11-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - મધુબન હોલીએસ્ટ ઓફ દી હોલી ( પવિત્રમાં સૌથી પવિત્ર ) બાપ નું ઘર છે , અહીંયા તમે કોઈપણ પતિત ને ન લાવી શકો ”

પ્રશ્ન :-
આ ઈશ્વરીય મિશનમાં જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે તેમની નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
૧. તે સ્તુતિ-નિંદા... બધામાં ધીરજ થી કામ લેશે, ૨. ક્રોધ નહીં કરશે, ૩. કોઈને પણ દૈહિક દૃષ્ટિ થી નહીં જોશે. આત્મા ને જ જોશે, આત્મા થઇને વાત કરશે. ૪. સ્ત્રી-પુરુષ સાથે રહેતાં કમળ ફૂલ સમાન રહેશે, ૫. કોઈ પણ પ્રકારની તમન્ના (ઇચ્છા) નહીં રાખશે.

ગીત :-
જલે ન ક્યો પરવાના……..

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે અર્થાત્ ભગવાન ભણાવી રહ્યાં છે રુહાની વિદ્યાર્થી ને. તે સ્કૂલોમાં જે બાળકો ભણે છે, તેમને કોઈ રુહાની વિદ્યાર્થી નહીં કહીશું. તે તો છે જ આસુરી વિકારી સંપ્રદાય નાં. પહેલાં તમે પણ આસુરી અથવા રાવણ સંપ્રદાય નાં હતાં. હવે રામ રાજય માં જવા માટે ૫ વિકારો રુપી રાવણ પર જીત પામવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. આ જે નોલેજ પ્રાપ્ત નથી કરતાં તેમને તો સમજાવવું પડે છે-તમે રાવણ રાજ્યમાં છો. પોતે સમજતાં નથી. તમે પોતાનાં મિત્ર-સંબંધીઓ વગેરેને કહો છો અમે બેહદનાં બાપ થી ભણીએ છીએ તો એવું નથી કે તે નિશ્ચય કરે છે. કેટલું પણ બાપ કહો કે ભગવાન કહો તો પણ નિશ્ચય નથી કરતાં. નવાં ને તો અહીંયા આવવાનો હુકમ નથી. વગર ચિઠ્ઠી કે વગર પૂછ્યે તો કોઈ આવી પણ ન શકે. પરંતુ ક્યાંક-ક્યાંક કોઈ આવી જાય છે, એ પણ કાયદા નું ઉલ્લંઘન છે. એક-એક નાં પૂરા સમાચાર, નામ વગેરે લખી પૂછવાનું હોય છે. આમને મોકલી દઈએ? પછી બાબા કહે છે ભલે મોકલી દો. જો આસુરી પતિત દુનિયાનાં વિદ્યાર્થી હશે તો બાપ સમજાવશે, તે ભણતર તો વિકારી પતિત ભણાવે છે. આ ઈશ્વર ભણાવે છે. તે ભણતર થી પાઈ-પૈસા નો દરજ્જો મળે છે. ભલે કોઈ બહુ મોટી પરીક્ષા પાસ કરે છે, પછી ક્યાં સુધી કમાતા રહેશે. વિનાશ તો સામે ઉભો છે. કુદરતી આપદાઓ પણ બધી આવવાની છે. આ પણ તમે સમજો છો, જે નથી સમજતાં તેમને બહાર વિઝીટીંગ (અતિથી) રુમમાં બેસાડીને સમજાવવાનું હોય છે. આ છે ઈશ્વરીય ભણતર, આમાં નિશ્ચયબુદ્ધિ જ વિજયન્તી થશે અર્થાત્ વિશ્વ પર રાજ્ય કરશે. રાવણ સંપ્રદાય વાળા તો આ જાણતાં નથી. આમાં બહુ જ ખબરદારી જોઈએ. પરવાનગી વગર કોઈ પણ અંદર આવી ન શકે. આ કોઈ હરવા-ફરવાની જગ્યાં નથી. થોડા સમયમાં કાયદા કડક થઈ જશે કારણ કે આ છે હોલીએસ્ટ ઓફ દી હોલી. શિવબાબાને ઇન્દ્ર પણ કહે છે ને. આ ઇન્દ્ર સભા છે. ૯ રત્ન આંગળીમાં પણ પહેરે છે ને. તે રત્નો માં નીલમ પણ હોય છે, પન્ના, માણેક પણ હોય છે. આ બધાં નામ રાખેલાં છે. પરીઓનાં પણ નામ છે ને. તમે પરીઓ ઉડવા વાળી આત્માઓ છો. તમારું જ વર્ણન છે. પરંતુ મનુષ્ય આ વાતોને કંઈ પણ સમજતાં નથી.

વીંટીમાં પણ જ્યારે રત્ન પહેરે છે, તો તેમાં કોઈ પોખરાજ, નીલમ, પેરુજ પણ હોય છે. કોઈ ની કિંમત હજાર રૂપિયા તો કોઈ ની કિંમત ૧૦-૨૦ રુપિયા. બાળકોમાં પણ નંબરવાર છે. કોઈ તો ભણીને માલિક બની જાય છે. કોઈ પછી ભણીને દાસ-દાસીઓ બની જાય છે. રાજધાની સ્થાપન થાય છે ને. તો બાપ બેસીને ભણાવે છે. ઇન્દ્ર પણ એમને જ કહેવાય છે. આ જ્ઞાન વર્ષા છે. જ્ઞાન તો સિવાય બાપનાં કોઈ આપી ન શકે. તમારો લક્ષ્ય-હેતુ જ આ છે. જો નિશ્ચય થઈ જાય કે ઈશ્વર ભણાવે છે પછી તે ભણતર ને છોડશે નહીં. જે હશે જ પથ્થરબુદ્ધિ, તેમને ક્યારેય તીર નહીં લાગશે. આવીને ચાલતાં-ચાલતાં પછી પડી જાય છે. ૫ વિકાર અડધાકલ્પ નાં શત્રુ છે. માયા દેહ-અભિમાનમાં લાવીને થપ્પડ મારી દે છે પછી આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ જાય છે. આ માયા ખુબ જ દુશ્તર છે, એક જ થપ્પડ થી પાડી દે છે. સમજે છે અમે ક્યારેય નહીં પડીશું છતાં પણ માયા થપ્પડ લગાવી દે છે. અહીંયા સ્ત્રી-પુરુષ બંનેય ને પવિત્ર બનાવાય છે. તે તો ઈશ્વરનાં સિવાય કોઈ બનાવી ન શકે. આ છે ઈશ્વરીય મિશન.

બાપને ખેવૈયા પણ કહેવાય છે, તમે છો નાવ. ખેવૈયા આવે છે, બધાની નાવ ને પાર લગાવવાં. કહે પણ છે સત ની નાવ ડોલશે પરંતુ ડૂબશે નહીં. કેટલાં અસંખ્ય મઠ પંથ છે. જ્ઞાન અને ભક્તિની જેમ લડાઈ થાય છે. ક્યારેક ભક્તિની પણ વિજય થશે, અંતમાં તો જ્ઞાનની જ વિજય થશે. ભક્તિ ની તરફ જુઓ કેટલાં મોટા-મોટા યોદ્ધા છે. જ્ઞાનમાર્ગ ની તરફ પણ કેટલાં મોટા-મોટા યોદ્ધા છે. અર્જુન, ભીમ વગેરે નામ રાખ્યાં છે. આ તો બધી વાર્તાઓ બેસીને બનાવી છે. ગાયન તો તમારું જ છે. હીરો-હિરોઈન નો પાર્ટ તમારો હમણાં ભજવાઈ રહ્યો છે. આ સમયે જ યુદ્ધ ચાલે છે. તમારામાં પણ ઘણાં છે જે આ વાતો ને બિલ્કુલ સમજતાં નથી. જે સારા-સારા હશે તેમને જ તીર લાગશે. થર્ડ ક્લાસ તો બેસી ન શકે. દિવસ-પ્રતિદિવસ ખુબ કડક કાયદા થતા જશે. પથ્થરબુદ્ધિ જે કંઈ નથી સમજતા તેમને તો અહીંયા બેસવું પણ બેકાયદેસર છે.

આ હોલ હોલીએસ્ટ ઓફ હોલી છે. પોપ ને હોલી કહે છે. આ તો બાપ છે હોલીએસ્ટ ઓફ હોલી. બાપ કહે છે આ બધાનું મારે કલ્યાણ કરવાનું છે. આ બધું વિનાશ થઈ જવાનું છે. આ પણ કોઈ બધાં થોડી સમજે છે. ભલે સાંભળે છે પરંતુ એક કાન થી સાંભળી બીજા કાન થી નીકાળી દે છે. ન કાંઈ ધારણ કરે છે, ન કરાવે છે. એવાં ગુંગા-બહેરા પણ ઘણાં છે. બાપ કહે છે હિયર નો ઈવિલ….. તેઓ તો વાંદરાનું ચિત્ર દેખાડે છે. પરંતુ આ તો મનુષ્યોનાં માટે કહેવાય છે. મનુષ્ય આ સમયે વાંદરા થી પણ બદતર છે. નારદની પણ કહાની બેસી બનાવી છે. એમને કહ્યું તમે પોતાની શકલ તો જુઓ - ૫ વિકાર તો અંદર માં નથી? જેમ સાક્ષાત્કાર થાય છે. હનુમાન નો પણ સાક્ષાત્કાર થાય છે ને. બાપ કહે છે કલ્પ-કલ્પ આ થાય છે. સતયુગ માં આ કાંઈ પણ વાતો હોતી નથી. આ જૂની દુનિયા જ ખત્મ થઇ જશે. જે પાક્કા નિશ્ચયબુદ્ધિ છે, તે સમજે છે કલ્પ પહેલાં પણ અમે આ રાજ્ય કર્યુ હતું. બાપ કહે છે-બાળકો, હવે દૈવીગુણ ધારણ કરો. કોઈ બેકાયદે કામ નહીં કરો. સ્તુતિ-નિંદા બધામાં ધીરજ ધારણ કરવાની છે. ક્રોધ ન થવો જોઈએ. તમે કેટલાં ઊંચ વિદ્યાર્થી છો, ભગવાન બાપ ભણાવે છે. એ ડાયરેક્ટ ભણાવી રહ્યાં છે છતાં પણ કેટલાં બાળકો ભૂલી જાય છે કારણ કે સાધારણ તન છે ને. બાપ કહે છે દેહધારીને જોવાથી તમે એટલાં ઉઠી નહીં શકો. આત્માને જુઓ. આત્મા અહીંયા ભ્રકુટીની વચ્ચે રહે છે. આત્મા સાંભળીને ખભા હલાવે છે. હંમેશા આત્મા થી વાત કરો. તમે આત્મા આ શરીર રૂપી તખ્ત પર બેઠી છો. તમે તમોપ્રધાન હતાં હવે સતોપ્રધાન બનો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી દેહનું ભાન છૂટી જશે. અડધાકલ્પ નું દેહ-અભિમાન રહેલું છે. આ સમયે બધાં દેહ-અભિમાની છે.

હવે બાપ કહે છે દેહી-અભિમાની બનો. આત્મા જ બધું ધારણ કરે છે. ખાય-પીવે બધું જ આત્મા કરે છે. બાપને તો અભોક્તા કહેવાય છે. એ છે નિરાકાર. આ શરીરધારી બધું જ કરે છે. એ ખાતા-પીતા કંઈ નથી, અભોક્તા છે. તો આમની પછી તે લોકો નકલ બેસીને કરે છે. કેટલાં મનુષ્યો ને ઠગે છે. તમારી બુદ્ધિમાં હવે પૂરું જ્ઞાન છે, કલ્પ પહેલાં જેમણે સમજ્યું હતું તે સમજશે. બાપ કહે છે હું જ કલ્પ-કલ્પ આવીને તમને ભણાવું છું અને સાક્ષી થઈને જોઉં છું. નંબરવાર પુરુષાર્થ અનુસાર જે ભણ્યા હતાં તે જ ભણશે. સમય લાગે છે. કહે છે કળયુગ હજું ૪૦ હજાર વર્ષ શેષ (બાકી) છે. તો ઘોર અંધકારમાં છે ને. આને અજ્ઞાન અંધકાર કહેવાય છે. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં રાત-દિવસ નો ફરક છે. આ પણ સમજવાની વાતો છે. બાળકો ખુબ ખુશીમાં ડૂબેલાં રહેવા જોઈએ. બધું જ છે, કોઈ તમન્ના નથી. જાણો છો કલ્પ પહેલાં માફક આપણી બધી કામનાઓ પૂરી થાય છે એટલે પેટ ભરેલું રહે છે. જેમને જ્ઞાન નથી, તેમનું થોડી પેટ ભરેલું રહેશે. કહેવાય છે - ખુશી જેવો ખોરાક નથી. જન્મ-જન્માંતર ની રાજાઈ મળે છે. દાસ-દાસી બનવા વાળા ને એટલી ખુશી નહીં રહેશે. પૂરા મહાવીર બનવાનું છે. માયા હલાવી ન શકે.

બાપ કહે છે આંખોની બહુ જ સંભાળ રાખવાની છે. ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) ન જાય. સ્ત્રીને જોવાથી ચલાયમાન થઈ જાય છે. અરે તમે તો ભાઈ-બહેન, કુમાર-કુમારી છો ને. પછી કર્મેન્દ્રિયો ચંચળતા કેમ કરે છે! મોટા-મોટા લખપતિ, કરોડપતિ ને પણ માયા ખલાસ કરી દે છે. ગરીબોને પણ માયા એકદમ મારી નાખે છે. પછી કહે છે બાબા અમે ધક્કો ખાધો. અરે ૧૦ વર્ષ પછી પણ હાર ખાઈ લીધી. હવે તો પાતાળ માં પડી ગયાં. અંદરમાં સમજે છે આમની અવસ્થા કેવી છે. કોઈ-કોઈ તો ખુબ સારી સર્વિસ કરે છે. કન્યાઓએ પણ ભીષ્મ પિતામાહ વગેરેને બાણ માર્યા છે ને. ગીતા માં થોડું ઘણું છે. આ તો છે જ ભગવાનુવાચ. જો કૃષ્ણ ભગવાને ગીતા સંભળાવી તો પછી એવું કેમ કહે છે કે હું જે છું જેવો છું, કોઈ વિરલા જાણે છે. કૃષ્ણ અહીંયા હોત તો ખબર નહીં શું કરી દેત. કૃષ્ણનું શરીર તો હોય જ છે સતયુગ માં. એ નથી જાણતા કે કૃષ્ણ નાં અનેક જન્મોનાં અંત નાં શરીરમાં હું પ્રવેશ કરું છું. કૃષ્ણ ની આગળ તો ઝટ બધાં ભાગી આવે. પોપ વગેરે આવે છે તો કેટલું ઝુંડ જઈને ભેગું થાય છે. મનુષ્ય એવું થોડી જ સમજે છે કે આ સમયે બધાં પતિત તમોપ્રધાન છે. કહે પણ છે હેં પતિત-પાવન આવો પરંતુ સમજતાં નથી કે અમે પતિત છીએ. બાળકોને બાપ કેટલું સારી રીતે સમજાવે છે. બાબાની બુદ્ધિ તો બધાં સેવાકેન્દ્રનાં અનન્ય બાળકો તરફ ચાલી જાય છે. જ્યારે વધારે અનન્ય બાળકો અહીંયા આવે છે તો પછી અહીંયા જોઉ છું, નહીં તો બહાર બાળકોને યાદ કરવાં પડે છે. તેમની આગળ જ્ઞાન ડાન્સ કરું છું. મેજોરીટી જ્ઞાની તૂ આત્મા હોય છે તો મજા પણ આવે છે. નહીં તો બાળકીઓ પર કેટલાં અત્યાચાર થાય છે. કલ્પ-કલ્પ સહન કરવું પડે છે. જ્ઞાનમાં આવવાથી પછી ભક્તિ પણ છૂટી જાય છે. ઘરમાં સમજો મંદિર છે, સ્ત્રી-પુરુષ બંને ભક્તિ કરે છે, સ્ત્રીને જ્ઞાનની ચટક લાગી જાય છે અને ભક્તિ છોડી દે છે તો કેટલો હંગામો થઈ જશે. વિકારમાં પણ ન જાય, શાસ્ત્ર વગેરે પણ ન વાંચે તો ઝગડો થશે ને. આમાં વિધ્ન ખુબ પડે છે, બીજા સતસંગ માં જવા માટે રોકતા નથી. અહીંયા છે પવિત્રતા ની વાત. પુરુષો તો નથી રહી શકતાં તો જંગલમાં ચાલ્યાં જાય, સ્ત્રીઓ ક્યાં જાય. સ્ત્રીઓનાં માટે તે સમજે છે નરકનો દ્વાર છે. બાપ કહે છે આ તો સ્વર્ગનો દ્વાર છે. તમે બાળકીઓ હમણાં સ્વર્ગ સ્થાપન કરો છો. આનાં પહેલાં નરક નો દ્વાર હતી. હવે સ્વર્ગની સ્થાપના થાય છે. સતયુગ છે સ્વર્ગનો દ્વાર, કળયુગ છે નર્કનો દ્વાર. આ સમજ ની વાત છે. આપ બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજો છો. ભલે પવિત્ર તો રહો છો. બાકી જ્ઞાનની ધારણા નંબરવાર થાય છે. તમે તો ત્યાંથી નીકળીને અહીંયા આવીને બેઠા છો, પરંતુ હવે તો સમજાવાય છે ગૃહસ્થ વ્યવહારમાં રહેવાનું છે. તેમને તકલીફ થાય છે. અહીંયા રહેવા વાળા માટે કોઈ તકલીફ નથી. તો બાપ સમજાવે છે કમળ ફૂલ સમાન ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પવિત્ર રહો. એ પણ આ અંતિમ જન્મની વાત છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પોતાને આત્મા સમજો. આત્મા જ સાંભળે છે, આત્મા જ આ બની છે. આત્મા જ જન્મ-જન્માંતર ભિન્ન-ભિન્ન ડ્રેસ પહેરતી આવી છે. હવે આપણે આત્માઓએ પાછું જવાનું છે. બાપ થી યોગ લગાવવાનો છે. મૂળ વાત છે આ. બાપ કહે છે હું આત્માઓથી વાત કરું છું. આત્મા ભ્રકુટી ની વચમાં રહે છે. આ ઓર્ગન્સ (અવયવો) દ્વારા સાંભળે છે. આત્મા આમાં ન હોત તો શરીર મુર્દા બની જાય. બાપ કેટલું વન્ડરફુલ જ્ઞાન આવીને આપે છે, પરમાત્મા વગર તો આ વાતો કોઈ સમજાવી ન શકે. સન્યાસી વગેરે કોઈ આત્મા ને થોડી જુએ છે. તે તો આત્માને પરમાત્મા સમજે છે. બીજું પછી કહે આત્મા ને લેપ-છેપ નથી લાગતો. શરીરની ધોવા ગંગામાં જાય છે. એ નથી સમજતાં આત્મા જ પતિત બને છે. આત્મા જ બધું કરે છે. બાપ સમજાવતાં રહે છે, એમ નહીં સમજો હું ફલાણો છું, આ ફલાણો છે…. ના, બધી આત્માઓ છે. જાત-પાત નો કોઈ ભેદ ન રહેવો જોઈએ. પોતાને આત્મા સમજો. ગવર્મેન્ટ કોઈ ધર્મ ને નથી માનતી. આ બધાં ધર્મ તો દેહનાં છે. પરંતુ બધી આત્માઓનાં બાપ તો એક જ છે. જોવાની પણ આત્માને છે. બધી આત્માઓનો સ્વધર્મ શાંત છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે વાત કામની નથી તેને એક કાન થી સાંભળી બીજા કાને થી નીકાળી દેવાની છે, હિયર નો ઈવિલ…. બાપ જે શિક્ષાઓ આપે છે તેને ધારણ કરવાની છે.

2. કોઈ પણ હદની તમન્નાઓ નથી રાખવાની. આંખોની ખુબ જ સંભાળ રાખવાની છે. ક્રિમિનલ દૃષ્ટિ ન જાય. કોઈ પણ કર્મેન્દ્રિય ચલાયમાન ન થાય. ખુશી થી ભરપૂર રહેવાનું છે.

વરદાન :-
અટેન્શન રૂપી ઘૃત દ્વારા આત્મિક સ્વરૂપ નાં તારા ની ચમકને વધારવા વાળા આકર્ષણ મૂર્ત ભવ

જ્યારે બાપ દ્વારા, નોલેજ દ્વારા આત્મિક સ્વરૂપ નો તારો ચમકી ગયો તો બુઝાઈ નથી શકતો, પરંતુ ચમકની ટકાવારી ઓછી અને વધારે થઈ શકે છે. આ તારો સદા ચમકતો બધાને આકર્ષિત ત્યારે કરશે જ્યારે રોજ અમૃતવેલા અટેન્શન રૂપી ઘૃત નાખતા રહેશો. જેમ દીપક માં ઘૃત નાખે છે તો તે એકરસ પ્રગટે છે. એમ સંપૂર્ણ અટેન્શન આપવું અર્થાત્ બાપ નાં સર્વ ગુણ કે શક્તિઓને સ્વયં માં ધારણ કરવાં. આ જ અટેન્શન થી આકર્ષણ મૂર્ત બની જશો.

સ્લોગન :-
બેહદ ની વૈરાગ્ય વૃત્તિ દ્વારા સાધના નાં બીજ ને પ્રત્યક્ષ કરો.