27-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારો
સ્વધર્મ શાંત છે , સાચ્ચી શાંતિ શાંતિધામ માં મળી શકે છે , આ વાત બધાને સંભળાવવાની
છે , સ્વધર્મ માં રહેવાનું છે”
પ્રશ્ન :-
કયું નોલેજ એક
બાપ ની પાસે છે જે હમણાં જ તમે ભણો છો?
ઉત્તર :-
પાપ અને પુણ્યનું નોલેજ. ભારતવાસી જ્યારે બાપ ને ગાળ આપવા લાગે છે, ત્યારે પાપ આત્મા
બને અને જ્યારે બાપ ને અને ડ્રામા ને જાણી લે છે, ત્યારે પુણ્ય આત્મા બની જાય છે. આ
ભણતર આપ બાળકો હમણાં જ ભણો છો. તમે જાણો છો બધાને સદ્દગતિ આપવાવાળા એક જ બાપ છે.
મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ અર્થાત્ મુક્તિ-જીવનમુક્તિ આપી ન શકે.
ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…
ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો
ને સમજાવે છે કે આ છે પાપ આત્માઓની દુનિયા અથવા ભારતને જ કહેશું કે ભારત પુણ્ય
આત્માઓની દુનિયા હતી, જ્યાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. આ ભારત સુખધામ હતું બીજો
કોઈ ખંડ નહોતો, એક જ ભારત હતું. ચેન અથવા સુખ એ સતયુગ માં હતું જેને સ્વર્ગ કહે છે.
આ છે નર્ક. ભારત જ સ્વર્ગ હતું, હવે નર્ક બન્યું છે. નર્ક માં ચેન અથવા સુખ-શાંતિ
ક્યાંથી આવે? કળયુગ ને નર્ક કહેવાય છે. કળયુગ અંત ને વધારે જ રૌરવ નર્ક કહેવાય છે.
દુઃખધામ કહેવાય છે. ભારત જ સુખધામ હતું, જ્યારે આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું.
ભારતવાસીઓ નો ગૃહસ્થ-ધર્મ પવિત્ર હતો. પ્યોરિટી (પવિત્રતા) પણ હતી, સુખ-શાંતિ પણ હતી,
સંપત્તિ પણ હતી. હવે એ જ ભારત પતિત બન્યું છે, બધાં વિકારી બન્યાં છે. આ છે દુઃખધામ.
ભારત સુખધામ હતું. અને જ્યાં આપણે આત્માઓ નિવાસ કરીએ છીએ - તે છે શાંતિધામ. શાંતિ
ત્યાં શાંતિધામ માં જ મળી શકે છે. આત્મા શાંત ત્યાંજ રહી શકે છે, જેને સ્વીટ હોમ
નિરાકારી દુનિયા કહેવાય છે. તે છે આત્માઓનું ઘર. ત્યાં જ્યારે રહે છે તો આત્મા શાંતિ
માં છે. બાકી શાંતિ કોઈ જંગલ વગેરે માં જવાથી નથી મળતી. શાંતિધામ તો તે જ છે.
સતયુગમાં સુખ પણ છે, શાંતિ પણ છે. અહીંયા દુઃખધામ માં શાંતિ હોઈ ન શકે. શાંતિધામ
માં મળી શકે છે. સુખધામ માં પણ કર્મ હોય છે, શરીર થી પાર્ટ ભજવવાનો હોય છે. આ
દુઃખધામ માં એક પણ મનુષ્ય નથી, જેમને સુખ-શાંતિ હોય. આ છે ભ્રષ્ટાચારી પતિત ધામ,
ત્યારે તો પતિત-પાવન ને બોલાવે છે. પરંતુ એ બાપ ને કોઈ જાણતાં નથી એટલે નિધન બની ગયાં
છે. ઓરફન (અનાથ) હોવાનાં કારણે પરસ્પર માં લડે-ઝઘડે છે. કેટલી દુઃખ-અશાંતિ,
મારા-મારી છે. આ છે જ રાવણ રાજ્ય. રામરાજ્ય માંગે છે. રાવણ રાજ્ય માં ન સુખ છે, ન
શાંતિ છે. રામ રાજ્ય માં સુખ-શાંતિ બંને હતાં. પરસ્પર ક્યારેય લડતા-ઝઘડતા નહોતાં,
ત્યાં ૫ વિકાર હોતાં જ નથી. અહીંયા ૫ વિકાર છે. પહેલું છે દેહ-અભિમાન મુખ્ય. પછી
કામ, ક્રોધ. ભારત જ્યારે સ્વર્ગ હતું તો આ વિકાર નહોતાં. ત્યાં દેહી-અભિમાની હતાં.
હવે બધાં મનુષ્ય દેહ-અભિમાની છે. દેવતાઓ હતાં દેહી-અભિમાની. દેહ-અભિમાન વાળા મનુષ્ય
ક્યારેય કોઈને સુખ ન આપી શકે, એક બીજાને દુઃખ જ આપે છે. એવું નહીં સમજો - કોઈ લખપતિ,
કરોડપતિ, પદમપતિ છે તો સુખી છે. ના, આ તો બધો છે માયાનો ભભકો. માયા નું રાજ્ય છે.
હવે તેનાં વિનાશ માટે આ મહાભારત લડાઈ સામે ઉભી છે. આનાં પછી ફરી સ્વર્ગનાં દ્વાર
ખુલવાનાં છે. અડધાકલ્પ પછી ફરી નર્કનાં દ્વાર ખૂલે છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી.
ભારતવાસી કહે છે જ્યારે ભક્તિ કરીશું ત્યારે ભગવાન મળશે. બાબા કહે છે જ્યારે ભક્તિ
કરતાં-કરતાં બિલકુલ નીચે આવી જાય છે, ત્યારે મારે આવવું પડે છે - સ્વર્ગની સ્થાપના
કરવા અર્થાત્ ભારત ને સ્વર્ગ બનાવવાં. ભારત જે સ્વર્ગ હતું, તે નર્ક કેવી રીતે બન્યું?
રાવણએ બનાવ્યું. ગીતાનાં ભગવાન થી તમને રાજ્ય મળ્યું, ૨૧ જન્મ સ્વર્ગમાં રાજ્ય કર્યું.
ફરી ભારત દ્વાપર થી કળયુગ માં આવી ગયું અર્થાત્ ઉતરતી કળા થઈ ગઈ એટલે બધાં પોકારતાં
રહે છે - હેં પતિત-પાવન આવો. પતિત મનુષ્ય ને સુખ-શાંતિ પતિત દુનિયામાં મળી જ નથી
શકતી. કેટલું દુઃખ ઉઠાવે છે. આજે પૈસા ચોરી થયાં, આજે દેવાળું માર્યું, આજે રોગી થયાં.
દુઃખ જ દુઃખ છે ને. હમણાં તમે સુખ-શાંતિ નો વારસો પામવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો,
બાપ થી સ્વર્ગનો વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. સદા સુખી બનાવવા વાળા એક જ
બાપ છે. સદા દુઃખી બનાવવા વાળો રાવણ છે. આ વાતો ભારતવાસી નથી જાણતાં. સતયુગમાં
દુઃખની વાતો હોતી નથી. ક્યારેય રડવું નથી પડતું. સદૈવ સુખ જ સુખ છે. ત્યાં
દેહ-અભિમાન અથવા કામ, ક્રોધ વગેરે હોતું નથી. જ્યાં સુધી ૫ વિકારોનું દાન ન આપે ત્યાં
સુધી દુઃખ નું ગ્રહણ છૂટી નથી શકતું. કહે છે ને, દે દાન તો છૂટે ગ્રહણ. આ સમયે આખાં
ભારત ને ૫ વિકારોનું ગ્રહણ લાગેલું છે. જ્યાં સુધી આ ૫ વિકારોનું દાન ન આપો ત્યાં
સુધી ૧૬ કળા સંપૂર્ણ દેવતા બની ન શકો. બાપ સર્વનાં સદ્દગતિ દાતા છે. કહે છે ગુરુ
વગર ગતિ નથી. પરંતુ ગતિ નો પણ અર્થ સમજતાં નથી. મનુષ્યની ગતિ-સદ્દગતિ એટલે
મુક્તિ-જીવનમુક્તિ. તે તો બાપ જ આપી શકે છે. આ સમયે સર્વ ની સદ્દગતિ થવાની છે.
દિલ્લી ને કહે છે નવી
દિલ્લી, જૂની દિલ્લી. પરંતુ હવે નવી તો છે નહીં. નવી દુનિયામાં નવી દિલ્લી હોય છે.
જૂની દુનિયામાં જૂની દિલ્લી હોય છે. બરાબર જમુનાનો કિનારો હતો, દિલ્લી પરિસ્તાન હતું.
સતયુગ હતું ને. દેવી-દેવતાઓ રાજ્ય કરતાં હતાં. હમણાં તો જૂની દુનિયામાં જૂની દિલ્લી
છે. નવી દુનિયામાં તો આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. ભારતવાસી આ ભૂલી ગયાંં છે.
નવું ભારત, નવી દિલ્લી હતી તો એમનું રાજ્ય હતું બીજો કોઈ ખંડ જ નહોતો. આ કોઈ પણ નથી
જાણતું. ગવર્મેન્ટ આ ભણાવતી નથી. જાણે છે કે આ તો અધુરી હિસ્ટ્રી છે. જ્યાર થી
ઈસ્લામી, બૌદ્ધી આવ્યાં છે. લક્ષ્મી-નારાયણ નાં રાજ્યની કોઈને ખબર નથી. આ બાપ જ બેસી
સમજાવે છે કે આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. જ્યારે ભારત સ્વર્ગ હતું તો
ગોલ્ડન એજ (સતોપ્રધાન) હતું. હવે તે જ ભારત જુઓ શું બની ગયું છે. પછી ભારત ને હીરા
જેવું કોણ બનાવે? બાપ કહે છે જ્યારે તમે બહુજ પાપ આત્માઓ બની જાઓ છો ત્યારે હું આવું
છું પુણ્ય આત્મા બનાવવાં. આ ડ્રામા બનેલો છે, જેને કોઈ પણ નથી જાણતું. આ નોલેજ
સિવાય બાપનાં કોઈ આપી ન શકે. નોલેજફુલ બાપ જ છે, એ આવી ને ભણાવે છે. મનુષ્ય, મનુષ્ય
ને ક્યારેય સદ્દગતિ આપી ન શકે. જયારે દેવી દેવતા હતાં તો બધાં એકબીજાને સુખ આપતાં
હતાં. કોઈ પણ બીમાર, રોગી નહોતાં. અહીંયા તો બધાં રોગી છે. હવે બાપ આવ્યાં છે ફરીથી
સ્વર્ગ બનાવવાં. બાપ સ્વર્ગ બનાવે છે, રાવણ નર્ક બનાવે છે. આ રમત છે જેને કોઇ પણ નથી
જાણતું. શાસ્ત્રોનું જ્ઞાન છે ફિલોસોફી, ભક્તિમાર્ગ. તે કોઈ સદ્દગતિ માર્ગ નથી. આ
કોઈ શાસ્ત્રોની ફિલોસોફી નથી. બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતાં. અહીંયા છે સ્પ્રિચુઅલ
નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). બાપને સ્પ્રિચુઅલ ફાધર કહેવાય છે. એ છે આત્માઓનાં બાપ.
બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિનું બીજરુપ છું એટલે નોલેજફુલ છું. આ મનુષ્ય સૃષ્ટિરુપી
ઝાડની આયુ કેટલી છે. કેવી રીતે વૃદ્ધિને પામે છે, પછી કેવી રીતે ભક્તિમાર્ગ શરું
થાય છે, આ હું જાણું છું. આપ બાળકોને આ નોલેજ આપી સ્વર્ગનાં માલિક બનાવું છું પછી
તમે માલિક બની જાઓ છો. આ નોલેજ તમને એક જ વાર મળે છે પછી ગુમ થઈ જાય છે પછી સતયુગ
ત્રેતા માં આ નોલેજ ની દરકાર નથી રહેતી. આ નોલેજ ફક્ત આપ બ્રાહ્મણોને જ છે. દેવતાઓમાં
આ નોલેજ નથી. તો પરંપરા થી આ નોલેજ આવી ન શકે. આ ફક્ત આપ બાળકોને એક જ વાર મળે છે,
જેનાથી તમે જીવનમુક્ત બની જાઓ છો. બાપ થી વારસો પામો છો. તમારી પાસે ઘણાં આવે છે,
બોલે છે મનની શાંતિ કેવી રીતે મળે. પરંતુ આ કહેવું ભૂલ છે. મન-બુદ્ધિ આત્મા નાં
ઓરગન્સ (અવયવો) છે, જેવી રીતે શરીરનાં ઓરગન્સ છે. આત્માને પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ
બાપ જ આવીને બનાવે છે - જે સતયુગ ત્રેતા સુધી ચાલે છે. પછી પથ્થરબુદ્ધિ બની જાય છે.
હવે ફરી તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. તમારી પારસબુદ્ધિ જે હતી તેમાં ખાદ
મળતી ગઈ છે. હવે ફરી પારસબુદ્ધિ કેવી રીતે થાઓ? બાપ કહે છે, હેં આત્મા મને યાદ કરો.
યાદની યાત્રા થી તમે પવિત્ર બનશો અને મારી પાસે આવી જશો. બાકી જે કહે છે મનની શાંતિ
કેવી રીતે મળે? તેમને બતાવો કે અહીંયા શાંતિ કેવી રીતે હોઈ શકે? આ છે જ દુઃખધામ
કારણ કે વિકારોની પ્રવેશતા છે. આ તો બેહદનાં બાપ થી જ વારસો મળી શકે છે. પછી રાવણ
નો સાથ મળવાથી પતિત બની જાઓ છો પછી બાપ દ્વારા પાવન બનવામાં સેકન્ડ લાગે છે. હમણાં
તમે આવ્યાં છો બાપ થી જીવનમુક્તિ નો વારસો લેવાં. બાપ જીવનમુક્તિ નો વારસો આપે છે
અને રાવણ જીવનબંધન નો શ્રાપ આપે છે એટલે દુઃખ જ દુઃખ છે. ડ્રામા ને પણ જાણવાનું છે.
દુઃખધામ માં કોઈને સુખ-શાંતિ મળી ન શકે. શાંતિ તો આપણો આત્માઓનો સ્વધર્મ છે,
શાંતિધામ આત્માનું ઘર છે. આત્મા કહે છે - મારો સ્વધર્મ શાંત છે. આ (શરીર) વાજું નથી
વાગતું, બેસી જાય છે. પરંતુ ક્યાં સુધી બેસેલા રહીશું. કર્મ તો કરવાનાં જ છે ને.
જ્યાં સુધી મનુષ્ય ડ્રામાને નથી સમજતા ત્યાં સુધી દુઃખી રહે છે. બાપ કહે છે, હું
છું જ ગરીબ નિવાજ. અહીંયા ગરીબ જ આવશે. સાહૂકારોને માટે તો સ્વર્ગ અહિયાં છે. તેમની
તકદીરમાં સ્વર્ગનાં સુખ છે નહીં. બાપ કહે છે હું ગરીબ નિવાઝ છું. સાહૂકારો ને ગરીબ
અને ગરીબોને સાહૂકાર બનાવું છું. સાહૂકાર આટલું ઉંચ પદ પામી નથી શકતાં કારણ કે
અહીંયા સાહૂકારો ને નશો છે. હાં પ્રજામાં આવી જશે. સ્વર્ગ માં તો જરુર આવશે. પરંતુ
ઉંચ પદ ગરીબ પામે છે. ગરીબ સાહૂકાર બની જાય છે. તેમને દેહ-અભિમાન છે ને કે અમે
ધનવાન છીએ. પરંતુ બાબા કહે - આ ધન-માલ બધું માટીમાં મળી જવાનું છે. વિનાશ થઈ જવાનો
છે, દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. આ સમયે બધાં દેહ-અભિમાની છે. હવે તમારે
દેહી-અભિમાની બનવાનું છે. આત્મા કહે છે અમે ૮૪ જન્મ પૂરા કર્યા. નાટક પૂરું થાય છે,
હવે પાછા જવાનું છે. હમણાં કળયુગ નો અંત, સતયુગ નો આદિ નો સંગમ છે. બાપ કહે છે,
દરેક ૫ હજાર વર્ષ પછી આવું છું, ભારત ને ફરીથી હીરા જેવું બનાવવાં. આ
હિસ્ટ્રી-જોગ્રોફી બાપ જ બતાવી શકે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી
જીવનમુક્તિ નો વારસો લેવા માટે પાવન જરુર બનવાનું છે. ડ્રામાનાં નોલેજ ને બુદ્ધિમાં
રાખી દુઃખધામ માં રહેતાં પણ દુઃખો થી મુક્ત થવાનું છે.
2. ધન-માલ કે સાહૂકારી
નો નશો છોડી દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
મહાન્ અને
મહેમાન - આ બે સ્મૃતિઓ દ્વારા સર્વ આકર્ષણો થી મુક્ત બનવા વાળા ઉપરામ અને સાક્ષી ભવ
ઉપરામ કે સાક્ષીપણા
ની અવસ્થા બનાવવા માટે બે વાતો ધ્યાન પર રહે - એક તો હું આત્મા મહાન્ આત્મા છું,
બીજું હું આત્મા હવે આ જૂની સૃષ્ટિમાં કે આ જૂના શરીર માં મહેમાન છું. આ સ્મૃતિમાં
રહેવાથી સ્વતઃ અને સહજ જ સર્વ કમજોરીઓ કે લગાવ નું આકર્ષણ સમાપ્ત થઈ જશે. મહાન્
સમજવાથી જે સાધારણ કર્મ કે સંકલ્પ સંસ્કારો નાં વશ ચાલે છે, તે પરિવર્તિત થઇ જશે.
મહાન્ અને મહેમાન સમજીને ચાલવાથી મહિમા યોગ્ય પણ બની જશો.
સ્લોગન :-
સર્વ ની શુભ
ભાવના અને સહયોગ નાં ટીપાં થી મોટું કાર્ય પણ સહજ થઈ જાય છે.