02-05-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - હમણાં
તમે સંગમ પર છો , તમારે જૂની દુનિયા થી સંબંધ તોડી દેવાનો છે કારણ કે આ દુનિયા હવે
ખતમ થવાની છે ”
પ્રશ્ન :-
સંગમની કઈ
વિશેષતા આખાં કલ્પ થી ન્યારી છે?
ઉત્તર :-
સંગમની જ વિશેષતા છે - ભણો છો અહીંયા, પ્રાલબ્ધ ભવિષ્યમાં પામો છો. આખાં કલ્પમાં આવું
ભણતર નથી ભણાવાતું જેની પ્રાલબ્ધ બીજા જન્મમાં મળે. હમણાં આપ બાળકો મૃત્યુલોક માં
ભણી રહ્યા છો અમરલોક માટે. બીજા કોઈ બીજા જન્મનાં માટે ભણતાં નથી.
ગીત :-
દૂર દેશ કા
રહનેવાલા …
ઓમ શાંતિ!
દૂર દેશનાં
રહેવાવાળા કોણ? આ તો કોઈ પણ જાણતું નથી. શું એમને પોતાનો દેશ નથી જે પારકા દેશમાં
આવ્યાં છે? એ પોતાનાં દેશમાં નથી આવતાં. આ રાવણ રાજ્ય પારકો દેશ છે ને. શું શિવબાબા
પોતાનાં દેશમાં નથી આવતાં? અચ્છા, રાવણ નો પરદેશ કયો છે? અને દેશ કયો છે? શિવબાબાનો
પોતાનો દેશ કયો છે, પારકો દેશ કયો છે? પછી બાપ આવે છે પારકા દેશમાં, તો એમનો દેશ કયો
છે? પોતાનાં દેશ ની સ્થાપના કરવા આવે છે પરંતુ શું એ પોતાનાં દેશમાં સ્વયં આવે છે?
(એક-બે એ સંભળાવ્યું) અચ્છા, આનાં પર બધાં વિચાર સાગર મંથન કરજો. આ ખૂબ સમજવાની વાત
છે. રાવણ નો પારકો દેશ બતાવવો ખૂબ સહજ છે. રામ રાજ્ય માં ક્યારેય રાવણ આવતો નથી.
બાપને રાવણ નાં દેશમાં આવવું પડે છે કારણ કે રાવણ રાજ્યને બદલવાનું હોય છે. આ છે
સંગમયુગ. એ સતયુગમાં પણ નથી આવતાં, કળયુગ માં પણ નથી આવતાં. સંગમયુગ પર આવે છે. તો
આ રામનો પણ દેશ છે, રાવણનો પણ દેશ છે. આ કિનારે રામનો, એ કિનારે રાવણ નો છે. સંગમ
છે ને. હમણાં આપ બાળકો સંગમ પર છો. ન આ તરફ, ન એ તરફ છો. પોતાને સંગમ પર સમજવું
જોઈએ. આપણો એ તરફ તેલુક (સંબંધ) નથી. બુદ્ધિથી જૂની દુનિયા થી તેલુક તોડવો પડે છે.
રહો તો અહીંયા જ છો. પરંતુ બુદ્ધિ થી જાણો છો આ જુની દુનિયા જ ખતમ થવાની છે. આત્મા
કહે છે હમણાં હું સંગમ પર છું. બાપ આવેલાં છે, એમને ખેવૈયા પણ કહે છે. હમણાં આપણે
જઈ રહ્યાં છીએ. કેવી રીતે? યોગ થી. યોગનાં માટે પણ જ્ઞાન છે. જ્ઞાનનાં માટે પણ
જ્ઞાન છે. યોગનાં માટે સમજાવાય છે સ્વયંને આત્મા સમજો પછી બાપ ને યાદ કરો. આ પણ
જ્ઞાન છે ને. જ્ઞાન અર્થાત સમજણ. બાપ મત આપવા આવ્યા છે. કહે છે પોતાને આત્મા સમજો.
આત્મા જ ૮૪ જન્મ લે છે. બાપ બાળકોને જ વિસ્તાર થી બેસીને સમજાવે છે. હમણાં આ રાવણ
રાજ્ય ખતમ થવાનું છે. અહીંયા છે કર્મ-બંધન, ત્યાં છે કર્મ-સંબંધ. બંધન દુઃખનું નામ
છે. સંબંધ સુખનું નામ છે. હવે કર્મ-બંધનને તોડવાનું છે. બુદ્ધિમાં છે આપણે આ સમયે
બ્રાહ્મણ સંબંધમાં છીએ પછી દૈવી સંબંધમાં જઈશું. બ્રાહ્મણ સંબંધનો આ એક જ જન્મ છે.
પછી ૮ અને ૧૨ જન્મ દૈવી સંબંધમાં હશે. આ જ્ઞાન બુદ્ધિમાં છે એટલે કળયુગી છી-છી
કર્મબંધન થી જેમ ગ્લાનિ કરે છે. આ દુનિયાનાં કર્મબંધન માં હવે રહેવાનું નથી. બુદ્ધિ
મળી છે - આ બધાં છે આસુરી કર્મબંધન. આપણે પણ ગુપ્ત એક યાત્રા પર છીએ. આ બાપએ યાત્રા
શિખવાડી છે. પછી આ કર્મ-બંધન થી ન્યારા થઈ આપણે કર્માતીત થઈ જઈશું. આ કર્મ-બંધન હવે
તૂટવાનું જ છે. આપણે બાપ ને યાદ કરીએ છે કે પવિત્ર બની ચક્રને સમજી ચક્રવર્તી રાજા
બનીએ. ભણી રહ્યા છીએ પછી એનું લક્ષ-હેતુ, પ્રાલબ્ધ પણ જોઈએ ને. તમે જાણો છો આપણને
ભણાવવા વાળા બેહદનાં બાપ છે. બેહદનાં બાપ એ આપણને ૫ હજાર વર્ષ પહેલાં ભણાવ્યા હતાં.
આ ડ્રામા છે ને. જેમને કલ્પ પહેલાં ભણાવ્યા હતાં એમને જ ભણાવશે. આવતાં રહેશે,
વૃદ્ધિને પામતાં રહેશે. બધાં તો સતયુગમાં નહિં આવશે. બાકી બધાં જશે પાછાં ઘરે. આ
પાર છે નર્ક, એ પાર છે સ્વર્ગ. એ ભણતરમાં તો સમજે છે અમે અહિયાં ભણીએ છીએ, પછી
પ્રાલબ્ધ પણ અહિયાં પામશું. અહીંયા આપણે ભણીએ છીએ સંગમયુગ પર, આની પ્રાલબ્ધ આપણને
નવી દુનિયામાં મળશે. આ છે નવી વાત. દુનિયામાં એવું કોઈ નહીં કહે કે તમને આની
પ્રાલબ્ધ બીજા જન્મમાં મળશે. આ જન્મમાં આગલા જન્મોની પ્રાલબ્ધ પામવી - આ ફક્ત આ
સંગમયુગ પર જ થાય છે. બાપ પણ આવે છે સંગમયુગ પર. તમે ભણો છો પુરુષોત્તમ બનવાનાં માટે.
એક જ વખત ભગવાન જ્ઞાન સાગર આવીને ભણાવે છે નવી દુનિયા અમરપુરીનાં માટે. આ તો છે
કળયુગ, મૃત્યુલોક. આપણે ભણીએ છે સતયુગનાં માટે. નર્કવાસી થી સ્વર્ગવાસી થવાં માટે.
આ છે પારકો દેશ, એ છે આપણો દેશ. એ આપણા દેશમાં બાપને આવવાની દરકાર નથી. એ દેશ બાળકો
માટે જ છે, ત્યાં સતયુગમાં રાવણનું આવવાનું નથી હોતું, રાવણ લોપ થઈ જાય છે. પછી આવશે
દ્વાપરમાં. તો બાપ પણ લોપ થઈ જાય છે. સતયુગમાં કોઈ પણ એમને જાણતાં નથી. તો યાદ પણ
કેમ કરશે. સુખ ની પ્રાલબ્ધ પૂરી થાય છે તો પછી રાવણ રાજ્ય શરુ થાય છે, આને પારકો
દેશ કહેવાય છે.
હમણાં તમે સમજો છો આપણે સંગમયુગ પર છીએ, આપણને રસ્તો દેખાડવા વાળા બાપ મળ્યાં છે.
બાકી બધાં ધક્કા ખાતા રહે છે. જે ખૂબ થાકેલા હશે, જેમણે કલ્પ પહેલાં રસ્તો લીધો હશે,
તેઓ આવતાં રહેશે. તમે પંડા બધાને રસ્તો બતાવો છો, આ છે રુહાની યાત્રા નો રસ્તો. સીધા
ચાલ્યાં જશો સુખધામ. તમે પંડા પાંડવ સંપ્રદાય છો. પાંડવ રાજ્ય નહિં કહેશું. રાજ્ય ન
પાંડવોનું, ન કૌરવો નું છે. બંનેવ ને તાજ નથી. ભક્તિ માર્ગમાં બંનેવ ને તાજ આપી દીધાં
છે. જો આપે પણ તો કૌરવો ને લાઈટ (પ્રકાશ) નો તાજ ન અપાય. પાંડવોને પણ લાઈટ ન આપી
શકાય કારણ કે પુરુષાર્થી છે. ચાલતાં-ચાલતાં નીચે પડે છે ત્યારે કોને આપે એટલે આ બધી
નિશાની વિષ્ણુને આપી છે કારણ કે તે પવિત્ર છે. સતયુગમાં બધાં પવિત્ર સંપૂર્ણ
નિર્વિકારી હોય છે. પવિત્રતાની લાઈટ નો તાજ છે. આ સમયે તો કોઈ પવિત્ર નથી. સન્યાસી
લોકો કહેવડાવે છે કે અમે પવિત્ર છીએ. પરંતુ દુનિયા તો પવિત્ર નથી ને. જન્મ તો પણ
વિકારી દુનિયામાં જ લે છે. આ છે રાવણની પતિત પુરી. પાવન રાજ્ય સતયુગ નવી દુનિયાને
કહેવાય છે. હમણાં આપ બાળકોને બાપ બાગવાન કાંટા થી ફૂલ બનાવે છે. એ પતિત-પાવન પણ છે,
ખેવૈયા પણ છે, બાગવાન પણ છે. બાગવાન આવ્યાં છે કાંટાઓનાં જંગલમાં, તમારાં કમાન્ડર (સેનાપતિ)
તો એક જ છે. યાદવોનાં કમાન્ડર ચીફ શંકર ને કહેવાય? આમ તો તે કોઈ વિનાશ કરાવતાં નથી.
જ્યારે સમય થાય છે તો લડાઈ લાગે છે. કહે છે શંકરની પ્રેરણાથી મૂસળ વગેરે બને છે. આ
બધી વાર્તાઓ બેસીને બનાવી છે. જૂની દુનિયા ખતમ તો જરુર થવાની છે. મકાન જૂનું થાય છે
તો નીચે પડે છે. મનુષ્ય મરી જાય છે. આ પણ જૂની દુનિયા ખતમ થવાની છે. આ બધાં દબાઈ ને
મરી જશે, કોઈ ડૂબી મરશે. કોઈ શોક માં મરશે. બોમ્બસ વગેરેનો ઝેરી વાયુ પણ મારી નાખશે.
બાળકોની બુદ્ધિ માં છે કે હવે વિનાશ થવાનો જ છે. આપણે તે પાર જઈ રહ્યાં છીએ. કળયુગ
પૂરો થઈ સતયુગની સ્થાપના જરુર થવાની છે. પછી અડધોકલ્પ લડાઈ થતી જ નથી.
હમણાં બાપ આવ્યાં છે પુરુષાર્થ કરાવવાં, આ લાસ્ટ ચાન્સ (છેલ્લી તક) છે. વાર કરી તો
પછી અચાનક જ મરી જશો. મોત સામે ઉભું છે. અચાનક બેઠા-બેઠા મનુષ્ય મરી જાય છે. મરવાનાં
પહેલા તો યાદની યાત્રા કરો. હવે આપ બાળકોએ ઘરે જવાનું છે એટલે બાપ કહે છે-બાળકો, ઘર
ને યાદ કરો, આનાથી અંત મતી સો ગતિ થઈ જશે, ઘરે ચાલ્યાં જશો. પરંતુ ફક્ત ઘરને યાદ
કરશો તો પાપ વિનાશ નહીં થશે. બાપ ને યાદ કરશો તો પાપ વિનાશ થઇ અને તમે પોતાનાં ઘરે
ચાલ્યા જશો એટલે બાપને યાદ કરતાં રહો. પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે, આખાં દિવસમાં
અમે શું કર્યું? ૫-૬ વર્ષ ની આયુ થી લઈને પોતાની લાઈફ (જીવન) માં શું-શું કર્યું...
તે પણ યાદ રહે છે. એવું પણ નહીં, પૂરો સમય લખવું પડે છે. ધ્યાનમાં રહે છે-બગીચામાં
બેસી બાપને યાદ કર્યા, દુકાન પર કોઈ ગ્રાહક નથી અમે યાદમાં બેસી રહ્યાં. અંદરમાં
નોંધ રહેશે. જો લખવા ઈચ્છો છો તો પછી ડાયરી રાખવી પડે. મૂળ વાત છે જ આ. આપણે
તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ! પવિત્ર દુનિયા નાં માલિક કેવી રીતે બનીએ!
પતિત થી પાવન કેવી રીતે બનીએ! બાપ આવીને આ નોલેજ આપે છે. જ્ઞાન નાં સાગર બાપ જ છે.
તમે હમણાં કહો છો બાબા અમે તમારાં છીએ. સદૈવ તમારા જ છીએ, ફક્ત ભૂલીને દેહ-અભિમાની
થઈ ગયા છીએ. હવે તમે બતાવ્યું છે તો અમે ફરી દેહી-અભિમાની બનીએ છે. સતયુગમાં આપણે
દેહી-અભિમાની હતાં. ખુશી થી એક શરીર છોડી બીજું લેતાં હતાં તો આપ બાળકોએ આ બધી ધારણા
કરી પછી સમજાવવાનાં લાયક બનવાનું છે, તો અનેકોનું કલ્યાણ થશે. બાબા જાણે છે ડ્રામા
અનુસાર નંબરવાર પુરુષાર્થ અનુસાર સર્વિસેબુલ (સેવાધારી) બની રહ્યાં છે. અચ્છા, કોઈને
ઝાડ વગેરે નથી સમજાવી શકતાં, ભલા આ તો સહજ છે ને-કોઈને પણ કહો તમે સ્વયં ને આત્મા
સમજી બાપ ને યાદ કરો. આ તો બિલકુલ સહજ છે. આ બાપ જ કહે છે મને યાદ કરો તો વિકર્મ
વિનાશ થશે બીજા કોઈ મનુષ્ય કહી ન શકે સિવાય આપ બ્રાહ્મણોનાં. બીજું કોઈ ન આત્માને,
ન પરમાત્મા બાપને જાણે છે. એમ જ ફક્ત કહી દેશો તો કોઈને તીર લાગશે નહીં. ભગવાનનું
રુપ જાણવું પડે. આ બધાં નાટકનાં એક્ટર્સ છે. દરેક આત્મા શરીર ની સાથે એક્ટ (કર્મ)
કરે છે. એક શરીર છોડી બીજું લઈ પછી પાર્ટ ભજવે છે. તે એક્ટર્સ કપડાં બદલી કરી
ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવે છે. તમે પછી શરીર બદલો છો. તેઓ કોઈ મેલ (પુરુષ) અથવા ફિમેલ
(સ્ત્રી) ની ડ્રેસ પહેરશે અલ્પકાળ નાં માટે. અહીંયા પુરુષનું શરીર લીધું તો આખી આયુ
પુરુષ જ રહેશે. તે હદ નાં ડ્રામાં, આ છે બેહદનો. પહેલી-પહેલી મુખ્ય વાત છે બાપ કહે
છે મને યાદ કરો. યોગ અક્ષર પણ કામ માં નહી લાવો કારણ કે યોગ તો અનેક પ્રકારનાં શીખે
છે. તે બધાં છે ભક્તિમાર્ગ નાં. હવે બાપ કહે છે મને યાદ કરો અને ઘર ને યાદ કરો તો
તમે ઘરમાં ચાલ્યાં જશો. શિવબાબા આમનામાં આવીને શિક્ષા આપે છે. બાપ ને યાદ કરતાં-કરતાં
તમે પાવન બની જશો પછી પવિત્ર આત્મા ઉડશે. જેટલાં-જેટલાં યાદ કર્યા હશે, સર્વિસ કરી
હશે એટલું તે ઊંચ પદ પામશે. યાદમાં જ ખૂબ વિઘ્ન પડે છે. પાવન નહીં બનશે તો પછી
ધર્મરાજ પુરીમાં સજાઓ પણ ખાવી પડશે. ઈજ્જત પણ જશે, પદ પણ ભ્રષ્ટ થશે. પાછળથી બધાં
સાક્ષાત્કાર થશે. પરંતુ કાંઈ કરી નહીં શકો. સાક્ષાત્કાર કરાવશે તમને આટલું સમજાવ્યાં
પછી પણ યાદ નહોતી કરી, પાપ રહી ગયાં. હવે ખાઓ સજા. તે સમયે ભણતર નો સમય નથી રહેતો.
અફસોસ કરશો અમે શું કર્યું! નકામો સમય ગુમાવ્યો. પરંતુ સજા તો ખાવી પડે. કાંઈ થઈ
થોડી શકશે. નપાસ થયા તો થયાં. પછી ભણવાની વાત નથી. તે ભણતરમાં તો નપાસ થઈ ફરી ભણે
છે, આ તો ભણતર જ પૂરું થઈ જશે. અંત સમયમાં પશ્ચાતાપ ન કરવો પડે એનાં માટે બાપ સલાહ
આપે છે-બાળકો, સારી રીતે ભણી લો. ઝરમુઈ-ઝગમુઈ માં પોતાનો સમય ખોટી નહીં કરો. નહીં
તો ખૂબ પસ્તાવું પડશે. માયા ખૂબ ઉલ્ટા કામ કરાવી દે છે. ચોરી ક્યારેય નહીં કરી હશે,
તે પણ કરાવશે. અંતમાં સ્મૃતિ આવશે અમને તો માયાએ દગો આપી દીધો. પહેલાં દિલમાં વિચાર
આવે છે, ફલાણી વસ્તુ ઉઠાવું. બુદ્ધિ તો મળી છે, આ રાઈટ છે કે રોંગ છે. આ વસ્તુ ઉઠાવું
તો ખોટું થશે, નહિં ઉઠાવશું તો રાઇટ થશે. હવે શું કરવાનું છે? પવિત્ર રહેવું તો સારું
છે ને. સંગ માં આવીને ઢીલું ન થવું જોઈએ. આપણે ભાઈ-બહેન છીએ પછી નામ-રુપમાં કેમ
ફસાઈએ. દેહ-અભિમાનમાં નથી આવવાનું. પરંતુ માયા ખુબ જબરજસ્ત છે. માયા રોંગ (ખોટા)કામ
કરાવવાના સંકલ્પ લાવે છે. બાપ કહે છે તમારે રોંગ કામ કરવાનું નથી. લડાઈ ચાલે છે પછી
નીચે પડે છે, પછી રાઈટ બુદ્ધિ આવતી જ નથી. અમારે રાઈટ કામ કરવાનું છે. આંધળાઓ ની
લાઠી બનવાનું છે. સારામાં સારું કામ છે આ. શરીર નિર્વાહ માટે સમય તો છે. રાતનાં
નિંદ્રા પણ કરવાની છે. આત્મા થાકી જાય છે તો પછી સુઈ જાય છે. શરીર પણ સુઈ જાય છે.
તો શરીર નિર્વાહ માટે, આરામ કરવા માટે સમય તો છે. બાકી સમય મારી સર્વિસમાં લાગી જાઓ.
યાદ નો ચાર્ટ રાખો. લખે પણ છે પછી ચાલતાં-ચાલતાં નપાસ થઈ જાય છે. બાપ ને યાદ નથી
કરતાં, સર્વિસ નથી કરતાં તો રોંગ કામ થતું રહે છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઝરમુઈ
ઝગમુઈ માં પોતાનો સમય ખોટી નથી કરવાનો. માયા કોઈ પણ ઉલટું કામ ન કરાવે, આ ધ્યાન
રાખવાનું છે. સંગદોષ માં આવીને ક્યારેય ઢીલું નથી થવાનું. દેહ-અભિમાનમાં આવીને કોઈનાં
નામ-રુપ માં નથી ફસાવાનું.
2. ઘરની યાદની
સાથે-સાથે બાપને પણ યાદ કરવાનાં છે. યાદનાં ચાર્ટની ડાયરી બનાવવાની છે. નોંધ કરવાનું
છે - અમે આખાં દિવસમાં શું-શું કર્યું? કેટલો સમય બાપની યાદ માં રહ્યાં?
વરદાન :-
ઉદારચિત્ત ની
વિશેષતા દ્વારા સ્વ અને સર્વ નો ઉદ્ધાર કરવા વાળા આધાર અને ઉદ્ધારમૂર્ત ભવ
ઉદારચિત્ત અર્થાત્ સદા
દરેક કાર્યમાં ફ્રાકદિલ મોટા દિલવાળા. પોતાનાં ગુણોથી બીજાઓને ગુણવાન બનાવવામાં
સહયોગી બનવું, શક્તિ કે વિશેષતા ભરવામાં સહયોગી બનવું અર્થાત્ મહાદાની ફ્રાખદિલ બનવું
જ ઉદારચિત્ત આત્માની વિશેષતા છે, એવી વિશેષતા સમ્પન્ન આત્માઓ જ આધાર અને
ઉદ્ધારમૂર્ત બનવામાં સફળતાનું વરદાન પ્રાપ્ત કરે છે કારણ કે સેવાનાં આધાર સ્વરુપ
બનવું અર્થાત્ સ્વ અને સર્વનાં ઉદ્ધાર નાં નિમિત્ત બની જવું.
સ્લોગન :-
“આપ અને બાપ’’
બંને એવાં કમ્બાઈન્ડ રહો જે ત્રીજું કોઈ અલગ કરી ન શકે.