16.12.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન
"મીઠા બાળકો - પાપો થી હલ્કા થવા માટે વફાદાર, ઓનેસ્ટ ( ઈમાનદાર ) બની પોતાની કર્મ કહાની બાપ ને લખીને આપો તો ક્ષમા થઈ જશે ”
પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો કયું બીજ ન વાવી શકો?
ઉત્તર :-
દેહ-અભિમાન નું. આ બીજથી બધાં વિકારોનાં ઝાડ નીકળી પડે છે. આ સમયે આખી દુનિયામાં પાંચ વિકારો નાં ઝાડ નીકળેલાં છે. બધાં કામ-ક્રોધ નાં બીજ વાવતાં રહે છે. તમને બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે બાળકો યોગબળ થી પાવન બનો. આ બીજ વાવવાનું બંધ કરો.
ગીત :-
તુમ્હે પા કે હમને જહાં પા લિયાં હૈ …
ઓમ્ શાંતિ ! મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું! હમણાં તો થોડાં છે, અનેકાનેક બાળકો થઈ જશે. આ સમયે થોડા પ્રેકક્ટિલ માં બન્યાં છો તો પણ આ પ્રજાપિતા બ્રહ્માને જાણે તો બધાં છે ને. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. કેટલી અસંખ્ય પ્રજા છે. બધાં ધર્મવાળા આમને માનશે જરુર. આમનાં દ્વારા જ મનુષ્ય માત્રની રચના થઈ છે ને. બાબાએ સમજાવ્યું છે લૌકિક બાપ પણ હદનાં બ્રહ્મા છે કારણ કે એમનો પણ સિજરો (વંશજ) બને છે ને. સરનેમ (અટક) થી વંશજ ચાલે છે. તે હોય છે હદનાં, આ છે બેહદનાં બાપ. આમનું નામ જ છે પ્રજાપિતા. તે લૌકિક બાપ તો લિમિટેડ પ્રજા રચે છે. કોઈ નથી પણ રચતાં. આ તો જરુર રચશે. એવું કોઈ કહેશે કે પ્રજાપિતા બ્રહ્મા ને સંતાન નથી? આમની સંતાન તો આખી દુનિયા છે. પહેલાં-પહેલાં છે જ પ્રજાપિતા બ્રહ્મા. મુસલમાન પણ આદમ બીબી જે કહે છે તે જરુર કોઈને તો કહેતાં હશે ને. એડમ ઇવ, આદિ દેવ, આદિ દેવી આ પ્રજાપિતા બ્રહ્માનાં માટે જ કહેશે. જે પણ ધર્મ વાળા છે બધાં આમને માનશે. બરાબર એક છે હદનાં બાપ, બીજા છે બેહદનાં. આ બેહદનાં બાપ છે બેહદનું સુખ આપવા વાળા. તમે પુરુષાર્થ પણ કરો છો બેહદ સ્વર્ગનાં સુખ માટે. અહીંયા બેહદનાં બાપ થી બેહદનાં સુખ નો વારસો પામવા આવ્યાં છો. સ્વર્ગમાં બેહદનું સુખ, નર્ક માં બેહદનું દુઃખ પણ કહી શકો છો. દુઃખ પણ બહુજ આવવાનાં છે. હાય-હાય કરતાં રહેશે. બાપે તમને આખાં વિશ્વનાં આદિ-મધ્ય-અંતનું રહસ્ય સમજાવ્યું છે. આપ બાળકો સામે બેઠાં છો અને પુરુષાર્થ પણ કરો છો. આ તો માતા-પિતા બંને થયાં ને. આટલાં અસંખ્ય બાળકો છે. બેહદનાં માત-પિતા થી ક્યારેય કોઈ દુશ્મની રાખશે નહીં. માત-પિતા થી કેટલું સુખ મળે છે. ગાએ પણ છે તુમ માતા-પિતા... આ તો બાળકો જ સમજે છે. બીજા ધર્મ વાળા બધાં ફાધર (પિતા) ને જ બોલાવે છે. માત-પિતા નહીં કહેશે. ફક્ત અહીંયા જ ગાએ છે તુમ માત-પિતા હમ…. આપ બાળકો જાણો છો કે આપણે ભણીને મનુષ્ય થી દેવતા, કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. બાપ ખેવૈયા પણ છે બાગવાન પણ છે. બાકી તમે બધાં બ્રાહ્મણ અનેક પ્રકારનાં માળી છો. મુગલ ગાર્ડન નાં પણ માળી હોય છે ને. એમનો પગાર પણ કેટલો સારો હોય છે. માળી પણ નંબરવાર છે ને. કોઈ-કોઈ માળી કેટલાં સારા-સારા ફૂલ બનાવે છે. ફૂલોમાં પણ એક કિંગ ઓફ ફ્લાવર (ફૂલોનો રાજા) પણ હોય છે. સતયુગમાં કિંગ ક્વીન ફ્લાવર પણ છે ને. અહીંયા ભલે મહારાજા-મહારાણી છે પરંતુ ફ્લાવર્સ (ફૂલ) નથી. પતિત બનવાથી કાંટા બની જાય છે. રસ્તે ચાલતાં-ચાલતાં કાંટો લગાવીને ભાગી જાય છે. અજામિલ પણ તેમને કહેવાય છે. સૌથી વધારે ભક્તિ પણ તમે કરો છો. વામમાર્ગ માં પડવા વાળા ચિત્ર જુઓ કેવાં-કેવાં ગંદા બનાવ્યાં છે. દેવતાઓનાં જ ચિત્ર આપ્યાં છે. હવે તે છે વામમાર્ગ નાં ચિત્ર. હવે આપ બાળકોએ આ વાતો સમજી લીધી છે. તમે હમણાં બ્રાહ્મણ બન્યાં છો. આપણે વિકારો થી બહુજ દૂર-દૂર જઈએ છીએ. બ્રાહ્મણોમાં ભાઈ-બહેન ની સાથે વિકારમાં જવું-આ તો બહુ જ મોટું ક્રિમિનલ એસોલ્ટ (અપવિત્ર કર્મ) થઈ જાય. નામ જ ખરાબ થઈ જાય છે, એટલે નાનપણ થી જ કંઈ ખરાબ કામ કર્યું છે તો તે પણ બાબાને સંભળાવો છો તો અડધું માફ થઈ જાય છે. યાદ તો રહે છે ને. ફલાણા સમયે આ અમે ગંદુ કામ કર્યુ. બાબા ને લખીને આપો છો. જે બહુ જ વફાદાર ઈમાનદાર હોય છે તે બાબા ને લખે છે - બાબા અમે આ-આ ગંદુ કામ કર્યુ. ક્ષમા કરો. બાપ કહે છે ક્ષમા તો થતી નથી, બાકી સાચું કહો છો તો હલકું થઈ જશે. એવું નહીં, ભૂલી જાઓ છો. ભૂલી ન શકાય. આગળ પછી એવું કોઈ કામ ન થાય તેનાં માટે ખબરદાર કરું છું. બાકી દિલ ખાય જરુર છે. કહે છે બાબા અમે તો અજામિલ હતાં. આ જન્મ ની જ વાત છે. આ પણ હમણાં તમે જાણો છો. ક્યાર થી વામમાર્ગ માં આવીને પાપ આત્મા બન્યાં છો? હવે બાપ ફરી આપણને પુણ્ય આત્મા બનાવે છે. પુણ્ય આત્માઓની દુનિયા જ અલગ છે. ભલે દુનિયા એક જ છે પરંતુ સમજી ગયાં છો કે બે ભાગમાં છે. એક છે પુણ્ય આત્માઓ ની દુનિયા જેને સ્વર્ગ કહેવાય છે. બીજી છે પાપ આત્માઓની દુનિયા જેને નર્ક દુ:ખધામ કહેવાય છે. સુખની દુનિયા અને દુઃખની દુનિયા. દુઃખની દુનિયામાં બધાં ચિલ્લાવતાં રહે છે અમને મુક્ત કરો, પોતાનાં ઘરે લઈ જાઓ. આ પણ બાળકો સમજે છે કે ઘરમાં જઈને બેસવાનું નથી, ફરી પાર્ટ ભજવવા આવવાનું છે. આ સમયે આખી દુનિયા પતિત છે. હવે બાપ દ્વારા તમે પાવન બની રહ્યાં છો. લક્ષ્ય-હેતુ સામે જ છે. બીજું કોઈ પણ આ લક્ષ્ય-હેતુ નહીં કહશે કે આપણે આ બની રહ્યાં છીએ. બાપ કહે છે બાળકો તમે આ હતાં, હમણાં નથી. પૂજ્ય હતાં હવે પૂજારી બની ગયાં છો ફરી પૂજ્ય બનવા માટે પુરુષાર્થ જોઈએ. બાપ કેટલો સારો પુરુષાર્થ કરાવે છે. આ બાબા સમજે છે ને હું પ્રિન્સ બનીશ. નંબરવન માં છે આ, તો પણ દર વખતે યાદ નથી રહેતી. ભૂલી જવાય છે. કેટલી પણ કોઈ મહેનત કરે પરંતુ હમણાં તે અવસ્થા થશે નહીં. કર્માતીત અવસ્થા ત્યારે થશે જ્યારે લડાઈ નો સમય હશે. પુરુષાર્થ તો બધાએ કરવાનો છે ને. આમણે પણ કરવાનો છે. તમે સમજાવો પણ છો ચિત્ર માં જુઓ બાબા નું ચિત્ર ક્યાં છે? એકદમ ઝાડની પાછળ ઉભાં છે, પતિત દુનિયામાં અને નીચેમાં પછી તપસ્યાં કરી રહ્યાં છે. કેટલું સહજ સમજાવાય છે. આ બધી વાતો બાપે જ સમજાવી છે. આ પણ નહોતાં જાણતાં. બાપ જ નોલેજફુલ છે, એમને જ બધાં યાદ કરે છે - હેં પરમપિતા પરમાત્મા આવીને અમારું દુઃખ હરો. બ્રહ્મા-વિષ્ણુ-શંકર તો દેવતાઓ છે. મૂળવતન માં રહેવાવાળી આત્માઓને દેવતા થોડી કહેવાય છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નું પણ રહસ્ય બાપે સમજાવ્યું છે. બ્રહ્મા, લક્ષ્મી-નારાયણ આ તો બધાં અહીંયા જ છે ને. સૂક્ષ્મવતન નો ફક્ત આપ બાળકો ને હમણાં સાક્ષાત્કાર થાય છે. આ બાબા પણ ફરિશ્તા બની જાય છે. આ તો બાળકો જાણે છે જે સીડી ની ઉપર માં ઉભાં છે તે જ પછી નીચે તપસ્યાં કરી રહ્યાં છે. ચિત્રમાં બિલ્કુલ ક્લિયર (સ્પષ્ટ) દેખાડ્યું છે. તે પોતાને ભગવાન ક્યાં કહેવડાવે છે. આ તો કહે છે હું વર્થ નોટ એ પેની હતો, તતત્વમ્. હમણાં વર્થ પાઉન્ડ બની રહ્યાં છો તતત્વમ્. કેટલી સહજ સમજવાની વાતો છે. ક્યારેય કોઈ બોલે તો કહો જુઓ આ તો કળયુગનાં અંત માં ઉભાં છે ને. બાપ કહે છે જ્યારે જડજડીભૂત અવસ્થા, વાનપ્રસ્થ હોય છે ત્યારે હું આમનામાં પ્રવેશ કરું છું. હમણાં રાજયોગની તપસ્યાં કરી રહ્યાં છે. તપસ્યા કરવા વાળાને દેવતા કેવી રીતે કહીશું? રાજયોગ શીખીને આ બનશે. આપ બાળકોને પણ એવાં તાજ વાળા બનાવે છે ને. આ જ દેવતા બને છે. આમ તો ૧૦-૨૦ બાળકોનાં ચિત્ર પણ રાખી શકો છો. દેખાડવા માટે કે આ બને છે. આગળ બધાનાં એવાં ફોટા પાડેલાં છે. આ સમજાવવાની વાત છે ને. એક તરફ સાધારણ, બીજી તરફ ડબલ સિરતાજ. તમે સમજો છો આપણે આ બની રહ્યાં છીએ. બનશે તે જેમની લાઈન ક્લિયર હશે અને બહુજ મીઠા પણ બનવાનું છે. આ સમયે મનુષ્યોમાં કામ-ક્રોધ વગેરે નાં બીજ કેટલાં પડી ગયાં છે. બધામાં ૫ વિકાર રુપી બીજ નું ઝાડ નીકળી પડ્યું છે. હવે બાપ કહે છે એવું બીજ નથી વાવવાનું. સંગમયુગ પર તમારે દેહ-અભિમાન નું બીજ નથી વાવવાનું. કામનું બીજ નથી વાવવાનું. અડધા કલ્પ માટે પછી રાવણ જ નહીં રહેશે. દરેક વાત બાપ બેસી બાળકો ને સમજાવે છે. મુખ્ય તો એક જ વાત છે મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો. સૌથી અંતમાં આ છે, પછી સૌથી પહેલાં પણ આ છે. યોગબળ થી કેટલાં પાવન બને છે. શરું માં તો બાળકોને બહુ જ સાક્ષાત્કાર થતાં હતાં. ભક્તિમાર્ગ માં જ્યારે નૌધા ભક્તિ કરે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે. અહીંયા તો આ બેઠા-બેઠા ધ્યાનમાં ચાલ્યાં જતા હતાં, આને જાદુ સમજતાં હતાં. આ તો ફર્સ્ટક્લાસ જાદુ છે. મીરાએ તો બહુજ તપસ્યાં કરી, સાધુ-સંત વગેરે નો સંગ કર્યો. અહીંયા સાધુ વગેરે ક્યાં છે. આ તો બાપ છે ને. બધાનાં બાપ છે શિવબાબા. કહે છે ગુરુજી થી મળો. અહીંયા તો ગુરુ છે નહીં. શિવબાબા તો છે નિરાકાર પછી કોને મળવા ઈચ્છો છો? એ ગુરુઓની પાસે તો જઈને ભેંટ રાખે છે. આ તો બાપ બેહદનાં માલિક છે. અહીંયા ભેંટ વગેરે ચઢાવવાની વાત નથી. આ પૈસા શું કરશે? આ બ્રહ્મા પણ સમજે છે હું વિશ્વનો માલિક બનું છું. બાળકો જે કાંઈ પૈસા વગેરે આપે છે તો એમનાં માટે જ મકાન વગેરે બનાવી દે છે. પૈસા તો ન શિવબાબાનાં કામનાં છે, ન બ્રહ્મા બાબાનાં કામનાં છે. આ મકાન વગેરે બનાવ્યાં જ છે બાળકો માટે, બાળકો જ આવીને રહે છે. કોઇ ગરીબ છે, કોઈ સાહૂકાર છે, કોઈ તો બે રુપિયા પણ મોકલી આપે છે- બાબા અમારી એક ઈંટ લગાવી દો. કોઈ હજાર મોકલી આપે છે. ભાવના તો બન્નેની એક છે ને. તો બંને નું સમાન બની જાય છે. પછી બાળકો આવે છે જ્યાં ઈચ્છે ત્યાં રહે. જેમણે મકાન બનાવ્યાં છે તે જો આવે છે તો એમને જરુર સુખથી રાખશે. ઘણાં પછી કહી દે છે બાબા પાસે પણ ખાતરી થાય છે. અરે એ તો જરુર કરવી પડશે ને. કોઈ કેવાં છે, કોઈ તો ક્યાંય પણ બેસી જાય છે. કોઈ બહુજ નાજુક હોય છે, વિદેશમાં રહેવા વાળા, મોટાં-મોટાં મહેલોમાં રહેવા વાળા હોય છે, દરેક દેશ માં મોટાં-મોટાં સાહૂકાર નીકળે છે તો મકાન વગેરે એવાં બનાવે છે. અહીંયા તો જુઓ કેટલાં અસંખ્ય બાળકો આવે છે. બીજા કોઈ બાપનાં એવા વિચારો થોડી હશે. કરીને ૧૦-૧૨-૨૦ પોત્ર-પોત્રીઓ હશે. અચ્છા, કોઈને ૨૦૦-૫૦૦ પણ હોય એનાથી વધારે તો નહીં હશે. આ બાબાનો પરિવાર તો કેટલો મોટો છે, હજું વધારે વૃદ્ધિને પામવાની છે. આ તો રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપનાં પરિવાર કેટલાં બનશે. પછી પ્રજાપિતા બ્રહ્માનાં પરિવાર કેટલાં થઈ ગયાં. કલ્પ-કલ્પ જ્યારે આવે છે ત્યારે જ વન્ડરફુલ વાતો તમારા કાનોમાં પડે છે. બાપ નાં માટે જ કહો છો ને- હેં પ્રભુ તમારી ગતિ-મત સૌથી ન્યારી શરું થાય છે. ભક્તિ અને જ્ઞાનમાં ફરક જુઓ કેટલો છે.
બાપ તમને સમજાવે છે - સ્વર્ગ માં જવું છે તો દૈવી ગુણ પણ ધારણ કરવાં જોઈએ. હમણાં તો કાંટા છો ને. ગાતાં રહો છો મેં નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી. બાકી પાંચ વિકારોનાં અવગુણ છે, રાવણ રાજ્ય છે. હમણાં તમને કેટલું સારું નોલેજ મળે છે. તે નોલેજ એટલી ખુશી નથી આપતું, જેટલી આ. તમે જાણો છો આપણે આત્માઓ ઉપર મૂળવતનમાં રહેવા વાળી છીએ. સૂક્ષ્મવતન માં બ્રહ્મા-વિષ્ણુ-શંકર, એ પણ ફક્ત સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મા પણ અહીંયા, લક્ષ્મી-નારાયણ પણ અહીંયા નાં છે. આ ફક્ત સાક્ષાત્કાર થાય છે. વ્યક્ત બ્રહ્મા તે પછી સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા ફરિશ્તા કેવી રીતે બની જાય છે, તે નિશાની છે. બાકી છે કંઈ નહિં. હવે આપ બાળકો બધી વાતો સમજતાં જાઓ છો, ધારણા કરતાં જાઓ છો. નવી વાત નથી. તમે અનેકવાર દેવતા બન્યાં છો, દૈવી રાજ્ય હતું ને. આ ચક્ર ફરતું રહે છે. તે વિનાશી ડ્રામા હોય છે, આ છે અનાદિ અવિનાશી ડ્રામા. આ તમારા સિવાય બીજા કોઈ ની બુદ્ધિમાં નથી. આ બધું બાપ બેસીને સમજાવે છે. એવું નથી કે પરંપરા થી જ ચાલતું આવ્યું છે. બાપ કહે છે આ જ્ઞાન હમણાં તમને સંભળાવું છું. પછી આ પ્રાયઃ લોપ થઈ જાય છે. તમે રાજાઈ પદ પ્રાપ્ત કરી લો છો પછી સતયુગ માં આ નોલેજ હોતું નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- સદા સ્મૃતિ રહે કે આપણે હમણાં બ્રાહ્મણ છીએ એટલે વિકારો થી બહુજ-બહુજ દૂર રહેવાનું છે. ક્યારેય પણ ક્રિમિનલ એસોલ્ટ (અપવિત્ર કર્મ) ન થાય. બાપ થી બહુજ-બહુજ ઈમાનદાર, વફાદાર રહેવાનું છે.
- ડબલ સિરતાજ દેવતા બનવા માટે બહુજ મીઠા બનવાનું છે, લાઈન ક્લિયર રાખવાની છે. રાજયોગ ની તપસ્યા કરવાની છે.
વરદાન :-
ઈશ્વરીય નશા દ્વારા જૂની દુનિયાને ભૂલવા વાળા સર્વ પ્રાપ્તિ સમ્પન્ન ભવ
જેમ તે નશો બધું જ ભુલાવી દે છે, એમ આ ઈશ્વરીય નશો દુઃખો ની દુનિયાને સહજ જ ભુલાવી દે છે. તે નશામાં તો બહુજ નુકસાન થાય છે, અધિક પીવાથી ખતમ થઈ જાય છે પરંતુ આ નશો અવિનાશી બનાવી દે છે. જે સદા ઈશ્વરીય નશામાં મસ્ત રહે છે તે સર્વ પ્રાપ્તિ સંપન્ન બની જાય છે. એક બાપ બીજું ન કોઈ-આ સ્મૃતિ જ નશો ચઢાવે છે. આ જ સ્મૃતિ થી સમર્થી આવી જાય છે.
સ્લોગન :-
એક બીજા ને કોપી (નકલ) કરવાનાં બદલે બાપ ને કોપી કરો.