11-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
આંખો થી જે કાંઈ જુઓ છો આ બધી જૂની દુનિયાની સામગ્રી છે , આ સમાપ્ત થવાની છે , એટલે
આ દુઃખધામ ને બુદ્ધિથી ભૂલી જાઓ ”
પ્રશ્ન :-
મનુષ્યોએ બાપ
પર કયો દોષ લગાવ્યો છે પરંતુ તે દોષ કોઈનો પણ નથી?
ઉત્તર :-
આટલો મોટો જે વિનાશ થાય છે, મનુષ્ય સમજે છે ભગવાન જ કરાવે છે, દુઃખ પણ એ આપે, સુખ
પણ એ આપે. આ ખુબ મોટો દોષ લગાવી દીધો છે. બાપ કહે-બાળકો, હું સદા સુખદાતા છું, હું
કોઈને દુઃખ નથી આપી શકતો. જો હું વિનાશ કરાવું તો બધું પાપ મારા પર આવી જાય. એ તો
બધું ડ્રામા અનુસાર થાય છે, હું નથી કરાવતો.
ગીત :-
રાત કે રાહી
………..
ઓમ શાંતિ!
બાળકોને
શીખવાડવા માટે ઘણાં ગીત ખુબ સરસ છે. ગીતનો અર્થ કરવાથી વાણી ખુલી જશે. બાળકોની
બુદ્ધિમાં તો છે કે આપણે બધાં દિવસ ની યાત્રા પર છીએ, રાતની યાત્રા પૂરી થાય છે.
ભક્તિ માર્ગ છે જ રાતની યાત્રા. અંધારામાં ધક્કા ખાવાના હોય છે. અડધોકલ્પ રાતની
યાત્રા કરી ઉતરતા આવ્યાં છો. હમણાં આવ્યાં છો દિવસની યાત્રા પર. આ યાત્રા એક જ વખત
કરો છો. તમે જાણો છો યાદની યાત્રાથી આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બની ફરી સતોપ્રધાન
સતયુગનાં માલિક બનીએ છીએ. સતોપ્રધાન બનવાથી સતયુગનાં માલિક, તમોપ્રધાન બનવાથી
કળયુગનાં માલિક બનો છો. તેને કહેવાય છે સ્વર્ગ, આને કહેવાય છે નર્ક. હવે આપ બાળકો
બાપ ને યાદ કરો છો. બાપ થી સુખ જ મળે છે. જો બીજું કંઈ બોલી નથી શકતા તે ફક્ત આ યાદ
રાખે - શાંતિધામ છે આપણું આત્માઓનું ઘર, સુખધામ છે સ્વર્ગની બાદશાહી અને હમણાં આ છે
દુઃખધામ, રાવણરાજ્ય. હવે બાપ કહે છે આ દુઃખધામ ને ભૂલી જાઓ. ભલે અહીંયા રહો છો પરંતુ
બુદ્ધિમાં એ રહે કે આ આંખોથી જે કંઈ જોઈએ છીએ એ બધું રાવણરાજ્ય છે. આ શરીરોને જોઈએ
છીએ, આ પણ બધી જૂની દુનિયાની સામગ્રી છે. આ બધી સામગ્રી આ યજ્ઞમાં સ્વાહા થવાની છે.
તે પતિત બ્રાહ્મણ લોકો યજ્ઞ રચે છે તો તેમાં જવ-તલ વગેરે સામગ્રી સ્વાહા કરે છે.
અહીંયા તો વિનાશ થવાનો છે. ઊંચેથી ઊંચા છે બાપ, પછી છે બ્રહ્મા અને વિષ્ણુ. શંકરનો
એટલો કોઈ પાર્ટ છે નહીં. વિનાશ તો થવાનો જ છે. બાપ તો વિનાશ તેનાથી કરાવે છે જેનાં
પર કોઈ પાપ ન લાગે. જો કહે ભગવાન વિનાશ કરાવે છે તો એમનાં પર દોષ આવી જાય એટલે આ બધું
ડ્રામા માં નોંધ છે. આ બેહદ નો ડ્રામા છે, જેને કોઈ જાણતું નથી. રચતા અને રચના ને
કોઈ નથી જાણતું. ન જાણવાનાં કારણે નિધનના બની ગયાં છે. કોઈ ધણી છે નહીં. કોઈ ઘરમાં
બાપ નથી હોતો અને આપસમાં લડે છે તો કહે છે તમારો કોઈ ધણી નથી કે શું! હમણાં તો કરોડો
મનુષ્ય છે, એમનું કોઈ ધણીધોણી નથી. દેશ-દેશમાં લડતાં રહે છે. એક જ ઘરમાં બાળકો બાપની
સાથે, પુરુષ સ્ત્રીની સાથે લડતાં રહે છે. દુઃખધામ છે જ અશાંતિ. એવું નહીં કહેશે
ભગવાન બાપ કોઈ દુઃખ રચે છે. મનુષ્ય સમજે છે દુઃખ-સુખ બાપ જ આપે છે પરંતુ બાપ
ક્યારેય દુઃખ આપી ન શકે. એમને કહેવાય જ છે સુખ-દાતા તો પછી દુઃખ કેવી રીતે આપશે.
બાપ તો કહે છે હું તમને બહુજ સુખી બનાવું છું. એક તો સ્વયંને આત્મા સમજો. આત્મા છે
અવિનાશી, શરીર છે વિનાશી. આપણું આત્માઓનું રહેવાનું સ્થાન પરમધામ છે, જેને શાંતિધામ
પણ કહેવાય છે. આ અક્ષર ઠીક છે. સ્વર્ગને પરમધામ નહીં કહેશે. પરમ એટલે પરે થી પરે.
સ્વર્ગ તો અહીંયા જ હોય છે. મૂળવતન છે પરે થી પરે, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ.
સુખ-દુઃખ નો પાર્ટ તમે અહીંયા ભજવો છો. આ જે કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. આ છે
બિલકુલ ખોટું. સ્વર્ગ તો અહીંયા છે નહીં. હમણાં તો છે કળયુગ. આ સમયે તમે છો સંગમયુગી,
બાકી બધાં છે કળયુગી. એક જ ઘરમાં બાપ કળયુગી તો બાળક સંગમયુગી. સ્ત્રી સંગમયુગી,
પુરુષ કળયુગી… કેટલો ફરક થઈ જાય છે. સ્ત્રી જ્ઞાન લે છે, પુરુષ જ્ઞાન નથી લેતો તો
એક-બીજા ને સાથ નથી આપતાં. ઘરમાં ખીટ-ખીટ થઈ જાય છે. સ્ત્રી ફૂલ બની જાય છે, તે
કાંટાનાં કાંટા રહી જાય. એક જ ઘરમાં બાળક જાણે છે અમે સંગમયુગી પુરુષોત્તમ પવિત્ર
દેવતા બની રહ્યાં છીએ, પરંતુ બાપ કહે છે શાદી (લગન) બરબાદી કરી નર્કવાસી બનો. હવે
રુહાની બાપ કહે છે - બાળકો, પવિત્ર બનો. હમણાં ની પવિત્રતા ૨૧ જન્મ ચાલશે. આ
રાવણરાજ્ય જ ખલાસ થઈ જવાનું છે. જેનાથી દુશ્મની હોય છે તો તેની એફીજી (પુતળું) બાળે
છે ને. જેમ રાવણને બાળે છે. તો દુશ્મન થી કેટલી ધૃણા હોવી જોઈએ. પરંતુ આ કોઈને ખબર
નથી કે રાવણ કોણ છે? બહુજ ખર્ચો કરે છે. મનુષ્યોને બાળવા માટે આટલો ખર્ચો નથી કરતાં.
સ્વર્ગ માં તો એવી કોઈ વાત હોતી નથી. ત્યાં તો વીજળી માં રાખ્યું અને ખતમ. ત્યાં આ
વિચાર નથી રહેતો કે તેમની માટી કામમાં આવે. ત્યાંની તો રીત-રિવાજ એવી છે જે કોઈ
તકલીફ અથવા થકાવટ ની વાત નથી રહેતી. એટલું સુખ રહે છે. તો હવે બાપ સમજાવે છે -
મામેકમ યાદ કરવાનો પુરુષાર્થ કરો. યાદ કરવાનું જ યુદ્ધ છે. બાપ બાળકોને સમજાવતાં રહે
છે-મીઠા બાળકો, પોતાનાં ઉપર અટેન્શન (સાવધાની) નો પહેરો આપતાં રહો. માયા ક્યાંક
નાક-કાન કાપી ન જાય કારણ કે દુશ્મન છે ને. તમે બાપ ને યાદ કરો છો અને માયા તોફાનમાં
ઉડાવી દે છે એટલે બાબા કહે છે દરેકે આખાં દિવસ નો ચાર્ટ લખવો જોઈએ કે કેટલું બાપ ને
યાદ કર્યું? ક્યાં મન ભાગ્યું? ડાયરીમાં નોંધ કરો, કેટલો સમય બાપ ને યાદ કર્યા?
પોતાની તપાસ કરવી જોઈએ તો માયા પણ જોશે આ તો સારા બહાદુર છે, પોતાનાં પર સારું
અટેન્શન રાખે છે. પૂરો પહેરો રાખવાનો છે. હમણાં આપ બાળકોને બાપ આવીને પરિચય આપે છે.
કહે છે ભલે ઘરબાર સંભાળો ફક્ત બાપ ને યાદ કરો. આ કોઈ તે સન્યાસીઓ માફક નથી. તેઓ ભીખ
પર ચાલે છે તો પણ કર્મ તો કરવું પડે છે ને. તમે તેમને પણ કહી શકો છો કે તમે હઠયોગી
છો, રાજયોગ શિખવાડવા વાળા એક જ ભગવાન છે. હમણાં આપ બાળકો સંગમ પર છો. આ સંગમયુગને જ
યાદ કરવો પડે. આપણે હમણાં સંગમયુગ પર સર્વોત્તમ દેવતા બનીએ છીએ. આપણે ઉત્તમ પુરુષ
અર્થાત્ પૂજ્ય દેવતા હતાં, હવે કનિષ્ઠ બની ગયાં છીએ. કોઈ કામ ના નથી રહ્યાં. હવે
આપણે શું બનીએ છીએ. મનુષ્ય જે સમયે બેરિસ્ટરી વગેરે ભણે છે, તે સમયે પદ નથી મળતું.
પરીક્ષા પાસ કરી, પદ ની ટોપી મળી. જઈને ગવર્મેન્ટની સર્વિસમાં લાગશે. હમણાં તમે જાણો
છો આપણને ઊંચેથી ઊંચા ભગવાન ભણાવે છે તો જરુર ઊંચેથી ઊંચું પદ પણ આપશે. આ લક્ષ-હેતુ
છે. હવે બાપ કહે છે મામેકમ યાદ કરો, હું જે છું, જેવો છું, તે સમજાવી દીધું છે.
આત્માઓનો બાપ હું બિંદુ છું, મારામાં બધું જ્ઞાન છે, તમને પણ પહેલાં આ જ્ઞાન થોડી
હતું કે આત્મા બિંદુ છે. એમાં આખો ૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે.
ક્રાઈસ્ટ પાર્ટ ભજવીને ગયાં છે, પછી જરુર આવશે તો ખરા ને. ક્રાઈસ્ટનાં હમણાં બધાં
જશે. ક્રાઈસ્ટની આત્મા પણ હમણાં તમોપ્રધાન હશે. જે પણ ઊંચેથી ઊંચા ધર્મસ્થાપક છે,
તે હમણાં તમોપ્રધાન છે. આ પણ કહે છે હું અનેક જન્મોનાં અંતમાં તમોપ્રધાન બન્યો, હવે
ફરી સતોપ્રધાન બનું છું. તત ત્ત્વમ.
તમે જાણો છો - આપણે હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ દેવતા બનવા માટે. વિરાટ રુપનાં ચિત્ર
નો અર્થ કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો જાણો છો આત્મા સ્વીટહોમ (શાંતિધામ) માં રહે
છે તો પવિત્ર છે. અહીંયા આવવાથી પતિત બની છે. ત્યારે કહે છે - હે પતિત-પાવન આવીને
અમને પવિત્ર બનાવો તો અમે પોતાનાં ઘરે મુક્તિધામમાં જઈએ. આ પણ પોઇન્ટ (વાત) ધારણ
કરવા માટે છે. મનુષ્ય નથી જાણતાં મુક્તિ-જીવનમુક્તિધામ કોને કહેવાય છે. મુક્તિધામ
ને શાંતિધામ કહેવાય છે. જીવનમુક્તિધામ ને સુખધામ કહેવાય છે. અહીંયા છે દુઃખનું બંધન.
જીવનમુક્તિ ને સુખનાં સંબંધ કહેશે. હવે દુઃખનાં બંધન દૂર થઈ જશે. આપણે પુરુષાર્થ
કરીએ છીએ ઊંચું પદ પામવા માટે. તો આ નશો હોવો જોઈએ. આપણે હમણાં શ્રીમત પર પોતાનું
રાજ્ય-ભાગ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. જગતઅંબા નંબરવન માં જાય છે. અમે પણ તેને ફાલો (અનુકરણ)
કરશું. જે બાળકો હમણાં માતા-પિતાનાં દિલ પર ચઢે છે તેજ ભવિષ્યમાં તખ્તનશીન બનશે.
દિલ પર તે ચઢે જે દિવસ-રાત સર્વિસ (સેવા) માં વ્યસ્ત રહે છે. બધાંને પેગામ (સંદેશ)
આપવાનો છે કે બાપ ને યાદ કરો. પૈસા-કોડી કાંઈ પણ લેવાનું નથી. તેઓ સમજે છે આ રાખડી
બાંધવા આવે છે, કંઈ આપવું પડશે. બોલો અમને બીજું કાંઈ જોઈતું નથી ફક્ત ૫ વિકારોનું
દાન આપો. આ દાન લેવા માટે અમે આવ્યાં છીએ એટલે પવિત્રતાની રાખડી બાંધીએ છીએ. બાપ ને
યાદ કરો, પવિત્ર બનો તો આ (દેવતા) બનશો. બાકી અમે પૈસા કાંઈ પણ નથી લઈ શકતાં. અમે
તે બ્રાહ્મણ નથી. ફક્ત ૫ વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટે. હમણાં કોઈ કળા નથી રહી.
બધાં પર ગ્રહણ લાગેલું છે. તમે બ્રાહ્મણ છો ને. જ્યાં પણ જાઓ-બોલો, દે દાન તો છૂટે
ગ્રહણ. પવિત્ર બનો. વિકારમાં ક્યારેય નહીં જાઓ. બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે
અને તમે ફૂલ બની જશો. તમે જ ફૂલ હતાં પછી કાંટા બન્યાં છો. ૮૪ જન્મ લેતાં-લેતાં
ઉતરતાં જ આવ્યાં છો. હવે પાછાં જવાનું છે. બાપે ડાયરેક્શન આપ્યું છે આમનાં દ્વારા.
એ છે ઊંચેથી ઊંચા ભગવાન. એમને શરીર નથી. અચ્છા, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને શરીર છે? તમે
કહેશો-હાં, સૂક્ષ્મ શરીર છે. પરંતુ તે મનુષ્યની સૃષ્ટિ તો નથી. રમત બધી અહીંયા છે.
સૂક્ષ્મ વતનમાં નાટક કેવી રીતે ચાલશે? તેમ મૂળવતનમાં પણ સૂર્ય-ચંદ્ર જ નથી તો નાટક
પણ શેનું હોય! આ બહુજ મોટો માંડવો છે. પુનર્જન્મ પણ અહીંયા થાય છે. સૂક્ષ્મવતન માં
નથી થતાં. હમણાં તમારી બુદ્ધિમાં આખી બેહદની રમત છે. હમણાં ખબર પડી છે-આપણે જે
દેવી-દેવતા હતાં તે પછી કેવી રીતે વામમાર્ગ માં આવીએ છીએ. વામમાર્ગ વિકારી માર્ગને
કહેવાય છે. અડધોકલ્પ આપણે પવિત્ર હતાં, આપણી જ હાર અને જીત ની રમત છે. ભારત અવિનાશી
ખંડ છે. આ ક્યારેય વિનાશ થતો નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ
નહોતો. તમારી આ વાતોને માનશે તે જેમણે કલ્પ પહેલાં માન્યું હશે. ૫ હજાર વર્ષથી જૂની
ચીજ કોઈ હોતી નથી. સતયુગમાં પછી તમે પહેલાં જઈને પોતાનાં મહેલ બનાવશો. એવું નથી કે
સોનાની-દ્વારિકા કોઈ સમુદ્રની નીચે છે તે નીકળી આવશે. દેખાડે છે સાગર થી દેવતાઓ
રત્નોની થાળીઓ ભરીને આપતા હતાં. હકીકતમાં જ્ઞાનસાગર બાપ છે જે આપ બાળકોને જ્ઞાન
રત્નોની થાળીઓ ભરીને આપી રહ્યાં છે. દેખાડે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. જ્ઞાન
રત્નો થી ઝોલી ભરી. શંકરનાં માટે કહેશે - ભાંગ-ધતુરો પીતાં હતાં, પછી તેમની આગળ જઈને
કહેશે ઝોલી ભરી દો, અમને ધન આપો. તો જુઓ, શંકરની પણ ગ્લાનિ કરી દીધી છે. સૌથી વધારે
ગ્લાનિ કરી દીધી છે મારી. આ પણ રમત છે જે ફરી પણ થશે. આ નાટકને કોઈ જાણતું નથી. હું
આવીને આદિ થી અંત સુધી બધું રહસ્ય સમજાવું છું. આ પણ જાણો છો ઊંચેથી ઊંચા બાપ છે.
વિષ્ણુ સો બ્રહ્મા, બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે-આ કોઈ સમજી ન શકે.
હમણાં આપ બાળકો પુરુષાર્થ કરો છો કે અમે વિષ્ણુ કુળનાં બનીએ. વિષ્ણુપુરી નાં માલિક
બનવા માટે તમે બ્રાહ્મણ બન્યાં છો. તમારા દિલમાં છે - અમે બ્રાહ્મણ પોતાનાં માટે
સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર. આમાં લડાઈ વગેરેની
કોઈ વાત નથી. દેવતાઓ અને અસુરો ની લડાઈ ક્યારેય હોતી નથી. દેવતાઓ છે સતયુગમાં. ત્યાં
લડાઈ કેવી રીતે થશે. હમણાં આપ બ્રાહ્મણ યોગબળ થી વિશ્વનાં માલિક બનો છો. બાહુબળ વાળા
વિનાશને પ્રાપ્ત થઇ જશે. તમે સાઈલેન્સ (શાંતિ) બળ થી સાયન્સ (વિજ્ઞાન) પર વિજય પામો
છો. હવે તમારે આત્મ-અભિમાની બનવાનું છે. આપણે આત્મા છીએ, આપણે જવાનું છે આપણાં ઘરે.
આત્માઓ તીખી છે. હમણાં એરોપ્લેન (વિમાન) એવાં નીકાળ્યા છે જે એક કલાક માં ક્યાંથી
ક્યાં ચાલ્યાં જાય છે. હવે આત્મા તેનાથી પણ તીખી છે. ચપટી માં આત્મા ક્યાંથી ક્યાં
જઈને જન્મ લે છે. કોઈ વિલાયતમાં પણ જઈને જન્મ લે છે. આત્મા સૌથી તીખું રોકેટ છે. આમાં
યંત્ર વગેરેની કોઈ વાત નથી. શરીર છોડ્યું અને આ ભાગી. હવે આપ બાળકોની બુદ્ધિમાં છે
આપણે ઘરે જવાનું છે, પતિત આત્મા તો જઈ ન શકે. તમે પાવન બનીને જ જશો બાકી તો બધાં
સજાઓ ખાઈને જશે. સજાઓ તો ખુબ મળે છે. ત્યાં તો ગર્ભમહેલ માં આરામ થી રહે છે. બાળકોએ
સાક્ષાત્કાર કર્યો છે. કૃષ્ણ નો જન્મ કેવી રીતે થાય છે, કોઈ વિકાર ની વાત નથી. એકદમ
જાણે પ્રકાશ થઈ જાય છે. હમણાં તમે વૈકુંઠનાં માલિક બનો છો તો એવો પુરુષાર્થ કરવો
જોઈએ. શુદ્ધ પવિત્ર ખાન-પાન હોવું જોઈએ. દાળ-ભાત સૌથી સરસ છે. ઋષિકેશ માં સન્યાસી
એક બારી થી લઈને ચાલ્યાં જાય, હાં કોઈ કેવાં, કોઈ કેવાં હોય છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
ઉપર અટેન્શન નો પૂરે-પૂરો પહેરો આપવાનો છે. માયા થી પોતાની સંભાળ કરવાની છે. યાદ નો
સાચ્ચો-સાચ્ચો ચાર્ટ રાખવાનો છે.
2. માત-પિતા ને ફાલો
કરી દિલતખ્તનશીન બનવાનું છે. દિવસ-રાત સર્વિસ પર તત્પર રહેવાનું છે. સર્વ ને પેગામ
(સંદેશ) આપવાનો છે કે બાપ ને યાદ કરો. ૫ વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટે.
વરદાન :-
બાપ ની યાદ
દ્વારા અસંતોષ ની પરિસ્થિતિઓમાં , સદા સુખ કે સંતોષ ની અનુભૂતિ કરવાવાળા મહાવીર ભવ
સદા બાપ ની યાદ માં
રહેવાવાળા દરેક પરિસ્થિતિમાં સદા સંતુષ્ટ રહે છે કારણ કે નોલેજ ની શક્તિનાં આધાર પર
પહાડ જેવી પરિસ્થિતિ પણ રાઈ અનુભવ થાય છે, રાઈ અર્થાત્ કાંઈ નહિં. ભલે પરિસ્થિતિ
અસંતોષની હોય, દુઃખ ની ઘટના હોય પરંતુ દુઃખની પરિસ્થિતિમાં સુખની સ્થિતિ રહે ત્યારે
કહેશે મહાવીર. કાંઈ પણ થઈ જાય, નથિંગ ન્યુ ની સાથે-સાથે બાપની સ્મૃતિ થી સદા એકરસ
સ્થિતિ રહી શકે છે, પછી દુઃખ અશાંતિ ની લહેર પણ નહીં આવશે.
સ્લોગન :-
પોતાનું દૈવી
સ્વરુપ સદા સ્મૃતિમાં રહે તો કોઈની પણ વ્યર્થ નજર નથી જઈ શકતી.