01-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં રુહાની બાપ દ્વારા રુહાની ડ્રિલ ( અભ્યાસ ) શીખી રહ્યાં છો , આ જ ડ્રિલ થી તમે
મુક્તિધામ , શાંતિધામ માં ચાલ્યાં જશો ”
પ્રશ્ન :-
બાપ બાળકોને
પુરુષાર્થ કરાવતા રહે છે પરંતુ બાળકોએ કઈ વાત માં ખુબ સ્ટ્રીક્ટ (ચુસ્ત) રહેવું
જોઈએ?
ઉત્તર :-
જૂની દુનિયાને આગ લાગવા પહેલાં તૈયાર થઈ, પોતાને આત્મા સમજી બાપ ની યાદ માં રહી બાપ
થી પૂરે-પૂરો વારસો લેવામાં ખુબ સ્ટ્રીક્ટ રહેવાનું છે. નપાસ નથી થવાનું, જેમ તે
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નપાસ થાય છે તો પસ્તાય છે, સમજે છે અમારુ વર્ષ મફત ચાલ્યું
ગયું. કોઈ તો કહે છે ન ભણ્યાં તો શું થયું - પરંતુ તમારે ખુબ ચુસ્ત રહેવાનું છે.
શિક્ષક એવું ન કહે કે ટૂ લેટ (ખુબ મોડું થયું).
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને રુહાની પાઠશાળામાં ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે અથવા એમ કહીએ કે
બાળકો ને ડ્રિલ શીખવાડે છે. જેમ શિક્ષકો ડાયરેક્શન આપે છે અથવા ડ્રિલ શીખવાડે છે
ને. આ રુહાની બાપ પણ બાળકોને ડાયરેક્ટ કહે છે. શું કહે છે? મનમનાભવ. જેમ તેઓ કહે
છે-અટેન્શન પ્લીઝ. બાપ કહે છે મનમનાભવ. આ જેમ કે દરેક પોતાનાં ઉપર મહેર (કૃપા) કરે
છે. બાપ કહે છે બાળકો મામેકમ્ યાદ કરો, અશરીરી બની જાઓ. આ રુહાની ડ્રિલ રુહો ને
રુહાની બાપ જ શીખવાડે છે. એ છે સુપ્રીમ શિક્ષક. તમે છો નાયબ શિક્ષક. તમે પણ બધાં ને
કહો છો પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો, દેહી-અભિમાની ભવ. મનમનાભવ નો અર્થ પણ આ
છે. ડાયરેક્શન આપે છે બાળકોનાં કલ્યાણ માટે. સ્વયં કોઈ થી શીખ્યાં નથી. બીજા તો બધાં
શિક્ષકો સ્વયં શીખીને પછી શીખવાડે છે. આ તો ક્યાંય સ્કૂલ વગેરે માં ભણીને શીખ્યાં
નથી. આ ફક્ત શીખવાડે જ છે. કહે છે હું આપ રુહો ને રુહાની ડ્રિલ શીખવાડું છું. તે બધાં
શરીરધારી બાળકોને શારીરિક ડ્રિલ શીખવાડે છે. તેઓએ ડ્રિલ વગેરે પણ શરીર થી જ કરવાની
હોય છે. આમાં તો શરીરની કોઈ વાત જ નથી. બાપ કહે છે મારું કોઈ શરીર નથી. હું તો
ડ્રિલ શીખવાડું છું, ડાયરેક્શન આપું છું. એમનામાં ડ્રિલ શીખવાડવા નો ડ્રામા પ્લાન
અનુસાર પાર્ટ ભરાયેલો છે. સર્વિસ (સેવા) ભરાયેલી છે. આવે જ છે ડ્રિલ શીખવાડવાં.
તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ તો બહુ સહજ છે. સીડી બુદ્ધિમાં છે. કેવી
રીતે ૮૪ નું ચક્ર લગાવીને નીચે ઉતર્યા છીએ. હવે બાપ કહે છે તમારે પાછું જવાનું છે.
આવું બીજા કોઈ પણ પોતાનાં ફોલોઅર્સ (અનુયાયી) ને કે સ્ટુડન્ટ ને નહીં કહેશે કે
રુહાની બાળકો હવે પાછું જવાનું છે. સિવાય રુહાની બાપનાં કોઈ સમજાવી ન શકે. બાળકો
સમજે છે હવે અમારે પાછું જવાનું છે. આ દુનિયા જ હવે તમોપ્રધાન છે. આપણે સતોપ્રધાન
દુનિયાનાં માલિક હતાં પછી ૮૪ નું ચક્ર લગાવી તમોપ્રધાન દુનિયાનાં માલિક બન્યાં છીએ.
અહીંયા દુઃખ જ દુઃખ છે. બાપ ને કહે છે દુઃખહર્તા સુખકર્તા અર્થાત્ તમોપ્રધાન થી
સતોપ્રધાન બનાવવા વાળા એક જ બાપ છે. આપ બાળકો સમજો છો આપણે બહુજ સુખ જોયાં છે. કેવી
રીતે રાજાઈ કરી, તે યાદ નથી પરંતુ લક્ષ્ય-હેતુ સામે છે. તે છે જ ફૂલો નો બગીચો. હમણાં
આપણે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ.
તમે એવું નહીં કહેશો કે કેવી રીતે નિશ્ચય કરીએ. જો સંશય છે તો વિનશન્તી. સ્કૂલ થી
પગ ઉઠાવ્યો તો ભણતર બંધ થઈ જશે. પદ પણ વિનશન્તી થઈ જશે. ખુબ ઘાટો પડી જાય છે. પ્રજા
માં પણ પદ ઓછું થઈ જશે. મૂળ વાત જ છે સતોપ્રધાન પૂજ્ય દેવી-દેવતા બનવું. હમણાં તો
દેવતા નથી ને. આપ બ્રાહ્મણો ને સમજ આવી છે. બ્રાહ્મણ જ આવીને બાપ થી આ ડ્રિલ શીખે
છે. અંદર માં ખુશી પણ થાય છે. આ ભણતર સારું લાગે છે ને. ભગવાનુવાચ છે, ભલે તેમણે
કૃષ્ણનું નામ નાખી દીધું છે પરંતુ તમે સમજો છો કૃષ્ણએ આ ડ્રિલ શીખવાડી નથી, આ તો
બાપ શીખવાડે છે. કૃષ્ણની આત્મા જે ભિન્ન નામ-રુપ ધારણ કરી તમોપ્રધાન બની છે, તેમને
પણ શીખવાડે છે. સ્વયં શીખતાં નથી, બીજા બધાં કોઈને કોઈ પાસે શીખે જરુર છે. આ છે જ
શીખવાડવા વાળા રુહાની બાપ. તમને શીખવાડે છે, તમે પછી બીજાઓને શીખવાડો છો. તમે ૮૪
જન્મ લઇ પતિત બન્યાં છો, હવે ફરી પાવન બનવાનું છે. એનાં માટે રુહાની બાપને યાદ કરો.
ભક્તિમાર્ગમાં તમે ગાતાં આવ્યાં છો હેં પતિત-પાવન - હમણાં પણ તમે ક્યાંય પણ જઈને
જુઓ. તમે રાજઋષિ છો ને. ક્યાંય પણ હરી-ફરી શકો છો. તમને કોઈ બંધન નથી. આપ બાળકોને આ
નિશ્ચય છે-બેહદનાં બાપ સર્વિસમાં આવ્યાં છે. બાપ બાળકો થી ભણતર નો ઉજરો કેવી રીતે
લેશે. શિક્ષકનાં જ બાળકો હશે તો ફ્રી ભણાવશે ને. આ પણ ફ્રી ભણાવે છે. એવું નહીં સમજો
આપણે કંઈક આપીએ છીએ. આ ફી નથી. તમે આપતાં કાંઈ નથી, આ તો રિટર્ન (વળતર) માં ખુબ લો
છો. મનુષ્ય દાન-પુણ્ય કરે છે, સમજે છે રિટર્ન માં અમને મળશે બીજા જન્મમાં. તે
અલ્પકાળ ક્ષણભંગુર સુખ મળે છે. ભલે મળે છે બીજા જન્મમાં પરંતુ તે નીચે ઉતરવા વાળા
જન્મ માં મળે છે. સીડી ઉતરતા જ આવો છો ને. હવે જે તમે કરો છો તે છે ચઢતી કળામાં
જવાનાં માટે. કર્મનું ફળ કહે છે ને. આત્મા ને કર્મનું ફળ મળે છે. આ લક્ષ્મી-નારાયણ
ને પણ કર્મોનું જ ફળ મળ્યું છે ને. બેહદનાં બાપ થી બેહદ નું ફળ મળે છે. તે મળે છે
ઇનડાયરેક્ટ. ડ્રામામાં નોંધ છે. આ પણ બન્યો-બનેલ ડ્રામા છે. તમે જાણો છો આપણે કલ્પ
બાદ આવીને બાપ થી બેહદ નો વારસો લઈશું. બાપ આપણા માટે બેસી સ્કૂલ બનાવે છે. તે
ગવર્મેન્ટ ની છે જિસ્માની (શરીર ની) સ્કૂલ. જે ભિન્ન-ભિન્ન પ્રકાર થી અડધોકલ્પ ભણતાં
આવ્યાં. હવે બાપ ૨૧ જન્મોનાં માટે બધાં દુઃખ દૂર કરવા માટે ભણાવે છે. ત્યાં તો છે
રાજાઈ. તેમાં નંબરવાર તો આવે જ છે. જેમ અહીંયા પણ રાજા-રાણી, વજીર, પ્રજા વગેરે બધાં
નંબરવાર છે. આ છે જૂની દુનિયામાં, નવી દુનિયામાં તો ખુબ થોડા હશે. ત્યાં સુખ ખુબ હશે,
તમે વિશ્વનાં માલિક બનો છો. રાજાઓ-મહારાજાઓ થઈને ગયાં છે. તેઓ કેટલી ખુશીઓ મનાવે
છે. પરંતુ બાપ કહે છે તેમને તો ફરી નીચે ઉતરવાનું જ છે. ઉતરે તો બધાં છે ને.
દેવતાઓની પણ ધીમે-ધીમે કળા ઉતરે છે. પરંતુ ત્યાં રાવણરાજ્ય જ નથી એટલે સુખ જ સુખ
છે. અહીંયા છે રાવણરાજ્ય. તમે જેમ ચઢો છો તેમ ઉતરો પણ છો. આત્માઓ પણ નામ-રુપ ધારણ
કરતાં-કરતાં નીચે ઉતરી આવી છે. ડ્રામા પ્લાન અનુસાર કલ્પ પહેલાં માફક ઉતરી ને
તમોપ્રધાન બની ગયાં છે. કામ ચિતા પર ચઢવાથી જ દુઃખ શરું થાય છે. હમણાં છે અતિ દુઃખ.
ત્યાં પછી અતિ સુખ હશે. તમે રાજઋષિ છો. તેમનો છે જ હઠયોગ. તમે કોઈથી પણ પૂછો રચતા
અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણો છો? તો ના કહી દેશે. પૂછશે તે જે જાણતાં હશે.
સ્વયં જ નથી જાણતાં તો પૂછી કેવી રીતે શકશે. તમે જાણો છો ઋષિ-મુનિ વગેરે કોઈપણ
ત્રિકાળદર્શી નહોતાં. બાપ આપણને ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે. આ બાબા જે વિશ્વનાં
માલિક હતાં, આમને જ્ઞાન નહોતું. આ જન્મ માં પણ ૬૦ વર્ષ સુધી જ્ઞાન નહોતું. જ્યારે
બાપ આવે છે તો પણ ધીમે-ધીમે આ બધું સંભળાવતા જાય છે. ભલે નિશ્ચયબુદ્ધિ થઈ જાય છે છતાં
પણ માયા ઘણાઓ ને ઉતારતી રહે છે. નામ નથી સંભળાવી શકતાં, નહીં તો નાઉમ્મીદ થઈ જશે.
સમાચાર તો આવે છે ને. સંગ ખરાબ લાગ્યો, નવાં લગ્ન કરેલા નો સંગ થયો, ચલાયમાન થઈ ગયાં.
કહે છે અમે લગ્ન કર્યા વગર રહી નથી શકતાં. સારા મહારથી રોજ આવવા વાળા, અહીંયા થી પણ
ઘણીવાર થઈ ને ગયાં છે, તેમને માયા રુપી ગ્રાહે આવીને પકડ્યાં છે. આવાં ઘણાં બનાવ થતાં
રહે છે. હમણાં લગ્ન કર્યા નથી. માયા મોઢા માં નાખી હપ કરી રહી છે. સ્ત્રી રુપી માયા
ખેંચતી રહે છે. ગ્રાહ (મગરમચ્છ) નાં મોઢા માં આવીને પડ્યાં છે, પછી ધીમે-ધીમે હપ કરી
લેશે. કોઈ ગફલત કરે છે કે જોવાથી ચલાયમાન થાય છે. સમજે છે હું ઉપરથી એકદમ નીચે
ખાડામાં પડીશ. કહેશે બાળક ખુબ સારો હતો. હવે બિચારો ગયો. સગાઈ થઈ કે આ મર્યો. બાપ
તો બાળકોને સદૈવ લખે છે જીવતાં રહો. ક્યાંક માયાનો વાર જોરથી ન લાગી જાય. શાસ્ત્રોમાં
પણ આ વાતો કંઈક છે ને. હમણાની આ વાતો પછી ગવાશે. તો તમે પુરુષાર્થ કરાવો છો. એવું ન
થાય ક્યાંક માયારુપી ગ્રાહ હપ કરી લે. ભિન્ન-ભિન્ન રીત થી માયા પકડે છે. મૂળ છે કામ
મહાશત્રુ, એનાથી ખુબ સંભાળ કરવાની છે. પતિત દુનિયા થી પાવન દુનિયા કેવી રીતે બની રહી
છે, તમે જોઈ રહ્યાં છો. મુંઝાવાની વાત જ નથી. ફક્ત પોતાને આત્મા સમજી બાપને યાદ
કરવાથી બધાં દુઃખ દૂર થઈ જાય છે. બાપ જ પતિત-પાવન છે. આ છે યોગબળ. ભારતનો પ્રાચીન
રાજયોગ ખુબ પ્રસિદ્ધ છે. સમજે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં પેરેડાઇઝ (વૈકુંઠ)
હતું. તો જરુર બીજો કોઇ ધર્મ નહીં હશે. કેટલી સહજ વાત છે. પરંતુ સમજતાં નથી. હમણાં
તમે સમજો છો તે રાજ્ય ફરીથી સ્થાપન કરવા માટે બાપ આવ્યાં છે. ૫ હજાર વર્ષ પહેલાંં
પણ શિવબાબા આવ્યાં હતાં. જરુર આ જ જ્ઞાન આપ્યું હશે, જેમ હમણાં આપી રહ્યાં છે. બાપ
સ્વયં કહે છે હું કલ્પ-કલ્પ સંગમ પર સાધારણ તનમાં આવીને રાજયોગ શીખવાડું છું. તમે
રાજઋષિ છો. પહેલાં નહોતાં. બાબા આવ્યાં છે ત્યાર થી બાબાની પાસે રહ્યાં છો. ભણો પણ
છો, સર્વિસ પણ કરો છો-સ્થૂળ સર્વિસ અને સૂક્ષ્મ સર્વિસ. ભક્તિમાર્ગ માં પણ સર્વિસ
કરે છે પછી ઘરબાર પણ સંભાળે છે. બાપ કહે છે હવે ભક્તિ પૂરી થઈ, જ્ઞાન શરું થાય છે.
હું આવું છું, જ્ઞાન થી સદ્દગતિ આપવાં. તમારી બુદ્ધિમાં છે અમને બાબા પાવન બનાવી
રહ્યાં છે. બાપ કહે છે-ડ્રામા અનુસાર તમને રસ્તો બતાવવા આવ્યો છું. શિક્ષક ભણાવે
છે, લક્ષ્ય-હેતુ સામે છે. આ છે ઊંચે થી ઊંચું ભણતર. જેમ કલ્પ પહેલાં પણ સમજાવ્યું
હતું, તે જ સમજાવતાં રહે છે. ડ્રામા ની ટીક-ટીક ચાલતી રહે છે. સેકન્ડ પછી સેકન્ડ જે
વીત્યું તે ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. દિવસ વીતતા જાય છે. આ વિચાર બીજા કોઈની
બુદ્ધિમાં નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ વીતી ગયું તે રિપીટ થશે. વીત્યું પણ
તે જે કલ્પ પહેલાં વીત્યું હતું. બાકી થોડાં દિવસ છે. તેઓ લાખો વર્ષ કહી દે છે, તેની
ભેંટ માં તમે કહેશો બાકી થોડાક કલાક છે. એ પણ ડ્રામા માં નોંધ છે. જ્યારે આગ લાગી
જશે ત્યારે જાગશે. પછી તો ટૂ લેટ થઈ જાય છે. તો બાપ પુરુષાર્થ કરાવતાં રહે છે.
તૈયાર થઈ બેસો. શિક્ષકે એમ ન કહેવું પડે કે ટૂ લેટ, નપાસ થવા વાળા ખુબ પસ્તાય છે.
સમજે છે અમારું વર્ષ મફતમાં ચાલ્યું જશે. કોઈ તો કહે છે ન ભણ્યાં તો શું થયું! આપ
બાળકોએ તો સ્ટ્રીક્ટ રહેવું જોઈએ. અમે તો બાપ થી પૂરો વારસો લઈશું, પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરવાનાં છે. આમાં કોઈ તકલીફ થાય છે તો બાપ થી પૂછી શકો છો. આ જ
મુખ્ય વાત છે. બાપે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ કહ્યું હતું-મામેકમ્ યાદ કરો.
પતિત-પાવન હું છું, બધાં નો બાપ હું છું. કૃષ્ણ તો બધાનાં બાપ નથી. તમે શિવનાં,
કૃષ્ણનાં પૂજારીઓ ને આ જ્ઞાન સંભળાવી શકો છો. આત્મા પૂજ્ય નહીં બની હશે તો તમે કેટલું
પણ માથું મારો, સમજશે નહીં. હમણાં નાસ્તિક બને છે. કદાચ આગળ જઈને આસ્તિક બની જાય.
સમજો લગ્ન કરી નીચે પડે છે પછી આવીને જ્ઞાન ઉઠાવે. પરંતુ વારસો ખુબ ઓછો થઈ જશે કારણ
કે બુદ્ધિમાં બીજાની યાદ આવી ને બેસી. તે નીકાળવામાં ખુબ મુશ્કેલ થાય છે. પહેલાં
સ્ત્રીની યાદ પછી બાળકની યાદ આવશે. બાળક થી પણ સ્ત્રી વધારે ખેંચશે કારણ કે ઘણાં
સમયની યાદ છે ને. બાળક તો પાછળ થી થાય છે પછી મિત્ર સંબંધી સસરાઘર ની યાદ આવે છે.
પહેલાં સ્ત્રી જેણે ઘણો સમય સાથ આપ્યો છે, આ પણ એવું છે. તમે કહેશો અમે દેવતાઓ ની
સાથે ઘણો સમય હતાં. એમ તો કહેશો શિવબાબા ની સાથે ખુબ સમય થી પ્રેમ છે. જેમણે ૫ હજાર
વર્ષ પહેલાંં પણ આપણને પાવન બનાવ્યાં. કલ્પ-કલ્પ આવીને આપણી રક્ષા કરે છે ત્યારે તો
એમને દુઃખહર્તા, સુખકર્તા કહે છે. તમારે ખુબ લાઈન ક્લિયર (શુદ્ધ) બનવાનું છે. બાપ
કહે છે આ આંખો થી જે તમે જુઓ છો તે તો કબ્રદાખિલ થઈ જવાનું છે. હમણાં તમે છો સંગમ
પર. અમરલોક આવવાનું છે. હમણાં આપણે પુરુષોત્તમ બનવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં
છીએ. આ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમયુગ. દુનિયામાં જોતાં રહો છો, શું-શું થઈ રહ્યું
છે. હવે બાપ આવેલાં છે, તો જૂની દુનિયા પણ ખત્મ થવાની છે. આગળ જઈને ઘણાઓને ખ્યાલ
માં આવશે. જરુર કોઈ આવેલાં છે જે દુનિયાને પરિવર્તન કરી રહ્યાં છે. આ તે જ મહાભારત
લડાઈ છે. તમે પણ કેટલાં સમજદાર બન્યાં છો. આ ખુબ મંથન કરવાની વાતો છે. પોતાનો શ્વાસ
વ્યર્થ નથી ગુમાવવાનો. તમે જાણો છો શ્વાસ સફળ થાય છે જ્ઞાન થી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા થી
બચવાનાં માટે સંગદોષ થી પોતાની ખુબ-ખુબ સંભાળ કરવાની છે. પોતાની લાઈન ક્લિયર રાખવાની
છે. શ્વાસ વ્યર્થ નથી ગુમાવવાનાં. જ્ઞાન થી સફળ કરવાનાં છે.
2. જેટલો સમય
મળે-યોગબળ જમા કરવા માટે રુહાની ડ્રિલ નો અભ્યાસ કરવાનો છે. હવે કોઈ નવાં બંધન નથી
બનાવવાનાં.
વરદાન :-
બાપની છત્રછાયા
ની નીચે નાજુક પરિસ્થિતિઓમાં પણ કમળ પુષ્પ સમાન ન્યારા અને પ્યારા ભવ
સંગમયુગ પર જ્યારે
બાપ સેવાધારી બનીને આવે છે તો છત્રછાયા નાં રુપમાં બાળકોની સદા સેવા કરે છે. યાદ
કરતાં જ સેકન્ડ માં સાથ નો અનુભવ થાય છે. આ યાદની છત્રછાયા કેવી પણ નાજુક
પરિસ્થિતિઓમાં કમળપુષ્પ નાં સમાન ન્યારા અને પ્યારા બનાવી દે છે. મહેનત નથી લાગતી.
બાપને સામે લાવવાથી, સ્વ સ્થિતિમાં સ્થિત થવાથી કેવી પણ પરિસ્થિતિ પરિવર્તન થઈ જાય
છે.
સ્લોગન :-
વાતો નો પડદો
વચમાં આવવા ન દો તો બાપ નાં સાથ નો અનુભવ થતો રહેશે.