16-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - અલ્ફ
અને બે ને યાદ કરો તો રમણીક બની જશો , બાપ પણ રમણીક છે તો એમનાં બાળકો પણ રમણીક હોવાં
જોઈએ”
પ્રશ્ન :-
દેવતાઓનાં
ચિત્રોની કશિશ (આકર્ષણ) બધાને કેમ થાય છે? એમનામાં કયો વિશેષ ગુણ છે?
ઉત્તર :-
દેવતાઓ ખુબ રમણીક અને પવિત્ર છે. રમણીકતા નાં કારણે એમનાં ચિત્રોની પણ કશિશ થાય છે.
દેવતાઓમાં પવિત્રતાનો વિશેષ ગુણ છે, જે ગુણનાં કારણે જ અપવિત્ર મનુષ્ય નમતાં રહે
છે. રમણીક તે જ બને જેમનામાં સર્વ દૈવી ગુણ છે, જે સદા ખુશ રહે છે.
ઓમ શાંતિ!
આત્માઓ અને
પરમાત્મા નો મેળો કેટલો વન્ડરફુલ (અદ્દભુત) છે. એવાં બેહદનાં બાપ નાં તમે બધાં બાળકો
છો તો બાળકો પણ કેટલાં રમણીક હોવા જોઈએ. દેવતાઓ પણ રમણીક છે ને. પરતું રાજધાની છે
બહુજ મોટી. બધાં એકરસ રમણીક હોઈ ન શકે. તો પણ કોઈ-કોઈ બાળકો બહુજ રમણીક છે જરુર.
રમણીક કોણ હોય છે? જે સદૈવ ખુશીમાં રહે છે, જેમાં દૈવી ગુણ છે. આ રાધા-કૃષ્ણ વગેરે
રમણીક છે ને. એમનામાં બહુજ-બહુજ કશિશ છે. કઈ કશિશ છે? પવિત્રતાની કારણ કે એમની આત્મા
પણ પવિત્ર છે તો શરીર પણ પવિત્ર છે. તો પવિત્ર આત્માઓ અપવિત્ર ને કશિશ કરે છે. એમનાં
ચરણોમાં પડે છે. કેટલી એમનામાં તાકાત છે. ભલે સંન્યાસી છે, પરંતુ તેઓ દેવતાઓનાં આગળ
જરુર ઝૂકે છે. ભલે કોઈ-કોઈ બહુ જ ઘમંડી હોય છે, તો પણ દેવતાઓની આગળ અથવા શિવનાં આગળ
ઝુકશે જરુર. દેવીઓનાં ચિત્રો આગળ પણ ઝૂકે છે કારણ કે બાપ પણ રમણીક છે તો બાપનાં
બનાવેલાં દેવી-દેવતાઓ પણ રમણીક છે. એમનામાં કશિશ છે પવિત્રતા ની. તે કશિશ એમની હમણાં
સુધી પણ ચાલી રહી છે. તો જેટલી એમનામાં કશિશ છે એટલી તમારામાં પણ કશિશ હોવી જોઈએ,
જે સમજે છે કે અમે આ લક્ષ્મી-નારાયણ બનીશું. તમારી આ સમયની કશિશ પછી અવિનાશી થઈ જાય
છે. બધાંની નથી થતી. નંબરવાર તો છે ને. ભવિષ્ય માં જે ઊંચ પદ પામવા વાળા હશે, એમનામાં
અહીંયા જ કશિશ થશે કારણ કે આત્મા પવિત્ર બની જાય છે. તમારામાં વધારે કશિશ એમનામાં
છે જે ખાસ યાદની યાત્રા માં રહે છે. યાત્રામાં પવિત્રતા જરુર હોય છે. પવિત્રતામાં જ
કશિશ છે. પવિત્રતાની કશિશ પછી ભણવામાં પણ કશિશ લઈ આવે છે. આ તમને હમણાં ખબર પડી છે.
તમે એમનાં (લક્ષ્મીનારાયણ નાં) કર્તવ્ય ને જાણો છો. એમણે પણ કેટલાં બાપ ને યાદ કર્યા
હશે. આ જે એમણે આટલી રાજાઈ પામી છે, તે જરુર રાજ્યોગ થી જ પામી છે. આ સમયે તમે આ પદ
પામવા માટે આવ્યા છો. બાપ બેસી તમને રાજયોગ શીખવાડે છે. આ તો પાક્કો નિશ્ચય કરીને
અહીંયા આવ્યાં છો ને. બાપ પણ એ જ છે, ભણાવવા વાળા પણ એ જ છે. સાથે પણ એ જ લઈ જવા
વાળા છે. તો આ ગુણ સદૈવ રહેવો જોઈએ. સદૈવ હર્ષિત મુખ રહો. સદૈવ હર્ષિત ત્યારે રહેશે
જ્યારે બાપ અલ્ફ ની યાદ માં રહેશે. ત્યારે બે (વારસા) ની પણ યાદ રહેશે અને તેથી
રમણીક પણ બહુજ હશે. આપ બાળકો જાણો છો - આપણે અહીંયા રમણીક બની પછી ભવિષ્યમાં એવા
રમણીક બનીશું. અહીંયાનું ભણતર જ અમરપુરી માં લઈ જાય છે. આ સાચાં બાબા તમને સાચ્ચી
કમાણી કરાવી રહ્યાં છે. આ સાચ્ચી કમાણી જ સાથે ચાલે છે - ૨૧ જન્મ માટે. પછી
ભક્તિમાર્ગ માં જે કમાની કરો છો તે તો છે જ અલ્પકાળ સુખ માટે. તે કોઈ સદૈવ સાથ નથી
આપતી. આ ભણતરમાં બાળકોએ બહુજ ખબરદાર રહેવું જોઈએ. તમે છો સાધારણ, તમને ભણાવવા વાળા
પણ બિલકુલ સાધારણ રુપમાં છે. તો ભણવા વાળા પણ સાધારણ જ રહેશે. નહીં તો શરમ આવશે. અમે
ઊંચા કપડા કેવી રીતે પહેરીએ. અમારા મમ્મા-બાબા કેટલાં સાધારણ છે તો અમે પણ સાધારણ
છીએ. આ કેમ સાધારણ રહે છે? કારણ કે વનવાસ માં છે ને. હવે તમારે જવાનું છે, અહીંયા
કંઈ લગ્ન નથી કરવાનાં. તે લોકો જ્યારે લગ્ન કરે છે તો કુમારી વનવાસ માં રહે છે. મેલા
કપડાં પહેરે, તેલ વગેરે લગાડે છે કારણ કે સાસરે જાય છે. બ્રાહ્મણ દ્વારા સગાઈ થાય
છે. તમારે પણ જવાનું છે સાસરે. રાવણપુરી થી રામપુરી અથવા વિષ્ણુપુરી માં જવાનું છે.
તો આ વનવાસ નો રિવાજ એટલે રાખ્યો છે કે કોઈ પણ અભિમાન દેહનું કે કપડા વગેરે નું ન
આવે. કોઈને હલકી સાડી છે, બીજાને જુએ છે કે એમની પાસે તો ઊંચી (કિંમતી) સાડી છે તો
વિચાર ચાલે છે. વિચારે છે કે આ તો વનવાસ માં નથી. પરંતુ તમે વનવાસ માં એવાં સાધારણ
રહેતાં કોઈને એટલું ઊંચું જ્ઞાન આપો, એટલો નશો ચઢેલો હોય તો એમને પણ તીર લાગી જાય.
ભલે વાસણ માંજતા રહો કે કપડા સાફ કરતાં રહો, તમારી સામે કોઈ આવે તો તમે ઝટ એમને
અલ્ફ ની યાદ અપાવો. તમને તે નશો ચઢેલો હોય અને સાદા કપડા માં બેસી કોઈને જ્ઞાન આપશો
તો તે પણ વંડર (આશ્ચર્ય) ખાશે, આમનામાં આટલું ઊંચું જ્ઞાન છે! આ જ્ઞાન તો ગીતાનું
છે અને ભગવાનનું આપેલું છે. રાજયોગ તો ગીતાનું જ્ઞાન જ છે. તો એવો નશો ચઢે છે? જેમ
બાબા પોતાનું દૃષ્ટાંત બતાવે છે. સમજો હું બાળકોની સાથે કોઈ ખેલ કરી રહ્યો છું. કોઈ
જિજ્ઞાસુ સામે આવી જાય છે તો ઝટ એમને બાપ નો પરિચય આપું છું. યોગ ની તાકાત, યોગબળ
હોવાનાં કારણે તે પણ ત્યાં જ ઉભા રહી જશે તો વન્ડર ખાશે કે આ આટલા સાધારણ, આમનામાં
આટલી તાકાત! પછી તે કંઈ પણ બોલી નહીં શકશે. મુખ થી કોઈ વાત નીકળશે નહીં. જેમ તમે
વાણી થી પરે છો તેમ તે પણ વાણી થી પરે થઈ જશે. આ નશો અંદર માં હોવો જોઈએ. કોઈ પણ
ભાઈ અથવા બહેન આવે તો એમને એકદમ ઉભા રાખીને વિશ્વનાં માલિક બનવાની મત આપી શકો છો.
અંદર માં એટલો નશો હોવો જોઈએ. પોતાની લગન માં ઉભા થઈ જવું જોઈએ. બાબા સદૈવ કહે છે -
તમારી પાસે જ્ઞાન તો છે પરંતુ યોગનું બળ નથી. પવિત્રતા અને યાદ માં રહેવાથી જ બળ આવે
છે. યાદની યાત્રા થી તમે પવિત્ર બનો છો. તાકાત મળે છે. જ્ઞાન તો છે ધનની વાત. જેમ
સ્કૂલમાં ભણીને એમ.એ., બી.એ. વગેરે કરે છે તો એટલાં પછી પૈસા મળે છે. અહીંયાની બીજી
વાત છે. ભારતનો પ્રાચીન યોગ તો પ્રસિદ્ધ છે. આ છે યાદ. બાપ સર્વ શક્તિમાન્ છે તો
બાળકો ને બાપ થી શક્તિ મળે છે. બાળકોને અંદરમાં રહેવું જોઈએ - અમે આત્માઓ બાબા નાં
સંતાન છીએ, પરતું બાબા જેટલાં અમે પવિત્ર નથી. હમણાં છે લક્ષ-હેતુ. યોગ થી જ તમે
પવિત્ર બનો છો. જે અનન્ય બાળકો છે તે આખો દિવસ આ જ વિચાર કરતાં રહેશે. કોઈ પણ આવે
તો એમને અમે રસ્તો બતાવીએ, તરસ (દયા) પડવી જોઈએ, બિચારા આંધળા છે. આંધળા ને લાકડી
પકડાવીને ને લઈ જાય છે ને. આ બધાં આંધળા છે, જ્ઞાન ચક્ષુ છે નહીં.
હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, તો બધુંજ જાણી ગયાં છો. આખી સૃષ્ટિ
નાં આદિ-મધ્ય-અંત ને આપણે હમણાં જાણીએ છીએ. આ બધી ભક્તિમાર્ગ ની વાતો છે. તમને પહેલા
પણ શું ખબર હતી કે ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં…..આ ચિત્ર કેમ બન્યાં છે?
દુનિયામાં કોઈ પણ આનો અર્થ નથી સમજતાં, તમે હમણાં જાણો છો. જેમ બાપ નોલેજફુલ છે, તમે
એમનાં બાળકો પણ હમણાં નોલેજફુલ બની રહ્યાં છો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ-કોઈને
તો બહુજ નશો ચઢે છે. વાહ! બાબાનાં બાળક બનીને અને બાબા થી પૂરો વારસો નહીં લીધો તો
બાળક બનીને જ શું કર્યું! રોજ રાત્રે પોતાનો પોતામેલ જોવાનો છે. બાબા વ્યાપારી છે
ને. વ્યાપારીઓનો પોતામેલ કાઢવો સહજ હોય છે. ગવર્મેન્ટ સર્વન્ટ (સરકારી કર્મચારી) ને
પોતામેલ કાઢતાં નથી આવડતું, ન તે સોદાગર હોય છે. વ્યાપારી લોકો સારું સમજશે. તમે
વ્યાપારી છો. તમે પોતાનાં નફા નુકસાન ને સમજો છો, રોજ ખાતું જુઓ. મુરાદી સંભાળો.
નુકસાન છે કે ફાયદો છે? સોદાગર છો ને. ગાયન છે ને - બાબા સોદાગર, રત્નાગર છે.
અવિનાશી જ્ઞાન રત્નો નો સોદો આપે છે. આ પણ તમે જાણો છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર.
બધાં કોઈ તિક્ષ્ણ બુદ્ધિ નથી, એક કાન થી સાંભળે છે પછી બીજા થી નીકળી જાય છે. ઝોલીમાં
કાણા થી નીકળી જાય છે. ઝોલી ભરાતી નથી. બાપ કહે છે ધન આપે ધન ન ખૂટે. અવિનાશી જ્ઞાન
રત્ન છે ને. બાપ છે રુપ વસંત. આત્મા તો છે, એમનામાં જ્ઞાન છે. તમે એમનાં બાળકો પણ
રુપ વસંત છો. આત્મામાં નોલેજ ભરાય છે. એનું રુપ છે, ભલે આત્મા નાની છે. રુપ તો છે
ને. એને જાણી શકાય છે, આત્માને પણ જાણી શકાય છે. સોમનાથ ની ભક્તિ કરે છે તો આટલાં
નાના સ્ટાર ની શું પૂજા કરશે. પૂજા માટે કેટલાં લિંગ બનાવે છે. શિવલિંગ છત જેટલી
મોટી-મોટી પણ બનાવે છે. આમ તો છે નાનાં પરંતુ પદ તો ઊંચુ છે ને.
બાપે કલ્પ પહેલાં પણ કહ્યું હતું કે આ જપ, તપ વગેરે થી કોઈ પ્રાપ્તિ નથી થતી. આ બધું
કરતાં નીચે ઉતરતાં જ જાય છે. સીડી નીચે જ ઉતરો છો. તમારી તો હવે ચઢતી કળા છે. આપ
બ્રાહ્મણ પહેલા નંબરનાં જિન્ન છો. વાર્તા છે ને - જિન્નએ કહ્યું, મનેં કામ નહીં આપશો
તો ખાઈ જઈશું. તો તેને કામ આપ્યું-સીડી ચઢો અને ઉતરો. તો તેને કામ મળી ગયું. બાબાએ
પણ કહ્યું છે કે આ બેહદની સીડી તમે ઉતરો છો પછી ચઢો છો. તમે જ આખી સીડી ઉતરો અને ચઢો
છો. જિન્ન તમે છો. બીજા કોઈ આખી સીડી નથી ચઢતાં. આખી સીડીનું જ્ઞાન પામવાથી તમે
કેટલું ઊંચું પદ પામો છો. ફરી ઉતરો છો, ચઢો છો. બાપ કહે છે - હું તમારો બાપ છું. તમે
મને પતિત-પાવન કહો છો ને, હું સર્વશક્તિમાન્ ઓલમાઇટી છું કારણ કે મારી આત્મા સદૈવ
૧૦૦ ટકા પવિત્ર હોય છે. હું બિંદી રુપ ઓથોરિટી છું. બધાં શાસ્ત્રોનું રહસ્ય જાણું
છું. આ કેટલું વંડર છે. આ બધું વન્ડરફુલ જ્ઞાન છે. એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે
કે આત્મામાં ૮૪ જન્મોનો અવિનાશી પાર્ટ છે. તે ક્યારેય ઘસાતો નથી. ચાલતો જ આવે છે.
૮૪ જન્મોનું ચક્ર ફરતું આવે છે. ૮૪ જન્મોનો રેકોર્ડ ભરેલો છે. આટલી નાની આત્મા માં
આટલું જ્ઞાન છે. બાબામાં પણ છે તો આપ બાળકોમાં પણ છે. કેટલો પાર્ટ ભજવે છે. આ પાર્ટ
ક્યારેય ખલાસ નથી થવાનો. આત્મા આ આંખો થી જોવામાં નથી આવતી. છે બિંદી, બાબા પણ કહે
છે હું આવો બિંદી છું. આ પણ આપ બાળકો હવે સમજો છો. તમે છો બેહદનાં ત્યાગી અને રાજઋષિ.
કેટલો નશો ચઢવો જોઈએ. રાજઋષિ બિલકુલ પવિત્ર રહે છે. રાજઋષિ હોય છે - સૂર્યવંશી,
ચંદ્રવંશી, જે અહીંયા રાજાઈ પ્રાપ્ત કરે છે. જેમ હમણાં તમે કરી રહ્યાં છો. આ તો
બાળકો સમજે છે કે અમે જઈ રહ્યાં છીએ. ખેવૈયા ની સ્ટીમર માં બેઠા છીએ. અને આ પણ જાણે
છે આ પુરુષોતમ સંગમયુગ છે. જવાનું પણ જરુર છે, જૂની દુનિયાથી નવી દુનિયામાં, વાયા
શાંતિધામ. આ સદૈવ બાળકોની બુદ્ધિમાં રહેવું જોઈએ. જ્યારે આપણે સતયુગમાં હતાં તો કોઈ
ખંડ નહોતો. આપણું જ રાજ્ય હતું. હવે ફરીથી યોગ બળથી પોતાનું રાજ્ય લઇ રહ્યાં છીએ
કારણ કે સમજાવ્યું છે યોગબળ થી જ વિશ્વની રાજાઈ પામી શકાય છે. બાહુબળ થી કોઈ નથી
પામી શકતું. આ બેહદ નો ડ્રામા છે. ખેલ બનેલો છે. આ ખેલની સમજણ બાપ જ આપે છે. શરુથી
લઈને આખી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે. તમે સૂક્ષ્મવતન, મૂળવતન નાં રહસ્ય
ને પણ સારી રીતે જાણો છો. તમે કેવી રીતે સીડી ઉતરો છો, તે પણ યાદ આવી ગયું. સીડી
ચઢવું અને ઉતરવું આ ખેલ બાળકોની બુદ્ધિ માં બેસી ગયો છે. બુદ્ધિમાં છે કે કેવી રીતે
આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ થાય છે, એમાં અમારો હીરો-હીરોઈન નો પાર્ટ છે.
આપણે જ હાર ખાઈએ છીએ અને પછી જીત પામીએ છીએ એટલે નામ રાખ્યું છે હીરો, હીરોઈન. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં આપણે
વનવાસ માં છીએ-એટલે બહુજ-બહુજ સાધારણ રહેવાનું છે. કોઈ પણ અભિમાન દેહનું કે કપડા
વગેરે નું નથી રાખવાનું. કોઈ પણ કર્મ કરતાં બાપ ની યાદ નો નશો ચઢ્યો રહે.
2. આપણે બેહદનાં ત્યાગી અને રાજઋષિ છીએ-આ જ નશામાં રહી પવિત્ર બનવાનું છે. જ્ઞાન ધન
થી ભરપુર બની દાન કરવાનું છે. સાચાં-સાચાં સોદાગર બની સ્વયં નો પોતામેલ રાખવાનો છે
વરદાન :-
યાદની સર્ચ
લાઈટ દ્વારા વાયુમંડળ બનાવવા વાળા વિજય રત્ન ભવ
સેવાધારી આત્માઓનાં
મસ્તક પર વિજય નું તિલક લાગેલું છે જ પરંતુ જે સ્થાનની સેવા કરવાની છે, એ સ્થાન પર
પહેલાથી જ સર્ચ લાઈટ નો પ્રકાશ નાખવો જોઈએ. યાદની સર્ચ લાઈટ થી એવું વાયુમંડળ બની
જશે જે અનેક આત્માઓ સહજ સમીપ આવી જશે. પછી ઓછા સમયમાં સફળતા હજાર ગુણા હશે. એનાં
માટે દૃઢ સંકલ્પ કરો કે અમે વિજય રત્ન છીએ તો દરેક કર્મ માં વિજય સમાયેલી છે.
સ્લોગન :-
જે સેવા
સ્વયંને કે બીજાને ડિસ્ટર્બ (ખલેલ) કરે તે સેવા, સેવા નથી બોજ છે.