13-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
જે છે , જેવાં છે , આપ બાળકોમાં પણ નંબરવાર ઓળખે છે , જો બધાં ઓળખી લે તો ખૂબ ભીડ
થઇ જાય”
પ્રશ્ન :-
ચારેય તરફ
પ્રત્યક્ષતા નો અવાજ ક્યારે ફેલાશે?
ઉત્તર :-
જ્યારે મનુષ્યો ને ખબર પડશે કે સ્વયં ભગવાન આ જૂની દુનિયાનો વિનાશ કરાવીને નવી
દુનિયા સ્થાપન કરવા આવ્યાં છે. ૨. આપણા બધાની સદ્દગતિ કરવા વાળા બાપ આપણને ભક્તિનું
ફળ આપવા આવ્યાં છે. આ નિશ્ચય હોય તો પ્રત્યક્ષતા થઈ જાય. ચારેય તરફ હલચલ થઇ જાય.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ…
ઓમ શાંતિ!
બાળકોએ ગીતની
બે લાઈન સાંભળી. જો પિયા (પ્રિયતમ) કે સાથ હૈ, હવે પિયા કોણ છે? આ દુનિયા નથી જાણતી.
ભલે અસંખ્ય બાળકો છે, એમાં પણ ઘણાં છે જે નથી જાણતાં કે કયાં પ્રકાર થી બાપ ને યાદ
કરવાં જોઈએ. તે યાદ કરતા નથી આવડતું. ઘડી-ઘડી ભૂલી જાય છે. બાપ સમજાવે છે બાળકો
સ્વયં ને આત્મા સમજો, આપણે બિંદી છીએ. બાપ, જ્ઞાનનાં સાગર છે, એમને જ યાદ કરવાનાં
છે. યાદ કરવાની એવી પ્રેક્ટિસ પડી જાય જે નિરંતર યાદ રહી જાય. અંતમાં આ જ યાદ રહે
કે અમે આત્મા છીએ, શરીર તો છે પરંતુ આ જ્ઞાન બુદ્ધિમાં રાખવાનું છે કે અમે આત્મા
છીએ. બાપનું ડાયરેક્શન મળ્યું છે હું જે છું, એ રુપમાં કોઈ વિરલા યાદ કરે છે.
દેહ-અભિમાનમાં બાળકો ખૂબ આવી જાય છે. બાપે સમજાવ્યું છે, કોઈને પણ જ્યાં સુધી બાપ
નો પરિચય નથી આપ્યો ત્યાં સુધી કાંઈ પણ સમજી નહીં શકશે. પહેલાં તો તેમને આ ખબર પડે
કે એ નિરાકાર આપણાં બાપ, ગીતાનાં ભગવાન છે, એ જ સર્વનાં સદ્દગતિ દાતા છે. એ આ સમયે
સદ્દગતિ કરવાનો પાર્ટ ભજવી રહ્યાં છે. આ પોઇન્ટ (વાત) માં નિશ્ચયબુદ્ધિ થઈ જાય તો
પછી જે પણ આટલાં સાધુ-સંત વગેરે છે બધાં એક સેકન્ડમાં આવી જાય. ભારતમાં મોટો હંગામો
થઇ જાય. હમણાં ખબર પડી જાય કે આ દુનિયા વિનાશ થવાની છે. આ વાતનો નિશ્ચય થઈ જાય તો
મુંબઈ થી લઈને આબુ સુધી લાઈન લાગી જાય. પરંતુ આટલો જલ્દી કોઈને નિશ્ચય થઈ નથી શકતો.
તમે જાણો છો વિનાશ થવાનો છે, આ બધાં ઘોર નિંદ્રામાં સૂતા જ રહેવાનાં છે. પછી અંત
સમયે તમારો પ્રભાવ નીકળશે. માસીનું ઘર નથી જે આ વાત માં નિશ્ચય થઈ જાય કે ગીતાનાં
ભગવાન પરમપિતા પરમાત્મા શિવ છે. આ પ્રસિદ્ધ થઈ જાય તો આખાં ભારતમાં અવાજ થઈ જાય.
હમણાં તો તમે એક ને સમજાવશો તો બીજો કહેશે તમને જાદુ લાગી ગયું છે. આ ઝાડ ખૂબ
ધીરે-ધીરે વધવાનું છે. હજી થોડો સમય છે છતાં પણ પુરુષાર્થ કરવામાં વાંધો નથી. તમે
મોટા-મોટા લોકોને સમજાવો છો, પરંતુ તે કાંઈ પણ સમજે થોડી છે. બાળકોમાં પણ ઘણાં આ
નોલેજ ને સમજતાં નથી. બાપની યાદ નથી તો તે અવસ્થા નથી. બાપ જાણે છે નિશ્ચય કોને
કહેવાય છે. હમણાં તો કોઈ ૧-૨ ટકા પણ મુશ્કિલ બાપ ને યાદ કરે છે. ભલે અહીંયા બેઠાં
છે, બાપની સાથે તે પ્રેમ નથી રહેતો. આમાં પ્રેમ જોઈએ, તકદીર (ભાગ્ય) જોઈએ. બાપ થી
પ્રેમ હોય તો સમજે, અમારે કદમ-કદમ શ્રીમત પર ચાલવાનું છે. આપણે વિશ્વનાં માલિક બનીએ
છીએ. અડધાકલ્પનું દેહ-અભિમાન બેઠેલું છે તો હવે દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત લાગે
છે. પોતાને આત્મા સમજી મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરવાં માસીનું ઘર નથી.
તેમના ચહેરામાં જ રોનક આવી જાય. કન્યા લગ્ન કરે છે, ઘરેણાં વગેરે પહેરે છે તો
ચહેરામાં એકદમ ખુશી આવી જાય છે. પરંતુ અહીંયા તો સાજન ને યાદ જ નથી કરતાં તો તે
ચહેરો મુરઝાયેલો રહે છે. વાત નહીં પૂછો. કન્યા લગ્ન કરે છે તો ચહેરો ખુશનુમાઃ થઈ
જાય છે. કોઈનો તો લગ્નનાં પછી પણ ચહેરો મુર્દા જેવો રહે છે. જાત-જાતનાં હોય છે. કોઈ
તો બીજા ઘરમાં જઈને મુંઝાય પડે છે. તો અહીંયા પણ એવું છે. બાપ ને યાદ કરવાની મહેનત
છે. આ ગાયન અંતનું છે કે અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભનાં ગોપ-ગોપીઓથી પૂછો. પોતાને
ગોપ-ગોપી સમજવું અને નિરંતર બાપ ને યાદ કરવાં, તે અવસ્થા થવાની છે. બાપ નો પરિચય
બધાને આપવાનો છે. બાપ આવેલા છે તે વારસો આપી રહ્યાં છે. આમાં બધું નોલેજ આવી જાય
છે. લક્ષ્મી-નારાયણે જ્યારે ૮૪ જન્મ પૂરા કર્યા ત્યારે બાપે અંતમાં આવીને એમને
રાજયોગ શીખવાડી રાજાઈ આપી. લક્ષ્મી-નારાયણનું આ ચિત્ર છે નંબરવન. તમે જાણો છો એમણે
આગળનાં જન્મમાં એવાં કર્મ કર્યા છે, તે કર્મ હવે બાપ શીખવાડી રહ્યાં છે. કહે છે
મનમનાભવ, પવિત્ર રહો. કોઈ પણ પાપ નહીં કરો કારણ કે તમે હવે સ્વર્ગનાં માલિક, પુણ્ય
આત્મા બનો છો. અડધોકલ્પ માયા રાવણ પાપ કરાવતી આવી છે. હવે પોતાનાથી પૂછવાનું છે -
અમારાથી કોઈ પાપ તો નથી થતું? પુણ્યનું કામ કરતાં રહીએ છીએ? આંધળાઓ ની લાઠી બન્યાં
છીએ? બાપ કહે છે મનમનાભવ. આ પણ પૂછવાનું હોય છે કે મનમનાભવ કોણે કહ્યું? તે કહેશે
કૃષ્ણએ કહ્યું. તમે માનો છો પરમપિતા પરમાત્માએ શિવે કહ્યું. રાત દિવસનો ફરક છે.
શિવજયંતી ની સાથે છે ગીતા જયંતી. ગીતાજયંતી ની સાથે કૃષ્ણજયંતી.
તમે જાણો છો આપણે
ભવિષ્ય માં પ્રિન્સ (રાજકુમાર) બનશું. બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી રાજકુમાર) બનવાનું
છે. આ લક્ષ્ય-હેતુ જ રાજ્યોગ નો છે. તમે સિદ્ધ કરી બતાવો કે ગીતાનાં ભગવાન
શ્રીકૃષ્ણ નહોતાં, એ તો નિરાકાર હતાં. તો સર્વવ્યાપી નું જ્ઞાન ઉડી જાય. સર્વ નાં
સદ્દગતિ દાતા, પતિત-પાવન બાપ છે. કહે પણ છે કે એ લિબરેટર (મુક્તિદાતા) છે, પછી
સર્વવ્યાપી કહી દે. જે કંઈ બોલે છે, સમજતાં નથી. ધર્મ ની વાતમાં જે આવે છે, બોલી દે
છે. મુખ્ય ધર્મ છે ત્રણ. દેવી-દેવતા ધર્મ તો અડધોકલ્પ ચાલે છે. તમે જાણો છો બાપ
બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ સ્થાપન કરે છે. આ દુનિયા નથી જાણતી. તે તો સતયુગ ને
જ લાખો વર્ષ કહી દે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે સૌથી ઊંચો, પરંતુ તે પોતાનાં
ધર્મ ને ભૂલી ઈરીલીજિયસ (નાસ્તિક) બની ગયાં છે. ક્રિશ્ચિયન લોકો પોતાનાં ધર્મ ને નથી
છોડતાં. તેઓ જાણે છે - ક્રાઈસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો હતો. ઈસ્લામી, બોદ્ધી પછી
ક્રિશ્ચિયન આ છે મુખ્ય ધર્મ. બાકી તો નાનાં-નાનાં ઘણાં છે. ક્યાંથી વૃદ્ધિ થઈ? આ
કોઈ નથી જાણતું. મોહમ્મદ ને હજી થોડો સમય થયો છે. ઈસ્લામી જૂનાં છે. ક્રિશ્ચિયન પણ
પ્રસિદ્ધ છે. બાકી તો કેટલાં અસંખ્ય છે. બધાનો પોત-પોતાનો ધર્મ છે. પોતાનાં
ભિન્ન-ભિન્ન ધર્મ, ભિન્ન-ભિન્ન નામ છે તો મૂંઝાઈ ગયાં છે. આ નથી જાણતાં કે મુખ્ય
ધર્મશાસ્ત્ર જ ૪ છે. આમાં ડીટીજ્મ (દૈવીધર્મ), બ્રાહ્મણીજમ (બ્રાહ્મણધર્મ) પણ આવી
જાય છે. બ્રાહ્મણ સો દેવતા, દેવતા સો ક્ષત્રિય, આ કોઈ ને ખબર નથી. ગાયન છે બ્રાહ્મણ
દેવતાય નમઃ. પરમપિતાએ બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ ની સ્થાપના કરી, અક્ષર છે
પરંતુ વાંચે એવી રીતે છે જેમકે પોપટ.
આ છે કાંટાઓનું જંગલ.
ભારત ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો) હતું, આ પણ માને છે. પરંતુ તે ક્યારે, કેવી
રીતે, કોણે બનાવ્યું, પરમાત્મા શું વસ્તુ છે, આ કોઈ નથી જાણતું. તો ઓરફન (અનાથ) થઈ
ગયાં ને એટલે આ લડાઈ-ઝઘડા વગેરે છે. ફક્ત ભક્તિમાં ખુશ થતાં રહે છે. હવે બાપ આવ્યાં
છે અજવાળું કરવાં, સેકન્ડમાં જીવનમુક્ત બનાવી દે છે. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા,
અજ્ઞાન અંધેરા વિનાશ. હમણાં તમે જાણો છો આપણે અજવાળા માં છીએ. બાપે ત્રીજું નેત્ર
આપ્યું છે. ભલે દેવતાઓને ત્રીજું નેત્ર દેખાડે છે પરંતુ અર્થ નથી જાણતાં. હકીકત માં
ત્રીજું નેત્ર તમને છે. તેમણે પછી આપી દીધું છે દેવતાઓને. ગીતામાં બ્રાહ્મણોની કોઈ
વાત નથી. તેમાં તો પછી કૌરવો, પાંડવો વગેરેની લડાઈ, ઘોડા-ગાડી વગેરે લખી દીધું છે,
કંઈ પણ સમજતાં નથી. તમે સમજાવશો તો કહેશે તમે શાસ્ત્રો વગેરે ને નથી માનતાં. તમે કહી
શકો છો અમે શાસ્ત્રો ને માનતાં કેમ નથી, જાણીએ છીએ - આ બધી ભક્તિમાર્ગની સામગ્રી
છે. ગવાયેલું છે જ્ઞાન અને ભક્તિ. જ્યારે રાવણ રાજ્ય હોય છે ત્યારે ભક્તિ શરું થાય
છે. ભારતવાસી વામમાર્ગ માં જઈને ધર્મ ભ્રષ્ટ અને કર્મ ભ્રષ્ટ બની જાય છે એટલે હવે
હિન્દુ કહેવડાવે છે. પતિત બની ગયાં છે. પતિત કોણે બનાવ્યાં? રાવણએ. રાવણને બાળે પણ
છે, સમજે છે આ પરંપરા થી ચાલ્યું આવે છે. પરંતુ સતયુગ માં તો રાવણ રાજ્ય જ નહોતું.
કંઈ પણ સમજતાં નથી. માયા બિલકુલ જ પથ્થરબુદ્ધિ બનાવી દે છે. પથ્થર થી પારસ બાપ જ
બનાવે છે. જ્યારે આયરન એજ (કળયુગ) માં આવે ત્યારે તો આવીને ગોલ્ડન એજ (સતયુગ)
સ્થાપન કરે. બાપ સમજાવે છે છતાં પણ ખૂબ મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે.
આપ કુમારીઓની હવે
સગાઇ થાય છે. તમને પટરાણી બનાવે છે. તમને ભગાવ્યાં અર્થાત્ આપ આત્માઓને કહે છે - તમે
મારા હતાં પછી તમે મને ભૂલી ગયાં છો. દેહ-અભિમાની બની માયાનાં બની ગયાં છો. બાકી
ભગાવવા વગેરેની તો વાત નથી. મામેકમ્ યાદ કરો. યાદની જ મહેનત છે. ખૂબ દેહ-અભિમાન માં
આવીને વિકર્મ કરે છે. બાપ જાણે છે આ આત્મા મને યાદ જ નથી કરતી. દેહ-અભિમાન માં આવીને
ખૂબ પાપ કરે છે તો પાપ નો ઘડો સો ગણો ભરાઈ જાય છે. બીજાઓને રસ્તો બતાવવાનાં બદલે
સ્વયં જ ભૂલી જાય છે. વધારે જ વધારે દુર્ગતિને પામી લે છે. ખૂબ ઉંચી મંઝિલ છે. ચઢે
તો ચાખે વૈકુંઠ રસ, પડે તો ચકનાચૂર. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આમાં ફરક જુઓ કેટલો
પડી જાય છે. કોઈ તો ભણીને આકાશ માં ચઢી જાય છે, કોઈ પટ (નીચે) માં પડી જાય છે.
બુદ્ધિ ડલ હોય છે તો ભણી નથી શકતાં. કોઈ-કોઈ કહે છે બાબા અમે કોઈ ને સમજાવી નથી શકતાં.
કહું છું સારું ફક્ત પોતાને આત્મા સમજો, મુજ બાપ ને યાદ કરો તો હું તમને સુખ આપીશ.
પરંતુ યાદ જ નથી કરતાં. યાદ કરે તો બીજાઓને યાદ અપાવતાં રહે. બાપ ને યાદ કરે તો પાપ
નષ્ટ થઈ જાય. એમની યાદ વગર તમે સુખધામ માં જઈ નથી શકતાં. ૨૧ જન્મો નો વારસો નિરાકાર
બાપ થી મળી શકે છે. બાકી તો બધાં અલ્પકાળ નું સુખ આપવા વાળા છે. કોઈને રિદ્ધિ-સિદ્ધિ
થી બાળક મળી ગયું કે આશીર્વાદ થી લોટરી મળી ગઈ તો બસ વિશ્વાસ બેસી જાય છે. કોઈને
૨-૪ કરોડ ફાયદો થઈ જશે બસ ખૂબ મહિમા કરશે. પરંતુ તે તો છે અલ્પકાળ માટે. ૨૧ જન્મોનાં
માટે હેલ્થ-વેલ્થ (સ્વાસ્થ્ય-સંપત્તિ) તો મળી નથી શકતી ને. પરંતુ મનુષ્ય નથી જાણતાં.
દોષ પણ ન આપી શકાય. અલ્પકાળ નાં સુખમાં જ ખુશ થઇ જાય છે. બાપ આપ બાળકોને રાજયોગ
શીખવાડી સ્વર્ગની બાદશાહી આપે છે. કેટલું સહજ છે. કોઈ તો બિલકુલ સમજાવી નથી શકતાં.
કોઈ સમજે પણ છે પરંતુ યોગ પૂરો ન હોવાનાં કારણે કોઈને તીર નથી લાગતું. દેહ-અભિમાનમાં
આવવાથી કંઈ ન કંઈ પાપ થતાં રહે છે. યોગ જ મુખ્ય છે. તમે યોગબળ થી વિશ્વનાં માલિક બનો
છો. પ્રાચીન યોગ ભગવાને શીખવાડ્યો હતો, ન કે શ્રીકૃષ્ણએ. યાદ ની યાત્રા ખૂબ સારી
છે. તમે ડ્રામા જોઈને આવો તો બુદ્ધિમાં બધું સામે આવી જશે. કોઈને બતાવવામાં સમય
લાગશે. આ પણ એવું છે. બીજ અને ઝાડ. આ ચક્ર ખૂબ ક્લીયર (સ્પષ્ટ) છે. શાંતિધામ,
સુખધામ, દુઃખધામ….સેકન્ડ નું કામ છે ને. પરંતુ યાદ પણ રહે ને. મુખ્ય વાત છે બાપનો
પરિચય. બાપ કહે છે - મને યાદ કરવાથી તમે બધું જાણી જશો. અચ્છા.
શિવબાબા આપ બાળકો ને
યાદ કરે છે, બ્રહ્મા બાબા યાદ નથી કરતાં. શિવબાબા જાણે છે મારા સપૂત બાળકો કોણ-કોણ
છે. સર્વિસેબલ (સેવાધારી) સપૂત બાળકોને યાદ કરે છે. આ થોડી કોઈને યાદ કરશે. આની
આત્માને તો ડાયરેક્શન છે મામેકમ્ યાદ કરો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. તકદીરવાન
બનવા માટે એક બાપ થી સાચ્ચો-સાચ્ચો પ્રેમ રાખવાનો છે. પ્રેમ રાખવો અર્થાત્ કદમ-કદમ
એકની જ શ્રીમત પર ચાલતાં રહેવું.
2. રોજ પુણ્યનું કામ
અવશ્ય કરવાનું છે. સૌથી મોટું પુણ્ય છે બધાને બાપ નો પરિચય આપવો. બાપ ને યાદ કરવાં
અને બધાને બાપ ની યાદ અપાવવી.
વરદાન :-
સ્થૂળ કાર્ય
કરતાં પણ મન્સા દ્વારા વિશ્વ પરિવર્તન ની સેવા કરવા વાળી જવાબદાર આત્મા ભવ
કોઈ પણ સ્થૂળ કાર્ય
કરતાં સદા આ સ્મૃતિ રહે કે હું વિશ્વ ની સ્ટેજ પર વિશ્વ કલ્યાણની સેવા અર્થ નિમિત્ત
છું. મને પોતાની શ્રેષ્ઠ મન્સા દ્વારા વિશ્વ પરિવર્તન નાં કાર્યની ખૂબ મોટી જવાબદારી
મળેલી છે. આ સ્મૃતિ થી અલબેલાપણું સમાપ્ત થઈ જશે અને સમય પણ વ્યર્થ જવાથી બચી જશે.
એક-એક સેકન્ડ અમૂલ્ય સમજતાં વિશ્વ કલ્યાણનાં અથવા જડ-ચૈતન્ય ને પરિવર્તન કરવાનાં
કાર્યમાં સફળ કરતાં રહેશો.
સ્લોગન :-
હવે યોદ્ધા
બનવાનાં બદલે નિરંતર યોગી બનો.