23-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
પોતાને રાજતિલક આપવાનાં લાયક બનાવો , જેટલું ભણતર ભણશો , શ્રીમત પર ચાલશો તો
રાજતિલક મળી જશે ”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિમાં
રહો તો રાવણપણા ની સ્મૃતિ વિસ્મૃત થઇ જશે?
ઉત્તર :-
સદા સ્મૃતિ રહે કે અમે સ્ત્રી-પુરુષ નથી, અમે આત્મા છીએ, અમે મોટા બાબા (શિવબાબા)
થી નાનાં બાબા (બ્રહ્મા) દ્વારા વારસો લઇ રહ્યાં છીએ. આ સ્મૃતિ રાવણપણાની સ્મૃતિ ને
ભુલાવી દેશે. જ્યારે કે સ્મૃતિ આવી કે આપણે એક બાપનાં બાળક છીએ તો રાવણપણા ની
સ્મૃતિ સમાપ્ત થઈ જાય છે. આ પણ પવિત્ર રહેવાની ખુબ સરસ યુક્તિ છે. પરંતુ આમાં મહેનત
જોઈએ.
ગીત :-
તુમ્હેં પાકે
હમને ……...
ઓમ શાંતિ!
રુહાની બાપ
બેસી રુહાની બાળકો ને સમજાવે છે. જુઓ બધાં તિલક અહીંયા (ભ્રકુટીમાં) આપે છે. આ
જગ્યા એક તો આત્માનું નિવાસ છે, બીજું પછી રાજતિલક પણ અહીંયા અપાય છે. આ આત્મા ની
નિશાની તો છે જ. હવે આત્માને બાપનો વારસો જોઈએ સ્વર્ગનો. વિશ્વનું રાજ્યતિલક જોઈએ.
સૂર્યવંશી-ચંદ્રવંશી, મહારાજા-મહારાણી બનવા માટે ભણે છે. આ ભણવું એટલે પોતાનાં માટે
પોતાને રાજતિલક આપવું છે. તમે અહીંયા આવ્યાં જ છો ભણવા માટે. આત્મા છે અહીંયા નિવાસ
કરે છે તે કહે છે બાબા અમે તમારાં થી વિશ્વનું સ્વરાજ્ય અવશ્ય પ્રાપ્ત કરશું.
પોતાનાં માટે દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે. કહે છે બાબા અમે એવાં સપૂત બનીને
દેખાડશું. તમે અમારી ચલનને જોતાં રહેજો કે કેવી રીતે ચાલીએ છીએ. તમે પણ જાણી શકો છો
અમે પોતાને રાજતિલક આપવા લાયક બન્યાં છીએ કે નહીં? આપ બાળકોએ બાપનાં સપૂત બનીને
દેખાડવાનું છે. બાબા અમે તમારું નામ જરુર રોશન કરશું. અમે તમારાં મદદગાર એટલે
પોતાનાં મદદગાર બની ભારત પર પોતાનું રાજ્ય કરશું. ભારતવાસી કહે છે ને - અમારું
રાજ્ય છે. પરંતુ તે બિચારાઓને ખબર નથી કે હમણાં અમે વિષય વૈતરણી નદીમાં પડ્યાં છીએ.
આપણું આત્મા નું રાજ્ય તો છે નહીં. હમણાં તો આત્મા ઉલટી લટકેલી છે. ખાવાનું પણ નથી
મળતું. જ્યારે આવી હાલત હોય છે ત્યારે બાબા કહે છે હવે તો મારાં બાળકોને ખાવા માટે
પણ નથી મળતું, હવે હું જઈને તેમને રાજયોગ શીખવાડું. તો બાપ આવે છે રાજયોગ
શીખવાડવાં. બેહદનાં બાપને યાદ કરો છો. તે જ નવી દુનિયા રચવાવાળા. બાપ પતિત-પાવન પણ
છે, જ્ઞાન સાગર પણ છે. આ સિવાય તમારા બીજા કોઈ ની બુદ્ધિમાં નથી. આ ફક્ત આપ બાળકો
જાણો છો - બરોબર અમારા બાબા જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર છે. આ મહિમા પાક્કી યાદ કરી
લો, ભૂલો નહીં. બાપની મહિમા છે ને. એ બાપ પુનર્જન્મ રહિત છે. કૃષ્ણની મહિમા બિલકુલ
ન્યારી છે. પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી), પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) ની મહિમા તો
અલગ-અલગ હોય છે ને. બાપ કહે છે મને પણ આ ડ્રામામાં ઊંચેથી ઊંચો પાર્ટ મળેલો છે.
ડ્રામા માં એક્ટર્સ ને ખબર હોવી જોઈએ ને કે આ બેહદનો ડ્રામા છે, આની આયુ કેટલી છે.
જો નથી જાણતા તેમને બેસમજ કહેશું. પરંતુ આ કોઈ સમજે થોડી છે. બાપ આવીને કોન્ટ્રાસ્ટ
(વિરોધાભાસ) બતાવે છે કે મનુષ્ય શું થી શું થઈ જાય છે. હમણાં તમે સમજી શકો છો,
મનુષ્યોને બિલકુલ ખબર નથી કે ૮૪ જન્મ કેવી રીતે લેવાય છે. ભારત કેટલો ઊંચો હતો,
ચિત્ર છે ને. સોમનાથ મંદિર થી કેટલું ધન લુંટી ને લઈ ગયાં. કેટલું ધન હતું. હમણાં
આપ બાળકો અહીંયા બેહદનાં બાપથી મળવા આવ્યાં છો. બાળકો જાણે છે બાબા થી રાજતિલક
શ્રીમત પર લેવા આવ્યાં છીએ. બાપ કહે છે પવિત્ર જરુર બનવું પડશે. જન્મ-જન્માન્તર
વિષય વૈતરણી નદીમાં ગોતાં ખાઇને થાક્યા નથી! કહે પણ છે અમે પાપી છીએ, મુજ નિર્ગુણ
હારે મેં કોઈ ગુણ નાહી, તો જરુર ક્યારેક ગુણ હતાંં જે હવે નથી.
હવે તમે સમજી ગયાં છો - અમે વિશ્વનાં માલિક, સર્વગુણ સમ્પન્ન હતાંં. હવે કોઈ ગુણ
નથી રહ્યાં. આ પણ બાપ સમજાવે છે. બાળકોનાં રચયિતા છે જ બાપ. તો બાપને જ તરસ પડે છે
બધાં બાળકો પર. બાપ કહે છે મારો પણ ડ્રામામાં પાર્ટ છે. કેટલાં તમોપ્રધાન બની ગયાં
છો. જુઠ્ઠ, પાપ, ઝઘડા શું-શું ચાલી રહ્યું છે. બધાં ભારતવાસી બાળકો ભૂલી ગયાં છે કે
અમે કોઈ સમયે વિશ્વનાં માલિક ડબલ સિરતાજ હતાં. બાપ તેમને સ્મૃતિ અપાવે છે, તમે
વિશ્વનાં માલિક હતાં પછી તમે ૮૪ જન્મ લેતા આવ્યાં છો. તમે પોતાનાં ૮૪ જન્મો ને ભૂલી
ગયાં છો. વન્ડર છે, ૮૪ નાં બદલે ૮૪ લાખ જન્મ કહી દીધાં છે પછી કલ્પની આયુ પણ લાખો
વર્ષ કહી દે છે. ઘોર અંધકારમાં છે ને. કેટલું જુઠ્ઠું છે. ભારત જ સચખંડ હતો, ભારત જ
જુઠ્ઠખંડ છે. જુઠ્ઠખંડ કોણે બનાવ્યો, સચખંડ કોણે બનાવ્યો-આ કોઈને ખબર નથી. રાવણને
બિલકુલ જ જાણતા નથી. ભક્ત લોકો રાવણને બાળે છે. કોઈ ધાર્મિક વ્યક્તિ છે, તેને તમે
બતાવો કે મનુષ્ય આ શું-શું કરે છે. સતયુગ જેને સ્વર્ગ વૈકુંઠ કહો છો ત્યાં શૈતાન
રાવણ ક્યાંથી આવ્યો. નરક નાં મનુષ્ય ત્યાં હોઈ કેવી રીતે શકે. તો સમજશે આ તો બરાબર
ભૂલ છે. તમે રામરાજ્ય નાં ચિત્ર પર સમજાવી શકો છો, આમાં રાવણ ક્યાંથી આવ્યો? તમે
સમજાવો પણ છો પરંતુ સમજતા નથી. કોઈ વિરલા જ નીકળે છે. તમે કેટલાં થોડાં છો તે પણ
આગળ ચાલી જોવાનું છે, કેટલાં રહે છે.
તો બાબા એ સમજાવ્યું-આત્માની નાની નિશાની પણ અહીં જ દેખાડે છે. મોટી નિશાની છે
રાજતિલક. હમણાં બાપ આવેલાં છે. પોતાને મોટું તિલક કેવી રીતે આપવાનું છે, તમે
સ્વરાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો? તે રસ્તો બતાવે છે. તેનું નામ રાખી દીધું
છે રાજયોગ. શિખવાડવા વાળા છે બાપ. કૃષ્ણ થોડી બાપ હોઈ શકે. તે તો બાળક છે પછી
રાધાની સાથે સ્વયંવર થાય છે ત્યારે એક બાળક થશે. બાકી કૃષ્ણને આટલી રાણીઓ વગેરે આપી
દીધી છે આ તો જુઠ્ઠું છે ને. પરંતુ આ પણ ડ્રામામાં નોંધ છે, આવી વાતો તો પણ
સાંભળશો. હમણાં આપ બાળકોની બુદ્ધિ માં છે - કેવી રીતે આપણે આત્માઓ ઉપરથી આવીએ છે
પાર્ટ ભજવવાં. એક શરીર છોડી બીજું લઈએ છે. આ તો ખુબ સહજ છે ને. બાળક જનમ્યો, તેને
શીખવાડે છે - આ બોલો. તો શીખવાડવા થી શીખી જાય છે. તમને બાબા શું શીખવાડે છે? ફક્ત
કહે છે બાપ અને વારસા ને યાદ કરો. તમે ગાઓ પણ છો તુમ માતા-પિતા….આત્મા ગાએ છે ને
બરોબર સુખ ઘનેરા મળે છે. આપ બાળકો જાણો છો શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે. અહીંયા
તમે શિવબાબાની પાસે આવ્યાં છો. ભાગીરથ તો મનુષ્ય નો રથ છે ને. આમાં પરમપિતા
પરમાત્મા વિરાજમાન થાય છે, પરંતુ રથનું નામ શું છે? હમણાં તમે જાણો છો નામ છે
બ્રહ્મા કારણ કે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચે છે ને. પહેલાં હોય જ છે બ્રાહ્મણ ચોટી
પછી દેવતા. પહેલાં તો બ્રાહ્મણ જોઈએ એટલે વિરાટ રુપ પણ દેખાડ્યું છે. તમે બ્રાહ્મણ
પછી દેવતા બનો છો. બાપ ખુબ સારી રીતે સમજાવે છે, પછી છતાં પણ ભૂલી જાય છે. બાપ કહે
બાળકો સદા સ્મૃતિ રાખો કે અમે સ્ત્રી-પુરુષ નથી, અમે આત્મા છીએ. અમે મોટા બાબા
(શિવબાબા) થી નાનાં બાબા (બ્રહ્મા) દ્વારા વારસો લઈ રહ્યાં છીએ તો રાવણપણા ની
સ્મૃતિ વિસ્મૃતિ થઇ જશે. આ પવિત્ર રહેવાની ખુબ સરસ યુક્તિ છે. બાબાની પાસે બહુજ
જોડીઓ આવે છે, બન્ને જ કહે છે બાબા. જ્યારે કે સ્મૃતિ આવી છે આપણે એક બાપનાં બાળક
છીએ તો પછી રાવણપણાની સ્મૃતિ વિસ્મૃત થઈ જવી જોઈએ, આમાં મહેનત જોઈએ. મહેનત વગર તો
કંઈ ચાલી ન શકે. આપણે બાબાનાં બન્યાં છીએ, એમને જ યાદ કરીએ છે. બાપ પણ કહે છે મને
યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ૮૪ જન્મોની કહાની પણ બિલકુલ સહજ છે. બાકી મહેનત છે
બાપ ને યાદ કરવામાં. બાપ કહે છે ઓછામાં ઓછો પુરુષાર્થ કરી ૮ કલાક તો યાદ કરો. એક
ઘડી અડધી ઘડી….ક્લાસમાં આવો તો સ્મૃતિ આવશે-બાપ અમને આ ભણાવે છે. હમણાં તમે બાપનાં
સમ્મુખ છો ને. બાપ બાળકો-બાળકો કહી સમજાવે છે. આપ બાળકો સાંભળો છો. બાપ કહે છે હિયર
નો ઈવિલ…. આ પણ હમણાંની જ વાત છે.
હમણાં આપ બાળકો જાણો છો આપણે જ્ઞાન સાગર બાપની પાસે સમ્મુખ આવ્યાં છીએ. જ્ઞાન સાગર
બાપ તમને આખી સૃષ્ટિનું જ્ઞાન સંભળાવી રહ્યાં છે. પછી કોઈ ઉઠાવે ન ઉઠાવે, તે તો
તેમનાં ઉપર છે. બાપ આવીને હમણાં આપણને જ્ઞાન આપી રહ્યાં છે. આપણે હમણાં રાજયોગ
શીખીએ છે. પછી કોઈ પણ શાસ્ત્ર વગેરે ભક્તિનો અંશ નહીં રહે. ભક્તિમાર્ગમાં જ્ઞાન
રિંચક માત્ર નથી, જ્ઞાનમાર્ગમાં પછી ભક્તિ રિંચક માત્ર નથી. જ્ઞાન સાગર જ્યારે આવે
ત્યારે તે જ્ઞાન સંભળાવે. એમનું જ્ઞાન છે જ સદ્દગતિ નાં માટે. સદ્દગતિ દાતા છે જ
એક, જેમને જ ભગવાન કહેવાય છે. બધાં એક જ પતિત-પાવન ને બોલાવે છે પછી બીજા કોઈ હોઈ
કેવી રીતે શકે. હમણાં બાપ દ્વારા આપ બાળકો સાચ્ચી વાતો સાંભળી રહ્યાં છો. બાપે
સંભળાવ્યું - બાળકો, હું તમને કેટલો સાહૂકાર બનાવીને ગયો હતો. ૫ હજાર વર્ષની વાત
છે. તમે ડબલ સિરતાજ હતાંં, પવિત્રતાનો પણ તાજ હતો પછી જ્યારે રાવણ રાજ્ય હોય છે
ત્યારે તમે પૂજારી બની જાઓ છો. હવે બાપ ભણાવવા આવ્યાં છે તો એમની શ્રીમત પર
ચાલવાનું છે, બીજાઓને પણ સમજાવવાનું છે. બાપ કહે છે મારે આ શરીર લોન (ઉધાર) લેવું
પડે છે. મહિમા બધી એ એકની જ છે, હું તો તેમનો રથ છું. બળદ નથી. બલિહારી બધી તમારી
છે, બાબા તમને સંભળાવે છે. હું વચમાં સાંભળી લઉં છું. મને એકલા ને કેવી રીતે
સંભળાવશે. તમને સંભળાવે છે હું પણ સાંભળી લઉં છું. આ પણ પુરુષાર્થી વિદ્યાર્થી છે.
તમે પણ વિદ્યાર્થી છો. આ પણ ભણે છે. બાપ ની યાદ માં રહે છે. કેટલી ખુશી માં રહે છે.
લક્ષ્મી-નારાયણને જોઈ ખુશી થાય છે - હું આ બનવાવાળો છે. તમે અહીંયા આવ્યાં જ છો
સ્વર્ગનાં પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) બનવાં. રાજ્યોગ છે ને. લક્ષ-હેતુ
પણ છે. ભણાવવા વાળા પણ બેઠાં છે પછી એટલી ખુશી કેમ નથી થતી. અંદરમાં ખુબ ખુશી થવી
જોઈએ. બાબા થી આપણે કલ્પ-કલ્પ વારસો લઈએ છે. અહીંયા જ્ઞાન સાગર ની પાસે આવીએ છીએ,
પાણી ની તો વાત જ નથી. અહીંયા તો બાપ સમ્મુખ સમજાવી રહ્યાં છે. તમે પણ આ (દેવતા)
બનવા માટે ભણી રહ્યાં છો. બાળકોને ખુબ ખુશી થવી જોઈએ - હવે અમે જઈએ છે પોતાનાં ઘરે.
હવે જે જેટલું ભણશે એટલું ઊંચું પદ પામશે. દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે.
દિલહોલ (દિલશિકસ્ત) નહીં બનો. બહુજ મોટી લોટરી છે. સમજવાં છતાં પણ પછી આશ્ચર્યવત
ભાગન્તી થઈ ભણવાનું છોડી દે છે. માયા કેટલી પ્રબળ છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાને
રાજતિલક આપવાનાં લાયક બનાવવાનું છે. સપૂત બાળક બનીને સબૂત આપવાનું છે. ચલન ખુબ રોયલ
રાખવાની છે. બાપ નાં પૂરે-પુરા મદદગાર બનવાનું છે.
2. આપણે વિદ્યાર્થી
છીએ, ભગવાન આપણને ભણાવી રહ્યાં છે, આ ખુશી થી ભણતર ભણવાનું છે. ક્યારેય પણ
પુરુષાર્થ માં દિલશિકસ્ત નથી બનવાનું.
વરદાન :-
કંટ્રોલિંગ
પાવર ( નિયંત્રણ શક્તિ ) દ્વારા એક સેકન્ડ નાં પેપર માં પાસ થવાવાળા પાસ વિથ ઓનર ભવ
હમણાં-હમણાં શરીરમાં
આવવું અને હમણાં-હમણાં શરીર થી ન્યારા બની અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈ જવું.
જેટલાં હંગામા થાય એટલી સ્વયં ની સ્થિતિ અતિ શાંત હોય, તેનાં માટે સમેટવાની શક્તિ
જોઈએ. એક સેકન્ડ માં વિસ્તાર થી સાર માં ચાલ્યાં જાઓ અને એક સેકન્ડ માં સાર થી
વિસ્તાર માં આવી જાઓ, એવી કંટ્રોલિંગ પાવરવાળા જ વિશ્વ ને કંટ્રોલ કરી શકે છે. અને
આ જ અભ્યાસ અંતિમ એક સેકન્ડ નાં પેપર માં પાસ વિથ ઓનર બનાવી દેશે.
સ્લોગન :-
વાનપ્રસ્થ
સ્થિતિનો અનુભવ કરો અને કરાવો તો બાળપણ ની રમત સમાપ્ત થઈ જશે.