18-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ફરીથી પોતાનાં ઠેકાણા પર પહોંચી ગયા છો , તમે બાપ દ્વારા રચતા અને રચના ને જાણી
લીધું છે તો ખુશી માં રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ ”
પ્રશ્ન :-
આ સમયે બાપ આપ
બાળકો નો શ્રુંગાર કેમ કરી રહ્યાં છે?
ઉત્તર :-
કારણ કે હવે આપણે સજી-ધજી ને વિષ્ણુ પુરી (સાસર-ઘર) માં જવાનું છે. આપણે આ જ્ઞાન થી
સજીને વિશ્વનાં મહારાજા-મહારાણી બનીએ છીએ. હમણાં સંગમયુગ પર છીએ, બાબા શિક્ષક બનીને
ભણાવી રહ્યાં છે- પિયર ઘરથી સાસર ઘર લઈ જવા માટે.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ……..
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
સ્વીટ ચિલ્ડ્રન (બાળકો), મીઠા-મીઠા સિકીલધા બાળકોએ ગીત સાંભળ્યું. આપ બાળકો જ જાણો
છો કે અડધોકલ્પ જે માશૂક ને યાદ કર્યા છે, છેવટે તે મળ્યાં છે. દુનિયા આ નથી જાણતી
કે અમે કોઈ અડધોકલ્પ ભક્તિ કરીએ છીએ, માશૂક બાપને પોકારીએ છીએ. આપણે આશિક છીએ, એ
માશૂક છે - આ પણ કોઈ નથી જાણતું. બાપ કહે છે રાવણે તમને બિલકુલ જ તુચ્છ બુદ્ધિ
બનાવી દીધાં છે. ખાસ ભારતવાસિયો ને. તમે દેવી-દેવતા હતાં આ પણ ભૂલી ગયાં છો, તો
તુચ્છ બુદ્ધિ થયાં. પોતાનાં ધર્મને ભૂલી જવું, આ છે તુચ્છ બુદ્ધિનું કામ. હમણાં આ
ફક્ત તમે જ જાણો છો. આપણે ભારતવાસી સ્વર્ગવાસી હતાં. આ ભારત સ્વર્ગ હતું. થોડો જ
સમય થયો છે. ૧૨૫૦ વર્ષ તો સતયુગ હતું અને ૧૨૫૦ વર્ષ રામરાજ્ય ચાલ્યું. એ સમયે અથાહ
સુખ હતું. સુખ ને યાદ કરી રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. સતયુગ, ત્રેતા…..આ પસાર થઈ
ગયાં. સતયુગ ની આયુ કેટલી હતી, આ પણ કોઈ નથી જાણતું. લાખો વર્ષ કેવી રીતે હોઈ શકે
છે. હમણાં બાપ આવી ને સમજાવે છે-તમને માયાએ કેટલાં તુચ્છ બુદ્ધિ બનાવી દીધાં છે.
દુનિયામાં કોઈ પોતાને તુચ્છ બુદ્ધિ સમજતાં નથી. તમે જાણો છો આપણે કાલે તુચ્છ બુદ્ધિ
હતાં. હવે બાબા એ એટલી બુદ્ધિ આપી છે જે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને આપણે
જાણી ગયાં છીએ. કાલે નહોતાં જાણતાં, આજે જાણીએ છીએ. જેટલું-જેટલું જાણતાં જઈએ છીએ,
એટલાં ખુશીમાં રોમાંચ ઉભા થતાં જશે. આપણે ફરીથી પોતાનાં ઠેકાણા પર પહોંચીએ છીએ.
બરાબર બાપે આપણને સ્વર્ગની રાજાઈ આપી હતી પછી આપણે ગુમાવી દીધી. હમણાં પતિત બની
ગયાં છીએ. સતયુગ ને પતિત નહીં કહેશું. એ છે જ પાવન દુનિયા. મનુષ્ય કહે છે પતિત-પાવન
આવો. રાવણ રાજ્યમાં પાવન ઊંચું કોઈ હોઈ જ નથી શકતું. ઊંચેથી ઊંચા બાપનાં બાળકો
બન્યાં તો ઊંચા પણ બન્યાં. આપ બાળકોએ બાપને જાણ્યાં છે, તે પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર. પોતાનાં દિલ થી સવારે ઊઠીને પૂછો, અમૃતવેલાં નો સમય સારો છે. સવારે
અમૃતવેલા બેસીને આ વિચાર કરો. બાબા આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે. ઓ ગોડફાધર, હેં
પરમપિતા પરમાત્મા તો કહે જ છે. હમણાં આપ બાળકો જાણો છો જેમને યાદ કરીએ છીએ - હેં
ભગવાન, હમણાં એ આપણને મળ્યાં છે. આપણે ફરીથી બેહદ નો વારસો લઇ રહ્યાં છીએ. તે છે
લૌકિક બાપ, આ છે બેહદ નાં બાપ. તમારા લૌકિક બાપ પણ એ બેહદનાં બાપ ને યાદ કરે છે. તો
બાપ ઓ નાં બાપ, પતિઓ નાં પતિ, એ થઈ ગયાં. આ પણ ભારતવાસી જ કહે છે કારણ કે હમણાં હું
બાપ ઓ નો બાપ, પતિઓનો પતિ બનું છું. હમણાં હું તમારો બાપ પણ છું. તમે બાળકો બન્યાં
છો. બાબા-બાબા કહેતાં રહો છો. હવે ફરી તમને વિષ્ણુપુરી સાસર ઘર લઈ જાઉં છું. આ છે
તમારા બાપ નું ઘર, પછી સાસર ઘર જશો. બાળકો જાણે છે અમારો ખૂબ સારો શ્રુંગાર થાય છે.
હમણાં તમે પિયરઘર માં છો ને. તમને ભણાવાય પણ છે. આ જ્ઞાનથી સજીને વિશ્વનાં
મહારાજા-મહારાણી બનો છો. તમે અહીંયા આવ્યાં જ છો વિશ્વનાં માલિક બનવાં. તમે
ભારતવાસી જ વિશ્વ નાં માલિક હતાં જ્યારે સતયુગ હતું. હમણાં તમે એવું નહીં કહેશો કે
અમે વિશ્વનાં માલિક છીએ. હમણાં તમે જાણો છો ભારતનાં માલિક કળયુગી છે, આપણે તો
સંગમયુગી છીએ. પછી આપણે સતયુગમાં આખા વિશ્વનાં માલિક બનશું. આ વાતો આપ બાળકોની
બુદ્ધિમાં આવવી જોઈએ. જાણો છો વિશ્વની બાદશાહી આપવા વાળા આવ્યાં છે. હમણાં સંગમયુગ
પર એ આવ્યાં છે. જ્ઞાન દાતા એક જ બાપ છે. બાપનાં સિવાય કોઈ પણ મનુષ્યને જ્ઞાન દાતા
નહીં કહેશું કારણ કે બાપ ની પાસે એવું જ્ઞાન છે જેનાથી આખાં વિશ્વ ની સદ્દગતિ થાય
છે. તત્વો સહિત બધાંની સદ્દગતિ થઈ જાય છે. મનુષ્યોની પાસે સદ્દગતિ નું જ્ઞાન છે
નહીં.
આ સમયે આખી દુનિયા તત્વો સહિત તમોપ્રધાન છે. આમાં રહેવાવાળા પણ તમોપ્રધાન છે. નવી
દુનિયા છે જ સતયુગ. એમાં રહેવાવાળા પણ દેવતા હતાં પછી રાવણે જીતી લીધું. હવે ફરી
બાપ આવેલાં છે. આપ બાળકો કહો છો અમે જઈએ છીએ બાપદાદાની પાસે. બાપ અમને દાદા દ્વારા
સ્વર્ગની બાદશાહી નો વારસો આપે છે. બાપ તો સ્વર્ગની બાદશાહી આપશે બીજું શું આપશે.
આપ બાળકો ની બુદ્ધિમાં આ તો આવવું જોઈએ ને. પરંતુ માયા ભુલાવી દે છે. સ્થાયી ખુશી
રહેવાં નથી દેતી. જે સારી રીતે ભણશે-ભણાવશે તે ઉચ્ચપદ પામશે. ગાયન પણ છે સેકન્ડમાં
જીવન-મુક્તિ. ઓળખવું એક જ વખત જોઈએ ને. બધી આત્માઓનાં બાપ એક છે, એ બધી આત્માઓનાં
બાપ આવેલાં છે. પરંતુ બધાં તો મળી પણ નહી શકશે. અશક્ય છે. બાપ તો ભણાવવા આવે છે. આપ
પણ બધાં ટીચર્સ છો. કહેવાય છે ને ગીતા પાઠશાળા. આ અક્ષર પણ કોમન (સામાન્ય) છે. કહે
છે કૃષ્ણએ ગીતા સંભળાવી. હવે આ કૃષ્ણની પાઠશાળા તો છે નહીં. કૃષ્ણની આત્મા ભણી રહી
છે. સતયુગમાં કોઈ ગીતા પાઠશાળામાં ભણે ભણાવે છે શું? કૃષ્ણ તો થયા જ છે સતયુગ માં
પછી ૮૪ જન્મ લે છે. એક પણ શરીર બીજાથી મળી ન શકે. ડ્રામા પ્લાન અનુસાર દરેક
આત્મામાં પોતાનો પાર્ટ ૮૪ જન્મોનો ભરેલો છે. એક સેકન્ડ ન મળે બીજાથી. ૫ હજાર વર્ષ
તમે પાર્ટ ભજવો છો. એક સેકન્ડનો પાર્ટ બીજી સેકન્ડ થી મળી ન શકે. કેટલી સમજ ની વાત
છે. ડ્રામા છે ને. પાર્ટ રીપીટ થતો જાય છે. બાકી તે શાસ્ત્ર બધાં છે ભક્તિમાર્ગનાં.
અડધોકલ્પ ભક્તિ ચાલે છે પછી સર્વને સદ્દગતિ હું જ આવીને આપું છું. આપ જાણો છો ૫
હજાર વર્ષ પહેલાં રાજ્ય કરતાં હતાં. સદ્દગતિ માં હતાં. દુઃખ નું નામ નહોતું. હમણા
તો દુઃખ જ દુઃખ છે. આને દુઃખધામ કહેવાય છે. શાંતિધામ, સુખધામ અને દુઃખધામ.
ભારતવાસીઓ ને જ આવીને સુખધામ નો રસ્તો બતાવું છું. કલ્પ-કલ્પ પછી મારે આવવું પડે
છે. અનેક વખત આવ્યો છું, આવતો રહીશ. આનો અંત નથી થઈ શકતો. તમે ચક્ર લગાવીને દુઃખધામ
આવો છો પછી મારે આવવું પડે છે. હમણાં તમને સ્મૃતિ આવી છે ૮૪ જન્મોનાં ચક્રની. હવે
બાપને રચતા કહેવાય છે. એવું નહીં કે ડ્રામાનાં કોઈ રચતા છે. રચતા અર્થાત્ આ સમયે
સતયુગ ને આવીને રચે છે. સતયુગમાં જેમનું રાજ્ય હતું પછી ગુમાવ્યું, એમને જ બેસીને
ભણાવું છું. બાળકોને એડોપ્ટ (દત્તક લે) કરે છે. તમે મારા બાળકો છો ને. તમને કોઈ
સાધુ-સંત વગેરે નથી ભણાવતાં. ભણાવવા વાળા એક બાપ છે, જેમને બધાં યાદ કરે છે. યાદ
જેમને કરીએ છીએ જરુર ક્યારેક આવશે પણ ને. આ પણ કોઈને સમજ નથી કે યાદ કેમ કરે છે! તો
જરુર પતિત-પાવન બાપ આવે છે. ક્રાઈસ્ટ ને એવું નહીં કહેશે કે ફરીથી આવો. તેઓ તો સમજે
છે, લીન થઈ ગયાં. પછી આવવાની વાત જ નથી. યાદ તો પણ પતિત-પાવન ને કરે છે. અમને
આત્માઓને ફરીથી વારસો આપો. હવે આપ બાળકોને સ્મૃતિ આવી - બાબા આવેલાં છે. નવી
દુનિયાની સ્થાપના કરશે. તેઓ પછી પણ પોતાનાં સમય પર રજો, તમો માં જ આવશે. હમણાં આપ
બાળકો સમજો છો આપણે માસ્ટર નોલેજફુલ બનીએ છીએ.
એક બાપ જ છે જે આપ બાળકોને ભણાવીને વિશ્વનાં માલિક બનાવી દે છે. પોતે નથી બનતાં
એટલે એમને કહેવાય છે નિષ્કામ સેવાધારી. મનુષ્ય કહે છે અમે ફળની આશા નથી રાખતાં,
નિષ્કામ સેવા કરીએ છીએ. પરંતુ એવું હોતું નથી. જેવાં સંસ્કાર લઈ જાય છે, તે અનુસાર
જન્મ મળે છે. કર્મનું ફળ અવશ્ય મળે છે. સન્યાસી પણ પુનર્જન્મ ગૃહસ્થોઓની પાસે લઈને
પછી સંસ્કાર અનુસાર સંન્યાસ ધર્મમાં ચાલ્યા જાય છે. જેમ બાબા યુદ્ધ વાળાઓનું પણ
દૃષ્ટાંત આપે છે. કહે છે ગીતામાં લખેલું છે જે યુદ્ધનાં મેદાન માં મરશે તે
સ્વર્ગમાં જશે, પરંતુ સ્વર્ગનો પણ સમય જોઈએ ને. સ્વર્ગ તો લાખો વર્ષ કહી દે છે. હવે
તમે જાણો છો બાપ શું સમજાવે છે, ગીતામાં શું લખી દીધું છે. કહે છે, ભગવાનુવાચ હું
સર્વવ્યાપી છું. બાપ કહે છે હું પોતાને એવી ગાળ કેવી રીતે આપું કે હું સર્વવ્યાપી
છું, કુતરા-બિલાડી બધામાં છું. મને તો જ્ઞાન સાગર કહો છો. હું પોતાને પછી આ કેવી
રીતે કહીશ? કેટલું જુઠ્ઠું છે. જ્ઞાન તો કોઈમાં છે નહીં. સન્યાસીઓ વગેરેનું માન
કેટલું છે, કારણ કે પવિત્ર છે. સતયુગમાં ગુરુ તો કોઈ હોતાં નથી. અહીંયા તો સ્ત્રીને
કહે તમારો પતિ ગુરુ ઈશ્વર છે, બીજા કોઈ ગુરુ નહિં કરતાં. તે તો ત્યારે સમજાવાતું
હતું જ્યારે ભક્તિ પણ સતોપ્રધાન હતી. સતયુગમાં તો ગુરુ હતાં નહીં. ભક્તિની શરુઆત
માં પણ ગુરુ હોતાં નથી. પતિ જ બધું છે. ગુરુ નથી કરતાં. આ બધી વાતોને હવે તમે સમજો
છો.
ઘણાં મનુષ્ય તો બ્રહ્માકુમાર-કુમારીઓનું નામ સાંભળીને જ ડરી જાય છે કારણ કે સમજે છે
આ ભાઈ-બહેન બનાવે છે. અરે, પ્રજાપિતા બ્રહ્માનાં બાળક બનવું તો સારું છે ને. બી.કે.
જ સ્વર્ગનો વારસો લે છે. હમણાં તમે લઈ રહ્યાં છો. તમે બી.કે. બન્યાં છો. બંને કહે
છે અમે ભાઈ-બહેન છીએ. શરીરનું ભાન, વિકારની વાસ નીકળી જાય છે. આપણે એક બાપનાં બાળકો
ભાઈ-બહેન વિકારમાં કેવી રીતે જઈ શકીએ. આ તો મહાન પાપ છે. આ પવિત્ર રહેવાની યુક્તિ
ડ્રામામાં છે. સન્યાસીઓ નો છે નિવૃત્તિ માર્ગ. તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. હવે
તમારે આ છી-છી દુનિયાની રીત-રિવાજ ને છોડીને આ દુનિયાને પણ ભૂલી જવાનું છે. તમે
સ્વર્ગનાં માલિક હતાં પછી રાવણે કેટલાં છી-છી બનાવ્યાં છે. આ પણ બાબા એ સમજાવ્યું
છે, કોઈ કહે અમે કેવી રીતે માનીએ કે અમે ૮૪ જન્મ લીધાં છે. ૮૪ જન્મ લીધાં છે, આ તો
આપણે સારું કહીએ છીએ ને. ૮૪ જન્મ નથી લીધાં તો ઉભા જ નહીં રહે. સમજાય છે આ
દેવી-દેવતા ધર્મનાં નથી, સ્વર્ગમાં આવી નહીં શકે. પ્રજામાં પણ ઓછું પદ લેશે.
પ્રજામાં પણ સારું પદ, ઓછું પદ છે ને. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. ભગવાન આવીને
કિંગડમ (રાજધાની) સ્થાપન કરે છે. શ્રીકૃષ્ણ તો વૈકુંઠ નાં માલિક હતાં. સ્થાપના બાપ
કરે છે. બાપે ગીતા સંભળાવી જેનાથી આ પદ પામ્યા પછી તો ભણવા-ભણાવવાની દરકાર જ નથી.
તમે ભણીને પદ પામી લો છો. પછી થોડી ગીતાનું જ્ઞાન ભણશો. જ્ઞાનથી સદ્દગતિ મળી ગઈ,
જેટલો પુરુષાર્થ એટલું ઊંચ પદ પામશો. જેટલો પુરુષાર્થ કલ્પ પહેલાં કર્યો હતો તેઓ
કરતાં રહે છે. સાક્ષી થઈને જોવાનું છે. શિક્ષકને પણ જોવાનાં છે, આમણે અમને ભણાવ્યું
છે, અમારે આમનાથી પણ હોશિયાર થવાનું છે. માર્જિન (તક) ખૂબ છે. કોશિશ કરવાની છે
ઊંચેથી ઊંચા બનવાની. મૂળ વાત છે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ સમજવાની વાત
છે ને. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે, બાપ ને યાદ કરવાનાં છે તો પાવન બની જશો.
અહીંયા બધાં પતિત છે આમાં દુઃખ જ દુઃખ છે. સુખનું રાજ્ય ક્યારે હતું, આ કોઈને ખબર
નથી. દુઃખમાં કહે છે હેં ભગવાન, હેં રામ, આ દુઃખ કેમ આપ્યું? હવે ભગવાન તો કોઈને
દુઃખ આપતા નથી. રાવણ દુઃખ આપે છે. હમણાં તમે જાણો છો આપણા રાજ્યમાં બીજા કોઈ ધર્મ
નહીં હશે. પછી પાછળ થી બીજા ધર્મ આવશે. તમે ભલે ક્યાંય પણ જાઓ. ભણતર સાથે છે,
મનમનાભવ નું લક્ષ તો મળ્યું છે, બાપ ને યાદ કરો. બાપ થી આપણે સ્વર્ગનો વારસો લઇ
રહ્યાં છીએ. આ પણ યાદ નથી કરી શકતાં. આ યાદ પાક્કી જોઈએ. તો પછી અંત મતિ સો ગતિ થઈ
જશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
સવારે-સવારે અમૃતવેલા ઉઠી વિચાર કરવાનો છે-બાબા આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે,
હમણાં બાબા આવ્યાં છે આપણો જ્ઞાન રત્નો થી શ્રુંગાર કરવાં. એ બાપો નાં બાપ, પતિઓ
નાં પતિ છે, એવો વિચાર કરતાં અપાર ખુશી નો અનુભવ કરવાનો છે.
2. દરેક નાં
પુરુષાર્થ ને સાક્ષી થઈને જોવાનું છે, ઊંચ પદની માર્જિન (તક) છે એટલે તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું છે.
વરદાન :-
સંગમયુગ પર
પ્રત્યક્ષ ફળ દ્વારા શક્તિશાળી બનવા વાળી સદા સમર્થ આત્મા ભવ
સંગમયુગ પર જે આત્માઓ
બેહદ સેવાનાં નિમિત્ત બને છે એમને નિમિત્ત બનવાનું પ્રત્યક્ષ ફળ શક્તિની પ્રાપ્તિ
થાય છે. આ પ્રત્યક્ષ ફળ જ શ્રેષ્ઠ યુગનું ફળ છે. આવું ફળ ખાવા વાળી શક્તિશાળી આત્મા
કોઈ પણ પરિસ્થિતિનાં ઉપર સહજ વિજય પામી લે છે. તે સમર્થ બાપનાં સાથે હોવાનાં કારણે
વ્યર્થ થી સહજ મુક્ત થઈ જાય છે. ઝેરીલા સાપ સમાન પરિસ્થિતિઓ પર પણ તેમની વિજય થઈ
જાય છે એટલે યાદગાર માં દેખાડે છે કે શ્રીકૃષ્ણે સાપનાં માથા પર નૃત્ય કર્યું.
સ્લોગન :-
પાસ વિથ ઓનર
બનીને પાસ્ટ ને પાસ કરો અને બાપ ની સદા પાસે રહો.