16-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હમણાં
ડ્રામાનું ચક્ર પૂરું થાય છે , તમારે ક્ષીરખંડ બનીને નવી દુનિયા માં આવવાનું છે ,
ત્યાં બધાં ક્ષીરખંડ છે , અહીંયા લૂણપાણી છે .”
પ્રશ્ન :-
આપ ત્રિનેત્રી
બાળકો કયા નોલેજ ને જાણી ને ત્રિકાળદર્શી બની ગયાં છો?
ઉત્તર :-
તમને હવે આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફીનું નોલેજ મળ્યું છે, સતયુગ થી લઈને
કળયુગ અંત સુધીની હિસ્ટ્રી-જોગ્રોફી તમે જાણો છો. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર
મળ્યું છે કે આત્મા એક શરીર છોડી બીજું લે છે. સંસ્કાર આત્મામાં છે. હવે બાપ કહે
છે-બાળકો, નામ-રુપ થી ન્યારા બનો. પોતાને આત્મા અશરીરી સમજો.
ગીત :-
ધીરજ ધર મનુવા
……...
ઓમ શાંતિ!
કલ્પ-કલ્પ
બાળકોને કહેવાય છે અને બાળકો જાણે છે, દિલ થાય છે કે જલ્દી સતયુગ થઈ જાય તો આ દુ:ખ
થી છૂટી જઈએ. પરંતુ ડ્રામા ખૂબ ધીરે-ધીરે ચાલવાવાળો છે. બાપ ધીરજ આપે છે બાકી થોડાં
દિવસ છે. મોટા-મોટા દ્વારા પણ અવાજ સાંભળતા રહેશો દુનિયા બદલવાની છે. જે પણ
મોટા-મોટા છે પોપ જેવાં, તે પણ કહે છે દુનિયા બદલવાની છે. અચ્છા, પછી શાંતિ કેવી
રીતે થશે? આ સમયે બધાં લૂણપાણી છે. હમણાં આપણે ક્ષીરખંડ થઈ રહ્યાં છીએ. તે તરફ
દિવસ-પ્રતિદિવસ લૂણપાણી થતાં જાય છે. આપસમાં લડી-ઝઘડી ખતમ થવાનાં છે, તૈયારીઓ થઈ
રહી છે. આ ડ્રામા નું ચક્ર હવે પૂરું થાય છે. જૂની દુનિયા પૂરી થાય છે. નવી
દુનિયાની સ્થાપના થઇ રહી છે. નવી દુનિયા સો જૂની, જૂની સો નવી દુનિયા ફરી બનશે. આને
દુનિયાનું ચક્ર કહેવાય છે જે ફરતું રહે છે. એવું નહીં, લાખો વર્ષ પછી જૂની દુનિયા
નવી થશે. ના. આપ બાળકો સારી રીતે જાણી ચૂક્યાં છો, ભક્તિ બિલકુલ જ અલગ છે. ભક્તિનું
કનેક્શન રાવણની સાથે છે. જ્ઞાનનું કનેક્શન રામની સાથે છે. આ તમે હમણાં સમજી રહ્યાં
છો. હમણાં બાપ ને બોલાવે પણ છે - હેં પતિત-પાવન આવો, આવીને નવી દુનિયા સ્થાપન કરો.
નવી દુનિયામાં જરુર સુખ હોય છે. હવે બાળકો નાનાં કે મોટાં બધાં જાણી ગયા છે કે હવે
ઘરે જવાનું છે. આ નાટક પૂરું થાય છે. આપણે ફરીથી સતયુગમાં જઈશું ફરી ૮૪ જન્મોનું
ચક્ર લગાડવાનું છે. સ્વ આત્મા ને દર્શન થાય છે-સૃષ્ટિ ચક્રનું અર્થાત્ આત્માને
જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, તેને કહેવાય છે ત્રિનેત્રી. હમણાં તમે
ત્રિનેત્રી છો બીજા બધાં મનુષ્યને આ સ્થૂળ નેત્ર છે. જ્ઞાનનું નેત્ર કોઈને નથી.
ત્રિનેત્રી બને ત્યારે ત્રિકાળદર્શી બને કારણ કે આત્માને જ્ઞાન મળે છે ને. આત્મા જ
એક શરીર છોડી બીજું લે છે. સંસ્કાર આત્મામાં રહે છે. આત્મા અવિનાશી છે. હવે બાપ કહે
છે નામ-રુપ થી ન્યારા બનો. પોતાને અશરીરી સમજો. દેહ નહીં સમજો. આ પણ જાણો છો આપણે
અડધાકલ્પ થી પરમાત્માને યાદ કરતાં આવ્યાં છીએ. આમાં જ્યારે વધારે દુઃખ હોય છે
ત્યારે વધારે યાદ કરે છે, હમણાં કેટલું દુઃખ છે. પહેલાં આટલું દુઃખ નહોતું. જ્યાર
થી બહારવાળા આવ્યા છે ત્યાર થી આ રાજાઓ પણ આપસમાં લડે છે. જુદા-જુદા થયાં છે. સતયુગ
માં તો એક જ રાજ્ય હતું.
હમણાં આપણે સતયુગ થી લઈને કળયુગ અંત સુધી હિસ્ટ્રી-જોગ્રોફી સમજી રહ્યાં છીએ.
સતયુગ-ત્રેતા માં એક જ રાજ્ય હતું. એવી એક જ ડીનાયસ્ટી (રાજાઈ) કોઈની હોતી નથી.
ક્રિશ્ચનમાં પણ જુઓ ફૂટ (દરાર) છે, ત્યાં તો આખું વિશ્વ એકનાં હાથમાં રહે છે. તે
ફક્ત સતયુગ-ત્રેતામાં જ હોય છે. આ બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી હમણાં તમારી બુદ્ધિમાં
છે. બીજા કોઈ સતસંગમાં હિસ્ટ્રી-જોગ્રોફી અક્ષર નહીં સાંભળશો. ત્યાં તો રામાયણ,
મહાભારત વગેરે જ સાંભળો છો. અહીંયા તે વાતો છે નહીં. અહીંયા છે વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી. તમારી બુદ્ધમાં છે ઊંચેથી ઊંચા આપણા બાપ છે. બાપનો ધન્યવાદ છે
જેમણે બધું જ્ઞાન સંભળાવ્યું છે. એક આત્માઓનું ઝાડ છે, બીજુ છે મનુષ્યો નું ઝાડ.
મનુષ્યોનાં ઝાડમાં ઉપર માં કોણ છે? ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા ને જ કહેશે. આ
જાણે છે બ્રહ્મા મુખ્ય છે પરંતુ બ્રહ્માની પાછળ શું હિસ્ટ્રી-જોગ્રોફી છે, આ કોઈ
નથી જાણતું. હમણાં તમારી બુદ્ધિ માં છે-ઊંચેથી ઊંચા બાપ રહે પણ છે પરમધામ માં. પછી
સૂક્ષ્મવતનની પણ તમને ખબર છે. મનુષ્ય જ ફરિશ્તા બને છે, એટલે સૂક્ષ્મવતન દેખાડ્યું
છે. તમે આત્માઓ જાઓ છો, શરીર તો સૂક્ષ્મવતન માં નહિં જશે. જાય કેવી રીતે છે, તેને
કહેવાય છે ત્રીજું નેત્ર, દિવ્ય-દૃષ્ટિ અથવા ધ્યાન પણ કહે છે. તમે ધ્યાનમાં
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને જુઓ છો. લોકો દેખાડે છે-શંકર નાં આંખ ખોલવાથી વિનાશ થઈ જાય
છે. હવે એનાથી તો કોઈ સમજી ન શકે. હમણાં આપ જાણો છો વિનાશ તો ડ્રામા અનુસાર થવાનો જ
છે. આપસમાં લડીને વિનાશ થઇ જશે. બાકી શંકર શું કરે છે! આ ડ્રામા અનુસાર નામ રાખી
દીધું છે. તો સમજાવું પડે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ત્રણ છે. સ્થાપના માટે બ્રહ્માને
રાખ્યાં છે, પાલના માટે વિષ્ણુને, વિનાશ માટે શંકરને રાખી દીધાં છે. હકીકતમાં આ
બન્યો-બનાવેલ ડ્રામા છે. શંકરનો પાર્ટ કંઈ પણ છે નહીં. બ્રહ્મા અને વિષ્ણુ નો પાર્ટ
તો આખાં કલ્પમાં છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. બ્રહ્માનાં પણ ૮૪ જન્મ
પુરા થયાં તો વિષ્ણુના પણ પુરા થયાં. શંકર તો જન્મ-મરણ થી ન્યારા છે એટલે શિવ અને
શંકર ને પછી મળાવી દીધાં છે. હકીકતમાં શિવનો તો ખૂબ પાર્ટ છે, ભણાવે છે.
ભગવાનને કહેવાય છે નોલેજફુલ. જો તેઓ પ્રેરણાથી કાર્ય કરે તો સુષ્ટિ ચક્રનું જ્ઞાન
કેવી રીતે આપે! એટલે બાપ સમજાવે છે-બાળકો, પ્રેરણા ની તો કોઈ વાત જ નથી. બાપને તો
આવવું પડે છે. બાપ કહે - બાળકો, મારામાં સુષ્ટિ ચક્ર નું જ્ઞાન છે. મને આ પાર્ટ
મળેલો છે એટલે મને જ જ્ઞાન સાગર નોલેજફુલ કહે છે. નોલેજ કોને કહેવાય છે, તે તો
જ્યારે મળે ત્યારે ખબર પડે. મળ્યું જ નથી તો અર્થ કેવી રીતે ખબર પડે. પહેલાં તમે પણ
કહેતાં હતાં ઈશ્વર પ્રેરણા કરે છે. તે બધુંજ જાણે છે. આપણે જે પાપ કરીએ છે, ઈશ્વર
જુએ છે. બાબા કહે છે આ ધંધો હું નથી કરતો. આ તો જેવાં કર્મ કરે છે તેની પોતે જ સજા
ભોગવે છે, હું કોઈને નથી આપતો. ન કોઈ પ્રેરણાથી સજા આપીશ. હું પ્રેરણાથી કરું તો
જાણે મેં સજા આપી. કોઈ ને કહેવું કે આમને મારો, આ પણ દોષ છે. કહેવાવાળા પણ ફસાઇ
જાય. શંકર પ્રેરણા આપે તો તે પણ ફસાઈ જાય. બાપ કહે છે હું તો આપ બાળકોને સુખ આપવા
વાળો છું. તમે મારી મહિમા કરો છો-બાબા આવી ને દુઃખ હરો. હું થોડી દુઃખ આપુ છું.
હમણાં આપ બાળકો બાપનાં સમ્મુખ બેઠાં છો તો કેટલી ખુશી થવી જોઈએ! અહીંયા ડાયરેક્ટ
ભાસના આવે છે. બાબા આપણને ભણાવે છે. આને મેળો કહેવાય છે. સેવાકેન્દ્ર પર તમે જાઓ છો
ત્યાં કોઈ આત્માઓ, પરમાત્મા નો મેળો નહીં કહેશું. આત્માઓ પરમાત્મા નો મેળો અહીંયા
લાગે છે. આ પણ તમે જાણો છો મેળો લાગેલો છે. બાપ બાળકોની વચમાં આવ્યાં છે. આત્માઓ
બધી અહીંયા છે. આત્મા જ યાદ કરે છે કે બાપ આવે. આ સૌથી સારો મેળો છે. બાપ આવીને બધી
આત્માઓને રાવણ રાજ્ય થી છોડાવી દે છે. આ મેળો સારો થયો ને, જેનાથી મનુષ્ય
પારસબુદ્ધિ બને છે. તે એ મેળા પર તો મનુષ્ય મેલા થઈ જાય છે. પૈસા બરબાદ કરતા રહે
છે, મળતું કાંઈ પણ નથી. તેને માયાવી, આસુરી મેળો કહેવાશે. આ છે ઇશ્વરીય મેળો.
રાત-દિવસ નો ફરક છે. તમે પણ આસુરી મેળામાં હતાં. હમણાં છો ઈશ્વરીય મેળામાં. તમે જ
જાણો છો બાબા આવેલાં છે. બધાં જાણી જાય તો ખબર નહીં કેટલી ભીડ થઈ જાય. એટલાં મકાન
વગેરે રહેવા માટે ક્યાંથી લાવશું! પાછળ થી ગવાય છે ને-અહો પ્રભુ તારી લીલા. કઈ
લીલા? સૃષ્ટિને બદલવાની લીલા. આ છે સૌથી મોટી લીલા. જૂની દુનિયા ખતમ થવાનાં પહેલાં
નવી દુનિયાની સ્થાપના થાય છે એટલે હંમેશા કોઈને પણ સમજાવો તો પહેલાં સ્થાપના, વિનાશ
પછી પાલના કહેવાનું છે. જયારે સ્થાપના પૂરી થાય છે ત્યારે પછી વિનાશ શરુ થાય છે,
પછી પાલના થશે. તો આપ બાળકોને આ ખુશી રહે છે-આપણે સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ છીએ.
પછી આપણે ચક્રવર્તી રાજા બનીએ છે. આ કોઈને ખબર નથી, તે દેવતાનું રાજ્ય ક્યાં ગયું.
નામ-નિશાન લોપ થઈ ગયું છે. દેવતાઓને બદલે પોતાને હિન્દુ કહી દે છે. હિન્દુસ્તાનમાં
રહેલા વાળા હિન્દુ છે. લક્ષ્મી-નારાયણ ને તો એવું ક્યારેય નહીં કહેશે. એમને તો
દેવતા કહેવાય છે. તો હવે આ મેળામાં ડ્રામા અનુસાર તમે આવ્યાં છો. આ ડ્રામા માં નોંધ
છે. ધીરે-ધીરે વૃદ્ધિ થતી રહેશે. તમારો જે કંઈ પાર્ટ ચાલી રહ્યો છે પછી કલ્પ બાદ
ચાલશે. આ ચક્ર ફરતું રહે છે. પછી રાવણ રાજ્યમાં આસુરી પાલના થશે. તમે હમણાં ઈશ્વરીય
બાળકો છો પછી દૈવી બાળકો પછી ક્ષત્રિય બનશો. તમે જે અપવિત્ર પ્રવૃત્તિવાળા બની ગયા
હતાં તે ફરી પવિત્ર પ્રવૃત્તિવાળા બનો છો. છે તો આ પણ દૈવી ગુણવાળા મનુષ્ય ને. બાકી
આટલી ભુજાઓ વગેરે આપી દીધી છે, વિષ્ણુ કોણ છે, આ કોઈ બતાવી ન શકે. મહાલક્ષ્મી ની પણ
પૂજા કરે છે. જગતઅંબા થી ક્યારે ધન નથી માંગતા. ધન વધારે મળી ગયું તો કહેશે
લક્ષ્મીની પૂજા કરી એટલે એમણે ભંડારો ભરી દીધો. અહીંયા તો તમે જગતઅંબા થી પામી
રહ્યાં છો પરમપિતા પરમાત્મા શિવ દ્વારા, આપવાવાળા એ છે. આપ બાળકો બાપદાદા થી પણ
ભાગ્યશાળી છો. જુવો, જગદંબાનો કેટલો મેળો લાગે છે, બ્રહ્માનો એટલો નહીં. બ્રહ્મા ને
તો એક જ જગ્યાએ બેસાડી દીધાં છે, અજમેરમાં મોટું મંદિર છે. દેવીઓનાં મંદિર ખુબ છે
કારણ કે આ સમયે તમારી ખુબ મહિમા છે. તમે ભારતની સેવા કરો છો. પૂજા પણ તમારી વધારે
થાય છે. તમે લકી છો. જગતઅંબા નાં માટે એવું ક્યારેય નહીં કહેશે કે તે સર્વવ્યાપી
છે. તમારી મહિમા થતી રહે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ સર્વવ્યાપી નથી કહેતાં,
મને કહી દે છે કણ-કણમાં છે, કેટલી ગ્લાનિ કરે છે.
તમારી હું કેટલી મહિમા વધારું છું. ભારત માતાની જય કહે છે ને. ભારત માતા તો તમે છો
ને. ધરણી નહીં. ધરણી વગેરે જે હવે તમોપ્રધાન છે, સતયુગમાં સતોપ્રધાન થઇ જાય છે એટલે
કહે છે દેવતાઓનાં પગ પતિત દુનિયામાં નથી આવતાં. જ્યારે સત્તોપ્રધાન ધરણી હોય છે
ત્યારે આવે છે. હમણાં તમારે સતોપ્રધાન બનવાનું છે. શ્રીમત પર ચાલતાં બાપ ને યાદ
કરતાં રહેશો તો ઉચ્ચ પદ પામશો. આ ખ્યાલ રાખવાનો છે. યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે.
શ્રીમત મળતી રહે છે. સતયુગમાં તમારી આત્મા પવિત્ર કંચન થઈ જાય છે, તો શરીર પણ કંચન
મળે છે. સોનામાં ખાદ પડે છે તો પછી દાગીનો પણ એવો બને છે. આત્મા જુઠ્ઠી તો શરીર પણ
જુઠ્ઠું. ખાદ પડવાથી સોનાનું મુલ્ય પણ ઓછું થઈ જાય છે. તમારું મુલ્ય હવે કાંઈ પણ
નથી. પહેલા તમે વિશ્વનાં માલિક ૨૪ કેરેટ હતાં. હમણાં ૯ કેરેટ કહેશે. આ બાપ બાળકો થી
રુહરિહાન કરે છે. બાળકોને બેસી પંપાળે છે, જે તમે સાંભળતાં-સાંભળતાં ચેન્જ
(પરિવર્તન) થઇ જાઓ છો. મનુષ્ય થી દેવતા બની જાઓ છો. ત્યાં હીરા-ઝવેરાતો નાં મહેલ
હશે, સ્વર્ગ તો પછી શું! ત્યાં નાં સુબીરસ વગેરે પણ તમે પીને આવો છો. ત્યાં નાં ફળો
જ એટલાં મોટા-મોટા હોય છે. અહીંયા તો મળી ન શકે. સૂક્ષ્મવતન માં તો કાંઈ છે નહીં.
હમણાં તમે પ્રેક્ટિકલમાં જાઓ છો. આ છે આત્મા અને પરમાત્માનો મેળો, આનાથી તમે ઉજ્જવળ
બનો છો.
આપ બાળકો જ્યારે અહીંયા આવો છો તો પછી ફ્રી છો, ઘર-બાર ધંધો વગેરે ની કોઈ ચિંતા
નથી. તો અહીંયા તમને યાદની યાત્રા માં રહેવાની તક સારી છે. ત્યાં તો ઘર-ઘાટ વગેરે
યાદ આવતું રહેશે. અહીંયા તો કંઈ છે નહીં. રાતનાં બે વાગે ઉઠીને અહીંયા બેસી જાઓ.
સેવાકેન્દ્ર પર તો રાતનાં તમે જઈ નથી શકતાં. અહીંયા તો સહજ છે. શિવબાબા ની યાદમાં
આવીને બેસો, બીજું કોઈ યાદ ન આવે. અહીંયા તમને મદદ પણ મળશે. સવારે (જલ્દી) સુઈ જાઓ
પછી સવારે ઊઠો. ૩ થી ૫ વાગ્યા સુધી આવીને બેસો. બાબા પણ આવી જશે, બાળકો ખુશ થશે.
બાબા છે યોગ શિખવાડવા વાળા. આ પણ શીખવા વાળા છે તો બંને બાપ અને દાદા આવી જશે પછી
અહીંયા અને ત્યાં યોગમાં બેસવાનો ફરક પણ ખબર પડશે. અહીંયા કાંઇ પણ યાદ નહીં આવશે,
આમાં ફાયદો ખૂબ છે. બાબા સલાહ આપે છે-આ ખુબ સરસ થઈ શકે છે. હવે જોવો બાળકો ઉઠી શકે
છે? અનેકોને સવારે ઉઠવાનો અભ્યાસ છે. તમારો સન્યાસ છે આ ૫ વિકારો નો અને વૈરાગ્ય છે
આખી જૂની દુનિયા થી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં
સૃષ્ટિ બદલવાની લીલા ચાલી રહી છે એટલે સ્વયં ને બદલવાનું છે. ક્ષીરખંડ થઈને
રહેવાનું છે.
2. સવારે ઉઠીને એક
બાપની યાદમાં બેસવાનું છે, તે સમયે બીજું કોઈ પણ યાદ ન આવે. જૂની દુનિયાથી બેહદ નાં
વૈરાગી બની ૫ વિકારોનો સન્યાસ કરવાનો છે.
વરદાન :-
કિનારો
કરવાનાં બદલે દરેક પળ બાપ નો સહારો અનુભવ કરવાવાળા નિશ્ચય બુદ્ધિ વિજયી ભવ
વિજયી ભવ ની વરદાની
આત્મા દરેક પળ સ્વયંને સહારાની નીચે અનુભવ કરે છે. તેમનાં મનમાં સંકલ્પ માત્ર પણ
નિરાધાર અથવા અલબેલાપણા નો અનુભવ નથી થતો. ક્યારેય ઉદાસી કે અલ્પકાળનો હદનો વૈરાગ્ય
નથી આવતો. તે ક્યારેક કોઈ કાર્ય થી, સમસ્યા થી, વ્યક્તિ થી, કિનારો નથી કરતાં પરંતુ
દરેક કર્મ કરતાં, સામનો કરતાં, સહયોગી બનતાં, બેહદની વૈરાગ્ય વૃતિમાં રહે છે.
સ્લોગન :-
એક બાપની
કંપની (સાથ) માં રહો અને બાપને જ પોતાનાં કમ્પેનિયન (સાથી) બનાવો.