01-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ઈશ્વરીય સેલવેશન આર્મી ( મુક્તિસેના ) છો , તમારે બધાને સદ્દગતિ આપવાની છે , બધાની
પ્રીત એક બાપ થી જોડાવડાવાની છે”
પ્રશ્ન :-
મનુષ્ય પોતાની
અક્કલ કઈ વાત માં લગાવે છે અને તમારે પોતાની અક્કલ ક્યાં લગાવવાની છે?
ઉત્તર :-
મનુષ્ય તો પોતાની અક્કલ આકાશ અને સૃષ્ટિનો અંત પામવામાં લગાવી રહ્યાં છે પરંતુ આનાથી
તો કોઈ ફાયદો નથી. આનો અંત તો મળી નથી શકતો. આપ બાળકો પોતાની અક્કલ લગાવો છો -
પૂજ્ય બનવામાં. તેમને દુનિયા નહીં પૂજશે. આપ બાળકો તો પૂજ્ય દેવતા બનો છો.
ગીત :-
તુમ્હેં પાકે હમને…
ઓમ શાંતિ!
બાળકો સમજી ગયાં
છે, આ છે જ્ઞાન માર્ગ. તે છે ભક્તિમાર્ગ. હવે પ્રશ્ન ઉઠે છે કે ભક્તિમાર્ગ સારો કે
જ્ઞાનમાર્ગ સારો? બે વસ્તુ થઈ ને. કહેવાય છે જ્ઞાન થી સદ્દગતિ થાય છે. જરુર કહેશે
ભક્તિ અને જ્ઞાન બંને અલગ-અલગ છે. મનુષ્ય સમજે છે કે ભક્તિ કરવાથી જ્ઞાન મળશે ત્યારે
સદ્દગતિ થશે. ભક્તિની વચ માં જ્ઞાન આવી નથી શકતું. ભક્તિ બધાનાં માટે છે, જ્ઞાન પણ
બધાનાં માટે છે. આ સમયે છે પણ કળયુગ નો અંત તો જરુર બધાની દુર્ગતિ થશે એટલે પોકારે
પણ છે અને ગાએ પણ છે કે બીજો સંગ તોડી હવે તમારો સંગ જોડીએ. હવે એ કોણ છે? કોની સાથે
જોડશે? આ તો સમજતાં નથી. ખાસ કરીને બુદ્ધિ કૃષ્ણ તરફ જાય છે. અમે સાચ્ચી પ્રીત તમારી
સંગ જોડીએ. તો જ્યારે કૃષ્ણ થી જ પ્રીત જોડે છે તો પછી ગુરુ ગોસાઈ બીજા કોઇની દરકાર
જ નથી. કૃષ્ણને જ યાદ કરવાનાં છે. કૃષ્ણનું ચિત્ર તો બધાની પાસે છે. કૃષ્ણ જયંતી પણ
મનાવે છે પછી બીજા કોઈની પાસે જવાની દરકાર જ નથી. જેમાં મીરાએ એક સંગ જોડયો.
કામ-કાજ કરતાં કૃષ્ણ ને જ યાદ કરતી રહી. ઘરમાં રહેવાનું-કરવાનું, ખાવાનું, પીવાનું
તો હોય છે. સાચ્ચી પ્રીત એક કૃષ્ણ થી જોડી. જેમ કે તે આશિક અને તે માશૂક થઈ ગયાં.
કૃષ્ણ ને યાદ કરવાથી ફળ પણ મળે છે. કૃષ્ણ ને તો બધાં જાણે છે. ગવાયેલું પણ છે સાચ્ચી
પ્રીત અમે તમારાથી જોડી બીજા સંગ તોડી. હવે ઊંચે થી ઊંચા સાચાં તો પરમપિતા જ છે.
બધાને વારસો આપવા વાળા એક જ બાપ છે. એમને કોઈ પણ જાણતું નથી. ભલે કહે છે - પરમપિતા
પરમાત્મા શિવ, પરંતુ ક્યારે આવે છે, આ નથી જાણતાં. શિવ જયંતી હોય છે તો જરુર આવતાં
હશે. ક્યારે, કેવી રીતે આવે, શું આવીને કરે? કોઈને ખબર નથી. કોઈ પણ મનુષ્ય માત્ર નથી
જાણતાં કે સર્વની સદ્દગતિ કરે છે. પરંતુ કેવી રીતે કરે છે? સદ્દગતિ નો અર્થ શું છે!
કાંઈ પણ નથી સમજતાં. શિવબાબાએ તો જરુર સ્વર્ગની બાદશાહી આપી હશે ને. આપ બાળકો જે તે
ધર્મનાં હતાં, તમને આ ખબર નહોતી, ભૂલી ગયાં હતાં તો પછી બીજા કેવી રીતે જાણી શકશે.
હમણાં શિવબાબા દ્વારા તમે જાણ્યું છે અને બીજાઓને બતાવો છો. તમે છો ઈશ્વરીય સેલવેશન
આર્મી (મુક્તિસેના). સેલવેશન કહો કે સદ્દગતિનાં આર્મી કહો. હવે આપ બાળકો પર જવાબદારી
રહી. તમે ચિત્રો પર પણ સમજાવી શકો છો. ભાષાઓ ખૂબ છે. મુખ્ય ભાષાઓમાં ચિત્ર બનાવવાં
પડે છે. ભાષાઓની પણ મોટી ઝંઝટ છે, એટલે પ્રદર્શની પણ બનાવવી પડે. ચિત્રો પર સમજાવવું
ખૂબ સહજ થાય છે. ગોળા માં પણ બધું જ્ઞાન છે, સીડી ફક્ત ભારતવાસીઓનાં માટે છે. આમાં
બીજા કોઈ ધર્મ છે જ નહીં. એવું થોડી ભારત તમોપ્રધાન બને છે તો બીજા નથી બનતાં.
તમોપ્રધાન તો બધાં બને છે. તો તેમનાં માટે પણ હોવું જોઈએ. આ બધાં બુદ્ધિમાં સર્વિસ
(સેવા) નાં વિચાર આવવાં જોઈએ. બે બાપનું રહસ્ય પણ સમજાવવાનું છે. વારસો રચયિતા થી
મળે છે. આ પણ બધાં ધર્મવાળા જાણે છે કે લક્ષ્મી-નારાયણ ભારતનાં પહેલાં
મહારાજા-મહારાણી હતાં અથવા ભગવાન-ભગવતી હતાં. અચ્છા તેમને આ સ્વર્ગ નું રાજ્ય કેવી
રીતે મળ્યું? જરુર ભગવાન દ્વારા મળ્યું. કેવી રીતે ક્યારે મળ્યું, આ કોઈને પણ ખબર
નથી. ગીતામાં કૃષ્ણનું નામ નાખ્યું પછી પ્રલય દેખાડી દીધી છે. રીઝલ્ટ કંઈ પણ નથી. આ
આપ બાળકોએ સમજાવવાનું છે. ચિત્ર તો બધી તરફ છે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પણ હશે.
ભલે ડ્રેસ, ફીચર્સ વગેરે બીજા હશે. જેમણે જે આવડ્યું તે બેસી બનાવ્યું છે.
શ્રીનાથ-શ્રીનાથિની, આ રાધા-કૃષ્ણ છે ને. શ્રી રાધા, શ્રીકૃષ્ણ તો તાજ વાળા નથી.
કાળા પણ નથી. રાજધાની લક્ષ્મી-નારાયણ ની છે, ન કે રાધા-કૃષ્ણની. મંદિર તો અનેક
પ્રકારનાં બનાવ્યાં છે. નામ તો એક જ રાખશે લક્ષ્મી-નારાયણ. ડિનાયસ્ટી
લક્ષ્મી-નારાયણ ની કહેશે. રામ-સીતાનો સંપ્રદાય, લક્ષ્મી-નારાયણનો સંપ્રદાય,
રાધા-કૃષ્ણનો સંપ્રદાય નથી હોતો. આ વાતો મનુષ્યોનાં વિચારમાં જ નથી. આપ બાળકો પણ
નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો, જેમને સર્વિસ નો શોખ છે - તે તો ઉછળે છે. કોઈ કહે
છે અમે સમજીએ છીએ પરંતુ ધીરે-ધીરે મુખ ખોલવાની પણ યુક્તિઓ રચવી પડે છે. ઘણાં સમજે
છે વેદ-શાસ્ત્ર અધ્યયન કરવાથી, યજ્ઞ, તપ વગેરે કરવાથી, તીર્થ વગેરે કરવાથી પરમાત્મા
ને પામી શકાય છે. પરંતુ ભગવાન કહે છે આ બધાં મારાથી દૂર કરવાનાં રસ્તા છે. ડ્રામા
માં બધાએ દુર્ગતિ ને પામવાનું જ છે તો પછી એવી વાતો બતાવે છે. આગળ હું પણ કહેતો હતો
કે ભગવાન જેમકે ચોટી છે, કોઈ ક્યાંય થી પણ જાય, તો મનુષ્યોએ અનેક પ્રકારનાં રસ્તા
પકડ્યાં છે. ભક્તિમાર્ગ નાં રસ્તા પકડી-પકડી જ્યારે થાકી જાય છે ત્યારે પછી પણ
ભગવાન ને જ પોકારે છે, કે હેં પતિત-પાવન, તમે આવીને પાવન બનવાનો રસ્તો બતાવો. તમારાં
વગર પાવન થઈ નથી શકતાં, થાકી ગયાં છીએ. ભક્તિ દિવસ-પ્રતિદિવસ પૂરું થકાવશે. હમણાં
મેળા વગેરે પર કેટલાં લાખો જઈને ભેગાં થાય છે, કેટલી ગંદકી થાય છે. હવે તો છે અંત.
દુનિયા બદલવાની છે. હકીકત માં દુનિયા એક જ છે. બે ભાગ બનાવ્યાં છે. તો મનુષ્ય સમજશે
સ્વર્ગ, નર્ક અલગ-અલગ દુનિયા છે પરંતુ આ અડધી-અડધી છે. ઉપર માં સતયુગ પછી ત્રેતા,
દ્વાપર, કળયુગ. કળયુગ માં તમોપ્રધાન બનવાનું જ છે. સૃષ્ટિ જૂની થાય છે, આ વાતોને
કોઈ સમજતાં નથી. મૂંઝાયેલાં છે. કોઈ કૃષ્ણ ને ભગવાન, તો કોઈ રામ ને ભગવાન કહી દે
છે. આજકાલ તો મનુષ્ય પોતાને ભગવાન કહી દે છે. અમે ઈશ્વરનાં અવતાર છીએ. દેવતાઓથી પણ
મનુષ્ય આગળ થઈ ગયાં છે. દેવતાઓ ને તો પણ દેવતા જ કહેશે. આ તો પછી મનુષ્ય ને ભગવાન
કહી દે છે. આ છે ભક્તિમાર્ગ. દેવતાઓ તો સ્વર્ગમાં રહેવાવાળા હતાંં, હમણાં કળયુગ
આયરન એજ માં પછી મનુષ્ય ભગવાન કેવી રીતે થઈ શકે? બાપ કહે છે - હું આવું જ છું
સંગમયુગ પર, જ્યારે કે મારે આવીને દુનિયાને ટ્રાન્સફર (પરિવર્તન) કરવાની છે. કળયુગ
થી સતયુગ થઈ બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જશે. તે છે નિરાકારી દુનિયા. આ છે
સાકારી દુનિયા. નિરાકારી ઝાડ પણ સમજાવવા માટે મોટું બનાવવું પડે. બ્રહ્મ મહતત્વ પણ
એટલું મોટું છે, જેટલું મોટું આકાશ છે. બન્ને નો અંત પામી ન શકાય. ભલે કોશિશ કરે છે
- એરોપ્લેન (વિમાન) વગેરેમાં જઈશું પરંતુ અંત નથી પામી શકતાં. સમુદ્ર જ સમુદ્ર….
આકાશ જ આકાશ છે. ત્યાં તો કંઈ પણ છે નહીં. ભલે કોશિશ ખૂબ કરે છે પરંતુ આ બધી વાતો
થી ફાયદો શું. સમજે છે અમે પોતાની અક્કલ નીકાળીએ છીએ. આ છે મનુષ્ય ની અક્કલ, સાયન્સ
(વિજ્ઞાન) નો ઘમંડ પણ મનુષ્યોમાં છે. ભલે કેટલો પણ કોઈ અંત પામે, પરંતુ તેમને આખી
દુનિયા પૂજશે તો નહીં. દેવતાઓની તો પૂજા થાય છે. આપ બાળકોને બાપ કેટલાં ઉંચ બનાવે
છે. બધાને લઈ જાય છે શાંતિધામ. ભલે આ બધાં જાણે છે, અમે મૂળવતન થી આવીએ છીએ પરંતુ
જે પ્રકારે તમે સમજો છો તેમ દુનિયા નથી જાણતી. તે શું છે, કેવી રીતે આત્માઓ ત્યાં
રહે છે પછી નંબરવાર આવે છે. આ કોઈ નથી જાણતું. બ્રહ્મ મહતત્વ માં નિરાકારી ઝાડ છે.
આ નથી સમજતાં, સતયુગ માં થોડા રહે છે. બાકી બધી આત્માઓ મૂળવતન માં રહે છે. જેમ આ
સાકારી વતન છે તેમ જ મૂળવતન છે. વતન ક્યારેય ખાલી નથી થતું, ન આ ન તે. જ્યારે અંત
થાય છે તો ટ્રાન્સફર થઈ જાય છે. કોઈ તો આ વતનમાં રહે છે. આખું વતન ખાલી થઈ જાય પછી
તો પ્રલય થઈ જાય. પ્રલય થતી નથી. અવિનાશી ખંડ છે ને. આ બધી વાતો બુદ્ધિ માં રાખવાની
છે. આખો દિવસ આ જ વિચાર ચાલતાં રહે અમે કોઈનું કલ્યાણ કરીએ. તમારા સંગ પ્રીત જોડાઈ
તો એમનો પરિચય આપીએ ને. એ બાપ છે, એમનાથી વારસો મળે છે. કેવી રીતે મળે છે, તે અમે
બતાવી શકીએ છીએ. બતાવવા વાળામાં પણ નંબરવાર છે. કોઈ તો ખૂબ સારી રીતે ભાષણ કરે છે,
કોઈ કરી નથી શકતાં તો શીખવું પડે. દરેક બાળકે પોતાનું કલ્યાણ કરવાનું છે. જ્યારે કે
રસ્તો મળ્યો છે તો એક બીજાનું કલ્યાણ કરવાનું છે. દિલ થાય છે બીજાઓને પણ બાપ થી
વારસો અપાવીએ. રુહાની ખિદમત (સેવા) કરીએ. બધાં એકબીજા ની સેવા કરે છે.
બાપ આવીને રુહાની સેવા શીખવાડે છે બીજું કોઈપણ રુહાની સેવા નથી જાણતું. રુહાની બાપ
જ રુહો ની સેવા કરે છે. શારીરિક સેવા તો જન્મ-જન્માંતર ખૂબ કરી, હવે અંતિમ જન્મમાં
રુહાની સેવા કરવાની છે, જે બાપે શીખવાડી છે. કલ્યાણ આમાં છે બીજા કોઈમાં ફાયદો નથી.
ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે, સંબંધ નિભાવવાનો છે. તેમને પણ આ જ સમજાવી ને
કલ્યાણ કરવાનું છે. પ્રીત હશે તો કંઈક સાંભળશે. ઘણાં તો ડરે છે કે ખબર નહીં અમારે
પણ સંન્યાસ કરવો પડે. આજકાલ તો સંન્યાસી ખૂબ છે ને. કફની પહેરી બે અક્ષર સંભળાવ્યાં,
ખાવાનું તો મળી જ જાય છે, ક્યાંય ને ક્યાંથી. કોઈ દુકાન પર જશે, બે પૂરી આપી દેશે.
પછી બીજા પાસે જશે, પેટ પૂજા થઈ જાય છે. ભીખ માંગવા વાળા પણ અનેક પ્રકાર નાં હોય
છે. આ બાપ થી તો એક જ પ્રકાર નો વારસો મળે છે. બેહદની બાદશાહી મળે છે, સદા નિરોગી
બને છે. સાહૂકાર મુશ્કિલ આવે છે. ગરીબોનું પણ કલ્યાણ કરવું જોઈએ. બાબા પ્રદર્શનીઓ
ખૂબ બનાવડાવી રહ્યાં છે કારણ કે ગામડા ખૂબ છે ને. મિનિસ્ટર (મંત્રી) વગેરે સમજશે છે
કે આ નોલેજ સારું છે તો બધાં સાંભળવાં લાગી પડશે. હાં, આગળ ચાલીને તમારું નામ
પ્રસિદ્ધ થશે, પછી ખૂબ આવશે. કટ નીકળવામાં સમય લાગે છે. રાત-દિવસ કોઈ લાગી જાય તો
કદાચ નીકળી પડે. આત્મા પ્યોર (પવિત્ર) થઈ જશે પછી આ શરીર પણ છોડશે. આ બધી સમજવાની
વાતો છે. પ્રદર્શનીમાં પણ સમજાવવાનું છે. મુખ્ય છે બધી ભારત ની વાત. ભારતનું રાઈઝ (ઉત્થાન)
થઈ જાય છે તો બધાનું રાઈઝ થઈ જાય છે. પ્રોજેક્ટર થી પણ પ્રદર્શની માં વધારે સર્વિસ
થઈ શકે છે. ધીરે-ધીરે વૃદ્ધિ ને પામતાં જશે. દિવસ-પ્રતિદિવસ તમારું નામ પ્રસિદ્ધ થતું
જશે. આ પણ લખવું જોઈએ કે ૫ હજાર વર્ષ પહેલાં પણ એવું થયું હતું. આ તો ખૂબ વન્ડરફુલ
(અદ્દભુત) વાતો છે. બાબા ઈશારો આપે છે. બાળકો ઘણી વાતો ભૂલી જાય છે. કંઈ પણ થાય છે
તો કહેશું આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ આવું થયું હતું. છે ઘણી ક્લિયર (સ્પષ્ટ) વાત.
પરંતુ જ્યારે કોઈની બુદ્ધિ માં આ બેસે. સમાચાર પત્ર માં નાખી શકાય, તો કંઈ સમજે તો
ખરા. જ્ઞાનમાર્ગ માં ખૂબ ફસ્ટક્લાસ અવસ્થા જોઈએ. એવી-એવી વાતોને યાદ કરી હર્ષિત પણ
રહેવાનું હોય છે. પ્રેક્ટિસ (અભ્યાસ) પડી જાય તો પછી અવસ્થા ખૂબ ખુશમિજાજ થઈ જાય
છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજા બધાથી
બુદ્ધિ ની પ્રીત તોડી એક બાપ થી જોડવાની છે બીજા બધાની પ્રીત એક બાપથી જોડાવવાની
સેવા કરવાની છે.
2. સાચ્ચા-સાચ્ચા રુહાની ખિદમતગાર (સેવાધારી) બનવાનું છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું
છે અને બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. અવસ્થા ખૂબ ખુશમિજાજ બનાવવાની છે.
વરદાન :-
એક બાપ ની
સ્મૃતિ થી સાચાં સુહાગ નો અનુભવ કરાવવા વાળા ભાગ્યવાન આત્મા ભવ
જે કોઈ પણ આત્માનાં
બોલ સાંભળવાં છતાં સાંભળતાં નથી, કોઈ અન્ય આત્માની સ્મૃતિ સંકલ્પ કે સ્વપ્નમાં પણ
નથી લાવતાં અર્થાત્ કોઈ પણ દેહધારી નાં ઝુકાવ માં નથી આવતાં, એક બાપ બીજું ન કોઈ આ
સ્મૃતિમાં રહે છે તેમને અવિનાશી સુહાગ નું તિલક લાગી જાય છે. એવાં સાચાં સુહાગ વાળા
જ ભાગ્યવાન છે.
સ્લોગન :-
પોતાની
શ્રેષ્ઠ સ્થિતિ બનાવવી છે તો અંતર્મુખી બની પછી બાહ્યમુખતા માં આવો.