21-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
બેહદનાં બાપ થી બેહદ નો વારસો લેવા આવ્યાં છો , અહીંયા હદની કોઈ વાત નથી , તમે ખુબ
ઉમંગ થી બાપ ને યાદ કરો તો જૂની દુનિયા ભૂલાય જશે ”
પ્રશ્ન :-
કઈ એક વાત
તમારે વારંવાર પોતાનાં થી ઘૂંટી પાક્કી કરવી જોઈએ?
ઉત્તર :-
અમે આત્મા છીએ, અમે પરમાત્મા બાપથી વારસો લઇ રહ્યાં છીએ. આત્માઓ છે બાળકો, પરમાત્મા
છે બાપ. હમણાં બાળકો અને બાપ નો મેળો થયો છે. આ વાત વારંવાર ઘૂંટી-ઘૂંટી પાક્કી
કરો. જેટલાં આત્મ-અભિમાની બનતાં જશો, દેહ-અભિમાન મટી જશે.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ …....
ઓમ શાંતિ!
બાળકો જાણે છે
કે આપણે બાબાની સાથે બેઠેલાં છીએ- આ છે ઊંચેથી ઊંચા બાબા, બધાનાં બાબા છે. બાબા
આવેલાં છે. બાપ થી શું મળે છે, આ તો સવાલ જ નથી ઉઠતો. બાપ થી મળે છે જ વારસો. આ છે
બધાનાં બેહદનાં બાપ, જેમનાથી બેહદનું સુખ, બેહદની પ્રોપર્ટી (મિલકત) મળે છે. તે છે
હદની મિલકત. કોઈની પાસે હજાર, કોઈની પાસે ૫ હજાર હશે. કોઈની પાસે ૧૦-૨૦-૫૦ કરોડ,
અરબ હશે. હવે તે તો બધાં છે લૌકિક બાબાઓ અને હદનાં બાળકો. અહીંયા આપ બાળકો પણ સમજો
છો આપણે બેહદનાં બાપ ની પાસે આવ્યાં છીએ બેહદની મિલકત લેવાં. દિલમાં આશ તો રહે છે
ને. સિવાય સ્કૂલનાં બીજા સતસંગ વગેરેમાં કોઈ આશ નથી રહેતી. કહેશે શાંતિ મળે, તે તો
મળી નથી શકતી. અહીંયા આપ બાળકો સમજો છો આપણે આવ્યાં છીએ વિશ્વ નવી દુનિયાનાં માલિક
બનવાં. નહીં તો અહીંયા કેમ આવીએ. બાળકો કેટલી વૃદ્ધિને પામતા રહે છે! કહે છે બાબા
અમે તો વિશ્વ નાં માલિક બનવા આવ્યાં છીએ, હદ ની કોઈ વાત જ નથી. બાબા તમારાં થી અમે
બેહદ સ્વર્ગનો વારસો લેવા આવ્યાં છીએ. કલ્પ-કલ્પ અમે બાપથી વારસો લઈએ છીએ પછી માયા
બિલાડી છીનવી લે છે એટલે આને હાર-જીત ની રમત કહેવાય છે. બાપ બેસી ને બાળકો ને
સમજાવે છે. બાળકો પણ નંબરવાર સમજે છે, આ કોઈ સાધુ-સંત નથી. જેમ તમને કપડા પડે છે
તેમ આમને પડે છે. આ તો બાબા છે ને. કોઈ પૂછે કોની પાસે જાઓ છો? કહેશો અમે બાપદાદા
ની પાસે જઈએ છીએ. આ તો ફેમિલી (પરિવાર) થઈ ગઈ. કેમ જાઓ છો, શું લેવા જાઓ છો? આ તો
બીજું કોઈ સમજી ન શકે. કહી ન શકે કે અમે બાપદાદા ની પાસે જઈએ છીએ, વારસો એમનાં થી
મળે છે. દાદાની પ્રોપર્ટી (મિલકત) નાં બધાં હકદાર છે. શિવબાબાનાં અવિનાશી બાળકો
(આત્માઓ) તો છો જ પછી પ્રજાપિતા બ્રહ્માનાં બનવાથી એમનાં પોત્રા-પૌત્રીઓ છો. હમણાં
તમે જાણો છો આપણે આત્મા છીએ. આ તો બહુજ પાક્કું ઘૂંટવું જોઈએ. આપણે આત્માઓ પરમાત્મા
બાપથી વારસો લઈએ છીએ. આપણે આત્માઓ બાપ થી આવીને મળ્યાં છીએ. પહેલાં તો શરીરનું ભાન
હતું. ફલાણા-ફલાણા નામવાળા જ મિલકત લે છે. હમણાં તો છે આત્માઓ, પરમાત્મા થી વારસો
લે છે. આત્માઓ છે બાળકો, પરમાત્મા છે બાપ. બાળકો અને બાપનો ખુબ સમય નાં પછી મેળો
લાગે છે. એક જ વખત. ભક્તિમાર્ગમાં પછી અનેક આર્ટિફિશિયલ (બનાવટી) મેળા લાગતા રહે
છે. આ છે સૌથી વન્ડરફુલ મેળો. આત્માઓ, પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ…..કોણ? તમે
આત્માઓ. આ પણ તમે સમજો છો આપણે આત્માઓ પોતાનાં સ્વીટ સાઈલેન્સ ઘર માં રહેવાવાળી
છીએ. હમણાં અહીંયા પાર્ટ ભજવતા-ભજવતા થાકી ગયાંં છીએ. તો સંન્યાસી ગુરુ વગેરેનાં
પાસે જઈને શાંતિ માગે છે. સમજે છે તે ઘરબાર છોડી જંગલમાં જાય છે, તેમનાથી શાંતિ
મળશે. પરંતુ એવું છે નહીં. હમણાં તો બધાં શહેરમાં આવી ગયાં છે. જંગલ માં ગુફાઓ ખાલી
પડી છે. ગુરુ બનીને બેઠાં છે. નહીં તો તેમણે નિવૃત્તિ માર્ગનું જ્ઞાન આપી પવિત્રતા
શીખવાડવાની છે. આજકાલ તો જુઓ લગ્ન કરાવતાં રહે છે.
આપ બાળકો તો પોતાનાં યોગબળ થી પોતાની કર્મેન્દ્રિયો ને વશ માં કરો છો.
કર્મેન્દ્રિયો યોગબળ થી શીતળ થઇ જશે. કર્મેન્દ્રિયોમાં ચંચળતા હોય છે ને. હવે
કર્મેન્દ્રિયો પર જીત પામવાની છે, જો કોઈ ચંચળતા ન ચાલે. સિવાય યોગબળનાં
કર્મેન્દ્રિયનું વશ થવું અસંભવ છે. બાપ કહે છે કર્મેન્દ્રિયોની ચંચળતા યોગબળ થી જ
તૂટશે. યોગબળ ની તાકાત તો છે ને. આમાં ખુબ જ મહેનત લાગે છે. આગળ ચાલીને
કર્મેન્દ્રિયોની ચંચળતા નહીં રહે. સતયુગમાં તો કોઇ ગંદી બિમારી નથી હોતી. અહીંયા
તમે કર્મેન્દ્રિયોને વશ કરી જાઓ છો તો કોઈ પણ ગંદી વાત ત્યાં હોતી નથી. નામ જ છે
સ્વર્ગ. તેને ભૂલી જવાનાં કારણે લાખો વર્ષ કહી દે છે. હમણાં સુધી પણ મંદિર બનાવતાં
રહે છે. જો લાખો વર્ષ થયા હોય તો પછી વાત જ યાદ ન હોય. આ મંદિર વગેરે કેમ બનાવે? તો
ત્યાં કર્મેન્દ્રિયો શીતળ રહે છે. કોઈ ચંચળતા નથી રહેતી. શિવબાબા ને તો
કર્મેન્દ્રિયો છે નહીં. બાકી આત્મા માં જ્ઞાન તો બધું છે ને. એ જ શાંતિનાં સાગર,
સુખનાં સાગર છે. તે લોકો કહે છે કર્મેન્દ્રિયો વશ નથી થઈ શકતી. બાપ કહે છે યોગબળ થી
તમે કર્મેન્દ્રિયોને વશ કરો. બાપની યાદ માં રહો. કોઈ પણ બેકાયદેસર કામ
કર્મેન્દ્રિયો થી નથી કરવાનું. આવાં લવલી (પ્રેમાળ) બાપ ને યાદ કરતાં-કરતાં
પ્રેમમાં આંસુ આવવાં જોઈએ. આત્મા પરમાત્મા માં લીન તો થતી નથી. બાપ એક જ વખત મળે
છે, જ્યારે શરીરનું લોન લે છે તો એવાં બાપની સાથે કેટલાં પ્રેમ થી ચાલવું જોઈએ.
બાબાને ઉછળ આવીને. ઓહો! બાબા વિશ્વનાં માલિક બનાવે છે પછી આ ધન માલ શું કરશું, છોડો
બધું. જેમ પાગલ હોય છે ને. બધાં કહેવા લાગ્યા આમને બેઠાં-બેઠાં શું થયું. ધંધો
વગેરે બધું છોડી ને આવી ગયાં. ખુશીનો પારો ચઢી ગયો. સાક્ષાત્કાર થવા લાગ્યાં. રાજાઈ
મળવાની છે પરંતુ કેવી રીતે મળશે. શું થશે? આ કઈ પણ ખબર નથી. બસ મળવાનું છે, એ જ
ખુશીમાં બધું છોડી દીધું. પછી ધીરે-ધીરે નોલેજ મળતું રહે છે. આપ બાળકો અહીંયા સ્કૂલ
માં આવ્યાં છો, લક્ષ-હેતુ તો છે ને. આ છે રાજયોગ. બેહદ નાં બાપ થી રાજાઈ લેવા
આવ્યાં છો. બાળકો જાણે છે આપણે એમનાથી ભણીએ છીએ, જેમને યાદ કરતાં હતાં કે બાબા
આવીને અમારા દુઃખ હરો સુખ આપો. બાળકીઓ કહે છે અમને કૃષ્ણ જેવો બાળક મળે. અરે તે તો
વૈકુંઠ માં મળશે ને. કૃષ્ણ વૈકુંઠનાં છે, તેમને તમે ઝૂલાવો છો તો તેમનાં જેવો બાળક
તો વૈકુંઠમાં જ મળશે ને. હમણાં તમે વૈકુંઠની બાદશાહી લેવા આવ્યાં છો. ત્યાં જરુર
પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) જ મળશે. પવિત્ર બાળક મળે, આ આશ પણ પૂરી થાય
છે. આમ તો પ્રિન્સ-પ્રિન્સેજ અહીંયા પણ બહુજ જ છે પરંતુ નર્કવાસી છે. તમે ઈચ્છો છો
સ્વર્ગવાસી ને. ભણતર તો ખુબ સહજ છે. બાપ કહે છે તમે ખુબ ભક્તિ કરી છે, ધક્કા ખાધાં
છે. તમે કેટલાં ખુશી થી તીર્થો વગેરે પર જાઓ છો. અમરનાથ પર જાઓ છો, સમજે છે શંકરે
પાર્વતીને અમરકથા સંભળાવી. અમરનાથની સાચી કથા તમે હમણાં સાંભળો છો. આ તો બાપ બેસીને
તમને સંભળાવે છે. તમે આવ્યાં છો-બાપનાં પાસે. જાણો છો આ ભાગ્યશાળી રથ છે, એમને આ
લોન પર લીધો છે. આપણે શિવબાબા ની પાસે જઈએ છીએ, તેમની જ શ્રીમત પર ચાલશું. કાંઈ પણ
પૂછવું હોય તો બાબા થી પૂછી શકો છો. કહે છે - બાબા અમે બોલી નથી શકતાં. આ તો તમે
પુરુષાર્થ કરો, આમાં બાબા શું કરી શકે છે.
બાપ આપ બાળકોને શ્રેષ્ઠ બનવાનો સહજ રસ્તો બતાવે છે-એક તો કર્મેન્દ્રિયોને વશ કરો,
બીજું દૈવીગુણ ધારણ કરો. કોઈ ગુસ્સો વગેરે કરે તો સાંભળો નહીં. એક કાને થી સાંભળી
બીજા કાને થી નિકાળી દો. જે ખરાબ વાત માં રુચિ ન આવે, તેને સાંભળો જ નહીં. જુઓ પતિ
ક્રોધ કરે છે, મારે છે તો શું કરવું જોઈએ? જ્યારે જુઓ પતિ ગુસ્સો કરે છે તો તેનાં
પર ફૂલ વરસાવો. હસતાં રહો. યુક્તિઓ તો ખૂબ છે. કામેશું, ક્રોધેશું હોય છે ને. અબલાઓ
પોકારે છે. એક દ્રૌપદી નથી, બધી છે. હવે બાપ આવ્યાં છે નગ્ન થવાથી બચાવવાં. બાપ કહે
છે આ મૃત્યુલોકમાં આ તમારો અંતિમ જન્મ છે. હું આપ બાળકોને શાંતિધામ લઇ જવા આવ્યો
છું. ત્યાં પતિત આત્મા તો જઈ ન શકે, એટલે હું આવીને બધાંને પાવન બનાવું છું. જેમને
જે પાર્ટ મળેલો છે તે પૂરો કરી હવે બધાએ પાછાં જવાનું છે. આખાં ઝાડ નું રહસ્ય
બુદ્ધિમાં છે. બાકી ઝાડનાં પત્તા થોડી કોઈ ગણી શકે છે. તો બાપ પણ મૂળ વાત સમજાવે
છે-બીજ અને ઝાડ. બાકી મનુષ્ય તો અનેક છે. એક-એક નાં અંદર થોડી બેસી જાણશે. મનુષ્ય
સમજે છે ભગવાન તો અંતર્યામી છે, દરેક નાં અંદરની વાતને જાણે છે. આ બધી છે
અંધશ્રદ્ધા.
બાપ કહે છે તમે અમને બોલાવો છે કે આવીને અમને પતિત થી પાવન બનાવો, રાજયોગ શીખવાડો.
હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો. બાપ કહે છે મને યાદ કરો. બાપ આ મત આપે છે ને.
બાપની શ્રીમત અને ગત સૌથી ન્યારી છે. મત એટલે સલાહ, જેનાથી આપણી સદ્દગતિ થાય છે. એજ
એક બાપ આપણી સદ્દગતિ કરવાવાળા છે, બીજું ન કોઈ. આ સમયે જ બોલાવે છે. સતયુગમાં તો
બોલાવતાં નથી. હમણાં જ કહે છે સર્વનાં સદ્દગતિ દાતા એક રામ. જ્યારે માળા ફેરવે છે
તો ફેરવતા-ફેરવતા જ્યારે ફૂલ આવે છે તો તેને રામ કહી આંખો પર લગાવે છે. જપવાનું છે
એક ફૂલ ને. બાકી છે તેમની પવિત્ર રચના. માળાને તમે સારી રીતે જાણી ગયાં છો. જે
બાપની સાથે સર્વિસ કરે છે તેમની આ માળા છે. શિવબાબા ને રચતા નહીં કહેશે. રચતા કહેશે
તો પ્રશ્ન ઉઠશે કે ક્યારે રચના રચી? પ્રજાપિતા બ્રહ્મા હમણાં સંગમ પર જ બ્રાહ્મણોને
રચે છે ને. શિવબાબા ની રચના તો આનાદિ છે જ. ફક્ત પતિત થી પાવન બનાવવા માટે બાપ આવે
છે. હમણાં તો છે જૂની સૃષ્ટિ. નવાં માં રહે છે દેવતાઓ. હવે શૂદ્રોને દેવતા કોણ
બનાવે. હવે તમે ફરીથી બનો છો. જાણો છો બાબા આપણને શુદ્ર થી બ્રાહ્મણ, બ્રાહ્મણ થી
દેવતા બનાવે છે. હમણાં તમે બ્રાહ્મણ બનો છો, દેવતા બનવા માટે. મનુષ્ય સૃષ્ટિ રચવા
વાળા થઈ ગયાં બ્રહ્મા, જે મનુષ્ય સૃષ્ટિનાં મુખ્ય છે. બાકી આત્માઓનાં અવિનાશી બાપ
શિવ તો છે જ. આ બધી નવી વાતો તમે સાંભળો છો. જે બુદ્ધિવાન છે તે સારી રીતે ધારણ કરે
છે. ધીરે-ધીરે તમારી પણ વૃદ્ધિ થતી જશે. હમણાં આપ બાળકોને સ્મૃતિ આવી છે, આપણે
અસલમાં દેવતા હતાં પછી ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ. બધું રહસ્ય તમે જાણો છો. વધારે
વાતો માં જવાની દરકાર જ નથી.
બાપ થી પૂરો વારસો લેવા માટે મુખ્ય વાત બાપ કહે છે - એક તો મને યાદ કરો, બીજું
પવિત્ર બનો. સ્વદર્શન ચક્રધારી બનો અને આપ સમાન બનાવો. કેટલું સહજ છે. ફક્ત યાદ
રહેતી નથી. નોલેજ તો ખુબ સહજ છે. હવે જૂની દુનિયા ખતમ થવાની છે. પછી સતયુગમાં નવી
દુનિયામાં દેવી-દેવતાઓ રાજ્ય કરશે. આ દુનિયામાં જૂનાં થી જૂનાં આ દેવતાઓનાં ચિત્ર
છે કે તેમનાં મહેલ વગેરે છે. તમે કહેશો જૂનાં થી જૂનાં અમે વિશ્વનાં
મહારાજા-મહારાણી હતાં. શરીર તો ખતમ થઈ જાય છે. બાકી ચિત્ર બનાવતાં રહે છે. હમણાં આ
થોડી કોઈને ખબર છે, આ લક્ષ્મી-નારાયણ જે રાજ્ય કરતાં હતાં તે ક્યાં ગયાં? રાજાઈ
કેવી રીતે લીધી? બિરલા આટલાં મંદિર બનાવે છે, પરંતુ જાણતા નથી. પૈસા મળતા જાય છે
અને બનાવતાં રહે છે. સમજે છે આ દેવતાઓની કૃપા છે. એક શિવની પૂજા છે અવ્યભિચારી
ભક્તિ. જ્ઞાન આપવા વાળા તો જ્ઞાન સાગર એક જ છે, બાકી છે ભક્તિમાર્ગ. જ્ઞાન થી
અડધોકલ્પ સદ્દગતિ થાય છે પછી ભક્તિની દરકાર નથી રહેતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. હવે
ભક્તિથી, જૂની દુનિયા થી વૈરાગ્ય. જૂની હવે ખતમ થવાની છે, આમાં આસક્તિ શું રાખીએ.
હવે તો નાટક પૂરું થાય છે, આપણે જઈએ છીએ ઘરે. તે ખુશી રહે છે. કોઈ સમજે છે મોક્ષ
પામવો તો સારું છે પછી આવશું નહીં. આત્મા પરપોટો છે જે સાગરમાં મળી જાય છે. આ બધાં
ગપોડા છે. એક્ટર તો એકટ (કર્મ) કરશે જરુર. જે ઘરે બેસી જાય તે કોઈ એક્ટર થોડી થયો.
મોક્ષ થતો નથી. આ ડ્રામા અનાદિ બનેલો છે. અહીંયા તમને કેટલું નોલેજ મળે છે.
મનુષ્યોની બુદ્ધિમાં તો કાંઈ પણ નથી. તમારો પાર્ટ જ છે-બાપ થી જ્ઞાન લેવાનો, વારસો
પામવાનો. તમે ડ્રામામાં બંધાયમાન છો. પુરુષાર્થ જરુર કરશો. એવું નહીં ડ્રામામાં હશે
તો મળશે. પછી તો બેસી જાઓ. પરંતુ કર્મ વગર કોઈ રહી નથી શકતું. કર્મ સંન્યાસ થઈ જ
નથી શકતો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગબળ ની
તાકાત થી પોતાની કર્મેન્દ્રિયો ને શીતળ બનાવાની છે. વશમાં રાખવાની છે. ઇવિલ વાતો ન
તો સાંભળવાની છે, ન સંભળાવવાની છે. જે વાત પસંદ નથી આવતી, તેને એક કાન થી સાંભળી
બીજા થી નીકળી દેવાની છે.
2. બાપ થી પૂરો વારસો
લેવા માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે, પવિત્ર બની આપ સમાન બનાવવાની સેવા કરવાની
છે.
વરદાન :-
શક્તિશાળી
સેવા દ્વારા નિર્બળ માં બળ ભરવા વાળા સાચાં સેવાધારી ભવ
સાચાં સેવાધારી ની
વાસ્તવિક વિશેષતા છે-નિર્બળમાં બળ ભરવાનાં નિમિત્ત બનવું. સેવા તો બધાં કરે છે
પરંતુ સફળતામાં જે અંતર દેખાય છે તેનું કારણ છે સેવાનાં સાધનોમાં શક્તિ ની ખોટ. જેમ
તલવારમાં જો ધાર નથી તો તે તલવાર નું કામ નથી કરતી, એમ સેવાનાં સાધનોમાં જો યાદની
શક્તિનું બળ નથી તો સફળતા નથી એટલે શક્તિશાળી સેવાધારી બનો, નિર્બળ માં બળ ભરી
ક્વાલિટી (ગુણવત્તા) વાળી આત્માઓ નિકાળો ત્યારે કહેવાશે સાચાં સેવાધારી.
સ્લોગન :-
દરેક
પરિસ્થિતિને ઉડતી કળાનું સાધન સમજી સદા ઉડતા રહો.