ઓમ્ શાંતિ ! બાળકો જ્યારે જન્મે છે તો પોતાની સાથે કર્મો અનુસાર તકદીર લઈ આવે છે. કોઈ સાહૂકાર પાસે, કોઈ ગરીબની પાસે જન્મ લે છે. બાપ પણ સમજે છે કે વારીસ આવ્યો છે. જેમ-જેમ દાન-પુણ્ય કર્યું છે, તે અનુસાર જન્મ મળે છે. હવે આપ મીઠા-મીઠા સિકીલધા બાળકોને કલ્પ પછી ફરીથી બાપે આવીને સમજાવ્યું છે. બાળકો પણ જાણે છે કે અમે પોતાની તકદીર લઈ આવ્યાં છીએ. સ્વર્ગની બાદશાહી ની તકદીર લઈ આવ્યાં છીએ, જેમણે સારી રીતે જાણ્યું છે અને બાપ ને યાદ કરી રહ્યાં છે. યાદની સાથે તકદીર નું કનેક્શન (સંબંધ) છે. જન્મ લીધો છે - તો બાપ ની યાદ પણ હોવી જોઈએ. જેટલું યાદ કરશે એટલી તકદીર ઉંચી રહેશે. કેટલી સહજ વાત છે. સેકન્ડમાં જીવનમુક્તિ મળી જાય છે. તમે આવ્યાં છો સુખધામ ની તકદીર પ્રાપ્ત કરવાં. હમણાં દરેક પુરુષાર્થ કરી રહ્યાં છે. દરેક પોતાને જોઈ રહ્યાં છે કે અમે કેવી રીતે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. જેવી રીતે મમ્મા-બાબા અને સર્વિસેબલ બાળકો પુરુષાર્થ કરે છે તેમને ફોલો (અનુસરણ) કરવું જોઈએ. બધાને બાપનો પરિચય આપવો જોઈએ. બાપ નો પરિચય આપ્યો તો રચનાનાં આદિ-મધ્ય-અંત નો પણ આવી જશે. ઋષિ-મુનિ વગેરે કોઈ પણ રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ આપી નથી શકતાં. હમણાં તમારી બુદ્ધિમાં આખું ચક્ર સ્મૃતિમાં રહે છે. દુનિયામાં કોઈપણ બાપ અને વારસા ને નથી જાણતું. આપ બાળકો હવે બાપ ને અને પોતાની તકદીર ને જાણો છો. હવે બાપને યાદ કરવાનાં છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે. ઘરબાર પણ સંભાળવાનું છે. કોઈ નિર્બન્ધન છે તો તે સારી સર્વિસ કરી શકે છે. બાળકો કોઈ નથી તો તેમને સર્વિસ કરવાનો સારો ચાન્સ (તક) છે. સ્ત્રી ને પતિ કે બાળકોનું બંધન હોય છે. જો બાળકો નથી તો બંધનમુક્ત થયાં ને. તે જેમકે વાનપ્રસ્થી થઈ ગયાં. પછી મુક્તિધામ માં જવા માટે સંગ જોઈએ. ભક્તિમાર્ગ માં તો સંગ મળે છે - સાધુઓ વગેરે નો, નિવૃત્તિ માર્ગ વાળાઓનો. તે નિવૃત્તિ માર્ગ વાળા પ્રવૃત્તિ માર્ગ નો વારસો અપાવી ન શકે. આપ બાળકો જ અપાવી શકો છો. તમને બાપે રસ્તો બતાવ્યો છે. ભારતની હિસ્ટ્રી-જોગ્રોફી ૮૪ જન્મો ની બેસી સમજાવો. ભારતવાસી જ ૮૪ જન્મ લે છે. એક ની વાત નથી. સૂર્યવંશી તે પછી ચંદ્રવંશી, પછી વૈશ્યવંશી…. કુળમાં આવે છે, નંબરવાર તો હોય છે ને. ભારતનો પહેલો નંબર પ્રિન્સ (રાજકુમાર) છે શ્રીકૃષ્ણ, જેમને ઝૂલામાં ઝુલાવે છે. બીજા નંબરને ઝુલાવતા જ નથી કારણ કે કળા ઓછી થઈ ગઈ. જે પહેલો નંબર છે, પૂજા એની થાય છે. મનુષ્ય સમજતાં નથી કે કૃષ્ણ એક છે કે બે-ત્રણ છે. કૃષ્ણની ડિનાયસ્ટી (વંશજ) ચાલે છે, આ કોઈને પણ ખબર નથી. પૂજા ફક્ત નંબરવન ની થાય છે. માર્ક્સ (ગુણાંક) તો નંબરવાર જ મળે છે. તો પુરુષાર્થ કરવો જોઈએ કે કેમ નહીં અમે પહેલાં નંબર માં આવીએ. મમ્મા-બાબા ને ફોલો કરીએ, તેમની રાજધાની લઈએ. જે સારી સર્વિસ કરશે તે સારા મહારાજા નાં ઘરમાં જન્મ લેશે. ત્યાં તો છે જ મહારાજા-મહારાણી. તે સમયે કોઈ રાજા-રાણી નું ટાઈટલ (પદ) નથી હોતું. તે પછી શરું થાય છે. દ્વાપર થી જ્યારે પતિત બને છે તો તેમાં મોટી પ્રોપર્ટી (મિલકત) વાળા ને રાજા કહેવાય છે. પછી મહારાજા નું લકબ ઓછું થઈ જાય છે, પ્રાયઃલોપ થઈ જાય છે. પછી જ્યારે ભક્તિમાર્ગ હોય છે તો ગરીબ સાહૂકાર માં ફરક તો રહે છે ને. હવે આપ બાળકો જ શિવબાબા ને યાદ કરો છો અને એમનાથી વારસો લઈ રહ્યાં છો. બીજા સતસંગો માં મનુષ્ય બેસી કથા સાંભળાવે છે, મનુષ્ય, મનુષ્ય ને ભક્તિ શીખવાડે છે. તે જ્ઞાન આપીને સદ્દગતિ નથી કરી શકતાં. વેદ, શાસ્ત્ર વગેરે બધાંં છે ભક્તિમાર્ગ નાં. સદ્દગતિ તો જ્ઞાન થી થાય છે. પુનર્જન્મ ને પણ માને છે. વચમાં તો કોઈ પણ પાછું જઈ નથી શકતું. અંતમાં જ બાપ આવીને બધાને લઈ જાય છે. આટલી બધી આત્માઓ ક્યાં જઈને રહશે? બધાંં ધર્મ વાળાનાં વિભાગ તો અલગ-અલગ છે ને. તો આ પણ સમજાવવાનું છે. આ કોઈને ખબર નથી કે આત્માઓનું પણ ઝાડ છે. આપ બાળકોની બુદ્ધિમાં આખાં ઝાડનું જ્ઞાન રહે છે. આત્માઓનું ઝાડ પણ છે, જીવાત્માઓનું પણ ઝાડ છે. બાળકો જાણે છે કે અમે આ જૂનું શરીર છોડીને ઘરે જઈ રહ્યાં છીએ. "હું આત્મા” આ શરીર થી અલગ છું - આ સમજવું એટલે જીવતે જીવ મરવું. આપ મુયે મર ગઈ દુનિયા. મિત્ર, સંબંધી વગેરે બધાને છોડી દીધાં. પહેલાં પૂરી શિક્ષા લઈને, પદનાં અધિકારી બની પછી જવાનું છે. બાપ ને યાદ કરવાં તો ખૂબ સહજ છે. ભલે કોઈ બીમાર હોય, તેમને પણ કહેતાં રહેવું જોઈએ કે શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જે પાક્કા યોગી છે તેમનાં માટે જલ્દી મરવાનું (શરીર છોડવાનું) પણ સારું નથી કારણ કે તે યોગમાં રહીને રુહાની સેવા કરે છે. મરી જશે તો સેવા કરી નહીં શકે. સેવા કરવાથી પોતાનું ઉંચ પદ બનાવતા રહેશે બીજા ભાઈ-બહેનો ની સેવા પણ થશે. તે પણ બાપ થી વરસો પામી લેશે. આપણે પરસ્પર ભાઈ-ભાઈ છીએ, એક બાપ નાં બાળકો છીએ.
બાપ કહે છે - મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પહેલાં પણ આવું કહ્યું હતું. કોઈને પણ સમજાવી શકો છો, બહેન જી અથવા ભાઈ જી, તમારી આત્મા તમોપ્રધાન બની ગઈ છે. જે સતોપ્રધાન હતી હવે ફરી તમોપ્રધાન થી સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયાના ચાલવાનું છે. આત્મા ને સતોપ્રધાન બનાવવાની છે યાદની યાત્રા થી. યાદનો પૂરો ચાર્ટ રાખવો જોઈએ. જ્ઞાનનો ચાર્ટ નહીં રાખી શકાય. બાપ તો જ્ઞાન આપતાં રહે છે. તપાસ રાખવાની છે કે અમારી ઉપર જે વિકર્મો નો બોજો છે, તે કેવી રીતે ઉતરે એટલે યાદનો ચાર્ટ રખાય છે. અમે કેટલાં કલાક યાદ કર્યા? મૂળવતન ને પણ યાદ કરે છે પછી નવી દુનિયાને પણ યાદ કરે છે. ઉથલ-પાથલ થવાની છે. તેની પણ તૈયારી થઈ રહી છે. બોમ્બસ વગેરે પણ બનતા જશે. એક તરફ કહે છે કે અમે એવાં-એવાં મોતનાં માટે સામાન બનાવી રહ્યાં છીએ. બીજી તરફ કહેશે મોતનો સામાન નહીં બનાવો. સમુદ્રની નીચે પણ મારવાનો સામાન રાખ્યો છે, ઉપર આવીને બોમ્બસ છોડી પછી સમુદ્રમાં ચાલ્યાં જશે. એવી-એવી વસ્તુઓ બનાવતાં રહે છે. આ પોતાનાં જ વિનાશ માટે કરી રહ્યાં છે. મોત સામે ઉભું છે. આટલાં મોટા-મોટા મહેલ બનાવી રહ્યાં છે. તમે જાણો છો આ બધાંં માટીમાં મળી જશે. કિનકી દબી રહી ધૂલ મેં….. લડાઈ જરુર થશે. કોશિશ કરી પાકીટ બધાનાં ખાલી કરશે. ચોર પણ કેટલાં ઘૂસી જાય છે. લડાઈ પર કેટલાં ખર્ચા કરે છે. આ બધું માટીમાં મળી જવાનું છે. મકાન વગેરે બધું પડશે. બોમ્બસ વગેરે પડવાથી સૃષ્ટિનાં 3 ભાગ ખલાસ થઈ જાય છે. બાકી એક ભાગ બચી જાય છે. ભારત એક ભાગમાં છે ને. બાકી તો બધાંં પછી આવેલાં છે. હવે ભારતનો જ ભાગ બચશે. મોત તો બધાનું થવાનું જ છે તો કેમ નહીં આપણે બાપ થી પૂરો વારસો લઈ લઈએ એટલે બાપ કહે છે કે લૌકિક સંબંધીઓથી પણ તોડ નિભાવવાનો છે. બાકી બંધન નથી તો બાબા સલાહ આપશે કે કેમ નથી સર્વિસ પર લાગતાં. સ્વતંત્ર છો તો અનેકોઓનું ભલું કરી શકો છો. સારું ક્યાંય બહાર ન જાઓ તો પોતાનાં મિત્ર-સંબંધીઓ પર જ રહેમ કરવો જોઈએ. પહેલાં કહેતા હતાં ને કે બાબા રહેમ કરો. હવે તો તમને રસ્તો મળ્યો છે તો બીજા ઉપર પણ રહેમ કરવો જોઈએ, જેમ બાપ રહેમ કરે છે. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. સંન્યાસી લોકો તો હઠયોગ વગેરે ની કેટલી મહેનત કરે છે. અહીંયા તો તેવું કંઈ નથી. ફક્ત યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે, આમાં કોઈ તકલીફ નથી. ફક્ત યાદની યાત્રાની વાત છે. ઉઠો, બેસો, કર્મેન્દ્રિયો થી ભલે કર્મ પણ કરો, ફક્ત બુદ્ધિનો યોગ બાપ થી લગાવો. સાચ્ચા-સાચ્ચા આશિક બનવાનું છે એ માશૂક નાં. સ્વયં કહે છે હેં આશિકો, હેં બાળકો! ભક્તિમાર્ગમાં તો ખૂબ યાદ કર્યા. પરંતુ હવે મુજ માશૂક ને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. હું ગેરેન્ટી (ખાતરી) કરું છું. કોઈ-કોઈ વાત શાસ્ત્રોમાં આવી ગઈ છે. ભગવાન દ્વારા ગીતા સાંભળવાથી તમે જીવનમુક્તિ પામો છો. મનુષ્ય દ્વારા ગીતા સાંભળવાથી જીવનબંધ માં આવી ગયાં છો, સીડી ઉતરતા આવ્યાં છો. દરેક વાતમાં વિચાર સાગર મંથન કરવાનું છે. પોતાની બુદ્ધિ ચલાવવાની છે. આ બુદ્ધિની યાત્રા છે. જેનાથી વિકર્મ વિનાશ થશે. વેદ, શાસ્ત્ર, યજ્ઞ, તપ વગેરે કરવાથી પાપ નાશ નહીં થશે. નીચે જ ઉતરતાં આવ્યાં. હવે તમારે ઉપર જવાનું છે. ફક્ત સીડી થી કોઈ સમજી નહીં શકે, જ્યાં સુધી તેનાં પર કોઈ સમજાવે નહીં. જેવી રીતે નાનાં બાળકોને ચિત્ર દેખાડી શિખવાડવું પડે છે - આ હાથી છે. જ્યારે હાથી જોશે તો ચિત્ર પણ યાદ આવશે. જેવી રીતે તમારી બુદ્ધિમાં આવી ગયું છે. ચિત્રમાં હંમેશા નાની વસ્તુ દેખાડાય છે. તમે જાણો છો કે વૈકુંઠ તો મોટું હશે ને. મોટી રાજધાની હશે. ત્યાં હીરા ઝવેરાત નાં મહેલ હોય છે, તે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. બધી વસ્તુ ગાયબ થઈ જાય છે. નહીં તો આ ભારત ગરીબ કેવી રીતે બન્યું? સાહૂકાર થી ગરીબ, ગરીબ થી સહૂકાર બનવાનું છે. આ ડ્રામા બન્યો-બનેલ છે, એટલે સીડી પર સમજાવાય છે, નવાં-નવાં આવે છે તો તેમને સમજાવવા થી પ્રેક્ટિસ થશે, મુખ ખુલી જશે. સર્વિસ લાયક બાળકોને બનાવાય છે. ઘણાં સેવાકેન્દ્રો પર તો ઘણાં બાળકો અશાંતિ ફેલાવતાં રહે છે. બુદ્ધિયોગ બહાર ભટકે છે તો નુકસાન કરી દે છે. વાયુમંડળ ખરાબ કરી દે છે. નંબરવાર તો છે ને. પછી બાપ કહેશે તમે ભણ્યાં નહીં તો આ હાલત પોતાની જુઓ. દિવસ-પ્રતિદિવસ વધારે સાક્ષાત્કાર થતાં રહેશે. પાપ કરવા વાળાઓને સજાઓ પણ મળતી રહેશે. પછી કહેશે - નાહેક અમે પાપ કર્યા. બાપને સંભળાવીને પ્રાશ્ચિત કરવાથી કંઈક ઓછું થઈ શકે છે. નહીં તો વૃદ્ધિ થતી રહેશે. એવું થતું રહે છે. સ્વયં પણ મહેસૂસ કરશે પરંતુ પછી કહેશે શું કરીએ - અમારી આ આદત મટતી નથી, આનાથી તો ઘરે જઈને રહો. કોઈ તો સારી સર્વિસ કરે છે. કોઈ ડીસ-સર્વિસ પણ કરે છે. આપણી સેનામાં કોણ-કોણ બહાદુર છે, આ બાપ બેસી નામ બતાવે છે. બાકી લડાઈ વગેરેની અહીંયા વાત નથી. આ છે બેહદની વાતો. સારા બાળકો હશે તો બાપ જરુર મહિમા પણ કરશે. બાળકોએ ખૂબ રહેમદિલ, કલ્યાણકારી બનવાનું છે. આંધળાઓની લાઠી બનવાનું છે. બધાંને રસ્તો બતાવવાનો છે કે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પાપ આત્મા અને પુણ્ય આત્મા કહે છે ને. એવું થોડી કે અંદર પરમાત્મા છે કે આત્મા કોઈ પરમાત્મા બની જાય છે. આ બધું ખોટું છે. પરમાત્મા પર થોડી પાપ લાગે છે. એમનો તો ડ્રામામાં પાર્ટ છે સર્વિસ કરવાનો. મનુષ્ય જે પાપાત્મા, પુણ્યાત્મા બને છે. જે સતોપ્રધાન હતાં, તે જ તમોપ્રધાન બને છે. તેમનાં તનમાં બાપ બેસી સતોપ્રધાન બનાવે છે તો એમની મત પર ચાલવું પડે ને.
હવે બાપે આપ બાળકોને વિશાળ બુદ્ધિ બનાવ્યાં છે. હવે તમે જાણો છો કે રાજધાની કેવી રીતે સ્થાપન થઈ રહી છે. બાપ જ બ્રહ્મા તન માં આવીને બ્રહ્મા મુખ વંશાવલી બાળકોને રાજયોગ શીખવાડી દેવી-દેવતા બનાવે છે. પછી પુનર્જન્મ લઈ સીડી ઉતરે છે. હવે ફરી બધું રિપીટ કરવાનું છે. બાપ ફરી બ્રહ્મા દ્વારા સ્થાપન કરાવી રહ્યાં છે. યોગબળ થી તમે ૫ વિકારો પર જીત પામીને જગતજીત બનો છો. બાકી લડાઈ વગેરેની કોઈ વાત નથી. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બંધનમુક્ત બની બાપની સર્વિસ માં લાગી જવાનું છે, ત્યારે જ ઉંચી તકદીર બનશે. રહેમદિલ બની અનેકો ને રસ્તો બતાવવાનો છે. આંધળાઓની લાઠી બનવાનું છે.
- આ શરીર થી મમત્વ નીકાળી જીવતે જીવ મરવાનું છે, કારણ કે હવે પાછું ઘરે જવાનું છે. બીમારીમાં પણ એક બાપની યાદ રહે તો વિકર્મ વિનાશ થઇ જશે.