18.12.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન


"મીઠા બાળકો - રોજ વિચાર સાગર મંથન કરો તો ખુશી નો પારો ચઢશે, ચાલતાં - ફરતાં યાદ રહે કે અમે સ્વદર્શન ચક્રધારી છીએ ”

પ્રશ્ન :-

પોતાની ઉન્નતિ કરવાનું સહજ સાધન કયું છે?

ઉત્તર :-

પોતાની ઉન્નતિ માટે રોજ પોતામેલ રાખો. ચેક કરો-આજે આખો દિવસ કોઇ આસુરી કામ તો નથી કર્યુ? જેમ વિદ્યાર્થી પોતાનું રજીસ્ટર રાખે છે, એમ આપ બાળકો પણ દૈવીગુણો નું રજીસ્ટર રાખો તો ઉન્નતિ થતી રહેશે.

ગીત :-

દૂર દેશ કે રહને વાલા …

ઓમ્ શાંતિ ! બાળકો જાણે છે દૂર દેશ કોને કહેવાય છે. દુનિયામાં એક પણ મનુષ્ય નથી જાણતાં. ભલે કેટલાં પણ મોટા વિદ્વાન હોય, પંડિત હોય આનો અર્થ નથી સમજતાં. આપ બાળકો સમજો છો. બાપ, જેમને બધાં મનુષ્ય માત્ર યાદ કરે છે કે હેં ભગવાન... તે જરુર ઉપર મૂળવતન માં છે, બીજા કોઈને પણ આ ખબર નથી. આ ડ્રામાનાં રહસ્યને પણ હમણાં આપ બાળકો સમજો છો. શરું થી લઈને હમણાં સુધી જે થયું છે, જે થવાનું છે, બધું બુદ્ધિમાં છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, તે બુદ્ધિમાં રહેવું જોઈએ ને. આપ બાળકોમાં પણ નંબરવાર સમજે છે. વિચાર સાગર મંથન નથી કરતાં એટલે ખુશીનો પારો પણ નથી ચઢતો. ઉઠતાં-બેસતાં બુદ્ધિ માં રહેવું જોઈએ કે અમે સ્વદર્શન ચક્રધારી છીએ. આદિ થી અંત સુધી મુજ આત્માને આખી સૃષ્ટિનાં ચક્ર ની ખબર છે. ભલે તમે અહીંયા બેઠા છો, બુદ્ધિમાં મૂળ વતન યાદ આવે છે. તે છે સ્વીટ સાઇલેન્સ હોમ, નિર્વાણધામ, સાઈલેન્સ ધામ (શાંતિધામ), જ્યાં આત્માઓ રહે છે. આપ બાળકોની બુદ્ધિમાં ઝટ આવી જાય છે, બીજા કોઈને ખબર નથી. ભલે કેટલાં પણ શાસ્ત્ર વગેરે વાંચતા સાંભળતાં રહે, ફાયદો કંઈ પણ નથી. તે બધું છે ઉતરતી કળામાં. તમે હમણાં ચઢી રહ્યાં છો. પાછાં જવા માટે પોતે તૈયારી કરી રહ્યાં છો. આ જૂનાં કપડા છોડી આપણે ઘરે જવાનું છે. ખુશી રહે છે ને! ઘરે જવા માટે અડધો કલ્પ ભક્તિ કરી છે. સીડી નીચે ઉતરતાં જ ગયાં. હમણાં બાબા આપણને સહજ સમજાવે છે. આપ બાળકોને ખુશી હોવી જોઈએ. બાબા ભગવાન આપણને ભણાવે છે - આ ખુશી ખુબજ રહેવી જોઈએ. બાપ સમ્મુખ ભણાવી રહ્યાં છે. બાબા જે સૌનાં બાપ છે, તે આપણને ફરીથી ભણાવી રહ્યાં છે. અનેકવાર ભણાવ્યું છે. જ્યારે તમે ચક્કર લગાવીને પૂરું કરો છો તો પછી બાપ આવે છે. આ સમયે તમે છો સ્વદર્શન ચક્રધારી. તમે વિષ્ણુપુરી નાં દેવતા બનવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. દુનિયામાં બીજું કોઈ પણ આ નોલેજ આપી ન શકે. શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે, આ ખુશી કેટલી રહેવી જોઈએ. બાળકો જાણે છે આ શાસ્ત્ર વગેરે બધું ભક્તિમાર્ગ નું છે, આ સદ્દગતિ માટે નથી. ભક્તિમાર્ગ ની સામગ્રી પણ જોઈએ ને. અથાહ સામગ્રી છે. બાપ કહે છે આનાથી તમે નીચે ઉતરતાં આવ્યાં છો. કેટલું દર-દર ભટકો છો. હવે તમે શાંત થઈ ને બેઠા છો. તમારું ધક્કા ખાવાનું બધું છૂટી ગયું. જાણો છો બાકી થોડો સમય છે, આત્મા ને પવિત્ર બનાવવા માટે બાપ એજ રસ્તો બતાવી રહ્યાં છે. કહે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો પછી સતોપ્રધાન દુનિયામાં આવીને રાજ્ય કરશો. આ રસ્તો કલ્પ-કલ્પ અનેકવાર બાપે બતાવ્યો છે. પછી પોતાની અવસ્થા ને પણ જોવાની છે, વિદ્યાર્થી પુરુષાર્થ કરી પોતાને હોશિયાર બનાવે છે ને. ભણવાનું પણ રજીસ્ટર હોય છે અને ચલનનું પણ રજીસ્ટર હોય છે. અહીંયા તમારે પણ દૈવીગુણ ધારણ કરવાનાં છે. રોજ પોતાનો પોતામેલ રાખવાથી બહુજ ઉન્નતિ થશે-આજે આખો દિવસ કોઇ આસુરી કામ તો નથી કર્યુ? આપણે તો દેવતા બનવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર સામે રાખ્યું છે. કેટલું સિમ્પલ (સરળ) ચિત્ર છે. ઉપરમાં શિવબાબા છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આ વારસો આપે છે તો જરુર સંગમ પર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ હશે ને. દેવતાઓ હોય છે સતયુગ માં. બ્રાહ્મણ છે સંગમ પર. કળયુગમાં છે શૂદ્ર વર્ણ વાળા. વિરાટ રુપ પણ બુદ્ધિમાં ધારણ કરો. આપણે હમણાં છીએ બ્રાહ્મણ ચોટી, પછી દેવતા બનશું. બાપ બ્રાહ્મણોને ભણાવી રહ્યાં છે દેવતા બનાવવા માટે. તો દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે, એટલાં મીઠા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. જેમ શરીર નિર્વાહ માટે કંઈ ને કંઈ કામ કરાય છે, તેમ અહીંયા પણ યજ્ઞ સર્વિસ કરવાની છે. કોઈ બીમાર છે, સર્વિસ નથી કરતાં તો એમની પછી સર્વિસ કરવી પડે છે. સમજો કોઈ બીમાર છે, શરીર છોડી દે છે, તમારે દુઃખી થવાની કે રડવાની વાત નથી. તમારે તો બિલ્કુલ જ શાંતિમાં બાબાની યાદમાં રહેવાનું છે. કોઈ અવાજ નહીં. તેઓ તો શમશાન માં લઈ જાય છે તો અવાજ કરતાં જાય છે રામ નામ સંગ છે. તમારે કંઈ પણ કહેવાનું નથી. તમે સાઈલેન્સ થી વિશ્વ પર જીત પામો છો. એમની છે સાયન્સ, તમારી છે સાઈલેન્સ.

આપ બાળકો જ્ઞાન અને વિજ્ઞાનનો પણ યથાર્થ અર્થ જાણો છો. જ્ઞાન છે સમજ અને વિજ્ઞાન છે બધું જ ભૂલી જવું, જ્ઞાન થી પણ પરે. તો જ્ઞાન પણ છે, વિજ્ઞાન પણ છે. આત્મા જાણે છે આપણે શાંતિધામનાં રહેવા વાળા છીએ પછી જ્ઞાન પણ છે. રુપ અને વસંત. બાબા પણ રુપ-વસંત છે ને. રુપ પણ છે અને એમનામાં આખાં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન પણ છે. તેમણે વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે. અર્થ કંઈ નથી સમજતાં. આપ બાળકો સમજો છો આ સમયે સાયન્સ થી દુઃખ પણ છે તો સુખ પણ છે. ત્યાં સુખ જ સુખ છે. અહીંયા છે અલ્પકાળ નું સુખ. બાકી તો દુઃખ જ દુઃખ છે. ઘરમાં મનુષ્ય કેટલાં દુઃખી રહે છે. સમજે છે ક્યાં મરીએ તો આ દુઃખની દુનિયાથી છૂટીએ. આપ બાળકો તો જાણો છો બાબા આવેલાં છે આપણને સ્વર્ગવાસી બનાવવાં. કેટલું ગદ્દગદ્દ થવું જોઈએ. કલ્પ-કલ્પ બાબા આપણને સ્વર્ગવાસી બનાવવા આવે છે. તો એવાં બાપની મત પર ચાલવું જોઈએ ને.

બાપ કહે છે - મીઠા બાળકો, ક્યારેય કોઈને દુઃખ ન આપો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનો. આપણે ભાઈ-બહેન છીએ, આ છે પ્રેમ નો સંબંધ. બીજી કોઈ દૃષ્ટિ જઈ ન શકે. દરેક ની બીમારી પોત-પોતાની છે, એ અનુસાર સલાહ પણ આપતાં રહે છે. પૂછે છે બાબા આ-આ હાલત થાય છે, આ હાલતમાં શું કરીએ? બાબા સમજાવે છે ભાઈ-બહેન ની દૃષ્ટિ ખરાબ ન થવી જોઈએ. કોઈ પણ ઝઘડા ન થાય. હું આપ આત્માઓ નો બાપ છું ને. શિવબાબા બ્રહ્મા તન થી બોલી રહ્યાં છે. પ્રજાપિતા બ્રહ્મા બાળક થયાં શિવબાબા નાં, સાધારણ તનમાં જ આવે છે ને. વિષ્ણુ તો થયાં સતયુગ નાં. બાપ કહે છે હું આમનામાં પ્રવેશ કરી નવી દુનિયા રચવા આવ્યો છું. બાબા પૂછે છે તમે વિશ્વનાં મહારાજા-મહારાણી બનશો? હાં બાબા, કેમ નહીં બનીશું. હાં, એમાં પવિત્ર રહેવું પડશે. આ તો મુશ્કેલ છે. અરે, તમને વિશ્વનાં માલિક બનાવે છે, તમે પવિત્ર નથી રહી શકતાં? લજ્જા (શરમ) નથી આવતી? લૌકિક બાપ પણ સમજાવે છે ને - ગંદુ કામ નહીં કરો. આ વિકાર પર જ વિઘ્ન પડે છે. શરું થી લઈને આનાં પર હંગામા ચાલતાં આવ્યાં છે. બાપ કહે છે-મીઠા બાળકો, આનાં પર જીત પામવાની છે. હું આવ્યો છું પવિત્ર બનાવવાં. આપ બાળકોને સાચું-ખોટું, સારું-ખરાબ વિચારવાની બુદ્ધિ મળી છે. આ લક્ષ્મી-નારાયણ છે લક્ષ્ય-હેતુ. સ્વર્ગવાસીઓમાં દૈવીગુણ છે, નર્કવાસીઓમાં અવગુણ છે. હમણાં રાવણ રાજ્ય છે, એ પણ કોઈ સમજી નથી શકતાં. રાવણ ને દર વર્ષે બાળે છે. દુશ્મન છે ને. બાળતાં જ આવે છે. સમજતાં નથી કે આ છે કોણ? આપણે બધાં રાવણ રાજ્ય નાં છીએ ને, તો જરુર આપણે અસુર થયાં. પરંતુ પોતાને કોઈ અસુર સમજતાં નથી. ઘણાં કહે પણ છે કે આ રાક્ષસ રાજ્ય છે. યથા રાજા-રાણી તથા પ્રજા. પરંતુ એટલી પણ સમજ નથી. બાપ બેસી સમજાવે છે રામરાજ્ય અલગ હોય છે, રાવણ રાજ્ય અલગ હોય છે. હમણાં તમે સર્વગુણ સંપન્ન બની રહ્યાં છો. બાપ કહે છે મારા ભક્તો ને જ્ઞાન સંભળાવો, જે મંદિરોમાં જઈને દેવતાઓની પૂજા કરે છે. બાકી એવાં-એવાં મનુષ્યો થી માથું નહીં મારો. મંદિરોમાં તમને બહુ જ ભક્ત મળશે. નાડી પણ જોવાની હોય છે. ડોક્ટર લોકો જોવાથી જ ઝટ બતાવી દે છે કે આમને શું બીમારી છે. દિલ્હીમાં એક અજમલખાં વૈદ્ય પ્રખ્યાત હતાં. બાપ તો તમને ૨૧ જન્મો માટે એવર હેલ્દી (સદા સ્વસ્થ), વેલ્દી (સદા સંપન્ન) બનાવે છે. અહીંયા તો છે જ બધાં રોગી, અનહેલ્દી. ત્યાં તો ક્યારેય રોગ હોતાં નથી. તમે એવરહેલ્દી, એવરવેલ્દી બનો છો. તમે પોતાનાં યોગબળ થી કર્મેન્દ્રિયો પર વિજય પામી લો છો. તમને આ કર્મેન્દ્રિયો ક્યારે દગો નથી આપી શકતી. બાબા એ સમજાવ્યું છે યાદમાં સારી રીતે રહો, દેહી-અભિમાની રહો તો કર્મેન્દ્રિયો દગો નહીં આપશે. અહીંયા જ તમે વિકારો પર જીત પામો છો. ત્યાં કુદૃષ્ટિ હોતી નથી. રાવણ રાજ્ય જ નથી. તે છે જ અહિંસક દેવી-દેવતાઓનો ધર્મ. લડાઈ વગેરેની કોઈ વાત નથી. આ લડાઈ પણ અંતિમ લાગવાની છે, એનાથી સ્વર્ગ નાં દ્વાર ખુલવાનાં છે. પછી ક્યારેય લડાઈ લાગતી જ નથી. યજ્ઞ પણ આ છેલ્લો છે. પછી અડધોકલ્પ કોઈ યજ્ઞ થશે જ નહીં. આમાં બધો કચરો સ્વાહા થઇ જાય છે. આ યજ્ઞ થી જ વિનાશ જ્વાળા નીકળી છે, બધી સફાઇ થઇ જશે. પછી આપ બાળકોને સાક્ષાત્કાર પણ કરાવ્યો છે, ત્યાંના શૂબીરસ વગેરે પણ બહુ જ સ્વાદિષ્ટ ફર્સ્ટ ક્લાસ ચીજો હોય છે. એ રાજ્યની હમણાં તમે સ્થાપના કરી રહ્યાં છો તો કેટલી ખુશી થવી જોઈએ.

તમારું નામ પણ છે શિવશક્તિ ભારત માતાઓ. શિવ થી તમે શક્તિ લો છો ફક્ત યાદ થી. ધક્કા ખાવાની કોઈ વાત નથી. તેઓ સમજે છે જે ભક્તિ નથી કરતાં તે નાસ્તિક છે. તમે કહો છો જે બાપ અને રચનાને નથી જાણતાં તે નાસ્તિક છે, તમે હમણાં આસ્તિક બન્યાં છો. ત્રિકાળદર્શી પણ બન્યાં છો. ત્રણેય લોકો, ત્રણેય કાળો ને જાણી ગયાં છો. આ લક્ષ્મી-નારાયણ ને બાપથી આ વારસો મળ્યો છે. હમણાં તમે તે બનો છો. આ બધી વાતો બાપ જ સમજાવે છે. શિવબાબા પોતે કહે છે કે હું આમનામાં પ્રવેશ કરી સમજાવું છું. નહીં તો હું નિરાકાર કેવી રીતે સમજાવું. પ્રેરણા થી અભ્યાસ થાય છે શું? ભણાવવા માટે તો મુખ જોઈએ ને. ગૌમુખ તો આ છે ને. આ મોટી મમ્મા છે ને, હ્યુમન (માનવીય) માતા છે. બાપ કહે છે હું આમનાં દ્વારા આપ બાળકોને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવું છું, યુક્તિ બતાવું છું. આમાં આશીર્વાદ ની કોઈ વાત નથી. ડાયરેક્શન પર ચાલવાનું છે. શ્રીમત મળે છે. કૃપા ની વાત નથી. કહે છે - બાબા ઘડી-ઘડી ભૂલી જવાય છે, કૃપા કરો. અરે, આ તો તમારું કામ છે યાદ કરવાનું. હું શું કૃપા કરીશ. મારા માટે તો બધાં બાળકો છે. કૃપા કરું તો બધાં તખ્ત પર બેસી જાય. પદ તો ભણતર અનુસાર પામશે. ભણવાનું તો તમારે છે ને. પુરુષાર્થ કરતાં રહો. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરવાનાં છે. પતિત આત્મા પાછી જઈ ન શકે. બાપ કહે છે જેટલું તમે યાદ કરશો તો યાદ કરતાં-કરતાં પાવન બની જશો. પાવન આત્મા અહીંયા રહી નહીં શકે. પવિત્ર બને તો શરીર નવું જોઈએ. પવિત્ર આત્માને શરીર ઈમપ્યોર (અપવિત્ર) મળે, એ કાયદો નથી. સન્યાસી પણ વિકાર થી જન્મ લે છે ને. આ દેવતાઓ વિકાર થી જન્મ નથી લેતાં, જે પછી સન્યાસ કરવો પડે. આ તો ઊંચા થયાં ને. સાચાં-સાચાં મહાત્મા આ છે જે સદૈવ સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં રાવણ રાજ્ય છે નહીં. છે જ સતોપ્રધાન રામરાજ્ય. હકીકતમાં રામ પણ કહેવું ન જોઈએ. શિવબાબા છે ને. આને કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર અથવા શિવ એક જ છે. કૃષ્ણ નું તો નામ નથી. શિવબાબા આવીને જ્ઞાન સંભળાવે છે તેઓ પછી રુદ્ર યજ્ઞ રચે છે તો માટી નું લિંગ અને સાલિગ્રામ બનાવે છે. પૂજા કરી પછી તોડી દે છે. જેમ બાબા દેવીઓનું દૃષ્ટાંત બતાવે છે. દેવીઓને સજાવીને ખવડાવી પીવડાવી પૂજા કરી પછી ડુબાવી દે છે. તેમ શિવબાબા અને સાલિગ્રામો ની બહુ પ્રેમ અને શુદ્ધિ થી પૂજા કરી પછી ખલાસ કરી દે છે. આ છે બધો ભક્તિ નો વિસ્તાર. હમણાં બાપ બાળકો ને સમજાવે છે - જેટલાં બાપ ની યાદ માં રહેશો એટલાં ખુશી માં રહેશો. રાત્રે રોજ સ્વયં નો પોતામેલ જોવો જોઈએ. કાંઈ ભૂલ તો નથી કરી? પોતાનો કાન પકડી લેવો જોઈએ - બાબા આજે અમારા થી આ ભૂલ થઇ, ક્ષમા કરજો. બાબા કહે છે સાચું લખશો તો અડધું પાપ કપાઈ જશે. બાપ તો બેઠા છે ને. પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. પોતામેલ રાખવાથી બહુજ ઉન્નતિ થશે. ખર્ચો તો કંઈ છે નહીં. ઊંચ પદ પામવું છે તો મન્સા-વાચા-કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. કોઈ કંઈ કહે છે તો સાંભળ્યું-ન સાંભળ્યું કરી દેવાનું છે. આ મહેનત કરવાની છે. બાપ આવે જ છે આપ બાળકોનું દુઃખ દૂર કરી સદાનાં માટે સુખ આપવાં. તો બાળકોએ પણ એવાં બનવાનું છે. મંદિરોમાં સૌથી સારી સર્વિસ થશે. ત્યાં ધાર્મિક વિચાર નાં તમને બહુ જ મળશે. પ્રદર્શની માં ઘણાં આવે છે. પ્રોજેક્ટર થી પણ પ્રદર્શની મેળામાં સેવા સારી થાય છે. મેળામાં ખર્ચો થાય છે તો જરુર ફાયદો પણ છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. બાપે સાચાં-ખોટા ને સમજવાની બુદ્ધિ આપી છે, એ જ બુદ્ધિનાં આધાર પર દૈવીગુણ ધારણ કરવાનાં છે, કોઈને દુઃખ નથી આપવાનું, આપસ માં ભાઈ-બહેન નો સાચો પ્રેમ હોય, ક્યારેય કુદૃષ્ટિ ન જાય.
  2. બાપ નાં દરેક ડાયરેક્શન પર ચાલી સારી રીતે ભણી ને પોતે પોતાના પર સ્વયં જ કૃપા કરવાની છે. પોતાની ઉન્નતિ માટે પોતામેલ રાખવાનો છે, કોઈ દુઃખ આપવા વાળી વાતો કરે છે તો સાંભળ્યું-ન સાંભળ્યું કરી દેવાનું છે.

વરદાન :-

સર્વ સંબંધો નો અનુભવ એક બાપ થી કરવા વાળા અથક અને વિઘ્ન વિનાશક ભવ

જે બાળકોનાં સર્વ સંબંધ એક બાપ ની સાથે છે તેમને બીજા બધાં સંબંધ નિમિત્ત માત્ર અનુભવ થશે, તે સદા ખુશીમાં નાચવા વાળા હશે, ક્યારેય થકાવટ નો અનુભવ નહીં કરશે, અથક હશે. બાપ અને સેવા એ જ લગન માં મગન હશે. વિઘ્નો નાં કારણે અટકવાનાં બદલે સદા વિઘ્નવિનાશક હશે. સર્વ સંબંધોની અનુભૂતિ એક બાપ થી હોવાનાં કારણે ડબલ લાઈટ રહેશે, કોઈ બોજ નહીં હશે. સર્વ કમ્પલેન (ફરિયાદ) સમાપ્ત હશે. કમ્પલીટ (સંપૂર્ણ) સ્થિતિનો અનુભવ થશે. સહજયોગી હશે.

સ્લોગન :-

સંકલ્પ માં પણ કોઈ દેહધારી તરફ આકર્ષિત થવું અર્થાત્ બેવફા બનવું.