15-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હવે ઘરે જવાનું છે એટલે દેહ સહિત દેહનાં બધાં સંબંધોને ભૂલી મામેકમ્ યાદ કરો અને પાવન બનો ”

પ્રશ્ન :-
આત્માનાં સંબંધમાં કઈ એક સૂક્ષ્મ વાત સૂક્ષ્મ બુદ્ધિવાળા જ સમજી શકે છે?

ઉત્તર :-
આત્મા પર સોય ની જેમ ધીરે-ધીરે જંક (કાટ) ચઢતી ગઈ છે. તે યાદમાં રહેવાથી ઉતરતી જશે. જ્યારે જંક ઉતરે અર્થાત્ આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બને ત્યારે બાપની ખેંચ થાય અને તે બાપની સાથે પાછી જઈ શકે. ૨. જેટલી જંક ઉતરતી જશે એટલું બીજાઓને સમજાવવામાં ખેંચશે. આ વાતો ખુબ સૂક્ષ્મ છે, જે મોટી બુદ્ધિ વાળા સમજી નથી શકતાં.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ. હવે બુદ્ધિમાં કોણ આવ્યું? તે જે ગીતા પાઠશાળાઓ વગેરે છે તેમને તો ભગવાનુવાચ કહેવાથી શ્રીકૃષ્ણ જ બુદ્ધિમાં આવશે. અહીંયા આપ બાળકોને તો ઊંચે થી ઊંચા બાપ યાદ આવશે. આ સમયે આ છે સંગમયુગ, પુરુષોત્તમ બનવાનો. બાપ બાળકોને બેસીને સમજાવે છે કે દેહ સહિત દેહનાં બધાં સંબંધ તોડી પોતાને આત્મા સમજો. આ ખુબ જરુરી વાત છે, જે આ સંગમયુગ પર બાપ સમજાવે છે. આત્મા જ પતિત બની છે. પછી આત્માએ પાવન બની ઘરે જવાનું છે. પતિત-પાવન ને યાદ કરતા આવ્યાં છે, પરંતુ જાણતા કાંઈ નથી. ભારતવાસી બિલ્કુલ જ ઘોર અંધારામાં છે. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. રાત નાં અંધારુ, દિવસમાં અજવાળું હોય છે. દિવસ છે સતયુગ, રાત છે કળયુગ. હમણાં તમે કળયુગ માં છો, સતયુગ માં જવાનું છે. પાવન દુનિયામાં પતિત નો સવાલ જ નથી. જ્યારે પતિત થાય છે તો પાવન થવાનો સવાલ ઊઠે છે. જ્યારે પાવન છે તો પતિત દુનિયા યાદ પણ નથી. હમણાં પતિત દુનિયા છે તો પાવન દુનિયા યાદ આવે છે. પતિત દુનિયા અંત નો ભાગ છે, પાવન દુનિયા છે પહેલો ભાગ. ત્યાં કોઈ પતિત હોઈ ન શકે. જે પાવન હતાં પછી પતિત બન્યાં છે. ૮૪ જન્મ પણ તેમનાં સમજાવાય છે. આ ખુબ ગુહ્ય વાતો સમજવાની છે. અડધોકલ્પ ભક્તિ કરી છે, તે એટલું જલ્દી છૂટી ન શકે. મનુષ્ય બિલ્કુલ જ ઘોર અંધકારમાં છે, કરોડો માં કોઈ જ નીકળે છે, મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસશે. મુખ્ય વાત તો બાપ કહે છે દેહનાં બધાં સંબંધ ભૂલી મામેકમ્ યાદ કરો. આત્મા જ પતિત બની છે, તેને પવિત્ર બનવાનું છે. આ સમજણ પણ બાપ જ આપે છે કારણ કે આ બાપ આચાર્ય, સોની, ડોક્ટર, બેરિસ્ટર (વકીલ) બધું જ છે. આ નામ ત્યાં રહેશે નહીં. ત્યાં આ ભણતર પણ નહીં રહેશે. અહીંયા ભણે છે નોકરી કરવાં માટે. પહેલાં સ્ત્રી આટલું ભણતી નહોતી. આ બધું પછી શીખી છે. પતિ મરી જાય તો સંભાળ કોણ કરે? એટલે સ્ત્રી પણ બધું શીખતી રહી છે. સતયુગમાં તો આવી વાતો હોતી નથી જે ચિંતન કરવું પડે. અહીંયા મનુષ્ય ધન વગેરે ભેગું કરે છે, એવાં સમયનાં માટે. ત્યાં તો એવાં ખ્યાલાત જ નથી જે ચિંતા કરવી પડે. બાપ આપ બાળકોને કેટલાં ધનવાન બનાવી દે છે. સ્વર્ગમાં તો ખુબ ખજાનો રહે છે. હીરા-ઝવેરાતો ની ખાણો બધું ભરપૂર થઈ જાય છે. અહીંયા ઉજ્જડ જમીન થઈ જાય છે તો તે તાકાત નથી હોતી. ત્યાંના ફૂલો અને અહીંના ફૂલો વગેરે માં રાત-દિવસનો ફરક છે. અહીંયા તો બધી ચીજોમાંથી તાકાત જ નીકળી ગઈ છે. ભલે કેટલું પણ અમેરિકા વગેરે થી બીજ લઈ આવે છે પરંતુ તાકાત નીકળતી જાય છે. ધરણી જ એવી છે, જેમાં વધારે મહેનત કરવી પડે છે. ત્યાં તો દરેક ચીજ સતોપ્રધાન હોય છે. પ્રકૃતિ પણ સતોપ્રધાન તો બધું સતોપ્રધાન હોય છે. અહીંયા તો બધી ચીજો તમોપ્રધાન છે. કોઈ ચીજમાં તાકાત નથી રહી. આ ફરક પણ તમે સમજો છો. જ્યારે સતોપ્રધાન ચીજો જુઓ છો, તે તો ધ્યાનમાં જ જુઓ છો. ત્યાંના ફૂલ વગેરે કેટલાં સારા હોય છે. હોઈ શકે છે - ત્યાનું અનાજ વગેરે બધું તમને જોવામાં આવે. બુદ્ધિથી સમજી શકો છો. ત્યાંની દરેક ચીજ માં કેટલી તાકાત રહે છે. નવી દુનિયા કોઈની બુદ્ધિમાં આવતી જ નથી. આ જૂની દુનિયાની તો વાત નહીં પૂછો. ગપ્પા પણ ખુબ લાંબા-પહોળા લગાવે છે તો મનુષ્ય બિલ્કુલ અંધકાર માં સૂઈ ગયાં છે. તમે જણાવો છો બાકી થોડો સમય છે તો તમારા પર કોઈ હસે પણ છે. હકીકતમાં તો તે સમજે છે જે પોતાને બ્રાહ્મણ સમજે છે. આ નવી ભાષા, રુહાની ભણતર છે ને. જ્યાં સુધી સ્પ્રીચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા) ન આવે, કોઈ સમજી ન શકે. સ્પ્રીચ્યુઅલ ફાધર ને આપ બાળકો જાણો છો. તે લોકો જઈને યોગ વગેરે શીખવાડે છે, પરંતુ તેમને શીખવાડ્યું કોણે? એવું તો નહીં કહેશે સ્પ્રીચ્યુઅલ ફાધરે શીખવાડ્યું. બાપ તો શીખવાડે જ રુહાની બાળકોને છે. તમે સંગમયુગી બ્રાહ્મણ જ સમજો છો. બ્રાહ્મણ બનશે પણ તે જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હશે. બ્રાહ્મણ તમે કેટલાં થોડાં છો. દુનિયામાં તો ભિન્ન-ભિન્ન અથાહ જાતિઓ છે. એક પુસ્તક જરુર હશે જેનાથી ખબર પડશે કે દુનિયામાં કેટલાં ધર્મ, કેટલી ભાષાઓ છે. તમે જાણો છો આ બધું નહીં રહેશે. સતયુગમાં તો એક ધર્મ, એક ભાષા જ હતી. સૃષ્ટિ ચક્ર ને તમે જાણ્યું છે. તો ભાષાઓને પણ જાણી શકો છો કે આ બધું રહેશે નહીં. આટલાં બધાં શાંતિધામ ચાલ્યાં જશે. આ સૃષ્ટિનું જ્ઞાન હમણાં આપ બાળકોને મળ્યું છે. તમે મનુષ્યો ને સમજાવો છો છતાં પણ સમજે થોડી છે. કોઈ મોટા વ્યક્તિઓથી ઉદ્દઘાટન પણ એટલે કરાવે છે કારણ કે નામીગ્રામી છે. અવાજ ફેલાશે વાહ! પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ), પ્રાઇમ મિનિસ્ટરે (પ્રધાનમંત્રી) ઓપનિંગ કર્યુ. આ બાબા જાય તો મનુષ્ય થોડી સમજશે પરમપિતા પરમાત્માએ ઓપનિંગ કર્યુ, માનશે નહીં. કોઈ મોટા વ્યક્તિ કમિશનર વગેરે આવશે તો તેમની પાછળ વધારે જ ભાગશે. આમની પાછળ તો કોઈ નહીં ભાગશે. હમણાં આપ બ્રાહ્મણ બાળકો તો ખુબ થોડાં છો. જ્યારે મેજોરીટી (મોટી સંખ્યા) થશે ત્યારે સમજશે. હમણાં જો સમજી જાય તો બાપ ની પાસે ભાગે. એકે બાળકીને કહ્યું હતું કે જેમણે તમને આ શીખવાડ્યું અમે ડાયરેક્ટ કેમ નહીં એમની પાસે જઈએ. પરંતુ સોઈ પર કાટ લાગેલી છે તો ચુંબક ની કશિશ કેવી રીતે થાય? કાટ જ્યારે પૂરી નીકળે ત્યારે ચુંબક ને પકડી શકે. સોઈના એક ખૂણાને પણ કાટ ચઢેલી હશે તો એટલું ખેંચશે નહીં. આખી કાટ ઉતરી જાય એ તો અંત માં જ્યારે એવાં બનશે ત્યારે તો બાપની સાથે પાછાં જશે. હમણાં તો ફુરના (ફિકર) છે કે અમે તમોપ્રધાન છીએ, કાટ ચઢેલી છે. જેટલું યાદ કરશો એટલી કાટ સાફ થતી જશે. ધીમે-ધીમે કાટ નીકળતી જશે. કાટ ચઢી પણ ધીમે-ધીમે છે ને, પછી ઉતરશે પણ એવી રીતે. જેમ કાટ ચઢી છે તેમ સાફ થવાની છે તો તેનાં માટે બાપ ને યાદ પણ કરવાનાં છે. યાદ થી કોઈની વધારે કાટ ઉતરી છે, કોઈની ઓછી. જેટલી વધારે કાટ ઉતરી હશે એટલું તે બીજાઓને સમજાવવામાં ખેંચશે. આ ખુબ સૂક્ષ્મ વાતો છે. મોટી બુદ્ધિ વાળા સમજી ન શકે. તમે જાણો છો રાજાઈ સ્થાપન થઈ રહી છે. સમજાવવા માટે પણ દિવસ-પ્રતિદિવસ યુક્તિઓ નીકળતી રહે છે. પહેલાં થોડી ખબર હતી કે પ્રદર્શનીઓ, મ્યુઝિયમ વગેરે બનાવશું. આગળ જઈને થઈ શકે બીજું કંઈ નીકળે. હજી સમય તો પડ્યો છે, સ્થાપના થવાની છે. હાર્ટફેલ (હતાશ) પણ નથી થવાનું. કર્મેન્દ્રિયો ને વશ નથી કરી શકતાં તો પડી જાય છે. વિકારમાં ગયાં તો પછી સોઈ પર ખુબ કાટ લાગી જશે. વિકાર થી વધારે કાટ ચઢતી જાય છે. સતયુગ-ત્રેતા માં બિલ્કુલ થોડી, પછી અડધાકલ્પ માં જલ્દી-જલ્દી કાટ ચઢે છે. નીચે પડે છે એટલે નિર્વિકારી અને વિકારી ગવાય છે. નિર્વિકારી દેવતાઓની નિશાની છે ને. બાપ કહે છે દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. નિશાનીઓ તો છે ને. સૌથી સારી નિશાની આ ચિત્ર છે. તમે આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ઉઠાવી પરિક્રમા કરી શકો છો કારણ કે તમે આ બનો છો ને. રાવણ રાજ્ય નો વિનાશ, રામ રાજ્ય ની સ્થાપના થાય છે. આ રામ રાજ્ય, આ રાવણ રાજ્ય, આ છે સંગમ. અનેકાનેક પોઇન્ટસ છે. ડોક્ટર લોકોની બુદ્ધિ માં કેટલી દવાઓ યાદ રહે છે. બેરિસ્ટર ની બુદ્ધિમાં પણ અનેક પ્રકારની પોઇન્ટસ છે. અસંખ્ય ટોપિક્સ (વિષય) નું તો ખુબ જ સારું પુસ્તક બની શકે છે. પછી જ્યારે ભાષણ પર જાઓ તો પોઇન્ટસ નજર થી નીકાળો. શુરુડ બુદ્ધિવાળા ઝટ જોઈ લેશે. પહેલાં તો લખવું જોઈએ અમે આવું-આવું સમજાવશું. ભાષણ કર્યા પછી પણ યાદ આવે છે ને. આવું સમજાવ્યું હોત તો સારું થાત. આ પોઇન્ટ બીજાઓને સમજાવવાથી બુદ્ધિમાં બેસશે. ટોપિક્સ ની લિસ્ટ બનેલી હોય. પછી એક ટોપિક ઉઠાવી અંદરમાં ભાષણ કરવું જોઈએ કે લખવું જોઈએ. પછી જોવું જોઇએ બધી પોઇન્ટસ લખી છે? જેટલું માથું મારશો એટલું સારું છે. બાપ તો સમજે છે ને આ સારા સર્જન છે, આમની બુદ્ધિમાં ખુબ પોઇન્ટસ છે. ભરપૂર થઈ જશો તો સર્વિસ વગર મજા નહીં આવશે.

તમે પ્રદર્શની કરો છો તો ક્યાંક થી ૨-૪, ક્યાંક થી ૬-૮ નીકળે છે. ક્યાંક તો એક પણ નથી નીકળતાં. હજારોએ જોયું, નીકળ્યાં કેટલાં થોડાં એટલે હવે મોટા-મોટા ચિત્ર પણ બનાવતાં રહે છે. તમે હોશિયાર થતાં જાઓ છો. મોટા-મોટા વ્યક્તિઓની શું હાલત છે, તે પણ તમે જુઓ છો. બાબાએ સમજાવ્યું છે તપાસ કરવાની છે કોને આ નોલેજ આપવું જોઈએ. નાડી જોવી જોઈએ જે મારા ભક્ત હોય. ગીતા વાળાઓને મુખ્ય વાત એક જ સમજાવો - ભગવાન ઊંચે થી ઊંચા ને જ કહેવાય છે. એ છે નિરાકાર. કોઈપણ દેહધારી મનુષ્યો ને ભગવાન ન કહી શકાય. આપ બાળકોને હમણાં બધી સમજ આવી છે. સન્યાસી પણ ઘર નો સન્યાસ કરી ભાગે છે. કોઈ બ્રહ્મચારી જ ચાલ્યાં જાય છે. પછી બીજા જન્મમાં પણ એવું થાય છે. જન્મ તો જરુર માતાનાં ગર્ભ થી જ લે છે. જ્યાં સુધી લગ્ન નથી કર્યા તો બંધનમુક્ત છે, એટલાં કોઈ સંબંધી વગેરે યાદ નહીં આવશે. લગ્ન કર્યા તો પછી સંબંધ યાદ આવશે. સમય લાગે છે, જલ્દી બંધનમુક્ત નથી થતાં. પોતાની જીવન કહાની ની ખબર તો બધાને રહે છે. સન્યાસી સમજતા હશે પહેલાં અમે ગૃહસ્થી હતાં પછી સન્યાસ કર્યો. તમારો છે ઉંચ સંન્યાસ એટલે મહેનત થાય છે. તે સન્યાસી ભભૂત લગાવે, વાળ ઉતારે, વેષ બદલે. તમારે તો એવું કરવાની દરકાર નથી. અહીંયા તો ડ્રેસ બદલવાની પણ વાત નથી. તમે સફેદ સાડી ન પહેરો તો પણ વાંધો નથી. આ તો બુદ્ધિ નું જ્ઞાન છે. આપણે આત્મા છીએ બાપ ને યાદ કરવાનાં છે આનાથી જ કાટ નીકળશે અને આપણે સતોપ્રધાન બની જઈશું. પાછાં તો બધાએ જવાનું છે. કોઈ યોગબળ થી પાવન બની જશે, કોઈ સજા ખાઈને જશે. આપ બાળકોએ તો જંક ઉતારવાની જ મહેનત કરવી પડે છે, એટલે આને યોગ અગ્નિ પણ કહેવાય છે. અગ્નિ થી પાપ ભસ્મ થાય છે. તમે પવિત્ર થઈ જશો. કામ ચિતા ને પણ અગ્નિ કહે છે. કામ અગ્નિ માં બળીને કાળા બની ગયાં છે. હવે બાપ કહે છે ગોરા બનો. આ વાતો આપ બ્રાહ્મણોનાં સિવાય કોઈની બુદ્ધિમાં બેસી નથી શકતી. આ વાતો જ ન્યારી છે. તમને કહે છે આ તો શાસ્ત્રો ને પણ નથી માનતાં. નાસ્તિક બની ગયાં છે. બોલો, શાસ્ત્ર તો અમે વાંચતા હતાં પછી બાપે જ્ઞાન આપ્યું છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. ભગવાનુવાચ, વેદ-ઉપનિષદ વગેરે વાંચવાથી, દાન-પુણ્ય વગેરે કરવાથી કોઇ પણ મને પ્રાપ્ત નથી કરતાં. મારા દ્વારા જ મને પ્રાપ્ત કરી શકે છે. બાપ જ આવી ને લાયક બનાવે છે. આત્મા પર જંક ચઢી જાય છે ત્યારે બાપ ને બોલાવે છે કે આવીને પાવન બનાવો. આત્મા જે તમોપ્રધાન બની છે તેને સતોપ્રધાન બનવાનું છે, તમોપ્રધાન થી તમો રજો સતો પછી સતોપ્રધાન બનવાનું છે. જો વચમાં ગડબડ થઈ તો કાટ ચઢી જશે.

બાપ આપણને આટલાં ઉંચ બનાવે છે તો એ ખુશી રહેવી જોઈએ ને. વિદેશ માં ભણવા માટે ખુશી થી જાય છે ને. હવે તમે કેટલાં સમજદાર બનો છો. કળયુગ માં કેટલાં તમોપ્રધાન બેસમજ બની જાઓ છો. જેટલો પ્રેમ કરો એટલો વધારે જ સામનો કરે. આપ બાળકો સમજો છો કે આપણી રાજધાની સ્થાપન થાય છે. જે સારી રીતે ભણશે, યાદમાં રહેશે તે સારું પદ પામશે. સૈપલિંગ ભારત થી જ લાગે છે. દિવસ-પ્રતિદિવસ સમાચાર પત્ર વગેરે થી તમારું નામ પ્રસિદ્ધ થતું જશે. સમાચાર પત્ર તો બધી તરફ જાય છે. એ જ સમાચાર પત્ર વાળા ક્યારેક જુઓ તો સારું નાખશે, ક્યારેક ખરાબ કારણ કે તે પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ચાલે છે ને. જેમણે જે સંભળાવ્યું તે લખી દેશે. સાંભળેલી-સંભળાવેલી વાતો પર ખુબ ચાલે છે, તેને પરમત કહેવાય છે. પરમત આસુરી મત થઈ ગઈ. બાપની છે શ્રીમત. કોઈએ ઉંધી વાત બતાવી તો બસ આવવાનું જ છોડી દે છે. જે સર્વિસ (સેવા) પર રહે છે, તેમને બધું ખબર હોય છે. અહીંયા તમે જે પણ સેવા કરો છો, એ છે તમારી નંબરવન સેવા. અહીંયા તમે સેવા કરો છો, ત્યાં ફળ મળે છે. કર્તવ્ય તો અહીંયા બાપની સાથે કરો છો ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા રુપી સોય પર જંક ચઢી છે, તેને યોગબળ થી ઉતારી સતોપ્રધાન બનાવવાની મહેનત કરવાની છે. ક્યારેય પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ચાલીને ભણતર નથી છોડવાનું.

2. બુદ્ધિને જ્ઞાનની પોઇન્ટસ થી ભરપૂર રાખી સર્વિસ કરવાની છે. નાડી જોઈને જ્ઞાન આપવાનું છે. ખુબ શુરુડ (તીક્ષ્ણ) બુદ્ધિ બનવાનું છે.

વરદાન :-
આદિ અને અનાદિ સ્વરુપની સ્મૃતિ દ્વારા પોતાનાં નિજી સ્વધર્મ ને અપનાવવા વાળા પવિત્ર અને યોગી ભવ

બ્રાહ્મણોનો નિજી સ્વધર્મ પવિત્રતા છે, અપવિત્રતા પરધર્મ છે. જે પવિત્રતા ને અપનાવવી લોકો મુશ્કિલ સમજે છે તે આપ બાળકોનાં માટે અતિ સહજ છે કારણ કે સ્મૃતિ આવી કે અમારું વાસ્તવિક આત્મ સ્વરુપ સદા પવિત્ર છે. અનાદિ સ્વરુપ પવિત્ર આત્મા છે અને આદિ સ્વરુપ પવિત્ર દેવતા છે. હમણાં નો અંતિમ જન્મ પણ પવિત્ર બ્રાહ્મણ જીવન છે એટલે પવિત્રતા જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે. જે પવિત્ર છે તે જ યોગી છે.

સ્લોગન :-
સહજયોગી કહીને અલબેલાપણું નહીં લાવો, શક્તિ રુપ બનો.