14-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારે સંગ ખૂબ સારો કરવાનો છે , ખોટા સંગ નો રંગ લાગ્યો તો પડી જશો , કુસંગ બુદ્ધિને તુચ્છ બનાવી દે છે ”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકોને કઈ ઉછળ આવી જોઈએ?

ઉત્તર :-
તમને ઉછળ આવવી જોઈએ કે ગામ-ગામમાં જઈને સર્વિસ કરીએ. તમારી પાસે જે કાંઈ છે, તે સેવા અર્થ છે. બાપ બાળકો ને સલાહ આપે છે - બાળકો, આ જૂની દુનિયા થી પોતાનો પલ્લવ આઝાદ કરો. કોઈ વસ્તુમાં મમત્વ નહીં રાખો, એનાથી દિલ નહીં લગાવો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે ……

ઓમ શાંતિ!
પાપ આત્માઓની દુનિયા અને પુણ્ય આત્માઓની દુનિયા, નામ આત્માઓનું જ રખાય છે. હમણાં અહીંયા દુઃખ છે ત્યારે પોકારો છો. પુણ્ય આત્માઓની દુનિયામાં પોકારતાં નથી કે ક્યાંય લઇ જાઓ. આપ બાળકો સમજો છો, આ કોઈ પંડિત અથવા સન્યાસી શાસ્ત્રવાદી વગેરે નથી સંભળાવતાં. આ સ્વયં પણ કહે છે - હું આ જ્ઞાન નહોતો જાણતો, રામાયણ વગેરે શાસ્ત્ર તો અનેક વાંચતા હતાં. બાકી આ જ્ઞાન હમણાં હું તમને સંભળાવું છું. આ પણ સાંભળે છે. હમણાં આ છે પાપ આત્માઓની દુનિયા. પુણ્ય આત્માઓનાં માટે ફક્ત કહેશે કે આ થઈને ગયાં છે. બસ, પૂજા કરીને આવી જશે, શિવની પૂજા કરીને આવશે. આપ બાળકો હવે કોની પૂજા કરશો? તમે જાણો છો ઊંચેથી ઊંચા ભગવાન શિવ છે, એ છે ઓબીડિયન્ટ (આજ્ઞાકારી) બાપ, શિક્ષક, ઓબીડિયન્ટ પ્રિસેપ્ટર (ગુરુ). સાથે લઈ જવાની ગેરંટી બીજા કોઈ ગુરુ વગેરે કરી ન શકે. તે પણ તે કોઈ બધાને થોડી લઈ જશે. હમણાં તમે સમ્મુખ બેઠાં છો, અહીંયા થી પોતાનાં ઘરમાં જવાથી પણ તમે ભૂલી જશો. અહીંયા સમ્મુખ સાંભળવાથી મજા આવશે. બાપ ઘડી-ઘડી કહે છે - બાળકો, સારી રીતે ભણો. આમાં ગફલત નહીં કરો, કુસંગ માં નહીં ફસાઓ. નહીં તો ખૂબ જ તુચ્છ બુદ્ધિ થઈ જશો. બાળકો જાણે છે અમે શું હતાં, કયા પાપ કર્યા. હવે અમે આ દેવતા બનીએ છીએ, આ જૂની દુનિયા ખતમ થવાની છે પછી અહીંયા મકાન વગેરેની શું પરવા રાખવાની છે. આ દુનિયાનું જે કાંઈ છે તે ભૂલવાનું છે. નહીં તો અવરોધ નાખશે. આમાં દિલ લાગતું નથી. આપણે નવી દુનિયામાં પોતાનાં હીરા-ઝવેરાતો નાં મહેલ જઈને બનાવશું. અહીંયાનાં પૈસા વગેરે કોઈ વસ્તુ સારી લાગતી હશે તો શરીર છોડતાં સમયે એમાં મોહ ચાલ્યો જશે. મારું-મારું કરશો તો તે અંતમાં સામે આવી જશે. આ તો બધું અહીંયા ખતમ થઈ જવાનું છે. આપણે આપણી રાજધાનીમાં આવી જઈશું, આમાં શું દિલ લગાવવાનું છે. ત્યાં ખૂબ સુખ રહે છે. નામ જ છે સ્વર્ગ. હવે આપણે ચાલ્યાં પોતાનાં વતન, આ તો રાવણનું વતન છે, આપણું નથી. આનાથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. જૂની દુનિયાથી પલ્લવ આઝાદ કરાવે છે એટલે બાપ કહે છે કોઈ વસ્તુમાં મમત્વ નહીં રાખો. પેટ કોઈ વધારે નથી માંગતું, ફાલતુ ચીજો પર ખર્ચો ખૂબ થાય છે. આપ બાળકોને સર્વિસ કરવા માટે ઉછળ આવવી જોઈએ. ઘણાં બાળકો છે જેમને ગામ-ગામમાં સર્વિસ કરવાનો શોખ છે. બાકી જેમને સર્વિસ નો શોખ નથી, એમને શું કામના કહેશું. જેવાં બાપ તેવું બાળકોએ બનવું જોઈએ. બાપનો જ પરિચય આપવાનો છે. બાપ ને યાદ કરો અને બાપ થી વારસો લો. બાળકોને શોખ હોય - અમે બાબાની સર્વિસ પર જઈએ છે. તો બાપ પણ હિંમત વધારે છે. બાપ આવ્યા છે સર્વિસ પર, સર્વિસ માટે બધું જ છે. આ તો બાપનો પરિચય બધાને આપવાનો છે. બાપ એક જ છે. ભારતમાં આવ્યા હતાં, ભારતમાં દેવતાઓનું રાજ્ય હતું. કાલની વાત છે, લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું પછી રામ-સીતાનું. પછી વામમાર્ગ માં પડ્યાં. રાવણ રાજ્ય શરુ થયું, સીડી નીચે ઉતર્યા હવે ફરી ચઢતી કળા સેકન્ડ ની વાત છે.

એક હોય છે રીયલ (સાચો) પ્રેમ, બીજો હોય છે આર્ટિફિશિયલ લવ (બનાવટી). સાચો પ્રેમ બાપ થી ત્યારે હોય જ્યારે પોતાને આત્મા સમજે. હમણાં આપ બાળકોનો આ દુનિયામાં આર્ટિફિશિયલ લવ છે. આ તો ખતમ થવાની છે. સર્વિસ કરવાવાળા ક્યારેય ભૂખ્યાં નથી મરી શકતાં. તો સર્વિસ નો બાળકોએ શોખ રાખવો જોઈએ. તમારી ઈશ્વરીય મિશન ખુબ સહજ છે. કોઈ સમજતા નથી કે ધર્મ કેવી રીતે સ્થાપન થાય છે. ક્રાઈસ્ટ આવ્યાં, ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો, ધર્મ વધતો ગયો. તેમની મત પર ચાલતાં-ચાલતાં પડતાં આવ્યાં, હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. અડધોકલ્પ રાવણ રાજ્યમાં આપણે બાપ ને ભૂલી ગયાં, હવે બાપએ આવીને સુજાગ કર્યા છે. બાબા કહે ડ્રામા અનુસાર તમારે પડવાનું જ હતું. તમારો પણ દોષ નથી. રાવણ રાજ્યમાં દુનિયાની આવી હાલત થઈ જાય છે. બાપ કહે છે હવે હું આવ્યો છું ભણાવવાં. તમે ફરીથી પોતાની રાજાઈ લો. હું બીજી કોઈ તકલીફ નથી આપતો. એક તો બજારની છી-છી ગંદી ચીજો નહીં ખાઓ અને મામેકમ યાદ કરો. હમણાં આપ બાળકો જાણો છો - આ ડ્રામા નું ચક્ર છે, જે ફરી રીપીટ (પુનરાવર્તન) થશે. તમારી બુદ્ધિમાં ડ્રામાનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. તમે કોઈને પણ સમજાવી શકો છો. પહેલાં તો બાપ ની યાદ રહેવી જોઈએ. સર્વિસ માટે આપસમાં મળીને સાથી બનાવી લેવાં જોઈએ. માતાઓને પણ નીકળવું જોઈએ. આમાં ડરવાની કોઈ વાત નથી. ચિત્ર વગેરે બધું તમને મળશે. તમારી સર્વિસ વધારે થશે. કહેશે તમે ચાલ્યાં જાઓ છો, પછી અમને કોણ શીખવાડશે? બોલો, અમે સર્વિસ કરવા માટે તૈયાર છીએ. મકાન વગેરેનો પ્રબંધ કરો. અનેકોનાં કલ્યાણ અર્થ નિમિત્ત બની જશે. બાબા સર્વિસનો ઉમંગ અપાવે છે. બાળકોમાં હિંમત છે, તો સર્વિસ પણ વધે છે. આ કોઈ મેળો નથી જે ૧૦-૧૫ દિવસ મેળો ચાલ્યો પછી ખલાસ. આ મેળો તો ચાલતો જ રહે છે. અહીંયા આત્માઓ અને પરમાત્મા નું મિલન થાય છે, જેને જ સાચો મેળો કહેવાય છે. એ તો હમણાં ચાલી જ રહ્યો છે. મેળો બંધ ત્યારે થશે જ્યારે સર્વિસ પૂરી થશે. ડ્રામા અનુસાર બાળકોને સર્વિસ નો ખુબજ શોખ જોઈએ. જે બેહદનાં બાપમાં નોલેજ છે, તે બાળકોને બુદ્ધિમાં છે. ઊંચેથી ઊંચા બાપ થી આપણે કેટલાં ઊંચા બનતાં આવ્યાં છીએ. એવી-એવી પોતાનાથી વાતો કરવાની છે. આપસમાં સેમિનાર કરવાનું છે. બાબા થી સલાહ લઇ સર્વિસ માં લાગી જાઓ. કોઇ મદદની દરકાર હોય તો બાબા દુલ્હેલાલ બેઠાં છે. આ બધું ડ્રામામાં નોંધ છે. ફિકર ની કોઈ વાત નથી. નહીં તો સ્થાપના કેવી રીતે થશે. બીજી વાત આ પણ છે, જે કરશે તે પામશે. હમણાં આપ બાળકો પથ્થર બુદ્ધિ થી હીરા જેવાં બનો છો. બાપ જ્ઞાન થી એટલાં સીધા કરે, માયા પછી નાક થી પકડી ને પીઠ જ અપાવી દે છે.

આપ બાળકોએ સંગ ખૂબ સારો કરવો જોઈએ. ખોટા સંગનો રંગ લાગવાથી નીચે પડશો. બાબા બાઈસ્કોપ (સિનેમા) વગેરે જોવાની મનાઈ કરે છે. જેમને બાઈસ્કોપ ની આદત પડી તે પતિત બન્યાં વગર રહી નહીં શકશે. અહીંયા દરેક ની એક્ટિવિટી (પ્રવૃત્તિ) ખરાબ છે, નામ જ છે વેશ્યાલય. બાપ શિવાલય સ્થાપન કરી રહ્યાં છે. વેશ્યાલય ને પૂરી આગ લાગવાની છે. કુંભકરણની જેમ આસુરી નિંદ્રા માં સૂતેલાં છે. તમે સમજો છો કે આપણે શિવાલયમાં જઇ રહ્યાં છીએ. પહેલાં આપણે પણ વાંદરા જેવાં હતાં, આનાં પર રામાયણ માં પણ વાર્તા છે. હવે તમે બાપનાં મદદગાર બન્યાં છો. તમે પોતાની શક્તિથી રાજ્ય સ્થાપન કરી રહ્યાં છો. પછી આ રાવણ રાજ્ય ખલાસ થઈ જવાનું છે. આપ બાળકોને અનેક પ્રકારની યુક્તિઓ બતાવતાં રહે છે. કોઈને દાન નહીં કરશો તો પણ કેવી રીતે મળશે. પહેલાં-પહેલાં ૧૦-૧૫ ને રસ્તો બતાવી ને પછી ભોજન ખાવું જોઈએ. પહેલાં શુભ કામ કરીને આવો, આમાં જ તમારું કલ્યાણ છે. કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. આ તો પતિત દુનિયા છે. પતિત-પાવન એક બાપ ને યાદ કરો તો પાવન દુનિયાનાં માલિક બની જશો. અંત મતિ સો ગતિ થઇ જશે. તો કોઈને ને કોઈને સંદેશ સંભળાવીને પછી આવીને ભોજન ખાવું જોઈએ. તમે બધાને આજ બતાવતા રહો કે બાપને યાદ કરવાથી આટલા ઊંચા બની જશો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

રાત્રી ક્લાસ - ૧૭ - ૩ - ૬૮

ક્યારે પણ કોઈ ભાષણ વગેરે કરવાનું હોય તો આપસમાં મળીને બે-ચાર વખત પૂર્વતૈયારી કરો, પોઇન્ટસ એડિશન કરેકશન (સુધારી-વધારો) કરી તૈયાર કરો તો પછી રિફાઇન ભાષણ કરશો. મૂળ એક વાત પર (ગીતાનાં ભગવાન પર) જ તમે વિજય પામ્યાં તો પછી બધી વાતોમાં વિજય થઈ જશે, એનાં માટે કોન્ફરન્સ (સંમેલન) તો થશે ને! સમજતાં રહેશે ઝાડની વૃદ્ધિ તો જરુર થવાની છે. માયાનાં તોફાન તો બધાને લાગે છે. વધારે કરીને લખે છે બાબા અમે કામની ચમાટ ખાધી, આને કહેવાય છે કરેલી કમાણી ચટ. ક્રોધ વગેરે કર્યો તો કહેશે કંઈક ખોટ પડી. આને માટે સમજાવવું પડે છે, કામ પર જીત પહેરી જગત જીત બને છે. કામ થી હારે હાર થાય છે. કામથી હારવા વાળા ની કમાણી ચટ થઈ જાય છે, દંડ પડી જાય છે. મંઝિલ ખૂબ ઊંચી છે એટલે ખુબ ખબરદારી રાખવી પડે છે. આપ બાળકો જાણો છો ૫૦૦૦ વર્ષ પહેલાં પણ આપણને બાદશાહી મળી હતી. હવે ફરીથી દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. આ ભણતર થી આપણે એ રાજધાનીમાં જઈએ છીએ, બધો આધાર છે ભણતર પર. ભણતર અને ધારણા થી જ બાપ સમાન બનશો. રજીસ્ટર પણ જોઈએ ને જે ખબર પડે કેટલાં ને આપસમાન બનાવ્યાં. જેટલી વધારે ધારણા કરશો એટલાં જ મીઠા બનશો. ખૂબ પ્રેમાળ બાળકો જોઈએ. આપ બાળકોનાં માટે જ તે દિવસ આવ્યો આજે, જેનાં માટે મનુષ્ય ખૂબ કોશિશ કરે છે કે મુક્તિમાં જઈએ. બાપ બધાને સાથે જ મુક્તિ જીવનમુક્તિ આપે છે. જે દેવતા બનવાનો પુરુષાર્થ કરે છે તેજ જીવનમુક્તિ માં આવશે. બાકી બધાં મુક્તિમાં જશે. હિસાબ એક્યુરેટ (સચોટ) નથી નિકાળી શકાતો. કોઈ તો રહેશે પણ. વિનાશનો સાક્ષાત્કાર કરશે. આ સોનેરી સમય પણ જોશે. દરેક વાત માં પુરુષાર્થ કરવાનો હોય છે. એવું પણ નહીં યાદ માં બેસશો તો કામ થઇ જશે. મકાન મળી જશે. ના. એ તો ડ્રામામાં જે છે તે જ થાય છે, આશ ન રાખવી જોઈએ. પુરુષાર્થ કરવાનો હોય છે. બાકી થાય છે તે જ જે ડ્રામામાં નોંધ છે. આગળ ચાલી તમારી વૃત્તિ પણ ભાઈ-ભાઈ ની થઈ જશે. જેટલો પુરુષાર્થ કરશો એટલી તે વૃત્તિ રહેશે. આપણે અશરીરી આવ્યા હતાં. ૮૪ જન્મનું ચક્ર પૂરું કર્યું. હવે બાપ કહે છે કર્માતીત અવસ્થામાં જવાનું છે.

તમારે હકીકતમાં કોઈથી પણ શાસ્ત્રો વગેરે પર વિવાદ કરવાની દરકાર નથી. મૂળ વાત છે જ યાદની અને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને સમજવાનું છે. ચક્રવર્તી રાજા બનવાનું છે. આ ચક્રને જ ફક્ત સમજવાનું છે. આનું જ ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ. આપ બાળકોને વન્ડર લાગતું હશે, અડધો કલ્પ ભક્તિ ચાલે છે. જ્ઞાન રીંચક નથી. જ્ઞાન છે જ બાપ ની પાસે. બાપ દ્વારા જ જાણવાનું છે. આ બાપ કેટલા અનકોમન (અસાધારણ) છે, એટલે કોટોમાં કોઈ નીકળે છે. તે શિક્ષક એવું થોડી કહેશે. આ તો કહે છે હું જ બાપ, શિક્ષક, ગુરુ છું. તો મનુષ્ય સાંભળીને વન્ડર ખાશે. ભારતને મધરકન્ટ્રી (માતૃભૂમિ) કહે છે કારણકે અંબાનું નામ ખૂબ પ્રખ્યાત છે. અંબાનાં મેળા પણ ખૂબ લાગે છે. અંબા મીઠો અક્ષર છે. નાનાં બાળકો પણ માં ને પ્રેમ કરે છે ને કારણ કે માં ખવડાવે પીવડાવે સંભાળે છે. હવે અંબા નાં બાબા પણ જોઈએ ને. આ તો બાળકી છે એડોપ્ટેડ (દત્તક), આનો પતિ તો છે નહીં. આ નવી વાત છે ને. પ્રજાપિતા બ્રહ્મા જરુર એડોપ્ટ કરતાં હશે. આ બધી વાતો બાપ જ આવીને આપ બાળકો ને સમજાવે છે. કેટલાં મેળા લાગે છે, પૂજા થાય છે, કારણ કે આપ બાળકો સર્વિસ કરો છો. મમ્મા એ જેટલાને ભણાવ્યાં હશે એટલું બીજા કોઈ ભણાવી ન શકે. મમ્મા નો નામાચાર ખૂબ છે, મેળા પણ ખૂબ લાગે છે. હમણાં આપ બાળકો જાણો છો, બાપ એ જ આવીને રચનાનાં આદિ-મધ્ય-અંત નું બધું રહસ્ય આપ બાળકોને સમજાવ્યું છે. તમને બાપનાં ઘરની પણ ખબર પડી છે. બાપ થી જ પ્રેમ છે, ઘર થી પણ પ્રેમ છે. આ જ્ઞાન તમને હમણાં મળે છે. આ ભણતરથી કેટલી કમાણી થાય છે. તો ખુશી થવી જોઈએ ને અને તમે છો બિલકુલ સાધારણ. દુનિયાને ખબર નથી, બાબા આવીને આ નોલેજ સંભળાવે છે. બાપ જ આવીને બધી નવી-નવી વાતો બાળકોને સંભળાવે છે. નવી દુનિયા બને છે બેહદનાં ભણતર થી. જૂની દુનિયા થી વૈરાગ્ય આવી જાય છે. આપ બાળકોનાં અંદરમાં જ્ઞાનની ખુશી રહે છે. બાપને અને ઘરને યાદ કરવાનું છે. ઘરે તો બધાને જવાનું જ છે. બાપ તો બધાને કહેશે ને બાળકો હું તમને મુક્તિ જીવનમુક્તિ નો વારસો આપવા આવ્યો છું. પછી ભૂલી કેમ જાઓ છો! હું તમારો બેહદ નો બાપ છું, રાજયોગ શીખવાડવાં આવ્યો છું. તો શું તમે શ્રીમત પર નહીં ચાલશો. પછી તો ખૂબ ઘાટો પડી જશે. આ છે બેહદ ની ખોટ. બાપનો હાથ છોડયો તો કમાણી માં ખોટ પડી જશે. અચ્છા-ગુડનાઈટ. ઓમ શાંતિ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દુનિયાનું જે કાંઈ છે તેને ભૂલવાનું છે. બાપ સમાન ઓબીડિયન્ટ (આજ્ઞાકારી) બની સર્વિસ કરવાની છે. બધાને બાપ નો પરિચય આપવાનો છે.

2. આ પતિત દુનિયા માં સ્વયં સ્વયંને કુસંગ થી બચાવવાનું છે. બજારનું ગંદુ ભોજન નથી ખાવાનું, બાઈસ્કોપ નથી જોવાનું.

વરદાન :-
પરમાત્મ યાદ નાં ખોળામાં સમાવા વાળા સંગમયુગી શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા ભવ

સંગમયુગ સતયુગી સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે કારણ કે હમણાં નું ગાયન છે અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ બ્રાહ્મણોનાં સંસારમાં. એક બાપ મળ્યાં તો બધુંજ મળ્યું. હમણાં આપ બાળકો ક્યારેક અતીન્દ્રિય સુખનાં ઝુલામાં ઝૂલો છો, ક્યારેક ખુશી, ક્યારેક શાંતિ, ક્યારેક જ્ઞાન, ક્યારેક આનંદ અને ક્યારેક પરમાત્મ ખોળાનાં ઝૂલામાં ઝૂલતાં. પરમાત્મ ખોળો છે - યાદની લવલીન અવસ્થા. આ ખોળો સેકન્ડમાં અનેક જન્મોનાં દુખ-દર્દ ભુલાવી દે છે. તો આ શ્રેષ્ઠ સંસ્કાર ને સદા સ્મૃતિ માં રાખી ભાગ્યવાન આત્મા બનો.

સ્લોગન :-
એવાં સપૂત બનો જે બાબા તમારાં ગીત ગાએ અને તમે બાબા નાં ગીત ગાઓ.