09-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - આપ
આત્માઓનો પ્રેમ એક બાપ થી છે , બાપે તમને આત્મા થી પ્રેમ કરતા શીખવાડ્યું છે , શરીર
થી નહીં ”
પ્રશ્ન :-
કયા
પુરુષાર્થમાં જ માયા વિઘ્ન નાખે છે? માયાજીત બનવાની યુક્તિ કઈ છે?
ઉત્તર :-
તમે પુરુષાર્થ કરો છો કે અમે બાપને યાદ કરીને પોતાનાં પાપોને ભસ્મ કરીએ. તો આ યાદમાં
જ માયાનાં વિઘ્ન પડે છે. બાપ ઉસ્તાદ તમને માયાજીત બનવાની યુક્તિ બતાવે છે. તમે
ઉસ્તાદ ને ઓળખીને યાદ કરો તો ખુશી પણ રહેશે, પુરુષાર્થ પણ કરતાં રહેશો અને સર્વિસ
પણ ખુબ કરશો. માયાજીત પણ બની જશો.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે ……...
ઓમ શાંતિ!
રુહાની બાળકો
એ ગીત સાંભળ્યું, અર્થ સમજ્યો. દુનિયામાં કોઈપણ અર્થ નથી સમજતાં. બાળકો સમજે છે
અમારી આત્માનો પ્રેમ પરમપિતા પરમાત્માની સાથે છે. આત્મા પોતાનાં બાપ પરમપિતા
પરમાત્માને પોકારે છે. પ્રેમ આત્મામાં છે કે શરીરમાં? હવે બાપ શીખવાડે છે પ્રેમ
આત્મામાં હોવો જોઈએ. શરીર તો ખતમ થઈ જવાનું છે. પ્રેમ આત્મામાં છે. હવે બાપ સમજાવે
છે તમારો પ્રેમ પરમાત્મા બાપ થી હોવો જોઈએ, શરીરો થી નહીં. આત્મા જ પોતાનાં બાપને
પોકારે છે કે પુણ્ય આત્માઓની દુનિયામાં લઈ ચાલો. તમે સમજો છો-આપણે પાપ આત્મા હતાંં,
હવે ફરી પુણ્ય આત્મા બની રહ્યાંં છીએ. બાબા તમને યુક્તિ થી પુણ્ય આત્મા બનાવી રહ્યાં
છે. બાપ બતાવે ત્યારે તો બાળકોને અનુભવ થાય અને સમજે કે અમે બાપ દ્વારા બાપની યાદથી
પવિત્ર પુણ્ય આત્મા બની રહ્યાં છીએ. યોગબળ થી આપણાં પાપ ભસ્મ થઇ રહ્યાં છે. બાકી
ગંગા વગેરેમાં કોઈ પાપ ધોવાઈ નથી જતાં. મનુષ્ય ગંગાસ્નાન કરે છે, શરીરને માટી ચોળે
છે પરંતુ તેનાથી કોઈ પાપ ધોવાતા નથી. આત્માનાં પાપ યોગબળ થી જ નીકળે છે. ખાદ નીકળે
છે, આ તો બાળકોને જ ખબર છે અને નિશ્ચય છે અમે બાબા ને યાદ કરશું તો અમારા પાપ ભસ્મ
થશે. નિશ્ચય છે તો પછી પુરુષાર્થ કરવો જોઈએ ને. આ પુરુષાર્થમાં જ માયા વિઘ્ન નાખે
છે. રુસ્તમ થી માયા પણ સારી રીતે રુસ્તમ થઈને લડે છે. કાચાં થી શું લડશે! બાળકોએ
હંમેશા આ ખ્યાલ રાખવાનો છે, આપણે માયાજીત જગતજીત બનવાનું છે. માયાજીતે જગતજીત નો
અર્થ પણ કોઈ સમજતાં નથી. હમણાં આપ બાળકોને સમજાવાય છે-તમે કેવી રીતે માયા પર જીત
પામી શકો છો. માયા પણ સમર્થ છે ને. આપ બાળકોને ઉસ્તાદ મળેલો છે. એ ઉસ્તાદ ને પણ
નંબરવાર કોઈ વિરલા જાણે છે. જે જાણે છે તેમને ખુશી પણ રહે છે. પુરુષાર્થ પણ પોતે કરે
છે. સર્વિસ પણ ખુબ કરે છે. અમરનાથ પર અનેક લોકો જાય છે.
હવે બધાં મનુષ્ય કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? હમણાં તમે બધાને સિદ્ધ કરી
બતાવો છો કે સતયુગમાં કેવી રીતે સુખ-શાંતિ હતી. આખાં વિશ્વ પર શાંતિ હતી. આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, બીજો કોઈ ધર્મ નહોતો. આજ થી ૫ હજાર વર્ષ થયા જ્યારે
કે સતયુગ હતું પછી સૃષ્ટિએ ચક્ર તો જરુર લગાડવાનું છે. ચિત્રો થી તમે બિલકુલ ક્લિયર
(સ્પષ્ટ) બતાવો છો, કલ્પ પહેલાં પણ આવાં ચિત્ર બનાવ્યાં હતાં. દિવસ-પ્રતિદિવસ
ઇમ્પ્રૂવમેન્ટ (સુધાર) થતી જાય છે. ક્યાંક બાળકો ચિત્રો માં તિથિ-તારીખ લખવાનું ભૂલી
જાય છે. લક્ષ્મી-નારાયણનાં ચિત્ર માં તિથિ-તારીખ જરુર હોવી જોઈએ. આપ બાળકોની
બુદ્ધિમાં બેઠેલું છે ને કે અમે સ્વર્ગવાસી હતાં, હવે ફરી બનવાનું છે. જેટલો જે
પુરુષાર્થ કરે છે એટલું પદ પામે છે. હમણાં બાપ દ્વારા તમે જ્ઞાનની ઓથોરિટી (સત્તા)
બનો છો. ભક્તિ હવે ખલાસ થઈ જવાની છે. સતયુગ-ત્રેતામાં ભક્તિ થોડી હશે. પાછળ થી
અડધોકલ્પ ભક્તિ ચાલે છે. આ પણ હમણાં આપ બાળકોને સમજમાં આવે છે. અડધાકલ્પ પછી રાવણ
રાજ્ય શરુ થાય છે. આખી રમત આપ ભારતવાસીઓ પર જ છે. ૮૪ નું ચક્ર ભારત પર જ છે. ભારત જ
અવિનાશી ખંડ છે, આ પણ પહેલાં થોડી ખબર હતી. લક્ષ્મી-નારાયણને ગોડ-ગોડેજ (ભગવાન-ભગવતી)
કહે છે ને. કેટલું ઊંચું પદ છે અને ભણતર કેટલું સહજ છે. આ ૮૪ નું ચક્ર પૂરું કરી પછી
આપણે પાછાં જઈએ છે. ૮૪ નું ચક્ર કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે. હમણાં તમને મૂળવતન,
સૂક્ષ્મવતન, સ્થૂળવતન બધું યાદ છે. પહેલાં થોડી જાણતા હતાં-સૂક્ષ્મવતન શું હોય છે.
હમણાં તમે સમજો છો ત્યાં કેવી રીતે મૂવીમાં વાતચીત કરે છે. મૂવી બાઈસ્કોપ પણ નીકળ્યો
હતો. તમને સમજાવવામાં સહજ થાય છે. સાઈલેન્સ, મુવી, ટોકી. તમે બધું જાણો છો
લક્ષ્મી-નારાયણનાં રાજ્ય થી લઈને હમણાં સુધી આખું ચક્ર બુદ્ધિમાં છે.
તમને ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં આજ ફિકર લાગી રહે કે અમારે પાવન બનવાનું છે. બાપ
સમજાવે છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પણ આ જૂની દુનિયાથી મમત્વ મટાવી દો. બાળકો
વગેરેને પણ ભલે સંભાળો. પરંતુ બુદ્ધિ બાપની તરફ હોય. કહે છે ને - હાથે થી કામ કરતાં
બુદ્ધિ બાપ તરફ રહે. બાળકોને ખવડાવો, પીવડાવો, સ્નાન કરાવો, બુદ્ધિમાં બાપની યાદ
હોય કારણ કે જાણો છો શરીર પર પાપોનો બોજો બહુજ છે એટલે બુદ્ધિ બાપની તરફ લાગી રહે.
તે માશૂક ને ખુબ-ખુબ યાદ કરવાનાં છે. માશૂક બાપ આપ સર્વ આત્માઓને કહે છે મને યાદ કરો,
આ પાર્ટ પણ હમણાં ચાલી રહ્યો છે પછી ૫ હજાર વર્ષ પછી ચાલશે. બાપ કેટલી સહજ યુક્તિ
બતાવે છે. કોઈ તકલીફ નથી. કોઈ કહે અમે તો આ કરી નથી શકતાં, અમને બહુજ તકલીફ ભાસે
છે, યાદ ની યાત્રા બહુજ મુશ્કેલ છે. અરે, તમે બાબા ને યાદ નથી કરી શકતાં! બાપ ને
થોડી ભૂલવું જોઈએ. બાપને તો સારી રીતે યાદ કરવાનાં છે ત્યારે વિકર્મ વિનાશ થશે અને
તમે એવર હેલ્દી (સદા સ્વસ્થ) બનશો. નહીં તો બનશો નહિં. તમને સલાહ બહુજ સારી એક ટીક
મળે છે. એક ટીક દવા હોય છે ને. હું ગેરંટી કરું છું આ યોગબળ થી તમે ૨૧ જન્મોનાં માટે
ક્યારેય રોગી નહીં બનશો. ફક્ત બાપ ને યાદ કરો-કેટલી સહજ યુક્તિ છે. ભક્તિમાર્ગમાં
યાદ કરતા હતાં અજાણ થી. હવે બાપ બેસીને સમજાવે છે, તમે સમજો છો આપણે કલ્પ પહેલાં પણ
બાબા તમારી પાસે આવ્યાં હતાં, પુરુષાર્થ કરતા હતાં. પાક્કો નિશ્ચય થઈ ગયો છે. આપણે
જ રાજ્ય કરતા હતાં પછી આપણે ગુમાવ્યું હવે ફરી બાબા આવેલાં છે, એમનાથી રાજ્ય-ભાગ્ય
લેવાનું છે. બાબા કહે છે મને યાદ કરો અને રાજાઈ ને યાદ કરો. મનમનાભવ. અંત મતિ સો ગતિ
થઈ જશે. હમણાં નાટક પૂરું થાય છે, પાછાં જઈશું. બાબા આવ્યાં છે બધાને લઈ જવા માટે.
જેમ વર, વધૂ ને લેવા માટે આવે છે. બ્રાઈડસ (વધૂ) ને ખુબ ખુશી થાય છે, અમે અમારાં
સાસરે જઈએ છે. તમે બધી સીતાઓ છો એક રામની. રામ જ તમને રાવણની જેલ થી છોડાવીને લઈ
જાય છે. લિબરેટર (મુક્તિદાતા) એક જ છે, રાવણ રાજ્યથી લિબરેટ કરે છે. કહે પણ છે-આ
રાવણ રાજ્ય છે, પરંતુ યથાર્થ રીતે સમજતાં નથી. હમણાં બાળકોને સમજાવાય છે, બીજાઓને
સમજાવવા માટે ખુબ સારા-સારા પોઇન્ટ અપાય છે. બાબા એ સમજાવ્યું-આ લખી દો કે વિશ્વમાં
શાંતિ કલ્પ પહેલાં માફક બાપ સ્થાપન કરી રહ્યાં છે. બ્રહ્મા દ્વારા સ્થાપના થઇ રહી
છે. વિષ્ણુ નું રાજ્ય હતું તો વિશ્વમાં શાંતિ હતી ને. વિષ્ણુ સો લક્ષ્મી-નારાયણ હતાં,
આ પણ કોઈ સમજે થોડી છે. વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણ અને રાધે-કૃષ્ણ ને અલગ-અલગ સમજે
છે. હમણાં તમે સમજ્યાં છો, સ્વદર્શન ચક્રધારી પણ તમે છો. શિવબાબા આવીને સૃષ્ટિચક્ર
નું જ્ઞાન આપે છે. એમનાં દ્વારા હમણાં આપણે પણ માસ્ટર જ્ઞાન સાગર બન્યાં છીએ. તમે
જ્ઞાન નદીઓ છો ને. આ તો બાળકોનાં જ નામ છે.
ભક્તિમાર્ગમાં મનુષ્ય કેટલાં સ્નાન કરે છે, કેટલાં ભટકે છે. ખુબ દાન-પુણ્ય વગેરે કરે
છે, સાહૂકાર લોકો તો ખુબજ દાન કરે છે. સોનું પણ દાન કરે છે. તમે પણ હમણાં સમજો છો-આપણે
કેટલાં ભટકતા હતાં. હવે આપણે કોઈ હઠયોગી તો છીએ નહીં. આપણે તો છીએ રાજ્યોગી. પવિત્ર
ગૃહસ્થ આશ્રમ નાં હતાં, પછી રાવણ રાજ્યમાં અપવિત્ર બન્યાં છીએ. ડ્રામા અનુસાર બાપ
ફરી ગૃહસ્થ ધર્મ બનાવી રહ્યાં છે બીજું કોઈ બનાવી ન શકે. મનુષ્ય તમને કહે છે કે તમે
બધાં પવિત્ર બનશો તો દુનિયા કેવી રીતે ચાલશે? બોલો, આટલાં બધાં સન્યાસી પવિત્ર રહે
છે તો દુનિયા કોઈ બંધ થઈ ગઈ છે કે શું? અરે સૃષ્ટિ આટલી વધી ગઈ છે, ખાવાનાં માટે
અનાજ પણ નથી હજુ સૃષ્ટિ પછી શું વધારશો. હમણાં આપ બાળકો સમજો છો, બાબા આપણી સમ્મુખ
હાજીર-નાજિર છે, પરંતુ એમને આ આંખોથી જોઈ નથી શકતાં. બુદ્ધિથી જાણીએ છીએ, બાબા આપણને
આત્માઓને ભણાવે છે, હાજીર-નાજિર છે.
જે વિશ્વ શાંતિ ની વાતો કરે છે, તેમને તમે બતાવો કે વિશ્વમાં શાંતિ તો બાપ કરાવી
રહ્યાં છે. તેનાં માટે જ જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ
વિનાશ થયો હતો. હમણાં પણ આ વિનાશ સામે ઊભો છે પછી વિશ્વમાં શાંતિ થઇ જશે. હમણાં આપ
બાળકોની બુદ્ધિમાં છે જ આ વાતો. દુનિયામાં કોઈ નથી જાણતું. કોઈ નથી જેમની બુદ્ધિમાં
આ વાતો હોય. તમે જાણો છો સતયુગમાં આખાં વિશ્વ પર શાંતિ હતી. એક ભારતખંડ નાં સિવાય
બીજો કોઈ ખંડ નહોતો. પાછળ બીજા ખંડ થયાં છે. હમણાં કેટલા ખંડ છે. હવે આ રમતનો પણ
અંત છે. કહે પણ છે ભગવાન જરુર હશે, પરંતુ ભગવાન કોણ અને કયા રુપમાં આવે છે. આ નથી
જાણતાં. કૃષ્ણ તો હોઈ ન શકે. ન કોઈ પ્રેરણાથી કે શક્તિથી કામ કરાવી શકે છે. બાપ તો
મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) છે, એમનાથી વારસો મળે છે. બાપ જ સ્વર્ગ સ્થાપન કરે છે તો
પછી જરુર જૂની દુનિયાનો વિનાશ પણ એ કરાવશે. તમે જાણો છો સતયુગમાં આ લક્ષ્મી-નારાયણ
હતાં. હવે ફરી પોતે પુરુષાર્થ થી આ બની રહ્યાં છે. નશો રહેવો જોઈએ ને. ભારતમાં
રાજ્ય કરતા હતાં. શિવબાબા રાજ્ય આપીને ગયા હતાં, એવું નહીં કહેશે શિવબાબા રાજ્ય
કરીને ગયા હતાં. ના. ભારત ને રાજ્ય આપીને ગયા હતાં. લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં
ને. ફરી બાબા રાજ્ય આપવા આવ્યાં છે. કહે છે - મીઠા-મીઠા બાળકો, તમે મને યાદ કરો અને
ચક્રને યાદ કરો. તમે જ ૮૪ જન્મ લીધાં છે. ઓછો પુરુષાર્થ કરે છે તો સમજો એમણે ઓછી
ભક્તિ કરી છે. વધારે ભક્તિ કરવા વાળા પુરુષાર્થ પણ વધારે કરશે. કેટલું ક્લિયર કરી
સમજાવે છે પરંતુ જ્યારે બુદ્ધિ માં બેસે. તમારું કામ છે પુરુષાર્થ કરાવવાનું. ઓછી
ભક્તિ કરી હશે તો યોગ લાગશે નહીં. શિવબાબા ની યાદ બુદ્ધિમાં રહેશે નહીં. ક્યારેય પણ
પુરુષાર્થ માં ઠંડા ન થવું જોઈએ. માયાને પહેલવાન જોઈ હાર્ટ ફેલ ન થવું જોઈએ. માયાનાં
તોફાન તો ખુબ આવશે. આ પણ બાળકોને સમજાવ્યું છે, આત્મા જ બધું કરે છે. શરીર તો ખતમ
થઈ જશે. આત્મા નીકળી ગઈ, શરીર માટી થઈ ગયું. તે પછી મળવાનું તો છે નહીં. પછી તેને
યાદ કરી રડવા વગેરેથી ફાયદો શું. તે ચીજ ફરી મળશે શું. આત્માએ તો જઈને બીજું શરીર
લીધું. હમણાં તમે કેટલી ઊંચી કમાણી કરો છો. તમારું જ જમા થાય છે, બાકી બધાનું નહિ
થશે.
બાબા ભોળા વ્યાપારી છે ત્યારે તો તમને મુઠ્ઠી ચોખાને બદલે ૨૧ જન્મોનાં માટે મહેલ આપી
દે છે, કેટલું વ્યાજ આપે છે. તમને જેટલું જોઇએ ભવિષ્યનાં માટે જમા કરો. પરંતુ એવું
નહીં, અંતમા આવીને કહેશે જમા કરો, તો તે સમય લઈને શું કરશે. અનાડી વેપારી થોડી છે.
કામમાં આવે નહિં અને વ્યાજ ભરીને આપવું પડે. એવાં નું લેશે થોડી. તમને મુઠ્ઠી ચોખા
ને બદલે ૨૧ જન્મોનાં માટે મહેલ મળી જાય છે. કેટલું વ્યાજ મળે છે. બાબા કહે છે
નંબરવન ભોળો તો હું છું. જુઓ તમને વિશ્વની બાદશાહી આપું છું, ફક્ત તમે મારાં બનીને
સર્વિસ (સેવા) કરો. ભોળાનાથ છે ત્યારે તો તેમને બધાં યાદ કરે છે. હવે તમે છો
જ્ઞાનમાર્ગ માં. હવે બાપની શ્રીમત પર ચાલો અને બાદશાહી લો. કહે પણ છે બાબા અમે આવ્યાં
છે રાજાઈ લેવાં. તે પણ સૂર્યવંશી માં. અચ્છા, તમારું મુખ મીઠુ થાય. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્રેમ અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
ચાલી બાદશાહી લેવાની છે. ચોખા મુઠ્ઠી આપી ૨૧ જન્મોનાં માટે મહેલ લેવાનાં છે.
ભવિષ્યનાં માટે કમાણી જમા કરવાની છે.
2. ગૃહસ્થ વ્યવહારમાં
રહેતાં આ જૂની દુનિયા થી મમત્વ મટાવીને પૂરું પાવન બનવાનું છે. બધુંજ કરતાં બુદ્ધિ
બાપ ની તરફ લાગી રહે.
વરદાન :-
હજાર ભુજાવાળા
બ્રહ્મા બાપનાં સાથ નો નિરંતર અનુભવ કરવા વાળા સાચાં સ્નેહી ભવ
વર્તમાન સમયે હજાર
ભુજાવાળા બ્રહ્મા બાપનાં રુપ નો પાર્ટ ચાલી રહ્યો છે. જેમ આત્માનાં વગર ભુજા કાંઈ
નથી કરી શકતી તેમ બાપદાદા નાં વગર ભુજારુપી બાળકો કાંઈ નથી કરી શકતાં. દરેક કાર્યમાં
પહેલાં બાપ નો સહયોગ છે. જ્યાં સુધી સ્થાપના નો પાર્ટ છે ત્યાં સુધી બાપદાદા બાળકોનાં
દરેક સંકલ્પ અને સેકન્ડ માં સાથે-સાથે છે એટલે ક્યારે પણ જુદાઈ નો પડદો નાખી વિયોગી
નહીં બનો. પ્રેમનાં સાગર ની લહેરો માં લહેરાવો, ગુણગાન કરો પરંતુ ઘાયલ નહીં બનો.
બાપનાં સ્નેહનું પ્રત્યક્ષ સ્વરુપ સેવાનાં સ્નેહી બનો.
સ્લોગન :-
અશરીરી
સ્થિતિનો અનુભવ કે અભ્યાસ જ નંબર આગળ આવવાનો આધાર છે.