30-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સત બાપ દ્વારા સંગમ પર તમને સત્ય નું વરદાન મળે છે એટલે તમે ક્યારે પણ જુઠ્ઠું ન બોલી શકો ”

પ્રશ્ન :-
નિર્વિકારી બનવા માટે આપ બાળકોએ કઈ મહેનત જરુર કરવાની છે?

ઉત્તર :-
આત્મ-અભિમાની બનવાની મહેનત જરુર કરવાની છે. ભ્રકુટીની વચમાં આત્મા ને જ જોવાનો અભ્યાસ કરો. આત્મા થઈને આત્મા થી વાત કરો, આત્મા થઈને સાંભળો. દેહ પર દૃષ્ટિ ન જાય - આ જ મુખ્ય મહેનત છે, આ જ મહેનત માં વિઘ્ન પડે છે. જેટલું થઈ શકે આ અભ્યાસ કરો - કે “હું આત્મા છું, હું આત્મા છું.”

ગીત :-
ઓમ્ નમો શિવાય …

ઓમ શાંતિ!
મીઠા બાળકોને બાપે સ્મૃતિ અપાવી છે કે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે બાપથી જે કંઈ જાણ્યું છે, બાપે જે રસ્તો બતાવ્યો છે, તે દુનિયામાં કોઈ નથી જાણતું. સ્વયં જ પૂજ્ય, સ્વયં જ પુજારી નો અર્થ પણ તમને સમજાવ્યો છે, જે પૂજ્ય વિશ્વનાં માલિક બને છે, તે જ પછી પૂજારી બને છે. પરમાત્મા માટે એવું નહીં કહેશે. હવે તમને સ્મૃતિમાં આવ્યું છે કે આ તો બિલ્કુલ સાચી વાત છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં સમાચાર બાપ જ સંભળાવે છે, બીજા કોઈને પણ જ્ઞાન નાં સાગર નથી કહેવાતું. આ મહિમા શ્રીકૃષ્ણ ની નથી. કૃષ્ણ નામ તો શરીરનું છે ને. એ શરીરધારી છે, એમનામાં બધું જ્ઞાન હોઈ ન શકે. હવે તમે સમજો છો, એમની આત્મા જ્ઞાન લઇ રહી છે. આ વન્ડરફુલ વાત છે. બાપ વગર કોઈ સમજાવી ન શકે. એમ તો ઘણાં સાધુ-સંત ભિન્ન-ભિન્ન પ્રકારનાં હઠયોગ વગેરે શીખવાડતાં રહે છે. તે બધું છે ભક્તિમાર્ગ. સતયુગમાં તમે કોઈની પણ પૂજા નથી કરતાં. ત્યાં તમે પૂજારી નથી બનતાં. એમને કહેવાય જ છે - પૂજ્ય દેવી-દેવતા હતાં, હમણાં નથી. તે જ પૂજ્ય પછી હમણાં પૂજારી બન્યાં છે. બાપ કહે છે આ પણ પૂજા કરતા હતાં ને. આખી દુનિયા આ સમયે પુજારી છે. નવી દુનિયામાં એક જ પૂજ્ય દેવી-દેવતા ધર્મ રહે છે. બાળકોને સ્મૃતિ માં આવ્યું બરાબર ડ્રામાનાં પ્લાન અનુસાર આ બિલ્કુલ સાચું છે. ગીતા અધ્યાય બરાબર છે. ફક્ત ગીતામાં નામ બદલી દીધું છે. જેને સમજાવવા માટે જ તમે મહેનત કરો છો. ૨૫૦૦ વર્ષ થી ગીતા કૃષ્ણની સમજતા આવ્યાં છે. હવે એક જન્મમાં સમજી જાય કે ગીતા નિરાકાર ભગવાને સંભળાવી, એમાં સમય તો લાગે છે ને. ભક્તિ નું પણ સમજાવ્યું છે, ઝાડ કેટલું લાંબું-પહોળું છે. તમે લખી શકો છો બાપ અમને રાજયોગ શીખવાડી રહ્યાં છે. જે બાળકોને નિશ્ચય થઈ જાય છે તો તે નિશ્ચય થી સમજાવે પણ છે. નિશ્ચય નથી તો સ્વયં જ મુંઝતા રહે છે - કેવી રીતે સમજાવીએ, કોઈ હંગામો તો નહીં થશે. નિડર તો હજું થયાં નથી ને. નિડર ત્યારે થશો જ્યારે પૂરા દેહી-અભિમાની બની જાઓ, ડરવાનું તો ભક્તિમાર્ગ માં હોય છે. તમે બધાં છો મહાવીર. દુનિયામાં તો કોઈ નથી જાણતું કે માયા પર જીત કેવી રીતે પહેરાય છે. આપ બાળકોને હવે સ્મૃતિમાં આવ્યું છે. પહેલાં પણ બાપે કહ્યું હતું મનમનાભવ. પતિત-પાવન બાપ જ આવીને આ સમજાવે છે, ભલે ગીતામાં અક્ષર છે પરંતુ આવું કોઈ સમજાવતાં નથી. બાપ કહે છે બાળકો દેહી-અભિમાની ભવ. ગીતામાં અક્ષર તો છે ને - લોટ માં મીઠા સમાન. દરેક વાત નો બાપ નિશ્ચય બેસાડે છે. નિશ્ચય બુદ્ધિ વિજયન્તી.

તમે હમણાં બાપથી વારસો લઈ રહ્યાં છો. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં પણ જરુર રહેવાનું છે. બધાએ અહીંયા આવીને બેસવાની દરકાર નથી. સર્વિસ (સેવા) કરવાની છે, સેવાકેન્દ્ર ખોલવાનાં છે. તમે છો સૈલવેશન આર્મી. ઈશ્વરીય મિશન છો ને. પહેલાં શૂદ્ર માયાવી મિશન નાં હતાં, હમણાં તમે ઈશ્વરીય મિશન નાં બન્યાં છો. તમારું મહત્વ બહુ જ છે. આ લક્ષ્મી-નારાયણ ની શું મહિમા છે. જેમ રાજાઓ હોય છે, તેમ રાજ્ય કરે છે. બાકી આમને કહેશું સર્વગુણ સંપન્ન, વિશ્વનાં માલિક કારણ કે એ સમય બીજું કોઈ રાજ્ય નથી હોતું. હવે બાળકો સમજી ગયાં છે - વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં? હમણાં આપણે જ દેવતા બનીએ છીએ તો પછી એમને માથું કેવી રીતે ઝુકાવી શકીએ? તમે નોલેજફુલ બની ગયાં છો, જેમને નોલેજ નથી તે માથું ટેકતા રહે છે. તમે બધાનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને હવે જાણી ગયાં છો. ચિત્ર ખોટા કયા છે, સાચાં કયા છે, તે પણ તમે સમજાવી શકો છો. રાવણરાજ્ય નું પણ તમે સમજાવો છો. આ રાવણરાજ્ય છે, આને આગ લાગી રહી છે. ભંભોર ને આગ લાગવાની છે, ભંભોર વિશ્વ ને કહેવાય છે. અક્ષર જે ગવાય છે એનાં પર સમજાવાય છે. ભક્તિમાર્ગ માં તો અનેક ચિત્ર બનાવ્યાં છે. હકીકતમાં અસલ હોય છે શિવબાબાની પૂજા, પછી બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની. ત્રિમૂર્તિ જે બનાવે છે તે સાચું છે. પછી આ લક્ષ્મી-નારાયણ બસ. ત્રિમૂર્તિ માં બ્રહ્મા-સરસ્વતી પણ આવી જાય છે. ભક્તિમાર્ગ માં કેટલાં ચિત્ર બનાવે છે. હનુમાન ની પણ પૂજા કરે છે. તમે મહાવીર બની રહ્યાં છો ને. મંદિરમાં પણ કોઈની હાથી પર સવારી, કોઈની ઘોડા પર સવારી દેખાડી છે. હવે એવી સવારી થોડી છે. બાપ કહે છે મહારથી. મહારથી એટલે હાથી પર સવાર. તો તેમણે પછી હાથીની સવારી બનાવી દીધી છે. આ પણ સમજાવ્યું છે કે કેવી રીતે ગજ ને ગ્રાહ ખાય છે. બાપ સમજાવે છે જે મહારથી છે, ક્યારેક-ક્યારેક એમને પણ માયા ગ્રાહ હપ કરી લે છે. તમને હમણાં જ્ઞાનની સમજ આવી છે. સારા-સારા મહારથીઓ ને માયા ખાઈ જાય છે. આ છે જ્ઞાનની વાતો, આનું વર્ણન કોઈ કરી ન શકે. બાપ કહે છે નિર્વિકારી બનવાનું છે, દૈવીગુણ ધારણ કરવાનાં છે. કલ્પ-કલ્પ બાપ કહે છે - કામ મહાશત્રુ છે. આમાં છે મહેનત. આનાં પર તમે વિજય પામો છો. પ્રજાપિતા નાં બન્યાં તો ભાઈ-બહેન થઈ ગયાં. હકીકતમાં અસલ તમે છો આત્માઓ. આત્મા, આત્મા થી વાત કરે છે. આત્મા જ આ કાનો થી સાંભળે છે, આ યાદ રાખવું પડે. આપણે આત્માને સંભળાવીએ છીએ, દેહને નહીં. અસલ માં આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી આપસ માં ભાઈ-બહેન પણ છીએ. સંભળાવવાનું તો ભાઈ ને હોય છે. દૃષ્ટિ આત્મા તરફ જવી જોઈએ. આપણે ભાઈ ને સંભળાવીએ છીએ. ભાઈ સાંભળો છો? હા, હું આત્મા સાંભળું છું. બિકાનેર માં એક બાળક છે જે સદૈવ આત્મા-આત્મા કહી લખે છે. મારી આત્મા આ શરીર દ્વારા લખી રહી છે. મુજ આત્માનો આ વિચાર છે. મારી આત્મા આ કરે છે. તો આ આત્મ-અભિમાની બનવું મહેનત ની વાત છે ને. મારી આત્મા નમસ્તે કરે છે. જેમ બાબા કહે છે- રુહાની બાળકો. તો ભ્રકુટી તરફ જોવું પડે. આત્મા જ સાંભળવા વાળી છે, આત્મા ને હું સંભળાવું છું. તમારી નજર આત્મા પર પડવી જોઈએ. આત્મા ભ્રકુટીની વચમાં છે. શરીર પર નજર પડવાથી વિઘ્ન આવે છે. આત્મા થી વાત કરવાની છે. આત્મા ને જ જોવાની છે. દેહ-અભિમાન ને છોડો. આત્મા જાણે છે-બાપ પણ અહીંયા ભ્રકુટી ની વચમાં બેઠા છે. એમને આપણે નમસ્તે કરીએ છીએ. બુદ્ધિમાં આ જ્ઞાન છે આપણે આત્મા છીએ, આત્મા જ સાંભળે છે. આ જ્ઞાન પહેલાં નહોતું. આ દેહ મળ્યું છે પાર્ટ ભજવવા માટે એટલે દેહ પર જ નામ રખાય છે. આ સમયે તમારે દેહી-અભિમાની બની પાછું જવાનું છે. આ નામ રાખ્યું છે પાર્ટ ભજવવાં. નામ વગર તો કારોબાર ચાલી ન શકે. ત્યાં પણ કારોબાર તો ચાલશે ને. પરંતુ તમે સતોપ્રધાન બની જાઓ છો એટલે ત્યાં કોઈ વિકર્મ નહીં બનશે. એવું કોઈ કામ જ તમે નહીં કરશો જે વિકર્મ બને. માયાનું રાજ્ય જ નથી. હવે બાપ કહે છે-આપ આત્માઓએ પાછું જવાનું છે. આ તો જૂનું શહેર છે પછી જશો સતયુગ-ત્રેતા માં. ત્યાં જ્ઞાન ની દરકાર જ નથી. અહીંયા તમને જ્ઞાન કેમ આપે છે? કારણ કે દુર્ગતિને પામેલાં છો. કર્મ તો ત્યાં પણ કરવાનાં છે પરંતુ તે અકર્મ થઈ જાય છે. હવે બાપ કહે છે હથ કાર ડે….. આત્મા યાદ બાપને કરે છે. સતયુગ માં તમે પાવન છો તો બધો કારોબાર પાવન હોય છે. તમોપ્રધાન રાવણરાજ્ય માં તમારો કારોબાર ખોટો થઈ જાય છે, એટલે મનુષ્ય તીર્થ યાત્રા વગેરે પર જાય છે. સતયુગ માં કોઈ પાપ કરતાં નથી જે તીર્થો વગેરે પર જવું પડે. ત્યાં તમે જે પણ કામ કરો છો તે સત્ય જ કરો છો. સત્ય નું વરદાન મળી ગયું છે. વિકાર ની વાત જ નથી. કારોબાર માં પણ જુઠ્ઠા ની દરકાર જ નથી રહેતી. અહીંયા તો લોભ હોવાનાં કારણે મનુષ્ય ચોરી ઠગી કરે છે, ત્યાં આ વાતો હોતી નથી. ડ્રામા અનુસાર તમે એવાં ફૂલ બની જાઓ છો. તે છે જ નિર્વિકારી દુનિયા, આ છે વિકારી દુનિયા. બધો ખેલ બુદ્ધિમાં છે. આ સમયે જ પવિત્ર બનવા માટે મહેનત કરવી પડે. યોગબળ થી તમે વિશ્વનાં માલિક બનો છો, યોગબળ છે મુખ્ય. બાપ કહે છે ભક્તિમાર્ગ નાં યજ્ઞ તપ વગેરે થી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતાં. સતો-રજો-તમો માં જવાનું જ છે. જ્ઞાન બહુજ સહજ અને રમણીક છે, મહેનત પણ છે. આ યોગની જ મહિમા છે જેનાથી તમારે સતોપ્રધાન બનવાનું છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાનો રસ્તો બાપ જ બતાવે છે. બીજું કોઈ આ જ્ઞાન આપી ન શકે. ભલે કોઈ ચંદ્રમા સુધી ચાલ્યાં જાય છે, કોઈ પાણી થી ચાલ્યાં જાય છે. પરતું તે કોઈ રાજયોગ નથી. નર થી નારાયણ તો નથી બની શકતાં. અહીંયા તમે સમજો છો આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં જે ફરી હમણાં બની રહ્યાં છીએ. સ્મૃતિ આવી છે. બાપે કલ્પ પહેલાં પણ આ સમજાવ્યું હતું. બાપ કહે છે નિશ્ચયબુદ્ધિ વિજયન્તી. નિશ્ચય નથી તો તે સાંભળવા આવશે જ નહીં. નિશ્ચયબુદ્ધિ થી પછી સંશયબુદ્ધિ પણ બની જાય છે. બહુજ સારા-સારા મહારથી પણ સંશય માં આવી જાય છે. માયાનાં થોડા તોફાન આવવાથી દેહ-અભિમાન આવી જાય છે.

આ બાપદાદા બંનેવ કમબાઇન્ડ (ભેગા) છે ને. શિવબાબા જ્ઞાન આપે છે પછી ચાલ્યાં જાય છે કે શું થાય છે, કોણ બતાવે. બાબા ને પૂછીએ શું આપ સદૈવ છો કે ચાલ્યાં જાઓ છો? બાપ થી તો આ નથી પૂછી શકતાં ને. બાપ કહે છે હું તમને રસ્તો બતાવું છું પતિત થી પાવન થવાનો. આવું, જવું, મારે તો બહુજ કામ કરવા પડે છે. બાળકોની પાસે પણ જાઉં છું, એમનાથી કાર્ય કરાવું છું. આમાં સંશય ની કોઈ વાત ન લાવો. આપણું કામ છે - બાપ ને યાદ કરવાં. સંશય માં આવવાથી પડી જાય છે. માયા થપ્પડ જોર થી મારી દે છે. બાપે કહ્યું છે અનેક જન્મોનાં અંતનાં પણ અંતમાં હું આમનામાં આવું છું. બાળકોને નિશ્ચય છે બરાબર બાપ જ અમને આ જ્ઞાન આપી રહ્યાં છે, બીજું કોઈ આપી ન શકે. તો પણ આ નિશ્ચય થી કેટલા પડી જાય છે, આ બાપ જાણે છે. તમારે પાવન બનવું છે તો બાપ કહે છે મામેકમ્ યાદ કરો, બીજી કોઈ વાતોમાં નહીં પડો. તમે આ આવી વાતો કરો છો તો સમજમાં આવે છે - પાક્કો નિશ્ચય નથી. પહેલા એક વાતને સમજો જેનાથી તમારા પાપ નાશ થાય છે, બાકી ફાલતુ વાતો કરવાની જરુર નથી. બાપની યાદ થી વિકર્મ વિનાશ થશે પછી બીજી વાતોમાં કેમ જાઓ છો! જુઓ કોઈ પ્રશ્ન-ઉત્તર માં મૂંઝાય છે તો એમને કહો કે તમે આ વાતોને છોડી એક બાપની યાદમાં રહેવાનો પુરુષાર્થ કરો. સંશય માં આવ્યાં તો ભણતર જ છોડી દેશો પછી કલ્યાણ જ નહીં થશે. નાડી જોઈને સમજાવવાનું છે. સંશય માં છે તો એક પોઈન્ટ પર ઉભાં કરી દેવાનાં છે. બહુજ યુક્તિ થી સમજાવવું પડે છે. બાળકોને પહેલા આ નિશ્ચય હોય - બાબા આવેલાં છે, અમને પાવન બનાવી રહ્યાં છે. આ તો ખુશી રહે છે. નહીં ભણશે તો નપાસ થઈ જશે, એમને ખુશી પણ કેમ આવશે. સ્કૂલમાં અભ્યાસ તો એક જ હોય છે. પછી કોઈ ભણીને લાખોની કમાણી કરે છે, કોઈ ૫-૧૦ રુપિયા કમાય છે. તમારું લક્ષ્ય-હેતુ જ છે નર થી નારાયણ બનવાનું. રાજાઇ સ્થાપન થાય છે. તમે મનુષ્ય થી દેવતા બનશો. દેવતાઓની તો મોટી રાજધાની છે, એમાં ઉંચ પદ પામવું તે પછી ભણતર અને એક્ટિવિટી (પ્રવૃત્તિ) પર છે. તમારી એક્ટિવિટી બહુ સારી હોવી જોઈએ. બાબા પોતાનાં માટે પણ કહે છે- હમણાં કર્માતીત અવસ્થા નથી બની. મારે પણ સંપૂર્ણ બનવાનું છે, હમણાં બન્યાં નથી. જ્ઞાન તો બહુ સહજ છે. બાપ ને યાદ કરવું પણ સહજ છે પરંતુ જ્યારે કરે તો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

 

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાતમાં સંશય બુદ્ધિ બની ભણતર નથી છોડવાનું. પહેલાં તો પાવન બનવા માટે એક બાપ ને યાદ કરવાનાં છે, બીજી વાતોમાં નથી જવાનું.

2. શરીર પર નજર જવાથી વિઘ્ન આવે છે, એટલે ભ્રકુટી માં જોવાનું છે. આત્મા સમજી, આત્મા થી વાત કરવાની છે. આત્મ-અભિમાની બનવાનું છે. નિડર બનીને સેવા કરવાની છે.

વરદાન :-
દૃઢ સંકલ્પ દ્વારા કમજોરીઓ રુપી કળયુગી પર્વત ને સમાપ્ત કરવા વાળા સમર્થી સ્વરુપ ભવ .

દિલ શિકસ્ત થવું, કોઈ પણ સંસ્કાર કે પરિસ્થિતિ નાં વશીભૂત થવું, વ્યક્તિ કે વૈભવો નાં તરફ આકર્ષિત થવું - આ બધાં કમજોરીઓ રુપી કળયુગી પર્વતને દૃઢ સંકલ્પ ની આંગળી આપીને સદાકાળ માટે સમાપ્ત કરો અર્થાત્ વિજયી બનો. વિજય અમારા ગળા ની માળા છે - સદા આ સ્મૃતિ થી સમર્થી સ્વરુપ બનો. આ જ સ્નેહનું રિટર્ન (વળતર) છે. જેમ સાકાર બાપે સ્થિતિ નો સ્તંભ બની ને દેખાડ્યું એમ ફોલો ફાધર કરી સર્વ ગુણોનાં સ્તંભ બનો.

સ્લોગન :-
સાધન સેવાઓ માટે છે, આરામ પસંદ બનવા માટે નથી.