03-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
બાપ ની યાદમાં એક્યુરેટ રહો તો તમારો ચહેરો સદા ચમકતો ખુશનમઃ રહેશે”
પ્રશ્ન :-
યાદ માં
બેસવાની વિધિ કઈ છે તથા એનાથી લાભ શું-શું થાય છે?
ઉત્તર :-
જ્યારે યાદ માં બેસો છો તો બુદ્ધિ થી બધાં ધંધાધોરી વગેરેની પંચાયત ને ભૂલી પોતાને
દેહી (આત્મા) સમજો. દેહ અને દેહનાં સંબંધો ની મોટી જાળ છે, તે જાળ ને હપ કરીને
દેહ-અભિમાન થી પરે થઈ જાઓ અર્થાત્ આપ મુયે મર ગઈ દુનિયા. જીવતે જીવ બધું ભૂલી એક
બાપની યાદ રહે, આ છે અશરીરી અવસ્થા, આનાથી આત્માની કટ ઉતરતી જશે.
ગીત :-
રાત કે રાહી…
ઓમ શાંતિ!
બાળકો યાદની
યાત્રા માં બેઠા છે, જેને કહેવાય છે નેષ્ઠામાં અથવા શાંતિમાં બેઠાં છે. ફક્ત શાંતિમાં
નથી બેસતાં, કાંઈ કરી રહ્યાં છે. સ્વધર્મ માં સ્થિત છે. પરંતુ યાત્રા પર પણ છો. આ
યાત્રા શીખવાડવા વાળા બાપ સાથે પણ લઈ જાય છે. તે હોય છે શરીરધારી બ્રાહ્મણ, જે સાથે
લઈ જાય છે. તમે છો રુહાની બ્રાહ્મણ, બ્રાહ્મણો નો વર્ણ અથવા કુળ કહેશું. હવે બાળકો
યાદ ની યાત્રા માં બેઠા છો બીજા સતસંગો માં બેસતાં હશે તો ગુરુની યાદ આવશે. ગુરુ
આવીને પ્રવચન સંભળાવે. તે છે બધું ભક્તિમાર્ગ. આ યાદની યાત્રા છે, જેનાથી વિકર્મ
વિનાશ થાય છે. તમે યાદ માં બેસો છો, જંક અર્થાત્ કટ નીકાળવા માટે. બાપનું ડાયરેક્શન
છે યાદ થી કટ નીકળશે કારણકે પતિત-પાવન હું જ છું. હું કોઈની યાદ થી નથી આવતો. મારું
આવવાનું પણ ડ્રામામાં નોંધ છે. જ્યારે પતિત દુનિયા બદલાઈ ને પાવન દુનિયા થવાની છે,
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જે પ્રાય:લોપ છે, તેની સ્થાપના ફરીથી બ્રહ્મા દ્વારા કરે
છે. જે બ્રહ્માનાં માટે જ સમજાવ્યું છે - બ્રહ્મા સો વિષ્ણુ, સેકન્ડમાં બને છે. પછી
વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. આ પણ બુદ્ધિથી સમજવાની વાતો છે. તમે
જે શુદ્ર હતાં, હવે બ્રાહ્મણ વર્ણ માં આવ્યાં છો. તમે બ્રાહ્મણ બનો છો તો શિવબાબા
બ્રહ્મા દ્વારા તમને આ યાદની યાત્રા શીખવાડે છે, ખાદ નીકાળવા માટે. આ રચના નું ચક્ર
કેવી રીતે ફરે છે તે તો સમજી ગયાં. આમાં કોઈ વાર નથી લાગતી. હમણાં છે પણ બરાબર
કળયુગ. તે ફક્ત કહે છે - કળયુગ નો હમણાં આદિ છે બાપ બતાવે છે કળયુગ નો અંત છે. ઘોર
અંધકાર છે. બાપ કહે છે, તમને આ બધાં વેદ શાસ્ત્રો નો સાર સમજાવું છું.
આપ બાળકો સવારનાં જ્યારે અહીંયા બેસો છો તો યાદ માં બેસવાનું હોય છે. નહીં તો માયાનાં
તોફાન આવશે. ધંધા-ધોરી તરફ બુદ્ધિયોગ જશે. આ બધી બહારની પંચાયત છે ને. જેમ કરોળિયો
કેટલી જાળ કાઢે છે. બધું હપ પણ કરી લે છે. દેહનો કેટલો પ્રપંચ છે. કાકા, મામા, ગુરુ
ગોસાઈ…..કેટલી જાળ દેખાય છે. તે બધી હપ કરવાની છે દેહ સહિત. એકલાં દેહી બનવાનું છે.
મનુષ્ય શરીર છોડે છે - તો બધુંજ ભૂલી જાય છે. આપ મુયે મર ગઈ દુનિયા. આ તો બુદ્ધિમાં
જ્ઞાન છે કે આ દુનિયા ખતમ થવાની છે. બાપ સમજાવે છે - જેમનું મુખ નથી ખુલતું તો ફક્ત
યાદ કરો. જેમ આ (બ્રહ્મા) બાપ ને યાદ કરે છે. કન્યા, પતિ ને યાદ કરે છે કારણ કે પતિ,
પરમેશ્વર થઈ જાય છે એટલે બાપથી બુદ્ધિ નીકળી પતિ માં ચાલી જાય છે. આ તો પતિઓનાં પતિ
છે, બ્રાઈડગ્રૂમ (સાજન) છે ને. તમે બધાં છો બ્રાઈડસ (સજનીઓ), ભગવાન ની બધાં ભક્તિ
કરે છે. બધી ભક્તિઓ રાવણનાં પહેરામાં કેદ છે તો બાપને જરુર તરસ પડશે ને. બાપ
રહેમદિલ છે, એમને જ રહેમદિલ કહેવાય છે. આ સમયે ગુરુ તો અનેક પ્રકારનાં છે. જે કંઈ
શિક્ષા આપે છે, તેમને ગુરુ કહી દે છે. અહીંયા તો બાપ પ્રેક્ટિકલ માં રાજયોગ શીખવાડે
છે. આ રાજ્યોગ કોઈને શીખવાડતાં આવડશે જ નહીં, પરમાત્મા નાં સિવાય. પરમાત્માએ જ આવીને
રાજયોગ શીખવાડ્યો હતો. પછી એનાથી શું થયું? આ કોઈને ખબર નથી. ગીતા નું પ્રમાણ તો ઘણાં
આપે છે, નાની કુમારીઓ પણ ગીતા કંઠસ્થ કરી લે છે, તો કાંઈ ને કાંઈ મહિમા થાય છે. ગીતા
કોઈ ગુમ થઈ નથી. ગીતાની ખૂબ મહિમા છે. ગીતા જ્ઞાન થી જ બાપ આખી દુનિયાને રિજ્યુવનેટ
(પવિત્ર) કરે છે. તમારી કાયા કલ્પતરુ, કલ્પવૃક્ષ સમાન અથવા અમર બનાવી દે છે.
આપ બાળકો બાપ ની યાદ માં રહો છો, બાબાનું આહવાન નથી કરતાં. તમે બાપની યાદ માં રહી
પોતાની ઉન્નતિ કરી રહ્યાં છો. બાપનાં ડાયરેક્શન પર ચાલવાનો પણ શોખ હોવો જોઈએ. અમે
શિવબાબા ને યાદ કરી ને જ ભોજન ખાઈશું. એટલે શિવબાબા ની સાથે ખાઓ છો. ઓફીસ માં પણ
કંઈ ને કંઈ સમય મળે છે. બાબા ને લખે છે, ખુરશી પર બેસીએ છીએ તો યાદ માં બેસી જાઈએ
છીએ. ઓફિસર આવીને જુવે છે, તે બેઠા-બેઠા ગુમ થઈ જાય છે અર્થાત્ અશરીરી થઈ જાય છે.
કોઈની આંખ બંધ થઈ જાય છે, કોઈની ખુલ્લી રહે છે. કોઈ એવી રીતે બેસેલાં હશે - કાંઈ પણ
જેમ કે જોશે નહીં. જેમ કે ગુમ રહે છે. એવું-એવું થાય છે. બાબા એ દોરી ખેંચી લીધી અને
મોજ માં બેઠા છે. એને પૂછશે તમને શું થયું? કહેશે - અમે તો બાપ ની યાદ માં બેઠા હતાં.
બુદ્ધિ માં રહે છે અમને જવાનું છે બાબા ની પાસે. બાપ કહે છે, સોલ કાન્સેસ બનવાથી તમે
મારી પાસે આવી જશો. ત્યાં પવિત્ર બન્યાં વગર થોડી જઈ શકશે. હવે પવિત્ર બનાય કેવી
રીતે? એ બાપ જ બતાવી શકે છે. મનુષ્ય બતાવી ન શકે. તમે કંઈક ને કંઈક સમજ્યું હશે તો
બીજાઓનું પણ કલ્યાણ કરશો. તમને કોઈનું કલ્યાણ કરવાં, બાપ નો પરિચય આપવાનો પુરુષાર્થ
જરુર કરવાનો છે. ભક્તિમાર્ગ માં પણ ઓ ગોડફાધર કહી યાદ કરે છે. ગોડ ફાધર રહેમ કરો.
પોકારવાની એક આદત થઈ ગઈ છે. બાપ આપ બાળકોને પોતાનાં સમાન કલ્યાણકારી બનાવે છે.
માયાએ બધાં ને કેટલાં બેસમજ બનાવી દીધાં છે. લૌકિક બાપ પણ બાળકોની ચલન ઠીક નથી જોતાં
તો કહે છે કે તમે તો બેસમજ છો. એક વર્ષ માં બાપ ની બધી મિલકત ઉડાવી દેશો. તો બેહદનાં
બાપ પણ કહે છે, તમને શું બનાવ્યાં હતાં, હમણાં પોતાની ચલન તો જુઓ. હવે આપ બાળકો સમજો
છો કેવો વન્ડરફુલ (અદ્દભુત) ખેલ છે. ભારત નો કેટલો ડાઉનફાલ (પતન) થઈ જાય છે. ડાઉન
ફાલ ઓફ ભારતવાસી (ભારત નું પતન). તેઓ પોતાને એવાં સમજતા નથી કે અમે પડેલા છીએ, અમે
કળયુગી તમોપ્રધાન બન્યાં છીએ. ભારત સ્વર્ગ હતું અર્થાત્ મનુષ્ય સ્વર્ગવાસી હતાં, એ
જ મનુષ્ય હવે નર્કવાસી છે. આ જ્ઞાન કોઈમાં છે નહીં. આ બાબા પણ જાણતાં નહોતાં. હવે
બુદ્ધિમાં ચમત્કાર આવ્યો છે. ૮૪ જન્મ લેતા-લેતા સીડી તો જરુર ઉતરવી પડશે, ઉપર ચઢવાની
જગ્યા પણ નથી. ઉતરતા-ઉતરતા પતિત બનવાનું છે. આ વાત કોઈ ની બુદ્ધિમાં નથી. બાપે આપ
બાળકોને સમજાવ્યું છે, તમે પછી ભારતવાસીઓને સમજાવો છો કે તમે સ્વર્ગવાસી હતાં હવે
નર્કવાસી બન્યાં છો. ૮૪ જન્મ પણ તમે લીધાં છે. પુનર્જન્મ તો માનો છો ને. તો જરુર
નીચે ઉતરવાનું છે. કેટલાં પુનર્જન્મ લીધાં છે, એ પણ બાપે સમજાવ્યું છે. આ સમયે તમે
અનુભવ કરો છો, આપણે પાવન દેવી દેવતા હતાં પછી રાવણએ પતિત બનાવ્યાં છે. બાપે આવીને
ભણાવવું પડે છે, શૂદ્ર થી દેવતા બનાવવા માટે. બાપ ને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક)
કહે છે, પરંતુ અર્થ નથી સમજતાં. હવે તે સમય જલ્દી આવશે જે બધાને ખબર પડશે, જુઓ શું
થી શું બની ગયાં છે! ડ્રામા કેવી રીતે બનેલો છે, કોઈને સ્વપ્નમાં પણ નહોતું કે અમે
લક્ષ્મી-નારાયણ જેવા બની શકીએ છીએ. બાપ કેટલું સ્મૃતિમાં લઈ આવે છે. હવે બાપ થી
વારસો લેવો છે તો શ્રીમત પર ચાલવાનું છે. યાદની યાત્રા ની પ્રેક્ટિસ કરવાની છે. તમને
ખબર છે કે પાદરી લોકો ચાલતાં જાય છે, કેટલાં સાઇલેન્સ (શાંતિ) માં એવાં ચાલે છે. તે
ક્રાઈસ્ટ ની યાદ માં રહે છે. તેમનો ક્રાઈસ્ટ ની સાથે પ્રેમ છે. આપ રુહાની પન્ડાઓની
પ્રીત બુદ્ધિ છે પરમપ્રિય પરમપિતા પરમાત્માની સાથે. બાળકો જાણે છે, નંબરવાર
પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાં માફક રાજધાની જરુર સ્થાપન થશે, જેટલો પુરુષાર્થ કરી
શ્રીમત પર ચાલશો. બાપ તો ખુબ સારી-સારી મત આપે છે. છતાં પણ ગ્રહચારી એવી બેસી જાય
છે જે શ્રીમત પર ચાલતાં જ નથી. તમે જાણો છો શ્રીમત પર ચાલવામાં જ વિજય છે. નિશ્ચયમાં
જ વિજય છે. બાપ કહે છે તમે મારી મત પર ચાલો. કેમ સમજો છો કે આ બ્રહ્મા મત આપે છે?
હંમેશા સમજો શિવબાબા સલાહ આપે છે. એ તો સર્વિસ ની જ મત આપશે. કોઈ કહેશે, બાબા આ
વ્યાપાર ધંધો કરું? બાબા કોઈ આ વાતો માટે મત નહીં આપશે. બાપ કહે છે, હું આવ્યો છું
પતિત થી પાવન બનાવવાની યુક્તિ બતાવવા, ન કે આ વાતોનાં માટે. મને બોલાવે પણ છે - હેં
પતિત-પાવન આવીને અમને પાવન બનાવો તો હું તે યુક્તિ બતાવું છું, બહુજ સહજ. તમારું
નામ જ છે ગુપ્ત સેના. તેમણે પછી હથિયાર બાણ વગેરે દેખાડયાં છે. પરંતુ આમાં બાણ
વગેરેની કોઈ વાત જ નથી. આ બધું છે ભક્તિમાર્ગ.
બાપ આવીને સાચ્ચો માર્ગ બતાવે છે - જેનાથી અડધોકલ્પ તમે સચખંડ માં ચાલ્યાં જાઓ છો.
ત્યાં બીજા કોઈ ખંડ હોતાં જ નથી. કોઈને સમજાવો તો પણ માનશે નહીં કે આ કેવી રીતે થઈ
શકે છે કે ફક્ત ભારત જ હતું. ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું ને,
ત્યારે બીજા કોઈ ધર્મ નહોતાં. પછી ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. તમે ફક્ત પોતાનાં
બાપ ને, પોતાનાં ધર્મ, કર્મ ને ભૂલી ગયાં છો. દેવી-દેવતા ધર્મ નાં પોતાને સમજે તો
ગંદી વસ્તુ વગેરે કંઈ પણ ન ખાત. પરંતુ ખાય છે - કારણ કે તે ગુણ નથી એટલે પોતાને
હિન્દુ કહી દે છે. નહીં તો લજ્જા આવવી જોઈએ, અમારા મોટા આવાં પવિત્ર અને અમે આવાં
પતિત બની ગયાં છીએ. પરંતુ પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છે. હવે તમે ડ્રામાનાં
આદિ-મધ્ય-અંત ને સારી રીતે સમજી ગયાં છો. કોઈ પણ એવી વાત થાય તો તમે કહી શકો છો કે
આ પોઇન્ટ હમણાં બાબાએ બતાવી નથી. બસ. નહીં તો મફત માં મૂંઝાય છે. બોલો, અમે ભણી
રહ્યાં છીએ. બધું હમણાં જ જાણી લઈએ પછી તો વિનાશ થઈ જાય. પરંતુ ના. હમણાં માર્જિન (તક)
છે. અમે ભણી રહ્યાં છીએ. અંતમાં સંપૂર્ણ પવિત્ર થઈ જઈશું. નંબરવાર પુરુષાર્થ અનુસાર
કટ નીકળતી જશે સતોપ્રધાન બની જઈશું. પછી આ પતિત દુનિયાનો વિનાશ થઇ જશે. આજકાલ કહે
પણ છે કે પરમાત્મા ક્યાંક જરુર આવ્યાં છે. પરંતુ ગુપ્ત છે. સમય તો બરાબર વિનાશ નો
છે ને. બાપ જ લિબરેટર, ગાઈડ છે જે પાછાં લઈ જશે, મચ્છરો સદૃશ્ય મરશે. આ પણ જાણે છે,
બધાં એકરસ યાદ માં નથી બેસતાં. કોઈ નો એક્યુરેટ યોગ રહે છે, કોઈનો અડધો કલાક, કોઈ
નો ૧૫ મિનિટ. કોઈ તો એક મિનિટ પણ યાદમાં નથી રહેતાં. કોઈ કહે છે અમે આખો સમય બાપની
યાદ માં રહીએ છીએ, તો જરુર તેમનો ચહેરો ખુશનમઃ ચમકતો રહેશે. અતીન્દ્રિય સુખ એવાં
બાળકો ને રહે છે. ક્યાંય પણ બુદ્ધિ ભટકતી નથી. તે સુખ અનુભવ કરતાં હશે. બુદ્ધિ પણ
કહે છે એક માશૂકની યાદમાં બેઠા રહીએ તો કેટલી કટ ઉતરી જાય. પછી આદત પડી જશે. યાદની
યાત્રાથી તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ), એવરવેલ્દી (સદા સંપન્ન) બનો છો. ચક્ર પણ યાદ
આવી જાય છે. ફક્ત યાદ માં રહેવાની મહેનત છે. બુદ્ધિ માં ચક્ર પણ ફરતું રહેશે.
હમણાં તમે માસ્ટર બીજરુપ બનો છો. યાદની સાથે સ્વદર્શન ચક્ર ને પણ ફરાવવાનું છે. તમે
ભારતવાસી લાઈટ હાઉસ છો. સ્પ્રીચ્યુઅલ લાઈટ હાઉસ બધાને રસ્તો બતાવો છો ઘર નો. તે પણ
સમજાવવું પડે ને. તમે મુક્તિ જીવનમુક્તિ નો રસ્તો બતાવો છો એટલે તમે છો
સ્પ્રીચ્યુઅલ લાઈટ હાઉસ. તમારું સ્વદર્શન ચક્ર ફરતું રહે છે. નામ લખવાનું છે તો
સમજાવવું પણ પડે. બાબા સમજાવતાં રહે છે, તમે સમ્મુખ બેઠા છો. જે પિયાની સાથે છે
તેમનાં માટે સમ્મુખ વરસાદ છે. સૌથી વધારે મજા સમ્મુખ ની છે. પછી સેકન્ડ નંબર છે ટેપ.
થર્ડ નંબર મુરલી. શિવબાબા બ્રહ્મા દ્વારા બધું સમજાવે છે. આ (બ્રહ્મા) પણ જાણે તો
છે ને. છતાં પણ તમે એ જ સમજો કે “શિવબાબા કહે છે’’ આ ન સમજવાનાં કારણે ખુબ અવજ્ઞા
કરે છે. શિવબાબા જે કહે છે, તે કલ્યાણકારી જ છે. ભલે અકલ્યાણ થઈ જાય, તે પણ કલ્યાણનાં
રુપમાં બદલાઈ જશે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપનાં
દરેક ડાયરેક્શન પર ચાલીને પોતાની ઉન્નતિ કરવાની છે. એક બાપ થી સાચ્ચી-સાચ્ચી પ્રીત
રાખવાની છે. યાદમાં જ ભોજન બનાવવાનું અને ખાવાનું છે.
2. સ્પ્રીચ્યુઅલ લાઈટ હાઉસ બની બધાને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે. બાપ
સમાન કલ્યાણકારી જરુર બનવાનું છે.
વરદાન :-
એક બાપ માં આખાં
સંસાર નો અનુભવ કરવા વાળા બેહદનાં વૈરાગી ભવ
બેહદનાં વૈરાગી એ જ
બની શકે જે બાપને જ પોતાનો સંસાર સમજે છે. જેમનો બાપ જ સંસાર છે તે પોતાનાં સંસાર
માં જ રહેશે, બીજા માં જશે જ નહીં તો કિનારો સ્વતઃ થઈ જશે. સંસાર માં વ્યક્તિ અને
વૈભવ બધું આવી જાય છે. બાપની સંપત્તિ સો પોતાની સંપત્તિ - આવી સ્મૃતિ માં રહેવાથી
બેહદનાં વૈરાગી થઈ જશે. કોઈને જોવા છતાં પણ જોશે નહીં. દેખાશે જ નહીં.
સ્લોગન :-
પાવરફુલ
સ્થિતિનો અનુભવ કરવા માટે એકાંત અને રમણીકતા નું બેલેન્સ (સંતુલન) રાખો.