29-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
નશો રહેવો જોઈએ કે જે શિવની બધાં પૂજા કરે છે , એ હમણાં આપણા બાપ બન્યાં છે , આપણે
એમનાં સમ્મુખ બેઠાં છીએ ”
પ્રશ્ન :-
મનુષ્ય ભગવાન
થી ક્ષમા કેમ માંગે છે? શું તેમને ક્ષમા મળે છે?
ઉત્તર :-
મનુષ્ય સમજે છે અમે જે પાપ કર્મ કર્યા છે તેની સજા ભગવાન ધર્મરાજ થી અપાવશે, એટલે
ક્ષમા માંગે છે. પરંતુ તેમને પોતાનાં કર્મોની સજા કર્મભોગનાં રુપમાં ભોગવવી જ પડે
છે, ભગવાન તેમને કોઈ દવા નથી આપતાં. ગર્ભજેલમાં પણ સજાઓ ભોગવવાની છે, સાક્ષાત્કાર
થાય છે કે તમે આ-આ કર્યું છે. ઈશ્વરીય ડાયરેક્શન (માર્ગદર્શન) પર નથી ચાલ્યાં એટલે
આ સજા છે.
ગીત :-
તૂને રાત ગવાઈ
……..
ઓમ શાંતિ!
આ કોણે
કહ્યું? રુહાની બાપએ કહ્યું. એ છે ઊંચેથી ઊંચા. બધાં મનુષ્ય થી પણ, બધી આત્માઓ થી
પણ ઊંચા. બધામાં આત્મા જ છે ને. શરીર તો પાર્ટ ભજવવા માટે મળ્યું છે. હમણાં તમે જુઓ
છો સન્યાસીઓ વગેરે નાં શરીરનું પણ કેટલું માન હોય છે. પોતાનાં ગુરુઓ વગેરેની કેટલી
મહિમા કરે છે. આ બેહદનાં બાપ તો ગુપ્ત છે. આપ બાળકો સમજો છો શિવબાબા ઊંચેથી ઊંચા
છે, એમનાં થી ઊંચું કોઈ છે નહીં. ધર્મરાજ પણ એમની સાથે છે કારણકે ભક્તિમાર્ગમાં
ક્ષમા માંગે છે-હેં ભગવાન ક્ષમા કરજો. હવે ભગવાન શું કરશે! અહીંયા ગવર્મેન્ટ
(સરકાર) તો જેલમાં નાખશે. તે ધર્મરાજ ગર્ભજેલ માં દંડ આપે છે. ભોગના પણ ભોગવવી પડે
છે, જેને કર્મભોગ કહેવાય છે. હમણાં તમે જાણો છો કર્મભોગ કોણ ભોગવે છે? શું થાય છે?
કહે છે-હેં પ્રભુ ક્ષમા કરો. દુઃખ હરો, સુખ આપો. હવે ભગવાન કોઈ દવા કરે છે શું? એ
તો કંઈ કરી ન શકે. ત્યારે ભગવાનને કેમ કહે છે? કારણ કે ભગવાનની સાથે પછી ધર્મરાજ પણ
છે. ખોટું કામ કરવાથી જરુર ભોગવવું પડે છે. ગર્ભજેલ માં સજા પણ મળે છે. સાક્ષાત્કાર
બધાં થાય છે. વગર સાક્ષાત્કારે સજા નથી મળતી. ગર્ભજેલ માં કોઈ તો દવા વગેરે નથી.
ત્યાં સજા ભોગવવી પડે છે. જ્યારે દુઃખી થાય ત્યારે કહે છે ભગવાન આ જેલ થી નીકાળો.
હમણાં આપ બાળકો કોની સામે બેઠાં છો? ઊંચેથી ઊંચા બાપ છે, પરંતુ છે ગુપ્ત. બીજા
બધાનાં તો શરીર જોવામાં આવે છે, અહીંયા શિવબાબાને તો પોતાનાં હાથ-પગ વગેરે છે નહીં.
ફૂલ વગેરે પણ કોણ લેશે? આમનાં હાથ થી જ લેવું પડશે, જો ઈચ્છે તો. પરંતુ કોઈ થી પણ
લેતા નથી. જેમ તે શંકરાચાર્ય કહે છે અમને કોઈ અડે નહીં. તો બાપ કહે છે હું પતિતો
નું કાંઈ પણ કેવી રીતે લઈશ. મને ફૂલ વગેરેની દરકાર નથી. ભક્તિમાર્ગમાં સોમનાથ
વગેરેનાં મંદિર બને છે, ફૂલ ચઢાવે છે. પરંતુ મારે તો શરીર છે નહીં. આત્માને કોઈ
અડશે કેવી રીતે! કહે છે હું પતિતો થી ફૂલ કેવી રીતે લઉં! કોઈ હાથ પણ ન લગાડી શકે.
પતિતો ને અડવા પણ ન દે. આજે ‘બાબા’ કહે કાલે પછી જઈને નર્કવાસી બને છે. એવાં ને તો
જોવે પણ નહીં. બાપ કહે છે-હું તો ઊંચેથી ઊંચો છું. આ બધાં સન્યાસીઓ વગેરેનો પણ
ડ્રામા અનુસાર ઉદ્ધાર કરવાનો છે. મને કોઈ જાણતું જ નથી. શિવની પૂજા કરે છે પરંતુ
એમને જાણે થોડી છે કે આ ગીતાના ભગવાન છે અને અહીંયા આવીને જ્ઞાન આપે છે. ગીતામાં
કૃષ્ણ નું નામ આપી દીધું છે. કૃષ્ણએ જ્ઞાન આપ્યુ બાકી શિવ શું કરતાં હશે! તો મનુષ્ય
સમજે છે એ આવતા જ નથી. અરે, પતિત-પાવન કૃષ્ણ ને થોડી કહેશે. પતિત-પાવન તો મને કહે
છે ને. તમારામાં પણ કોઈ થોડાં છે જે આટલો રીગાર્ડ (માન) રાખી શકે છે. રહે કેટલાં
સાધારણ છે, સમજાવે પણ છે-હું આ સાધુઓ વગેરે બધાં નો બાપ છું. જે પણ શંકરાચાર્ય
વગેરે છે, તે બધાંની આત્માઓનો હું બાપ છું. શરીરો નાં બાપ જે છે એ તો છે જ, હું છું
બધી આત્માઓનો બાપ. મારી બધાં પૂજા કરે છે. હમણાં એ અહીંયા સમ્મુખ બેઠાં છે. પરંતુ
બધાં સમજે થોડી છે કે અમે કોની સામે બેઠાં છીએ.
આત્માઓ જન્મ-જન્માંતર થી દેહ-અભિમાન માં ફસાયેલી છે એટલે બાપને યાદ નથી કરી શકતાં.
દેહ ને જ જુએ છે. દેહી-અભિમાની હોય તો તે બાપ ને યાદ કરે અને બાપની શ્રીમત પર ચાલે.
બાપ કહે છે મને જાણવા માટે બધાં પુરુષાર્થી છે. અંતમાં પુરા દેહી-અભિમાની બનવાવાળા
જ પાસ થશે. બાકી બધાં માં થોડું-થોડું દેહ-અભિમાન રહેશે. બાપ તો છે ગુપ્ત. એમને
કાંઈ પણ આપી ન શકાય. બાળકીઓ શિવનાં મંદિરમાં પણ જઇને સમજાવી શકે છે. કુમારીઓએ જ
શિવબાબાનો પરિચય આપ્યો છે. છે તો કુમાર-કુમારીઓ બંને જરુર. કુમારોએ પણ પરિચય આપ્યો
હશે. માતાઓને ખાસ ઉઠાવે છે કારણ કે તેમણે પુરુષો થી વધારે સર્વિસ (સેવા) કરી છે. તો
બાળકોને સર્વિસ નો શોખ હોવો જોઈએ. જેમ તે ભણતરનો પણ શોખ હોય છે ને. તે છે શારીરિક,
આ છે રુહાની. શારીરિક ભણતર ભણશે, આ ડ્રિલ વગેરે શીખશે, મળશે કાંઈ પણ નહીં. સમજો,
હમણાં કોઈને બાળક જન્મે છે તો ધૂમધામ થી તેની છઠ્ઠી વગેરે મનાવે છે, પરંતુ તે પામશે
શું! એટલો સમય જ નથી જે કંઈ જ પામી શકે. અહીંયા થી પણ જઈને જન્મ લે છે પરંતુ તે પણ
સમજશે તો કાંઈ નહીં. અહીંયાથી જુદા થયેલા હશે તો જે શીખીને ગયાં હશે તે અનુસાર
નાનપણ માં જ શિવબાબા ને યાદ કરતાં હશે. આ તો મંત્ર છે ને. નાના બાળકોને શીખવાડશે,
તે બિંદુ વગેરે તો કાંઈ સમજશે નહીં. ફક્ત શિવબાબા-શિવબાબા કહેતાં રહેશે. શિવબાબાને
યાદ કરો તો સ્વર્ગનો વારસો પામશો. આવી રીતે તેમને સમજાવશો તો તે પણ સ્વર્ગમાં આવી
જશે. પરંતુ ઊંચ પદ નહીં પામી શકે. એવાં ઘણાં બાળકો આવે છે, શિવબાબા-શિવબાબા કહેતા
રહે છે. પછી અંત મતિ સો ગતિ થઈ જશે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. હવે મનુષ્ય શિવની
પૂજા કરે છે, પરંતુ જાણે થોડી છે જેમ નાનો બાળક શિવ-શિવ કહે છે, સમજતો નથી. અહીંયા
પણ પૂજા કરે છે પરંતુ ઓળખ કાંઈ પણ છે નહીં. તો તેમને બતાવવું જોઈએ, તમે જેમની પૂજા
કરો છો એ જ જ્ઞાનનાં સાગર, ગીતાનાં ભગવાન છે. એ અમને ભણાવી રહ્યાં છે. આ દુનિયામાં
બીજા કોઈ મનુષ્ય નથી જે કહી શકે કે શિવબાબા અમને રાજયોગ ભણાવી રહ્યાં છે. આ ફક્ત
તમે જાણો છો તે પણ ભૂલી જાઓ છો. ભગવાનુવાચ હું તમને રાજયોગ શીખવાડું છું. કોણે
કહ્યું - ભગવાનુવાચ, કામ મહાશત્રુ છે, આનાં પર જીત પહેરો. જૂની દુનિયાનો સન્યાસ
કરો. તમે હઠયોગી હદનાં સન્યાસી છો. તે છે શંકરાચાર્ય, આ છે શિવાચાર્ય. એ આપણને
શીખવાડે છે. કૃષ્ણ આચાર્ય નથી કહી શકાતું. તે તો નાનો બાળક છે. સતયુગ માં જ્ઞાનની
દરકાર નથી રહેતી.
જ્યાં-જ્યાં શિવનાં મંદિર છે, ત્યાં આપ બાળકો ખુબ સારી સેવા કરી શકો છો. શિવનાં
મંદિરો માં જાઓ, માતાઓનું જવું સારું છે, કન્યાઓ જાય તો તેનાથી સારું છે. હમણાં તો
આપણે બાબા થી રાજ્ય ભાગ્ય લેવાનું છે. બાપ આપણને ભણાવે છે પછી આપણે મહારાજા-મહારાણી
બનશું. ઊંચેથી ઊંચા બાપ જ છે, આવી શિક્ષા કોઈ મનુષ્ય આપી ન શકે. આ છે જ કળયુગ.
સતયુગમાં હતું આમનું રાજ્ય. આ રાજા-રાણી કેવી રીતે બન્યાં, કોણે રાજયોગ શીખવાડ્યો,
જે સતયુગનાં માલિક બન્યાં? જેમની તમે પૂજા કરતાં રહો છો તે અમને ભણાવીને સતયુગ નાં
માલિક બનાવે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના…..પતિત પ્રવૃત્તિ
માર્ગવાળા જ પાવન પ્રવૃત્તિ માર્ગમાં જાય છે. કહે પણ છે બાબા અમને પતિતો ને પાવન
બનાવો. પાવન બનાવીને આ દેવતા બનાવો. તે છે પ્રવૃત્તિ માર્ગ. નિવૃત્તિ માર્ગ વાળાનાં
ગુરુ બનવાનું જ નથી. જે પવિત્ર બને છે તેમનાં ગુરુ બની શકે છે. એવાં બહુજ કમ્પેનિયન
(સાથી) પણ હોય છે, વિકાર માટે લગ્ન નથી કરતાં. તો આપ બાળકો એવી-એવી સર્વિસ કરી શકો
છો. અંદર માં શોખ હોવો જોઈએ. અમે બાબા નાં સપૂત બાળકો બની કેમ નહીં જઈને સર્વિસ
કરશું. જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે. હવે શિવબાબા કહે છે કૃષ્ણ તો હોઈ ન શકે.
તે તો એક જ વખત સતયુગ માં હશે. બીજા જન્મ માં એજ ફિચર્સ એજ નામ થોડી હશે. ૮૪ જન્મ
માં ૮૪ ફિચર્સ. કૃષ્ણ આ જ્ઞાન કોઈને શીખવાડી ન શકે. તે શ્રીકૃષ્ણ કેવી રીતે અહીં
આવશે. હમણાં તમે આ વાતો ને સમજો છો. અડધોકલ્પ સારા જન્મ હોય છે પછી રાવણરાજ્ય શરુ
થાય છે. મનુષ્ય હૂબહૂ જાણે જાનવર જેવાં બની જાય છે. એક-બીજામાં લડતા-ઝઘડતા રહે છે.
તો રાવણનો જન્મ થયો ને. બાકી ૮૪ લાખ જન્મ તો છે જ નહીં. આટલી વેરાઈટી (વિવિધતા) છે.
જન્મ થોડી એટલા લે છે. તો આ બાપ બેસી ને સમજાવે છે. એ છે ઊંચેથી ઊંચા ભગવાન. એ
ભણાવે છે, નેક્સ્ટ માં પછી આ પણ તો છે ને. નહીં ભણશો તો કોઈની પાસે જઈને દાસ-દાસીઓ
બનશો. શું શિવબાબાની પાસે દાસ-દાસી બનશો? બાપ તો સમજાવે છે ભણતા નથી તો જઈને સતયુગ
માં દાસ-દાસીઓ બનશો. જે કંઈ પણ સર્વિસ નથી કરતાં, ખાધું-પીધું અને સૂતાં તે શું
બનશે! બુદ્ધિમાં આવે તો છે ને શું બનશું! અમે તો મહારાજા બનશું. મારી સામે પણ નહીં
આવશે. પોતે પણ સમજે છે-આવાં અમે બનશું. પછી છતાં પણ શરમ ક્યાં છે. અમે પોતાની
ઉન્નતિ કરી કંઇક પામી લઈએ, સમજતા જ નથી. ત્યારે બાબા કહે છે એવું નહીં સમજો આ
બ્રહ્મા કહે છે, હંમેશા શિવબાબાનાં માટે સમજો. શિવબાબા નો તો રીગાર્ડ રાખવાનો છે
ને. એમની સાથે પછી ધર્મરાજ પણ છે. નહીં તો ધર્મરાજ નાં દંડા પણ બહુજ ખાશો. કુમારીઓ
એ તો બહુજ હોશિયાર થવું જોઈએ. એવું થોડી, અહીંયા સાંભળ્યું બહાર ગયાં તો ખલાસ.
ભક્તિમાર્ગની કેટલી સામગ્રી છે. હવે બાપ કહે છે વિષ છોડો. સ્વર્ગવાસી બનો.
એવાં-એવાં સ્લોગન (સુવિચાર) બનાવો. બહાદુર શેરનીઓ (સિહણો) બનો. બેહદનાં બાપ મળ્યાં
છે પછી શું પરવાહ. ગવર્મેન્ટ ધર્મ ને જ નથી માનતી તો તે પછી મનુષ્ય થી દેવતા બનવા
કેવી રીતે આવશે. તેઓ કહે છે અમે કોઇ પણ ધર્મને નથી માનતાં. બધાને અમે એક સમજીએ છે
પછી લડો-ઝઘડો કેમ છો? જુઠ્ઠું તો જુઠ્ઠું સાચાં ની રત્તી પણ નથી. પહેલાં-પહેલાં
ઈશ્વર સર્વવ્યાપી થી જ જુઠ્ઠું શરુ થાય છે. હિંદુ ધર્મ તો કોઈ છે નહીં. ક્રિશ્ચિયન
નો પોતાનો ધર્મ ચાલ્યો આવે છે. તે પોતાને બદલતા નથી. આ એક જ ધર્મ છે જે પોતાનાં
ધર્મને બદલી હિન્દુ કહી દે છે અને પછી નામ કેવાં-કેવાં રાખે, શ્રી શ્રી
ફલાણા…...હમણાં શ્રી અર્થાત્ શ્રેષ્ઠ છે ક્યાં. શ્રીમત પણ કોઈની નથી. આ તો તેમની
આઇરન એજડ (કળયુગી) મત છે. તેને શ્રીમત કેવી રીતે કહી શકાય છે. હમણાં તમે કુમારીઓ
ઉભી થઇ જાઓ તો કોઈને પણ સમજાવી શકો છો. પરંતુ યોગયુક્ત સારી હોશિયાર બાળકીઓ જોઈએ.
અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
ઉન્નતિ કરવા માટે બાપ ની સર્વિસ (સેવા) માં તત્પર રહેવાનું છે. ફક્ત ખાવું, પીવું,
સુવું આ પદ ગુમાવવું છે.
2. બાપનો અને ભણતર નો
રીગાર્ડ રાખવાનો છે. દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બાપની
શિક્ષાઓને ધારણ કરી સપૂત બાળક બનવાનું છે.
વરદાન :-
સ્વયંને વિશ્વ
સેવા પ્રતિ અર્પિત કરી માયા ને દાસી બનાવવા વાળા સહજ સંપન્ન ભવ
હવે પોતાનો સમય, સર્વ
પ્રાપ્તિઓ, જ્ઞાન, ગુણ અને શક્તિઓ વિશ્વની સેવા અર્થ સમર્પિત કરો. જે સંકલ્પ ઊઠે છે
તપાસ કરો કે વિશ્વ સેવા પ્રતિ છે. આવું સેવા પ્રતિ અર્પણ થવાથી સ્વયં સહજ સંપન્ન થઇ
જશો. સેવાની લગન માં નાનાં-મોટા પેપર કે પરીક્ષાઓ સ્વતઃ સમર્પણ થઇ જશે. પછી માયા થી
ગભરાશો નહીં, સદા વિજયી બનવાની ખુશીમાં નાચતા રહેશો. માયા ને પોતાની દાસી અનુભવ
કરશો. સ્વયં સેવા માં સરેન્ડર (સમર્પિત) હશો તો માયા સ્વતઃ સરેન્ડર થઇ જશે.
સ્લોગન :-
અંતર્મુખતા થી
મુખ ને બંધ કરી દો તો ક્રોધ સમાપ્ત થઈ જશે.