12-04-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારી આ વન્ડરફુલ યુનિવર્સિટી છે , જેમાં બગડેલાં ને બનાવવા વાળા ભોળાનાથ બાપ શિક્ષક બનીને તમને ભણાવે છે”

પ્રશ્ન :-
આ કયામતનાં સમય માં આપ બાળકો સૌને કયું લક્ષ્ય આપો છો?

ઉત્તર :-
હેં આત્માઓ હવે પાવન બનો, પાવન બન્યાં વગર પાછાં જઈ નહીં શકો. અડધાકલ્પ નો જે રોગ લાગેલો છે, તેનાંથી મુક્ત થવા માટે તમે બધાને ૭ દિવસ ભઠ્ઠી માં બેસાડો છે. પતિતોનાં સંગ થી દૂર રહે, કોઈ પણ યાદ ન આવે ત્યારે કંઈક બુદ્ધિમાં જ્ઞાન ની ધારણા થાય.

ગીત :-
તૂને રાત ગવાઈ…

ઓમ શાંતિ!
આ બાળકોને કોણે કહ્યું? કારણ કે સ્કૂલમાં બેઠેલાં છો તો જરુર શિક્ષકે કહ્યું. પ્રશ્ન ઉઠે છે આ શિક્ષકે કહ્યું, બાપે કહ્યું કે સદ્દગુરુએ કહ્યું? આ વર્શન્સ (મહાવાક્યો) કોણે કહ્યાં? બાળકોને બુદ્ધિમાં પહેલાં-પહેલાં આ આવવું જોઈએ કે અમારા બેહદનાં બાપ છે, જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. તો બાપે પણ કહ્યું, શિક્ષકે પણ કહ્યું તો સાથે-સાથે સદ્દગુરુએ પણ કહ્યું. આ તમારી બુદ્ધિમાં છે, જે વિદ્યાર્થી છે. બીજી કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષક ભણાવે છે, એમને કોઈ ફાધર કે ગુરુ નહીં કહેશે. આ છે પણ પાઠશાળા, પછી યુનિવર્સિટી કહો કે કોલેજ કહો. છે તો ભણતર ને. પહેલાં-પહેલાં આ સમજવાનું છે, પાઠશાળા માં અમને કોણ ભણાવે છે? બાળકો જાણે છે એ નિરાકાર જે બધી આત્માઓનાં બાપ છે, સર્વ નાં સદ્દગતિ દાતા છે એ આપણને ભણાવી રહ્યાં છે. આ બધી રચના એ એક રચતાની મિલકત છે. તો પોતે જ બેસી રચનાનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. આપ બાળકોએ જન્મ લીધો છે - બાપ ની પાસે. તમે બુદ્ધિથી જાણો છો આપણી બધી આત્માઓનાં એ બાપ છે, જેમને જ્ઞાનનાં સાગર, નોલેજફુલ કહેવાય છે. જ્ઞાનનાં સાગર છે, પતિત-પાવન છે. જ્ઞાનથી જ સદ્દગતિ થાય છે, મનુષ્ય પતિત થી પાવન બને છે. હવે આપ બાળકો અહીંયા બેઠા છો. બીજી કોઈ સ્કૂલમાં કોઈને બુદ્ધિમાં નથી રહેતું કે અમને જ્ઞાનનાં સાગર નિરાકાર બાપ ભણાવી રહ્યાં છે. આ અહીંયા જ તમે જાણો છો. તમને જ સમજાવાય છે. ખાસ ભારત અને આમ આખી દુનિયામાં એવું કોઈ પણ નહીં સમજશે કે અમને નિરાકાર પરમાત્મા ભણાવે છે. એમને ભણાવવા વાળા છે જ મનુષ્ય શિક્ષક. અને પછી એવું પણ જ્ઞાન નથી જે સમજે - અમે આત્મા છીએ. આત્મા જ ભણે છે. આત્મા જ બધું કરે છે. ફલાણી નોકરી આત્મા કરે છે - આ અવયવો દ્વારા. એમને તો આ રહે છે કે અમે ફલાણાં છીએ. ઝટ પોતાનું નામ રુપ યાદ આવી જાય છે. અમે આ કરીએ છીએ, અમે આવી રીતે કરીએ છીએ. શરીરનું નામ જ યાદ આવી જાય છે, પરંતુ તે ખોટું છે. આપણે તો પહેલાં આત્મા છીએ ને. પછી આ શરીર લીધું છે. શરીરનું નામ બદલાતું રહે છે, આત્માનું નામ તો નથી બદલાતું. આત્મા તો એક જ છે. બાપે કહ્યું છે મુજ આત્માનું એક જ નામ શિવ છે. આ આખી દુનિયા જાણે છે. બાકી આટલાં અનેક નામ શરીરો પર રખાય છે. શિવ બાબાને તો શિવ જ કહે છે, બસ. એમનું કોઈ શરીર નથી દેખાતું. મનુષ્યનાં ઉપર નામ પડે છે, હું ફલાણો છું. અમને ફલાણા શિક્ષક ભણાવી રહ્યાં છે. નામ લેશે ને. હકીકતમાં આત્મા શરીર દ્વારા શિક્ષકનું કામ કરે છે, તેમની આત્મા ને ભણાવે છે. સંસ્કાર આત્મામાં હોય છે. અવયવો દ્વારા ભણાવે છે, પાર્ટ ભજવે છે, સંસ્કાર અનુસાર. પરંતુ દેહ પર નામ જે પડ્યાં છે, એનાં પર બધાં ધંધા વગેરે ચાલે છે. અહીંયા આપ બાળકો જાણો છો આપણને નિરાકાર બાપ ભણાવે છે. તમારી બુદ્ધિ ક્યાં ચાલી ગઈ! આપણે આત્મા એ બાપનાં બન્યાં છીએ. આત્મા સમજે છે નિરાકાર પિતા અમને આવીને આ સાકાર દ્વારા ભણાવે છે. એમનું નામ છે શિવ. શિવજયંતી પણ મનાવે છે. શિવ તો છે બેહદનાં બાપ, એમને જ પરમપિતા પરમાત્મા કહેવાય છે. તે બધી આત્માઓનાં બાપ છે, હવે એમની જયંતી કેવી રીતે મનાવે છે. આત્મા શરીરમાં પ્રવેશ કરે છે કે ગર્ભમાં આવે છે. ઉપર થી આવે છે આ કોઈને ખબર નથી પડતી. ક્રાઈસ્ટ ને ધર્મ સ્થાપક કહે છે. એમની આત્મા પહેલાં-પહેલાં ઉપર થી આવવી જોઈએ. સતોપ્રધાન આત્મા આવે છે. કોઈ પણ વિકર્મ કરેલું નથી. પહેલાં સતોપ્રધાન પછી સતો, રજો, તમો માં આવે છે ત્યારે વિકર્મ થાય છે. પહેલાં આત્મા જે આવશે, સતોપ્રધાન હોવાનાં કારણે કોઈ દુઃખ ન ભોગવી શકે. અડધો સમય જ્યારે પૂરો થાય છે ત્યારે વિકર્મ કરવા લાગે છે.

આજ થી ૫ હજાર વર્ષ પહેલાં બરાબર સૂર્યવંશી રાજ્ય હતું બીજા બધાં ધર્મ પછી આવ્યાં. ભારતવાસી વિશ્વનાં માલિક હતાં. ભારતને અવિનાશી ખંડ કહેવાય છે બીજો કોઈ ખંડ હતો નહીં. તો શિવબાબા છે બિગડી ને બનાવવા વાળા, ભોળાનાથ શિવ ને કહેવાય છે, ન કે શંકર ને. ભોળાનાથ શિવ બિગડી ને બનાવવા વાળા છે. શિવ અને શંકર એક નથી, અલગ-અલગ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની કોઈ મહિમા નથી. મહિમા ફક્ત એક શિવની છે જે બિગડી ને બનાવે છે. કહે છે - હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું. આમણે ૮૪ જન્મ પુરા કર્યા, હવે ખેલ પૂરો થયો. આ જૂનું શરીર, જૂના સંબંધ પણ ખલાસ થઈ જવાનાં છે. હવે કોને યાદ કરીએ? ખતમ થવાવાળી વસ્તુને યાદ નથી કરાતી. નવું મકાન બને છે તો પછી જૂનાં થી દિલ હટી જાય છે. આ પછી છે બેહદની વાત. સર્વ ની સદ્દગતિ થાય છે અર્થાત્ રાવણનાં રાજ્ય થી બધાને છુટકારો મળે છે. રાવણે બધાને બગાડી દીધાં છે. ભારત બિલકુલ જ કંગાળ ભ્રષ્ટાચારી છે. લોકો ભ્રષ્ટાચાર સમજે છે કરપ્શન ને, એડલ્ટ્રેશન (ભેળસેળ) ને, ચોરી ઠગી ને. પરંતુ બાપ કહે છે - પહેલો ભ્રષ્ટાચાર છે મૂત પલીતી બનવું. શરીર વિકાર થી જન્મે છે એટલે આને વિકારી દુનિયા કહેવાય છે. સતયુગ ને નિર્વિકારી કહેવાય છે. આપણે સતયુગમાં પ્રવૃત્તિ માર્ગવાળા દેવી-દેવતા હતાં. કહે છે પવિત્ર થવાથી વિકાર વગર બાળકો કેવી રીતે જન્મશે. કહો, અમે પોતાની રાજધાની બાહુબળ થી નહિં યોગબળ થી સ્થાપન કરીએ છીએ. તો શું યોગબળ થી બાળકો ન જન્મી શકે! જ્યારે છે જ નિર્વિકારી દુનિયા, પવિત્ર ગૃહસ્થ આશ્રમ. યથા રાજા રાણી સંપૂર્ણ નિર્વિકારી તથા પ્રજા. અહીંયા છે સંપૂર્ણ વિકારી. સતયુગમાં વિકાર હોતાં નથી. એને કહેવાય છે ઇશ્વરીય રાજ્ય. ઈશ્વરીય બાપનું સ્થાપન કરેલું. હમણાં તો છે રાવણ રાજ્ય. શિવબાબા ની પૂજા થાય છે, જેમણે સ્વર્ગ સ્થાપન કર્યું. રાવણ, જેણે નર્ક બનાવ્યું એને બાળતાં આવે છે. દ્વાપર ક્યારે શરું થયું, આ પણ કોઈને ખબર નથી. આ પણ સમજવાની વાત છે. આ છે જ તમોપ્રધાન આસુરી દુનિયા. તે છે ઇશ્વરીય દુનિયા. તેને સ્વર્ગ દૈવી પાવન દુનિયા કહેવાય છે. આ છે નર્ક, પતિત દુનિયા. આ વાતો પણ સમજશે તે જે રોજ ભણશે. ઘણાં કહે છે ફલાણી જગ્યા સ્કૂલ થોડી છે. અરે મુખ્ય કાર્યાલય તો છે ને. તમે આવીને ડાયરેક્શન (માર્ગદર્શન) લઈ જાઓ. મોટી વાત તો નથી. સૃષ્ટિ ચક્ર ને સેકન્ડમાં સમજાવાય છે. સતયુગ, ત્રેતા ભૂતકાળ થઈ ગયાં પછી દ્વાપર, કળયુગ, આ પણ ભૂતકાળ થયું. હમણાં છે સંગમયુગ. નવી દુનિયામાં જવા માટે ભણવાનું છે. દરેકનો હક છે ભણવાનો. બાબા અમે નોકરી કરીએ છીએ. સારું એક સપ્તાહ જ્ઞાન લઇ પછી ચાલ્યાં જજો, મુરલી મળતી રહેશે. પહેલા ૭ દિવસ ભઠ્ઠીમાં જરુર રહેવાનું છે. ભલે ૭ દિવસ આવશે બધાની બુદ્ધિ એક જેવી નહિં હશે. ૭ દિવસ ભઠ્ઠી એટલે કોઈની પણ યાદ ન આવે. કોઈથી પત્ર વ્યવહાર વગેરે પણ ન હોય. બધાં એક જેવું તો સમજી નથી શકતાં. અહીંયા પતિતોએ પાવન બનવાનું છે. આ પતિતપણું પણ રોગ છે, અડધાકલ્પ નાં મહારોગી મનુષ્ય છે. એમને અલગ બેસાડવાં પડે. કોઈનો પણ સંગ ન હોય. બહાર જશે, ઉલટું-સુલટું ખાશે, પતિત નાં હાથનું ખાશે. સતયુગ માં દેવતાઓ પાવન છે ને. તેમનાં માટે જુઓ ખાસ મંદિર બને છે. દેવતાઓ ને પછી પતિત અડી ન શકે. આ સમયે તો મનુષ્ય બિલકુલ પતિત ભ્રષ્ટાચારી છે. શરીર વિષ થી પેદા થાય છે એટલે એને ભ્રષ્ટાચારી કહેવાય છે. સંન્યાસીઓનું પણ શરીર વિષ થી બનેલું છે. બાપ કહે છે પહેલાં-પહેલાં આત્માએ પવિત્ર થવાનું છે, પછી શરીર પણ પવિત્ર જોઈએ એટલે જૂનાં અપવિત્ર શરીર બધાં વિનાશ થઈ જવાનાં છે. બધાએ પાછું જવાનું છે. આ છે કયામત નો સમય. બધાએ પવિત્ર બની પાછું જવાનું છે. ભારતમાં જ હોળિકા મનાવે છે. અહીંયા પાંચ તત્વોનાં શરીર તમોપ્રધાન છે. સતયુગ માં શરીર પણ સતોપ્રધાન હોય છે. શ્રીકૃષ્ણ નું ચિત્ર છે ને. નર્ક ને લાત મારવાની હોય છે કારણ કે સતયુગમાં જવાનું છે. મડદા ને પણ જ્યારે સ્મશાનમાં લઈ જાય છે તો પહેલા મુખ શહેર તરફ, પગ સ્મશાન તરફ કરે છે. પછી જ્યારે સ્મશાન ની અંદર જાય છે તો મુખ સ્મશાન તરફ કરી દે છે. હવે તમે સ્વર્ગમાં જાઓ છો તો તમારું મુખ એ તરફ છે. શાંતિધામ અને સુખધામ, પગ દુ:ખધામ તરફ છે. તે તો મડદા ની વાત છે, અહીંયા તો પુરુષાર્થ કરવાનો હોય છે. સ્વીટ હોમ ને યાદ કરતાં-કરતાં આપ આત્માઓ સ્વીટ હોમમાં ચાલ્યાં જશો. આ છે બુદ્ધિ ની પ્રેક્ટિસ (અભ્યાસ). આ બાપ બેસી બધાં રહસ્ય સમજાવે છે. તમે જાણો છો હવે આપણે આત્માઓએ જવાનું છે ઘરે. આ જુનું શરીર જૂની દુનિયા છે, નાટક પૂરું થયું એટલે ૮૪ જન્મ પાર્ટ ભજવ્યો. આ પણ સમજાવ્યું છે કે બધાં ૮૪ જન્મ નથી લેતાં. જે આવે જ પાછળ થી છે બીજા ધર્મ માં, જરુર એમનાં ઓછા જન્મ હશે. ઈસ્લામીઓથી બૌદ્ધિઓનાં ઓછા. ક્રિશ્ચન નાં એનાથી ઓછા. ગુરુ નાનક નાં સિક્ખ લોકો આવ્યા જ હમણાં છે. ગુરુનાનક ને ૫૦૦ વર્ષ થયાં તો તે થોડી ૮૪ જન્મ લેશે. હિસાબ કરાય છે. ૫ હજાર વર્ષમાં આટલા જન્મ, તો ૫૦૦ વર્ષમાં કેટલાં જન્મ થયાંં હશે? ૧૨- ૧૩ જન્મ. ક્રાઈસ્ટ નાં ૨ હજાર વર્ષ હશે તો એમનાં કેટલાં જન્મ હશે. અડધા થી પણ ઓછા થઇ જશે. હિસાબ છે ને. એમાં કોઈ કેટલાં, કોઈ કેટલાં એક્યુરેટ કહી ન શકાય. આ વાતોમાં ચર્ચા કરવામાં વધારે સમય નથી કરવાનો. તમારું કામ છે બાપ ને યાદ કરવાં. ફાલતું વાતોમાં બુદ્ધિ ન જવી જોઈએ. બાપ થી યોગ લગાડવો, ચક્ર ને જાણવાનું છે. બાકી પાપ નષ્ટ થશે યાદ થી. આમાં જ મહેનત છે એટલે ભારત નો પ્રાચીન યોગ કહે છે, જે બાપ જ શીખવાડે છે. સતયુગ, ત્રેતા માં તો યોગની વાત જ નથી. પછી ભક્તિમાર્ગ માં હઠયોગ શરું થાય છે. આ છે સહજ રાજયોગ. બાપ કહે છે - મને યાદ કરવાથી પાવન બનશો. મૂળ વાત યાદ ની છે. કોઈ પણ પાપ નથી કરવાનું. દેવી-દેવતાઓનાં મંદિર છે કારણ કે પાવન છે. પૂજારી લોકો તો પતિત છે. પાવન દેવતાઓને સ્નાન વગેરે કરાવે છે. હકીકતમાં પતિતનાં હાથ પણ ન લાગવાં જોઈએ. આ બધી છે ભક્તિમાર્ગ ની રીત-રિવાજ. હમણાં તો આપણે પાવન બની રહ્યાં છીએ. પવિત્ર બની જઈશું તો પછી દેવતા બની જઈશું. ત્યાં તો પૂજા વગેરે ની દરકાર નથી રહેતી. સર્વ નાં સદ્દગતિ દાતા છે જ એક બાપ. એમને જ ભોળાનાથ કહે છે. હું આવું છું પતિત દુનિયા, પતિત શરીર માં જૂનાં રાવણ રાજ્ય માં. હાં, કોઈના પણ તન માં પ્રવેશ કરી મુરલી ચલાવી શકું છું. એનો અર્થ એ નથી કે સર્વવ્યાપી છું. દરેકમાં તો પોત-પોતાની આત્મા છે. ફોર્મ માં પણ લખાય છે તમારી આત્માનાં બાપ કોણ છે? પરંતુ સમજતાં નથી. આત્માઓનાં બાપ તો એક જ હશે. આપણે બધાં ભાઈ-ભાઈ છીએ. પિતા એક છે. એમનાથી વારસો મળે છે જીવન મુક્તિનો. એ જ લિબ્રેટર, ગાઈડ છે. બધી આત્માઓને લઈ જશે સ્વીટ હોમ એટલે જૂની દુનિયાનો વિનાશ થાય છે. હોળિકા થાય છે ને. શરીર બધાં ખતમ થઇ જશે. બાકી આત્માઓ બધી પાછી ચાલી જશે. સતયુગ માં તો પછી ખુબ થોડા હશે. સમજવું જોઈએ કે સ્વર્ગની સ્થાપના કોણ કરાવે છે, કળયુગ નો વિનાશ કોણ કરાવે છે? એ તો સ્પષ્ટ લખેલું છે. કહે છે પ્રેમ કરો તો પ્રેમ મળશે બાપ કહે છે જે મારા અર્થ બહુજ સેવા કરે છે, મનુષ્યો ને દેવતા બનાવવાની તે વધારે પ્રિય લાગે છે.

જે પુરુષાર્થ કરશે તે જ ઊંચ વારસો પામશે. વારસો આત્માઓએ પામવાનો છે પરમાત્મા બાપ થી. આત્મ-અભિમાની બનવું પડે. ઘણાં બહુજ ભૂલો પણ કરે છે, જૂની આદતો પાક્કી થઈ ગઈ છે. તો કેટલું પણ સમજાવો તે છૂટતી નથી, એનાથી પોતાનું જ પદ ઓછું કરી દે છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાતની ચર્ચા માં પોતાનો સમય વ્યર્થ નથી કરવાનો. વ્યર્થની વાતોમાં બુદ્ધિ વધારે ન જાય. જેટલું થઈ શકે યાદની યાત્રા થી વિકર્મ વિનાશ કરવાનાં છે. આત્મ-અભિમાની રહેવાની આદત પાડવાની છે.

2. આ જુની દુનિયાથી પોતાનું મુખ ફેરવી લેવાનું છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે. નવું મકાન બની રહ્યું છે તો જૂના થી દિલ હટાવી લેવાનું છે.

વરદાન :-
માયાનાં વિઘ્નો ને ખેલ નાં સમાન અનુભવ કરવા વાળા માસ્ટર વિશ્વ - નિર્માતા ભવ

જેમ કોઇ વડીલો ની આગળ નાનાં બાળકો પોતાના બાળપણ નાં અલબેલાપણા નાં કારણે કાંઈ પણ બોલી દે, કોઈ એવું કર્તવ્ય પણ કરી લે તો વડીલ લોકો સમજે છે કે આ નિર્દોષ, અજાણ, નાનાં બાળકો છે. કોઈ અસર નથી થતી. એમ જ જ્યારે તમે પોતાને માસ્ટર વિશ્વ-નિર્માતા સમજશો તો આ માયાનાં વિઘ્ન બાળકોનાં ખેલ સમાન લાગશે. માયા કોઈ પણ આત્મા દ્વારા સમસ્યા, વિઘ્ન કે પરીક્ષા પેપર બનીને આવી જાય તો એમાં ગભરાશે નહીં પરંતુ એમને નિર્દોષ સમજશે.

સ્લોગન :-
સ્નેહ, શક્તિ અને ઈશ્વરીય આકર્ષણ સ્વયમાં ભરો તો બધાં સહયોગી બની જશે.