26-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાબા આવ્યાં છે તમને બેહદની જાગીર આપવાં , આવાં મીઠા બાબા ને તમે પ્રેમ થી યાદ કરો તો પાવન બની જશો ”

પ્રશ્ન :-
વિનાશ નો સમય જેટલો નજીક આવતો જશે - એની નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
વિનાશ નો સમય નજીક હશે તો ૧- બધાને ખબર પડતી જશે કે અમારા બાબા આવેલાં છે. ૨- હવે નવી દુનિયાની સ્થાપના, જૂની નો વિનાશ થવાનો છે. અનેકોને સાક્ષાત્કાર પણ થશે. ૩- સંન્યાસીઓ, રાજાઓ વગેરેને જ્ઞાન મળશે. ૪- જ્યારે સાંભળશે કે બેહદનાં બાપ આવ્યાં છે, એ જ સદ્દગતિ આપવા વાળા છે તો ઘણાં આવશે. ૫- સમાચાર પત્રો દ્વારા અનેકોને સંદેશ મળશે. ૬- આપ બાળકો આત્મ-અભિમાની બનતાં જશો, એક બાપની જ યાદમાં અતીન્દ્રિય સુખ માં રહેશો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે …

ઓમ શાંતિ!
આ કોણ કહે છે અને કોને કહે છે - રુહાની બાળકો! બાબા ઘડી-ઘડી રુહાની કેમ કહે છે? કારણ કે હવે આત્માઓએ જવાનું છે. પછી જ્યારે આ દુનિયામાં આવશે તો સુખ હશે. આત્માઓએ આ શાંતિ અને સુખ નો વારસો કલ્પ પહેલાં પણ પામ્યો હતો. હવે ફરી આ વારસો રિપિટ થઈ રહ્યો છે. રિપીટ થાય ત્યારે સૃષ્ટિ નું ચક્ર પણ ફરીથી રિપિટ થાય. રિપીટ તો બધું થાય છે ને. જે કઈ પાસ્ટ (ભૂતકાળ) થયું છે તે રિપીટ થશે. આમ તો નાટક પણ રિપીટ થાય છે પરંતુ એમાં પરિવર્તન પણ કરી શકાય છે. કોઈ અક્ષર ભૂલી જાય છે તો બનાવી ને નાખી દે છે. આને પછી બાયોસ્કોપ (સિનેમા) કહેવાય છે, આમાં પરિવર્તન નથી થઈ શકતું. આ અનાદિ બન્યો-બનાવેલ છે, તે નાટક ને બન્યું-બનાવેલ નહીં કહેશે. આ ડ્રામા ને સમજવાથી પછી એમનાં માટે પણ સમજમાં આવી જાય છે. બાળકો સમજે છે જે નાટક વગેરે હમણાં જોઈએ છીએ તે બધું છે ખોટું. કળયુગમાં જે વસ્તુ દેખાય છે તે સતયુગ માં હશે નહીં. સતયુગ માં જે થયું હતું તે ફરીથી સતયુગ માં થશે. આ હદનાં નાટક વગેરે ફરી પણ ભક્તિમાર્ગ માં જ થશે. જે વસ્તુ ભક્તિમાર્ગ માં હોય છે તે જ્ઞાનમાર્ગ માં અર્થાત્ સતયુગ માં નથી હોતી. તો હમણાં બેહદનાં બાપ થી તમે વારસો પામી રહ્યાં છો. બાબાએ સમજાવ્યું છે - એક લૌકિક બાપ થી અને બીજો પારલૌકિક બાપ થી વારસો મળે છે, બાકી જે અલૌકિક બાપ છે એમનાથી વારસો નથી મળતો. આ પોતે એમનાથી વારસો પામે છે. આ જે નવી દુનિયાની પ્રોપર્ટી (મિલકત) છે, તે બેહદનાં બાપ જ આપે છે ફક્ત આમનાં દ્વારા. આમનાથી એડોપ્ટ કરે છે એટલે આમને બાપ કહેવાય છે. ભક્તિમાર્ગ માં પણ લૌકિક અને પારલૌકિક બંને યાદ આવે છે. આ (અલૌકિક) નથી યાદ આવતાં કારણ કે આમનાથી કોઈ વારસો મળતો જ નથી. બાપ અક્ષર તો બરાબર છે પરંતુ આ બ્રહ્મા પણ રચના છે ને. રચનાને રચતા થી વારસો મળે છે. તમને પણ શિવબાબાએ ક્રિયેટ કર્યા (રચ્યા) છે. બ્રહ્માને પણ એમણે ક્રિયેટ કર્યા છે. વારસો ક્રિયેટર (રચયિતા) થી મળે છે, એ છે બેહદનાં બાપ. બ્રહ્માની પાસે બેહદનો વારસો છે શું? બાપ આમનાં દ્વારા બેસી સમજાવે છે આમને પણ વારસો મળે છે. એવું નથી કે વારસો લઈને તમને આપે છે. બાપ કહે છે તમે આમને પણ યાદ ન કરો. આ બેહદનાં બાપ થી તમને પ્રોપર્ટી મળે છે. લૌકિક બાપ થી હદનો, પારલૌકિક બાપથી બેહદ નો વારસો, બંને રીઝર્વ થઈ ગયાં. શિવબાબા થી વારસો મળે છે - બુદ્ધિમાં આવે છે! બાકી બ્રહ્મા બાબા નો વારસો શું કહેશો! બુદ્ધિમાં જાગીર આવે છે ને. આ બેહદની બાદશાહી તમને એમનાથી મળે છે. એ છે મોટા બાબા. આ તો કહે છે મને યાદ નહીં કરો, મારી તો કોઈ પ્રોપર્ટી છે નહીં, જે તમને મળે. જેમનાથી પ્રોપર્ટી મળે છે એમને યાદ કરો. એ જ કહે છે મામેકમ્ યાદ કરો. લૌકિક બાપની પ્રોપર્ટી પર કેટલાં ઝઘડા ચાલે છે. અહીંયા તો ઝઘડાની વાત નથી. બાપ ને યાદ નહીં કરશો તો ઓટોમેટિકલી (આપોઆપ) બેહદનો વારસો પણ નહીં મળશે. બાપ કહે છે પોતાને આત્મા સમજો. આ રથને પણ કહે છે તમે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો વિશ્વની બાદશાહી મળશે. આને કહેવાય છે યાદની યાત્રા. દેહ નાં બધાં સંબંધ છોડી પોતાને અશરીરી આત્મા સમજવાનું છે. આમાં જ મહેનત છે. ભણતર માટે કોઈ તો મહેનત જોઈએ ને. આ યાદની યાત્રાથી તમે પતિત થી પાવન બનો છો. તે યાત્રા કરે છે શરીર થી. આ તો છે આત્માની યાત્રા. આ તમારી યાત્રા છે પરમધામ જવા માટે. પરમધામ અથવા મુક્તિધામ કોઈ જઈ નથી શકતું, સિવાય આ પુરુષાર્થ નાં. જે સારી રીતે યાદ કરે છે તે જ જઈ શકે છે અને પછી ઉંચ પદ પણ તે પામી શકે છે. જશે તો બધાં. પરંતુ તે તો પતિત છે ને એટલે પોકારે છે. આત્મા યાદ કરે છે. ખાવું-પીવું બધું આત્મા કરે છે ને. આ સમયે તમારે દેહી-અભિમાની બનવાનું છે, આ જ મહેનત છે. વગર મહેનતે તો કંઈ મળતું નથી. છે પણ બહુજ સહજ. પરંતુ માયાનું ઓપોઝિશન (વિરોધ) થાય છે. કોઈની તકદીર સારી છે તો ઝટ આમાં લાગી જાય છે. કોઈ મોડે થી પણ આવશે. જો બુદ્ધિમાં ઠીક રીતે બેસી ગયું તો કહેશે બસ હું આ રુહાની યાત્રામાં લાગી જાઉં છું. એવાં તીવ્ર વેગથી લાગી જાય તો વધારે ઝડપ લગાવી શકે છે. ઘરમાં રહેતાં પણ બુદ્ધિમાં આવી જશે આ તો બહુજ સારી સાચી વાત છે. હું પોતાને આત્મા સમજી પતિત-પાવન બાપ ને યાદ કરું છું. બાપનાં ફરમાન પર ચાલે તો પાવન બની શકે છે. બનશે પણ જરુર. પુરુષાર્થ ની વાત છે. છે બહુજ સહજ. ભક્તિમાર્ગમાં તો બહુજ મુશ્કેલી હોય છે. અહીંયા તમારી બુદ્ધિમાં છે હવે અમારે ફરી થી જવાનું છે બાબાની પાસે. પછી અહીંયા આવીને વિષ્ણુની માળા માં પરોવાનું છે. માળાનો હિસાબ કરો. માળા તો બ્રહ્માની પણ છે, વિષ્ણુની પણ છે, રુદ્રની પણ છે. પહેલાં-પહેલાં નવી સૃષ્ટિ નાં આ છે ને. બાકી બધાં પાછળ આવે છે. એટલે પાછળમાં પરોવાય છે. કહેશે તમારું ઊંચું કુળ કયું છે? તમે કહેશો વિષ્ણુ કુળ. આપણે અસલ (મૂળ) વિષ્ણુ કુળનાં હતાં, પછી ક્ષત્રિય કુળનાં બન્યાં. પછી એનાથી સમુદાય નીકળે છે. આ નોલેજ થી તમે સમજો છો સમુદાય કેવી રીતે બને છે. પહેલાં-પહેલાં રુદ્રની માળા બને છે. ઊંચે થી ઊંચ સમુદાય છે, બાબા એ સમજાવ્યું છે - આ તમારો બહુજ ઊંચ કુળ છે. આ પણ સમજો છો આખી દુનિયા ને પૈગામ (સંદેશ) જરુર મળશે. જેમ ઘણાં કહે છે કે ભગવાન જરુર ક્યાંક આવ્યાં છે પરંતુ ખબર નથી પડતી. અંતમાં ખબર તો પડશે બધાને. સમાચાર પત્ર માં આવતું જશે. હમણાં તો થોડું આવે છે. એવું નથી કે એક સમાચાર પત્ર બધાં વાંચે છે. લાઇબ્રેરી માં વાંચી શકે છે. કોઈ બે-ચાર સમાચાર પત્ર પણ વાંચે છે. કોઈ બિલ્કુલ નથી વાંચતા. આ બધાને ખબર પડવાની જ છે કે બાબા આવેલાં છે, વિનાશ નો સમય નજીક હશે તો ખબર પડશે. નવી દુનિયાની સ્થાપના, જૂની નો વિનાશ થાય છે. થઇ શકે છે અનેકોને સાક્ષાત્કાર પણ થાય. તમારે સન્યાસીઓ, રાજાઓ વગેરેને જ્ઞાન આપવાનું છે. અનેકોને સંદેશ મળવાનો છે. જ્યારે સાંભળશે બેહદનાં બાપ આવ્યાં છે, એ જ સદ્દગતી આપવા વાળા છે તો ઘણાં આવશે. હજું સમાચાર પત્ર માં એટલું દિલપસંદ કાયદા મુજબ નીકળ્યું નથી. કોઈ નીકળી પડશે, પૂછતાછ કરશે. બાળકો સમજે છે અમે શ્રીમત પર સતયુગ ની સ્થાપના કરી રહ્યાં છીએ. તમારી આ નવી મિશન (ધ્યેય) છે. તમે છો ઈશ્વર મિશન નાં ઈશ્વરીય જેવાં. જેમ ક્રિશ્ચન મિશન નાં ક્રિશ્ચન જેવાં બની જાય છે. તમે છો ઈશ્વરીય જેવાં એટલે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓને પૂછો, જે આત્મ-અભિમાની બન્યાં છે. એક બાપ ને યાદ કરવાનાં છે, બીજું ન કોઈ. આ રાજ્યોગ એક બાપ જ શીખવાડે છે, એ જ ગીતાનાં ભગવાન છે. બધાને આ જ બાપ નું નિમંત્રણ કે સંદેશ આપવાનો છે, બાકી બધી વાતો છે જ્ઞાન શ્રુંગાર. આ ચિત્ર બધાં છે જ્ઞાન નાં શ્રુંગાર, ન કે ભક્તિ નાં. આ બાપે બેસી બનાવડાવ્યાં છે - મનુષ્યો ને સમજાવવા માટે. આ ચિત્ર વગેરે તો પ્રાય:લોપ થઈ જશે. બાકી આ જ્ઞાન આત્મામાં રહી જાય છે. બાપ ને પણ આ જ્ઞાન છે, ડ્રામામાં નોંધ છે.

તમે હમણાં ભક્તિમાર્ગ પસાર કરી જ્ઞાનમાર્ગ માં આવ્યાં છો. તમે જાણો છો અમારી આત્મા માં આ પાર્ટ છે જે ચાલી રહ્યો છે. નોંધ હતી જે ફરીથી આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ બાપ થી. બાપે જ આવીને આ નોલેજ આપવાનું હતું. આત્મા માં નોંધ છે. ત્યાં જઈને પહોંચશે પછી નવી દુનિયાનો પાર્ટ રિપીટ થશે. આત્મા નાં આખા રેકોર્ડ (પાર્ટ) ને આ સમયે તમે સમજી ગયાં છો શરુઆત થી લઈને. પછી આ બધું બંધ થઈ જશે. ભક્તિમાર્ગ નો પાર્ટ પણ બંધ થઈ જશે. પછી જે તમારી એક્ટ (પાર્ટ) સતયુગમાં ચાલી હશે, તે જ ચાલશે. શું થશે, એ બાપ નથી જણાવતાં. જે કંઈ થયું હશે તે જ થશે. સમજાય છે સતયુગ છે નવી દુનિયા. જરુર ત્યાં બધું જ નવું સતોપ્રધાન અને સસ્તું હશે, જે કંઈ કલ્પ પહેલાં થયું હશે તે જ થશે. જુએ પણ છે - આ લક્ષ્મી-નારાયણને કેટલું સુખ છે. હીરા-ઝવેરાત ધન બહુજ હોય છે. ધન છે તો સુખ પણ છે. અહીંયા તમે ભેંટ (તુલના) કરી શકો છો. ત્યાં નહીં કરી શકશો. અહીંયા ની વાતો ત્યાં બધી ભૂલી જશો. આ છે નવી વાતો, જે બાપ જ બાળકો ને સમજાવે છે. આત્માઓએ ત્યાં જવાનું છે, જ્યાં કારોબાર બધો બંધ થઈ જાય છે. હિસાબ-કિતાબ ચૂકતું થાય છે. રેકોર્ડ પૂરો થાય છે. એક જ રેકોર્ડ બહુ મોટો છે. કહેશે પછી આત્મા પણ એટલી મોટી હોવી જોઈએ. પરતું ના. આટલી નાની આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ છે. આત્મા પણ અવિનાશી છે. આને ફક્ત વન્ડર (આશ્ચર્ય) જ કહીશું. આવી આશ્ચર્યવત વસ્તુ બીજી કોઈ હોઈ ન શકે. બાબાનાં માટે તો કહે છે સતયુગ-ત્રેતા નાં સમયે વિશ્રામ માં રહે છે. આપણે તો ઓલરાઉન્ડર પાર્ટ ભજવીએ છીએ. સૌથી વધારે આપણો પાર્ટ છે. તો બાપ વારસો પણ ઊંચો આપે છે. કહે છે ૮૪ જન્મ પણ તમે જ લો છો. મારો તો પાર્ટ પછી એવો છે જે બીજું કોઈ ભજવી ન શકે. વન્ડરફુલ વાતો છે ને. આ પણ વન્ડર છે જે આત્માઓને બાપ બેસી સમજાવે છે. આત્મા મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) નથી. જ્યારે શરીર ધારણ કરે છે તો મેલ-ફિમેલ કહેવાય છે. આત્માઓ બધાં બાળકો છે તો ભાઈ-ભાઈ થઈ જાય છે. ભાઈ-ભાઈ છે જરુર વારસો પામવા માટે. આત્મા બાપનું બાળક છે ને. વારસો લે છે બાપ થી એટલે મેલ (પુરુષ) જ કહીશું. બધી આત્માઓનો હક છે, બાપ થી વારસો લેવાનો. એનાં માટે બાપ ને યાદ કરવાનાં છે. પોતાને આત્મા સમજવાનું છે. આપણે બધાં ભાઈઓ છીએ. આત્મા, આત્મા જ છે. તે ક્યારેય બદલાતી નથી. બાકી શરીર ક્યારેક પુરુષ નું, ક્યારેક સ્ત્રી નું લે છે. આ ખુબ અટપટી વાતો સમજવાની છે, બીજું કોઈ પણ સંભળાવી ન શકે. બાપ થી કે આપ બાળકોથી જ સાંભળી શકે છે. બાપ તો આપ બાળકોથી જ વાત કરે છે. પહેલાં તો બધાને મળતા હતાં, સૌથી વાતો કરતાં હતાં. હવે કરતાં-કરતાં અંતમાં તો કોઈ થી વાત જ નહીં કરશે. સન શોઝ ફાધર છે ને. બાળકોને જ ભણાવવાનું છે. આપ બાળકો જ અનેકોની સર્વિસ કરી લઇ આવો છો. બાબા સમજે છે આ અનેકોને આપસમાન બનાવીને લઇ આવે છે. આ મોટા રાજા બનશે, આ નાનાં રાજા બનશે. તમે રુહાની સેના પણ છો, જે બધાને રાવણની સાંકળો થી છોડાવી પોતાનાં મિશનમાં લઈ આવો છો. જેટલી જે સર્વિસ કરે છે એટલું ફળ મળે છે. જેમણે વધારે ભક્તિ કરી છે તે જ વધારે હોશિયાર થઈ જાય છે અને વારસો લઈ લે છે. આ ભણતર છે, સારી રીતે ભણશે નહીં તો ફેલ (નપાસ) થઈ જશે. ભણતર બહુજ સહજ છે. સમજવાનું અને સમજાવવાનું પણ છે સહજ. મુશ્કેલી ની વાત નથી, પરંતુ રાજધાની સ્થાપન થવાની છે, એમાં તો બધાં જોઈએ ને. પુરુષાર્થ કરવાનો છે. એમાં અમે ઉંચ પદ પામીએ. મૃત્યુલોક થી ટ્રાન્સફર (બદલી) થઇ ને અમરલોક માં જવાનું છે. જેટલું ભણશો એટલું અમરપુરી માં ઉંચ પદ પામશો.

બાપ ને પ્રેમ પણ કરવાનો હોય છે કારણ કે એ છે બહુજ પ્રિય થી પ્રિય વસ્તુ. પ્રેમ નાં સાગર પણ છે, એક રસ પ્રેમ હોઈ ન શકે. કોઈ યાદ કરે છે, કોઈ નથી કરતું. કોઈને સમજાવવાનો પણ નશો રહે છે ને. આ મોટું ટેમ્પટેશન (પ્રલોભન) છે. કોઈને પણ બતાવવાનું છે - આ છે યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય). આ આધ્યાત્મિક ભણતર છે. આવાં ચિત્ર બીજી કોઈ સ્કૂલમાં નથી દેખાડાતાં. દિવસ-પ્રતિદિવસ હજું વધારે ચિત્ર નીકળતાં રહેશે. જે મનુષ્ય જોવાથી જ સમજી જાય. સીડી છે બહુજ સારી. પરંતુ દેવતા ધર્મનાં નહીં હશે તો એમની સમજ માં નહીં આવશે. જે આ કુળ નાં હશે એમને તીર લાગશે. જે આપણા દેવતા ધર્મ નાં પત્તા હશે એ જ આવશે. તમને અનુભવ થશે આ તો બહુ જ રુચિ થી સાંભળી રહ્યાં છે. કોઈ તો એમ જ ચાલ્યાં જશે. દિવસ-પ્રતિદિવસ નવી-નવી વાતો પણ બાળકો ને સમજાવતાં રહે છે. સર્વિસ નો બહુજ શોખ જોઈએ. જે સર્વિસ પર તત્પર હશે તે જ દિલ પર ચઢશે અને તખ્ત પર પણ ચઢશે. આગળ જઈને તમને બધાં સાક્ષાત્કાર થતાં રહેશે. એ ખુશીમાં તમે રહેશો. દુનિયામાં તો હાહાકાર બહુજ થવાનો છે. લોહીની નદી ઓ પણ વહેવાની છે. બહાદુર સેવા વાળા ક્યારેય ભૂખ્યાં નહીં મરશે. પરંતુ અહીંયા તો તમારે વનવાસ માં રહેવાનું છે. સુખ પણ ત્યાં મળશે. કન્યાને તો વનવાસ માં બેસાડે છે ને. સાસરીઘરે જઈને ખૂબ પહેરજો. તમે પણ સાસરીઘરે જાઓ છો તો તે નશો રહે છે. તે છે જ સુખધામ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1. માળામાં પરોવવા માટે દેહી-અભિમાની બની તીવ્ર વેગ થી યાદની યાત્રા કરવાની છે. બાપનાં ફરમાન પર ચાલીને પાવન બનવાનું છે.

2. બાપ નો પરીચય આપી અનેકોને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. અહીંયા વનવાસમાં રહેવાનું છે. અંતિમ હાહાકાર નું દૃશ્ય જોવા માટે મહાવીર બનવાનું છે.

વરદાન :-
દરેક કર્મ માં ફોલો ફાધર કરી સ્નેહ નો રિસ્પોન્ડ આપવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

જેનાથી સ્નેહ હોય છે એને ઓટોમેટિકલી ફોલો કરવાનાં હોય છે. સદા યાદ રહે કે આ કર્મ જે કરી રહ્યાં છીએ આ ફોલો ફાધર છે? જો નથી તો સ્ટોપ કરી દો. બાપને કોપી (નકલ) કરતાં બાપ સમાન બનો. કોપી કરવા માટે જેમ કાર્બન પેપર નાખે છે તેમ એટેન્શન નું પેપર નાખો તો કોપી થઇ જશે કારણ કે હમણાં જ તીવ્ર પુરુષાર્થી બની સ્વયં ને દરેક શક્તિ થી સંપન્ન બનાવવાનો સમય છે. જો સ્વયં, સ્વયં ને સંપન્ન નથી કરી શકતાં તો સહયોગ લો. નહીં તો આગળ જઈને ટૂ લેટ (ખુબ મોડું) થઈ જશે.

સ્લોગન :-
સંતુષ્ટતા નું ફળ પ્રસન્નતા છે, પ્રસન્નચિત્ત બનવાથી પ્રશ્ન સમાપ્ત થઈ જાય છે.