25-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - યાદ
માં રહેવાની મહેનત કરો તો પાવન બનતાં જશો , હમણાં બાપ તમને ભણાવી રહ્યાં છે પછી
સાથે લઈ જશે ”
પ્રશ્ન :-
કયો પેગામ
(સંદેશ) તમારે બધાને આપવાનો છે?
ઉત્તર :-
હવે ઘરે ચાલવાનું છે એટલે પાવન બનો. પતિત-પાવન બાપ કહે છે મને યાદ કરો તો પાવન બની
જશો. આ પેગામ બધાને આપો. બાપે પોતાનો પરિચય આપ બાળકોને આપ્યો છે, હવે તમારું
કર્તવ્ય છે બાપનો શો (પ્રત્યક્ષ) કરવાનું. કહેવાય પણ સન શોજ ફાધર.
ગીત :-
મરના તેરી
ગલીમે ………...
ઓમ શાંતિ!
બાળકોએ ગીતનો
અર્થ સાંભળ્યો કે બાબા અમે તમારી રુદ્રમાળામાં પરોવાઈ જ જઈશું. આ ગીત તો
ભક્તિમાર્ગનાં બનેલાં છે, જે પણ દુનિયામાં સામગ્રી છે, જપ-તપ, પૂજા-પાઠ આ બધું છે
ભક્તિમાર્ગ. ભક્તિ રાવણરાજ્ય, જ્ઞાન રામરાજ્ય. જ્ઞાન ને કહેવાય છે નોલેજ, ભણતર.
ભક્તિને ભણતર નથી કહેવાતું. તેમાં કોઈ ઉદ્દેશ નથી કે આપણે શું બનશું, ભક્તિ ભણતર
નથી. રાજયોગ શીખવો આ ભણતર છે, ભણતર એક જગ્યાએ સ્કૂલમાં ભણાય છે. ભક્તિમાં તો દર-દર
ધક્કા ખાય છે. ભણતર એટલે ભણતર. તો ભણતર પૂરી રીતે ભણવું જોઈએ. બાળકો જાણે છે આપણે
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. ઘણાં છે જે પોતાને સ્ટુડન્ટ નથી સમજતાં, કારણ કે ભણતા જ
નથી. ન બાપ ને બાપ સમજે છે, ન શિવબાબા ને સદ્દગતિ દાતા સમજે છે. એવાં પણ છે જે
બુદ્ધિમાં કાંઈ પણ બેસતું જ નથી, રાજધાની સ્થાપન થાય છે ને. તેમાં બધાં પ્રકારના
હોય છે. બાપ આવ્યાં જ છે પતિતો ને પાવન બનાવવાં. બાપ ને બોલાવે છે-હેં પતિત-પાવન
આવો. હવે બાપ કહે છે પાવન બનો. બાપ ને યાદ કરો. દરેક ને પેગામ આપવાનો છે બાપનો. આ
સમયે ભારત જ વેશ્યાલય છે. પહેલાં ભારત જ શિવાલય હતું. હમણાં બંને તાજ નથી. આ પણ આપ
બાળકો જ જાણો છો હવે પતિત-પાવન કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો.
યાદમાં જ મહેનત છે. ખૂબ થોડાં છે જે યાદ માં રહે છે. ભક્તમાળા પણ થોડાં ની છે ને.
ધન્ના ભગત, નારદ, મીરા વગેરે નું નામ છે. આમાં પણ બધાં તો નહીં આવીને ભણશે. કલ્પ
પહેલાં જેમણે ભણ્યું છે, એ જ આવે છે. કહે પણ છે બાબા અમે તમારાથી કલ્પ પહેલાં પણ
મળ્યા હતાં, ભણવા અથવા યાદ ની યાત્રા શીખવાં. હમણાં બાપ આવ્યાં જ છે આપ બાળકોને લઈ
જવાં. સમજાવે છે તમારી આત્મા પતિત છે એટલે બોલાવો છો કે આવી ને પાવન બનાવો. હવે બાપ
કહે છે મને યાદ કરો, પવિત્ર બનો. બાપ ભણાવે છે પછી સાથે પણ લઈ જશે. બાળકોનાં અંદર
ખુબ ખુશી હોવી જોઈએ. બાપ ભણાવી રહ્યાં છે, કૃષ્ણ ને બાપ નહીં કહેશે. કૃષ્ણને
પતિત-પાવન નહીં કહેશે. આ કોઈને પણ ખબર નથી કે બાપ કોને કહેવાય છે અને પછી એ જ્ઞાન
કેવી રીતે આપે છે. આ તમે જ જાણો છો. બાપ પોતાનો પરિચય બાળકોને જ આપે છે. નવાં-નવાં
કોઈ થી બાપ ન મળી શકે. બાપ કહેશે સન શોઝ ફાધર. બાળકો જ બાપ નો શો (પ્રત્યક્ષ) કરશે.
બાપને કોઇનાથી પણ મળવાનું, વાત કરવાનું નથી. ભલે આટલો સમય બાબા નવાં-નવાં થી મળતા
રહે છે, ડ્રામા માં હતું, અનેકો આવતા હતાં. મિલેટ્રી વાળા માટે પણ બાબાએ સમજાવ્યું
છે, તેમનો ઉદ્ધાર કરવાનો છે, તેમને પણ ધંધો (કર્તવ્ય) કરવાનો જ છે. નહીં તો દુશ્મન
વાર કરી લેશે. ફક્ત બાપને યાદ કરવાનાં છે. ગીતામાં છે જે યુદ્ધ નાં મેદાનમાં શરીર
છોડશે, તે સ્વર્ગમાં જશે. પરંતુ એમ તો જઈ ન શકે. સ્વર્ગ સ્થાપન કરવા વાળા પણ જ્યારે
આવે ત્યારે જ જશે. સ્વર્ગ શું વસ્તુ છે, આ પણ કોઈ નથી જાણતાં. હમણાં આપ બાળકો ૫
વિકારો રુપી રાવણ થી યુદ્ધ કરો છો, બાપ કહે છે અશરીરી ભવ. પોતાને આત્મા નિશ્ચય કરી
મને યાદ કરો. બીજા કોઈ એવું કહી ન શકે.
સર્વશક્તિમાન એક બાપનાં સિવાય કોઈને કહી ન શકાય. બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ન કહી શકાય.
ઓલમાઈટી (સર્વશક્તિમાન) એક જ બાપ છે. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી, જ્ઞાનનાં સાગર એક
બાપને જ કહેવાય છે. આ જે સાધુ-સંત વગેરે છે તે છે શાસ્ત્રો ની ઓથોરિટી (સત્તા).
ભક્તિની પણ ઓથોરિટી નહીં કહેશું. શાસ્ત્રોની ઓથોરિટી છે, તેમનો બધો આધાર શાસ્ત્રો
પર છે. સમજે છે ભક્તિનું ફળ ભગવાને આપવાનું છે. ભક્તિ ક્યારે શરુ થઈ, ક્યારે પૂરી
થવાની છે, આ ખબર નથી. ભક્ત સમજે છે ભક્તિ થી ભગવાન રાજી થશે. ભગવાન થી મળવાની ઈચ્છા
હોય છે, પરંતુ તે કોની ભક્તિથી રાજી થશે? જરુર એમની જ ભક્તિ કરશો ત્યારે તો રાજી
થશે ને. તમે શંકર ની ભક્તિ કરો તો બાપ રાજી કેવી રીતે થશે, શું હનુમાન ની ભક્તિ
કરશો તો બાપ રાજી થશે? દીદાર થઈ જાય છે, બાકી મળતું કાંઈ નથી. બાપ કહે છે હું ભલે
સાક્ષાત્કાર કરાવું છું, પરંતુ એવું નથી કે મારા સાથે આવીને મળશે. નહીં, તમે મારી
સાથે મળો છો. ભગત ભક્તિ કરે છે ભગવાન થી મળવા માટે. કહે છે ખબર નથી કે ભગવાન કયા
રુપ થી આવીને મળશે, એટલે તેને કહેવાય છે બ્લાઇન્ડ-ફેથ (અંધવિશ્વાસ). હમણાં તમે
બાપથી મળ્યાં છો. જાણો છો એ નિરાકાર બાપ જ્યારે શરીર ધારણ કરે ત્યારે જ પોતાનો
પરિચય આપે કે હું તમારો બાપ છું. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને રાજ્ય-ભાગ્ય આપ્યું
હતું પછી તમારે ૮૪ જન્મ લેવા પડ્યાં. આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. દ્વાપર નાં પછી જ
બીજા ધર્મો આવે છે, પોતાનો-પોતાનો ધર્મ આવીને સ્થાપન કરે છે. એમાં કોઈ બડાઈ (મહિમા)
ની વાત નથી. બડાઈ કોઈની પણ નથી. બ્રહ્મા ની બડાઈ ત્યારે છે જ્યારે બાપ આવીને પ્રવેશ
કરે છે. નહીં તો આ ધંધો કરતા હતાં, આમને પણ થોડી ખબર હતી મારામાં ભગવાન આવશે. બાપ એ
પ્રવેશ કરી સમજાવ્યું છે કે કેવી રીતે મેં આમનામાં પ્રવેશ કર્યો. કેવી રીતે આમને
દેખાડ્યું-મારું સો તમારું, તમારું સો મારું, જોઈ લો. તમે મારા મદદગાર બનો છો -
પોતાનાં તન-મન-ધન થી તો તેમની એવજ (વળતર) માં તમને આ મળશે. બાપ કહે છે - હું સાધારણ
તન માં પ્રવેશ કરું છું, જે પોતાનાં જન્મોને નથી જાણતાં. પરંતુ હું ક્યારે આવું
છું, કેવી રીતે આવું છું, આ કોઈને ખબર નથી. હમણાં તમે જુવો છો સાધારણ તન માં બાપ
આવ્યાં છે. આમનાં દ્વારા અમને જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યાં છે. જ્ઞાન તો ખુબ સહજ
છે. નરક નું ફાટક બંધ થઈ સ્વર્ગ નું ફાટક કેવી રીતે ખુલે છે-આ પણ તમે જાણો છો.
દ્વાપર માં રાવણ રાજ્ય શરુ થાય છે અર્થાત્ નરકનો દ્વાર ખૂલે છે. નવી અને જૂની
દુનિયાને અડધા-અડધા માં રખાય છે. તો હવે બાપ કહે છે-હું આપ બાળકોને પતિત થી પાવન
થવાની યુક્તિ બતાવું છું. બાપ ને યાદ કરો તો જન્મ-જન્માન્તર નાં પાપ નાશ થઈ જાય. આ
જન્મનાં પાપ પણ બતાવવાનાં છે. યાદ તો રહે છે ને-કયા પાપ કર્યા છે? શું-શું
દાન-પુણ્ય કર્યા છે? આમને પોતાનાં નાનપણ ની ખબર છે ને. કૃષ્ણનું જ નામ છે શ્યામ અને
સુંદર, શ્યામ સુંદર. તેનો અર્થ ક્યારેય કોઈની બુદ્ધિમા નહીં આવે. નામ શ્યામ-સુંદર
છે તો ચિત્રમાં કાળા બનાવી દીધા છે. રઘુનાથનાં મંદિરમાં જોશો-ત્યાં પણ કાળા,
હનુમાનનાં મંદિરમાં જુવો તો બધાને કાળા બનાવી દે છે. આ છે જ પતિત દુનિયા. હમણાં આપ
બાળકોને ઓના (ચિંતા) છે કે અમે શ્યામ થી સુંદર બનીએ. એનાં માટે તમે બાપ ની યાદ માં
રહો છો. બાપ કહે છે આ અંતિમ જન્મ છે. મને યાદ કરો તો પાપ ભસ્મ થશે. જાણો છો બાપ
આવ્યાં છે લઈ જવાં. તો જરુર શરીર અહીંયા છોડશું. શરીર સહિત થોડી લઈ જશે. પતિત
આત્માઓ પણ જઈ ન શકે. જરુર બાપ પાવન બનાવવાની યુક્તિ બતાવશે. તો કહે છે મને યાદ કરો
તો વિકર્મ વિનાશ થાય. ભક્તિમાર્ગ માં છે અંધશ્રદ્ધા. શિવકાશી કહે છે પછી કહે છે શિવ
ગંગા લાવ્યાં, ભાગીરથ થી ગંગા નીકળી. હવે પાણી માથા થી કેવી રીતે નીકળશે. ભાગીરથ
કોઈ ઉપર પહાડ પર બેઠાં છે શું, જેની જટાઓ થી ગંગા આવશે! પાણી જે વરસે છે, સાગર થી
ખેંચે છે, જે આખી દુનિયામાં પાણી જાય છે. નદીઓ તો બધી તરફ છે. પહાડો પર બરફ જામી
જાય છે, તે પણ પાણી આવતું રહે છે. પહાડો ની અંદર ગુફામાં જે પાણી રહે છે, તે પછી
કુવાઓમાં આવતું રહે છે. તે પણ વરસાદનાં આધાર પર છે. વરસાદ ન પડે તો કુવા પણ સુકાઈ
જાય છે.
કહે પણ છે બાબા અમને પાવન બનાવીને સ્વર્ગમાં લઈ જાઓ. આશા જ સ્વર્ગ, કૃષ્ણપુરી ની
છે. વિષ્ણુપુરીની કોઈને ખબર નથી. કૃષ્ણ નાં મુરીદ (ગ્રાહક) કહેશું-જ્યાં જુવો કૃષ્ણ
જ કૃષ્ણ છે. અરે, જ્યારે કે પરમાત્મા સર્વવ્યાપી છે તો કેમ નથી કહેતા જ્યાં જુવો
પરમાત્મા જ પરમાત્મા છે. પરમાત્મા નાં મુરીદ પછી એવું કહે આ બધાં એમનાં જ રુપ છે. એ
જ આ બધી લીલા કરી રહ્યાં છે. ભગવાને રુપ ધર્યા છે, લીલા કરવા માટે. તો જરુર હમણાં
લીલા કરશે ને. પરમાત્માની દુનિયા સ્વર્ગમાં જુઓ, ત્યાં ગંદકી ની કોઈ વાત નથી હોતી.
અહીંયા તો ગંદ જ ગંદ છે અને પછી અહીંયા કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. પરમાત્મા
જ સુખ આપે છે. બાળક આવ્યું સુખ થયું, મરી ગયો તો દુઃખ થશે. અરે, ભગવાને તમને ચીજ
આપી પછી લીધી તો તેમાં તમારે રડવાની શું દરકાર છે! સતયુગ માં આ રડવા વગેરેનું દુઃખ
હોતું નથી. મોહજીત રાજા નું દૃષ્ટાંત દેખાડ્યું છે. આ બધાં છે જુઠ્ઠા દૃષ્ટાંત.
તેમાં કોઈ સાર નથી. સતયુગ માં ઋષિ-મુની હોતા નથી. અને અહીંયા પણ એવી વાત હોઈ નથી
શકતી. એવાં કોઈ મોહજીત રાજા થઇ નથી શકતા. ભગવાનુવાચ-યાદવ, કૌરવ, પાંડવ ક્યા કરત
ભયે? તમારો બાપ થી યોગ છે. બાપ કહે છે હું આપ બાળકો દ્વારા ભારતને સ્વર્ગ બનાવું
છું. હવે જે પવિત્ર બને છે તે પવિત્ર દુનિયાનાં માલિક બનશે. કોઈ પણ મળે તેમને આ કહો
ભગવાન કહે છે મામેકમ યાદ કરો. મારા થી પ્રીત લગાવો બીજા કોઈ ને યાદ નહીં કરો. આ છે
અવ્યભિચારી યાદ. અહીંયા કોઈ જળ વગેરે નથી ચઢાવવાનું. ભક્તિ માર્ગમાં આ ધંધો વગેરે
કરતા, યાદ કરતા હતાં ને. ગુરુ લોકો પણ કહે છે, મને યાદ કરો, પોતાનાં પતિને યાદ નહીં
કરો. આપ બાળકોને કેટલી વાતો સમજાવે છે. મૂળ વાત છે કે બધાને પેગામ આપો - બાબા કહે
છે મામેકમ યાદ કરો. બાબા એટલે જ ભગવાન. ભગવાન તો નિરાકાર છે. કૃષ્ણ ને બધાં ભગવાન
નહીં કહેશે. કૃષ્ણ તો બાળક છે. શિવબાબા આમનામાં ન હોત તો તમે હોત કે? શિવબાબાએ
આમનાં દ્વારા તમને એડોપ્ટ (દત્તક) કર્યા છે, પોતાનાં બનાવ્યાં છે. આ માતા પણ છે,
પિતા પણ છે. માતા તો સાકાર માં જોઈએ ને. એ તો છે જ પિતા. તો આવી-આવી વાતો સારી રીતે
ધારણ કરો.
આપ બાળકોએ ક્યારેય પણ કોઈ વાત માં મુંઝવાનું નથી. ભણતર ને ક્યારેય નહીં છોડતાં.
ઘણાં બાળકો સંગદોષમાં આવીને રિસાઇ ને પોતાની પાઠશાળા ખોલી દે છે. જો આપસ માં
લડી-ઝઘડીને જઈ પોતાની પાઠશાળા ખોલી તો મૂર્ખપણું છે, રિસાય છે તો પાઠશાળા ખોલવાનાં
લાયક જ નથી. તે દેહ-અભિમાન તમારું ચાલશે જ નહીં કારણ કે બુદ્ધિમાં તો દુશ્મની છે તો
તે યાદ આવશે. કાંઈ પણ કોઈ ને સમજાવી નહીં શકો. એવું પણ થાય છે, જેમને જ્ઞાન આપે છે
તે આગળ ચાલ્યા જાય છે, પોતે નીચે પડે છે. સ્વયં પણ સમજે છે મારા થી તેમની અવસ્થા
સારી છે. ભણવાવાળા રાજા બની જાય અને ભણાવવા વાળા દાસ-દાસી બની જાય છે, એવાં-એવાં પણ
છે. પુરુષાર્થ કરી બાપનાં ગળાનો હાર બનવાનું છે. બાબા જીવતેજીવ હું તમારો બન્યો
છું. બાપની યાદ થી જ બેડો પાર થવાનો છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય
કોઈ વાતમાં મુંઝાવાનું નથી. આપસમાં રિસાઈ ને ભણતર નથી છોડવાનું. દુશ્મની બનાવવી પણ
દેહ અભિમાન છે. સંગદોષ થી પોતાની બહુજ-બહુજ સંભાળ કરવાની છે. પાવન બનવાનું છે,
પોતાની ચલન થી બાપનો શો (પ્રત્યક્ષ) કરવાનો છે.
2. પ્રીત બુદ્ધિ બની
એક બાપની અવ્યભિચારી યાદમાં રહેવાનું છે. તન-મન-ધન થી બાપનાં કાર્યમાં મદદગાર
બનવાનું છે.
વરદાન :-
સ્વયંને સ્વયં
જ પરિવર્તન કરી વિશ્વનાં આધારમૂર્ત બનવા વાળા શ્રેષ્ઠ પદ નાં અધિકારી ભવ
શ્રેષ્ઠ પદ પામવા
માટે બાપદાદાની આ જ શિક્ષા છે કે બાળકો સ્વયંને બદલો. સ્વયંને બદલવાનાં બદલે,
પરિસ્થિતિઓ ને કે અન્ય આત્માઓ ને બદલવાનું વિચારો છો કે સંકલ્પ આવે છે કે આ સેલવેશન
(બચાવ) મળે, સહયોગ કે સહારો મળે તો પરિવર્તન થાય-એવાં કોઈ પણ આધાર પરિવર્તન થવાવાળા
ની પ્રાલબ્ધ પણ આધાર પર જ રહેશે કારણ કે જેટલા નો આધાર લેશો એટલું જમાનું ખાતુ
ભાગમાથી વેચાઈ જશે એટલે સદા લક્ષ રાખો કે સ્વયંને પરિવર્તન થવાનું છે. હું સ્વયં
વિશ્વનો આધારમૂર્ત છું.
સ્લોગન :-
સંગઠન માં
ઉમંગ-ઉત્સાહ અને શ્રેષ્ઠ સંકલ્પ થી સફળતા થયેલી જ છે.