09-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જે
સંકલ્પ ઈશ્વરીય સેવા અર્થ ચાલે છે , તેને શુદ્ધ સંકલ્પ કે નિરસંકલ્પ જ કહીશું ,
વ્યર્થ નહીં ”
પ્રશ્ન :-
વિકર્મો થી
બચવાનાં માટે કઈ ફરજ-અદાઈ પાલન કરતાં પણ અનાસક્ત રહો?
ઉત્તર :-
મિત્ર સંબંધીઓની સર્વિસ ભલે કરો પરંતુ અલૌકિક ઈશ્વરીય દૃષ્ટિ રાખીને કરો, એમનામાં
મોહ ની રગ ન જવી જોઈએ. જો કોઈ વિકારી સંબંધ થી સંકલ્પ પણ ચાલે છે તો તે વિકર્મ બની
જાય છે એટલે અનાસક્ત થઈને ફરજ-અદાઈ પાલન કરો. જેટલું થઈ શકે દેહી-અભિમાની રહેવાનો
પુરુષાર્થ કરો.
ઓમ શાંતિ!
આજે આપ બાળકોને
સંકલ્પ, વિકલ્પ, નિરસંકલ્પ અથવા કર્મ, અકર્મ અને વિકર્મ પર સમજાવાય છે. જ્યાં સુધી
તમે અહીંયા છો ત્યાં સુધી તમારા સંકલ્પ જરુર ચાલશે. સંકલ્પ ધારણ કર્યા વગર કોઈ
મનુષ્ય એક ક્ષણ પણ રહી નથી શકતો. હવે આ સંકલ્પ અહીંયા પણ ચાલશે, સતયુગ માં પણ ચાલશે
અને અજ્ઞાનકાળ માં પણ ચાલે છે પરંતુ જ્ઞાન માં આવવાથી સંકલ્પ, સંકલ્પ નથી, કારણ કે
તમે પરમાત્મા ની સેવા અર્થ નિમિત્ત બન્યાં છો તો જે યજ્ઞ અર્થ સંકલ્પ ચાલે છે તે
સંકલ્પ, સંકલ્પ નથી તે નિરસંકલ્પ જ છે. બાકી જે ફાલતુ સંકલ્પ ચાલે છે અર્થાત્ કળયુગી
સંસાર અને કળયુગી મિત્ર સંબંધીઓનાં પ્રતિ ચાલે છે તે વિકલ્પ કહેવાય છે જેનાથી જ
વિકર્મ બને છે અને વિકર્મો થી દુઃખ પ્રાપ્ત થાય છે. બાકી જે યજ્ઞ પ્રતિ અથવા
ઈશ્વરીય સેવા પ્રતિ સંકલ્પ ચાલે છે તે નિરસંકલ્પ થઈ ગયાં. શુદ્ધ સંકલ્પ સર્વિસ પ્રતિ
ભલે ચાલે. જુઓ, બાબા અહીંયા બેઠા છે આપ બાળકો ને સંભાળવા અર્થ. એમની સર્વિસ કરવા
અર્થ માં-બાપ નો સંકલ્પ જરુર ચાલે છે. પરંતુ આ સંકલ્પ, સંકલ્પ નથી આનાથી વિકર્મ નથી
બનતાં પરંતુ જો કોઈ નો વિકારી સંબંધ પ્રતિ સંકલ્પ ચાલે છે તો તેમનું વિકર્મ અવશ્ય જ
બને છે.
બાબા આપ બાળકોને કહે છે કે મિત્ર સંબંધીઓની સર્વિસ (સેવા) ભલે કરો પરંતુ અલૌકિક
ઈશ્વરીય દૃષ્ટિ થી. એમાં મોહની રગ ન આવવી જોઈએ. અનાસક્ત થઈને પોતાની ફર્જ-અદાઈ પાલન
કરવી જોઈએ. પરંતુ જે કોઈ અહીંયાં હોવા છતાં કર્મ સંબંધમાં હોવા છતાં તેને નથી કાપી
શકતાં તો પણ એમણે પરમાત્માને ન છોડવા જોઈએ. હાથ પકડયો હશે તો કંઈ ન કંઈ પદ પ્રાપ્ત
કરી લેશે. હવે આ તો દરેક પોતાને જાણે છે કે મારામાં કયો વિકાર છે. જો કોઈ માં એક પણ
વિકાર છે તો તે દેહ-અભિમાની જરુર થયાં, જેમાં વિકાર નથી તે થયાં દેહી-અભિમાની. કોઈ
માં કોઈપણ વિકાર છે તો તે સજાઓ જરુર ખાશે અને જે વિકારો થી રહિત છે, તે સજાઓથી
મુક્ત થઈ જશે. જેમ જુઓ કોઈ-કોઈ બાળકો છે, જેમનામાં ન કામ છે, ન ક્રોધ છે, ન લોભ છે,
ન મોહ છે…, તે સર્વિસ ખુબ સારી કરી શકે છે. હવે એમની બહુજ જ્ઞાન-વિજ્ઞાનમય અવસ્થા
છે. તે તો તમે બધાં પણ વોટ (મત) આપશો. હવે આ તો જેવી રીતે હું જાણું છું તેવી રીતે
આપ બાળકો પણ જાણો છો, સારા ને બધાં સારા કહેશે, જેનામાં કોઇ ખામી હશે તેમને બધાં એ
જ વોટ આપશે. હવે એ નિશ્ચય કરજો જેનામાં કોઈ વિકાર છે તે સર્વિસ નથી કરી શકતાં. જે
વિકાર પ્રૂફ છે તે સર્વિસ કરી બીજાઓને આપ સમાન બનાવી શકશે એટલે વિકારો પર પૂર્ણ જીત
જોઈએ, વિકલ્પ પર પૂર્ણ જીત જોઈએ. ઈશ્વર અર્થ સંકલ્પને નિરસંકલ્પ રખાશે.
હકીકત માં નિરસંકલ્પતા તેને જ કહેવાય છે જે સંકલ્પ ચાલે જ નહીં, દુઃખ સુખ થી ન્યારા
થઈ જાય, એ તો અંતમાં જ્યારે તમે હિસાબ-કિતાબ ચૂકતું કરી ચાલ્યાં જાઓ છો, ત્યાં દુઃખ
સુખ થી ન્યારી અવસ્થા માં, ત્યારે કોઈ સંકલ્પ નથી ચાલતો. તે સમયે કર્મ અકર્મ બંને
થી પરે અકર્મી અવસ્થામાં રહો છો.
અહીંયા તમારા સંકલ્પ જરુર ચાલશે કારણ કે તમે આખી દુનિયાને શુદ્ધ બનાવવા અર્થ
નિમિત્ત બન્યાં છો તો એનાં માટે તમારા શુદ્ધ સંકલ્પ જરુર ચાલશે. સતયુગમાં શુદ્ધ
સંકલ્પ ચાલવાનાં કારણે સંકલ્પ, સંકલ્પ નથી, કર્મ કરતાં પણ કર્મબંધન નથી બનતું.
સમજ્યાં. હવે કર્મ, અકર્મ અને વિકર્મની ગતિ તો પરમાત્મા જ સમજાવી શકે છે. એ જ
વિકર્મોથી છોડાવવા વાળા છે જે આ સંગમ પર તમને ભણાવી રહ્યાં છે એટલે બાળકો પોતાની
ઉપર બહુજ સાવધાની રાખો. પોતાનાં હિસાબ-કિતાબ ને પણ જોતાં રહો. તમે અહીંયા આવ્યાં છો
હિસાબ-કિતાબ ચૂકતું કરવાં. એવું તો નથી અહીંયા આવીને પણ હિસાબ-કિતાબ બનાવતા જાઓ તો
સજા ખાવી પડે. આ ગર્ભ જેલની સજા કાંઈ ઓછી નથી. આ કારણે બહુ જ પુરુષાર્થ કરવાનો છે.
આ મંઝિલ બહુ ભારે છે એટલે સાવધાની થી ચાલવું જોઈએ. વિકલ્પોની ઉપર જીત પામવાની છે
જરુર. હવે ક્યાં સુધી તમે વિકલ્પો પર જીત પામી છે, ક્યાં સુધી નિરસંકલ્પ અર્થાત્
દુઃખ સુખ થી ન્યારી અવસ્થા માં રહો છો, આ તમે પોતાને જાણતાં રહો. જે સ્વયં ને નથી
સમજી શકતાં તે મમ્મા, બાબા ને પૂછી શકે છે કારણ કે તમે તો તેમનાં વારિસ છો, તો તે
બતાવી શકે છે.
નિરસંકલ્પ અવસ્થામાં રહેવાથી તમે પોતાનાં શું, કોઈ પણ વિકારી નાં વિકર્મો ને દબાવી
શકો છો, કોઈ પણ કામી પુરુષ તમારી સામે આવશે, તો તેનો વિકારી સંકલ્પ નહીં ચાલશે. જેમ
કોઇ દેવતાઓની પાસે જાય છે તો તેમની સામે તે શાંત થઈ જાય છે, તેમ તમે પણ ગુપ્ત રુપમાં
દેવતાઓ છો. તમારી આગળ પણ કોઈનાં વિકારી સંકલ્પ નથી ચાલી શકતાં, પરંતુ એવાં ઘણાં કામી
પુરુષ છે જેમનો કોઈ સંકલ્પ જો ચાલશે તો પણ વાર નહીં કરી શકશે, જો તમે યોગયુક્ત થઈને
ઉભાં રહેશો તો.
જુઓ, બાળકો તમે અહીંયા આવ્યાં છો પરમાત્મા ને વિકારોની આહુતિ આપવા પરંતુ કોઈ-કોઈ એ
હજું કાયદેસર આહુતિ નથી આપી. તેમનો યોગ પરમપિતા થી જોડાયેલો નથી. આખો દિવસ
બુદ્ધિયોગ ભટકતો રહે છે અર્થાત્ દેહી-અભિમાની નથી બન્યાં. દેહ-અભિમાની હોવાનાં કારણે
કોઈનાં સ્વભાવ માં આવી જાય છે, જેનાં કારણે પરમાત્મા થી પ્રીત નિભાવી નથી શકતાં
અર્થાત્ પરમાત્મા અર્થ સર્વિસ કરવાનાં અધિકારી નથી બની શકતાં. તો જે પરમાત્મા થી
સર્વિસ લઈ પછી સર્વિસ કરી રહ્યાં છે અર્થાત્ પતિતો ને પાવન કરી રહ્યાં છે તે જ મારા
સાચાં પાક્કા બાળકો છે. તેમને બહુ ઉંચું પદ મળે છે.
હમણાં પરમાત્મા સ્વયં આવીને તમારા બાપ બન્યાં છે. એ બાપને સાધારણ રુપમાં ન જાણીને
કોઈપણ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન કરવો એટલે વિનાશ ને પ્રાપ્ત થવું. હવે એ સમય આવશે જે
૧૦૮ જ્ઞાન ગંગાઓ પૂર્ણ અવસ્થા ને પ્રાપ્ત કરશે. બાકી જે ભણેલા નહીં હશે તે તો પોતાની
જ બરબાદી કરશે.
આ નિશ્ચય જાણજો, જો કોઈ ઈશ્વર યજ્ઞ માં છુપાઈને કામ કરે છે તો તેમને જાની જાનનહાર
બાબા જોઈ લે છે, એ પછી પોતાનાં સાકાર સ્વરુપ બાબા ને ટચ કરે છે, સાવધાની આપવા અર્થ.
તો કોઈપણ વાત છુપાવવી ન જોઈએ. ભલે ભૂલો થાય છે પરંતુ તેને જણાવવાથી જ આગળનાં માટે
બચી શકાય છે એટલે બાળકો સાવધાન રહેજો.
બાળકોએ પહેલાં પોતાને સમજવું જોઈએ કે હું છું કોણ, વ્હાટ એમ આઈ. “હું” શરીર ને નથી
કહેતાં, હું કહે છે આત્માને. હું આત્મા ક્યાંથી આવ્યો છું? કોની સંતાન છું? આત્માને
જ્યારે આ ખબર પડી જાય કે હું આત્મા પરમપિતા પરમાત્માની સંતાન છું ત્યારે પોતાનાં
બાપને યાદ કરવાથી ખુશી આવી જાય. બાળકોને ખુશી ત્યારે આવે છે જ્યારે બાપનાં ઓકયુપેશન
(કર્તવ્ય) ને જાણે છે. જ્યાં સુધી નાનાં છે, બાપનાં ઓકયુપેશન ને નથી જાણતાં ત્યાં
સુધી એટલી ખુશી નથી રહેતી. જેમ મોટા થતાં જાય, બાપનાં ઓકયુપેશન ની ખબર પડતી જાય તો
તે નશો, તે ખુશી ચઢતી જાય છે. તો પહેલાં એમનાં ઓકયુપેશન ને જાણવાનું છે કે આપણા બાબા
કોણ છે? એ ક્યાં રહે છે? જો કહે આત્મા એમાં મર્જ (મળી) થઈ જશે તો આત્મા વિનાશી થઈ
ગઈ તો ખુશી કોને આવશે.
તમારી પાસે જે નવાં જિજ્ઞાસુ આવે છે તેમને પૂછવું જોઈએ કે તમે અહીંયા શું ભણો છો?
આનાથી શું સ્ટેટસ (પદ) મળે છે? તે કોલેજમાં તો ભણવા વાળા બતાવે છે કે અમે ડોક્ટર બની
રહ્યાં છીએ, એન્જિનિયર બની રહ્યાં છીએ….. તો તેમનાં પર વિશ્વાસ કરશો ને કે આ બરાબર
ભણી રહ્યાં છે. અહીંયા પણ વિદ્યાર્થી બતાવે છે કે આ છે દુઃખની દુનિયાં જેને નર્ક,
હેલ અથવા ડેવીલ વર્લ્ડ કહે છે. તેની અગેન્સ્ટ (વિરોધ) માં છે હેવન અથવા ડીટી વર્લ્ડ,
જેને સ્વર્ગ કહે છે. આ તો બધાં જાણે છે, સમજી પણ શકે છે કે આ તે સ્વર્ગ નથી, આ નર્ક
છે અથવા દુઃખની દુનિયા છે, પાપ આત્માઓની દુનિયા છે ત્યારે તો એમને પોકારે છે કે અમને
પુણ્યની દુનિયામાં લઈ જાઓ. તો આ બાળકો જે ભણી રહ્યાં છે તે જાણે છે કે અમને બાબા તે
પુણ્ય ની દુનિયામાં લઈ ચાલી રહ્યાં છે. તો જે નવાં વિદ્યાર્થી આવે છે તેમણે બાળકોથી
પૂછવું જોઈએ, બાળકો થી ભણવું જોઈએ. તેઓ પોતાનાં શિક્ષક નું કે બાપનું ઓકયુપેશન બતાવી
શકે છે. બાપ થોડી જ પોતાની પ્રશંસા સ્વયં બેસીને કરશે, શિક્ષક પોતાની મહિમા સ્વયં
સંભળાવશે શું! એ તો વિદ્યાર્થી સંભળાવશે કે આ આવાં શિક્ષક છે, ત્યારે કહે છે
સ્ટુડન્ટ શોઝ માસ્ટર. આપ બાળકો જે આટલો કોર્સ ભણીને આવ્યાં છો, તમારું કામ છે નવાં
ને બેસીને સમજાવવાનું. બાકી શિક્ષક જે બી.એ. એમ.એ. ભણાવી રહ્યાં છે તે બેસીને નવાં
વિદ્યાર્થી ને એ.બી.સી. શીખવાડશે શું! કોઈ-કોઈ વિદ્યાર્થી સારા હોશિયાર હોય છે, તે
બીજાઓ ને પણ ભણાવે છે. એમાં માતા ગુરુ તો પ્રસિદ્ધ છે. આ છે ડીટી (દૈવી) ધર્મ ની
પહેલી માતા, જેમને જગદંબા કહે છે. માતાની ખુબ મહિમા છે. બંગાળ માં કાળી, દુર્ગા,
સરસ્વતી અને લક્ષ્મી આ ચાર દેવીઓની ખુબ પૂજા કરે છે. હવે એ ચાર નાં ઓકયુપેશન ની તો
ખબર હોવી જોઈએ. જેમ કે લક્ષ્મી છે તો એ છે ગોડેજ ઓફ વેલ્થ (ધનની દેવી). તે તો અહીંયા
જ રાજ્ય કરીને ગઈ છે. બાકી કાળી, દુર્ગા વગેરે આ તો બધાં આનાં પર નામ પડયાં છે. જો
ચાર માતાઓ છે તો તેમનાં ચાર પતિ પણ હોવા જોઈએ. હવે લક્ષ્મીનાં તો નારાયણ પતિ
પ્રસિદ્ધ છે. કાળી નાં પતિ કોણ છે? (શંકર) પરંતુ શંકર ને તો પાર્વતી નાં પતિ કહે
છે. પાર્વતી કોઈ કાળી નથી. ઘણાં છે જે કાળી ને પૂજે છે, માતાને યાદ કરે છે પરંતુ
પિતાની ખબર નથી. કાળી નો કાં તો પતિ હોવો જોઈએ કાં પિતા હોવા જોઈએ પરંતુ આ કોઈને
ખબર નથી.
તમારે સમજાવવાનું છે કે દુનિયા આ એક જ છે, જે કોઈ સમયે દુઃખની દુનિયા અથવા દોજક બની
જાય છે તે જ ફરી સતયુગમાં બહિશ્ત અથવા સ્વર્ગ બની જાય છે. લક્ષ્મી-નારાયણ પણ આ જ
સૃષ્ટિ પર સતયુગનાં સમયે રાજ્ય કરતાં હતાં. બાકી સૂક્ષ્મ માં તો કોઈ વૈકુંઠ છે નહીં
જ્યાં સૂક્ષ્મ લક્ષ્મી-નારાયણ છે. તેમનાં ચિત્ર અહીંયા જ છે તો જરુર અહીંયાં જ
રાજ્ય કરીને ગયાં છે. રમત આખી આ કોરપોરિયલ વર્લ્ડ (સાકારી દુનિયા) માં ચાલે છે.
હિસ્ટ્રી જોગ્રોફી આ કોરપોરિયલ વર્લ્ડની છે. સૂક્ષ્મવતન ની કોઈ હિસ્ટ્રી જોગ્રોફી
હોતી નથી. પરંતુ બધી વાતોને છોડી તમારે નવાં જિજ્ઞાસુ ને પહેલાં અલ્ફ શીખવાડવાનો છે
પછી બે સમજાવવાનું છે. અલ્ફ છે ગોડ, એ સુપ્રીમ સોલ છે. જ્યાં સુધી આ પૂરું સમજ્યાં
નથી ત્યાં સુધી પરમપિતા નાં માટે એ પ્રેમ નથી જાગતો, એ ખુશી નથી આવતી કારણ કે પહેલાં
જ્યારે બાપ ને જાણે ત્યારે એમનાં ઓકયુપેશન ને પણ જાણીને ખુશી માં આવે. તો ખુશી છે આ
પહેલી વાત ને સમજવામાં. ગોડ તો એવરહેપી છે (ભગવાન સદા ખુશ છે), આનંદ સ્વરુપ છે. એમનાં
આપણે બાળકો છીએ તો કેમ નહિં તે ખુશી આવવી જોઈએ! તે ગલીપચી કેમ નથી થતી! આઈ એમ સન ઓફ
ગોડ, આઈ એમ એવરહેપી માસ્ટર ગોડ. એ ખુશી નથી આવતી તો સિદ્ધ છે પોતાને સન (બાળક) નથી
સમજતાં. ગોડ ઇઝ એવરહેપી બટ આઈ એમ નોટ હેપી કારણ કે ફાધર ને નથી જાણતાં. વાત તો સહજ
છે.
કોઈ-કોઈ ને આ જ્ઞાન સાંભળવાનાં કરતાં શાંતિ સારી લાગે છે કારણ કે ઘણાં છે જે જ્ઞાન
ઉઠાવી પણ નહિં શકે. એટલો સમય ક્યાં છે. બસ આ અલ્ફ ને પણ જાણીને સાઈલેન્સ માં રહે તો
તે પણ સારું છે. જેમ સન્યાસી પણ પહાડો ની કંદરાઓ માં જઈને પરમાત્માની યાદ માં બેસે
છે. તેમ પરમપિતા પરમાત્મા ની, એ સુપ્રીમ લાઈટ ની યાદ માં રહે તો પણ સારું છે. એમની
યાદ થી સન્યાસી પણ નિર્વિકારી બની શકે છે. પરંતુ ઘરે બેઠા તો યાદ કરી નથી શકતાં.
ત્યાં તો બાળકોમાં મોહ જતો રહેશે, એટલે તો સંન્યાસ કરે છે. હોલી (પવિત્ર) બની જાય
છે તો તેમાં સુખ તો છે ને. સંન્યાસી સૌથી સારા છે. આદિદેવ પણ સન્યાસી બન્યાં છે ને.
આ સામે તેમનું (આદિ દેવ નું) મંદિર ઉભું છે, જ્યાં તપસ્યાં કરી રહ્યાં છે. ગીતામાં
પણ કહે છે દેહનાં બધાં ધર્મોનો સંન્યાસ કરો. તે સન્યાસ કરી જાય તો મહાત્મા બની જાય.
ગૃહસ્થી ને મહાત્મા કહેવું બેકાયદો છે. તમને તો પરમાત્મા એ આવીને સંન્યાસ કરાવ્યો
છે. સંન્યાસ કરે જ છે સુખનાં માટે. મહાત્મા ક્યારેય દુઃખી નથી થતાં. રાજાઓ પણ
સંન્યાસ કરે છે તો તાજ વગેરે ફેંકી દે છે. જેમ ગોપીચંદે સન્યાસ કર્યો, તો જરુર તેમાં
સુખ છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
ઉલ્ટું કર્મ છુપાઈને નથી કરવાનું. બાપદાદા થી કોઈ પણ વાત છુપાવવાની નથી. ખુબ-ખુબ
સાવધાન રહેવાનું છે.
2. સ્ટુડન્ટ શોઝ માસ્ટર, જે ભણ્યાં છો તે બીજાઓને ભણાવવાનું છે. એવરહેપી ગોડ નાં
બાળકો છીએ, આ સ્મૃતિ થી અપાર ખુશી માં રહેવાનું છે.
વરદાન :-
દરેક આત્માને
ઉંચા ઉઠાવવાની ભાવના થી રિગાર્ડ આપવા વાળા શુભચિંતક ભવ
દરેક આત્માનાં પ્રતિ
શ્રેષ્ઠ ભાવના અર્થાત્ ઉંચા ઉઠાવવાની અથવા આગળ વધારવાની ભાવના રાખવી અર્થાત
શુભચિંતક બનવું. પોતાની શુભ વૃત્તિ થી, શુભચિંતક સ્થિતિ થી અન્ય નાં અવગુણો ને પણ
પરિવર્તન કરવાં, કોઈની પણ કમજોરી કે અવગુણ ને પોતાની કમજોરી સમજી વર્ણન કરવાનાં બદલે
અથવા ફેલાવવાનાં બદલે સમાવવી અને પરિવર્તન કરવી એ છે રિગાર્ડ. મોટી વાત ને નાની
બનાવવી, દિલશિકસ્ત ને શક્તિવાન બનાવવાં, એમનાં સંગનાં રંગમાં ન આવવું, સદા તેમને પણ
ઉમંગ ઉત્સાહ માં લાવવાં - આ છે રિગાર્ડ. આવો રિગાર્ડ આપવા વાળા જ શુભચિંતક છે
સ્લોગન :-
ત્યાગ નું
ભાગ્ય સમાપ્ત કરવા વાળા જૂનાં સ્વભાવ-સંસ્કાર છે, એટલે એનો પણ ત્યાગ કરો.