20-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ધંધો
વગેરે કરતાં પણ સદા પોતાની ગોડલી સ્ટુડન્ટ લાઈફ ( ઈશ્વરીય વિદ્યાર્થી જીવન ) અને
સ્ટડી ( ભણતર ) યાદ રાખો , સ્વયં ભગવાન આપણને ભણાવે છે આ નશા માં રહો ”
પ્રશ્ન :-
જે બાળકોને
જ્ઞાન અમૃત હજમ (પચાવતાં) કરતાં આવડે છે, એમની નિશાની શું હશે?
ઉત્તર :-
એમને સદા રુહાની નશો ચઢેલો રહેશે અને એ નશાનાં આધાર પર બધાનું કલ્યાણ કરતાં રહેશે.
કલ્યાણ કરવાનાં સિવાય બીજી કોઈ વાત કરવી પણ એમને સારું નહીં લાગશે. કાંટા ને ફૂલ
બનાવવાની જ સેવામાં બીઝી (વ્યસ્ત) રહેશે.
ઓમ શાંતિ!
હમણાં આપ
બાળકો અહીંયા બેઠા છો અને આ પણ જાણો છો કે હમણાં આપણે પાર્ટધારી છીએ. ૮૪ જન્મો નું
ચક્ર પૂરું કર્યું છે. આ આપ બાળકોની સ્મૃતિ માં આવવું જોઈએ. જાણો છો કે બાબા આવેલાં
છે આપણને ફરી થી રાજ્ય પ્રાપ્ત કરાવવાં અથવા તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાં. આ
વાતો સિવાય બાપ નાં બીજું કોઈ નહિં સમજાવશે. તમે જ્યારે અહીંયા બેસો છો તો તમે જાણે
સ્કૂલમાં બેઠાં છો. બહાર છો તો સ્કૂલમાં નથી હોતાં. જાણો છો આ ઊંચે થી ઊંચી રુહાની
સ્કૂલ છે. રુહાની બાપ બેસીને ભણાવે છે. ભણવાનું તો બાળકોને યાદ આવવું જોઈએ ને. આ પણ
બાળક થયાં. આમને અથવા બધાને શિખવાડવા વાળા એ બાપ છે. બધી મનુષ્ય માત્રની આત્માઓનાં
બાપ એ છે. એ આવીને શરીરની લોન (ઉધાર) લઇને તમને સમજાવી રહ્યાં છે. રોજ સમજાવે છે,
અહીંયા જ્યારે બેસો છો તો બુદ્ધિમાં સ્મૃતિ રહેવી જોઈએ કે આપણે ૮૪ જન્મ લીધાં. આપણે
વિશ્વનાં માલિક હતાં, દેવી-દેવતા હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં આવીને પટ પર
પડ્યાં છીએ. ભારત કેટલો સોલવેન્ટ (સધ્ધર) હતો. બધી સ્મૃતિ આવી છે. ભારતની જ કથા છે
સાથે-સાથે પોતાની પણ. પોતાને પછી ભૂલી ન જાઓ. આપણે સ્વર્ગ માં રાજ્ય કરતાં હતાં પછી
આપણે ૮૪ જન્મ લેવાં પડ્યાં. આ આખો દિવસ સ્મૃતિમાં લાવવું પડે. ધંધો વગેરે કરતાં
ભણતર તો યાદ આવવું જોઈએ ને. કેવી રીતે આપણે વિશ્વનાં માલિક હતાં પછી આપણે નીચે
ઉતરતા આવ્યાં, ખૂબજ સહજ છે પરંતુ આ યાદ પણ કોઈને રહેતી નથી. આત્મા પવિત્ર ન હોવાનાં
કારણે યાદ ખસી જાય છે. આપણને ભગવાન ભણાવે છે આ યાદ ખસી જાય છે. આપણે બાબા નાં
સ્ટુડન્ટ છીએ. બાબા કહેતા રહે છે - યાદ ની યાત્રા પર રહો. બાપ આપણને ભણાવીને આ
બનાવી રહ્યાં છે. આખો દિવસ આ સ્મૃતિ આવતી રહે. બાપ જ સ્મૃતિ અપાવે છે, આ જ ભારત
હતું ને. આપણે સો દેવી-દેવતા હતાં, સો હવે અસુર બન્યાં છીએ. પહેલાં તમારી પણ બુદ્ધિ
આસુરી હતી. હવે બાપે ઈશ્વરીય બુદ્ધિ આપી છે. પરંતુ છતાં પણ કોઇ-કોઇની બુદ્ધિ માં
બેસતું નથી. ભૂલી જાય છે. બાપ કેટલો નશો ચઢાવે છે. તમે ફરીથી દેવતા બનો છો તો તે
નશો રહેવો જોઈએ ને. આપણે પોતાનું રાજ્ય લઇ રહ્યાં છીએ. આપણે પોતાનું રાજ્ય કરશું,
કોઈને તો બિલકુલ નશો ચઢતો નથી. જ્ઞાન અમૃત હજમ જ નથી થતું. જેમને નશો ચઢેલો હશે,
એમને કોઈનું કલ્યાણ કરવાનાં સિવાય બીજી કોઈ વાત કરવી પણ સારું નહીં લાગશે. ફૂલ
બનવાની સર્વિસ (સેવા) માં જ લાગેલા રહેશે. આપણે પહેલાં ફૂલ હતાં પછી માયાએ કાંટા
બનાવી દીધાં. હવે ફરી ફૂલ બનીએ છીએ. એવી-એવી વાતો પોતાનાં થી કરવી જોઈએ. આ નશામાં
રહી તમે કોઈને પણ સમજાવશો તો ઝટ કોઈને તીર લાગશે. ભારત ગાર્ડન ઓફ અલ્લાહ (ફૂલોનો
બગીચો) હતું. હવે પતિત બની ગયું છે. આપણે જ આખાં વિશ્વનાં માલિક હતાં, કેટલી મોટી
વાત છે! હમણાં ફરી આપણે શું બની ગયા છીએ! કેટલાં ઉતરી ગયાં! આપણું ઉતરવાનું અને
ચઢવાનું આ નાટક છે. આ કથા બાપ બેસી સંભળાવે છે. તે છે જુઠ્ઠી, આ છે સાચ્ચી. તેઓ
સત્યનારાયણની કથા સંભળાવે છે, સમજે થોડી છે કે અમે કેવી રીતે ચઢ્યા પછી કેવી રીતે
ઉતર્યા છીએ. આ બાપએ સાચી સત્યનારાયણની કથા સંભળાવી છે. રાજાઈ કેવી રીતે ગુમાવી, આ
બધું છે આપણા ઉપર. આત્માને હમણાં ખબર પડી છે કે આપણે કેવી રીતે હવે બાપ થી રાજાઈ લઇ
રહ્યા છીએ. બાપ અહીંયા પૂછે છે તો કહે છે-હાં, નશો છે પછી બહાર જવાથી કાંઈ પણ નશો
નથી રહેતો. બાળકો પોતે સમજે છે ભલે હાથ તો ઉઠાવે છે પરંતુ ચલન એવી છે જે નશો રહી
નથી શકતો. ફીલિંગ તો આવે છે ને.
બાપ બાળકોને સ્મૃતિ અપાવે છે - બાળકો, તમને મેં રાજાઈ આપી હતી પછી તમે ગુમાવી દીધી.
તમે નીચે ઉતરતા આવ્યાં છો કારણ કે આ નાટક છે ચઢવાનું અને ઉતરવાનું. આજે રાજા છે,
કાલે તેને ઉતારી દે છે. સમાચારમાં ખૂબ એવી-એવી વાતો આવે છે, જેનો રેસ્પોન્ડ
(પ્રતિઉત્તર) અપાય તો કંઈ સમજે. આ નાટક છે, આ યાદ રહે તો પણ સદૈવ ખુશી રહે. બુદ્ધિ
માં છે ને-આજ થી ૫ હજાર વર્ષ પહેલાં શિવબાબા આવ્યા હતાં, આવીને રાજયોગ શીખવાડ્યો
હતો. લડાઈ લાગી હતી. હમણાં આ બધી સત્ય વાતો બાપ સંભળાવે છે. આ છે પુરુષોત્તમ યુગ.
કળયુગ નાં પછી આ પુરુષોત્તમ યુગ આવે છે. કળયુગને પુરુષોત્તમ યુગ નહીં કહેશું. સતયુગ
ને પણ નહીં કહેશું. આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય કહે છે, એની વચ્ચેનો છે આ
સંગમયુગ, જ્યારે જૂની દુનિયા થી નવી દુનિયા બને છે. નવી થી જૂની થવામાં આખું ચક્ર
લાગી જાય છે. હમણાં છે સંગમયુગ. સતયુગમાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. હવે તે છે
નહીં. બાકી અનેક ધર્મ આવી ગયાં છે. આ તમારી બુદ્ધિમાં રહે છે. ઘણાં છે જે ૬-૮ મહિના
૧૨ મહિના ભણીને પછી પડી જાય છે. ફેલ (નપાસ) થઈ જાય છે. ભલે પવિત્ર બને છે પરંતુ
અભ્યાસ નથી કરતાં તો ફસાઈ જાય છે. ફક્ત પવિત્રતા પણ કામ નથી આવતી. એવાં ઘણાં
સન્યાસી પણ છે, તે સંન્યાસ ધર્મ છોડી જઈ ગૃહસ્થી બની જાય છે, લગ્ન વગેરે કરી લે છે.
તો હવે બાપ બાળકો ને સમજાવે છે-તમે સ્કૂલમાં બેઠા છો. આ સ્મૃતિમાં છે આપણે પોતાની
રાજાઈ કેવી રીતે ગુમાવી, કેટલાં જન્મ લીધાં. હવે ફરી બાપ કહે છે વિશ્વનાં માલિક
બનો. પાવન જરુર બનવાનું છે. જેટલું વધારે યાદ કરશો એટલાં પવિત્ર થતાં જશો કારણ કે
સોનામાં ખાદ પડી છે, તે નીકળે કેવી રીતે? આપ બાળકો ની બુદ્ધિમાં છે આપણે આત્માઓ
સતોપ્રધાન હતી, ૨૪ કેરેટ હતી પછી પડતાં-પડતાં આવી હાલત થઈ ગઈ છે. આપણે શું બની
ગયાં? બાપ તો એવું નથી કહેતાં કે હું શું હતો. તમે મનુષ્ય જ કહો છો અમે દેવતા હતાં.
ભારતની મહિમા તો છે ને. ભારતમાં કોણ આવે છે, શું જ્ઞાન આપે છે, આ કોઈ નથી જાણતું. આ
તો ખબર હોવી જોઈએ ને કે લિબરેટર (મુક્તિદાતા) ક્યારે આવે છે. ભારત પ્રાચીન ગવાયેલ
છે તો જરુર ભારતમાં જ રીઈનકારનેશન (પુનર્જન્મ) થતું હશે અથવા જયંતી પણ ભારતમાં જ
મનાવે છે. જરુર ફાધર (પિતા) અહીંયા આવે છે. કહે પણ છે ભાગીરથ. તો મનુષ્ય શરીરમાં
આવ્યાં હશે ને. પછી ઘોડાગાડી પણ દેખાડી છે. કેટલો ફરક છે. કૃષ્ણ અને રથ દેખાડે છે.
મારી કોઈને ખબર જ નથી. હમણાં તમે સમજો છો બાબા આ રથ પર આવે છે, આને જ ભાગ્યશાળી રથ
કહેવાય છે. બ્રહ્મા સો વિષ્ણુ, ચિત્રમાં કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. ત્રિમૂર્તિ ની
ઉપર શિવ, આ શિવ નો પરિચય કોણે આપ્યો. બાબા એ જ બનાવડાવ્યું ને. હમણાં તમે સમજો છો
બાબા આ બ્રહ્મા રથમાં આવ્યાં છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ પણ
બાળકોને સમજાવ્યું છે, ક્યાં ૮૪ જન્મનાં પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે, ક્યાં
બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડ માં. વન્ડરફુલ વાતો છે ને બુદ્ધિમાં ધારણ કરવાની.
પહેલાં-પહેલાં સમજાવવાનો હોય છે બાપ નો પરિચય. ભારત સ્વર્ગ હતું જરુર. હેવનલી
ગોડફાધર (પરમપિતા પરમાત્મા) એ સ્વર્ગ બનાવ્યું હશે. આ ચિત્ર તો ખુબ સરસ છે,
સમજાવવાનો શોખ રહે છે ને. બાપને પણ શોખ છે. તમે સેવાકેન્દ્ર પર પણ આમ સમજાવતાં રહો
છો. અહીંયા તો ડાયરેક્ટ બાપ છે. બાપ આત્માઓને બેસી સમજાવે છે. આત્માઓનાં સમજાવવામાં
અને બાપનાં સમજાવવામાં ફરક તો જરુર રહે છે એટલે અહીંયા સમ્મુખ આવે છે સાંભળવા માટે.
બાપ જ ઘડી-ઘડી બાળકો-બાળકો કહે છે. ભાઈ-ભાઈ ની એટલી અસર નથી રહેતી જેટલી બાપની રહે
છે. અહીંયા તમે બાપનાં સમ્મુખ બેઠાં છો. આત્માઓ અને પરમાત્મા મળે છે તો એને મેળો
કહેવાય છે. બાપ સમ્મુખ બેસી સમજાવે છે તો ખૂબ નશો ચઢે છે. સમજે છે બેહદનાં બાપ કહે
છે, અમે તેમનું નહીં માનશું! બાપ કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યા હતાં પછી તમે
૮૪ જન્મ લેતાં-લેતાં પતિત બન્યાં છો. પછી તમે પાવન નહીં બનશો! આત્માઓને કહે છે. કોઈ
સમજે છે, બાબા સાચું કહે છે, કોઈ તો ઝટ કહે બાબા અમે પવિત્ર કેમ નહીં બનશું!
બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તમે સાચું સોનું બની જશો. હું બધાનો
પતિત-પાવન બાપ છું તો બાપનાં સમજાવવામાં અને આત્માઓનાં (બાળકોનાં ) સમજાવવા માં
કેટલો ફરક છે. સમજો કોઈ નવું આવી જાય છે, એમાં પણ જે અહીં નું ફૂલ હશે તો એમને ટચ
(સ્પર્શ) થશે. આ કહે ઠીક છે. જે અહીંયા નાં નહીં હોય તો સમજશે નહીં. તો તમે પણ
સમજાવો આપણી આત્માઓનાં બાપ કહે છે તમે પાવન બનો. મનુષ્ય પાવન બનવા માટે ગંગાસ્નાન
કરે છે, ગુરુ કરે છે. પરંતુ પતિત-પાવન તો બાપ જ છે. બાપ આત્માઓને કહે છે કે તમે
કેટલા પતિત બની ગયાં છો એટલે આત્મા યાદ કરે છે કે આવી ને પાવન બનાવો. બાપ કહે છે
હું કલ્પ-કલ્પ આવું છું, આપ બાળકોને કહું છું આ અંતિમ જન્મ પવિત્ર બનો. આ રાવણ
રાજ્ય ખતમ થવાનું છે. મુખ્ય વાત છે જ પાવન બનવાની. સ્વર્ગમાં વિષ હોતું નથી. જ્યારે
કોઈ આવે છે તો તેમને આ સમજાવો કે બાપ કહે છે-પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો
તો પાવન બની જશો, ખાદ નીકળી જશે. મનમનાભવ અક્ષર યાદ છે ને. બાપ નિરાકાર છે આપણે
આત્મા પણ નિરાકાર છીએ. જેમ આપણે શરીર દ્વારા સાંભળીએ છે, બાપ પણ આ શરીર માં આવી ને
સમજાવે છે. નહીં તો કેવી રીતે કહે કે મામેકમ યાદ કરો. દેહનાં સર્વ સંબંધ છોડો. જરુર
અહીંયા આવે છે, બ્રહ્મામાં પ્રવેશ કરે છે. પ્રજાપિતા હવે પ્રેક્ટિકલમાં છે, આમનાં
દ્વારા આપણને બાપ એવું કહે છે, આપણે બેહદનાં બાપનું જ માનીએ છીએ. એ કહે છે પાવન
બનો. પતિતપણું છોડો. જૂનાં દેહનાં અભિમાનને છોડો. મને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ
જશે, તમે લક્ષ્મી-નારાયણ બની જશો.
બાપ થી બેમુખ કરવાવાળો મુખ્ય અવગુણ છે - એકબીજા નું પરચિંતન કરવું. ઇવિલ (ખરાબ)
વાતો સાંભળવી અને સંભળાવી. બાપનું ડાયરેક્શન છે તમારે ઈવિલ વાતો સાંભળવાની નથી.
આમની વાત એમને, એમની વાત આમને સંભળાવવી આ ધૂતીપણું આપ બાળકોમાં ન હોવું જોઈએ. આ
સમયે દુનિયામાં બધાં વિપરીત બુદ્ધિ છે ને. સિવાય રામ નાં બીજી કોઈ વાત સંભળાવવી,
આને ધૂતીપણું કહેવાય છે. હવે બાપ કહે છે-આ ધૂતીપણું છોડો. તમે બધી આત્માઓને બતાવો
કે હેં સીતાઓ તમે એક રામથી યોગ લગાવો. તમે છો મેસેન્જર (સંદેશવાહક), આ સંદેશ આપો કે
બાપએ કહ્યું છે મને યાદ કરો, બસ. આ વાતનાં સિવાય બાકી બધું છે ધૂતીપણું. બાપ બધાં
બાળકોને કહે છે-ધૂતીપણું છોડી દો. બધી સીતાઓનો એક રામ થી યોગ જોડાવો. તમારો ધંધો જ
આ છે. બસ, આ પૈગામ (સંદેશ) આપતા રહો. બાપ આવેલાં છે, કહે છે તમારે ગોલ્ડન એજ
(સ્વર્ણિમયુગ) માં જવાનું છે. હવે આ આયરન એજ (કળયુગ) ને છોડવાનું છે. તમને વનવાસ
મળેલો છે, જંગલમાં બેઠાં છો ને. વન જંગલને કહેવાય છે. કન્યાનાં જ્યારે લગ્ન થાય છે
તો વનમાં બેસે છે પછી મહેલમાં જાય છે. તમે પણ જંગલમાં બેઠાં છો. હવે સાસર ઘરે
જવાનું છે, આ જૂનાં દેહને છોડવાનું છે. એક બાપને યાદ કરો. જેમની વિનાશકાળે પ્રીત
બુદ્ધિ છે તે તો મહેલમાં જશે, બાકી વિપરીત નો છે વનવાસ. જંગલ માં વાસ છે. બાપ આપ
બાળકોને ભિન્ન-ભિન્ન રીતે સમજાવે છે. જે બાપ થી આટલી બેહદની બાદશાહી લીધી છે, એમને
ભૂલી ગયા છો તો વનવાસ માં ચાલ્યા ગયાં છો. વનવાસ અને ગાર્ડન વાસ. બાપનું નામ જ છે
બાગવાન. પરંતુ જ્યારે કોઈની બુદ્ધિ માં આવે. ભારતમાં જ આપણું રાજ્ય હતું. હમણાં છે
નહીં. હમણાં તો વનવાસ છે. પછી ગાર્ડન માં જઈએ છીએ. તમે અહીંયા બેઠાં છો તો પણ
બુદ્ધિમાં છે-અમે બેહદનાં બાપ થી પોતાનું રાજ્ય લઈ રહ્યાં છીએ. બાપ કહે છે મારી
સાથે પ્રીત રાખો તો પણ ભૂલી જાઓ છો. બાપ ઉલ્હના (ફરિયાદ) આપે છે-તમે મુજ બાપ ને
ક્યાં સુધી ભૂલતાં રહેશો. પછી સ્વર્ણિમયુગ માં કેવી રીતે જશો. પોતાને પૂછો અમે
કેટલો સમય બાબા ને યાદ કરીએ છીએ? આપણે જેમ કે યાદની અગ્નિમાં પડ્યાં છીએ, જેનાથી
વિકર્મ વિનાશ થાય છે. એક બાપ થી પ્રીત બુદ્ધિ થવાનું છે. સૌથી ફર્સ્ટક્લાસ માશૂક છે
જે તમને પણ ફર્સ્ટક્લાસ બનાવે છે. ક્યાં થર્ડ ક્લાસ માં બકરીઓ માફક યાત્રા કરવી,
ક્યાં એરકન્ડિશન માં. કેટલો ફરક છે. આ બધું વિચાર સાગર મંથન કરવાનું છે તમને મજા
આવશે. આ બાબા પણ કહે છે હું પણ બાબા ને યાદ કરવા માટે ખુબ માથું મારું છું. આખો
દિવસ વિચાર ચાલતો રહે છે. આપ બાળકોએ પણ આ જ મહેનત કરવાની છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈને પણ
એક રામ (બાપ) ની વાતોનાં સિવાય બીજી કોઈ પણ વાતો નથી સંભળાવવાની. એક ની વાત બીજાને
સંભળાવવી, પરચિંતન કરવું આ ધૂતીપણું છે, તેને છોડી દેવાનું છે.
2. એક બાપની સાથે
પ્રીત રાખવાની છે. જૂનાં દેહનું અભિમાન છોડી એક બાપની યાદથી સ્વયંને પાવન બનાવવાનું
છે.
વરદાન :-
અલૌકિક નશાની
અનુભૂતિ દ્વારા નિશ્ચય નો પ્રમાણ આપવાવાળા સદા વિજયી ભવ
અલૌકિક રુહાની નશો
નિશ્ચયનું દર્પણ છે. નિશ્ચયનું પ્રમાણ છે નશો અને નશા નું પ્રમાણ છે ખુશી. જે સદા
ખુશી અને નશામાં રહે છે એમની સામે માયાની કોઈ પણ ચાલ ચાલી નથી શકતી. બેફિકર
બાદશાહની બાદશાહી ની અંદર માયા આવી નથી શકતી. અલૌકિક નશો સહજ જ જૂનાં સંસાર અથવા
જૂનાં સંસ્કાર ભૂલાવી દે છે એટલે સદા આત્મિક સ્વરુપનાં નશામાં, અલૌકિક જીવનનાં નશા
માં, ફરિશ્તા પણા નાં નશા માં અથવા ભવિષ્યનાં નશા માં રહો તો વિજયી બની જશો.
સ્લોગન :-
મધુરતાનો ગુણ
જ બ્રાહ્મણ જીવન ની મહાનતા છે, એટલે મધુર બનો અને મધુર બનાવો.