28-04-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - યોગ થી જ આત્માની ખાદ નીકળશે , બાપ થી પૂરો વારસો મળશે , એટલે જેટલું થઈ શકે યોગબળ વધારો”

પ્રશ્ન :-
દેવી દેવતાઓનાં કર્મ શ્રેષ્ઠ હતાં, હમણાં બધાનાં કર્મ ભ્રષ્ટ કેમ બન્યાં છે?

ઉત્તર :-
કારણ કે પોતાનાં મૂળ ધર્મ ને ભૂલી ગયાં છે. ધર્મ ભુલવાનાં કારણે જ જે કર્મ કરે છે તે ભ્રષ્ટ હોય છે. બાપ તમને પોતાના સત ધર્મ નો પરિચય આપે છે, સાથે-સાથે આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે, જે બધાને સંભળાવવાની છે, બાપ નો સત્ય પરિચય આપવાનો છે.

ગીત :-
મુખડા દેખલે પ્રાણી…

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું અને કોને? બાપે કહ્યું બાળકોને. જે બાળકોને પતિત થી પાવન બનાવી રહ્યાં છે. બાળકો જાણી ગયાં છે અમે ભારતવાસી જે દેવી-દેવતા હતાં, તે હમણાં ૮૪ જન્મોનું ચક્ર લગાવી સતોપ્રધાન ને પસાર કરી હવે સતો, રજો, તમો અને હવે તમોપ્રધાન બની ગયાં છે. હવે ફરી પતિતો ને પાવન બનાવવા વાળા બાપ કહે છે, પોતાના દિલ ને પૂછો કે ક્યાં સુધી અમે પુણ્યાત્મા બન્યા છીએ? તમે સતોપ્રધાન પવિત્ર આત્મા હતાં, જ્યારે અહીંયા પહેલાં-પહેલાં તમે દેવી-દેવતા કહેવાતા હતાં, જેને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કહેવાતો હતો. હમણાં કોઈ ભારતવાસી પોતાને દેવી-દેવતા ધર્મ નાં નથી કહેવડાવતાં. હિંદુ તો કોઈ ધર્મ છે નહીં. પરંતુ પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી નથી શકતાં. સતયુગ માં દેવતાઓ પવિત્ર હતાં. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, યથા રાજા-રાણી તથા પ્રજા પવિત્ર હતાં. ભારતવાસીઓ ને બાપ યાદ અપાવે છે કે તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાળા હતાં, એને સ્વર્ગ કહેવાતું હતું. ત્યાં એક જ ધર્મ હતો. પહેલા નંબર નાં મહારાજા-મહારાણી, લક્ષ્મી-નારાયણ હતાં. એમનું પણ કુળ હતું અને ભારત ખુબ ધનવાન હતું, તે સતયુગ હતું. પછી આવ્યું ત્રેતા માં ત્યારે પણ પૂજ્ય દેવી-દેવતા કે ક્ષત્રિય કહેવાતા હતાં. તે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય, તે સીતા-રામ નું રાજ્ય, તે પણ કુળ ચાલ્યું. જેમ ક્રિશ્ચન માં એડવર્ડ ધ ફર્સ્ટ, સેકન્ડ…..એમ ચાલે છે. તેમ ભારતમાં પણ એવું હતું. ૫ હજાર વર્ષ ની વાત છે અર્થાત્ ૫ હજાર વર્ષ પહેલાં ભારત પર આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. પરંતુ એમણે આ રાજ્ય ક્યારે અને કેવી રીતે પામ્યું-આ કોઈ નથી જાણતું. તે જ સૂર્યવંશી રાજ્ય પછી ચંદ્રવંશી માં આવ્યું કારણ કે પુનર્જન્મ લેતાં-લેતાં સીડી ઉતરવાની છે. આ ભારતની હિસ્ટ્રી-જોગ્રાફી કોઈ નથી જાણતું. રચતા છે બાપ તો જરુર સતયુગી નવી દુનિયાનાં રચતા થયાં. બાપ કહે છે બાળકો, તમે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગમાં હતાં. આ ભારત સ્વર્ગ હતું પછી નર્કમાં આવ્યાં છે. દુનિયા તો આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ને નથી જાણતી. એ તો અધુરી ફક્ત પાછળ ની હિસ્ટ્રી જાણે છે. સતયુગ-ત્રેતા ની હિસ્ટ્રી-જોગ્રાફી ને કોઈ નથી જાણતું. ઋષિ-મુનિ પણ કહી ગયાં અમે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. જાણે પણ કોઈ કેવી રીતે, બાપ તમને જ બેસી સમજાવે છે. શિવબાબા ભારત માં જ દિવ્ય જન્મ લે છે, જેમની શિવ જયંતી પણ થાય છે. શિવજયંતી નાં પછી જોઈએ ગીતાજયંતી. પછી સાથે-સાથે હોવી જોઈએ કૃષ્ણ જયંતી. આ જયંતી નું રહસ્ય ભારતવાસી જાણતાં નથી કે શિવજયંતી ક્યારે થઈ! બીજા ધર્મ વાળા તો ઝટ બતાવશે - બુદ્ધ જયંતી, ક્રાઈસ્ટ જયંતી ક્યારે થઈ. ભારતવાસીઓ ને પૂછો શિવજયંતી ક્યારે થઈ? કોઈ નહિં બતાવશે. શિવ ભારતમાં આવ્યાં, આવીને શું કર્યું? કોઈ નથી જાણતું. શિવ થયાં બધી આત્માઓ નાં બાપ. આત્મા છે અવિનાશી. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આ ૮૪ નું ચક્ર છે. શાસ્ત્રો માં તો ૮૪ લાખ જન્મ નાં ગપોડા લગાવી દીધાં છે. બાપ આવીને સાચી વાત બતાવે છે. બાપ નાં સિવાય બાકી બધાં રચતા અને રચના માટે ખોટું જ બોલે છે કારણ કે આ છે જ માયા નું રાજ્ય. પહેલાં તમે પારસ બુદ્ધિ હતાં, ભારત પારસપુરી હતું. સોના, હીરા, ઝવેરાતો નાં મહેલ હતાં. બાપ બેસી રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય અર્થાત્ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી બતાવે છે. ભારતવાસી આ નથી જાણતાં કે અમે જ પહેલાં-પહેલાં દેવી-દેવતા હતાં, હમણાં પતિત, કંગાળ, ઈરિલિજિયસ (અધાર્મિક) બની ગયાં છીએ, પોતાના ધર્મ ને ભૂલી ગયાં છીએ. આ પણ ડ્રામા અનુસાર થવાનું છે. તો આ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી બુદ્ધિ માં આવવી જોઈએ ને. ઊંચે થી ઊંચા સર્વ આત્માઓનાં બાપ મૂળ વતન માં રહે છે, પછી છે સૂક્ષ્મવતન. આ છે સ્થૂળવતન. સૂક્ષ્મવતન માં ફકત બ્રહ્મા-વિષ્ણુ-શંકર રહે છે. એમની બીજી કોઈ હિસ્ટ્રી-જોગ્રાફી નથી. આ ત્રણેવ ત્યાનાં છે. ભગવાન એક છે. એમની રચના પણ એક છે, જે ચક્ર ફરતું રહે છે. સતયુગ થી ત્રેતા પછી દ્વાપર, કળયુગ માં આવવું પડે. ૮૪ જન્મો નો હિસાબ જોઈએ ને, જો કોઈ પણ નથી જાણતાં. ન કોઈ શાસ્ત્ર માં છે. ૮૪ જન્મો નો પાર્ટ આપ બાળકો જ ભજવો છો. બાપ તો આ ચક્રમાં નથી આવતાં. બાળકો જ પાવન થી પતિત બની જાય છે એટલે બુમો પાડે છે-બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો. એકને જ બધાં પોકારે છે. રાવણ રાજ્ય માં જે બધાં દુઃખી થઈ ગયાં છે એમને આવીને મુક્ત કરો પછી રામ રાજ્ય માં લઈ જાઓ. અડધો કલ્પ છે રામ રાજ્ય. અડધો કલ્પ છે રાવણ રાજ્ય. ભારતવાસી જે પવિત્ર હતાં તે જ પતિત બને છે. વામમાર્ગ માં જવાથી પતિત થવાનું શરું થાય છે. ભક્તિમાર્ગ શરું થાય છે. હમણાં આપ બાળકોને જ્ઞાન સંભળાવાય છે, જેનાથી અડધો કલ્પ, ૨૧ જન્મ માટે તમે સુખ નો વારસો પામો છો. અડધો કલ્પ જ્ઞાન ની પ્રાલબ્ધ ચાલે છે, પછી રાવણ રાજ્ય હોય છે. ઉતરવા લાગે છે. તમે દૈવી રાજ્ય માં હતાં પછી આસુરી રાજ્યમાં આવી ગયાં છો, આને નર્ક પણ કહે છે. તમે સ્વર્ગમાં હતાં પછી ૮૪ જન્મ પસાર કરી નર્ક માં આવીને પડ્યાં છો. તે હતું સુખધામ. આ છે દુઃખધામ, ૧૦૦ ટકા ઇન સાલવેન્ટ (કંગાળ). ૮૪ જન્મોનું ચક્ર લગાવતાં, તે જ ભારતવાસી પૂજ્ય થી પૂજારી બની ગયાં છે. આને જ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી કહેવાય છે. આ છે બધું આપ ભારતવાસીઓનું ચક્ર, બીજા ધર્મ વાળા તો ૮૪ જન્મ નથી લેતાં. તે સતયુગમાં હોતાં જ નથી. સતયુગ ત્રેતા માં ફક્ત ભારત જ હતું. સૂર્યવંશી, ચંદ્રવંશી પછી વૈશ્યવંશી, શૂદ્રવંશી….હમણાં ફરી તમે આવીને બ્રાહ્મણ વંશી બન્યાં છો, દેવતા વંશી બનવા માટે. આ છે ભારત નાં વર્ણ. હમણાં તમે બ્રાહ્મણ બનવાથી શિવબાબા થી વારસો લઈ રહ્યાં છો. બાપ તમને ભણાવી રહ્યાં છે, ૫ હજાર વર્ષ પહેલાં માફક. કલ્પ-કલ્પ તમે પાવન બની પછી પતિત બન્યાં છો. સુખધામ માં જઈને પછી દુઃખધામ માં આવો છો. પછી શાંતિધામ માં જવાનું છે, જેને નિરાકારી દુનિયા કહેવાય છે. આત્મા શું છે, પરમાત્મા શું છે, આ કોઈ પણ મનુષ્ય નથી જાણતાં. આત્મા પણ એક સ્ટાર બિંદી છે. કહે છે-ભ્રકુટી નાં વચમાં તારો ચમકે છે, નાની બિન્દી છે, જેને દિવ્ય દૃષ્ટિ થી જોઈ શકાય છે. હકીકત માં સ્ટાર પણ નહીં કહેવાશે. સ્ટાર (તારો) તો બહુ મોટો છે-ફક્ત દૂર હોવાનાં કારણે નાનો દેખાય છે. આ ફક્ત એક મિસાલ અપાઈ જાય છે. આત્મા એટલી નાની છે જેમ ઉપરમાં સ્ટાર નાનો દેખાય આવે છે. બાપ ની આત્મા પણ એક બિન્દી માફક છે. એમને સુપ્રીમ આત્મા કહેવાય છે. એમની મહિમા અલગ છે. મનુષ્ય સૃષ્ટિનું ચૈતન્ય બીજ રુપ હોવાનાં કારણે એમનામાં બધું જ્ઞાન છે.તમારી આત્મા ને પણ હમણાં નોલેજ મળી રહ્યું છે. આત્મા જ નોલેજ ગ્રહણ કરી રહી છે, આટલી નાની બિંદીમાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. તે પણ અવિનાશી, ૮૪ જન્મો નું ચક્ર લગાવતાં આવ્યાં છો. એનો અંત થઇ નથી શકતો. દેવતા હતાં, દૈત્ય બન્યાં તો ફરી દેવતા બનવાનું છે. આ ચક્ર ચાલતું આવ્યું છે. બાકી તો બધાં છે બાઈપ્લાટ. ઈસ્લામી, બૌદ્ધી વગેરે કોઈ ૮૪ જન્મ નથી લેતાં. આ જ સતયુગ ભારતમાં સતોપ્રધાન ભરપુર હતો પછી ૮૪ જન્મ લઈ વિકારી બન્યાં છે. આ વિકારી દુનિયા છે. ૫ હજાર વર્ષ પહેલાં પવિત્રતા હતી, શાંતિ પણ હતી, સમૃદ્ધિ પણ હતી. બાપ બાળકોને યાદ અપાવે છે. મુખ્ય છે-પવિત્રતા એટલે કહેવાય છે વિકારી ને નિર્વિકારી બનાવવા વાળા આવો. એ જ સદ્દગતિ આપવા વાળા છે, એટલે એ જ સદ્દગુરુ છે. હમણાં તમે બાપ દ્વારા કંગાળ થી રાજકુમાર બની રહ્યાં છો અથવા નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનો છો. તમારો આ રાજ્યોગ છે. ભારત ને જ હમણાં બાપ દ્વારા રાજાઇ મળે છે. આત્મા જ ૮૪ જન્મ લે છે. આત્મા જ ભણે છે, શરીર દ્વારા. શરીર નથી ભણતું. આત્મા સંસ્કાર લઈ જાય છે. હું આત્મા આ શરીર દ્વારા ભણું છું-આને દેહી-અભિમાની કહેવાય છે. આત્મા અલગ થઈ જાય છે તો શરીર કોઈ કામનું નથી રહેતું. આત્મા કહે છે, હવે હું પુણ્ય આત્મા બની રહી છું. મનુષ્ય દેહ-અભિમાન માં આવીને કહી દે છે આ કરું છું….તમે હમણાં સમજો છો અમે આત્મા છીએ, આ અમારું શરીર મોટું છે. પરમાત્મા બાપ દ્વારા હું આત્મા ભણી રહી છું. બાપ કહે છે, મામેકમ્ યાદ કરો. તમે સતયુગ માં સતોપ્રધાન હતાં પછી તમારા માં ખાદ પડી છે. ખાદ પડતાં-પડતાં તમે પાવન થી પતિત બની ગયાં છો. હવે ફરી પાવન બનવાનું છે એટલે કહે છે-હેં પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો, બાપ સલાહ આપે છે હેં પતિત આત્મા મુજ બાપ ને યાદ કરો તો તમારા માંથી ખાદ નીકળશે અને તમે પાવન બની જશો. એને પ્રાચીન યોગ કહેવાય છે. આ યાદ અર્થાત્ યોગ અગ્નિ થી ખાદ ભસ્મ થશે. મૂળ વાત છે - પતિત થી પાવન બનવું. સાધુ-સંત વગેરે બધાં પતિત છે. પાવન બનવાનો ઉપાય બાપ જ બતાવે છે - મામેકમ્ યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. ખાતાં-પીતાં, ચાલતાં-ફરતાં મામેકમ્ યાદ કરો કારણ કે આપ સર્વ આત્માઓ (આશિકો) નો માશૂક, હું છું. તમને મેં પાવન બનાવ્યાં હતાં પછી પતિત બન્યાં છો. બધી ભક્તિઓ આશિક છે. માશૂક કહે છે કર્મ પણ ભલે કરો. બુદ્ધિ થી મને યાદ કરતાં રહો તો વિકર્મ વિનાશ થશે. આ મહેનત છે. તો બાપ ને યાદ કરવાં જોઈએ ને, વારસો પામવા માટે. જે વધારે યાદ કરશે એમને વારસો પણ વધારે મળશે. આ છે યાદ ની યાત્રા. જે વધારે યાદ કરશે એ જ પાવન બની આવીને મારા ગળાનો હાર બનશે. બધી આત્માઓનો નિરાકારી દુનિયામાં એક સિજરો (વિભાગ) બનેલો છે. એને નિરાકાર ઝાડ કહેવાય છે આ છે સાકારી ઝાડ, નિરાકારી દુનિયાથી બધાએ નંબરવાર આવવાનું છે, આવતાં જ રહેવાનું છે. ઝાડ કેટલું મોટું છે. આત્મા અહીંયા આવે છે પાર્ટ ભજવવાં. જે પણ બધી આત્માઓ છે, બધાં આ ડ્રામાનાં એક્ટર્સ છે. આત્મા અવિનાશી છે, એમાં પાર્ટ પણ અવિનાશી છે. ડ્રામા ક્યારે બન્યો, આ કહી ન શકાય. આ ચાલતો જ રહે છે. ભારતવાસી પહેલાં-પહેલાં સુખ માં હતાં પછી દુઃખ માં આવ્યાં, ફરી શાંતિધામ માં જવાનું છે. પછી બાપ સુખધામ માં મોકલી દેશે. એમાં જે જેટલો પુરુષાર્થ કરી ઊંચ પદ પામે, બાપ રાજધાની સ્થાપન કરે છે. એમાં પુરુષાર્થ અનુસાર રાજાઈ માં પદ પામશે. સતયુગ માં તો જરુર થોડાક મનુષ્ય હશે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું ઝાડ નાનું છે, બાકી બધું વિનાશ થઇ જશે. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે અર્થાત્ સ્વર્ગનાં દ્વાર ખૂલી રહ્યાં છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ આ લડાઈ નાં પછી સ્વર્ગ ની સ્થાપના થઇ હતી. અનેક ધર્મ વિનાશ થઈ ગયાં હતાં. આ લડાઈ ને કહેવાય છે, કલ્યાણકારી લડાઈ. હવે નર્ક નાં દ્વાર ખુલ્યાં છે, પછી સ્વર્ગ નાં દ્વાર ખુલશે. સ્વર્ગ નાં દ્વાર બાપ ખોલે છે, નર્ક નાં દ્વાર રાવણ ખોલે છે. બાપ વારસો આપે છે, રાવણ શ્રાપ આપે છે. આ વાતો દુનિયા નથી જાણતી, આપ બાળકો ને સમજાવું છું. એજ્યુકેશન મિનિસ્ટર પણ બેહદ નું નોલેજ ઈચ્છે છે. તે તો તમે જ આપી શકો છો. પરતું તમે છો ગુપ્ત. તમને ઓળખતાં જ નથી. તમે યોગબળ થી પોતાની રાજાઈ લઈ રહ્યાં છો. લક્ષ્મી-નારાયણ આ રાજ્ય કેવી રીતે પામ્યાં તે આપ જાણો છો. આને કહેવાય છે ઓસ્પીશિયસ (શુભ) કલ્યાણકારી યુગ. જ્યારે બાપ આવીને પાવન બનાવે છે. કૃષ્ણને તો બધાં બાપ નહીં કહેશે. બાપ નિરાકાર ને કહેવાય છે, એ બાપ ને યાદ કરવાનાં છે, પાવન પણ બનવાનું છે. વિકારો ને જરુર છોડવાં પડે. ભારત નિર્વિકારી સુખધામ હતું, હવે વિકારી, દુ:ખધામ છે. કોડી તુલ્ય છે. આ ડ્રામા નો ખેલ છે, જેને બુદ્ધિ માં ધારણ કરીને બીજાઓને પણ કરાવવાનો છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ થી પાવન બની બાપનાં ગળાનો હાર બનવાનું છે. કર્મ કરતાં પણ બાપની યાદમાં રહી વિકર્માજીત બનવાનું છે.

2. પુણ્ય આત્મા બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનવાનું છે.

વરદાન :-
પાસ વિથ ઓનર બનવા માટે સર્વ દ્વારા સંતુષ્ટતા નો પાસપોર્ટ પ્રાપ્ત કરવા વાળા સંતુષ્ટમણી ભવ

જે બાળકો સ્વયં સ્વયંથી, સ્વયં નાં પુરુષાર્થ કે સેવા થી, બ્રાહ્મણ પરિવાર નાં સંપર્ક થી સદા સંતુષ્ટ રહે છે એમને જ સંતુષ્ટમણી કહેવાય છે. સર્વ આત્માઓનાં સંપર્ક માં પોતાને સંતુષ્ટ રાખવું અથવા સર્વ ને સંતુષ્ટ કરવાં - એમાં જે વિજયી બને છે તે જ વિજયમાળા માં આવે છે. પાસ વિથ ઓનર બનવા માટે સર્વ દ્વારા સંતુષ્ટતા નો પાસપોર્ટ મળવો જોઈએ. આ પાસપોર્ટ લેવા માટે ફક્ત સહન કરવાની કે સમાવવાની શક્તિ ધારણ કરો.

સ્લોગન :-
રહેમદિલ બની સેવા દ્વારા નિરાશ અને થાકેલી આત્માઓને સહારો આપો.