22-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમને
હમણાં બાપ દ્વારા દિવ્ય દૃષ્ટિ મળી છે , એ દિવ્ય દૃષ્ટિ થી જ તમે આત્મા અને પરમાત્મા
ને જોઈ શકો છો ”
પ્રશ્ન :-
ડ્રામા નાં કયાં
રહસ્યને સમજવા વાળા કઈ સલાહ કોઈ ને પણ નહીં આપશે?
ઉત્તર :-
જે સમજે છે કે ડ્રામા માં જે કંઈ પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું તે ફરી થી એક્યુરેટ રિપીટ
થશે, તે ક્યારેય કોઈ ને ભક્તિ છોડવાની સલાહ નહીં આપશે. જ્યારે એમની બુદ્ધિમાં જ્ઞાન
સારી રીતે બેસી જશે, સમજશે અમે આત્મા છીએ, અમારે બેહદનાં બાપ થી વારસો લેવાનો છે.
જ્યારે બેહદનાં બાપનો પરિચય થઈ જશે તો હદની વાતો સ્વતઃ ખતમ થઈ જશે.
ઓમ શાંતિ!
પોતાની આત્માનાં
સ્વધર્મ માં બેઠા છો? રુહાની બાપ રુહાની બાળકો ને પૂછે છે કારણ કે આ તો બાળકો જાણે
છે એક જ બેહદનાં બાપ છે, જેમને રુહ કહે છે. ફક્ત એમને સુપ્રીમ કહેવાય છે. સુપ્રીમ
રુહ અથવા પરમ આત્મા કહે છે. પરમાત્મા છે જરુર, એવું નહીં કહેશે કે પરમાત્મા છે જ નહીં.
પરમ આત્મા એટલે પરમાત્મા. આ પણ સમજાવાયું છે, મુંઝાવું ન જોઈએ કારણ કે ૫૦૦૦ વર્ષ
પહેલાં પણ આ જ્ઞાન તમે સાંભળ્યું હતું. આત્મા જ સાંભળે છે ને. આત્મા બહુજ નાની
સૂક્ષ્મ છે. એટલી છે જે આ આંખોથી જોઈ નથી શકાતી. એવો કોઈ મનુષ્ય નહીં હશે જેમણે
આત્માને આ આંખો થી જોઈ હશે. જોવામાં આવે છે પરંતુ દિવ્ય દૃષ્ટિ થી. તે પણ ડ્રામા
પ્લાન અનુસાર. સારું, સમજો કોઈને આત્મા નો સાક્ષાત્કાર થાય છે, જેમ બીજી ચીજ જોવામાં
આવે છે. ભક્તિમાર્ગ માં પણ કંઈક સાક્ષાત્કાર થાય છે તો આ આંખો થી જ. તે દિવ્ય દૃષ્ટિ
મળે છે જેનાથી ચૈતન્ય માં જુઓ છો. આત્માને જ્ઞાન ચક્ષુ મળે છે જેનાથી જોઈ શકે છે,
પરંતુ ધ્યાન માં. ભક્તિમાર્ગ માં બહુ જ ભક્તિ કરે છે ત્યારે સાક્ષાત્કાર થાય છે.
જેમ મીરાને સાક્ષાત્કાર થયો, નૃત્ય કરતી હતી. વૈકુંઠ તો હતું નહીં. ૫૦૦-૬૦૦ વર્ષ થયાં
હશે. એ સમયે વૈકુંઠ હતું થોડી. જે ભૂતકાળ થઈ ગયું છે તે દિવ્ય દૃષ્ટિ થી જોઈ શકાય
છે. જ્યારે બહુ જ ભક્તિ કરતાં-કરતાં એકદમ ભક્તિમય થઈ જાય છે ત્યારે દીદાર થાય છે
પરંતુ એનાથી મુક્તિ નથી મળતી. મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો ભક્તિ થી બિલ્કુલ ન્યારો
છે. ભારતમાં કેટલાં અનેક મંદિર છે. શિવ નું લિંગ રાખે છે. મોટું લિંગ પણ રાખે છે,
નાનું પણ રાખે છે. હવે એ તો બાળકો જાણે છે જેવી આત્મા છે એવા પરમપિતા પરમાત્મા છે.
આકાર બધાનો એક જ છે. જેવાં બાપ તેવાં બાળકો. આત્માઓ બધાં ભાઈ-ભાઈ છે. આત્માઓ આ
શરીરમાં આવે છે પાર્ટ ભજવવાં, આ સમજવાની વાતો છે. આ કોઈ ભક્તિમાર્ગ ની દંતકથાઓ નથી.
જ્ઞાનમાર્ગ ની વાતો ફક્ત એક બાપ જ સમજાવે છે. પહેલાં-પહેલાં સમજાવવા વાળા બેહદનાં
બાપ નિરાકાર જ છે, એમનાં માટે પૂરી રીતે કોઈ પણ સમજી નથી શકતાં. કહે છે એ તો
સર્વવ્યાપી છે. આ કંઈ સાચું નથી. બાપ ને પોકારે છે, બહુજ પ્રેમ થી બોલાવે છે. કહે
છે બાબા તમે જ્યારે આવશો તો તમારાં પર અમે વારી જઈશું. મારા તો તમે, બીજું ન કોઈ.
તો જરુર એમને યાદ કરવાં પડે. એ પોતે પણ કહે છે હેં બાળકો. આત્માઓ થી જ વાત કરે છે.
આને રુહાની નોલેજ કહેવાય છે. ગવાય પણ છે આત્મા અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ….. આ
પણ હિસાબ બતાવ્યો છે. બહુકાળ (લાંબાકાળ) થી તમે આત્માઓ અલગ રહો છો, જે પછી આ સમયે
બાપ ની પાસે આવી છો. ફરીથી પોતાનો રાજયોગ શીખવાં. આ શિક્ષક સેવક છે. શિક્ષક હંમેશા
આજ્ઞાકારી સેવક હોય છે. બાપ પણ કહે છે હું તો બધાં બાળકો નો સેવક છું. તમે કેટલા
અધિકાર થી બોલાવો છો હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. બધી છે ભક્તિઓ. કહે
છે-હેં ભગવાન આવો, અમને ફરીથી પાવન બનાવો. પાવન દુનિયા સ્વર્ગ ને, પતિત દુનિયા નર્ક
ને કહેવાય છે. આ બધી સમજવાની વાતો છે. આ કોલેજ અથવા ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી
(ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય) છે. આનો લક્ષ્ય-હેતુ છે મનુષ્ય થી દેવતા બનવું. બાળકો
નિશ્ચય કરે છે અમારે આ બનવું છે. જેમને નિશ્ચય જ નહીં હશે તે સ્કૂલમાં બેસશે શું?
લક્ષ્ય-હેતુ તો બુદ્ધિમાં છે. અમે બેરિસ્ટર કે ડોક્ટર બનીશું તો ભણશે ને. નિશ્ચય નહીં
હશે તો આવશે જ નહીં. તમને નિશ્ચય છે અમે મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનીએ છીએ. આ
સાચી-સાચી સત્ય નર થી નારાયણ બનવાની કથા છે. હકીકતમાં આ છે ભણતર પરંતુ આને કથા કેમ
કહે છે? કારણકે ૫ હજાર વર્ષ પહેલાં પણ સાંભળી હતી. પાસ્ટ (ભૂતકાળ) થઇ ગઈ છે. પાસ્ટ
ને કથા કહેવાય છે. આ છે નર થી નારાયણ બનવાની શિક્ષા. બાળકો દિલ થી સમજે છે નવી
દુનિયામાં દેવતાઓ, જૂની દુનિયામાં મનુષ્ય રહે છે. દેવતાઓમાં જે ગુણ છે તે મનુષ્યો
માં નથી, એટલે એમને દેવતા કહેવાય છે. મનુષ્ય દેવતાઓની આગળ નમન કરે છે. તમે સર્વગુણ
સંપન્ન…. છો પછી પોતાને કહે છે અમે પાપી નીંચ છીએ. મનુષ્ય જ કહે છે, દેવતાઓને તો નહીં
કહેશે. દેવતાઓ હતાં સતયુગ માં, કળયુગ માં હોઈ ન શકે. પરંતુ આજકાલ તો બધાને શ્રી શ્રી
કહી દે છે. શ્રી એટલે શ્રેષ્ઠ. સર્વશ્રેષ્ઠ તો ભગવાન જ બનાવી શકે છે. શ્રેષ્ઠ દેવતા
સતયુગ માં હતાં, આ સમયે કોઈ મનુષ્ય શ્રેષ્ઠ છે નહીં. આપ બાળકો હમણાં બેહદનો સન્યાસ
કરો છો. તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે, એટલે આ બધાથી વૈરાગ્ય છે. તે તો
છે હઠયોગી સન્યાસી. ઘરબાર છોડી નીકળ્યાં, પછી આવીને મહેલો માં બેઠા છે. નહીં તો
ઝુંપડી પર કોઈ ખર્ચો થોડી લાગે છે, કંઈ પણ નહીં. એકાંત માટે ઝુંપડી માં બેસવાનું
હોય છે, નહીં કે મહેલો માં. બાબા ની પણ ઝુંપડી બનેલી છે. ઝુંપડીમાં બધું સુખ છે.
હમણાં આપ બાળકોએ પુરુષાર્થ કરી મનુષ્ય થી દેવતા બનવાનું છે. તમે જાણો છો ડ્રામામાં
જે કંઈ પાસ્ટ થઈ ગયું તે ફરીથી એક્યુરેટ રિપીટ થશે, એટલે કોઈને પણ એવી સલાહ નહીં
આપવાની કે ભક્તિ છોડો. જ્યારે જ્ઞાન બુદ્ધિ માં આવી જશે તો સમજશે કે અમે આત્મા છીએ,
અમારે હવે તો બેહદનાં બાપ થી વારસો લેવાનો છે. બેહદનાં બાપનો જ્યારે પરિચય થાય છે
તો પછી હદ ની વાતો ખતમ થઇ જાય છે. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં ફક્ત
બુદ્ધિનો યોગ બાપ થી લગાવવાનો છે. શરીર નિર્વાહ માટે કર્મ પણ કરવાનું છે, જેમ
ભક્તિમાં પણ કોઈ-કોઈ બહુજ નૌધા ભક્તિ કરે છે. નિયમ થી રોજ જઈને દર્શન કરે છે.
દેહધારીઓની પાસે જવું, તે બધું છે શારીરિક યાત્રા. ભક્તિમાર્ગ માં કેટલાં ધક્કા ખાવા
પડે છે. અહીંયા કંઈ પણ ધક્કા નથી ખાવાનાં. આવે છે તો સમજાવવા માટે બેસાડાય છે. બાકી
યાદ માટે કોઈ એક જગ્યાએ બેસી નથી જવાનું. ભક્તિમાર્ગ માં કોઈ કૃષ્ણનાં ભક્ત હોય છે
તો એવું નથી કે ચાલતાં-ફરતાં કૃષ્ણ ને યાદ નથી કરી શકતાં એટલે જે ભણેલા મનુષ્ય હોય
છે, કહે છે કૃષ્ણ નું ચિત્ર ઘર માં રાખ્યું છે પછી તમે મંદિરો માં કેમ જાઓ છો.
કૃષ્ણનાં ચિત્રો ની પૂજા તમે ક્યાંય પણ કરો. સારું, ચિત્ર ન રાખો, યાદ કરતાં રહો.
એકવાર ચીજ જોઈ તો પછી તે યાદ રહે છે. તમને પણ એ જ કહે છે, શિવબાબા ને તમે ઘેર બેઠાં
યાદ નથી કરી શકતાં? આ તો છે નવી વાત. શિવબાબા ને કોઈ પણ જાણતાં નથી. નામ, રુપ, દેશ,
કાળ ને જાણતાં જ નથી, કહી દે છે સર્વવ્યાપી. આત્માને પરમાત્મા તો નથી કહેવાતું.
આત્મા ને બાપની યાદ આવે છે. પરંતુ બાપને જાણતાં નથી તો સમજાવવું પડે ૭ દિવસ. પછી
રોજ પોઈન્ટ પણ સમજાવાય છે. બાપ જ્ઞાનનાં સાગર છે ને. કેટલાં સમય થી સાંભળતા આવ્યાં
છો કારણ કે નોલેજ છે ને. સમજો છો અમને મનુષ્ય થી દેવતા બનવાનું નોલેજ મળે છે. બાપ
કહે છે તમને નવી-નવી ગુહ્ય વાતો સંભળાવું છું. મુરલી તમને નથી મળતી તો તમે કેટલાં
ચિલ્લાવો છો. બાપ કહે છે તમે બાપને તો યાદ કરો. મુરલી વાંચો છો તો પણ ભૂલી જાઓ છો.
પહેલાં-પહેલાં તો આ યાદ કરવાનું છે - હું આત્મા છું, આટલી નાની બિન્દી છું. આત્માને
પણ જાણવાની છે. કહે છે આમની આત્મા નીકળી બીજા માં પ્રવેશ કર્યો. આપણે આત્મા જ જન્મ
લેતાં-લેતાં હવે પતિત, અપવિત્ર બન્યાં છીએ. પહેલાં તમે પવિત્ર ગૃહસ્થ ધર્મનાં હતાં.
લક્ષ્મી-નારાયણ બંને પવિત્ર હતાં. પછી બંનેવ અપવિત્ર બન્યાં, પછી બંને પવિત્ર હોય
છે તો શું અપવિત્ર થી પવિત્ર બન્યાં? કે પવિત્ર જન્મ લીધો? બાપ બેસી સમજાવે છે, કેવાં
તમે પવિત્ર હતાં. પછી વામમાર્ગ માં જવાથી અપવિત્ર બન્યાં છો. પુજારી ને અપવિત્ર,
પૂજ્ય ને પવિત્ર કહીશું. આખી દુનિયા નો ઇતિહાસ-ભૂગોળ તમારી બુદ્ધિ માં છે. કોણ-કોણ
રાજ્ય કરતાં હતાં? કેવી રીતે એમને રાજ્ય મળ્યું, એ તમે જાણો છો, બીજું કોઈ નથી જે
જાણતું હોય. તમારી પાસે પણ પહેલા આ નોલેજ, રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંતનું નહોતું,
એટલે નાસ્તિક હતાં. નહોતાં જાણતાં. નાસ્તિક બનવાથી કેટલાં દુઃખી બની જાય છે. હમણાં
તમે અહીં આવ્યાં છો આ દેવતા બનવાં. ત્યાં કેટલાં સુખ હશે. દૈવી ગુણ પણ અહીંયા ધારણ
કરવાનાં છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઈ-બહેન થયાં ને. ક્રિમિનલ (અપવિત્ર) દૃષ્ટિ
જવી ન જોઈએ, એમાં છે મહેનત. આંખો બહુ ક્રિમિનલ છે. બધાં અંગોમાં ક્રિમિનલ છે આંખો.
અડધોકલ્પ ક્રિમિનલ, અડધોકલ્પ સિવિલ (પવિત્ર) રહે છે. સતયુગમાં ક્રિમિનલ નથી રહેતી.
આંખો ક્રિમિનલ છે તો અસુર કહેવાય છે. બાપ પોતે કહે છે કે હું પતિત દુનિયામાં આવું
છું. જે પતિત બન્યાં છે, એમણે જ પાવન બનવાનું છે. મનુષ્ય તો કહે છે આ પોતાને ભગવાન
કહેવડાવે છે. ઝાડ માં જુઓ એકદમ તમોપ્રધાન દુનિયાનાં અંત માં ઉભાં છે, તે જ પછી
તપસ્યા કરી રહ્યાં છે. સતયુગ થી લક્ષ્મી નારાયણ ની ડીનાયસ્ટી (કુળ) ચાલે છે. સંવત
પણ આ લક્ષ્મી-નારાયણ થી ગણાશે એટલે બાબા કહે છે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય દેખાડો છો
તો લખો અહીંથી ૧૨૫૦ વર્ષ પછી ત્રેતા. શાસ્ત્રોમાં પછી લાખો વર્ષ લખી દીધાં છે.
રાત-દિવસ નો ફરક થઈ ગયો ને. બ્રહ્માની રાત અડધોકલ્પ, બ્રહ્માનો દિવસ અડધોકલ્પ - આ
વાતો બાપ જ સમજાવે છે. તો પણ કહે છે - મીઠા બાળકો, પોતાને આત્મા સમજો, બાપ ને યાદ
કરો. એમને યાદ કરતાં-કરતાં તમે પાવન બની જશો, પછી અંત મતિ સો ગતિ થઈ જશે. બાબા એવું
નથી કહેતાં અહીંયા બેસી જાઓ. સેવાધારી બાળકોને તો બેસાડશે નહીં. સેવાકેન્દ્ર,
મ્યુઝિયમ વગેરે ખોલતાં રહે છે. કેટલાને નિમંત્રણ વહેંચે છે, આવીને ગોડલી બર્થ રાઈટ
(જન્મસિદ્ધ અધિકાર) વિશ્વની બાદશાહી લો. તમે બાપનાં બાળકો છો. બાપ છે સ્વર્ગનાં
રચયિતા તો તમને પણ સ્વર્ગ નો વારસો હોવો જોઈએ. બાપ કહે છે હું એક જ વાર સ્વર્ગની
સ્થાપના કરવા આવું છું. એક જ દુનિયા છે જેનું ચક્ર ફરતું રહે છે. મનુષ્યની તો અનેક
મતો, અનેક વાતો છે. મત-મતાંતર કેટલાં છે, આને કહેવાય છે અદ્વેત મત. ઝાડ કેટલું મોટું
છે. કેટલી ડાળ-ડાળીઓ નીકળે છે. કેટલાં ધર્મ ફેલાઈ રહ્યાં છે, પહેલા તો એક મત, એક
રાજ્ય હતું. આખાં વિશ્વ પર આમનું રાજ્ય હતું. આ પણ હમણાં તમને ખબર પડી છે. આપણે જ
આખાં વિશ્વનાં માલિક હતાં. પછી ૮૪ જન્મ ભોગવી કંગાળ બન્યાં છીએ. હમણાં તમે કાળ પર
જીત પામો છો, ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. અહીંયા તો જુઓ બેઠા-બેઠા અકાળે
મૃત્યુ થતું રહે છે. ચારે તરફ મોત જ મોત છે. ત્યાં આવું નથી થતું, પૂરી ઉંમર જીવન
ચાલે છે. ભારતમાં પ્યોરીટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સુખ) હતું. ૧૫૦
વર્ષ એવરેજ (સરેરાસ) આયુ હતી, હમણાં કેટલી આયુ રહે છે.
ઈશ્વરે તમને યોગ શીખવાડ્યો તો તમને યોગેશ્વર કહે છે. ત્યાં થોડી કહેશે. આ સમયે તમે
યોગેશ્વર છો, તમને ઈશ્વર રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. પછી રાજ-રાજેશ્વર બનવાનું છે.
હમણાં તમે જ્ઞાનેશ્વર છો પછી રાજેશ્વર અર્થાત્ રાજાઓનાં રાજા બનશો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આંખો ને
સિવિલ (પવિત્ર) બનાવવાની મહેનત કરવાની છે. બુદ્ધિમાં સદા રહે કે અમે પ્રજાપિતા
બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન છીએ, ક્રિમિનલ (અપવિત્ર) દૃષ્ટિ રાખી ન શકાય.
2. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતાં બુદ્ધિનો યોગ એક બાપ થી લગાવવાનો છે, હદની બધી વાતો
છોડી બેહદનાં બાપ ને યાદ કરવાનાં છે. બેહદનાં સન્યાસી બનવાનું છે.
વરદાન :-
સદા
અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલવા વાળા સંગમયુગ ની સર્વ અલૌકિક પ્રાપ્તિઓથી સંપન્ન
ભવ
જે બાળકો અલૌકિક
પ્રાપ્તિઓથી સદા સંપન્ન છે તે અતીન્દ્રિય સુખનાં ઝુલામાં ઝૂલતાં રહે છે. જેમ જે
લાડલા બાળકો હોય છે એમને ઝૂલામાં ઝુલાવે છે. એમ સર્વ પ્રાપ્તિ સંપન્ન બ્રાહ્મણોનો
ઝૂલો અતીન્દ્રિય સુખનો ઝૂલો છે, આ જ ઝૂલામાં સદા ઝુલતાં રહો. ક્યારેય પણ દેહ-અભિમાન
માં નહિં આવતાં. જે ઝૂલાથી ઉતરી ને ધરતી પર પગ રાખે છે તે મેલા થઈ જાય છે. ઊંચે થી
ઉંચા બાપનાં સ્વચ્છ બાળકો સદા અતીન્દ્રિય સુખ નાં ઝુલામાં ઝુલતાં, માટીમાં પગ ન રાખી
શકે.
સ્લોગન :-
“હું ત્યાગી
છું” આ અભિમાન નો ત્યાગ જ સાચો ત્યાગ છે.