26-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સદા આ જ નશામાં રહો કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ , આપણે જાણીએ છીએ જે બાબા ને બધાં પોકારી રહ્યાં છે , એ આપણા સમ્મુખ છે ”

પ્રશ્ન :-
જે બાળકોનો બુદ્ધિયોગ ઠીક હશે, એમને કયો સાક્ષાત્કાર થતો રહેશે?

ઉત્તર :-
સતયુગી નવી રાજધાની માં શું-શું હશે, કેવી રીતે આપણે સ્કૂલમાં ભણશું પછી રાજ્ય ચલાવશું. આ બધો સાક્ષાત્કાર જેમ-જેમ નજીક આવતા જશો, થતો રહેશે. પરંતુ જેમનો બુદ્ધિયોગ ઠીક છે, જે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને યાદ કરે છે, ધંધો ઘોરી કરતાં પણ એક બાપ ની યાદ માં રહે છે, એમને જ આ બધાં સાક્ષાત્કાર થશે.

ગીત :-
ઓમ નમો શિવાય ………….

ઓમ શાંતિ!
ભક્તિ માર્ગમાં બીજા જે પણ સતસંગ હોય છે, એમાં તો બધાં ગયા હશે. ત્યાં કા તો કહેશે બોલો બધાં વાહ ગુરુ કે રામનું નામ બતાવશે. અહીંયા બાળકોને કંઈ કહેવાની પણ જરૂર નથી રહેતી. એક જ વખત કહી દીધું છે, ઘડી-ઘડી કહેવાની દરકાર નથી. બાપ પણ એક છે, એમનું કહેવાનું પણ એક જ છે. શું કહે છે? બાળકો મામેકમ યાદ કરો. પહેલાં શીખીને પછી આવીને અહીંયા બેસે છે. આપણે જે બાપનાં બાળક છીએ તેમને યાદ કરવાનાં છે. આ પણ તમેં હમણાં બ્રહ્મા દ્વારા જાણ્યું છે કે આપણે બધી આત્માઓનાં બાપ એ એક છે. દુનિયા આ નથી જાણતી. તમે જાણો છો આપણે બધાં એ એક બાપ નાં બાળકો છીએ, એમને બધાં ગોડ ફાધર (પરમપિતા) કહે છે. હવે ફાધર કહે છે હું આ સાધારણ તનમાં તમને ભણાવવા આવું છું. તમે જાણો છો બાબા આમનામાં આવ્યાં છે, આપણે એમનાં બન્યા છીએ. બાબા જ આવીને પતિત થી પાવન થવાનો રસ્તો બતાવે છે. આ આખો દિવસ બુદ્ધિ માં રહે છે. આમ તો શિવબાબાનાં સંતાન તો બધાં છે પરંતુ તમે જાણો છો બીજું કોઈ નથી જાણતું. આપ બાળકો સમજો છો આપણે આત્મા છીએ, આપણને બાપે ફરમાન કર્યું છે કે મને યાદ કરો. હું તમારો બેહદ નો બાપ છું. બધાં બૂમો પાડતા રહે છે કે પતિત-પાવન આવો, અમે પતિત બન્યા છીએ. આ દેહ નથી કહેતું. આત્મા આ શરીર દ્વારા કહે છે. ૮૪ જન્મ પણ આત્મા લે છે ને. આ બુદ્ધિમાં રહેવું જોઈએ કે આપણે એક્ટર્સ છીએ. બાબાએ આપણને હવે ત્રિકાળદર્શી બનાવ્યાં છે. આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપ્યું છે. બાપને જ બધાં બોલાવે છે ને. હમણાં પણ તેઓ કહેશે, કહેતાં રહે છે કે આવો અને તમે સંગમયુગી બ્રાહ્મણ કહો છો બાબા આવેલાં છે. આ સંગમયુગ ને પણ તમે જાણો છો, આ પુરુષોત્તમ યુગ ગવાય છે. પુરુષોત્તમ યુગ હોય જ છે કળયુગનાં અંત અને સતયુગનાં આદિનાં વચમાં. સતયુગમાં સત પુરુષ, કળયુગમાં જુઠ્ઠા પુરુષ રહે છે. સતયુગમાં જે થઈને ગયા છે, એમનાં ચિત્ર છે. સૌથી જૂનામાં જૂનાં આ ચિત્ર છે, આનાથી જૂનાં ચિત્ર કોઈ હોતાં નથી. આમ તો બહુજ મનુષ્ય ફાલતુ ચિત્ર બેસીને બનાવે છે. આ તમે જાણો છો કોણ-કોણ થઈને ગયા છે. જેમાં નીચે અંબા નું ચિત્ર બનાવ્યું છે અથવા કાળી નું ચિત્ર છે, તો એવી ભૂજાઓ વાળી થોડી હોઈ શકે છે. અંબા ને પણ બે ભુજાઓ હશે ને. મનુષ્ય તો જઈને હાથ જોડી પૂજા કરે છે. ભક્તિમાર્ગમાં અનેક પ્રકારનાં ચિત્રો બનાવેલાં છે. મનુષ્યનાં ઉપર જ ભિન્ન-ભિન્ન પ્રકાર ની સજાવટ કરે છે તો રુપ બદલાઈ જાય છે. આ ચિત્ર વગેરે વાસ્તવમાં કોઈ છે નહીં. આ બધું છે ભક્તિમાર્ગ. અહીંયા તો મનુષ્ય લુલા-લંગડા નીકળી પડે છે. સતયુગમાં એવાં નથી હતાં. સતયુગ ને પણ તમે જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. અહીંયા તો ડ્રેસ જુઓ દરેકની પોત-પોતાની કેટલી વેરાઈટી (વિવિધતા) છે. ત્યાં તો યથા રાજા રાણી તથા પ્રજા હોય છે. જેટલા નજીક થતાં જશો તો તમને પોતાની રાજધાનીનાં ડ્રેસ વગેરેનો પણ સાક્ષાત્કાર થતો રહેશે. જોતાં રહેશો અમે આમ સ્કૂલમાં ભણીએ છીએ, આ કરીએ છીએ. જોશે પણ તે જેમનો બુદ્ધિયોગ સારો છે. પોતાનાં શાંતિધામ-સુખધામ ને યાદ કરે છે. ધંધોધોરી તો કરવાનો જ છે. ભક્તિમાર્ગમાં પણ ધંધો વગેરે તો કરે છે ને. જ્ઞાન કાંઈ પણ નહોતું. આ બધી છે ભક્તિ. એને કહેશું ભક્તિ નું જ્ઞાન. તેઓ આ જ્ઞાન આપી ન શકે કે તમે વિશ્વનાં માલિક કેવી રીતે બનશો. હમણાં તમે અહીંયા ભણીને ભવિષ્ય વિશ્વનાં માલિક બનો છો. તમે જાણો છો આ ભણતર છે જ નવી દુનિયા, અમરલોક નાં માટે. બાકી કોઈ અમરનાથ પર શંકરે પાર્વતીને અમરકથા નથી સંભળાવી. તેઓ તો શિવ-શંકર ને મળાવી દે છે.

હમણાં બાપ આપ બાળકોને સમજાવી રહ્યાં છે, આ પણ સાંભળે છે. બાપ વગર સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય કોણ સમજાવી શકશે. આ કોઈ સાધુ-સંત વગેરે નથી. જેમ તમે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં હતાં, તેમ આ પણ. ડ્રેસ વગેરે બધું એ જ છે. જેમ ઘરમાં મા-બાપ બાળકો હોય છે, ફરક કાંઈ નથી. બાપ આ રથ પર સવાર થઇ આવે છે બાળકો ની પાસે. આ ભાગ્યશાળી રથ ગવાય છે. ક્યારેક બળદ પર સવારી પણ દેખાડે છે. મનુષ્યો એ ઊલટું સમજી લીધું છે. મંદિરમાં ક્યારેય બળદ હોઈ શકે છે શું? કૃષ્ણ તો છે પ્રિન્સ (રાજકુમાર), તે થોડી બળદ પર બેસશે. ભક્તિમાર્ગમાં મનુષ્ય ખુબ મૂંઝાયેલા છે. મનુષ્યોને છે ભક્તિમાર્ગ નો નશો. તમને છે જ્ઞાન માર્ગ નો નશો. તમે કહો છો આ સંગમ પર બાબા અમને ભણાવી રહ્યા છે. તમે છો આ દુનિયામાં પરંતુ બુદ્ધિ થી જાણો છો અમે બ્રાહ્મણ સંગમયુગ પર છીએ. બાકી બધાં મનુષ્ય કળયુગ માં છે. આ અનુભવની વાતો છે. બુદ્ધિ કહે છે આપણે કળયુગ થી હવે નીકળી આવ્યાં છીએ. બાબા આવેલાં છે. આ જૂની દુનિયા જ બદલવાની છે. આ તમારી બુદ્ધિમાં છે, બીજું કોઈ નથી જાણતું. ભલે એક જ ઘરમાં રહેવા વાળા છે, એક જ પરિવાર નાં છે, એમાં પણ બાપ કહેશે અમે સંગમયુગી છીએ, બાળક કહેશે નહીં, હું કળયુગ માં છું. વન્ડર છે ને. બાળકો જાણે છે - આપણું ભણતર પૂરું થશે તો વિનાશ થશે. વિનાશ થવો જરૂરી છે. તમારામાં પણ કોઇ જાણે છે, જો આ સમજે દુનિયા વિનાશ થવાની છે તો નવી દુનિયાનાં માટે તૈયારી માં લાગી જાય. બેગ-બેગેજ તૈયાર કરી લે. બાકી થોડો સમય છે, બાબાનાં તો બની જઈએ. ભૂખે મરશે તો પણ પહેલાં બાબા પછી બાળકો. આ તો બાબા નો ભંડારો છે. તમે શિવબાબા નાં ભંડારા થી ખાઓ છો. બ્રાહ્મણ ભોજન બનાવે છે એટલે બ્રહ્મા ભોજન કહેવાય છે. જે પવિત્ર બ્રાહ્મણ છે, યાદ માં રહીને બનાવે છે, સિવાય બ્રાહ્મણોનાં શિવબાબા ની યાદમાં કોઈ રહી નથી શકતું. તે બ્રાહ્મણ થોડી શિવબાબા ની યાદ માં રહે છે. શિવબાબા નો ભંડારો આ છે, જ્યાં બ્રાહ્મણ ભોજન બનાવે છે. બ્રાહ્મણ યોગમાં રહે છે. પવિત્ર તો છે જ. બાકી છે યોગની વાત. આમાં જ મહેનત લાગે છે. ગપોડા ચાલી ન શકે. એવું કોઈ કહી ન શકે કે હું સંપૂર્ણ યોગમાં છું કે ૮૦ ટકા યોગમાં છું. કોઈ પણ કહી ન શકે. જ્ઞાન પણ જોઈએ. આપ બાળકોમાં યોગી તે છે જે પોતાની દૃષ્ટી થી જ કોઈને શાંત કરી દે. આ પણ તાકાત છે. એકદમ સન્નાટો થઈ જશે, જ્યારે તમે અશરીરી બની જાઓ છો પછી બાપ ની યાદ માં રહો છો તો આ જ સાચી યાદ છે. ફરી થી આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. જેમ તમે અહીંયા યાદમાં બેસો છો, આ પ્રેક્ટિસ કરાવાય છે. તો પણ બધાં કોઈ યાદમાં રહેતાં નથી. ક્યાંક-ક્યાંક બુદ્ધિ ભાગતી રહે છે. તો તે પછી નુકસાન કરી લે છે. અહીંયા સંદલી પર બેસાડવા એમને જોઈએ જે સમજે અમે ડ્રીલ શિક્ષક છીએ. બાપ ની યાદ માં સામે બેઠાં છીએ. બુદ્ધિયોગ બીજી કોઈ તરફ ન જાય. સન્નાટો થઈ જશે. તમે અશરીરી બની જાઓ છો અને બાપ ની યાદ માં રહો છો. આ છે સાચી યાદ. સન્યાસી પણ શાંતિ માં બેસે છે, તે કોની યાદમાં રહે છે? તે કોઈ રીયલ (સાચી) યાદ નથી. કોઈને ફાયદો નથી આપી શકતાં. તેઓ સૃષ્ટિને શાંત નથી કરી શકતાં. બાપ ને જાણતાં જ નથી. બ્રહ્મને જ ભગવાન સમજતાં રહે. એ તો છે નહીં. હમણાં તમને શ્રીમત મળે છે-મામેકમ યાદ કરો. તમે જાણો છો આપણે ૮૪ જન્મ લઈએ છે. દરેક જન્મમાં થોડી-થોડી કળા ઓછી થતી જાય છે. જેમ ચંદ્રમાની કળા ઓછી થતી જાય છે. જોવાથી એટલી ખબર થોડી પડે છે. હમણાં કોઈ પણ સંપૂર્ણ નથી બન્યાં. આગળ જઈ તમને સાક્ષાત્કાર થશે. આત્મા કેટલી નાની છે. એનો પણ સાક્ષાત્કાર થઈ શકે છે. નહીં તો બાળકીઓ કેવી રીતે બતાવે છે કે આમનામાં લાઈટ (પ્રકાશ) ઓછી છે, આમનામાં વધારે છે. દિવ્ય દૃષ્ટિથી જ આત્માને જોવે છે. આ પણ બધું ડ્રામામાં નોંધ છે. મારા હાથ માં કાંઈ નથી. ડ્રામા મારાથી કરાવે છે, આ બધું ડ્રામા અનુસાર ચાલતું રહે છે. ભોગ વગેરે આ બધું ડ્રામામાં નોંધ છે. સેકન્ડ પછી સેકન્ડ એક્ટ થાય છે.

હમણાં બાપ શિક્ષા આપે છે કે પાવન કેવી રીતે બનવાનું છે. બાપ ને યાદ કરવાનાં છે. કેટલી નાની આત્મા છે જે પતિત બની છે ફરી પાવન બનવાની છે. વન્ડરફુલ વાત છે ને. કુદરત કહે છે ને. બાપ થી તમે બધી કુદરતી વાતો સાંભળો છો. સૌથી કુદરતી વાત છે-આત્મા અને પરમાત્મા ની, જે કોઈ નથી જાણતું. ઋષિ-મુનિ વગેરે કોઈ પણ નથી જાણતું. આટલી નાની આત્મા જ પથ્થરબુદ્ધિ પછી પારસબુદ્ધિ બને છે. બુદ્ધિમાં આ જ ચિંતન ચાલતું રહે કે અમે આત્મા પથ્થરબુદ્ધિ બન્યાં હતાં, હવે ફરી બાપ ને યાદ કરી પારસબુદ્ધિ બની રહ્યાં છીએ. લૌકિક રીતે તો બાપ પણ મોટા પછી શિક્ષક ગુરુ પણ મોટા મળે છે. આ તો એક જ બિંદી બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. આખો કલ્પ દેહધારી ને યાદ કર્યા છે. હવે બાપ કહે છે-મામેકમ યાદ કરો. તમારી બુદ્ધિને કેટલી મહીન (સૂક્ષ્મ) બનાવે છે. વિશ્વનાં માલિક બનવું-કાંઈ ઓછી વાત છે શું! આ પણ કોઇ વિચાર નથી કરતાં કે આ લક્ષ્મી-નારાયણ સતયુગનાં માલિક કેવી રીતે બન્યાં. તમે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. નવું કોઈ આ વાતોને સમજી ન શકે. પહેલાં મોટા રુપ થી સમજો પછી સુક્ષ્મતા થી સમજાવાય છે. બાપ છે બિંદી, તેઓ પછી એટલાં મોટા-મોટા લિંગ રુપ બનાવી દે છે. મનુષ્યોનાં પણ બહુ જ મોટા-મોટા ચિત્ર બનાવે છે. પરંતુ એવું છે નહીં. મનુષ્યનાં શરીર તો આ જ હોય છે. ભક્તિમાર્ગમાં શું-શું બેસીને બનાવ્યું છે. મનુષ્ય કેટલાં મૂંઝાયેલા છે. બાપ કહે છે જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું તે પાછું થશે. હમણાં તમે બાપની શ્રીમત પર ચાલો. આમને પણ બાબાએ શ્રીમત આપી, સાક્ષાત્કાર કરાવ્યો ને. તમને હું બાદશાહી આપું છું, હવે આ સર્વિસ (સેવા) માં લાગી જાઓ. પોતાનો વારસો લેવાનો પુરુષાર્થ કરો. આ બધું છોડી દો. તો આ પણ નિમિત્ત બન્યાં. બધાં તો આમ નિમિત્ત નથી બનતાં, જેમને નશો ચઢ્યો તો આવીને બેસી ગયાં. અમને તો રાજાઈ મળે છે. પછી આ પાઈ પૈસા શું કરશું. તો હવે બાપ બાળકોને પુરુષાર્થ કરાવે છે, રાજધાની સ્થાપન થઈ રહી છે, કહે પણ છે અમે લક્ષ્મી-નારાયણ થી ઓછાં નહીં બનશું. તો શ્રીમત પર ચાલીને દેખાડો. ચૂં ચાં નહિં કરો. બાબાએ થોડી કહ્યું-બાળ-બચ્ચાઓ ની શું હાલત થશે. એક્સિડન્ટ (અકસ્માત) માં અચાનક કોઇ મરી જાય છે તો કોઈ ભૂખ્યું રહે છે શું. કોઈને કોઈ મિત્ર-સંબંધી વગેરે આપે છે ખાવા માટે. અહીંયા જુઓ બાબા જૂની ઝૂંપડીમાં રહે છે. આપ બાળકો આવીને મહેલો માં રહો છો. બાપ કહેશે બાળકો સારી રીતે રહે, ખાએ, પીવે. જે કાંઈ પણ નથી લઇ આવ્યાં તેમને પણ બધું જ સારી રીતે મળે છે. આ બાબા થી પણ સારી રીતે રહે છે. શિવબાબા કહે છે હું તો છું જ રમતાયોગી. કોઈનું પણ કલ્યાણ કરવા જઈ શકું છું. જે જ્ઞાની બાળકો છે તે ક્યારેય સાક્ષાત્કાર વગેરે ની વાતો માં ખુશ નહીં થશે. સિવાય યોગનાં બીજું કાંઈ પણ નહીં. આ સાક્ષાત્કાર ની વાતોમાં ખુશ નહીં થતાં. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગની એવી સ્થિતિ બનાવવાની છે જે દૃષ્ટિ થી જ કોઈને શાંત કરી દો. એકદમ સન્નાટો થઈ જાય. એનાં માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે.

2. જ્ઞાનનાં સાચાં નશામાં રહેવા માટે યાદ રહે કે આપણે સંગમયુગી છીએ, હવે આ જૂની દુનિયા બદલાવાની છે, આપણે પોતાનાં ઘરે જઈ રહ્યાં છીએ. શ્રીમત પર સદા ચાલતા રહેવાનું છે, ચૂં ચાં નથી કરવાનું.

વરદાન :-
લક્ષ નાં પ્રમાણે લક્ષણ નાં બેલેન્સ ( સંતુલન ) ની કળા દ્વારા ચઢતી કળાનો અનુભવ કરવા વાળા બાપ સમાન સંપન્ન ભવ

બાળકોમાં વિશ્વ કલ્યાણની કામના પણ છે તો બાપ સમાન બનવાની શ્રેષ્ઠ ઈચ્છા પણ છે, પરંતુ લક્ષ નાં પ્રમાણે જે લક્ષણ સ્વયં ને કે સર્વ ને દેખાઈ આવે એમાં અંતર છે એટલે બેલેન્સ કરવાની કળા હવે ચઢતી કળામાં લાવીને આ અંતરને મટાવો. સંકલ્પ છે પરંતુ દૃઢતા સંપન્ન સંકલ્પ હોય તો બાપ સમાન સંપન્ન બનવાનું વરદાન પ્રાપ્ત થઇ જશે. હમણાં જે સ્વદર્શન અને પરદર્શન બન્ને ચક્ર ફરે છે, વ્યર્થ વાતો નાં જે ત્રિકાળદર્શી બની જાઓ છો-તેનું પરિવર્તન કરી સ્વચિંતક સ્વદર્શન ચક્રધારી બનો.

સ્લોગન :-
સેવાનું ભાગ્ય પ્રાપ્ત થવું જ સૌથી મોટું ભાગ્ય છે.