશો. ત્યાં ખુને
નાહક ખેલ પણ ચાલતો રહેશે.
આપ બાળકોની ઈશ્વરીય
રેસ ચાલી રહી છે, જેટલાં આગળ દોડતાં જશો એટલા નવી દુનિયાનાં દૃશ્યો પણ નજીક આવતાં
જશે, ખુશી વધતી જશે. જેમને દૃશ્ય નજીક નથી દેખાતા એમને ખુશી પણ નહીં થશે. હમણાં તો
કળયુગી દુનિયાથી વૈરાગ્ય અને સતયુગી દુનિયાથી બહુજ પ્રેમ હોવો જોઈએ. શિવબાબા યાદ
રહેશે તો સ્વર્ગ નો વારસો પણ યાદ રહેશે. સ્વર્ગ નો વારસો યાદ રહેશે તો શિવબાબા પણ
યાદ રહેશે. આપ બાળકો જાણો છો હમણાં આપણે સ્વર્ગ તરફ જઈ રહ્યાં છીએ, પગ નર્ક તરફ છે,
માથું સ્વર્ગ તરફ છે. હમણાં તો નાનાં-મોટાં બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બાબાને સદૈવ
આ નશો રહે છે ઓહો! હું જઈને આ બાલકૃષ્ણ બનીશ, જેનાં માટે ઈનએડવાન્સ (પહેલાથી) ભેટ
પણ મોકલતાં રહે છે. જેમને પૂરો નિશ્ચય છે તે જ ગોપિકાઓ ભેટ મોકલે છે, તેમને
અતિન્દ્રિય સુખની ભાસના આવે છે. આપણે જ અમરલોક માં દેવતા બનીશું. કલ્પ પહેલાં પણ
આપણે જ બન્યાં હતાં પછી આપણે ૮૪ પુનર્જન્મ લીધાં છે. આ બાજોલી યાદ રહે તો પણ અહો
સૌભાગ્ય- સદૈવ અથાહ ખુશી માં રહો, બહુજ મોટી લોટરી મળી રહી છે. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ
આપણે રાજ્ય ભાગ્ય પામ્યું હતું ફરી કાલે પામશું. ડ્રામામાં નોંધ છે. જેમ કલ્પ પહેલાં
જન્મ લીધો હતો તેમજ લઈશું, તે જ આપણાં મા-બાપ હશે. જે કૃષ્ણનાં બાપ હતાં તેજ પછી
બનશે. આવા-આવા જે આખો દિવસ વિચાર કરતાં રહેશે તો તે ખુબ જ રમણીકતા માં રહેશે. વિચાર
સાગર મંથન નથી કરતાં તો એટલે અનહેલ્દી (અસ્વસ્થ) છે. ગાય ભોજન ખાય છે તો આખો દિવસ
વાગોળતી રહે છે, મુખ ચાલતું જ રહે છે. મુખ ન ચાલે તો સમજાય છે બીમાર છે, આ પણ એવું
જ છે.
બેહદનાં બાપ અને દાદા
બંને નો મીઠા-મીઠા બાળકોથી બહુ જ પ્રેમ છે, કેટલાં પ્રેમ થી ભણાવે છે. કાળા થી ગોરા
બનાવે છે. તો બાળકોને પણ ખુશી નો પારો ચઢવો જોઈએ. પારો ચઢશે યાદની યાત્રા થી. બાપ
કલ્પ-કલ્પ બહુજ પ્રેમ થી લવલી સર્વિસ કરે છે. ૫ તત્વો સહિત બધાને પાવન બનાવે છે.
કેટલી મોટી બેહદની સેવા છે. બાપ બહુજ પ્રેમ થી બાળકો ને શિક્ષા પણ આપતાં રહે છે
કારણ કે બાળકો ને સુધારવા બાપ કે શિક્ષકનું જ કામ છે. બાપની છે શ્રીમત, જેનાથી જ
શ્રેષ્ઠ બનશો. જેટલાં પ્રેમ થી યાદ કરશો એટલાં શ્રેષ્ઠ બનશો. આ પણ ચાર્ટ માં લખવું
જોઈએ અમે શ્રીમત પર ચાલીએ છીએ કે પોતાની મત પર ચાલીએ છીએ? શ્રીમત પર ચાલવાથી જ તમે
એક્યુરેટ બનશો. અચ્છા-
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં
પોતાનાથી પ્રણ કરવાનું છે કે અમે પોતાનો સમય વેસ્ટ (વ્યર્થ) નહીં કરીશું. સંગમ ની
દરેક પળ સફળ કરીશું. અમે બાબા ને ક્યારેય નહીં ભૂલશું. સ્કોલરશિપ લઈને જ રહીશું.
2. સદા સ્મૃતિ રહે કે
હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે. પગ નર્ક તરફ, માથું સ્વર્ગ તરફ છે. બાજોલી ને યાદ
કરી અથાહ ખુશીમાં રહેવાનું છે. દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે.
વરદાન :-
પોતાની
પાવરફુલ વૃત્તિ દ્વારા પતિત વાયુમંડળ ને પરિવર્તન કરવાવાળા માસ્ટર પતિત - પાવની ભવ
કેવું પણ વાયુમંડળ
હોય પરંતુ સ્વયંની શક્તિશાળી વૃત્તિ વાયુમંડળ ને બદલી શકે છે. વાયુમંડળ વિકારી હોય
પરંતુ સ્વયંની વૃત્તિ નિર્વિકારી હોય. જે પતિતો ને પાવન બનાવવા વાળા છે તે પતિત
વાયુમંડળ નાં વશીભૂત ન થઈ શકે. માસ્ટર પતિત-પાવની બની સ્વયંની પાવરફુલ વૃત્તિ થી
અપવિત્ર કે કમજોરીનાં વાયુમંડળને મિટાવો, એનું વર્ણન કરી વાયુમંડળ નહીં બનાવો.
કમજોર કે પતિત વાયુમંડળ નું વર્ણન કરવું પણ પાપ છે.
સ્લોગન :-
હવે ધરણીમાં
પરમાત્માનાં પરિચયનું બીજ નાખો તો પ્રત્યક્ષતા થશે.