07-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
ઘણાં સમય પછી ફરીથી બાપ થી મળ્યાં છો એટલે તમે ખુબ - ખુબ સિકીલધા છો ”
પ્રશ્ન :-
પોતાનીસ્થિતિ
ને એકરસ બનાવવાનું સાધન કયું છે?
ઉત્તર :-
સદા યાદ રાખો જે સેકન્ડ પસાર થઈ, ડ્રામા. કલ્પ પહેલાં પણ આવું જ થયું હતું. હવે તો
નિંદા-સ્તુતિ, માન-અપમાન બધું સામે આવવાનું છે એટલે પોતાની સ્થિતિ ને એકરસ બનાવવા
માટે ભૂતકાળ નું ચિંતન નહીં કરો.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. રુહાની બાપનું નામ શું છે? શિવબાબા. એ બધી રુહો
નાં બાપ છે. બધાં રુહાની બાળકોનું નામ શું છે? આત્મા. જીવ નું નામ પડે છે, આત્મા
નું નામ એ જ રહે છે. આ પણ બાળકો જાણે છે સતસંગ અસંખ્ય છે. આ છે સાચો-સાચો સત નો સંગ
જે સત બાપ રાજયોગ શીખવાડી આપણને સતયુગ માં લઈ જાય છે. આવો બીજો કોઈ પણ સતસંગ કે
પાઠશાળા ન હોઈ શકે. આ પણ આપ બાળકો જાણો છો. આખું સૃષ્ટિ ચક્ર આપ બાળકોની બુદ્ધિમાં
છે. આપ બાળકો જ સ્વદર્શન ચક્રધારી છો. બાપ બેસી સમજાવે છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે
ફરે છે. કોઈને પણ સમજાવો તો ચક્ર ની સામે ઉભાં કરો. હવે તમે આ તરફ જશો. બાપ
જીવાત્માઓ ને કહે છે પોતાને આત્મા સમજો. આ નવી વાત નથી, જાણો છો કલ્પ-કલ્પ સાંભળીયે
છો, હવે ફરીથી સાંભળી રહ્યાં છો. તમારી બુદ્ધિમાં કોઈપણ દેહધારી બાપ, શિક્ષક, ગુરુ
નથી. તમે જાણો છો વિદેહી શિવબાબા આપણા શિક્ષક, ગુરુ છે. બીજા કોઈપણ સતસંગ વગેરે માં
આવી વાત નહીં કરતાં હશે. મધુબન તો આ એક જ છે. તેઓ પછી એક મધુબન વૃંદાવન માં દેખાડે
છે. તે ભક્તિમાર્ગ માં મનુષ્યોએ બેસીને બનાવ્યું છે. પ્રેક્ટીકલ મધુબન તો આ છે.
તમારી બુદ્ધિમાં છે કે આપણે સતયુગ ત્રેતા થી લઈને પુનર્જન્મ લેતા-લેતા હમણાં સંગમ
પર આવીને ઉભાં છીએ - પુરુષોત્તમ બનવાનાં માટે. આપણને બાપે આવીને સ્મૃતિ અપાવી છે.
૮૪ જન્મ કોણ અને કેવી રીતે લે છે, તે પણ તમે જાણો છો. મનુષ્ય તો ફક્ત કહી દે છે,
સમજતાં કાંઈ નથી. બાપ સારી રીતે સમજાવે છે. સતયુગ માં સતોપ્રધાન આત્માઓ હતી, શરીર
પણ સતોપ્રધાન હતાં. આ સમયે તો સતયુગ નથી, આ છે કળયુગ. ગોલ્ડન એજ (સતયુગ) માં આપણે
હતાં. પછી ચક્ર લગાવીને પુનર્જન્મ લેતાં-લેતાં આપણે આયરન એજ (કળયુગ) માં આવી ગયાં
ફરીથી ચક્ર જરુર લગાવવાનું છે. હવે જવાનું છે પોતાનાં ઘરે. તમે સિકીલધા બાળકો છો
ને. સિકીલધા તેમને કહેવાય છે જે ગુમ થઈ જાય છે, પછી ઘણાં સમય પછી મળે છે. તમે ૫
હજાર વર્ષ પછી આવીને મળ્યાં છો. આપ બાળકો જ જાણો છો - આ એ જ બાબા છે જેમણે ૫ હજાર
વર્ષ પહેલાં આ સૃષ્ટિ ચક્રનું આપણને જ્ઞાન આપ્યું હતું. સ્વદર્શન ચક્રધારી બનાવ્યાં
હતાં. હવે ફરીથી બાપ આવીને મળ્યાં છે. જન્મસિદ્ધ અધિકાર આપવા માટે. અહીંયા બાપ
રિયલાઈઝ (અનુભવ) કરાવે છે. આમાં આત્માનાં ૮૪ જન્મોનું પણ રિયલાઈઝેશન આવી જાય છે. આ
બધું બાપ બેસી સમજાવે છે. જેમ ૫ હજાર વર્ષ પહેલાંં પણ સમજાવ્યું હતું - મનુષ્યને
દેવતા અથવા કંગાળ ને સિરતાજ બનાવવા માટે. તમે સમજો છો આપણે ૮૪ પુનર્જન્મ લીધાં છે,
જેમણે નથી લીધાં તેઓ અહીંયા શીખવા માટે આવશે પણ નહીં. કોઈ થોડું સમજશે. નંબરવાર તો
હોય છે ને. પોત-પોતાનાં ઘર ગૃહસ્થ માં રહેવાનું છે. બધાં તો અહીંયા આવીને નહીં બેસશે.
રિફ્રેશ થવા તેઓ આવશે જેમણે ખુબ સારું પદ પામવું હશે. ઓછું પદ પામવા વાળા વધારે
પુરુષાર્થ પણ નહીં કરશે. આ જ્ઞાન એવું છે થોડો પણ પુરુષાર્થ કર્યો તો તે વ્યર્થ નહીં
જશે. સજા ખાઈને આવી જશે. પુરુષાર્થ સારો કરો તો સજા પણ ઓછી થશે. યાદની યાત્રા વગર
વિકર્મ વિનાશ નહીં થશે. આ તો ઘડી-ઘડી પોતાને યાદ કરાવો. કોઈ પણ મનુષ્ય મળે તો પહેલાં
તો તેમને આ સમજાવવાનું છે - પોતાને આત્મા સમજો. આ નામ તો પાછળ થી શરીર ને મળ્યાં
છે, કોઈને બોલાવશો શરીર નાં નામ થી. આ સંગમ પર જ બેહદનાં બાપ રુહાની બાળકો ને બોલાવે
છે. તમે કહેશો રુહાની બાપ આવ્યાં છે. બાપ કહેશે રુહાની બાળકો. પહેલાં રુહ પછી
બાળકોનું નામ લે છે. રુહાની બાળકો તમે સમજો છો રુહાની બાપ શું સમજાવે છે. તમારી
બુદ્ધિ જાણે છે - શિવબાબા આ ભાગીરથ પર વિરાજમાન છે, આપણને એ જ સહજ રાજયોગ શીખવાડી
રહ્યાં છે. બીજું કોઈ મનુષ્ય માત્ર નથી જેમાં બાપ આવીને રાજ્યોગ શીખવાડે. એ બાપ આવે
જ છે પુરુષોત્તમ સંગમયુગ પર, બીજા કોઈ પણ મનુષ્ય ક્યારેય એવું કહી ન શકે, સમજાવી ન
શકે. આ પણ તમે જાણો છો આ શિક્ષા કોઈ આ બાપની નથી. આમને તો આ ખબર નહોતી કે કળયુગ
ખત્મ થઈ સતયુગ આવવાનું છે. આમનાં હવે કોઈ દેહધારી ગુરુ નથી બીજા તો બધાં મનુષ્ય
માત્ર કહેશે અમારા ફલાણા ગુરુ છે. ફલાણા જ્યોતિ જ્યોત સમાયા. બધાનાં દેહધારી ગુરુ
છે. ધર્મસ્થાપક પણ દેહધારી છે. આ ધર્મ કોણે સ્થાપન કર્યો? પરમપિતા પરમાત્મા
ત્રિમૂર્તિ શિવબાબાએ બ્રહ્મા દ્વારા સ્થાપન કર્યો છે. આમનાં શરીરનું નામ બ્રહ્મા
છે. ક્રિશ્ચિયન લોકો કહેશે ક્રાઈસ્ટે આ ધર્મ સ્થાપન કર્યો. તે તો દેહધારી છે. ચિત્ર
પણ છે. આ ધર્મનાં સ્થાપક નું ચિત્ર શું દેખાડશો? શિવનું જ દેખાડશો. શિવનાં ચિત્ર પણ
કોઈ મોટા, કોઈ નાનાં બનાવે છે. છે તો એ બિંદી જ. નામ-રુપ પણ છે પરંતુ અવ્યક્ત છે. આ
આંખોથી જ નથી જોઈ શકતાં. શિવબાબા આપ બાળકોને રાજ્ય-ભાગ્ય આપીને ગયાં છે ત્યારે તો
યાદ કરો છો ને. શિવબાબા કહે છે મનમનાભવ. મુજ એક બાપ ને યાદ કરો. કોઈ ની સ્તુતિ નથી
કરવાની. આત્માની બુદ્ધિમાં કોઈ દેહ યાદ ન આવે, આ સારી રીતે સમજવાની વાત છે. આપણને
શિવબાબા ભણાવે છે. આખો દિવસ આ રીપીટ કરતાં રહો. શિવ ભગવાનુવાચ પહેલાં-પહેલાં તો
અલ્ફ જ સમજવું પડે. આ પાક્કું નથી કર્યુ અને બે વિશે સમજાવ્યું તો કાંઈ પણ બુદ્ધિમાં
બેસશે નહીં. કોઈ કહી દે છે આ વાત તો સાચ્ચી છે. કોઈ કહે આ સમજવામાં તો સમય જોઈએ.
કોઈ કહે વિચાર કરીશું. ભિન્ન-ભિન્ન પ્રકારનાં આવે છે. આ છે નવી વાત. પરમપિતા
પરમાત્મા શિવ આત્માઓને બેસીને ભણાવે છે. વિચાર ચાલે છે, શું કરીએ કે મનુષ્યને આ સમજ
માં આવી જાય. શિવ જ જ્ઞાનનાં સાગર છે. આત્માને જ્ઞાનનાં સાગર કેવી રીતે કહીશું,
જેમને શરીર જ નથી. જ્ઞાનનાં સાગર છે તો જરુર ક્યારેક જ્ઞાન સંભળાવ્યું છે ત્યારે તો
એમને જ્ઞાન સાગર કહે છે. એમ જ કેમ કહેશે. કોઈ ખુબ ભણે છે તો કહેવાય છે આ તો ખુબ વેદ
શાસ્ત્ર ભણ્યાં છે, એટલે શાસ્ત્રી અથવા વિદ્વાન કહેવાય છે. બાપને જ્ઞાનનાં સાગર
ઓથોરિટી (સત્તા) કહેવાય છે. જરુર થઈને ગયાં છે. પહેલાં તો પૂછવું જોઈએ હમણાં કળયુગ
છે કે સતયુગ? નવી દુનિયા છે કે જૂની દુનિયા? લક્ષ્ય-હેતુ તો તમારી સામે ઉભું છે. આ
લક્ષ્મી-નારાયણ જો હોત તો એમનું રાજ્ય હોત. આ જૂની દુનિયા, કંગાળપણુ જ ન હોત. હવે
તો ફક્ત એમનાં ચિત્ર છે. મંદિરમાં મોડલ્સ (ચિત્રો) દેખાડે છે. નહીં તો એમનાં મહેલ
બગીચા વગેરે કેટલાં મોટા-મોટા હશે. ફક્ત મંદિરમાં થોડી રહેતાં હશે. પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ)
નું મકાન કેટલું મોટું છે. દેવી-દેવતાઓ તો મોટા-મોટા મહેલો માં રહેતાં હશે. ખુબ
જગ્યા હશે. ત્યાં ડરવા વગેરેની વાત જ નથી હોતી. સદૈવ ફૂલવાડી રહે છે. કાંટા હોતાં જ
નથી. તે છે જ બગીચો. ત્યાં તો લાકડીઓ વગેરે બાળતાં નહીં હશે. લાકડીઓ માં ધુમાળો થાય
છે તો દુઃખ અનુભવ થાય છે. ત્યાં આપણે ખુબ થોડા ટુકડા માં રહીએ છીએ. પાછળ થી વૃદ્ધિને
પામતા જઈએ છીએ. ખુબ સારા-સારા બગીચા હશે, સુગંધ આવતી રહેશે. જંગલ હશે જ નહીં. હવે
ફીલિંગ આવે છે, જોતાં તો નથી. તમે ધ્યાનમાં મોટા-મોટા મહેલ વગેરે જોઇ આવો છો, તે તો
અહીંયા બનાવી ન શકાય. સાક્ષાત્કાર થયો પછી ગુમ થઈ જશે. સાક્ષાત્કાર કર્યો તો છે ને.
રાજાઓ પ્રિન્સ-પ્રિન્સેઝ હશે. ખુબ રમણીક સ્વર્ગ હશે. જેમ અહીંયા મૈસૂર વગેરે રમણીક
છે, એમ ત્યાં ખુબ જ સારી હવાઓ વહેતી રહે છે. પાણીનાં ઝરણાં વહેતાં રહે છે. આત્મા
સમજે છે અમે સારી-સારી ચીજો બનાવીએ. આત્માને સ્વર્ગ તો યાદ આવે છે ને.
આપ બાળકોને રિયલાઈઝ થાય છે - શું-શું હશે, ક્યાં આપણે રહેતાં હોઈશું. આ સમયે આ
સ્મૃતિ રહે છે. ચિત્રોને જુઓ તમે કેટલાં ખુશનસીબ છો. ત્યા દુઃખની કોઈ વાત નહીં હશે.
આપણે તો સ્વર્ગમાં હતાં પછી નીચે ઉતર્યા. હવે ફરી સ્વર્ગમાં જવાનું છે. કેવી રીતે
જઈએ? દોરી પર લટકીને જઈશું શું? આપણે આત્માઓ તો રહેવા વાળી છીએ શાંતિધામ ની. બાપે
સ્મૃતિ અપાવી હવે તમે ફરી દેવતા બની રહ્યાં છો અને બીજાઓને બનાવી રહ્યાં છો. કેટલાં
ઘરે બેઠા પણ સાક્ષાત્કાર કરે છે. બાંધેલીઓ એ ક્યારેય જોયું થોડી છે. કેવી રીતે
આત્માને ઉછળ આવે છે. પોતાનું ઘર નજીક આવવાથી આત્માને ખુશી થાય છે. સમજે છે બાબા અમને
જ્ઞાન આપીને શ્રુંગારવા આવ્યાં છે. છેવટે એક દિવસ સમાચારપત્ર માં પણ આવશે. હમણાં તો
સ્તુતિ-નિંદા, માન-અપમાન બધું સામે આવે છે. જાણો છો કલ્પ પહેલાં પણ એવી રીતે થયું
હતું, જે સેકન્ડ પસાર થઈ ગઈ, તેનું ચિંતન નથી કરવાનું હોતું. સમાચાર પત્રોમાં કલ્પ
પહેલાં પણ આવી રીતે આવ્યું હતું. પછી પુરુષાર્થ કરાય છે. હંગામા તો જે થયાં હતા તે
થઈ ગયાં. નામ તો થઈ ગયું ને. પછી તમે રેસપોન્ડ (પ્રતિઉત્તર) કરો છો. કોઈ વાંચે છે,
કોઈ નથી વાંચતા. ફુરસદ નથી મળતી. બીજા કામોમાં લાગી જાય છે. હવે તમારી બુદ્ધિમાં છે
- આ બેહદ નો મોટો ડ્રામા છે. ટીક-ટીક ચાલતી રહે છે, ચક્ર ફરતું રહે છે. એક સેકન્ડમાં
જે પસાર થયું તે ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. જે થઈ ગયું સેકન્ડ પછી ખ્યાલ માં
આવે છે. આ ભૂલ થઈ ગઈ, ડ્રામા માં નોંધાઈ ગયું. કલ્પ પહેલાં પણ એવી રીતે જ ભૂલ થઈ હતી,
ભૂતકાળ થઈ ગયું. હવે ફરી આગળનાં માટે નહીં કરીશું. પુરુષાર્થ કરતાં રહો છો. તમને
સમજાવાય છે ઘડી-ઘડી આ ભૂલ સારી નથી. આ કર્મ સારું નથી. દિલ ખાતું હશે - અમારા થી આ
ખરાબ કામ થયું. બાપ સમજણ આપે છે, એવું નહીં કરો, કોઈને દુઃખ થશે. મનાઈ કરાય છે. બાપ
કહી દે છે - આ કામ નથી કરવાનું, વગર પૂછે ચીજ ઉઠાવી, તેને ચોરી કહેવાય છે. એવાં કામ
નહીં કરો. કડવું નહીં બોલો. આજકાલ દુનિયા જુઓ કેવી છે - કોઈ નોકર પર ગુસ્સો કર્યો
તો તે પણ દુશ્મની કરવા લાગી જાય છે. ત્યાં તો સિંહ-બકરી આપસ માં ક્ષીરખંડ થઈ રહે
છે. લૂણપાની અને ક્ષીરખંડ. સતયુગમાં બધાં મનુષ્ય આત્માઓ આપસમાં ક્ષીરખંડ રહે છે. અને
આ રાવણની દુનિયામાં બધાં મનુષ્ય લૂણપાણી છે. બાપ બાળક પણ લૂણપાની. કામ મહાશત્રુ છે
ને. કામ કટારી ચલાવી એક-બીજાને દુઃખ આપે છે. આ આખી દુનિયા લૂણપાની છે. સતયુગી દુનિયા
ક્ષીરખંડ છે. આ વાતો થી દુનિયા શું જાણે. મનુષ્ય તો સ્વર્ગ ને લાખો વર્ષ કહી દે છે.
તો કોઈ વાત બુદ્ધિમાં આવી ન શકે. જે દેવતાઓ હતાં તેમને જ સ્મૃતિ માં આવે છે. તમે
જાણો છો આ દેવતા સતયુગ માં હતાં. જેમણે ૮૪ જન્મ લીધાં છે તે જ ફરીથી આવીને ભણશે અને
કાંટાથી ફૂલ બનશે. આ બાપની એક જ યુનિવર્સિટી છે, આની બ્રાન્ચેઝ (શાખાઓ) નીકળતી રહે
છે. ખુદા જ્યારે આવશે ત્યારે એમનાં ખિદમતગાર (મદદગાર) બનશે, જેમનાં દ્વારા સ્વયં
ભગવાન રાજાઈ સ્થાપન કરશે. તમે સમજો છો આપણે ખુદા નાં ખિદમતગાર છીએ. તેઓ શારીરિક
ખિદમત કરે છે, આ રુહાની. બાબા આપણને આત્માઓને રુહાની સર્વિસ શીખવાડી રહ્યાં છે કારણ
કે રુહ જ તમોપ્રધાન બની ગઈ છે. ફરી બાબા સતોપ્રધાન બનાવી રહ્યાં છે. બાબા કહે છે
મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ યોગ અગ્નિ છે. ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો
છે ને. આર્ટિફિશિયલ (બનાવટી) યોગ તો ઘણાં થઈ ગયાં છે એટલે બાબા કહે છે યાદની યાત્રા
કહેવું ઠીક છે. શિવબાબા ને યાદ કરતા-કરતા તમે શિવપુરી માં ચાલ્યાં જશો. એ છે શિવપુરી.
તે વિષ્ણુપુરી. આ રાવણ પુરી. વિષ્ણુપુરી ની પાછળ છે રામપુરી. સૂર્યવંશી પછી
ચંદ્રવંશી છે. આ તો સાધારણ વાત છે. અડધોકલ્પ સતયુગ-ત્રેતા, અડધોકલ્પ દ્વાપર-કળયુગ.
હમણાં તમે સંગમ પર છો. આ પણ ફક્ત તમે જાણો છો. જે સારી રીતે ધારણા કરે છે, તે
બીજાઓને પણ સમજાવે છે. આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. આ કોઈની બુદ્ધિમાં યાદ રહે
તો પણ આખો ડ્રામા બુદ્ધિમાં આવી જાય. પરંતુ કળયુગી દેહનાં સંબંધી વગેરે યાદ આવતાં
રહે છે. બાપ કહે છે - તમારે યાદ કરવાનાં છે એક બાપ ને. સર્વનાં સદ્દગતિ દાતા રાજયોગ
શીખવાડવા વાળા એક જ છે એટલે બાબા એ સમજાવ્યું છે કે શિવબાબાની જ જયંતી છે જે આખી
દુનિયાને પલટાવે છે. તમે બ્રાહ્મણ જ જાણો છો, હમણાં આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ.
જે બ્રાહ્મણ છે એમને જ રચયિતા અને રચના નું જ્ઞાન બુદ્ધિમાં છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈપણ એવું
કર્મ નથી કરવાનું જેનાથી કોઈને દુઃખ થાય. કડવા બોલ નથી બોલવાનાં. ખુબ-ખુબ ક્ષીરખંડ
થઇને રહેવાનું છે.
2. કોઈપણ દેહધારી ની સ્તુતિ નથી કરવાની. બુદ્ધિમાં રહે આપણને શિવબાબા ભણાવે છે, એ
એકની જ મહિમા કરવાની છે, રુહાની ખિદમતગાર બનવાનું છે.
વરદાન :-
સર્વનાં ગુણ
જોતાં સ્વયં માં બાપનાં ગુણોને ધારણ કરવા વાળા ગુણમૂર્ત ભવ
સંગમયુગ પર જે બાળકો
ગુણોની માળા ધારણ કરે છે તે જ વિજય માળા માં આવે છે એટલે હોલીહંસ બની સર્વ નાં
ગુણોને જુઓ અને એક બાપનાં ગુણોને સ્વયં માં ધારણ કરો, આ ગુણમાળા બધાનાં ગળા માં
પડેલી હોય. જે જેટલાં બાપનાં ગુણ સ્વયં માં ધારણ કરે છે તેમનાં ગળામાં એટલી મોટી
માળા પડે છે. ગુણમાળા ને સિમરણ કરવાથી સ્વયં પણ ગુણમૂર્ત બની જાય છે. એની જ યાદગાર
માં દેવતાઓ અને શક્તિઓનાં ગળામાં માળા દેખાડે છે.
સ્લોગન :-
સાક્ષીપણા ની
સ્થિતિ જ યથાર્થ નિર્ણય નું તખ્ત છે.