28-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - દેહી
- અભિમાની બની બાપ ને યાદ કરો તો યાદ નું બળ જમા થશે , યાદનાં બળ થી તમે આખાં વિશ્વ
નું રાજ્ય લઈ શકો છો ”
પ્રશ્ન :-
કઈ વાત આપ
બાળકોનાં સંકલ્પ-સ્વપ્ન માં પણ નહોતી, જે પ્રત્યક્ષ થઈ છે?
ઉત્તર :-
તમારા સંકલ્પ સ્વપ્નમાં પણ નહોતું કે અમે ભગવાન થી રાજયોગ શીખી ને વિશ્વનાં માલિક
બનશું. રાજાઈ નાં માટે ભણતર ભણીશું. હમણાં તમને અથાહ ખુશી છે કે સર્વશક્તિમાન બાપ
થી બળ લઈને અમે સતયુગી સ્વરાજ્ય અધિકારી બનીએ છીએ.
ઓમ શાંતિ!
અહીંયા બાળકીઓ
બેસે છે અભ્યાસ માટે. વાસ્તવમાં અહીંયા (સંદલી પર) બેસવું એમણે જોઈએ જે
દેહી-અભિમાની બની બાપ ની યાદ માં બેસે. જો યાદમાં નથી બેસતાં તો તે ટીચર (શિક્ષક)
કહી નથી શકતાં. યાદમાં શક્તિ રહે છે, જ્ઞાનમાં શક્તિ નથી. આને જ કહેવાય જ છે-યાદ
નું બળ. યોગબળ સન્યાસીઓ નો અક્ષર છે. બાપ અઘરા અક્ષર કામમાં નથી લાવતાં. બાપ કહે છે
બાળકો હવે બાપ ને યાદ કરો. જેમ નાનાં બાળકો માઁ-બાપ ને યાદ કરે છે ને. તે તો
દેહધારી છે. આપ બાળકો છો વિચિત્ર. આ ચિત્ર અહીંયા તમને મળે છે. તમે રહેવાવાળા
વિચિત્ર દેશનાં છો. ત્યાં ચિત્ર હોતું નથી. પહેલાં-પહેલાં આ પાકું કરવાનું છે-આપણે
તો આત્મા છીએ એટલે બાપ કહે છે-બાળકો, દેહી-અભિમાની બનો, પોતાને આત્મા નિશ્ચય કરો.
તમે નિર્વાણદેશ થી આવ્યાં છો. તે આપ બધી આત્માઓનું ઘર છે. અહીંયા પાર્ટ બજાવવાં આવો
છો. પહેલાં-પહેલાં કોણ આવે છે? આ પણ તમારી બુદ્ધિમાં છે. દુનિયામાં કોઈ નથી જેમને આ
જ્ઞાન હોય. હવે બાપ કહે છે શાસ્ત્ર વગેરે જે કંઈ વાંચો છો તે બધું ભૂલી જાઓ. કૃષ્ણ
ની મહિમા, ફલાણા ની મહિમા કેટલી કરે છે. ગાંધીની પણ કેટલી મહિમા કરે છે. જાણે કે તે
રામરાજ્ય સ્થાપન કરીને ગયાં છે. પરંતુ શિવ ભગવાનુવાચ આદિ સનાતન રાજા-રાણીનાં
રાજ્યનાં જે કાયદા હતાં, બાપે રાજ્યોગ શીખવાડી ને રાજા-રાણી બનાવ્યાં, એ ઈશ્વરીય
રીત-રિવાજ ને પણ તોડી નાખ્યાં. કહ્યું રાજાઈ નથી જોઈતી, અમને પ્રજાનું પ્રજા પર
રાજ્ય જોઈએ. હવે એમની શું હાલત થઈ! દુઃખ જ દુઃખ, લડતાં-ઝઘડતાં રહે છે. અનેક મતો થઈ
ગઈ છે. હમણાં આપ બાળકો શ્રીમત પર રાજ્ય લો છો. આટલી તમારામાં તાકાત રહે છે જે ત્યાં
લશ્કર વગેરે હોતાં નથી. ડરવાની કોઈ વાત નથી. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું,
અદ્વેત રાજ્ય હતું. બે હતાં જ નહી જે તાળી વાગે. તેને કહેવાય જ છે-અદ્વૈત રાજ્ય. આપ
બાળકોને બાપ દેવતા બનાવે છે. પછી દ્વૈત થી દૈત્ય બની જાઓ છો રાવણ દ્વારા. હમણાં આપ
બાળકો જાણો છો આપણે ભારતવાસી આખા વિશ્વનાં માલિક હતાં. તમને વિશ્વનું રાજ્ય ફક્ત
યાદબળ થી જ મળ્યું હતું. હવે ફરી મળી રહ્યું છે. કલ્પ-કલ્પ મળે છે, ફક્ત યાદનાં
બળથી. ભણતરમાં પણ બળ છે. જેમ બૅરીસ્ટર બને છે તો બળ છે ને. તે છે પાઈ-પૈસાનું બળ.
તમે યોગબળ થી વિશ્વ પર રાજ્ય કરો છો. સર્વશક્તિમાન બાપ થી બળ મળે છે. તમે કહો
છો-બાબા, અમે કલ્પ-કલ્પ તમારા થી સતયુગનું સ્વરાજ્ય લઈએ છીએ પછી ગુમાવીએ છીએ, ફરી
લઈએ છીએ. તમને પૂરું જ્ઞાન મળ્યું છે. હમણાં આપણે શ્રીમત પર શ્રેષ્ઠ વિશ્વનું રાજ્ય
લઈએ છીએ. વિશ્વ પણ શ્રેષ્ઠ બની જાય છે. આ રચતા અને રચનાનું જ્ઞાન તમને હમણાં છે. આ
લક્ષ્મી-નારાયણ ને પણ જ્ઞાન નહીં હશે કે અમે રાજાઈ કેવી રીતે લીધી! અહીંયા તમે ભણો
છો પછી જઈને રાજાઈ કરો છો. કોઈ સારા ધનવાન નાં ઘરમાં જન્મ લે છે તો કહેવાય છે ને
આમણે પાછલાં જન્મમાં સારા કર્મ કર્યા છે, દાન-પુણ્ય કર્યા છે. જેવા કર્મ એવો જન્મ
મળે છે. હમણાં તો આ છે જ રાવણ રાજ્ય. અહીંયા જે પણ કર્મ કરે છે તે વિકર્મ થાય છે.
સીડી ઉતરવાની જ છે. સૌથી મોટાં ઊંચ થી ઊંચ દેવી-દેવતા ધર્મ વાળાઓને પણ સીડી ઉતરવાની
છે. સતો, રજો, તમો માં આવવાનું છે. દરેક વસ્તુ નવાં થી પછી જૂની થાય છે. તો હમણાં
આપ બાળકોને અથાહ ખુશી હોવી જોઈએ. તમારા સંકલ્પ-સ્વપ્ન માં પણ નહોતું કે અમે
વિશ્વનાં માલિક બનીએ છીએ.
ભારતવાસી જાણે છે કે આ લક્ષ્મી-નારાયણ નું આખાં વિશ્વ પર રાજ્ય હતું. પૂજ્ય થી તે
પછી પૂજારી બને છે. ગવાય પણ છે આપે હી પૂજ્ય, આપે હી પુજારી. હવે તમારી બુદ્ધિ માં
આ હોવું જોઈએ. આ નાટક તો ખુબ વન્ડરફુલ છે. કેવી રીતે આપણે ૮૪ જન્મ લઈએ છીએ, એને કોઈ
નથી જાણતું. શાસ્ત્રોમાં ૮૪ લાખ જન્મ બતાવી દીધા છે. બાપ કહે છે આ બધું
ભક્તિમાર્ગનાં ગપોડા છે. રાવણ રાજ્ય છે ને. રામરાજ્ય અને રાવણરાજ્ય કેવી રીતે થાય
છે, આ આપ બાળકો નાં સિવાય બીજા કોઈ ની બુદ્ધિમાં નથી. રાવણ ને દર વર્ષે બાળે છે, તો
દુશ્મન છે ને. ૫ વિકાર મનુષ્ય નાં દુશ્મન છે. રાવણ છે કોણ, કેમ બાળે છે-કોઈ પણ નથી
જાણતું. જે પોતાને સંગમયુગી સમજે છે એમની સ્મૃતિમાં રહે છે કે હમણાં આપણે
પુરુષોત્તમ બની રહ્યાં છીએ. ભગવાન આપણને રાજયોગ શીખવાડી ને નર થી નારાયણ,
ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી બનાવે છે. આપ બાળકો જાણો છો આપણને ઊંચે થી ઊંચા
નિરાકાર ભગવાન ભણાવે છે. કેટલી અથાહ ખુશી હોવી જોઈએ. સ્કૂલમાં સ્ટુડન્ટ
(વિદ્યાર્થી) ની બુદ્ધિ માં રહે છે ને-અમે સ્ટુડન્ટ છીએ. તે તો છે સામાન્ય શિક્ષક,
ભણાવવા વાળા. અહીંયા તો તમને ભગવાન ભણાવે છે. જ્યારે ભણતર થી આટલું ઉચ્ચ પદ મળે છે
તો કેટલું સારું ભણવું જોઈએ. છે ખૂબ સહજ, ફક્ત સવારે અડધો-પોણો કલાક ભણવાનું છે.
આખો દિવસ ધંધા વગેરે માં યાદ ભૂલી જવાય છે એટલે અહીંયા સવારે આવીને યાદ માં બેસો
છો. કહેવાય છે બાબાને ખૂબ પ્રેમથી યાદ કરો-બાબા, તમે અમને ભણાવવા આવ્યાં છો, હમણાં
અમને ખબર પડી છે કે તમે ૫ હજાર વર્ષ પછી આવી ને ભણાવો છો. બાબાની પાસે બાળકો આવે છે
તો બાબા પૂછે છે પહેલાં ક્યારે મળ્યાં છો? આવો પ્રશ્ન કોઈ પણ સાધુ-સન્યાસી વગેરે
ક્યારેય પૂછી ન શકે. ત્યાં તો સતસંગ માં જે ઈચ્છે જઈને બેસે છે. અનેકો ને જોઇને
બધાં અંદર ઘૂસી જાય છે. તમે પણ હમણાં સમજો છો-આપણે ગીતા, રામાયણ વગેરે કેટલાં ખુશી
થી જઈને સાંભળતાં હતાં. સમજતા તો કાંઈ નહોતાં. તે બધી ભક્તિની ખુશી છે. ખુબ ખુશીમાં
નાચતાં રહે છે. પરંતુ પછી નીચે ઉતરતાં આવે છે. જાત-જાતનાં હઠયોગ વગેરે કરે છે.
તંદુરસ્તીનાં માટે જ બધાં કરે છે. તો બાપ સમજાવે છે આ બધી છે ભક્તિમાર્ગની
રીત-રિવાજ. રચતા અને રચનાને કોઈ પણ નથી જાણતું. તો બાકી રહ્યું જ શું. રચતા રચનાને
જાણવાથી તમે શું બનો છો અને ન જાણવાથી તમે શું બની જાઓ છો? તમે જાણવાથી સાલવેન્ટ
(સદ્ધર) બનો છો, ન જાણવાથી એજ ભારતવાસી ઇનસાલવેન્ટ (દેવાદાર) બની ગયાં છે. ગપોડા
મારતાં રહે છે. શું-શું દુનિયામાં થતું રહે છે. કેટલાં પૈસા, સોનુ વગેરે લૂટે છે!
હવે આપ બાળકો જાણો છો-ત્યાં તો આપણે સોનાનાં મહેલ બનાવશું. બેરિસ્ટરી વગેરે ભણે છે
તો અંદર માં રહે છે ને-અમેં આ પરીક્ષા પાસ કરી પછી આ કરશું, ઘર બનાવશું. તમને
બુદ્ધિમાં કેમ નથી આવતું આપણે સ્વર્ગનાં પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી)
બનવા માટે ભણી રહ્યાં છીએ. ખુશી કેટલી રહેવી જોઈએ. પરંતુ બહાર જવાથી જ ખુશી લોપ થઈ
જાય છે. નાની-નાની બાળકીઓ આ જ્ઞાનમાં લાગી જાય છે. સંબંધી કાંઈ પણ સમજતાં નથી, કહી
દે છે જાદુ છે. કહે છે અમે ભણવા નહીં દઈશું. આ હાલતમાં જ્યાં સુધી સગીર છે તો
મા-બાપ નું કહેવું માનવું પડે. અમે લઈ ન શકીયે. ખુબ ખીટપીટ થઈ જાય છે. શરૂઆતમાં
કેટલી ખીટપીટ થઇ. બાળકી કહે હું ૧૮ વર્ષની છું, બાપ કહે નહિં, ૧૬ વર્ષની છે, સગીર
છે, ઝઘડા કરી પકડી લઈ જતાં હતાં. સગીર એટલે જ બાપનાં હુકમમાં ચાલવાનું છે. બાલિક છે
પછી જે ઈચ્છે તે કરે. કાયદો પણ છે ને. બાબા કહે તમે જ્યારે બાપ ની પાસે આવો છો તો
કાયદો છે પોતાના લૌકિક બાપનું સર્ટીફીકેટ (ચિઠ્ઠી) લઈને આવો. પછી મેનર્સ (શિસ્ત) પણ
જોવાનાં હોય છે. મેનર્સ ઠીક નથી તો પાછું જવું પડશે. રમતમાં પણ એવું હોય છે. ઠીક
નથી રમતા તો તેમને કહેશે બહાર જાઓ. આબરુ (ઈજ્જત) નીકાળો છો. હમણાં આપ બાળકો જાણો છો
આપણે યુદ્ધ નાં મેદાન માં છીએ. કલ્પ-કલ્પ બાપ આવીને આપણને માયા પર જીત પહેરાવે છે.
મૂળ વાત જ છે પાવન બનવાની. પતિત બન્યાં છો વિકાર થી. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આ
આદિ-મધ્ય-અંત દુઃખ આપવાવાળો છે. જે બ્રાહ્મણ બનશે તેજ પછી દેવી-દેવતા ધર્મમાં આવશે.
બ્રાહ્મણો માં પણ નંબરવાર હોય છે. શમા પર પરવાના આવે છે. કોઈ તો બળી મરે છે, કોઈ
ફેરી પહેરીને ચાલ્યા જાય છે. અહીંયા પણ આવે છે, કોઈ તો એકદમ ફિદા થાય છે, કોઈ
સાંભળીને પછી ચાલ્યા જાય છે. પહેલાં તો લોહી થી પણ લખીને આપતાં હતાં-બાબા, અમે
તમારા છીએ. તો પણ માયા હરાવી લે છે. આટલી માયાની યુદ્ધ ચાલે છે, આને જ યુદ્ધ સ્થળ
કહેવાય છે. આ પણ તમે સમજો છો. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બધાં
વેદો-શાસ્ત્રોનો સાર સમજાવે છે. ચિત્રો તો અનેક બનાવી દીધા છે ને. નારદનું પણ
દ્રષ્ટાંત આ સમયનું છે. બધાં કહે છે-અમે લક્ષ્મી અથવા નારાયણ બનશું. બાપ કહે છે
પોતાનાં અંદર જુઓ-અમે લાયક છીએ? અમારામાં કોઈ વિકાર તો નથી? નારદ ભક્ત બધાં છે ને.
આ એક દ્રષ્ટાંત લખેલું છે.
ભક્તિમાર્ગ વાળા કહે છે અમે શ્રી લક્ષ્મીને વરી શકીએ છે? બાપ કહે છે કે નહીં,
જ્યારે જ્ઞાન સાંભળો ત્યારે સદ્દગતિ ને પામી શકો. હું પતિત-પાવન જ બધાની સદ્દગતિ
કરવા વાળો છું. હમણાં તમે સમજો છો બાપ આપણને રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત) કરી
રહ્યાં છે. તે છે શારીરિક યાત્રા. ભગવાનુવાચ-મનમનાભવ. બસ, આમાં ધક્કા ખાવાની વાત
નથી. તે બધાં છે ભક્તિમાર્ગનાં ધક્કા. અડધોકલ્પ બ્રહ્માનો દિવસ, અડધોકલ્પ છે
બ્રહ્માની રાત. તમે સમજો છો આપણે બધાં બી.કે. નો હમણાં અડધોકલ્પ દિવસ થશે. આપણે
સુખધામ માં હોઈશું. ત્યાં ભક્તિ નહીં હશે. હમણાં આપ બાળકો જાણો છો આપણે સૌથી
સાહૂકાર બનીએ છીએ, તો કેટલી ખુશી હોવી જોઈએ. તમે બધાં પહેલાં રફ પથ્થર હતાં, હવે
બાપ સીરાન (ધાર) પર ચઢાવી રહ્યાં છે. બાબા ઝવેરી પણ છે ને. ડ્રામા અનુસાર બાબાએ રથ
પણ અનુભવી લીધો છે. ગાયન પણ છે ગામડાનો છોકરો. કૃષ્ણ ગામડાનો છોકરો કેવી રીતે હોઈ
શકે છે. તે તો સતયુગમાં હતાં. તેમને તો ઝૂલામાં ઝૂલાવે છે. તાજ પહેરાવે છે પછી
ગામડાનો છોકરો કેમ કહે છે? ગામડાનાં છોકરા શ્યામ થયાં. હમણાં સુંદર બનવા આવ્યાં છો.
બાપ જ્ઞાનની સીરાન પર ચઢાવે છે ને. આ સત નો સંગ કલ્પ-કલ્પ, કલ્પમાં એક જ વખત મળે
છે. બાકી બધા છે જુઠ્ઠા સંગ એટલે બાપ કહે છે હિયર નો ઈવિલ …….એવી વાતો નહીં સાંભળો
જ્યાં મારી અને તમારી ગ્લાનિ કરતાં રહે છે.
જે કુમારીઓ જ્ઞાનમાં આવે છે તો તે કહી શકે છે કે અમારો બાપની પ્રોપર્ટી (મિલકત) માં
ભાગ છે. કેમ નહીં અમે આનાથી ભારતની સેવા અર્થ સેવાકેન્દ્ર ખોલીએ. કન્યાદાન તો
આપવાનું જ છે. તે ભાગ અમને આપી દો અમે સેવાકેન્દ્ર ખોલીએ. અનેકોનું કલ્યાણ થશે. એવી
યુક્તિ રચવી જોઈએ. આ છે તમારું ઈશ્વરીય મિશન. તમે પથ્થરબુદ્ધિને પારસબુદ્ધિ બનાવો
છો. જે આપણા ધર્મનાં હશે તે આવશે. એક જ ઘરમાં દેવી-દેવતા ધર્મનું ફૂલ નીકળી આવશે.
બાકી નહીં આવશે. મહેનત લાગે છે ને. બાપ બધી આત્માઓને પાવન બનાવીને બધાને લઈ જાય છે
એટલે બાબાએ સમજાવ્યું હતું-સંગમનાં ચિત્ર પર લઈ જાઓ. આ તરફ છે કળયુગ, તે તરફ છે
સતયુગ. સતયુગમાં છે દેવતાઓ, કળયુગમાં છે અસુર. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ.
બાપ જ પુરુષોત્તમ બનાવે છે. જે ભણશે તે સતયુગ માં આવશે, બાકી બધાં મુક્તિધામમાં
ચાલ્યા જશે. પછી પોત-પોતાનાં સમય પર આવશે. આ ગોળા નું ચિત્ર ખુબ સરસ છે. બાળકોને
સર્વિસ નો શોખ હોવો જોઈએ. અમે એવી-એવી સર્વિસ કરી, ગરીબોનો ઉદ્ધાર કરી એમને સ્વર્ગ
નાં માલિક બનાવશું. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતે
પોતાને જોવાનું છે અમે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ સમાન બની શકીએ છે? અમારામાં કોઈ
વિકાર તો નથી? ફેરા લગાવવા વાળા પરવાના છીએ કે ફિદા થવા વાળા? એવા મેનર્સ તો નથી જે
બાપ ની આબરુ (ઈજ્જત) જાય.
2. અથાહ ખુશીમાં
રહેવા માટે - સવારે-સવારે પ્રેમથી બાપ ને યાદ કરવાના છે અને ભણતર ભણવાનું છે. ભગવાન
આપણને ભણાવીને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે, આપણે સંગમયુગી છીએ, આ નશા માં રહેવાનું
છે.
વરદાન :-
રુહાની
શક્તિને દરેક કર્મ માં યુઝ કરવા વાળા યુક્તિયુક્ત જીવનમુક્ત ભવ
આ બ્રાહ્મણ જીવનની
વિશેષતા છે જ રુહાનીયત. રુહાનીયત ની શક્તિથી જ સ્વયં ને કે સર્વને પરિવર્તન કરી શકો
છો. આ શક્તિથી અનેક પ્રકારનાં શારીરિક બંધનો થી મુક્તિ મળે છે. પરંતુ યુક્તિયુક્ત
બની દરેક કર્મમાં લુઝ થવાનાં બદલે, રુહાની શક્તિને યુઝ કરો. મનસા-વાચા અને કર્મણા
ત્રણેમાં એક સાથે-સાથે રુહાનીયત ની શક્તિ નો અનુભવ થાય. જે ત્રણેમાં યુક્તિયુક્ત છે
એજ જીવનમુક્ત છે.
સ્લોગન :-
સત્યતા ની
વિશેષતા દ્વારા ખુશી અને શક્તિ ની અનુભૂતિ કરતાં જાઓ.