29-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
સંગમયુગ પર તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યાં છો , તમારે હવે મૃત્યુલોક નાં મનુષ્ય થી
અમરલોક નાં દેવતા બનવાનું છે ”
પ્રશ્ન :-
આપ બાળકો કયા
નોલેજ ને સમજવાનાં કારણે બેહદ નો સન્યાસ કરો છો?
ઉત્તર :-
તમને ડ્રામાનું યથાર્થ નોલેજ છે, તમે જાણો છો ડ્રામા અનુસાર હવે આ આખાં મૃત્યુલોક
ને ભસ્મીભૂત થવાનું છે. હમણાં આ દુનિયા વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) બની ગઈ છે, આપણે
વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનવાનું છે. આમાં જે કંઇ થાય છે તે ફરી હૂબહૂ કલ્પ પછી
રિપીટ થશે એટલે તમે આ આખી દુનિયા થી બેહદ નો સન્યાસ કર્યો છે.
ગીત :-
આને વાલે કલ
કી તુમ …
ઓમ શાંતિ!
બાળકોએ ગીત ની
લાઈન સાંભળી. આવવાનું છે અમરલોક. આ છે મૃત્યુલોક. અમરલોક અને મૃત્યુલોક નો આ છે
પુરુષોત્તમ સંગમયુગ. હવે બાપ ભણાવે છે સંગમ પર, આત્માઓને ભણાવે છે એટલે બાળકોને કહે
છે આત્મા-અભિમાની થઈ બેસો. આ નિશ્ચય કરવાનો છે - આપણને બેહદનાં બાપ ભણાવે છે. આપણું
લક્ષ્ય-હેતુ આ છે - લક્ષ્મી-નારાયણ અથવા મૃત્યુલોકનાં મનુષ્ય થી અમરલોક નાં દેવતા
બનવાનો. આવું ભણતર તો ક્યારેય કાનો થી નથી સાંભળ્યું, ન કોઈને કહેતા જોયું જે કહે
બાળકો તમે આત્મ-અભિમાની થઈ બેસો. આ નિશ્ચય કરો કે બેહદનાં બાપ આપણને ભણાવે છે. કયા
બાપ? બેહદનાં બાપ નિરાકાર શિવ. હમણાં તમે સમજો છો આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ.
હમણાં તમે બ્રાહ્મણ સંપ્રદાય બન્યાં છો પછી તમારે દેવતા બનવાનું છે. પહેલા શૂદ્ર
સંપ્રદાયનાં હતાં. બાપ આવીને પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવે છે. પહેલાં સતોપ્રધાન
પારસબુદ્ધિ હતાં, હવે ફરી બનો છો. એવું ન કહેવું જોઈએ કે સતયુગનાં માલિક હતાં.
સતયુગમાં વિશ્વનાં માલિક હતાં. પછી ૮૪ જન્મ લઇ સીડી ઉતરતા-ઉતરતા સતોપ્રધાન થી સતો,
રજો, તમો માં આવ્યાં છો. પહેલા સતોપ્રધાન હતાં તો પારસબુદ્ધિ હતાં પછી આત્મામાં ખાદ
પડે છે. મનુષ્ય સમજતાં નથી. બાપ કહે છે - તમે કંઈ નહોતાં જાણતાં. અંધશ્રદ્ધા હતી.
પરિચય સિવાય કોઈ ની પૂજા કરવી કે યાદ કરવું તેને અંધશ્રદ્ધા કહેવાય છે. અને પોતાનાં
શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ કર્મ ને પણ ભૂલી જવાથી તે કર્મભ્રષ્ટ, ધર્મભ્રષ્ટ બની જાય
છે. ભારતવાસી આ સમયે દૈવીધર્મ થી પણ ભ્રષ્ટ છે. બાપ સમજાવે છે હકીકતમાં તમે છો
પ્રવૃત્તિ માર્ગ વાળા. એ જ દેવતાઓ જ્યારે અપવિત્ર બને છે ત્યારે દેવી-દેવતા કહી ન
શકાય એટલે નામ બદલી હિંદુ ધર્મ રાખી દીધું છે. આ પણ થાય છે ડ્રામા પ્લાન અનુસાર. બધાં
એક બાપ ને જ પોકારે છે - હેં પતિત-પાવન આવો. એ એક જ ગોડફાધર છે જે જન્મ-મરણ રહિત
છે. એવું નથી કે નામ-રુપ થી ન્યારી કોઈ ચીજ છે. આત્માનું કે પરમાત્માનું રુપ ખુબ જ
સૂક્ષ્મ છે, જેને સ્ટાર કે બિંદુ કહે છે. શિવની પૂજા કરે છે, શરીર તો છે નહીં. હવે
આત્મા બિંદુ ની પૂજા થઈ ન શકે એટલે તેને મોટું બનાવે છે પૂજા માટે. સમજે છે શિવની
પૂજા કરીએ છીએ. પરંતુ એમનું રુપ શું છે, તે નથી જાણતાં. આ બધી વાતો બાપ આ સમયે જ આવી
ને સમજાવે છે. બાપ કહે છે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ૮૪ લાખ યોનિઓનાં તો એક
ગપોડા લગાવી દીધા છે. હવે બાપ આપ બાળકોને બેસી સમજાવે છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં
છો પછી દેવતા બનવાનું છે. કળયુગી મનુષ્ય છે શૂદ્ર. આપ બ્રાહ્મણોનું લક્ષ્ય-હેતુ છે
મનુષ્ય થી દેવતા બનવાનો. આ મૃત્યુલોક પતિત દુનિયા છે. નવી દુનિયા તે હતી, જ્યાં આ
દેવી-દેવતાઓ રાજ્ય કરતાં હતાં. એક જ એમનું રાજ્ય હતું. તેઓ આખાં વિશ્વનાં માલિક હતાં.
હમણાં તો તમોપ્રધાન દુનિયા છે. અનેક ધર્મ છે. આ દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો
છે. દેવી-દેવતાઓનું રાજ્ય ક્યારે હતું, કેટલો સમય ચાલ્યું, આ વર્લ્ડની
હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને સમજાવે છે. આ છે ગોડ ફાધરલી
વર્લ્ડ યુનિવર્સિટી, જેનું લક્ષ્ય-હેતુ છે અમરલોક નાં દેવતા બનાવવાં. આને અમરકથા પણ
કહેવાય છે. તમે આ નોલેજ થી દેવતા બની કાળ પર જીત પામો છો. ત્યાં ક્યારેય કાળ ખાઈ નથી
શકતો. મરવાનું ત્યાં નામ નથી. હમણાં તમે કાળ પર જીત મેળવી રહ્યાં છો, ડ્રામા પ્લાન
અનુસાર. ભારતવાસી પણ ૫ વર્ષ કે ૧૦ વર્ષ નો પ્લાન બનાવે છે ને. સમજે છે અમે રામરાજ્ય
સ્થાપન કરી રહ્યાં છીએ. બેહદનાં બાપનો પણ પ્લાન છે રામરાજ્ય બનાવવાનો. તે તો બધાં
છે મનુષ્ય. મનુષ્ય તો રામરાજ્ય સ્થાપન કરી ન શકે. રામરાજ્ય કહેવાય જ છે સતયુગ ને. આ
વાતોને કોઈ જાણતું નથી. મનુષ્ય કેટલી ભક્તિ કરે છે, શારીરિક યાત્રાઓ કરે છે. દિવસ
અર્થાત્ સતયુગ-ત્રેતા માં આ દેવતાઓનું રાજ્ય હતું. પછી રાતમાં ભક્તિ માર્ગ શરું થાય
છે. સતયુગમાં ભક્તિ નથી હોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ બાપ સમજાવે છે. વૈરાગ્ય બે
પ્રકારનાં છે - એક છે હઠયોગી નિવૃત્તિ માર્ગ વાળાનો, તે ઘરબાર છોડી જંગલમાં જાય છે.
હવે તમારે તો બેહદ નો સન્યાસ કરવાનો છે, આખાં મૃત્યુલોક નો. બાપ કહે છે આ આખી દુનિયા
ભસ્મીભૂત થવાની છે. ડ્રામા ને ખુબ સારી રીતે સમજવાનો છે. જૂ માફક ટિક-ટિક થતી રહે
છે. જે કંઈ થાય છે ફરી કલ્પ ૫ હજાર વર્ષ પછી હૂબહૂ રિપીટ થશે. આને ખુબ સારી રીતે
સમજી બેહદ નો સન્યાસ કરવાનો છે. સમજો કોઈ વિલાયત જાય છે કહેશે ત્યાં અમે આ નોલેજ ભણી
શકીએ છીએ? બાપ કહે છે હાં ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. આમાં પહેલા ૭ દિવસ નો
કોર્સ કરવો પડે છે. ખુબ સહજ છે, આત્માએ ફક્ત આ સમજવાનું હોય છે. આપણે સતોપ્રધાન
વિશ્વનાં માલિક હતાં ત્યારે સતોપ્રધાન હતાં. હવે તમોપ્રધાન બની ગયાં છીએ. ૮૪ જન્મો
માં બિલ્કુલ વર્થ નોટ એ પેની બની ગયાં છીએ. હવે ફરી આપણે પાઉન્ડ કેવી રીતે બનીએ?
હમણાં કળયુગ છે પછી જરુર સતયુગ થવાનું છે, બાપ કેટલું સિમ્પલ સમજાવે છે, ૭ દિવસનો
કોર્સ સમજવાનો છે. કેવી રીતે આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ. કામ ચિતા પર
બેસી તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી જ્ઞાન ચિતા પર બેસી સતોપ્રધાન બનવાનું છે.
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે, ચક્ર ફરતું રહે છે ને. હમણાં છે સંગમયુગ
પછી સતયુગ થશે. હમણાં આપણે કળયુગી વિશશ (વિકારી) બન્યાં છીએ, પછી સતયુગી વાઈસલેસ (નિર્વિકારી)
કેવી રીતે બનીએ? તેનાં માટે બાપ રસ્તો બતાવે છે. પોકારે પણ છે અમારામાં કોઈ ગુણ નથી.
હવે અમને એવાં ગુણવાન બનાવો. જે કલ્પ પહેલાં બન્યાં હતાં તેમણે જ ફરી બનવાનું છે.
બાપ સમજાવે છે - પહેલાં-પહેલાં તો પોતાને આત્મા સમજો. આત્મા જ એક શરીર છોડી બીજું
લે છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. હમણાં જ તમને દેહી-અભિમાની બનવાની શિક્ષા
મળે છે. એવું નથી તમે સદૈવ દેહી-અભિમાની રહેશો. ના, સતયુગમાં તો નામ શરીર નાં હોય
છે. લક્ષ્મી-નારાયણ નાં નામ પર જ આખો કારોબાર ચાલે છે. હમણાં આ છે સંગમયુગ જ્યારે
કે બાપ સમજાવે છે. તમે નગ્ન (અશરીરી) આવ્યાં હતાં ફરી અશરીરી બની પાછા જવાનું છે.
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ છે રુહાની યાત્રા. આત્મા પોતાનાં રુહાની બાપ
ને યાદ કરે છે. બાપ ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થઈ જશે, આને યોગ અગ્નિ કહેવાય છે. યાદ
તો તમે ક્યાંય પણ કરી શકો છો. ૭ દિવસ માં સમજાવવાનું હોય છે. આ સૃષ્ટિ ચક્ર કેવી
રીતે ફરે છે, કેવી રીતે આપણે સીડી ઉતરીએ છીએ? હવે ફરી આ એક જ જન્મમાં ચઢતી કળા થાય
છે. વિલાયતમાં બાળકો રહે છે, ત્યાં પણ મુરલી જાય છે. આ સ્કૂલ છે ને. હકીકતમાં આ છે
ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય). ગીતાનો જ રાજ્યોગ છે. પરંતુ
શ્રીકૃષ્ણ ને ભગવાન ન કહેવાય. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહેવાય છે. હમણાં તમે
પુરુષાર્થ કરી ફરીથી દેવતા બનો છો. પ્રજાપિતા બ્રહ્મા પણ જરુર અહીંયા હશે ને.
પ્રજાપિતા તો મનુષ્ય છે ને. પ્રજા જરુર અહીંયા જ રચાય છે. હમ સો નો અર્થ બાપે ખુબ
સહજ રીતે સમજાવ્યો છે. ભક્તિમાર્ગમાં તો કહી દે છે હમ આત્મા સો પરમાત્મા, એટલે
પરમાત્મા ને સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે બધામાં વ્યાપક છે આત્મા. હું કેવી
રીતે વ્યાપક હોઇશ? તમે મને બોલાવો જ છો - હેં પતિત-પાવન આવો, અમને પાવન બનાવો.
નિરાકાર આત્માઓ બધી આવીને પોત-પોતાનો રથ લે છે. દરેક અકાળમૂર્ત આત્મા નો તખ્ત છે આ.
તખ્ત કહો અથવા રથ કહો. બાપ ને તો રથ છે નહીં. એ નિરાકાર જ ગવાય છે. ન સૂક્ષ્મ શરીર
છે, ન સ્થૂળ શરીર છે. નિરાકાર સ્વયં રથ માં જ્યારે બેસે ત્યારે બોલી શકે. રથ વગર
પતિતો ને પાવન કેવી રીતે બનાવશે? બાપ કહે છે હું નિરાકાર આવીને આમનો રથ લોન લઉં
છું. ટેમ્પરરી લોન લીધી છે, આને ભાગ્યશાળી રથ કહેવાય છે. બાપ જ સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નું રહસ્ય બતાવી આપ બાળકોને ત્રિકાળદર્શી બનાવે છે. બીજા કોઈ મનુષ્ય આ
નોલેજ ને જાણી નથી શકતાં. આ સમયે બધાં નાસ્તિક છે. બાપ આવીને આસ્તિક બનાવે છે.
રચયિતા-રચનાનું રહસ્ય બાપે તમને બતાવ્યું છે. હવે તમારા સિવાય બીજા કોઈ સમજાવી ન શકે.
તમે જ આ જ્ઞાન થી ફરી આ આટલું ઊંચ પદ પામો છો. આ જ્ઞાન ફક્ત હમણાં જ આપ બ્રાહ્મણો
ને મળે છે. બાપ સંગમ પર જ આવીને આ જ્ઞાન આપે છે. સદ્દગતિ આપવા વાળા એક બાપ જ છે.
મનુષ્ય, મનુષ્યો ને સદ્દગતિ આપી ન શકે. તે બધાં ગુરુ છે ભક્તિમાર્ગ નાં. સદ્દગુરુ
એક જ છે, એમને કહેવાય છે વાહ સદ્દગુરુ વાહ! આને પાઠશાળા પણ કહેવાય છે. લક્ષ્ય-હેતુ
નર થી નારાયણ બનવાનો છે. તે બધી છે ભક્તિમાર્ગ ની કથાઓ. ગીતા થી પણ કોઈ પ્રાપ્તિ નથી
થતી. બાપ કહે છે હું આપ બાળકોને સમ્મુખ આવીને ભણાવું છું, જેનાથી તમે આ પદ પામો છો.
આમાં મુખ્ય છે પવિત્ર બનવાની વાત. બાપની યાદ માં રહેવાનું છે. આમાં જ માયાં વિધ્ન
નાખે છે. તમે બાપ ને યાદ કરો છો પોતાનો વારસો પામવા માટે. આ નોલેજ બધાં બાળકો ની
પાસે જાય છે. ક્યારે પણ મુરલી મિસ ન થાય. મુરલી મિસ થઈ એટલે એબસેન્ટ (ગેરહાજરી) પડી
જાય છે. મુરલી થી ક્યાંય પણ બેસી રિફ્રેશ થતાં રહેશો. શ્રીમત પર ચાલવું પડે. બહાર
જાઓ છો તો બાપ સમજાવે છે - પવિત્ર જરુર બનવાનું છે, વૈષ્ણવ થઇને રહેવાનું છે.
વૈષ્ણવ પણ બે પ્રકારનાં હોય છે, વૈષ્ણવ, વલ્લભાચાર્ય પણ હોય છે પરંતુ વિકારમાં જાય
છે. પવિત્ર તો છે નહીં. તમે પવિત્ર બની વિષ્ણુવંશી બનો છો. ત્યાં તમે વૈષ્ણવ રહેશો,
વિકારમાં નહીં જશો. તે છે અમરલોક, આ છે મૃત્યુલોક, અહીંયા વિકારમાં જાય છે. હવે તમે
વિષ્ણુપુરીમાં જાઓ છો, ત્યાં વિકાર હોતાં નથી. તે છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી
દુનિયા). યોગબળ થી તમે વિશ્વની બાદશાહી લો છો. તે બંને આપસમાં લડે છે, માખણ વચમાં
તમને મળે છે. તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. બધાને આ જ સંદેશ આપવાનો છે.
નાનાં બાળકોનો પણ હક છે. શિવબાબા નાં બાળકો છે ને. તો બધાનો હક છે. બધાને કહેવાનું
છે પોતાને આત્મા સમજો. મા-બાપમાં જ્ઞાન હશે તો બાળકોને પણ શીખવાડશે - શિવબાબા ને
યાદ કરો. સિવાય શિવબાબાનાં બીજું ન કોઈ. એકની યાદથી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની
જશો. આમાં ભણતર ખુબ સારું જોઈએ. વિલાયતમાં રહેતાં પણ તમે ભણી શકો છો. આમાં પુસ્તક
વગેરે કાંઈ પણ નહીં જોઈએ. ક્યાંય પણ બેસી તમે ભણી શકો છો. બુદ્ધિ થી યાદ કરી શકો
છો. આ ભણતર આટલું સહજ છે. યોગ અથવા યાદ થી બળ મળે છે. તમે હવે વિશ્વનાં માલિક બની
રહ્યાં છો. બાપ રાજ્યોગ શીખવાડી પાવન બનાવે છે. તે છે હઠયોગ, આ છે રાજયોગ. આમાં
પરહેજ (ધારણા) ખુબ સારી રીતે જોઈએ. આ લક્ષ્મી-નારાયણ જેવું સર્વગુણ સંપન્ન બનવું છે
ને. ખાવા-પીવાની પણ પરહેજ જોઈએ, અને બીજી વાત બાપ ને યાદ કરવાનાં છે તો
જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. આને કહેવાય છે સહજ રાજયોગ, રાજાઈ પ્રાપ્ત કરવાનાં
માટે. જો રાજાઈ ન લીધી તો ગરીબ બની જશો. શ્રીમત પર પૂરું ચાલવાથી શ્રેષ્ઠ બનશો.
ભ્રષ્ટ થી શ્રેષ્ઠ બનવાનું છે. તેનાં માટે બાપ ને યાદ કરવાનાં છે. કલ્પ પહેલાં પણ
તમે જ આ જ્ઞાન લીધું હતું, જે ફરી હવે લો છો. સતયુગમાં બીજું કોઈ રાજ્ય નહોતું. તેને
કહેવાય છે સુખધામ. હમણાં આ છે દુઃખધામ અને જ્યાંથી આપણે આત્માઓ આવી છીએ તે છે
શાંતિધામ. શિવબાબા ને વન્ડર લાગે છે - દુનિયામાં મનુષ્ય શું-શું કરે છે! બાળકો ઓછા
જન્મે તેનાં માટે પણ કેટલાં માથા મારતાં રહે છે. સમજતાં નથી આ તો બાપ નું જ કામ છે.
બાપ ઝટ એક ધર્મની સ્થાપના કરી બાકી બધાં અનેક ધર્મો નો વિનાશ કરાવી દે છે, એક ધક
થી. તે લોકો કેટલી દવાઓ વગેરે નીકાળે છે ઉત્પત્તિ ઓછી કરવાનાં માટે. બાપની પાસે તો
એક જ દવા છે. એક ધર્મની સ્થાપના થવાની છે. એ સમય આવશે બધાં કહેશે આ તો પવિત્ર બની
રહ્યાં છે. પછી દવાઓ વગેરેની પણ શું દરકાર છે. તમને બાબાએ એવી દવા આપી છે મનમનાભવ
ની, જેનાથી તમે ૨૧ જન્મો માટે પવિત્ર બની જાઓ છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્ર
બનીને પાક્કા વૈષ્ણવ બનવાનું છે. ખાવા-પીવાની પણ પૂરી પરહેજ કરવાની છે. શ્રેષ્ઠ
બનવાનાં માટે શ્રીમત પર જરુર ચાલવાનું છે.
2. મુરલી થી સ્વયં ને રીફ્રેશ કરવાનાં છે, ક્યાંય પણ રહેતાં સતોપ્રધાન બનવાનો
પુરુષાર્થ કરવાનો છે. મુરલી એક દિવસ પણ મિસ (ગેરહાજરી) નથી કરવાની.
વરદાન :-
જુદાઈ ને
સદાકાળ માટે વિદાય આપવા વાળા સ્નેહી સ્વરુપ ભવ
જે સ્નેહી ને પસંદ છે
તે જ સ્નેહ કરવા વાળા ને પસંદ હોય - આ જ સ્નેહ નું સ્વરુપ છે.
ચાલવાનું-ખાવાનું-પીવાનું-રહેવાનું સ્નેહી નું દિલપસંદ હોય એટલે જે પણ સંકલ્પ કે
કર્મ કરો તે પહેલા વિચારો કે આ સ્નેહી બાપનું દિલપસંદ છે. એવાં સાચાં સ્નેહી બનો તો
નિરંતર યોગી, સહયોગી બની જશો. જો સ્નેહી સ્વરુપ ને સમાન સ્વરુપમાં પરિવર્તન કરી દો
તો અમર ભવનું વરદાન મળી જશે અને જુદાઈ ને સદાકાળ માટે વિદાય મળી જશે.
સ્લોગન :-
સ્વભાવ ઇઝી (સરળ)
અને પુરુષાર્થ અટેન્શન વાળો બનાવો.