13-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.03.87
બાપદાદા મધુબન
“ સાચાં રુહાની આશિક ની
નિશાનીઓ ”
આજે રુહાની માશૂક
પોતાનાં રુહાની આશિક આત્માઓથી મળવા માટે આવ્યાં છે. આખાં કલ્પ માં આ સમયે જ રુહાની
માશૂક અને આશિકોનું મિલન થાય છે. બાપદાદા પોતાનાં દરેક આશિક આત્માને જોઈ હર્ષિત થાય
છે - કેવી રીતે રુહાની આકર્ષણ થી આકર્ષિત થઈ પોતાનાં સાચાં માશૂક ને જાણી લીધાં,
પામી લીધાં છે! ખોવાયેલાં આશિક ને જોઈ માશૂક પણ ખુશ થાય છે કે ફરીથી પોતાનાં યથાર્થ
ઠેકાણા પર પહોંચી ગયાં. આવાં સર્વ પ્રાપ્તિ કરાવવા વાળા માશૂક બીજા કોઈ મળી ન શકે.
રુહાની માશૂક સદા પોતાનાં આશિકો થી મળવા માટે ક્યાં આવે છે? જેવાં શ્રેષ્ઠ માશૂક અને
આશિક છે, એવાં જ શ્રેષ્ઠ સ્થાન પર મળવા માટે આવે છે. આ કયું સ્થાન છે જ્યાં મિલન
મનાવી રહ્યાં છો? આ જ સ્થાન ને જે પણ કહો, સર્વ નામ આ સ્થાન ને આપી શકાય છે. આમ
મળવાનાં સ્થાન જે અતિ પ્રિય લાગે છે તે કયાં હોય છે? મિલન કાં ફૂલોનાં બગીચામાં થાય
છે કાં સાગરનાં કિનારા પર મળવાનું હોય છે, જેને તમે લોકો બીચ (સમુદ્રનો કિનારો) કહો
છો. તો હવે ક્યાં બેઠા છો? જ્ઞાન સાગરનાં કિનારે રુહાની મિલનનાં સ્થાન પર બેઠા છો.
રુહાની અથવા ગોડલી ગાર્ડન (અલ્લાહ નો બગીચો) છે. બીજા તો અનેક પ્રકારનાં બગીચા જોયાં
છે પરંતુ આવો બગીચો જ્યાં દરેક એકબીજાથી વધારે ખીલેલાં ફૂલ છે, એક-એક શ્રેષ્ઠ
સુંદરતાથી પોતાની સુગંધ આપી રહ્યાં છે - એવો બગીચો છે. આ જ બીચ પર બાપદાદા અથવા
માશૂક મળવા આવે છે. તે અનેક બીચ જોયાં, પરંતુ આવો બીચ ક્યારેય જોયો જ્યાં જ્ઞાન
સાગરનાં સ્નેહ ની લહેરો, શક્તિ ની લહેરો, ભિન્ન-ભિન્ન લહેરો લહેરાઈને સદાનાં માટે
રીફ્રેશ કરી દે છે? આ સ્થાન પસંદ છે ને? સ્વચ્છતા પણ છે અને રમણીકતા પણ છે. સુંદરતા
પણ છે. એટલી જ પ્રાપ્તિઓ પણ છે. આવું મનોરંજન નું વિશેષ સ્થાન આપ આશિકોનાં માટે
માશૂકે બનાવ્યું છે જ્યાં આવવાથી મહોબ્બતની લકીર (રેખા) ની અંદર પહોંચતા જ અનેક
પ્રકારની મહેનત થી છૂટી જાઓ. સૌથી મોટી મહેનત - નેચરલ યાદની, તે સહજ અનુભવ કરો છો
બીજી કઈ મહેનત થી છૂટો છો? લૌકિક નોકરી થી પણ છૂટી જાઓ છો. ભોજન બનાવવાથી પણ છૂટી
જાઓ છો. બધું બન્યું બનેલું મળે છે ને. યાદ પણ સ્વતઃ અનુભવ થાય. જ્ઞાન રત્નોની ઝોલી
પણ ભરાતી રહે. એવાં સ્થાન પર જ્યાં મહેનત થી છૂટી જાઓ છો અને મહોબ્બત માં લીન થઇ
જાઓ છો.
આમ પણ સ્નેહની નિશાની વિશેષ એ જ ગવાય છે કે બે, બે ન રહે પરંતુ બે મળીને એક થઈ જાય.
આને જ સમાઈ જવું કહે છે. ભક્તોએ આ જ સ્નેહની સ્થિતિને સમાઈ જવું કે લીન થવું કહી
દીધું છે. તે લોકો લીન થવાનો અર્થ નથી સમજતાં. લવ માં લીન થવું - આ સ્થિતિ છે પરંતુ
સ્થિતિનાં બદલે તેમણે આત્માનાં અસ્તિત્વ ને સદાનાં માટે સમાપ્ત કરવાનું સમજી લીધું
છે. સમાઈ જવું અર્થાત્ સમાન બની જવું. જ્યારે બાપનાં અથવા રુહાની માશૂકનાં મિલન માં
મગ્ન થઈ જાઓ છો તો બાપ સમાન બનવા અથવા સમાઈ જવાનો અર્થાત્ સમાન બનવાનો અનુભવ કરો
છો. આ જ સ્થિતિને ભક્તોએ સમાઈ જવું કહ્યું છે. લીન પણ થાઓ છો, સમાઈ પણ જાઓ છો. પરંતુ
આ મિલનનાં મહોબ્બતની સ્થિતિની અનુભૂતિ છે. સમજ્યાં! એટલે બાપદાદા પોતાનાં આશિકો ને
જોઈ રહ્યાં છે.
સાચાં આશિક અર્થાત્ સદા આશિક, નેચરલ (સ્વતઃ) આશિક. સાચાં આશિક ની વિશેષતાઓ જાણો પણ
છો. છતાં પણ તેમની મુખ્ય નિશાનીઓ છે:-
પહેલી નિશાની
-
એક માશૂક
દ્વારા સર્વ સંબંધોની સમય પ્રમાણે અનુભૂતિ કરવી. માશૂક એક છે પરંતુ એકની સાથે સર્વ
સંબંધ છે. જે સંબંધ ઈચ્છો અને જે સમયે જે સંબંધની આવશ્યકતા છે, તે સમયે તે સંબંધનાં
રુપથી પ્રીતિ ની રીતિ દ્વારા અનુભવ કરી શકો છો. તો પહેલી નિશાની છે - સર્વ સંબંધોની
અનુભૂતિ. ‘સર્વ’ શબ્દને અન્ડરલાઇન (નોંધ) કરજો. ફક્ત સંબંધ નહીં. ઘણાં એવાં નટખટ
આશિક પણ છે જે સમજે છે સંબંધ તો જોડાઈ ગયો છે. પરંતુ સર્વ સંબંધ જોડાયાં છે? અને
બીજી વાત - સમય પર સંબંધની અનુભૂતિ થાય છે? નોલેજ નાં આધાર પર સંબંધ છે કે દિલ ની
અનુભૂતિ થી સંબંધ છે? બાપદાદા સાચાં દિલ પર રાજી છે. ફક્ત તીવ્ર દિમાગ વાળા પર રાજી
નથી, પરંતુ દિલારામ દિલ પર રાજી છે એટલે દિલનો અનુભવ દિલ જાણે, દિલારામ જાણે.
સમાવવાનું સ્થાન દિલ કહેવાય છે, દિમાગ નહીં. નોલેજ ને સમાવવાનું સ્થાન દિમાગ છે,
પરંતુ માશૂક ને સમાવવાનું સ્થાન દિલ છે. માશૂક આશિકોની વાતો જ સંભળાવશે ને. કોઈ-કોઈ
આશિક દિમાગ વધારે ચલાવે પરંતુ દિલ થી દિમાગ ની મહેનત અડધી થઇ જાય છે. જે દિલથી સેવા
કરે અથવા યાદ કરે, તેમની મહેનત ઓછી અને સંતુષ્ટતા વધારે થાય અને જે દિલનાં સ્નેહ થી
નથી યાદ કરતાં, ફક્ત નોલેજનાં આધાર પર દિમાગ થી યાદ કરે અથવા સેવા કરે છે, તેમને
મહેનત વધારે કરવી પડે, સંતુષ્ટતા ઓછી થાય. ભલે સફળતા પણ થઈ જાય, તો પણ દિલની
સંતુષ્ટતા ઓછી હશે. એ જ વિચારતા રહેશે - થયું તો સારું, પરંતુ છતાં, છતાં પણ…. કરતાં
રહેશે અને દિલવાળા સદા સંતુષ્ટતા નાં ગીત ગાતાં રહેશે. દિલની સંતુષ્ટતા નાં ગીત,
મુખની સંતુષ્ટતા નાં ગીત નહીં. સાચાં આશિક દિલ થી સર્વ સંબંધો નો સમય પ્રમાણે અનુભવ
કરે છે.
બીજી નિશાની -
સાચાં આશિક દરેક પરિસ્થિતિમાં, દરેક કર્મમાં સદા પ્રાપ્તિની ખુશીમાં હશે. એક છે
અનુભૂતિ, બીજી છે તેનાથી પ્રાપ્તિ. ઘણાં અનુભૂતિ પણ કરે છે કે હાં, મારા બાપ પણ છે,
સાજન પણ છે. બાળક પણ છે પરંતુ પ્રાપ્તિ જેટલી ઈચ્છે એટલી નથી થતી. બાપ છે, પરંતુ
વારસા ની પ્રાપ્તિની ખુશી નથી રહેતી. અનુભૂતિની સાથે સર્વ સંબંધો દ્વારા પ્રાપ્તિનો
પણ અનુભવ થાય. જેમ - બાપનાં સંબંધ દ્વારા સદા વારસાની પ્રાપ્તિની મહેસૂસતા હોય,
ભરપૂરતા હોય. સદ્દગુરુ દ્વારા સદા વરદાનો થી સંપન્ન સ્થિતિનો અથવા સદા સંપન્ન
સ્વરુપ નો અનુભવ હોય. તો પ્રાપ્તિ નો અનુભવ પણ આવશ્યક છે. એ છે સંબંધોનો અનુભવ, આ
છે પ્રાપ્તિઓનો અનુભવ. ઘણાંઓને સર્વ પ્રાપ્તિઓનો અનુભવ નથી થતો. માસ્ટર
સર્વશક્તિવાન છે પરંતુ સમય પર શક્તિઓની પ્રાપ્તિ નથી થતી. પ્રાપ્તિની અનુભૂતિ નથી
તો પ્રાપ્તિ માં પણ કમી છે. તો અનુભૂતિની સાથે પ્રાપ્તિ સ્વરુપ પણ બનો - આ છે સાચાં
આશિક ની નિશાની.
ત્રીજી નિશાની
-
જે આશિક ને
અનુભૂતિ છે, પ્રાપ્તિ પણ છે તે સદા તૃપ્ત રહેશે, કોઈ પણ વાતમાં અપ્રાપ્ત આત્મા નહીં
લાગશે. તો, ‘તૃપ્તિ’ - આ આશિક ની વિશેષતા છે. જ્યાં પ્રાપ્તિ છે, ત્યાં તૃપ્તિ જરુર
છે. જો તૃપ્ત નથી તો અવશ્ય પ્રાપ્તિમાં કમી છે અને પ્રાપ્તિ નથી તો સર્વ સંબંધોની
અનુભૂતિમાં કમી છે. તો ૩ નિશાનીઓ છે - અનુભૂતિ, પ્રાપ્તિ અને તૃપ્તિ. સદા તૃપ્ત
આત્મા. જેવો પણ સમય હોય, જેવું પણ વાયુમંડળ હોય, જેવાં પણ સેવાનાં સાધનો હોય, જેવાં
પણ સેવાનાં સંગઠનનાં સાથી હોય પરંતુ દરેક હાલ માં, દરેક ચાલ માં તૃપ્ત હોય. એવાં
સાચાં આશિક છો ને? તૃપ્ત આત્મામાં કોઈ હદ ની ઈચ્છા નહીં હશે. આમ જુઓ તો તૃપ્ત આત્મા
ખુબ મૈનોરીટી (થોડી) હોય છે. કોઈને કોઈ વાતમાં ભલે માન ની, ભલે શાન ની ભૂખ હોય છે.
ભૂખ વાળા ક્યારેય તૃપ્ત નથી હોતાં. જેનું સદા પેટ ભરેલું હોય, તે તૃપ્ત હોય છે. તો
જેમ શરીર નાં ભોજનની ભૂખ છે, તેમ મન ની ભૂખ છે - શાન, માન, સૈલવેશન (બચાવ), સાધન. આ
મનની ભૂખ છે. તો જેમ શરીરની તૃપ્તિ વાળા સદા સંતુષ્ટ હશે, તેમ મનની તૃપ્તિ વાળા સદા
સંતુષ્ટ હશે. સંતુષ્ટતા તૃપ્તિ ની નિશાની છે. જો તૃપ્ત આત્મા નહીં હશે, ભલે શરીરની
ભૂખ, ભલે મનની ભૂખ હશે તો જેટલું પણ મળશે, મળશે પણ વધારે પરંતુ તૃપ્ત આત્મા ન હોવાનાં
કારણે સદા અતૃપ્ત રહેશે. અસંતુષ્ટતા રહે છે. જે રોયલ હોય છે, તે થોડા માં તૃપ્ત થાય
છે. રોયલ આત્માઓની નિશાની - સદા ભરપૂર હશે, એક રોટલી માં પણ તૃપ્ત તો ૩૬ પ્રકારનાં
ભોજન માં પણ તૃપ્ત હશે. અને જે અતૃપ્ત હશે, તે ૩૬ પ્રકારનાં ભોજન મળવા છતાં પણ
તૃપ્ત નહીં હશે કારણ કે મન ની ભૂખ છે. સાચાં આશિક ની નિશાની - સદા તૃપ્ત આત્મા હશે.
તો ત્રણેવ નિશાનીઓ ચેક કરો. સદૈવ આ વિચારો - ‘અમે કોના આશિક છીએ! જે સદા સંપન્ન છે,
એવાં માશૂક નાં આશિક છીએ!’ તો સંતુષ્ટતા ક્યારેય નહીં છોડો. સેવા છોડી દો પરંતુ
સંતુષ્ટતા નહીં છોડો. જે સેવા અસંતુષ્ટ બનાવે તે સેવા, સેવા નથી. સેવાનો અર્થ જ છે
મેવા આપવા વાળી સેવા. તો સાચાં આશિક સર્વ હદની ઇચ્છાઓથી પરે, સદા સંપન્ન અને સમાન
હશે.
આજે આશિકોની કહાનીઓ સંભળાવી રહ્યાં છે. નાઝ, નખરા પણ ખુબ કરે છે. માશૂક પણ જોઈ-જોઈ
સ્મિત કરતાં રહે છે. નાઝ, નખરા ભલે કરો પરંતુ માશૂક ને માશૂક સમજીને તેમની સામે કરો,
બીજાઓની સામે નહીં. ભિન્ન-ભિન્ન હદનાં સ્વભાવ, સંસ્કાર નાં નખરા અને નાઝ કરે છે.
જ્યાં મારો સ્વભાવ, મારા સંસ્કાર શબ્દ આવે છે, ત્યાં પણ નાઝ, નખરા શરું થઈ જાય છે.
બાપ નો સ્વભાવ એ મારો સ્વભાવ હોય. મારો સ્વભાવ બાપનાં સ્વભાવ થી ભિન્ન હોઈ ન શકે.
તે માયા નો સ્વભાવ છે, પારકો સ્વભાવ છે. તેને મારો કેવી રીતે કહેશો? માયા પારકી છે,
પોતાની નથી. બાપ પોતાનાં છે. મારો સ્વભાવ અર્થાત્ બાપ નો સ્વભાવ. માયાનાં સ્વભાવ ને
મારો કહેવું પણ રોંગ (ખોટું) છે. ‘મારો’ શબ્દ જ ફેરા માં લાવે છે અર્થાત્ ચક્ર માં
લાવે છે. આશિક, માશૂકની આગળ આવાં નાઝ-નખરા પણ દેખાડે છે. જે બાપનું તે મારું. દરેક
વાતમાં ભક્તિમાં પણ આ જ કહે છે - જે તારું સો મારું, બીજું મારું કાંઈ નથી. પરંતુ
જે તારું સો મારું. જે બાપ નો સંકલ્પ, તે મારો સંકલ્પ. સેવા નો પાર્ટ ભજવવાનાં બાપનાં
સ્વભાવ-સંસ્કાર, તે મારાં. તો આનાથી શું થશે? હદનું મારું, તારું થઈ જશે. તારું સો
મારું, મારું અલગ નથી. જે પણ બાપ થી ભિન્ન છે, તે મારું છે જ નહીં, તે માયાનાં ફેરા
છે એટલે આ હદ નાં નાઝ-નખરા થી નીકળી રુહાની નાઝ - હું તારી અને તું મારો,
ભિન્ન-ભિન્ન સંબંધની અનુભૂતિ નાં રુહાની નખરા ભલે કરો. પરંતુ આ નહીં કરો. સંબંધ
નિભાવવામાં પણ રુહાની નખરા કરી શકો છો. મહોબ્બત ની પ્રીત નાં નખરા સારા હોય છે.
ક્યારેક સખાનાં સંબંધ થી મહોબ્બત નાં નખરા નો અનુભવ કરો. તે નખરા નથી પરંતુ
નિરાળાપણું છે. સ્નેહ નાં નખરા પ્રિય હોય છે. જેમ નાનાં બાળકો બહુ સ્નેહી અને પ્યોર
(પવિત્ર) હોવાનાં કારણે તેમનાં નખરા બધાને સારા લાગે છે. શુદ્ધતા અને પવિત્રતા હોય
છે બાળકોમાં. બીજા મોટાઓ કોઈ નખરા કરે તો તે ખરાબ મનાય છે. તો બાપ થી ભિન્ન-ભિન્ન
સંબંધ નાં, સ્નેહ નાં, પવિત્રતા નાં નાઝ-નખરા ભલે કરો, જો કરવાં જ હોય તો.
‘સદા હાથ અને સાથ’ જ સાચાં આશિક માશૂક ની નિશાની છે. સાથ અને હાથ ન છૂટે. સદા બુદ્ધિ
નો સાથ હોય અને બાપનાં દરેક કાર્યમાં સહયોગ નો હાથ હોય. એકબીજાનાં સહયોગ ની નિશાની
હાથમાં હાથ મળાવીને દેખાડે છે. તો સદા બાપનાં સહયોગી બનવું - આ છે સદા હાથમાં હાથ
અને સદા બુદ્ધિ થી સાથે રહેવું. મનની લગન, બુદ્ધિ નો સાથ. આ સ્થિતિમાં રહેવું
અર્થાત્ સાચાં આશિક અને માશૂક નાં પોઝ (મુદ્રા) માં રહેવું. સમજ્યાં? વાયદો જ એ છે
કે સદા સાથે રહીશું. ક્યારેક-ક્યારેક સાથ નિભાવશું - આ વાયદો નથી. મન નો લગાવ
ક્યારેક માશૂક થી હોય અને ક્યારેક ન હોય તો તે સદા સાથ તો ન થયો ને, એટલે આ જ સાચાં
આશિકપણા ની પોઝિશન (સ્થિતિ) માં રહો. દૃષ્ટિ માં પણ માશૂક, વૃત્તિ માં પણ માશૂક,
સૃષ્ટિ જ માશૂક.
તો આ માશૂક અને આશિકો ની મહેફિલ છે. બગીચો પણ છે તો સાગર નો કિનારો પણ છે. આ
વન્ડરફુલ આવો પ્રાઇવેટ બીચ (સાગર નો કિનારો) છે, જે હજારો ની વચ્ચે (મધ્ય) પણ
પ્રાઇવેટ છે. દરેક અનુભવ કરે - મારી સાથે માશૂક નો પર્સનલ (વ્યક્તિગત) પ્રેમ છે.
દરેકને પર્સનલ પ્રેમની ફીલિંગ પ્રાપ્ત થવી - એ જ વન્ડરફુલ માશૂક અને આશિક છે. છે એક
માશૂક પરંતુ છે બધાનાં. સૌનો અધિકાર સૌથી વધારે છે. દરેક નો અધિકાર છે. અધિકાર માં
નંબર નથી, અધિકાર પ્રાપ્ત કરવામાં નંબર થઈ જાય છે. સદા આ સ્મૃતિ રાખો કે ‘ગોડલી
ગાર્ડન માં હાથ અને સાથ આપી ચાલી રહ્યાં છો કે બેઠા છો. રુહાની બીચ પર હાથ અને સાથ
આપી મોજ મનાવી રહ્યાં છો.’ તો સદા મનોરંજન માં રહેશો, સદા ખુશ રહેશો, સદા સંપન્ન
રહેશો. અચ્છા.
આ ડબલ વિદેશી પણ ડબલ લક્કી (ભાગ્યશાળી) છે, સારું છે જે હમણાં સુધી પહોંચી ગયાં.
આગળ ચાલીને શું પરિવર્તન થાય છે, તે તો ડ્રામા. પરંતુ ડબલ લક્કી છો જે સમય પ્રમાણે
પહોંચી ગયાં છો. અચ્છા.
સદા અવિનાશી આશિક બની રુહાની માશૂક થી પ્રીતિ ની રીતિ નિભાવવા વાળા, સદા સ્વયંને
સર્વ પ્રાપ્તિઓથી સમ્પન્ન અનુભવ કરવા વાળા, સદા દરેક સ્થિતિ કે પરિસ્થિતિ માં તૃપ્ત
રહેવા વાળા, સદા સંતુષ્ટતાનાં ખજાનાથી ભરપૂર બની બીજાઓને પણ ભરપૂર કરવા વાળા, એવાં
સદા નો સાથ અને હાથ મળાવવા વાળા સાચાં આશિકો ને રુહાની માશૂક નાં દિલ થી યાદપ્યાર
અને નમસ્તે.
વરદાન :-
સદા શ્રેષ્ઠ
અને નવાં પ્રકારની સેવા દ્વારા વૃદ્ધિ કરવા વાળા સહજ સેવાધારી ભવ
સંકલ્પો દ્વારા
ઈશ્વરીય સેવા કરવી એ પણ સેવાની શ્રેષ્ઠ અને નવી રીત છે, જેમ ઝવેરી રોજ સવારે પોતાનાં
દરેક રત્નો ને તપાસ કરે છે કે સાફ છે, ચમક ઠીક છે, ઠીક જગ્યાં પર રાખ્યાં છે...એમ
રોજ અમૃતવેલાએ પોતાનાં સંપર્કમાં આવવા વાળી આત્માઓ પર સંકલ્પ દ્વારા નજર દોડાવો,
જેટલું તમે તેમને સંકલ્પ થી યાદ કરશો એટલાં તે સંકલ્પ તેમની પાસે પહોંચશે...આ
પ્રકારે સેવા ની નવી રીત અપનાવી વૃદ્ધિ કરતાં ચાલો. તમારા સહજયોગ ની સૂક્ષ્મ શક્તિ
આત્માઓ ને તમારી તરફ સ્વત: આકર્ષિત કરશે.
સ્લોગન :-
બહાનાબાજી ને
મર્જ (વિસ્મૃત) કરો અને બેહદની વૈરાગ્ય વૃત્તિને ઇમર્જ (જાગૃત) કરો.