06-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - સ્વયં
સ્વયંને જુઓ હું ફૂલ બન્યો છું , દેહ - અહંકાર માં આવીને કાંટો તો નથી બનતો ?
પ્રશ્ન :-
કયા નિશ્ચયનાં
આધાર પર બાપ થી અતૂટ પ્રેમ રહી શકે છે?
ઉત્તર :-
પહેલાં પોતાને આત્મા નિશ્ચય કરો તો બાપ થી પ્રેમ રહેશે. આ પણ અતૂટ નિશ્ચય જોઈએ કે
નિરાકાર બાપ આ ભાગીરથ પર વિરાજમાન છે. એ આપણને આમનાં દ્વારા ભણાવી રહ્યાં છે. જ્યારે
આ નિશ્ચય તુટે છે તો પ્રેમ ઓછો થઈ જાય છે.
ઓમ શાંતિ!
કાંટા થી ફૂલ
બનાવવા વાળા ભગવાનુવાચ અથવા બાગવાન ભગવાનુવાચ. બાળકો જાણે છે કે આપણે અહીંયા કાંટા
થી ફૂલ બનવા માટે આવ્યાં છીએ. દરેક સમજે છે પહેલાં અમે કાંટા હતાં. હવે ફૂલ બની
રહ્યાં છીએ. બાપની મહિમા તો ખૂબ કરે છે, પતિત-પાવન આવો. એ ખેવૈયા છે, બાગવાન છે,
પાપ કટેશ્વર છે. ખૂબ જ નામ કહે છે પરંતુ ચિત્ર બધી જગ્યાએ એક જ છે. એમની મહિમા પણ
ગાએ છે જ્ઞાનનાં સાગર, સુખનાં સાગર….હમણાં તમે જાણો છો આપણે એ એક બાપની પાસે બેઠાં
છીએ. કાંટા રુપી મનુષ્ય થી હમણાં આપણે ફૂલ રુપી દેવતા બનવા આવ્યાં છીએ. આ લક્ષ-હેતું
છે. હવે દરેકે પોતાનાં દિલમાં જોવાનું છે, અમારામાં દૈવી ગુણ છે? હું સર્વ ગુણ
સંપન્ન છું? પહેલાં તો દેવતાઓની મહિમા ગાતાં હતાં, પોતાને કાંટા સમજતાં હતાં. હમ
નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી…..કારણ કે ૫ વિકાર છે. દેહ-અભિમાન પણ ખૂબ મોટું
અભિમાન છે. પોતાને આત્મા સમજે તો બાપની સાથે પણ ખૂબ પ્રેમ રહે. હમણાં તમે જાણો છો
નિરાકાર બાપ આ રથ પર વિરાજમાન છે. આ નિશ્ચય કરતાં-કરતાં પણ પછી નિશ્ચય તૂટી જાય છે.
તમે કહો પણ છો અમે આવ્યા છીએ શિવબાબા ની પાસે. જે આ ભાગીરથ પ્રજાપિતા બ્રહ્માનાં
તનમાં છે, આપણાં સૌ આત્માઓનાં બાપ એક શિવબાબા છે, એ આ રથમાં વિરાજમાન છે. આ બિલકુલ
પાક્કો નિશ્ચય જોઈએ, આમાં જ માયા સંશય માં લાવે છે. કન્યા પતિ ની સાથે લગ્ન કરે છે,
સમજે છે એમનાથી ખૂબ સુખ મળવાનું છે પરંતુ સુખ શું મળે છે, ફટ થી જઈને અપવિત્ર બને
છે. કુમારી છે તો મા-બાપ વગેરે બધાં માથુ નમાવે છે કારણ કે પવિત્ર છે. અપવિત્ર બની
અને બધાની આગળ માથું નમાવાનું શરુ કરી દે છે. આજે બધાં તેને માથું નમાવે કાલે પોતે
માથું નમાવા લાગે.
હવે આપ બાળકો સંગમ પર પુરુષોત્તમ બની રહ્યાં છો. કાલે ક્યાં હશો? આજે આ ઘર-ઘાટ શું
છે! કેટલું ગંદું થયેલું છે! આને કહેવાય જ છે વેશ્યાલય. બધાં વિષ થી પેદા થાય છે.
તમે જ શિવાલયમાં હતાં, આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ખૂબજ સુખી હતાં. દુઃખનું નામનિશાન
નહોતું. હવે ફરી એવાં બનવા માટે આવ્યાં છો. મનુષ્યો ને શિવાલયની ખબર જ નથી. સ્વર્ગ
ને કહેવાય છે શિવાલય. શિવબાબા એ સ્વર્ગની સ્થાપના કરી. બાબા તો બધાં કહે છે પરંતુ
પૂછો ફાધર ક્યાં છે? તો કહી દે છે સર્વવ્યાપી છે. કુતરા-બિલાડી, કચ્છ-મચ્છ માં કહી
દે છે તો કેટલો ફરક થયો! બાપ કહે છે તમે પુરુષોત્તમ હતાં, પછી ૮૪ જન્મ ભોગવીને તમે
શું બન્યાં છો? નર્કવાસી બન્યાં છો એટલે બધાં ગાએ છે-હેં પતિત-પાવન આવો. હમણાં બાપ
પાવન બનાવવા આવ્યાં છે. કહે છે-આ અંતિમ જન્મ વિષ પીવાનું છોડો. તો પણ સમજતાં નથી.
બધી આત્માઓનાં બાપ હવે કહે છે પવિત્ર બનો. બધાં કહે પણ છે બાબા, પહેલાં આત્માને એ
બાબા યાદ આવે છે, પછી આ બાબા. નિરાકાર માં એ બાબા, સાકારમાં પછી આ બાબા. સુપ્રીમ
આત્મા આ પતિત આત્માઓને બેસી સમજાવે છે. તમે પણ પહેલાં પવિત્ર હતાં. બાપની સાથે રહેતાં
હતાં પછી તમે અહીંયા આવ્યા છો પાર્ટ ભજવવાં. આ ચક્રને સારી રીતે સમજી લો. હમણાં આપણે
સતયુગમાં નવી દુનિયામાં જવા વાળા છીએ. તમારી આશ પણ છે ને કે અમે સ્વર્ગમાં જઈએ. તમે
કહેતા પણ હતાં કે કૃષ્ણ જેવો બાળક મળે. હવે હું આવ્યો છું તમને એવાં બનાવવાં. ત્યાં
બાળક હોય જ છે કૃષ્ણ જેવાં. સતોપ્રધાન ફૂલ છે ને. હમણાં તમે કૃષ્ણપુરી માં ચાલો છો.
તમે તો સ્વર્ગ નાં માલિક બનો છો. સ્વયં થી પૂછવાનું છે-હું ફૂલ બન્યો છું? ક્યાંય
દેહ-અહંકાર માં આવી ને કાંટો તો નથી બનતો? મનુષ્ય પોતાને આત્મા સમજવાને બદલે દેહ
સમજી લે છે. આત્મા ને ભુલવાથી બાપને પણ ભૂલી ગયાં છે. બાપ ને બાપ દ્વારા જ જાણવાથી
બાપનો વારસો મળે છે. બેહદ નાં બાપ થી વારસો તો બધાને મળે છે. એક પણ નથી રહેતો જેને
વારસો ન મળે. બાપ જ આવીને બધાને પાવન બનાવે છે, નિર્વાણધામ માં લઈ જાય છે. તેઓ તો
કહી દે છે-જ્યોતિ જ્યોત સમાઈ, બ્રહ્મ માં લીન થઈ ગયાં. જ્ઞાન કાંઈ પણ નથી. તમે જાણો
છો આપણે કોની પાસે આવ્યાં છીએ? આ કોઈ મનુષ્યનો સતસંગ નથી. આત્માઓ, પરમાત્મા થી અલગ
થઈ, હવે એમનો સંગ મળ્યો છે. સાચ્ચો-સાચ્ચો આ સત્ નો સંગ ૫ હજાર વર્ષમાં એક જ વખત
હોય છે. સતયુગ-ત્રેતામાં તો સતસંગ હોતો નથી. બાકી ભક્તિમાર્ગ માં તો અનેકાનેક સતસંગ
છે. હવે હકીકતમાં સત્ તો છે જ એક બાપ. હમણાં તમે એમનાં સંગ માં બેઠાં છો. આ પણ
સ્મૃતિ રહે કે અમે ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી) છીએ, ભગવાન અમને ભણાવે છે,
તો પણ અહો સૌભાગ્ય.
આપણાં બાબા અહીંયા છે, એ બાપ, શિક્ષક પછી ગુરુ પણ બને છે. ત્રણેવ પાર્ટ હમણાં ભજવી
રહ્યાં છે. બાળકોને પોતાનાં બનાવે છે. બાપ કહે છે યાદ થી જ વિકર્મ વિનાશ થશે. બાપ
ને યાદ કરવાથી જ પાપ કપાય છે પછી તમને લાઈટ (પ્રકાશ) નો તાજ મળી જાય છે. આ પણ એક
નિશાની છે. બાકી એવું નથી કે લાઈટ જોવામાં આવે છે. આ પવિત્રતાની નિશાની છે. આ નોલેજ
બીજા કોઈને મળી ન શકે. આપવા વાળા એક જ બાપ છે. એમનામાં ફુલ નોલેજ છે. બાપ કહે છે
હું મનુષ્ય સૃષ્ટિનો બીજરુપ છું. આ ઉલટું ઝાડ છે. આ કલ્પવૃક્ષ છે ને. પહેલાં દૈવી
ફૂલોનું ઝાડ હતું. હવે કાંટાનું જંગલ બની ગયું છે કારણકે ૫ વિકાર આવી ગયાં છે. પહેલાં
મુખ્ય છે દેહ-અભિમાન. ત્યાં દેહ-અભિમાન નથી રહેતું. એટલું સમજે છે અમે આત્મા છીએ,
બાકી પરમાત્મા બાપને નથી જાણતાં. અમે આત્મા છીએ, બસ. બીજું કોઈ નોલેજ નથી. (સાપનું
દૃષ્ટાંત) હમણાં તમને સમજાવાય છે કે જન્મ-જન્માંતર ની જૂની સડેલી આ ખાલ છે જે હવે
તમારે છોડવાની છે. હમણાં આત્મા અને શરીર બંને પતિત છે. આત્મા પવિત્ર થઈ જશે તો પછી
આ શરીર છૂટી જશે. આત્માઓ બધી ભાગશે. આ જ્ઞાન તમને હમણાં જ છે કે આ નાટક પૂરું થાય
છે. હવે આપણે બાપની પાસે જવાનું છે, એટલે ઘરને યાદ કરવાનું છે. આ દેહને છોડી દેવાનું
છે, શરીર ખતમ થયું તો દુનિયા ખતમ થઇ પછી નવા ઘર માં જશો તો નવાં સંબંધો થઇ જશે. તેઓ
પછી પણ પુનર્જન્મ અહીંયા જ લે છે. તમારે તો પુનર્જન્મ લેવાનો છે ફૂલોની દુનિયા માં.
દેવતાઓને પવિત્ર કહેવાય છે. તમે જાણો છો આપણે જ ફૂલ હતા પછી કાંટા બન્યા છીએ ફરી
ફૂલોની દુનિયા માં જવાનું છે. આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થશે. આ છે રમતગમત.
મીરા ધ્યાન માં રમતી હતી, તેને જ્ઞાન નહોતું. મીરા કંઈ વૈકુંઠમાં ગઈ નથી. અહીંયા જ
ક્યાંય હશે. આ બ્રાહ્મણ કુળ ની હશે તો અહીંયા જ જ્ઞાન લેતી હશે. એવું નહીં, ડાન્સ (નૃત્ય)
કર્યો તો બસ વૈકુંઠમાં ચાલી ગઈ. એવાં તો ઘણાં ડાન્સ કરતાં હતાં. ધ્યાન માં જઈને
જોઈને આવતાં હતાં પછી જઈને વિકારી બન્યાં. ગવાય છે ને-ચઢે તો ચાખે વૈકુંઠ રસ…. બાપ
ભીતી આપે છે - તમે વૈકુંઠ નાં માલિક બની શકો છો જો જ્ઞાન-યોગ શીખશો તો. બાપ ને
છોડ્યાં તો ગયા ગટરમાં (વિકારોમાં). આશ્ચર્યવત બાબાનાં બનન્તી, સુનન્તી, સુનાવન્તી
પછી ભાગન્તી થઈ જાય છે. અહો માયા કેટલી ભારી ચોટ (માર) લાગી જાય છે. હમણાં બાપની
શ્રીમત પર તમે દેવતા બનો છો. આત્મા અને શરીર બંને જ શ્રેષ્ઠ જોઈએ ને. દેવતાઓનો જન્મ
વિકારો થી નથી થતો. તે છે જ નિર્વિકારી દુનિયા. ત્યાં ૫ વિકાર હોતાં નથી. શિવબાબા એ
સ્વર્ગ બનાવ્યું હતું. હમણાં તો નર્ક છે. હમણાં તમે ફરી સ્વર્ગવાસી બનવા માટે આવ્યાં
છો, જે સારી રીતે ભણે છે તે જ સ્વર્ગમાં જશે. તમે ફરીથી ભણો છો, કલ્પ-કલ્પ ભણતાં
રહેશો. આ ચક્ર ફરતું રહેશે. આ બન્યો-બનાવેલ ડ્રામા છે, આનાથી કોઈ છૂટી નથી શકતું.
જે કંઈ જુઓ છો, મચ્છર ઉડ્યો, કલ્પ પછી પણ ઉડશે. આ સમજવામાં ખુબ સારી બુદ્ધિ જોઈએ. આ
શુટીંગ થતી રહે છે. આ કર્મક્ષેત્ર છે. અહીંયા પરમધામ થી આવ્યાં છો પાર્ટ ભજવવાં.
હવે આ ભણતરમાં કોઈ તો ખૂબ હોશિયાર થઈ જાય છે, કોઈ હમણાં ભણી રહ્યાં છે. કોઈ
ભણતાં-ભણતાં જૂનાં થી પણ આગળ થઈ જાય છે. જ્ઞાન સાગર તો બધાને ભણાવતાં રહે છે. બાપનાં
બન્યાં અને વિશ્વ નો વારસો તમારો છે. હાં, તમારી આત્મા જે પતિત છે એને પાવન જરુર
બનાવવાની છે, એનાં માટે સહજ થી સહજ રીત છે બેહદ નાં બાપ ને યાદ કરતાં રહો તો તમે આ
બની જશો. આપ બાળકો ને આ જૂની દુનિયા થી વૈરાગ્ય આવવો જોઈએ. બાકી મુક્તિધામ, જીવન
મુક્તિધામ છે બીજા કોઈને પણ આપણે યાદ નથી કરતાં સિવાય એકનાં. સવારે-સવારે ઉઠીને
અભ્યાસ કરવાનો છે કે અમે અશરીરી આવ્યાં, અશરીરી જવાનું છે. પછી કોઈ પણ દેહધારી ને
અમે યાદ કેમ કરીએ. સવારે અમૃતવેલા ઉઠીને સ્વયં થી એવી-એવી વાતો કરવાની છે. સવાર ને
અમૃતવેલા કહેવાય છે. જ્ઞાન અમૃત છે જ્ઞાનસાગર ની પાસે. તો જ્ઞાન સાગર કહે છે સવાર
નો સમય ખૂબ સારો છે. સવારે ઉઠીને ખુબ પ્રેમથી બાપ ને યાદ કરો-બાબા, તમે ૫ હજાર વર્ષ
પછી ફરી મળ્યાં છો. હવે બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જશે. શ્રીમત પર ચાલવાનું
છે. સતોપ્રધાન જરુર બનવાનું છે. બાપ ને યાદ કરવાની આદત પડી જશે તો ખુશીમાં બેઠાં
રહેશો. શરીરનું ભાન તૂટતું જશે. પછી દેહનું ભાન નહીં રહે. ખુશી ખૂબ રહેશે. તમે ખુશી
માં હતાં જ્યારે પવિત્ર હતાં. તમારી બુદ્ધિમાં આ બધું જ્ઞાન રહેવું જોઈએ.
પહેલાં-પહેલાં જે આવે છે જરુર તેઓ ૮૪ જન્મ લેતાં હશે. પછી ચંદ્રવંશી થોડાં ઓછા,
ઈસ્લામી એનાથી ઓછા. નંબરવાર ઝાડની વૃદ્ધિ થાય છે ને. મુખ્ય છે ડીટી (દૈવી) ધર્મ પછી
એનાથી ૩ ધર્મ નીકળે છે. પછી ડાળ-ડાળીઓ નીકળે છે. હમણાં તમે ડ્રામાને જાણો છો. આ
ડ્રામા જું માફક ખૂબ ધીરે-ધીરે ફરતો રહે છે. સેકન્ડ બાઇ સેકન્ડ ટિક-ટિક ચાલતી રહે
છે એટલે ગવાય છે સેકન્ડમાં જીવનમુક્તિ. આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે. બાબા અમે
તમારાં બાળક છીએ. અમે તો સ્વર્ગમાં હોવા જોઈએ. પછી નર્ક માં કેમ પડ્યા છો. બાપ તો
સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે પછી નર્કમાં કેમ પડ્યાં છો. બાપ સમજાવે છે તમે
સ્વર્ગમાં હતાં, ૮૪ જન્મ લેતાં-લેતાં તમે બધું ભૂલી ગયા છો. હવે ફરી મારી મત પર ચાલો.
બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે કારણ કે આત્મા માં જ ખાદ પડે છે. શરીર આત્માનો
દાગીનો છે. આત્મા પવિત્ર તો શરીર પણ પવિત્ર મળે છે. તમે જાણો છો આપણે સ્વર્ગમાં હતાં,
હવે ફરી બાપ આવ્યાં છે તો બાપ થી પૂરો વારસો લેવો જોઈએ ને. ૫ વિકારોને છોડવાનાં છે.
દેહ-અભિમાન છોડવાનું છે. કામ-કાજ કરતાં બાપ ને યાદ કરતાં રહો. આત્મા પોતાનાં માશૂક
ને અડધા કલ્પ થી યાદ કરતી આવી છે. હવે તે માશૂક આવેલાં છે. કહે છે તમે કામ ચિતા પર
બેસીને કાળા બની ગયાં છો. હવે હું સુંદર બનાવવા આવ્યો છું. એનાં માટે આ યોગ અગ્નિ
છે. જ્ઞાન ને ચિતા નહીં કહેશું. યોગ ની ચિતા છે. યાદની ચિતા પર બેસવાથી વિકર્મ
વિનાશ થશે. જ્ઞાન ને તો નોલેજ કહેવાય છે. બાપ તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું
જ્ઞાન સંભળાવે છે. ઊંચેથી ઊંચા બાપ છે પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર, પછી
સૂર્યવંશી-ચંદ્રવંશી પછી બીજા ધર્મોનાં બાઈપ્લાટ છે. ઝાડ કેટલું મોટું થઈ જાય છે.
હમણાં આ ઝાડ નું ફાઉન્ડેશન છે નહીં એટલે બેનન ટ્રી (વડ) નો દૃષ્ટાંત અપાય છે.
દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઇ ગયો છે. ધર્મભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયાં છે. હમણાં
આપ બાળકો શ્રેષ્ઠ બનવાનાં માટે શ્રેષ્ઠ કર્મ કરો છો. પોતાની દૃષ્ટિને સિવિલ (પવિત્ર)
બનાવો છો. તમારે હવે ભ્રષ્ટ કર્મ નથી કરવાનાં. કોઈ કુદૃષ્ટિ ન જાય. પોતાને જુઓ - અમે
લક્ષ્મીને વરવાને લાયક બન્યાં છીએ? અમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરીએ છીએ? રોજ
પોતામેલ જુઓ. આખાં દિવસમાં દેહ-અભિમાનમાં આવીને વિકર્મ તો નથી કર્યું? નહીં તો સો
ગુણા થઇ જશે. માયા ચાર્ટ પણ રાખવા નથી દેતી. ૨-૪ દિવસ લખીને પછી છોડી દે છે. બાપને
ઓના (ફિકર) રહે છે ને. રહેમ પડે છે-બાળકો, મને યાદ કરે તો તેમનાં પાપ કપાઈ જાય. આમાં
મહેનત છે. પોતાને ઘાટો નથી પાડવાનો. જ્ઞાન તો ખૂબ સહજ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્રેમઅને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે
અમૃતવેલા ઉઠીને બાપ થી મીઠી-મીઠી વાતો કરવાની છે. અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે.
ધ્યાન રહે-બાપ ની યાદ નાં સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે.
2. પોતાની દૃષ્ટિ ખૂબ
શુદ્ધ પવિત્ર બનાવવાની છે. દૈવી ફૂલોનો બગીચો તૈયાર થઈ રહ્યો છે એટલે ફૂલ બનાવવાનો
પૂરો પુરુષાર્થ કરવાનો છે. કાંટા નથી બનવાનું.
વરદાન :-
દરેક સંકલ્પ ,
સમય , વૃત્તિ અને કર્મ દ્વારા સેવા કરવા વાળા નિરંતર સેવાધારી ભવ
જેમ બાપ અતિ પ્રિય
લાગે છે બાપનાં વગર જીવન નથી, એમ જ સેવાનાં વગર જીવન નથી. નિરંતર યોગીની સાથે-સાથે
નિરંતર સેવાધારી બનો. સૂતાં પણ સેવા થાય. સૂતાં સમયે જો કોઈ તમને જુએ તો તમારા ચહેરા
થી શાંતિ, આનંદ નાં વાયબ્રેશન અનુભવ કરે. દરેક કર્મેન્દ્રિય દ્વારા બાપની યાદની
સ્મૃતિ અપાવવાની સેવા કરતાં રહો. પોતાની પાવરફુલ વૃત્તિ દ્વારા વાયબ્રેશન ફેલાવતાં
રહો, કર્મ દ્વારા કર્મયોગી ભવ નું વરદાન આપતા રહો, કદમ માં પદમો ની કમાણી જમા કરતાં
રહો ત્યારે કહેશે નિરંતર સેવાધારી અર્થાત્ સર્વિસેબુલ (સેવાધારી).
સ્લોગન :-
પોતાની રુહાની
પર્સનાલિટી ને સ્મૃતિમાં રાખો તો માયાજીત બની જશો.