ઓમ્ શાંતિ ! ગીત નાં અક્ષર સાંભળીને આપ બાળકોનાં રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ કારણ કે સન્મુખ બેઠા છે. આખી દુનિયામાં ભલે કેટલાં પણ વિદ્વાન, પંડિત, આચાર્ય છે, કોઈ પણ મનુષ્ય માત્ર ને આ ખબર નથી કે બેહદનાં બાપ દર ૫૦૦૦ વર્ષ પછી આવે છે. બાળકો જ જાણે છે. બાળકો કહે પણ છે, જેવો છું, તેવો છું, તમારો છું. બાપ પણ એવું કહે છે-જેવાં છો તેવાં છો-મારા બાળકો છો. તમે પણ જાણો છો તે બધી આત્માઓનાં બાપ છે. બધાં પોકારે છે. બાપ સમજાવે છે-જુઓ રાવણ નો કેટલો પડછાયો છે. એક પણ સમજી નથી શકતાં કે જેમને આપણે પરમપિતા પરમાત્મા કહીએ છીએ, પછી પિતા કહેવાથી ખુશી કેમ નથી થતી, આ ભૂલી ગયાં છે. એ બાબા જ આપણને વારસો આપે છે. બાપ પોતે જ સમજાવે છે, આ આટલી સહજ વાત પણ કોઈ સમજી નથી શકતાં. બાપ સમજાવે છે આ તો એ જ છે, જેમને આખી દુનિયા પોકારે છે - ઓ ખુદા, હેં રામ…એમ પોકારતાં-પોકારતાં પ્રાણ છોડી દે છે. અહીંયા એ બાપ તમને ભણાવે છે. તમારી બુદ્ધિ હવે ત્યાં ચાલી ગઈ છે. બાબા આવેલાં છે-કલ્પ પહેલા માફક. કલ્પ-કલ્પ બાબા આવીને પતિત થી પાવન બનાવી દુર્ગતિ થી સદ્દગતિ માં લઈ જાય છે. ગાએ પણ છે સર્વ નાં પતિત-પાવન બાપ. હમણાં આપ બાળકો એમનાં સન્મુખ બેઠા છો. તમે છો મોસ્ટ બિલવેડ સ્વીટ ચિલ્ડ્રન (સૌથી પ્રિય મીઠા બાળકો). ભારતવાસીઓની જ વાત છે. બાપ પણ ભારતમાં જ જન્મ લે છે. બાપ કહે છે, હું ભારતમાં જન્મ લઉં છું તો જરુર એ જ પ્યારા લાગશે. યાદ પણ બધાં એમને કરે છે, જેઓ જે ધર્મનાં છે તે પોતાના ધર્મ સ્થાપક ને યાદ કરે છે. ભારતવાસી જ નથી જાણતાં કે અમે આદિ સનાતન ધર્મના હતાં. બાબા સમજાવે છે - ભારત જ પ્રાચીન દેશ છે તો કહી દે છે, કોણ કહે છે કે ભારત જ ફક્ત હતો. અનેકાનેક વાતો સાંભળે છે. કોઈ શું કહેશે, કોઈ શું. કોઈ કહે છે કોણે કહ્યું છે કે ગીતા શિવ પરમાત્માએ જ ગાઈ છે. કૃષ્ણ પણ તો પરમાત્મા હતાં, એમણે ગાઈ. પરમાત્મા સર્વવ્યાપી છે. એમનો જ બધો ખેલ છે. ભગવાનનાં આ બધાં રુપ છે. ભગવાન જ અનેક રુપ ધરી લીલા કરે છે. ભગવાન જે ઈચ્છે તે કરી શકે છે. હમણાં આપ બાળકો જાણો છો, માયા પણ કેટલી પ્રબળ છે. આજે કહે છે, બાબા અમે વારસો જરુર લઈશું, નર થી નારાયણ બનશું. કાલે હશે નહીં. તમે જાણો પણ છો કે કેટલાં ચાલ્યાં ગયાં, ફારકતી (દગો) આપી દીધી. મમ્મા ને મોટર માં ફરાવતાં હતાં. આજે છે નહીં. એવાં સારા-સારા પણ માયાનાં સંગ માં આવી ને એવા પડે છે જે એકદમ નીચે પડી જાય છે. જેમણે કલ્પ પહેલા સમજ્યું છે તે જ સમજશે. આજકાલ દુનિયામાં શું લાગેલું છે અને આપ બાળકો પોતાને જુઓ શું બનો છો. ગીત સાંભળ્યું ને. કહે છે, અમે એવો વારસો લઈએ છે જે અમે આખાં વિશ્વનાં માલિક બની જઈએ છીએ. ત્યાં કોઈ હદ ની વાત જ નથી. અહીંયા હદો (સીમા) લાગેલી છે. કહે છે, અમારા આકાશ માં તમારું એરોપ્લેન (વિમાન) આવશે તો ગોળી મારી દઈશું. ત્યાં તો કોઈ હદ ની વાત જ નથી રહેતી. આ પણ ગીત ગાએ છે પરંતુ અર્થ થોડી સમજે છે. તમે તો જાણો છો બરાબર બાબા થી ફરી થી આપણે વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ. અનેકવાર આ ૮૪ નું ચક્ર લગાવ્યું છે. થોડો સમય દુઃખ પામ્યું છે, સુખ તો બહુજ છે એટલે બાબા કહે છે આપ બાળકોને અપાર સુખ આપું છું. હવે માયા થી હારો નહીં. બાબાનાં બાળકો અનેક છે. બધાં તો એક જેવા સપૂત હોઈ ન શકે. કોઈને ૫-૭ બાળકો હોય છે-એમાં એક બે કપૂત હોય છે તો માથું જ ખરાબ કરી દે છે. લાખો-કરોડો રુપિયા ઉડાવી દે છે. બાપ એકદમ ધર્માત્મા, બાળકો બિલકુલ ચટ ખાતા માં. બાબાએ એવાં બહુજ ઉદાહરણ જોયાં છે.
આપ બાળકો જાણો છો, આખી દુનિયા આ બેહદ બાપનાં બાળકો છે. બાપ કહે છે, મારી જન્મભૂમિ આ ભારત છે. દરેકને પોતાની ધરતી ની કદર હોય છે. બીજી કોઈ જગ્યાએ શરીર છોડે છે તો પછી એમને પોતાના ગામમાં લઈ આવે છે. બાપ પણ ભારતમાં જ આવે છે. આપ ભારતવાસીઓ ને ફરીથી બેહદ નો વારસો આપે છે. આપ બાળકો કહેશો અમે ફરીથી સો દેવતા વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ. આપણે માલિક હતાં, હવે તો શું હાલ થઈ ગયો છે. ક્યાંથી ક્યાં આવીને પડ્યાં છીએ. ૮૪ જન્મ ભોગવતાં-ભોગવતાં આ હાલ થયો છે. ડ્રામા ને તો સમજવાનો છે ને. આને કહેવાય છે હાર અને જીત નો ખેલ. ભારતનો જ આ ખેલ છે, આમાં તમારો પાર્ટ છે. આપ બ્રાહ્મણો નો સૌથી ઊંચેથી ઊંચો પાર્ટ છે-આ ડ્રામા માં. તમે આખાં વિશ્વનાં માલિક બનો છો, બહુજ સુખ ભોગવો છો. તમારા જેટલું સુખ બીજા કોઈ ભોગવી નથી શકતાં. નામ જ છે સ્વર્ગ. આ છે નર્ક. અહીંયાનાં સુખ કાગ વિષ્ટા સમાન છે. આજે લખપતિ છે, બીજા જન્મ માં શું બનશે? કંઈ ખબર થોડી છે. આ છે જ પાપ આત્માઓની દુનિયા. સતયુગ છે પુણ્યાત્માઓની દુનિયા. તમે પુણ્યાત્મા બની રહ્યાં છો, તો ક્યારેય પણ પાપ ન કરવું જોઈએ. હંમેશા બાબા થી સીધા ચાલવું જોઈએ. બાપ કહે છે મારી સાથે ધર્મરાજ સદૈવ છે જ છે, દ્રાપર થી લઈને. સતયુગ ત્રેતા માં મારી સાથે ધર્મરાજ નથી રહેતો. દ્વાપર થી તમે મારા અર્થ દાન-પુણ્ય કરતાં આવ્યાં છો. ઈશ્વર અર્પણ કહો છો ને. ગીતામાં શ્રીકૃષ્ણ નું નામ નાખવાથી લખી દીધું છે - શ્રીકૃષ્ણ અર્પણમ્. રિટર્ન (ફળ) આપવા વાળા તો એક બાપ જ છે એટલે શ્રીકૃષ્ણ અર્પણમ્ કહેવું રોંગ (ખોટું) છે. ઈશ્વર અર્પણ કહેવું ઠીક છે. શ્રી ગણેશ અર્પણ કહેવાથી કંઈ પણ મળશે નહીં. તો પણ ભાવના નું કંઈ ને કંઈ આપતો આવ્યો છું બધાને. મને તો કોઈ જાણતું જ નથી. હમણાં આપ બાળકો જ જાણો છો આપણે બધું જ શિવબાબાને સમર્પણ કરી રહ્યાં છીએ. બાબા પણ કહે છે, હું આવ્યો છું તમને ૨૧ જન્મ નો વારસો આપવાં. હમણાં છે જ ઉતરતી કળા. રાવણ રાજ્ય માં જે પણ દાન પુણ્ય વગેરે કરે છે, પાપ આત્માઓને જ આપે છે. કળા ઉતરતી જ જાય છે. કરીને કંઈક મળે પણ છે તો પણ અલ્પકાળ માટે. હમણાં તો તમને ૨૧ જન્મ માટે મળે છે. એને કહે છે રામરાજ્ય. એવું નહીં કહેશે ત્યાં ઈશ્વરનું રાજ્ય છે. રાજ્ય તો દેવી-દેવતાઓનું છે. બાપ કહે છે, હું રાજ્ય નથી કરતો. તમારો જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જે હવે પ્રાયઃલોપ છે. તે હમણાં ફરી થી સ્થાપન થઈ રહ્યો છે. બાપ તો કલ્યાણકારી છે જ, એમને કહેવાય છે સાચાં બાબા. તમને સાચું જ્ઞાન આપી રહ્યાં છે, પોતાનું અને રચના નાં આદિ-મધ્ય-અંત નું. બાબા તમને બેહદની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે. કેટલી જબરજસ્ત કમાણી છે. તમે ચક્રવર્તી રાજા બનો છો. તેમણે પછી તે હિંસા નું ચક્ર આપી દીધું છે. અસલ આ છે જ્ઞાન નું ચક્ર. પરંતુ આ જ્ઞાન તો પ્રાયઃલોપ થઈ જાય છે. તમારા આ મુખ્ય ચિત્ર છે. એક તરફ ત્રિમૂર્તિ, બીજી તરફ ઝાડ અને ચક્ર. બાબાએ સમજાવ્યું છે-શાસ્ત્રોમાં તો કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે. આખું સૂત જ મૂંઝાયેલું (ગૂંચવાયેલું) છે. બાપ નાં સિવાય કોઈ થી સૂત સુલજી નથી શકતું. બાપ સન્મુખ પોતે આવ્યાં છે. કહે છે મારે ડ્રામા અનુસાર આવવું જ પડે છે. હું આ ડ્રામા માં બંધાયેલો છું. આ થઇ નથી શકતું કે હું આવું જ નહીં. એવું પણ નથી કે આવીને મરેલાને જીવતાં કરી દઉં કે કોઈને બીમારી થી છોડાવી દઉં. ઘણાં બાળકો કહે છે-બાબા અમારા પર કૃપા કરો. પરંતુ અહીંયા કૃપા વગેરેની વાત નથી. તમે મને એટલે થોડી બોલાવ્યો છે કે આશીર્વાદ કરો-અમને કોઈ નુકસાન ન થાય. તમે બોલાવો જ છો, હેં પતિત-પાવન આવો. દુઃખ-હર્તા સુખ-કર્તા આવો. શરીર નાં દુઃખ-હર્તા તો ડોક્ટર લોકો પણ હોય છે. હું કાંઈ એટલાં માટે આવું છું શું! તમે કહો છો નવી દુનિયા સ્વર્ગનાં માલિક બનાવો અથવા શાંતિ આપો. એવું નથી કહેતાં કે અમને બીમારી થી આવીને સારા કરો. હંમેશા માટે શાંતિ કે મુક્તિ તો મળી ન શકે, પાર્ટ તો ભજવવાનો જ છે. જે પાછળ થી આવે છે, એમને શાંતિ કેટલી મળે છે. હમણાં સુધી આવતાં રહે છે. આટલો સમય તો શાંતિધામ માં રહ્યાં ને. ડ્રામા અનુસાર જેનો પાર્ટ છે, તે જ આવશે. પાર્ટ બદલાઈ નથી શકતો. બાબા સમજાવે છે-શાંતિધામ માં તો બહુજ-બહુજ આત્માઓ રહે છે, જે પાછળ થી આવે છે. આ ડ્રામા બનેલો છે. પાછળ વાળા ને પાછળ જ આવવાનું છે. આ ઝાડ બનેલું છે. આ ચિત્ર વગેરે જે બનાવ્યાં છે બધાં તમારે સમજાવવાનાં છે. બીજા પણ ચિત્ર નીકળતાં રહેશે, કલ્પ પહેલાં માફક જ નીકળશે. ૮૪ નો વિસ્તાર ઝાડમાં પણ છે. ડ્રામા ચક્રમાં પણ છે. હવે પછી સીડી નીકાળી છે. મનુષ્ય તો કંઈ પણ જાણતાં નથી. બિલકુલ જ જેમ કે બુદ્ધુ છે. હવે આપ બાળકોની બુદ્ધિમાં છે પરમપિતા પરમાત્મા જે જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે, તે આપણને આ તન દ્વારા ભણાવી રહ્યાં છે. બાપ કહે છે, હું આવું જ છું એમનામાં જે પહેલાં-પહેલાં વિશ્વનાં માલિક હતાં. તમે પણ જાણો છો - બરાબર અમે પણ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બનીએ છીએ. ગીતામાં તો આ વાતો નથી. બાપ કહે છે આ પોતે જ નારાયણની પૂજા કરવા વાળા હતાં, ટ્રેનમાં પણ મુસાફરી કરતાં, ગીતા વાંચતાં હતાં. મનુષ્ય સમજશે, આ તો મોટા ધર્માત્મા છે. હમણાં તે બધી વાતો ભૂલતાં જાય છે. તો પણ એમણે ગીતા વગેરે વાંચી છે ને. બાબા કહે છે હું આ બધું જાણું છું. હમણાં તમે આ વિચાર કરો કે અમે કોની આગળ બેઠા છીએ, જેમનાથી વિશ્વનાં માલિક બનો છો પછી એમને ઘડી-ઘડી ભૂલી કેમ જાઓ છો? બાપ કહે છે તમને ૧૬ કલાક ફ્રી આપું છું, બાકી પોતાની સેવા કરો. પોતાની સેવા કરો છો અર્થાત્ વિશ્વની સેવા કરો છો. એટલો પુરુષાર્થ કરો જે કર્મ કરતાં ઓછામાં ઓછા ૮ કલાક બાપ ને યાદ કરો. હમણાં આખાં દિવસમાં ૮ કલાક યાદ નથી કરી શકતાં. તે અવસ્થા જ્યારે થશે ત્યારે સમજશે આ ખુબ સર્વિસ કરે છે. એવું નહીં સમજો અમે બહુજ સર્વિસ કરીએ છીએ. ભાષણ બહુજ ફર્સ્ટ ક્લાસ કરે છે પરંતુ યોગ બિલકુલ નથી. યોગ ની યાત્રા જ મુખ્ય છે.
બાપ કહે છે માથા પરની વિકર્મો નો બોજો બહુજ છે એટલે સવારે ઉઠીને બાપ ને યાદ કરો. ૨ થી ૫ સુધી છે ફર્સ્ટક્લાસ વાયુમંડળ. આત્મા રાત્રે આત્મ-અભિમાની બની જાય છે, જેને નિદ્રા કહેવાય છે એટલે બાપ કહે છે જેટલું થઈ શકે બાપ ને યાદ કરો. હવે બાપ કહે છે, મનમનાભવ. આ છે ચઢતી કળા નો મંત્ર. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બાપ થી સીધા અને સાચાં થઈને ચાલવાનું છે. કલ્યાણકારી બાપ નાં બાળકો છીએ એટલે સર્વનું કલ્યાણ કરવાનું છે. સપુત બનવાનું છે.
- કર્મ કરતાં પણ ઓછામાં ઓછા ૮ કલાક યાદમાં જરુર રહેવાનું છે. યાદ જ મુખ્ય છે - એનાથી જ વિકર્મો નો બોજ ઉતારવાનો છે.