04-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - પોતાનો
સ્વભાવ બાપ સમાન ઈઝી ( સહજ ) બનાવો , તમારામાં કોઈ ઘમંડ ન હોવો જોઈએ , જ્ઞાન યુક્ત
બુદ્ધિ હોય , અભિમાન ન હોય ”
પ્રશ્ન :-
સર્વિસ (સેવા)
કરતાં હોવા છતાં પણ કોઈ બાળકો બેબી થી પણ બેબી છે - કેવી રીતે?
ઉત્તર :-
ઘણાં બાળકો સર્વિસ કરતાં રહે છે, બીજાને જ્ઞાન સંભળાવતા રહે છે પરંતુ બાપ ને યાદ નથી
કરતાં. કહે છે બાબા યાદ ભૂલી જવાય છે. તો બાબા એમને બેબી થી બેબી કહે છે કારણકે
બાળકો ક્યારેય બાપને ભૂલતાં નથી, તમને જે બાપ પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી)
બનાવે, એમને તમે ભૂલી કેમ જાઓ? જો ભુલશો તો વારસો કેવી રીતે મળશે. તમારે હાથે થી
કામ કરતાં પણ બાપ ને યાદ કરવાનાં છે.
ઓમ શાંતિ!
ભણતરનું
લક્ષ-હેતુ તો બાળકોની સામે છે. બાળકો આ પણ જાણે છે કે બાપ સાધારણ તન માં છે, એ પણ
વૃદ્ધ તનમાં છે. ત્યાં તો ભલે વૃદ્ધ થાય છે તો પણ ખુશી રહે છે કે અમે બાળક બનશું.
તો આ પણ જાણે છે, આમને આ ખુશી છે કે હું આ બનવાનો છું. બાળક જેવી ચલન થઈ જાય છે.
બાળકો ની જેમ ઇઝી (સહજ) રહે છે. ઘમંડ વગેરે કાંઈ નથી. જ્ઞાનની બુદ્ધિ છે. જેમ આમની
છે એમ આપ બાળકોની હોવી જોઈએ. બાબા આપણને ભણાવવા આવ્યાં છે, આપણે આ બનશું. તો આપ
બાળકોને આ ખુશી અંદરમાં હોવી જોઈએ ને - અમે શરીર છોડી જઈને આ બનશું. રાજયોગ શીખી
રહ્યાં છીએ. નાનાં બાળકો અથવા મોટા, બધાં શરીર છોડશે. બધાં માટે ભણતર એક જ છે. આ પણ
કહે છે હું રાજયોગ શીખું છું. પછી હું જઈને પ્રિન્સ બનીશ. તમે પણ કહો છો અમે
પ્રિન્સ-પ્રિન્સેઝ બનશું. તમે ભણી રહ્યાં છો પ્રિન્સ-પ્રિન્સેઝ બનવાં માટે. અંત મતિ
તો ગતિ થઈ જશે. બુદ્ધિ માં આ નિશ્ચય છે અમે બેગર થી પ્રિન્સ બનવા વાળા છીએ. આ બેગર
(કંગાળ) દુનિયા જ ખતમ થવાની છે. બાળકોને ખુબ ખુશી રહેવી જોઈએ. બાબા બાળકોને પણ આપ
સમાન બનાવે છે. શિવબાબા કહે છે મારે તો પ્રિન્સ-પ્રિન્સેઝ બનવાનું નથી. આ બાબા કહે
છે મારે તો બનવાનું છે ને. હું ભણી રહ્યો છે, આ બનવા માટે. રાજયોગ છે ને. બાળકો પણ
કહે છે અમે પ્રિન્સ-પ્રિન્સેઝ બનશું. બાપ કહે છે બિલકુલ ઠીક છે. તમારા મુખમાં ગુલાબ.
આ પરીક્ષા છે પણ પ્રિન્સ-પ્રિન્સેઝ બનવાની. નોલેજ તો ખુબ સહજ છે. બાપ ને યાદ કરવાનાં
છે અને ભવિષ્ય વારસા ને યાદ કરવાનો છે. આ યાદ કરવામાં જ મહેનત છે. આ યાદ માં રહેશો
તો પછી અંત મતિ સો ગતિ થઈ જશે. સન્યાસી લોકો દૃષ્ટાંત આપે છે, કોઈ કહે ભેંસ
છું...તો સાચેજ સમજવા લાગે. તે છે બધી ફાલતુ વાતો. અહીંયા તો રિલીજન (ધર્મ) ની વાત
છે. તો બાપ બાળકો ને સમજાવે છે જ્ઞાન તો ખૂબ સહજ છે, પરંતુ યાદ માં મહેનત છે. બાબા
મોટા ભાગે કહે છે - તમે તો બેબી છો. તો બાળકોની ફરિયાદ આવે છે, અમે બેબી છીએ? બાબા
કહે - હાં, બેબી છો. ભલે જ્ઞાન તો ખૂબ સારું છે, પ્રદર્શની માં સર્વિસ ખૂબ સારી કરો
છો, રાત-દિવસ સર્વિસમાં લાગી જાઓ છો તો પણ બેબી કહું છું. બાપ કહે છે આ (બ્રહ્મા)
પણ બેબી છે. આ બાબા કહે છે તમે મારાં થી પણ મોટા છો, આમની ઉપર તો ખૂબ જવાબદારી છે.
જેમનાં માથે મામલા….બધાં વિચાર રહે છે. કેટલાં સમાચાર બાબા ની પાસે આવે છે એટલે પછી
સવારનાં બેસી યાદ કરવાની કોશિશ કરે છે. વારસો એમનાથી જ પામવાનો છે. તો બાપ ને યાદ
કરવાનાં છે. બધાં બાળકોને રોજ સમજાવું છું. મીઠા બાળકો, તમે યાદની યાત્રા માં ખૂબ
કમજોર છો. જ્ઞાનમાં તો ભલે સારા છો પરંતુ દરેક પોતાનાં દિલથી પૂછે - હું બાબાની યાદ
માં કેટલું રહું છું? અચ્છા, દિવસમાં ખૂબ કામ વગેરેમાં બીઝી (વ્યસ્ત) રહો છો, આમ તો
કામ કરતાં પણ યાદ માં રહી શકો છો. કહેવત પણ છે હથ કાર ડે દિલ યાર ડે…..(હાથે થી કામ
કરતાં, બુદ્ધિ ત્યાં લાગી રહે) જેમ ભક્તિમાર્ગમાં ભલે પૂજા કરતાં રહે છે, બુદ્ધિ
બીજી-બીજી તરફ ધંધા વગેરેમાં ચાલી જાય છે અથવા કોઈ સ્ત્રીનો પતિ વિલાયતમાં હશે તો
તેની બુદ્ધિ ત્યાં ચાલી જશે, જેનાથી વધારે કનેક્શન (સંબંધ) છે. તો ભલે સર્વિસ સારી
કરે છે છતાં પણ બાબા બેબી બુદ્ધિ કહે છે. ઘણાં બાળકો લખે છે - અમે બાબાની યાદ ભૂલી
જઈએ છે. અરે, બાપને તો બેબી પણ નથી ભૂલતી, તમે તો બેબી થી પણ બેબી છો. જે બાપ થી તમે
પ્રિન્સ-પ્રિન્સેઝ બનો છો, એ તમારા બાપ-શિક્ષક-ગુરુ છે, તમે એમને ભૂલી જાઓ છો!
જે બાળકો પોતાનો પૂરે-પૂરો પોતામેલ બાપને મોકલી દે છે બાબા એમને જ પોતાની સલાહ આપે
છે. બાળકોએ બતાવવું જોઈએ અમે બાપને કેવી રીતે યાદ કરીએ છીએ? ક્યારે યાદ કરીએ છીએ?
પછી બાપ સલાહ આપશે. બાબા સમજી જશે આમની આ સર્વિસ છે, તે અનુસાર એમને કેટલી ફુરસત રહી
શકે છે? ગવર્મેન્ટ (સરકાર) ની નોકરી વાળાને ફુરસત ખૂબ રહે છે. કામ થોડું ઓછું થયું,
બાપ ને યાદ કરતાં રહો. હરતાં-ફરતાં પણ બાપ ની યાદ રહે. બાબા સમય પણ આપે છે. અચ્છા,
રાત્રે ૯ વાગે સુઇ જાઓ પછી ૨-૩ વાગે ઉઠી ને યાદ કરો. અહીંયા આવીને બેસી જાઓ. પરંતુ
આ પણ બેસવાની આદત બાબા નથી પાડતાં, યાદ તો હરતાં-ફરતાં પણ કરી શકો છો. અહીંયા તો
બાળકોને ખુબ ફુરસત છે. પહેલાં તમે એકાંત માં પહાડો પર જઈને બેસતાં હતાં. બાપ ને યાદ
તો જરુર કરવાનાં છે. નહીં તો વિકર્મ વિનાશ કેવી રીતે થશે. બાપ ને યાદ નથી કરી શકતાં
તો જેમ બેબી થી પણ બેબી થયાં ને. બધો આધાર યાદ પર છે. પતિત-પાવન બાપ ને યાદ કરવાની
મહેનત છે. નોલેજ તો ખૂબ સહજ છે. આ પણ જાણે છે - અહીંયા આવીને સમજશે પણ તે જે કલ્પ
પહેલાં આવ્યા હશે. બાળકો ને ડાયરેક્શન (માર્ગદર્શન) મળતું રહે છે. કોશિશ એજ કરવાની
છે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ. સિવાય બાપની યાદનાં બીજો કોઈ ઉપાય
નથી. બાબા ને બતાવી શકો છો, બાબા અમારો આ ધંધો હોવાનાં કારણે અથવા આ કાર્ય હોવાનાં
કારણે અમે યાદ નથી કરી શકતાં. બાબા ફટ થી સલાહ આપશે - આમ નહીં, આમ કરો. તમારો બધો
આધાર યાદ પર છે. સારા-સારા બાળકો જ્ઞાન તો ખૂબ સારું આપે છે, કોઈને ખુશ કરી દે છે
પરંતુ યોગ છે નહીં. બાપ ને યાદ કરવાનાં છે. આ સમજાતાં હોવા છતાં પણ પછી ભૂલી જાય
છે, આમાં જ મહેનત છે. આદત પડી જશે તો પછી એરોપ્લેન (વિમાન) અથવા ટ્રેન માં બેઠાં
રહેશે તો પણ પોતાની ધૂન લાગી રહેશે. અંદર માં ખુશી હશે અમે બાબા થી ભવિષ્ય
પ્રિન્સ-પ્રિન્સેઝ બની રહ્યાં છીએ. સવારનાં ઉઠીને એવાં બાપ ની યાદ માં બેસી જાઓ. પછી
થાકી જાઓ છો. અચ્છા, યાદ માં સુઈ જાઓ. બાપ યુક્તિઓ બતાવે છે. હરતાં-ફરતાં યાદ નથી
કરી શકતાં તો બાબા કહેશે અચ્છા રાત્રે નેષ્ઠા (યાદ) માં બેસો તો કંઈક તમારું જમા થઈ
જાય. પરંતુ આ જબરજસ્તી એક જગ્યાએ બેસવું હઠયોગ થઈ જાય છે. તમારો તો છે સહજ માર્ગ.
રોટલી ખાઓ છો બાબા ને યાદ કરો. અમે બાબા દ્વારા વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ.
પોતાની સાથે વાતો કરતાં રહો, હું આ ભણતર થી આ બનું છું. ભણતર પર પૂરું અટેન્શન (ધ્યાન)
આપવાનું છે. તમારો વિષય જ થોડો છે. બાબા કેટલું થોડું સમજાવે છે, કોઈ પણ વાત ન સમજો
તો બાબા ને પૂછો. પોતાને આત્મા સમજવાનું છે, આ શરીર તો ૫ ભુતોનું છે. હું શરીર છું,
એવું કહેવું એટલે પોતાને ભૂત સમજવું છે. આ છે જ આસુરી દુનિયા, તે છે દૈવી દુનિયા.
અહીંયા બધાં દેહ-અભિમાની છે. પોતાની આત્માને કોઈ પણ જાણતાં નથી. સાચું અને ખોટું તો
હોય છે ને. આપણે આત્મા અવિનાશી છીએ - આ સમજવું છે સાચું. પોતાને વિનાશી શરીર સમજવું
ખોટું થઈ જાય છે. દેહનો ખુબ અંહકાર છે. હવે બાપ કહે છે - દેહ ને ભૂલો, આત્મ-અભિમાની
બનો. આમાં છે મહેનત. ૮૪ જન્મ લો છો, હવે ઘરે જવાનું છે. તમને જ ઇઝી લાગે છે, તમારા
જ ૮૪ જન્મ છે. સૂર્યવંશી દેવતા ધર્મવાળાનાં ૮૪ જન્મ છે, સુધારો કરી લખવાનું હોય છે.
બાળકો ભણતાં રહે છે, કરેક્શન (સુધારો) થતી રહે છે. એ ભણતરમાં પણ નંબરવાર હોય છે ને.
ઓછું ભણશો તો પગાર (પૈસા) પણ ઓછો મળશે. હવે આપ બાળકો બાબાની પાસે આવ્યાં છો
સાચી-સાચી નર થી નારાયણ બનવાની અમરકથા સાંભળવાં. આ મૃત્યુલોક હવે ખતમ થવાનો છે. આપણે
અમરલોક જવાનું છે. હવે આપ બાળકોને આ ચિંતા લાગી જવી જોઈએ કે આપણે તમોપ્રધાન થી
સતોપ્રધાન, પતિત થી પાવન બનવાનું છે. પતિત-પાવન બાપ બધાં બાળકોને એક જ યુક્તિ બતાવે
છે - ફક્ત કહે છે બાપ ને યાદ કરો, ચાર્ટ રાખો તો તમને ખૂબ ખુશી થશે. હવે તમને જ્ઞાન
છે, દુનિયા તો ઘોર અંધકાર માં છે. તમને હવે પ્રકાશ મળે છે. તમે ત્રિનેત્રી,
ત્રિકાળદર્શી બની રહ્યાં છો. ઘણાં એવાં પણ મનુષ્ય છે જે કહે છે જ્ઞાન તો જ્યાં-ત્યાં
મળતું રહે છે, આ કોઈ નવી વાત નથી. અરે, આ જ્ઞાન કોઈને મળતું જ નથી. જો ત્યાં જ્ઞાન
મળે પણ છે તો પણ કરતાં તો કાંઈ નથી. નર થી નારાયણ બનવાનો કોઈ પુરુષાર્થ કરે છે?
કાંઈ પણ નહીં. તો બાપ બાળકોને કહે છે - સવાર નો સમય ખૂબ સારો છે. ખુબ મજા આવે છે,
શાંત થઈ જવાય છે, વાયુમંડળ સારું રહે છે. સૌથી ખરાબ વાયુમંડળ રહે છે - ૧૦ થી ૧૨ સુધી
એટલે સવાર નો સમય ખૂબ સારો છે. રાત્રે જલ્દી સુઈ જાઓ પછી ૨-૩ વાગે ઉઠો. આરામ થી બેસો.
બાબા સાથે વાતો કરો. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી યાદ કરો. શિવબાબા કહે છે - મારામાં
જ્ઞાન છે ને, રચતા અને રચનાનું. હું તમને શિક્ષક બનીને ભણાવું છું. તમે આત્મા બાપ
ને યાદ કરતાં રહો છો. ભારતનો પ્રાચીન યોગ પ્રખ્યાત છે. યોગ કોની સાથે? આ પણ લખવાનું
છે. આત્માનો પરમાત્માની સાથે યોગ અર્થાત્ યાદ છે. આપ બાળકો હવે જાણો છો આપણે
ઓલરાઉન્ડર (દરેક ક્ષેત્રમાં કુશળ) છીએ, પુરા ૮૪ જન્મ લઈએ છીએ. અહીંયા બ્રાહ્મણ કુળનાં
જ આવશે. આપણે બ્રાહ્મણ છીએ. હવે આપણે દેવતા બનવાવાળા છીએ. સરસ્વતી પણ પુત્રી છે ને.
વૃદ્ધ પણ છું, ખુબ ખુશી થાય છે, હવે હું શરીર છોડી પછી જઈને રાજા નાં ઘર માં જન્મ
લઇશ. હું ભણી રહ્યો છું. પછી સોનાની ચમચી મોઢામાં હશે. તમારા બધાનું આ લક્ષ-હેતુ
છે. ખુશી કેમ ન થવી જોઈએ. મનુષ્ય ભલે કશું પણ બોલતાં રહે. તમારી ખુશી કેમ ગુમ થઈ જવી
જોઈએ. બાપ ને યાદ જ નહિં કરશો તો નર થી નારાયણ કેવી રીતે બનશો. ઊંચું બનવું જોઈએ
ને. એવો પુરુષાર્થ કરીને દેખાડો, મૂંઝાવ છો કેમ? દિલહોલ કેમ થાઓ છો કે બધાં થોડી
રાજા બનશે! આ વિચાર આવ્યો, ફેલ (નપાસ) થયાં. સ્કૂલમાં બેરીસ્ટરી, એન્જિનિયરિ વગેરે
ભણે છે. એવું કહેશે શું કે બધાં બેરિસ્ટર થોડી બનશે. નહીં ભણે તો ફેલ થઇ જશે.
૧૬,૧૦૮ ની આખી માળા છે. પહેલાં-પહેલાં કોણ આવશે? જેટલો જે પુરુષાર્થ કરશે. એક-બીજા
થી તીવ્ર પુરુષાર્થ કરો તો છો ને. આપ બાળકોની બુદ્ધિમાં છે-હવે આપણે આ જુનું શરીર
છોડી ઘરે જવાનું છે. આ પણ યાદ રહે તો પુરુષાર્થ તીવ્ર થઇ જશે. આપ બાળકો ની બુદ્ધિમાં
રહેવું જોઈએ કે સર્વનાં મુક્તિ-જીવન મુક્તિદાતા છે જ એક બાપ. આજે દુનિયામાં આટલાં
કરોડો મનુષ્ય છે. તમે ૯ લાખ હશો. તે પણ અંદાજે કહેવાય છે. સતયુગમાં વધારે કેટલાં હશે.
રાજાઈ માં થોડાક તો મનુષ્ય જોઈએ ને. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. બુદ્ધિ કહે છે
સતયુગમાં ખુબ નાનું ઝાડ હોય છે, બ્યુટીફુલ (સુશોભિત). નામ જ છે સ્વર્ગ પેરેડાઇઝ. આપ
બાળકોની બુદ્ધિમાં આખું ચક્ર ફરતું રહે છે. આ પણ સદૈવ ફરતુ રહે તો પણ સારું.
આ ખાસી વગેરે થાય છે આ કર્મભોગ છે, આ જૂની જુત્તી છે. નવી તો અહીંયા મળવાની નથી.
હું પુનર્જન્મ તો લેતો નથી. ન કોઈ ગર્ભ માં જાઉં છું. હું તો સાધારણ તનમાં પ્રવેશ
કરું છું. વાનપ્રસ્થ અવસ્થા છે, હવે વાણીથી પરે શાંતિધામ જવાનું છે. જેમ રાત થી
દિવસ, દિવસ થી રાત જરુર થવાની છે, તેમ જૂની દુનિયા જરુર વિનાશ થવાની છે. આ સંગમયુગ
જરુર પૂરો થઇ પછી સતયુગ આવશે. બાળકોએ યાદ ની યાત્રા પર ખૂબ ધ્યાન આપવાનું છે, જે
હમણાં ખૂબ ઓછું છે, એટલે બાબા બેબી કહે છે. બેબીપણું દેખાડે છે. કહે છે બાબા ને યાદ
નથી કરી શકતો, તો બેબી કહેશે ને. તમે નાનાં બેબી છો, બાપ ને ભૂલી જાઓ છો? મીઠા થી
મીઠા બાપ, શિક્ષક, ગુરુ અડધાકલ્પ નાં બિલ્વેડ મોસ્ટ (સૌથી પ્રિય), એમને ભૂલી જાઓ
છો! અડધો કલ્પ દુઃખ માં તમે એમને યાદ કરતા આવ્યાં છો, હે ભગવાન! આત્મા શરીર દ્વારા
કહે છે ને. હવે હું આવ્યો છું, સારી રીતે યાદ કરો. અનેકો ને રસ્તો બતાવો. આગળ ચાલીને
ખૂબ વૃદ્ધિ પામતા રહેશો. ધર્મની વૃદ્ધિ તો થાય છે ને. અરવિંદ ઘોષનું દૃષ્ટાંત. આજે
તેમનાં કેટલા સેન્ટર્સ છે. હમણાં તમે જાણો છો તે બધું છે ભક્તિમાર્ગ. હવે તમને
જ્ઞાન મળે છે. પુરુષોત્તમ બનવાનું આ નોલેજ છે. તમે મનુષ્ય થી દેવતા બનો છો. બાપ
આવીને બધાં મૂતપલિતી કપડાને સાફ કરે છે. એમની જ મહિમા છે. મુખ્ય છે યાદ. નોલેજ તો
ખૂબ સહજ છે. મુરલી વાંચીને સંભળાવો. યાદ કરતાં રહો. યાદ કરતાં-કરતાં આત્મા પવિત્ર
થઈ જશે. પેટ્રોલ ભરાતું જશે. પછી આ ભાગ્યાં. આ શિવબાબા ની બારાત કહો, બાળકો કહો.
બાપ કહે છે હું આવ્યો છું, કામચિતા થી ઉતારી તમને હવે યોગચિતા પર બેસાડું છું. યોગ
થી હેલ્થ (સ્વાસ્થ્ય), જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ) મળે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. લક્ષ્ય-
હેતુને સામે રાખી ખુશી માં રહેવાનું છે. ક્યારેય દિલહોલ (દિલશિકસ્ત) નથી બનવાનું -
આ વિચાર ક્યારેય ન આવે કે બધાં થોડી રાજા બનશે. પુરુષાર્થ કરી ઊંચ પદ પામવાનું છે.
2. મોસ્ટ બિલવેડ (સૌથી
પ્રિય) બાપને ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે, એમાં બેબી નથી બનવાનું. યાદ માટે સવારનો
સમય સારો છે. આરામ થી શાંતિ માં બેસી યાદ કરો.
વરદાન :-
એકતા અને
એકાગ્રતા ની વિશેષતા દ્વારા નિરવ્યર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ બનાવવા વાળા સફળતા
સ્વરુપ ભવ
બાપદાદા ને પ્રત્યક્ષ
કરવાનાં કાર્યમાં સફળતા નું વરદાન પ્રાપ્ત કરવા માટે સદા એક બનીને એક ને પ્રત્યક્ષ
કરજો. એકતાની એક આંગળી જ સહયોગ ની નિશાની દેખાડી છે અને એકાગ્રતા અર્થાત્ સદા
નિરવ્યર્થ સંકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા જ સફળતા ગળાનો હાર બની જાય છે. પરંતુ
એનાં માટે સદા આજ સ્લોગન યાદ રહે કે ન સમસ્યા સ્વરુપ બનશું ન સમસ્યાને જોઈ ડગમગ થઈશું.
સદા સમાધાન સ્વરુપ રહેશું.
સ્લોગન :-
બાપદાદા ની
છત્રછાયાનાં નીચે રહો તો માયા ની છાયા પડી નથી સકતી.