18.04.2021 પ્રાતઃમુરલી ઓમ શાંતિ "અવ્યક્ત-બાપદાદા” રીવાઈઝ ૧૪-૧૨-૮૭ મધુબન


" સંગમયુગી બ્રાહ્મણ જીવનની ત્રણ વિશેષતાઓ”

આજે બાપદાદા પોતાનાં સર્વ, સદા સાથે રહેવા વાળા, સદા સહયોગી બની, સેવાનાં સાથી બની સેવા કરવા વાળા અને સાથે ચાલવા વાળા શ્રેષ્ઠ બાળકો ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. સાથે રહેવા વાળા અર્થાત્ સહજ સ્વત: યોગી આત્માઓ. સદા સેવામાં સહયોગી સાથી બની ચાલવા વાળા અર્થાત્ જ્ઞાની તૂ આત્માઓ, સાચાં સેવાધારી. સાથે ચાલવા વાળા અર્થાત્ સમાન અને સંપન્ન કર્માતીત આત્માઓ. બાપદાદા બધાં બાળકોમાં આ ત્રણેય વિશેષતાઓ જોઈ રહ્યાં છે કે ત્રણેય વાતોમાં ક્યાં સુધી સંપૂર્ણ બન્યાં છે? સંગમયુગનાં શ્રેષ્ઠ બ્રાહ્મણ જીવન ની વિશેષતાઓ આ ત્રણેય આવશ્યક છે. યોગી તૂ આત્મા, જ્ઞાની તૂ આત્મા અને બાપ સમાન કર્માતીત આત્મા - આ ત્રણે માંથી જો એક પણ વિશેષતામાં કમી છે તો બ્રાહ્મણ જીવનની વિશેષતાઓનાં અનુભવી ન બનવું અર્થાત્ સંપૂર્ણ બ્રાહ્મણ જીવનનું સુખ કે પ્રાપ્તિઓથી વંચિત રહેવું છે કારણ કે બાપદાદા બધાં બાળકોને સંપૂર્ણ વરદાન આપે છે. એવું નથી કે યથાશક્તિ યોગી ભવ કે યથાશક્તિ જ્ઞાની તૂ આત્મા ભવ - એવું વરદાન નથી આપતાં સાથે-સાથે સંગમયુગ જે આખાં કલ્પમાં વિશેષ યુગ છે, આ યુગ અર્થાત્ સમયને પણ વરદાની સમય કહેવાય છે કારણ કે વરદાતા બાપ વરદાન વહેંચવા આ સમયે જ આવે છે. વરદાતા નાં આવવાનાં કારણે સમય પણ વરદાની થઈ ગયો. આ સમય ને આ વરદાન છે. સર્વ પ્રાપ્તિઓમાં પણ સંપૂર્ણ પ્રાપ્તિઓનો આ જ સમય છે. સંપૂર્ણ સ્થિતિ ને પ્રાપ્ત કરવાનો પણ આ જ વરદાની સમય છે. અને આખાં કલ્પ માં કર્મ અનુસાર પ્રાલબ્ધ પ્રાપ્ત કરે છે અથવા જેવું કર્મ તેવું ફળ સ્વતઃ પ્રાપ્ત થતું રહે છે પરંતુ આ વરદાની સમય પર એક કદમ તમારું કર્મ અને પદમ ગુણા બાપ દ્વારા મદદ નાં રુપમાં સહજ પ્રાપ્ત થાય છે. સતયુગમાં એક નું પદમ ગુણા પ્રાપ્ત નથી થતું પરંતુ હમણાં પ્રાપ્ત થયેલ પ્રાલબ્ધ નાં રુપમાં ભોગવવાનાં અધિકારી બનો છો. ફક્ત જમા કરેલું ખાતાં નીચે આવતા જાઓ છો. કળા ઓછી થતી જાય છે. એક યુગ પૂરો થવાથી કળા પણ ૧૬ કળા થી ૧૪ થઈ જાય છે ને. પરંતુ સંપૂર્ણ પ્રાપ્તિ કયા સમયની જે ૧૬ કળા સંપૂર્ણ બન્યાં? તે પ્રાપ્તિનો સમય આ સંગમયુગ નો છે. આ સમયમાં બાપ ખુલ્લા દિલ થી સર્વ પ્રાપ્તિઓનાં ભંડાર વરદાન નાં રુપમાં, વારસા નાં રુપમાં અને ભણતર નાં ફળસ્વરુપ પ્રાપ્તિ નાં રુપમાં ત્રણેય સંબંધ થી ત્રણ રુપમાં વિશેષ ખુલ્લા ભંડાર, ભરપૂર ભંડાર બાળકોની આગળ રાખે છે. જેટલું-તેટલું નો હિસાબ નથી રાખતાં, એકનો પદમ ગુણા નો હિસાબ રાખે છે. ફક્ત પોતાનો પુરુષાર્થ કર્યો અને પ્રાલબ્ધ પામ્યાં, એવું નથી કહેતાં. પરંતુ રહેમદિલ બની દાતા બની, વિધાતા બની, સર્વ સંબંધી બની સ્વયં દરેક સેકન્ડ મદદગાર બને છે. એક સેકન્ડ ની હિંમત અને અનેક વર્ષો નાં સમાન મહેનત ની મદદનાં રુપમાં સદા સહયોગી બને છે કારણ કે જાણે છે કે અનેક જન્મોની ભટકેલી નિર્બળ આત્માઓ છે, થાકેલી છે એટલે આટલાં સુધી સહયોગ આપે છે, મદદગાર બને છે. સ્વયં ઓફર કરે છે કે સર્વ પ્રકારનાં બોજ બાપ ને આપી દો. બોજ ઉઠાવવાની ઓફર કરે છે. ભાગ્યવિધાતા બની નોલેજફુલ બનાવી શ્રેષ્ઠ કર્મોનું જ્ઞાન સ્પષ્ટ સમજાવી ભાગ્યની રેખા ખેંચવાની કલમ તમારા હાથમાં આપે છે. ભાગ્યની રેખા જેટલી લાંબી ખેંચવા ઈચ્છો એટલી ખેંચી લો. સર્વ ખુલ્લા ખજાનાઓની ચાવી તમારા હાથમાં આપી છે. અને ચાવી પણ કેટલી સહજ છે. જો માયાના તોફાન આવે પણ છે તો છત્રછાયા બની સદા સેફ (સુરક્ષિત) પણ રાખે છે. જ્યાં છત્રછાયા છે ત્યાં તોફાન શું કરશે. સેવાધારી પણ બનાવે પરંતુ સાથે-સાથે બુદ્ધિવાનો ની બુદ્ધિ બની આત્માઓને ટચ પણ કરે છે જેનાથી નામ બાળકોનું, કામ બાપનું સહજ થઈ જાય છે. આટલાં લાડ અને પ્રેમ થી લાડકા બનાવી પાલના કરે જે સદા અનેક ઝુલામાં ઝુલાવતાં રહે છે. પગ નીચે નથી રાખવાં દેતાં. ક્યારેક ખુશીનાં ઝૂલામાં, ક્યારેક સુખનાં ઝૂલામાં, બાપનાં ગોદી (ખોળા) નાં ઝુલામાં; આનંદ, પ્રેમ, શાંતિ નાં ઝૂલામાં ઝુલતાં રહો. ઝુલવું અર્થાત્ મોજ મનાવવી. આ સર્વ પ્રાપ્તિઓ આ વરદાની સમયની વિશેષતા છે. આ સમયે વરદાતા વિધાતા હોવાનાં કારણે, બાપ અને સર્વ સંબંધ નિભાવવાનાં કારણે બાપ રહેમદિલ છે. એક નું પદમ આપવાની વિધિ આ સમયની છે. અંત માં હિસાબ-કિતાબ ચૂકતું કરવા વાળા પોતાના સાથી થી કામ લેશે. સાથી કોણ છે, જાણો છો ને? પછી આ એક નો પદમ ગુણા નો હિસાબ સમાપ્ત થઈ જશે. હમણાં રહેમદિલ છે, પછી હિસાબ-કિતાબ શરું થશે. આ સમય તો માફ પણ કરી દે છે. કઠોર ભૂલ ને પણ માફ કરી વધારે જ મદદગાર બની આગળ ઉડાવે છે. ફકત દિલ થી મહેસૂસ કરવું અર્થાત્ માફ થવું. જેમ દુનિયા વાળા માફી લે છે, અહીંયા એ રીતે થી માફી નથી લેવાની હોતી. મહેસૂસતા ની વિધિ જ માફી છે. તો દિલ થી મહેસૂસ કરવું, કોઈનાં કહેવાથી કે સમય પર ચલાવવાના લક્ષ થી, આ માફી મંજૂર નથી થતી. કેટલાંક બાળકો ચતુર પણ હોય છે. વાતાવરણ જુવે છે તો કહે છે - હમણાં તો મહેસૂસ કરી લો, માફી લઈ લો, આગળ જોઈશું. પરંતુ બાપ પણ નોલેજફુલ છે, જાણે છે, પછી હસી ને છોડી દે છે પરંતુ માફી મંજૂર નથી કરતાં. વગર વિધિ થી સિદ્ધિ તો નહીં મળશે ને. વિધિ એક કદમ ની છે અને સિદ્ધિ પદમ કદમ જેટલી હશે. પરંતુ એક કદમ ની વિધિ તો યથાર્થ હોવી જોઈએ ને. આ સમય ની વિશેષતા કેટલી છે કે વરદાની સમય કેવી રીતે છે-આ સંભળાવ્યું.

વરદાની સમય પર પણ વરદાન નહિં લેશો તો બીજા કયાં સમયે લેશો? સમય સમાપ્ત થયો અને સમય પ્રમાણે આ સમયની વિશેષતાઓ પણ બધી સમાપ્ત થઈ જશે એટલે જે કરવું છે, જે લેવું છે, જે બનવું છે તે હમણાં વરદાન નાં રુપમાં બાપ ની મદદનાં સમય માં કરી લો, બનાવી લો. પછી આ ડાયમંડ ચાન્સ મળી નહીં શકે. સમયની વિશેષતાઓ તો સાંભળી. સમયની વિશેષતાઓનાં આધાર પર બ્રાહ્મણ જીવનની જે ૩ વિશેષતાઓ બતાવી - એ ત્રણેમાં સંપૂર્ણ બનો. તમારા લોકોનું વિશેષ સ્લોગન પણ આ જ છે - ‘યોગી બનો, પવિત્ર બનો. જ્ઞાની બનો, કર્માતીત બનો’ જ્યારે સાથે જવાનું જ છે તો સદા સાથે રહેવા વાળાની જ સાથે ચાલશો. જે સાથે નથી રહેતાં તે સાથે ચાલશે કેવી રીતે? સમય પર તૈયાર જ નહીં હશે સાથે ચાલવા માટે કારણ કે બાપ સમાન બનવું અર્થાત્ તૈયાર થવાનું છે. સમાનતા જ હાથ અને સાથ છે. નહીં તો શું થશે? આગળ વાળાને જોતાં પાછળ-પાછળ આવતા રહે તો આ સાથી ન થયાં. સાથી તો સાથે ચાલશે. લાંબાકાળ નું સાથે રહેવું, સાથી બની સહયોગી બનવું - આ લાંબાકાળ નાં સંસ્કાર જ સાથી બનાવી સાથે લઈ જશે. હમણાં પણ સાથે નથી રહેતાં, એનાથી સિદ્ધ છે કે દૂર રહે છે. તો દૂર રહેવાનાં સંસ્કાર સાથે ચાલવાનાં સમયે પણ દૂર નો અનુભવ કરાવશે એટલે હમણાથી ત્રણેય વિશેષતાઓ ચેક કરો. સદા સાથ રહો. સદા બાપનાં સાથી બની સેવા કરો. કરાવનહાર બાપ, નિમિત્ત કરનહાર હું છું. તો ક્યારેય પણ સેવા હલચલ માં નહીં લાવશે. જ્યાં એકલા છો તો હું-પણા માં આવો છો, પછી માયા બિલાડી મ્યાઉં-મ્યાઉં કરે છે. તમે મેં-મેં (હું-હું) કરો છો, તે કહે - મેં આવું, મેં આવું. (હું આવું...). માયાને બિલાડી કહો છો ને. તો સાથી બની સેવા કરો. કર્માતીત બનવાની પણ પરિભાષા બહુજ ગુહ્ય છે, તે પછી સંભળાવશે.

આજે ફક્ત આ 3 વાતો ચેક કરજો. અને સમયની વિશેષતાઓ નો લાભ ક્યાં સુધી પ્રાપ્ત કર્યો છે? કારણ કે સમયનું મહત્વ જાણવું અર્થાત્ મહાન્ બનવું. સ્વયં ને જાણવું, બાપ ને જાણવાં - જેટલું આ મહત્વનું છે તેમ સમય ને જાણવો પણ આવશ્યક છે. તો સમજ્યાં, શું કરવાનું છે? બાપદાદા બેસી રીઝલ્ટ સંભળાવે - એનાં પહેલાં પોતાનું રીઝલ્ટ પોતે સ્વયં નીકાળો કારણ કે બાપદાદા એ રીઝલ્ટ એનાઉન્સ કરી દીધું, તો રીઝલ્ટ ને સાંભળી વિચારશો કે હવે તો એનાઉન્સ (જાહેર) થઈ ગયું, હવે શું કરશું, હવે જે છું જેવી છું ઠીક છું એટલે તો પણ બાપદાદા કહે છે - આ ચેક કરો, આ ચેક કરો. આ ઇનડાયરેક્ટ રીઝલ્ટ સંભળાવી રહ્યાં છે કારણ કે પહેલાથી કહેલું છે કે રીઝલ્ટ સંભળાવશે અને સમય પણ આપેલો છે. ક્યારેક ૬ મહિના, ક્યારેક ૧ વર્ષ આપ્યું છે. પછી કોઇ આ પણ વિચારે છે કે ૬ મહિના તો પૂરા થઈ ગયાં, કંઈ સંભળાવ્યું નહીં. પરંતુ કહ્યું ને કે હમણાં તો પણ થોડો સમય રહેમદિલ નો છે, વરદાન નો છે. હમણાં ચિત્રગુપ્ત, ગુપ્ત છે. પછી પ્રત્યક્ષ થશે એટલે તો પણ બાપ ને રહેમ આવે છે - ચલો એક વર્ષ હજું આપી દો, તો પણ બાળકો છે. બાપ ઈચ્છે તો શું નથી કરી શકતાં. બધાની એક-એક વાત એનાઉન્સ કરી શકે છે. કેટલાંક ભોળાનાથ સમજે છે ને. તો ઘણાં બાળકો હમણાં પણ બાપ ને ભોળા બનાવતાં રહે છે. ભોળાનાથ તો છે પરંતુ મહાકાળ પણ છે. હમણાં તે રુપ બાળકોનાં આગળ નથી દેખાડતાં. નહીં તો સામે ઉભા નહીં રહી શકે એટલે જાણવા છતાં પણ ભોળાનાથ બને છે, અજાણ પણ બની જાય છે. પરંતુ શા માટે? બાળકોને સંપૂર્ણ બનાવવા માટે. સમજ્યાં? બાપદાદા આ બધાં દૃશ્યો જોઈ હર્ષાતા રહે છે. શું-શું ખેલ કરે છે - બધાં જોતા રહે છે એટલે બ્રાહ્મણ જીવનની વિશેષતાઓ ને સ્વયં માં ચેક કરો અને સ્વયં ને સંપન્ન બનાવો. અચ્છા!

ચારે બાજુનાં સર્વ યોગી તૂ આત્મા, જ્ઞાની તૂ આત્મા, બાપ સમાન કર્માતીત શ્રેષ્ઠ આત્માઓ ને, સદા સ્વયં નાં, સમયનાં મહત્વ ને જાણી મહાન્ બનવા વાળી મહાન આત્માઓ ને, સદા બાપનાં સર્વ સંબંધો નો, પ્રાપ્તિ નો લાભ લેવા વાળા સમજદાર વિશાળ બુદ્ધિ, સ્વચ્છ બુદ્ધિ, સદા પાવન બાળકો ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.

પાર્ટીઓથી મુલાકાત :- સદા પોતાને સર્વ શક્તિઓથી સંપન્ન માસ્ટર સર્વશક્તિવાન આત્માઓ અનુભવ કરો છો? બાપે સર્વ શક્તિઓનો ખજાનો વારસામાં આપી દીધો. તો સર્વ શક્તિઓ પોતાનો વારસો અર્થાત્ ખજાનો છે. પોતાનો ખજાનો સાથે રહે છે ને. બાપે આપ્યો બાળકો નો થઈ ગયો. તો જે વસ્તુ પોતાની હોય છે તે સ્વત: યાદ રહે છે. તે જે પણ વસ્તુ હોય છે, તે વિનાશી હોય છે અને આ વારસો કે શક્તિઓ અવિનાશી છે. આજે વારસો મળ્યો, કાલે સમાપ્ત થઈ જાય, એવું નથી. આજે ખજાનો છે, કાલે કોઈ બાળી દે, કોઈ લૂંટી લે - એવો ખજાનો નથી, જેટલો ખર્ચો એટલો વધવા વાળો છે. જેટલો જ્ઞાનનો ખજાનો વહેંચશો એટલો જ વધતો રહેશે. સર્વ સાધન પણ સ્વતઃ જ પ્રાપ્ત થતાં રહેશે. તો સદા માટે વારસાનાં અધિકારી બની ગયાં - આ ખુશી રહે છે ને. વારસો પણ કેટલો શ્રેષ્ઠ છે! કોઈ અપ્રાપ્તિ નથી, સર્વ પ્રાપ્તિઓ છે. અચ્છા!

અમૃતવેલા વિદાય નાં સમયે દાદીઓથી તથા દાદી નિર્મલશાંતા થી બાપદાદા ની મુલાકાત :-

મહારથીઓનાં દરેક કદમ માં સેવા છે. ભલે બોલે, ભલે ન બોલે પરંતુ દરેક કર્મ, દરેક ચલન માં સેવા છે. સેવા વગર એક સેકન્ડ પણ રહી નથી શકતાં. ભલે મનસા સેવામાં હોય, ભલે વાચા સેવામાં, ભલે સંબંધ-સંપર્ક થી - પરંતુ નિરંતર યોગી પણ છે તો નિરંતર સેવાધારી પણ છે. સારું છે - જે મધુબન માં ખજાનો જમા કર્યો તે બધાને વહેંચી ખવડાવવા માટે જઈ રહ્યાં છો. મહારથીઓનું સ્થાન પર રહેવું પણ અનેક આત્માઓનો સ્થૂળ સહારો થઈ જાય છે. જેમ બાપ છત્રછાયા છે, એમ બાપ સમાન બાળકો પણ છત્રછાયા બની જાય છે. બધાં જોઈને કેટલાં ખુશ થાય છે! તો આ વરદાન છે બધા મહારથીઓનું. આંખોનું વરદાન, માથાનું વરદાન કેટલાં વરદાન છે! દરેક કર્મ કરવાવાળી નિમિત્ત કર્મેન્દ્રિયો ને વરદાન છે. નયનો થી જુએ છે તો શું સમજે છે? બધાં સમજે છે ને કે બાપની નજર, આ આત્માઓની નજર થી અનુભવ થાય છે. તો નયનો ને વરદાન થઈ ગયું ને. મુખ ને વરદાન છે, આ ચહેરા ને વરદાન છે, કદમ-કદમ ને વરદાન છે. કેટલાં વરદાન છે, શું ગણતરી કરશો! બીજાઓને તો વરદાન આપે છે પરંતુ તમને પહેલાથી જ વરદાન મળેલાં છે. જે પણ કદમ ઉઠાવો, વરદાનો થી ઝોલી ભરેલી છે. જેમ લક્ષ્મી ને દેખાડે છે ને-એના હાથથી ધન બધાને મળતું જ રહે છે. થોડા સમય માટે નહીં, સદા સંપત્તિ ની દેવી બની સંપત્તિ આપતી રહે છે. તો આ કોનું ચિત્ર છે?

તો કેટલા વરદાન છે! બાપ તો કહે છે-કોઈ વરદાન રહ્યું જ નથી. તો પછી શું આપે? વરદાનો થી જ સજેલાં ચાલી રહ્યાં છો. જેમ કહે છે ને - હાથ ફરાવ્યો તો વરદાન મળી ગયું. તો બાપે તો ‘સમાન ભવ’ નું વરદાન આપ્યું, એનાથી બધાં વરદાન મળી ગયાં. જ્યારે બાપ અવ્યક્ત થયાં તો બધાને ‘સમાન ભવ’ નું વરદાન આપ્યું ને. ફક્ત સામેવાળા ને નહીં, બધાને આપ્યું. સૂક્ષ્મ રુપમાં બધાં મહાવીર બાપ ની સામે રહ્યાં અને વરદાન મળ્યું. અચ્છા!

આપ સૌની સાથે બધાની દુવાઓ અને દવા છે જ, એટલે મોટી બીમારી પણ નાની થઇ જાય છે. ફક્ત રુપરેખા દેખાડે છે પણ પોતાનો દાવ નથી લગાડી શકતી. આ શૂળી થી કાંટાનું રુપ દેખાડે છે. બાકી તો બાપ નો હાથ અને સાથ સદા છે જ. દરેક કદમ માં, દરેક બોલ માં બાપની દુવા-દવા મળતી રહે છે. એટલે બેફિકર રહો. (આનાથી ફ્રી ક્યારે થઈશું?) આમ ફ્રી થઇ જાઓ તો પછી સુક્ષ્મવતન માં પહોંચી જાઓ. આનાથી બીજાને પણ બળ મળે છે. આ બીમારી પણ તમારા લોકો ની સેવા કરે છે. તો બીમારી, બીમારી નથી, સેવાનું સાધન છે. નહીં તો બીજા બધાં સમજશે કે આમને તો મદદ છે, આમને અનુભવ થોડી છે. પરંતુ અનુભવી બનાવી બીજાને હિંમત અપાવવાની સેવા માટે થોડીક રુપરેખા દેખાડે છે. નહીં તો બધાં દિલશિકસ્ત થઇ જાય. તમે બધાં દૃષ્ટાંત નાં રુપમાં જુઓ છો, બાકી ચૂકતું થઇ ગયું છે, ફક્ત રુપરેખા માત્ર રહી ગયું છે. અચ્છા!

વિદેશી ભાઈ - બહેનો થી :- દિલથી દરેક આત્માનાં પ્રતિ શુભ ભાવના રાખવી - આ જ દિલ થી ધન્યવાદ છે. બાપ થી દરેક કદમ માં દરેક બાળકો ને દિલ થી ધન્યવાદ મળતો રહે છે. સંગમયુગ ને સર્વ આત્માઓનાં પ્રતિ સદા માટે ધન્યવાદ આપવાનો સમય કહેશું. સંગમયુગ આખો જ ધન્યવાદ દિવસ છે. સદા એકબીજા ને શુભકામના, શુભ ભાવના આપતાં રહો અને બાપ પણ આપે છે. અચ્છા!

વરદાન :-

ખુશીની સાથે શક્તિને ધારણ કરી વિઘ્નો ને પાર કરવા વાળા વિઘ્નજીત ભવ .

જે બાળકો જમા કરવાનું જાણે છે તે શક્તિશાળી બને છે. જો હમણાં-હમણાં કમાયા, હમણાં હમણાં વહેંચ્યું, સ્વયં માં સમાવ્યું નહીં તો શક્તિ નથી રહેતી. ફક્ત વહેંચવાની કે દાન કરવાની ખુશી રહે છે. ખુશી નાં સાથે શક્તિ હોય તો સહજ જ વિઘ્નો ને પાર કરી વિઘ્ન જીત બની જશો. પછી કોઈ પણ વિઘ્ન લગન ને ડિસ્ટર્બ (ખલેલ) નહીં કરશે એટલે જેમ ચહેરા થી ખુશીની ઝલક દેખાઇ આવે છે એમ શક્તિ ની ઝલક પણ દેખાઈ આવે.

સ્લોગન :-

પરિસ્થિતિઓમાં ગભરાવાનાં બદલે એને શિક્ષક સમજીને પાઠ શીખી લો.

સુચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બાબાનાં બધાં બાળકો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ પરમધામ નાં ઊંચા સ્થાન પર સ્થિત થઈ લાઈટ, માઈટ હાઉસ બની પ્રકૃતિ સહિત આખાં વિશ્વ ને સર્ચલાઈટ આપવાની સેવા કરે.