17.04.2021 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન


"મીઠા બાળકો - બાપ ની પાસે જે વખર ( સામાન ) છે, તેમનો પૂરો અંત તમને મળ્યો છે, તમે તેને ધારણ કરો અને કરાવો”

પ્રશ્ન :-

ત્રિકાળદર્શી બાપ ડ્રામાનાં આદિ-મધ્ય-અંત ને જાણવાં છતાં કાલની વાત આજે નથી બતાવતાં- કેમ?

ઉત્તર :-

બાબા કહે - બાળકો જો હું પહેલાં થી જ બતાવી દઉં તો ડ્રામાની મજા જ જતી રહે. આ લૉ (કાયદો) નથી કહેતો. બધુંજ જાણવાં છતાં હું પણ ડ્રામાનાં વશ છું. પહેલાં સંભળાવી નથી શકતો, એટલે શું થશે તમે તેની ચિંતા છોડી દો.

ગીત :-

મરના તેરી ગલી મેં…

ઓમ્ શાંતિ ! આ છે પારલૌકિક આત્માઓનાં બાપ. આત્માઓથી જ વાત કરે છે. એમને બાળકો-બાળકો કહેવાની પ્રેક્ટિસ થઈ જાય છે. ભલે શરીર બાળકીનું છે પરંતુ આત્માઓ તો બધાં બાળકો જ છે. દરેક આત્મા વારિસ છે અર્થાત્ વારસો લેવાની હકદાર છે. બાપ આવીને કહે છે બાળકો તમને દરેકને વારસો લેવાનો હક છે. બેહદનાં બાપને ખૂબ યાદ કરવાનાં છે, આમાં જ મહેનત છે. બાબા પરમધામ થી આવ્યાં છે આપણ ને ભણાવવાં. સાધૂ-સંત તો પોતાનાં ઘરે થી આવે છે કે કોઈ ગામડા થી આવે છે. બાબા તો પરમધામ થી આવ્યાં છે આપણને ભણાવવાં. આ કોઈને ખબર નથી. બેહદનાં બાપ એ જ પતિત-પાવન ગોડફાધર છે. એમને ઓશન ઓફ નોલેજ (જ્ઞાનનાં સાગર) પણ કહે છે, ઓથોરિટી (સત્તા) છે ને. કયું નોલેજ છે? ઇશ્વરીય નોલેજ છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ. સત-ચિત્-આનંદ સ્વરુપ. એમની ખૂબ ભારે મહિમા છે. એમની પાસે આ વખર (સામગ્રી) છે. કોઈની પાસે દુકાન હોય છે, કહેશે અમારી દુકાનમાં આ-આ વેરાયટી છે. બાપ પણ કહે છે હું જ્ઞાનનો સાગર, આનંદનો સાગર, શાંતિનો સાગર છું. મારી પાસે આ બધાં વખર ઉપલબ્ધ છે. હું સંગમ પર આવું છું ડિલેવરી (વિતરણ) કરવાં, જે કંઈ મારી પાસે છે બધું ડિલેવરી કરું છું પછી જેટલું જે ધારણ કરે અથવા જેટલો પુરુષાર્થ કરે. બાળકો જાણે છે - બાપની પાસે શું-શું છે અને એક્યુરેટ જાણે છે. આજકાલ કોઈને પોતાનો અંત કોઈ બતાવતું નથી. ગવાયેલું છે - કિનકી દબી રહી ધૂલ મેં…. આ બધી હમણાંની વાત છે. આગ લાગશે બધું ખતમ થઇ જશે. રાજાઓની પાસે અંદર ખૂબ મોટી મજબૂત ગુફાઓ હોય છે. ભલે અર્થક્વેક થાય, જોર થી આગ લાગે તો પણ અંદર થી નીકળી આવે છે. આપ બાળકો જાણો છો અહિયાંની કોઈપણ વસ્તુ ત્યાં કામ નથી આવવાની. ખાણીઓ પણ બધી નવેસર ભરપુર થઈ જાય છે. સાઈન્સ પણ રિફાઈન થઈ તમારા કામ આવે છે. આપ બાળકોની બુદ્ધિમાં હવે બધું જ્ઞાન છે. બાળકો જાણે છે અમે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. બાકી અંત નો થોડો ટુકડો છે, જેને પણ જાણી જશો. બાબા પહેલાંથી જ બધું કેવી રીતે બતાવી દે, બાબા કહે છે - હું પણ ડ્રામાનાં વશ છું, જે જ્ઞાન હમણાં સુધી મળ્યું છે તે જ ડ્રામામાં નોંધ છે. જે સેકન્ડ પસાર થઈ, તેને ડ્રામા સમજવાનું છે. બાકી જે કાલે થશે તે જોવાશે. કાલની વાત આજે નહીં સંભળાવે. આ ડ્રામાનાં રહસ્ય ને મનુષ્ય સમજતાં નથી. કલ્પની આયુ જ કેટલી લાંબી-પહોળી કરી દીધી છે. આ ડ્રામા ને સમજવાની પણ હિંમત જોઈએ. અમ્મા મરે તો ભી હલુઆ ખાના…..સમજે છે મરી ગયાં જઈને બીજો જન્મ લીધો. અમે રડીએ કેમ? બાબાએ સમજાવ્યું છે - સમાચાર પત્રમાં તમે લખી શકો છો, આ પ્રદર્શની આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આ તારીખે, આજ જ સ્થાન પર આ જ રીતે થયેલી હતી. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થઇ રહી છે, લખી દેવું જોઈએ. આ તો જાણો છો - આ દુનિયા બાકી થોડા દિવસ છે, આ બધું ખતમ થઇ જશે. આપણે તો પુરુષાર્થ કરી વિકર્માજીત બની જઈશું પછી દ્વાપર થી થી વિક્રમ સંવત શરું થાય છે અર્થાત્ વિકર્મ થવાનું સવંત. આ સમયે તમે વિકર્મો પર જીત પામો છો તો વિકર્માજીત બની જાઓ છો. પાપ કર્મો ને શ્રીમત થી જીતીને વિકર્માજીત બની જાઓ છો. ત્યાં તમે આત્મ-અભિમાની હોવ છો. ત્યાં દેહ-અભિમાન હોતું નથી. કળયુગ માં દેહ-અભિમાન છે. સંગમ પર તમે દેહી-અભિમાની બનો છો. પરમપિતા પરમાત્મા ને પણ જાણો છો. આ છે શુદ્ધ અભિમાન. તમે બ્રાહ્મણ સૌથી ઉંચ છો. તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળભૂષણ. આ નોલેજ ફક્ત તમને મળે છે, બીજા કોઈને મળતું નથી. તમારો આ સર્વોત્તમ કુળ છે. ગવાય પણ છે અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભનાં બાળકો થી પૂછો. તમને હવે લોટરી મળે છે. કોઈ વસ્તુ મળી જાય છે, તેની એટલી ખુશી નથી હોતી. જ્યારે ગરીબ થી સાહૂકાર બની જાય છે તો ખુશી થાય છે. તમે પણ જાણો છો કે જેટલો આપણે પુરુષાર્થ કરીશું એટલો બાપ થી રાજધાની નો વારસો લઈશું. જે જેટલો પુરુષાર્થ કરશે એટલું પામશે. મુખ્ય વાત બાપ કહે છે બાળકો પોતાનાં મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરો. એ સર્વનાં બિલવેડ બાપ છે. એજ બધાને સુખ શાંતિ આપે છે. હવે દેવી-દેવતાઓની રાજધાની સ્થાપનની થઈ રહી છે. ત્યાં કિંગ-ક્વીન (રાજા-રાણી) નથી હોતાં. ત્યાં કહેશે મહારાજા-મહારાણી. જો ભગવાન ભગવતી કહે તો પછી યથા રાજા-રાણી તથા પ્રજા, બધાં ભગવાન-ભગવતી થઈ જાય એટલે ભગવાન-ભગવતી કહેવાતું નથી. ભગવાન એક છે. મનુષ્ય ને ભગવાન નથી કહેવાતું. સૂક્ષ્મવતન વાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ દેવતા કહે છે. સ્થૂળવતન વાસી ને આપણે ભગવાન-ભગવતી કેવી રીતે કહેશું. ઊંચેથી ઊંચું છે મૂળવતન પછી સૂક્ષ્મવતન, આ છે ત્રીજો નંબર. આ તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ. આપણાં આત્માઓનાં બાપ શિવબાબા જ છે પછી શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સોની, બેરિસ્ટર વગેરે બધું છે. બધાને રાવણ થી જેલ થી છોડાવે છે. શિવબાબા કેટલાં મોટા બેરિસ્ટર છે. તો એવાં બાપને કેમ ભૂલવાં જોઈએ. કેમ કહો છો, બાબા અમે ભૂલી જઈએ છીએ. માયાનાં ખુબ તોફાન આવે છે. બાબા કહે છે આ તો થશે. કંઇક તો મહેનત કરવી પડે. આ છે માયા થી લડાઈ. આપ પાંડવોની કોઈ કૌરવો થી લડાઈ નથી. પાંડવ કેવી રીતે લડાઈ કરશે. પછી તો હિંસક થઈ જશે. બાપ ક્યારેય હિંસા નથી શીખવાડતાં. કંઈ પણ સમજી નથી શકતાં. હકીકત માં આપણી કોઈ લડાઈ છે નહીં. બાબા ફક્ત યુક્તિ બતાવે છે કે મને યાદ કરો, માયા નો વાર નહીં થશે. આનાં પર પણ એક વાર્તા છે, પૂછ્યું - પહેલાં સુખ જોઈએ કે દુઃખ? તો કહ્યું સુખ. દુઃખ હોઈ ન શકે સતયુગ માં.

તમે જાણો છો - આ સમયે બધી સીતાઓ રાવણની શોક વાટિકા માં છે. આ આખી દુનિયા સાગર ની વચમાં લંકા છે. હમણાં બધાં રાવણ ની જેલમાં પડ્યાં છે. સર્વની સદ્દગતિ કરવા માટે બાપ આવ્યાં છે. બધાં શોક વાટિકા માં છે. સ્વર્ગ માં છે સુખ, નર્ક માં છે દુઃખ. આને શોક વાટિકા કહેશે. તે છે અશોક, સ્વર્ગ. ખૂબ મોટું અંતર છે. આપ બાળકોએ કોશિશ કરી બાપ ને યાદ કરવાં જોઈએ તો ખુશી નો પારો ચઢશે. બાપની સલાહ પર નહીં ચાલશો તો સોતેલા થયાં. પછી પ્રજામાં ચાલ્યાં જશો. માતેલા હશો તો રાજધાની માં આવી જશો. રાજધાનીમાં આવવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલવું પડે. કૃષ્ણની મત નથી મળતી. મત છે જ બે. હમણાં તમે શ્રીમત લો છો પછી સતયુગમાં તેનું ફળ ભોગવો છો. પછી દ્વાપરમાં રાવણ ની મત મળે છે. બધાં રાવણ ની મત પર અસુર બની જાય છે. તમને મળે છે ઇશ્વરીય મત. મત આપવા વાળા એક જ બાપ છે. એ છે ઈશ્વર. તમે ઈશ્વરીય મત થી કેટલાં પવિત્ર બનો છો. પહેલું પાપ છે - વિષય સાગર માં ગોતા ખાવાં. દેવતાઓ વિષય સાગરમાં ગોતા નહીં ખાશે. કહેશે શું ત્યાં બાળકો નથી હોતાં? બાળકો કેમ નહીં હોય! પરંતુ તે છે જ વાઈસલેસ દુનિયા, સંપૂર્ણ નિર્વિકારી. ત્યાં આવાં કોઈ વિકાર હોતાં નથી. બાપે સમજાવ્યું છે - દેવતા ફક્ત આત્મ-અભિમાની છે, પરમાત્મ-અભિમાની નથી. તમે આત્મ-અભિમાની પણ છો, પરમાત્મ-અભિમાની પણ છો. પહેલાં બંને નહોતાં. સતયુગ માં પરમાત્મા ને નથી જાણતાં. આત્માને જાણે છે કે અમે આત્મા આ જુનું શરીર છોડી પછી જઈ નવું શરીર લઈશું. પહેલાં ખબર પડી જાય છે, હવે જુનું છોડી નવું લેવાનું છે. બાળક થાય છે તો પણ પહેલાં થી સાક્ષાત્કાર થઈ જાય છે. યોગબળ થી તમે આખાં વિશ્વનાં માલિક બની જાઓ છો. તો શું યોગબળ થી બાળકો નથી થઈ શકતાં! યોગબળ થી કોઈ પણ ચીજને તમે પાવન બનાવી શકો છો. પરંતુ તમે યાદ ભૂલી જાઓ છો. કોઈને અભ્યાસ થઇ જાય છે. ઘણાં સંન્યાસી લોકો પણ હોય છે જેમને ભોજન ની કદર હોય છે, તો તે સમયે ખૂબ મંત્ર ભણીને પછી ખાય છે. તમને પણ પરહેજ તો બતાવી છે. કંઈ પણ માસ-મદિરા નથી ખાવાનું. તમે દેવતા બનો છો ને. દેવતાઓ ક્યારેય કીચડપટ્ટી નથી ખાતાં. તો એવાં પવિત્ર બનવાનું છે. બાપ કહે છે મારા દ્વારા તમે મને જાણવાથી બધું જાણી જશો. પછી જાણવાનું કંઈ રહેશે નહીં. સતયુગ માં પછી ભણતર પણ બીજું હોય છે. આ મૃત્યુલોક નાં ભણતર નો હવે અંત છે. મૃત્યુલોક નો બધો કારોબાર ખતમ થયા પછી અમરલોક નો શરું થશે. આટલો બાળકો ને નશો ચઢવો જોઇએ. અમરલોકનાં માલિક હતાં, આપ બાળકોને અતીન્દ્રિય સુખ, પરમસુખ માં રહેવું જોઈએ. પરમપિતા પરમાત્માનાં આપણે બાળકો છીએ અથવા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. પરમપિતા પરમાત્મા આપણ ને હવે ઘરે લઈ જશે, આને જ પરમાનંદ કહેવાય છે. સતયુગ માં આ વાતો હોતી નથી. આ તમે હમણાં સાંભળો છો, આ સમયે ઈશ્વરીય ફેમિલી (પરિવાર) નાં છો. હમણાનું જ ગાયન છે - અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓથી પૂછો. પરમધામનાં રહેવાવાળા બાબા આવીને આપણા બાપ, શિક્ષક, ગુરુ બને છે. ત્રણેવ સર્વન્ટ (સેવક) થયાં. કોઈ અભિમાન નથી રાખતાં. કહે છે હું તમારી સેવા કરી તમને બધું આપી નિર્વાણધામ માં બેસી જઈશ, તો સર્વન્ટ થયાં ને. વાઈસરોય વગેરે હંમેશા હસ્તાક્ષર કરે છે તો ઓબીડીયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) લખે છે. બાબા પણ નિરાકારી, નિરંકારી છે. કેવી રીતે બેસી ભણાવે છે. આટલું ઊંચું ભણતર બીજું કોઈ ભણાવી ન શકે. આટલાં પોઇન્ટસ કોઈ આપી ન શકે. મનુષ્ય તો જાણી નથી શકતાં, એમને કોઈ ગુરુએ નથી શીખવાડ્યું. ગુરુ હોત તો ઘણાનાં હોત. એક નાં હોય છે શું? આ બાપ જ પતિતો ને પાવન બનાવે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યાં છે. બાબા કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું. કહે છે ને - બાબા આપણે કલ્પ પહેલાં પણ મળ્યાં હતાં. બાપ જ આવીને પછી પતિતો ને પાવન બનાવશે. ૨૧ જન્મોનાં માટે આપ બાળકોને પાવન બનાવું છું. તો આ બધી ધારણા કરવી જોઈએ પછી બતાવવું જોઈએ - બાબાએ શું સમજાવ્યું. બાપ થી આપણે ભવિષ્ય ૨૧ જન્મો નો વારસો લઈએ છીએ. આ યાદ રહેવાથી પછી ખુશીમાં રહેશો. આ પરમ-આનંદ છે. માસ્ટર નોલેજફુલ, બ્લીસફુલ આ બધાં વરદાન બાપ થી હમણાં તમને મળે છે. સતયુગમાં તો બુદ્ધુ હશો. આ લક્ષ્મી-નારાયણ ને તો કંઈ પણ નોલેજ નથી. એને હોત તો પરંપરા થી ચાલ્યું આવત. તમારા જેવો પરમ આનંદ દેવતાઓ ને પણ નથી હોઈ શકતો. અચ્છા-

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. દેવતા બનવા માટે ખાવા-પીવાની ખૂબ શુદ્ધિ રાખવાની છે. ખૂબ જ પરહેજ થી ચાલવાનું છે. યોગબળ થી ભોજન ને દૃષ્ટિ આપી શુદ્ધ બનાવી સ્વીકાર કરવાનું છે.
  2. પરમપિતા પરમાત્મા નાં આપણે બાળકો અથવા સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ, એ આપણને હવે આપણા ઘરે લઈ જશે, આ નશા માં રહી પરમ સુખ, પરમ આનંદ નો અનુભવ કરવાનો છે.

વરદાન :-

સ્વયંનાં ટેન્શન પર અટેન્શન આપી વિશ્વ નું ટેન્શન સમાપ્ત કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

જયારે બીજાનાં પ્રતિ વધારે અટેન્શન આપો છો તો પોતાની અંદર ટેન્શન ચાલે છે, એટલે વિસ્તાર કરવાનાં બદલે સાર સ્વરુપ માં સ્થિત થઈ જાઓ, કોન્ટીટીનાં (અસંખ્ય) સંકલ્પો ને સમાવીને કોવોલિટી (ગુણવત્તા) વાળા સંકલ્પ કરો. પહેલાં પોતાનાં ટેન્શન પર અટેન્શન આપો ત્યારે વિશ્વમાં જે અનેક પ્રકારનાં ટેન્શન છે તેને સમાપ્ત કરી વિશ્વ કલ્યાણકારી બની શકશો. પહેલાં પોતે પોતાને જુઓ, પોતાની સર્વિસ પહેલાં, પોતાની સર્વિસ કરી તો બીજાઓની સર્વિસ સ્વતઃ થઈ જશે.

સ્લોગન :-

યોગ ની અનુભૂતિ કરવી છે તો દૃઢતા ની શક્તિ થી મન ને કંટ્રોલ (નિયંત્રણ) કરો.