23.04.2021 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન


"મીઠા બાળકો - બાપની આ વન્ડરફુલ હટ્ટી ( અદ્દભુત દુકાન ) છે, જેનાં પર બધો વેરાઈટી સામાન મળે છે, તે હટ્ટી નાં તમે માલિક છો”

પ્રશ્ન :-

આ વન્ડરફુલ દુકાનદાર ની કોપી કોઈ પણ નથી કરી શકતું - કેમ?

ઉત્તર :-

કારણ કે આ સ્વયં જ સર્વ ખજાનાઓનાં ભંડાર છે. જ્ઞાનનાં, સુખનાં, શાંતિનાં, પવિત્રતાનાં, સર્વ વસ્તુઓનાં સાગર છે, જેને જે જોઈએ તે મળી શકે છે. નિવૃત્તિ માર્ગ વાળાઓની પાસે આ સામાન મળી નથી શકતો. કોઈ પણ પોતાને બાપ સમાન સાગર કહી નથી શકતું.

ગીત :-

તુમ્હેં પાકે હમને…

ઓમ્ શાંતિ ! હવે બાળકો બેઠા છે બેહદનાં બાપની સામે. આમને બેહદનાં બાપ પણ કહેવાય તો બેહદનાં દાદા પણ કહેવાય અને પછી બેહદનાં બાળકો બેઠાં છે અને બાપ બેહદનું જ્ઞાન આપી રહ્યાં છે. હદની વાતો હવે છૂટી. હવે બાપ થી બેહદનો વારસો લેવાનો છે. આ એક જ હટ્ટી છે. મનુષ્યો ને ખબર નથી કે અમે શું ઇચ્છીએ છીએ. બેહદનાં બાપની હટ્ટી તો ખૂબ મોટી છે. એમને કહેવાય છે સુખનાં સાગર, પવિત્રતાનાં સાગર, આનંદનાં સાગર, જ્ઞાનનાં સાગર….. કોઈ દુકાનદાર હોય છે તો એની પાસે ઘણી વેરાઈટી હોય છે. તો આ છે બેહદનાં બાપ. આમની પાસે પણ વેરાઈટી સામાન છે. શું-શું છે? બાબા જ્ઞાનનાં સાગર છે, સુખનાં, શાંતિનાં સાગર છે. એમની પાસે આ વન્ડરફુલ, અલૌકિક સામાન છે. પછી ગવાય પણ છે - સુખકર્તા. આ એક જ દુકાન છે બીજા તો કોઈ ની આવી દુકાન છે નહીં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની પાસે શું સામાન છે? કાંઈ પણ નથી. સૌથી ઊંચો સામાન છે બાપની પાસે, એટલે એમની મહિમા ગવાય છે. ત્વમેવ માતાશ્ચ પિતા… આવી મહિમા ક્યારેય કોઈની ગવાતી નથી. મનુષ્ય શાંતિ માટે ભટકતાં રહે છે. કોઈને દવા જોઈએ, કોઈને કંઈક જોઈએ. તે બધી હદની દુકાન છે. આખી દુનિયામાં બધાની પાસે હદની વસ્તુઓ છે. આ એક જ બાપ છે જેમની પાસે બેહદની વસ્તુઓ છે એટલે એમની મહિમા પણ ગાએ છે કે પતિત-પાવન છે, લિબરેટર (મુક્તિદાતા) છે, જ્ઞાનનાં સાગર છે, આનંદનાં સાગર છે. આ બધો વેરાઇટી વખર (સામાન) છે. લિસ્ટ લખશો તો ખુબ થઈ જશે. જે બાપની પાસે આ વસ્તુઓ છે તો બાળકો નો પણ હક છે તેનાં પર. પરંતુ આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે જ્યારે એવાં બાપનાં આપણે બાળકો છીએ તો બાપની વસ્તુનાં આપણે માલિક હોવાં જોઈએ. બાપ આવે પણ છે ભારતમાં. બાપની પાસે જે બધી વસ્તુઓ છે - તે જરુર લઈ આવશે. તેમની પાસે લેવાં માટે તો જઈ નથી શકતાં. બાપ કહે છે મારે આવવું પડે છે. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર હું આવીને તમને બધી વસ્તુ આપી જાઉં છું. હું જે તમને વખર (સમાન) આપું છું, તે પછી ક્યારેય નથી મળી શકતો. અડધાકલ્પ માટે તમારા ભંડારા ભરાઈ જાય છે. એવી કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેનાં માટે પોકારવું પડે. ડ્રામા પ્લાન અનુસાર તમે બધાં વારસો લઈને પછી ધીરે-ધીરે સીડી ઉતરો છો. પુનર્જન્મ પણ જરુર લેવો પડે. ૮૪ જન્મ પણ લેવાનાં છે. ૮૪ નું ચક્ર કહે છે પરંતુ અર્થ નથી સમજતાં. ૮૪ નાં બદલે ૮૪ લાખ જન્મ કહી દે છે. માયા ભૂલ કરાવી દે છે. આ હમણાં તમે સમજો છો પછી તો આ બધું ભૂલી જશો. આ સમયે વખર લો છો, સતયુગ માં રાજાઈ કરો છો. પરંતુ તેમને આ ખબર નથી રહેતી કે આ રાજાઈ અમને કોણે આપી? લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? સ્વર્ગનાં સુખ ગવાય પણ છે. બધાં પ્રકારનાં સુખ આપે છે. આનાથી વધારે કોઈ સુખ હોતું નથી. પછી તે સુખ પણ પ્રાયઃલોપ થઈ જાય છે. અડધાકલ્પ પછી રાવણ આવી બધાં સુખ છીનવી લે છે. કોઈને ગુસ્સો કરો છો તો કહે છે, તારી કળા કાયા જ ખતમ થઇ ગઇ છે. તમે પણ જે સર્વગુણ સમ્પન્ન, ૧૬ કળા સંપૂર્ણ હતાં. તે કળાઓ બધી ખતમ થઈ ગઈ છે. એક બાપ નાં સિવાય બીજા કોઈની આટલી મહિમા નથી. કહે છે ને - પૈસા હોય તો લાડકાના ફરી આવો.

તમે વિચાર કરો કે સ્વર્ગમાં કેટલાં અકીચાર ધન-માલ હતાં. હવે તે થોડી છે. બધું ગુમ થઈ જાય છે. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની જાય છે. તો ધન-માલ પણ ગુમ થઈ જાય છે પછી નીચે પડવા લાગી જાય છે. બાપ સમજાવે છે - તમને આટલું ધન આપ્યું, તમને હીરા જેવાં બનાવ્યાં. પછી તમે ધન માલ ક્યાં ગુમાવી દીધું? હવે ફરી બાપ કહે છે કે પોતાનો વારસો, પુરુષાર્થ કરી લઈ લો. તમે જાણો છો કે બાબા આપણને ફરીથી સ્વર્ગની બાદશાહી આપી રહ્યાં છે અને કહે છે, હેં બાળકો મને યાદ કરો તો તમારા ઉપર જે કટ છે, તે નીકળી જાય. બાળકો કહે છે, બાબા અમે ભૂલી જઈએ છીએ. આ શું? કન્યા જ્યારે લગ્ન કરે છે તો પતિ ને ક્યારેય ભૂલે છે શું! બાળકો ક્યારેય બાપ ને ભૂલે છે શું? બાપ તો દાતા છે. વારસો બાળકો ને લેવાનો છે તો જરુર યાદ કરવાં પડે. બાપ સમજાવે છે - મીઠા-મીઠા સિકીલધા બાળકો, યાદની યાત્રામાં રહેશો તો વિકર્મ વિનાશ થશે બીજો કોઈ ઉપાય નથી. ભક્તિમાર્ગ માં તીર્થયાત્રા, ગંગા સ્નાન વગેરે જે કરતાં આવ્યાં છો તો સીડી નીચે ઉતરતાં જ આવ્યાં છો. ઉપર ચઢી જ નથી શકતાં. લૉ (કાયદો) નથી કહેતો. બધાની ઉતરતી કળા છે. આ જે કહે છે કે ફલાણા મુક્તિમાં ગયાં, આ જુઠ્ઠું બોલે છે. પાછું કોઈ જઈ નથી શકતું. બાબા આવ્યાં છે તમને ૧૬ કળા સંપૂર્ણ બનાવવાં. તમે જ ગાતા હતાં કે મુજ નિર્ગુણ હારે મેં…. હવે તમે જાણો છો કે બાપ ગુણવાન બનાવે છે. આપણે જ ગુણવાન, પૂજ્ય હતાં. આપણે વારસો લીધો હતો. ૫ હજાર વર્ષ થયાં. બાપ પણ કહે છે કે તમને વારસો આપીને ગયો હતો. શિવજયંતી, રક્ષાબંધન, દશેરા વગેરે મનાવે પણ છે છતાં પણ કંઈ સમજતાં નથી. બધુંજ ભૂલી જાય છે. ફરી બાપ આવીને યાદ અપાવે છે. તમે જ હતાં પછી તમે રાજ્ય ભાગ્ય ગુમાવ્યું છે. બાપ સમજાવે છે - હવે આ આખી જૂની દુનિયા જડજડીભૂત છે. દુનિયા તો આ જ છે. આ જ ભારત નવું હતું, હવે જૂનું થયું છે. સ્વર્ગમાં સદા સુખ હોય છે. પછી દ્વાપર થી જ્યારે દુઃખ શરું થાય છે ત્યારે આ વેદ-શાસ્ત્ર વગેરે બને છે. ભક્તિ કરતાં-કરતાં જ્યારે તમે ભક્તિ પૂરી કરો ત્યારે ભગવાન આવે ને. બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. અડધું-અડધું હશે ને. જ્ઞાન દિવસ, ભક્તિ રાત. તેમણે તો કલ્પ ની આયુ ઉલ્ટી-સુલ્ટી કરી દીધી છે.

તો પહેલાં-પહેલાં તમે બધાને બાપની મહિમા બેસી સંભળાવો. બાપ જ્ઞાનનાં સાગર, શાંતિનાં સાગર છે. કૃષ્ણ ને થોડી કહેશે - નિરાકાર પતિત-પાવન, સુખનાં સાગર....ના, તેમની મહિમા જ અલગ છે. રાત-દિવસ નો ફરક છે. શિવ ને કહે જ છે બાબા. કૃષ્ણ બાબા અક્ષર નથી શોભતો. કેટલી મોટી ભૂલ છે. પછી નાની-નાની ભૂલો કરતા ૧૦૦ ટકા ભૂલી ગયાં છે. બાપ કહે છે - સંન્યાસીઓથી ક્યારેય આ સોદો મળી ન શકે. તે છે જ નિવૃત્તિ માર્ગ નાં. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. તમે સંપૂર્ણ નિર્વિકારી હતાં, વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) હતું. આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). પછી કહે - શું સતયુગમાં બાળકો નથી જન્મતાં? ત્યાં પણ તો વિકાર હતો. અરે, તે છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. સંપૂર્ણ નિર્વિકારી પછી વિકારી હોઈ કેવી રીતે શકે? પછી સતયુગમાં બધાં આટલાં મનુષ્ય હોય, આ કેવી રીતે હોઈ શકે. ત્યાં આટલાં મનુષ્ય થોડી હોય છે. ભારત સિવાય બીજો કોઈ ખંડ નહીં હશે. તેઓ કહે પણ છે અમે નથી માનતાં. દુનિયા તો સદૈવ ભરેલી રહે છે, કંઈ પણ સમજતાં નથી. બાપ સમજાવે છે કે ભારત ગોલ્ડન એજ (સતયુગ) હતું. હવે તો આયરન એજ (કળયુગ) પથ્થર બુદ્ધિ છે. હવે આપ બાળકોએ ડ્રામાને સમજી લીધો છે. ગાંધી વગેરે બધાં રામરાજ્ય ઇચ્છતાં હતાં. પરંતુ દેખાડે છે કે મહાભારત લડાઈ લાગી. બસ, પછી ખેલ ખતમ. પછી શું થયું? કંઈ પણ દેખાડ્યું નથી. બાપ બેસી આ સમજાવે છે. આ તો બિલકુલ સહજ છે. શિવજયંતી મનાવે છે - તો જરુર શિવબાબા આવે છે. એ છે હેવનલી ગોડફાધર તો જરુર હેવન નાં ગેટ (સ્વર્ગનાં દ્વાર) ખોલવા આવશે. આવશે પણ ત્યારે, જ્યારે હેલ (નર્ક) હશે. હેવનનાં દ્વાર ખોલી હેલ નાં બંધ કરી દેશે. હેવન નાં દ્વાર ખુલે તો જરુર બધાં હેવન માં જ આવશે. આ વાતો કોઈ ડિફિકલ્ટ નથી. મહિમા ફક્ત એક બાપની છે. શિવબાબા ની એક જ હટ્ટી છે. એ છે બેહદ નાં બાપ. બેહદ નાં બાપ દ્વારા ભારત ને સ્વર્ગનું સુખ મળે છે. બેહદ નાં બાપ સ્વર્ગ સ્થાપન કરે છે. બરાબર બેહદ નું સુખ હતું. પછી આપણે હેલ માં કેમ પડ્યાં છીએ? આ કોઈ પણ નથી જાણતું. બાપ સમજાવે છે કે તમે જ હતાં પછી તમે જ પડ્યાં છો. દેવતાઓને જ ૮૪ જન્મ લેવા પડે છે. હમણાં આવીને પતિત બન્યાં છે. એમને જ પછી પાવન બનવાનું છે. બાપનો પણ જન્મ છે તો રાવણનો પણ જન્મ થાય છે. આ કોઈને પણ ખબર નથી. કોઈથી પણ પૂછો તો રાવણ ને ક્યારથી બાળો છો? કહેશે તે તો અનાદિ ચાલ્યું આવે છે. આ બધું રહસ્ય બાપ સમજાવે છે. એ બાપની એક જ હટ્ટી ની મહિમા છે. સુખ-શાંતિ-પવિત્રતા મનુષ્ય થી મનુષ્યને નથી મળી શકતી. ફક્ત એક ને જ થોડી શાંતિ મળી હતી. આ ખોટું બોલે છે કે ફલાણા થી શાંતિ મળી. અરે શાંતિ તો મળવાની છે - શાંતિધામ માં. અહીંયા તો એક ને શાંતિ હશે તો પછી બીજો અશાંત કરશે તો શાંતિ માં રહી ન શકે. સુખ-શાંતિ-પવિત્રતા બધી ચીજો નાં વ્યાપારી એક જ શિવબાબા છે. એમનાથી કોઈ આવીને વ્યાપાર કરે. એને કહેવાય જ છે સોદાગર, પવિત્રતા, સુખ-શાંતિ-સંપત્તિ બધું એની પાસે છે. અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી. સ્વર્ગનું તમે રાજ્ય પામો છો. બાપ તો આપવા આવ્યાં છે, લેવાવાળા લેતાં-લેતાં થાકી જાય છે. હું આવું જ છું આપવા માટે અને તમે ઠંડા પડી જાઓ છો લેવામાં. બાળકો કહે છે, બાબા માયાનાં તોફાન આવે છે. હાં, પદ પણ ખૂબ ઊંચું પામવાનું છે. સ્વર્ગનાં માલિક બનો છો. આ ઓછી વાત છે શું! તો મહેનત કરવાની છે. શ્રીમત પર ચાલતાં રહો. વખર જે મળે છે એ પછી બીજાઓને પણ આપવું પડે. દાન કરવું પડે. પવિત્ર બનવું છે તો ૫ વિકારોનું દાન જરુર આપવાનું છે. મહેનત કરવાની છે. બાપ ને યાદ કરવાનાં છે, ત્યારે જ કટ ઉતરશે. મુખ્ય છે યાદ. પ્રતિજ્ઞા ભલે કરો કે બાબા અમે વિકાર માં ક્યારેય નહીં જઈશું, કોઈ પર ક્રોધ નહીં કરીશું. પરંતુ યાદ માં જરુર રહેવાનું છે. નહીં તો આટલાં પાપ કેવી રીતે વિનાશ થશે. બાકી નોલેજ તો ખૂબ સહજ છે. ૮૪ જન્મનું ચક્ર કેવી રીતે લગાવ્યું છે, આ કોઈને પણ તમે સમજાવી શકો છો. બાકી યાદની યાત્રામાં મહેનત છે. ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. કયું જ્ઞાન આપે છે? મનમનાભવ અર્થાત્ મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે ગાતા પણ હતાં કે તમે જ્યારે આવશો તો બીજાઓનો સંગ તોડી એક સંગ જોડીશું. તમારા પર બલિહાર જઈશું. તમારા સિવાય બીજા કોઈને યાદ નહીં કરીશું. પ્રતિજ્ઞા કરી છે પછી ભૂલી કેમ જાઓ છો? કહો પણ છો હાથ કર ડે દિલ યાર ડે… કર્મયોગી તો તમે છો. ધંધો વગેરે કરતાં બુદ્ધિયોગ બાપ થી લગાવવાનો છે. માશૂક બાપ સ્વયં કહે છે, આપ આશિકોએ અડધોકલ્પ યાદ કર્યા છે. હવે હું આવ્યો છું, મને યાદ કરો. આ યાદ જ ઘડી-ઘડી ભૂલી જાય છે, આમાં જ મહેનત છે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર જ છોડવું પડે. જ્યારે રાજધાની સ્થાપન થઈ જશે ત્યારે તમે કર્માતીત અવસ્થા ને પામશો. હમણાં તો બધાં પુરુષાર્થી છે. સૌથી વધારે મમ્મા-બાબા યાદ કરે છે. સૂક્ષ્મવતન માં પણ તે જોવામાં આવે છે.

બાપ સમજાવે છે - હું જેમાં પ્રવેશ કરું છું તે અનેક જન્મનાં અંત વાળો જન્મ છે. તે પણ પુરુષાર્થ કરી રહ્યાં છે. કર્માતીત અવસ્થામાં હમણાં કોઈ પહોંચી નથી શકતું. કર્માતીત અવસ્થા આવી જાય તો પછી આ શરીર રહી ન શકે. બાબા તો ખૂબ સારી રીતે સમજાવે છે. હવે સમજવા વાળાઓની બુદ્ધિ પર છે. હેવનલી ગોડફાધર એક જ છે. એની પાસે જ જ્ઞાનનો બધો વખર છે. એ જ જાદુગર છે. બીજા કોઈ થી સુખ-શાંતિ-પવિત્રતાનો વારસો મળી ન શકે. બાપ ખૂબ સારી રીતે સમજાવે છે. બાળકોએ ધારણ કરી બીજા ને ધારણ કરાવવાનું છે. જેટલી ધારણા કરે છે, એટલો વારસો લે છે. દિવસ-પ્રતિદિવસ ખૂબ તરાવટી માલ મળે છે. લક્ષ્મી-નારાયણ જુઓ કેટલાં મીઠા છે. તેમના જેવું મીઠું બનવું જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે. બીજા કોઈ પણ સતસંગ માં આવી રીતે કહે છે શું? આ આપણી બિલકુલ જ નવી ભાષા છે, જેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. અચ્છા.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બાપ દ્વારા જે સુખ-શાંતિ-પવિત્રતા નો વખર (સમાન) મળ્યો છે, તે બધાને આપવાનો છે. પહેલાં વિકારોનું દાન આપી પવિત્ર બનવાનું છે પછી અવિનાશી જ્ઞાન ધન નું દાન કરવાનું છે.
  2. દેવતાઓ જેવું મીઠું બનવાનું છે. જે બાપદાદા થી પ્રતિજ્ઞા કરી છે તેને સદા યાદ રાખવાની છે અને બાપ ની યાદ માં રહી વિકર્મ પણ વિનાશ કરવાનાં છે.

વરદાન :-

પોતાના પ્રતિ કે સર્વ આત્માઓનાં પ્રતિ લૉ ફુલ બનવા વાળા લૉ મેકર સો ન્યુ વર્લ્ડ મેકર ભવ

જે સ્વયં પ્રતિ લૉ ફુલ (કાયદેસર) બને છે તેજ બીજાઓનાં પ્રતિ પણ લૉ ફુલ બની શકે છે. જે સ્વયં લૉ ને બ્રેક કરે (તોડે) છે તે બીજાઓ ઉપર લૉ નથી ચલાવી શકતાં એટલે પોતે પોતાને જુઓ કે સવાર થી રાત સુધી મન્સા સંકલ્પ માં, વાણી માં, કર્મ માં, સંપર્ક કે એકબીજા ને સહયોગ આપવામાં કે સેવામાં ક્યાંય પણ લૉ બ્રેક તો નથી થતો! જે લૉ મેકર (કાયદો બનાવનાર) છે તે લૉ બ્રેકર (કાયદો તોડનાર) ન બની શકે. જે આ સમયે લૉ મેકર બને છે તે જ પીસ મેકર, ન્યુ વર્લ્ડ મેકર બની જાય છે.

સ્લોગન :-

કર્મ કરતાં કર્મ નાં સારા કે ખરાબ પ્રભાવ માં ન આવવું જ કર્માતીત સ્થિતિ છે.