03-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારે મન્સા - વાચા - કર્મણા ખુબ - ખુબ ખુશી માં રહેવાનું છે , બધાને ખુશ કરવાનાં છે , કોઈને પણ દુઃખ નથી આપવાનું ”

પ્રશ્ન :-
ડબલ અહિંસક બનવા વાળા બાળકોએ કયું ધ્યાન રાખવાનું છે?

ઉત્તર :-
૧. ધ્યાન રાખવાનું છે કે એવી કોઈ વાણી મુખ થી ન નીકળે જેનાથી કોઈને પણ દુઃખ થાય કારણ કે વાણી થી દુઃખ આપવું પણ હિંસા છે. ૨. આપણે દેવતા બનવા વાળા છીએ, એટલે ચલન ખુબ રોયલ હોય. ખાવા-પીવાનું ન ખુબ ઊંચું, ન નીચું હોય.

ગીત :-
નિર્બલ સે લડાઈ બલવાન કી ...

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોને બાપ રોજ-રોજ પહેલાં સમજાવે છે કે પોતાને આત્મા સમજી બેસો અને બાપ ને યાદ કરો. કહે છે ને અટેન્શન પ્લીઝ (સાવધાન)! તો બાપ કહે છે એક તો અટેન્શન આપો બાપની તરફ. બાપ કેટલાં મીઠા છે, એમને કહેવાય છે પ્રેમ નાં સાગર, જ્ઞાન નાં સાગર. તો તમારે પણ પ્રેમાળ બનવું જોઈએ. મન્સા-વાચા-કર્મણા દરેક વાતમાં તમને ખુશી રહેવી જોઈએ. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બાપ પણ કોઈને દુઃખી નથી કરતાં. બાપ આવ્યાં જ છે સુખી કરવાં. તમારે પણ કોઈ પ્રકાર નું કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ પણ એવું કર્મ ન કરવું જોઈએ. મન્સામાં પણ ન આવવું જોઈએ. પરંતુ આ અવસ્થા પાછળ (અંત) માં થશે. કંઈને કંઈ કર્મેન્દ્રિયો થી ભૂલ થાય છે. પોતાને આત્મા સમજશો, બીજાઓને પણ આત્મા ભાઈ જોશો તો પછી કોઈને દુઃખ નહીં આપશો. શરીર જ નહીં જોશો તો દુઃખ કેવી રીતે આપશો. આમાં ગુપ્ત મહેનત છે. આ બધું બુદ્ધિનું કામ છે. હવે તમે પારસબુદ્ધિ બની રહ્યાં છો. તમે જ્યારે પારસબુદ્ધિ હતાં તો તમે ઘણાં સુખ જોયાં. તમે જ સુખધામ નાં માલિક હતાં ને. આ છે દુઃખધામ. આ તો બહુ જ સરળ છે. તે શાંતિધામ છે આપણું સ્વીટ હોમ. પછી ત્યાંથી પાર્ટ ભજવવા આવ્યાં છીએ, દુઃખનો પાર્ટ ઘણો સમય ભજવ્યો છે, હવે સુખધામ માં જવાનું છે એટલે એક-બીજાને ભાઈ-ભાઈ સમજવાનું છે. આત્મા, આત્મા ને દુઃખ ન આપી શકે. પોતાને આત્મા સમજી આત્મા થી વાત કરી રહ્યાં છીએ. આત્મા જ તખ્ત પર વિરાજમાન છે. આ પણ શિવબાબા નો રથ છે ને. બાળકીઓ કહે છે - અમે શિવબાબાનાં રથને શ્રુંગારીએ છીએ, શિવબાબાનાં રથ ને ખવડાવીએ છીએ. તો શિવબાબા જ યાદ રહે છે. એ છે જ કલ્યાણકારી બાપ. કહે છે હું ૫ તત્વોનું પણ કલ્યાણ કરું છું. ત્યાં કોઈ પણ ચીજ ક્યારેય તકલીફ નથી આપતી. અહીંયા તો ક્યારેક તોફાન, ક્યારેક ઠંડી, ક્યારેય કંઈક થતું રહે છે. ત્યાં તો સદૈવ વસંતઋતુ રહે છે. દુઃખ નું નામ નથી. તે છે જ સ્વર્ગ. બાપ આવ્યાં છે તમને સ્વર્ગ નાં માલિક બનાવવાં. ઊંચે થી ઊંચા ભગવાન છે, ઊંચે થી ઊંચા બાપ ઊંચે થી ઊંચા સુપ્રીમ શિક્ષક પણ છે તો જરુર ઊંચે થી ઊંચા જ બનાવશે ને. તમે આ લક્ષ્મી-નારાયણ હતાંં ને. આ બધી વાતો ભૂલી ગયાં છો. આ બાપ જ બેસી સમજાવે છે. ઋષિઓ-મુનિઓ વગેરેથી પૂછતા હતાં - તમે રચયિતા અને રચના ને જાણો છો તો નેતિ-નેતિ કહી દેતા હતાં, જ્યારે તેમની પાસે જ જ્ઞાન નહોતું તો પછી પરંપરા કેવી રીતે ચાલી શકે. બાપ કહે છે આ જ્ઞાન હું હમણાં જ આપું છું. તમારી સદ્દગતિ થઈ ગઈ પછી જ્ઞાનની દરકાર નથી. દુર્ગતિ થતી જ નથી. સતયુગ ને કહેવાય છે સદ્દગતિ. અહીંયા છે દુર્ગતિ. પરંતુ એ પણ કોઈને ખબર નથી કે આપણે દુર્ગતિ માં છીએ. બાપ માટે ગવાય છે લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક), ખેવૈયા. વિષય સાગર થી બધાંની નાવ પાર કરે છે, એને કહેવાય છે ક્ષીરસાગર. વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે છે. આ બધું છે ભક્તિમાર્ગનું ગાયન. મોટા-મોટા તળાવ છે, જેમાં વિષ્ણુ નું મોટું ચિત્ર દેખાડે છે. બાપ સમજાવે છે, તમે જ આખાં વિશ્વ પર રાજ્ય કર્યુ છે. અનેક વાર હાર ખાધી અને જીત પામી છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, તેનાં પર જીત પામવાથી તમે જગતજીત બનશો, તો ખુશી થી બનવું જોઈએ ને. ભલે ગૃહસ્થ વ્યવહારમાં, પ્રવૃત્તિ માર્ગ માં રહો પરંતુ કમળફૂલ સમાન પવિત્ર રહો. હવે તમે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. સમજમાં આવે છે આ છે ફોરેસ્ટ ઓફ થાર્ન્સ (કાંટાઓનું જંગલ) એકબીજાને કેટલાં હેરાન કરે છે, મારી નાખે છે. તો બાપ મીઠા-મીઠા બાળકો ને કહે છે તમારાં બધાંની હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે. નાના-મોટા બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે. તમે વાણી થી પરે જવા માટે ભણો છો ને. તમને હમણાં સદ્દગુરુ મળ્યાં છે. તે તો વાનપ્રસ્થ માં તમને લઈ જ જશે. આ છે યુનિવર્સિટી. ભગવાનુવાચ છે ને. હું તમને રાજયોગ શીખવાડીને રાજાઓનાં રાજા બનાવું છું. જે પૂજ્ય રાજાઓ હતાં તે જ પછી પૂજારી રાજાઓ બને છે. તો બાપ કહે છે - બાળકો, સારી રીતે પુરુષાર્થ કરો. દૈવીગુણ ધારણ કરો. ભલે ખાઓ, પીવો, શ્રીનાથદ્વારા માં જાઓ. ત્યાં ઘી નો માલ ખુબ મળે છે, ઘી નાં કુવા જ બનેલાં છે. ખાય પછી કોણ છે? પૂજારી. શ્રીનાથ અને જગન્નાથ બંનેવ ને કાળા બનાવ્યાં છે. જગન્નાથનાં મંદિરમાં દેવતાઓનાં ગંદા ચિત્ર છે, ત્યાં ચોખાનો હાંડો બનાવે છે. તે પાકી જવાથી ચાર ભાગ થઈ જાય છે. ફક્ત ચોખાનો જ ભોગ લાગે છે કારણ કે હમણાં સાધારણ છે ને. આ તરફ ગરીબ અને તે તરફ સાહૂકાર. હમણાં તો જુઓ કેટલાં ગરીબ છે. ખાવા-પીવાનું કાંઈ નથી મળતું. સતયુગમાં તો બધું જ છે. તો બાપ આત્માઓને બેસી સમજાવે છે. શિવબાબા બહુજ મીઠા છે. એ તો છે નિરાકાર, પ્રેમ આત્મા ને કરાય છે ને. આત્માને જ બોલાવાય છે. શરીર તો બળી ગયું. તેમની આત્મા ને બોલાવે છે, જ્યોતિ જગાવે છે, આનાથી સિદ્ધ છે આત્મા માં અંધકાર હોય છે. આત્મા છે જ શરીર રહિત તો પછી અંધકાર વગેરેની વાત કેવી રીતે થઈ શકે છે. ત્યાં આ વાતો હોતી નથી. આ બધું છે ભક્તિમાર્ગ. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. જ્ઞાન બહુજ મીઠું છે. આમાં આંખો ખોલીને સાંભળવાનું હોય છે. બાપ ને તો જોશો ને. તમે જાણો છો શિવબાબા અહીંયા વિરાજમાન છે તો આંખો ખોલીને બેસવું જોઈએ ને. બેહદનાં બાપ ને જોવા જોઈએ ને. પહેલાં બાળકીઓ બાબાને જોવાથી જ ધ્યાનમાં ચાલી જતી હતી, આપસમાં પણ બેઠા-બેઠા ધ્યાનમાં ચાલ્યાં જતાં હતાં. આંખો બંધ અને દોડતી રહેતી હતી. કમાલ તો હતી ને. બાપ સમજાવતાં રહે છે એક-બીજાને જુઓ છો તો એવી રીતે સમજો - અમે ભાઈ (આત્મા) થી વાત કરીએ છીએ, ભાઈ ને સમજાવીએ છીએ. તમે બેહદનાં બાપ ની સલાહ નહીં માનશો? તમે આ અંતિમ જન્મ પવિત્ર બનશો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. બાબા અનેકોને સમજાવે છે. કોઈ તો ફટ થી કહી દે છે બાબા અમે જરુર પવિત્ર બનીશું. પવિત્ર રહેવું તો સારું છે. કુમારી પવિત્ર છે તો બધાંં તેને માથું ટેકવે છે. લગ્ન કરે છે તો પૂજારી બની જાય છે. બધાને માથું ટેકવું પડે છે. તો પ્યોરિટી (પવિત્રતા) સારી છે ને. પ્યોરિટી છે તો પીસ (શાંતિ) પ્રાસપર્ટી (સમૃદ્ધિ) છે. આખો આધાર પવિત્રતા પર છે. બોલાવે પણ છે હેં પતિત-પાવન આવો. પાવન દુનિયામાં રાવણ હોતો જ નથી. તે છે જ રામરાજ્ય, બધાંં ક્ષીરખંડ રહે છે. ધર્મનું રાજ્ય છે પછી રાવણ ક્યાંથી આવે. રામાયણ વગેરે કેટલાં પ્રેમ થી બેસી સંભળાવે છે. આ બધું છે ભક્તિ. તો બાળકીઓ સાક્ષાત્કારમાં ડાન્સ કરવા લાગી જાય છે. સચ ની બેડી નું તો ગાયન છે - હલસે પરંતુ ડૂબશે નહીં. બીજા કોઈ સતસંગ માં જવાની મનાઈ નથી કરતાં. અહિયાં કેટલું રોકે છે. બાપ તમને જ્ઞાન આપે છે. તમે બનો છો બી.કે. બ્રાહ્મણ તો જરુર બનવાનું છે. બાપ છે જ સ્વર્ગની સ્થાપના કરવાવાળા તો જરુર આપણે પણ સ્વર્ગનાં માલિક હોવાં જોઈએ. આપણે અહીંયા નરક માં કેમ પડ્યાં છીએ. હવે સમજમાં આવે છે કે પહેલાં આપણે પણ પુજારી હતાં, હવે પાછાં પૂજ્ય બનીએ છીએ ૨૧ જન્મોનાં માટે. ૬૩ જન્મ પૂજારી બન્યાં, હવે ફરી આપણે પૂજ્ય સ્વર્ગનાં માલિક બનીશું. આ છે નર થી નારાયણ બનવાનું નોલેજ. ભગવાનુવાચ હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. પતિત રાજાઓ પાવન રાજાઓને નમન કરે છે. દરેક મહારાજાનાં મહેલોમાં મંદિર જરુર હશે. તે પણ રાધે-કૃષ્ણનાં કે લક્ષ્મી-નારાયણનાં કે રામ-સીતાનાં. આજકાલ તો ગણેશ, હનુમાન વગેરેનાં પણ મંદિર બનાવતાં રહે છે. ભક્તિમાર્ગમાં કેટલી અંધશ્રદ્ધા છે. હવે તમે સમજો છો બરાબર આપણે રાજાઈ કરી પછી વામમાર્ગ માં પડીએ છીએ, હવે બાપ સમજાવે છે તમારો આ અંતિમ જન્મ છે. મીઠા-મીઠા બાળકો પહેલાં તમે સ્વર્ગમાં હતાં. પછી ઊતરતાં-ઊતરતાં નીચે આવીને પડ્યાં છો. તમે કહેશો અમે ખુબ ઊંચા હતાં ફરી બાપ અમને ઊંચા ચઢાવે છે. આપણે દર ૫ હજાર વર્ષ પછી ભણતાં જ આવીએ છીએ. આને કહેવાય છે વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ.

બાબા કહે છે હું આપ બાળકોને વિશ્વનાં માલિક બનાવું છું. આખાં વિશ્વમાં તમારું રાજ્ય હશે. ગીત માં પણ છે ને - બાબા તમે એવું રાજ્ય આપો છો જે કોઈ છીનવી ન શકે. હમણાં તો કેટલું પાર્ટીશન (વિભાજન) છે. પાણી માટે, જમીન માટે ઝઘડો ચાલતો રહે છે. પોત-પોતાનાં પ્રાંતની સંભાળ કરતાં રહે છે. ન કરે તો છોકરા લોકો (બાળક લોકો) પથ્થર મારવા લાગી જાય. તે લોકો સમજે છે આ નૌજવાન પહેલવાન બની ભારતની રક્ષા કરશે. એટલે પહેલવાની હમણાં દેખાડતાં રહે છે. દુનિયાની હાલત જુઓ કેવી છે. રાવણ રાજ્ય છે ને.

બાપ કહે છે આ છે જ આસુરી સંપ્રદાય. તમે હવે દૈવી સંપ્રદાય બની રહ્યાં છો. દેવતાઓ અને અસુરોની પછી લડાઈ કેવી રીતે થશે. તમે તો ડબલ અહિંસક બનો છો. તે છે ડબલ અહિંસક. દેવી-દેવતાઓને ડબલ અહિંસક કહેવાય છે. અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ કહેવાય છે. બાબાએ સમજાવ્યું - કોઇને વાણી થી દુઃખ આપવું પણ હિંસા છે. તમે દેવતા બનો છો તો દરેક વાતમાં રોયલ્ટી હોવી જોઈએ. ખાવા-પીવાનું વગેરે ન ખુબ ઉંચું, ન ખુબ હલ્કું. એકરસ. રાજાઓ વગેરે નું બોલવાનું ખુબ ઓછું હોય છે. પ્રજાનો પણ રાજામાં ખુબ પ્રેમ હોય છે. અહીંયા તો જુઓ શું થઈ ગયું છે. કેટલાં આંદોલન છે. બાપ કહે છે જ્યારે આવી હાલત થઈ જાય છે ત્યારે હું આવીને વિશ્વમાં શાંતિ કરાવું છું. ગવર્મેન્ટ ઈચ્છે છે - બધાંં મળીને એક થઈ જાય. ભલે બધાંં બ્રદર્સ (ભાઈઓ) તો છે પરંતુ આ તો ખેલ છે ને. બાપ કહે છે બાળકો ને, તમે કોઈ ફિકર નહીં કરો. અનાજ ની હમણાં તકલીફ છે. ત્યાં તો અનાજ એટલું થઈ જશે, વગર પૈસે જેટલું જોઈએ એટલું મળતું રહેશે. હમણાં તે દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. હું હેલ્થ ને પણ એવી બનાવી દઉં છું જે ક્યારેય કોઈ રોગ થાય જ નહીં, ગેરેંટી (ખાતરી) છે. કેરેક્ટર પણ આપણે આ દેવતાઓ જેવા બનાવીએ છીએ. જેવા-જેવા મિનિસ્ટર હોય એવું તેમને સમજાવી શકો છો. યુક્તિ થી સમજાવવું જોઈએ. ઓપિનિયન (મંતવ્ય) માં ખુબ સારું લખે છે. પરંતુ અરે તમે પણ તો સમજો ને. તો કહે છે ફુરસદ નથી. તમે મોટા લોકો કંઇક અવાજ કરશો તો ગરીબોનું પણ ભલું થશે.

બાપ સમજાવે છે હમણાં બધાનાં માથા પર કાળ ઉભો છે. આજકાલ કરતા-કરતા કાળ ખાઈ જશે. તમે કુંભકરણ માફક બની ગયાં છો. બાળકોને સમજાવવામાં ખુબ મજા પણ આવે છે. બાબાએ જ આ ચિત્ર વગેરે બનાવડાવ્યાં છે. દાદા ને થોડું આ જ્ઞાન હતું. તમને વારસો લૌકિક અને પારલૌકિક બાપ થી મળે છે. અલૌકિક બાપ થી વારસો નથી મળતો. આ તો દલાલ છે, આમનો વારસો નથી. પ્રજાપિતા બ્રહ્મા ને યાદ નથી કરવાનાં. મારાથી તો તમને કાંઈ પણ નથી મળતું. હું પણ ભણું છું, વારસો છે જ એક હદ નો, બીજો બેહદનાં બાપનો. પ્રજાપિતા બ્રહ્મા શું વારસો આપશે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો, આ તો રથ છે ને. રથ ને તો યાદ નથી કરવાનો ને. ઊંચે થી ઊંચા ભગવાન કહેવાય છે. બાપ આત્માઓને બેસી સમજાવે છે. આત્મા જ બધું કરે છે ને. એક ખાલ છોડી બીજી લે છે. જેમ સાપનું ઉદાહરણ છે. ભ્રમરીઓ પણ તમે છો. જ્ઞાનની ભૂં-ભૂં કરો. જ્ઞાન સંભળાવતા-સંભળાવતા તમે કોઈને પણ વિશ્વનાં માલિક બનાવી શકો છો. બાપ જે તમને વિશ્વનાં માલિક બનાવે છે એવા બાપને કેમ નહીં યાદ કરશો. હમણાં બાપ આવેલાં છે તો વારસો કેમ ન લેવો જોઈએ. એવું કેમ કહો છો કે ફુરસદ નથી મળતી. સારા-સારા બાળકો તો સેકન્ડ માં સમજી જાય છે. બાબા એ સમજાવ્યું છે - મનુષ્ય લક્ષ્મી ની પૂજા કરે છે, હવે લક્ષ્મી થી શું મળે છે અને અંબા થી શું મળે છે? લક્ષ્મી તો છે સ્વર્ગ ની દેવી. તેમનાથી પૈસાની ભીખ માંગે છે. અંબા તો વિશ્વનાં માલિક બનાવે છે. બધી કામનાઓ પૂરી કરી દે છે. શ્રીમત દ્વારા સર્વ કામનાઓ પૂરી થઈ જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ કર્મેન્દ્રિયો થી કોઈ ભૂલ ન થાય એનાં માટે હું આત્મા છું, આ સ્મૃતિ પાક્કી કરવાની છે. શરીર ને નથી જોવાનું. એક બાપની તરફ અટેન્શન (ધ્યાન) આપવાનું છે.

2. હવે વાનપ્રસ્થ અવસ્થા છે એટલે વાણી થી પરે જવાનો પુરુષાર્થ કરવાનો છે, પવિત્ર જરુર બનવાનું છે. બુદ્ધિમાં રહે - સચ કી નૈયા હિલેગી, ડૂબેગી નહીં…... એટલે વિઘ્નો થી ગભરાવાનું નથી.

વરદાન :-
અહમ્ અને વહેમ ને સમાપ્ત કરી રહેમદિલ બનવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

કેવી પણ અવગુણ વાળી, કઠોર સંસ્કાર વાળી, ઓછી બુદ્ધિ વાળી, સદા ગ્લાનિ કરવા વાળી આત્મા હોય પરંતુ જે રહેમદિલ વિશ્વ કલ્યાણકારી બાળકો છે તે સર્વ આત્માઓનાં પ્રતિ લોફુલ (કાયદેસર) ની સાથે લવફુલ (પ્રેમાળ) હશે. ક્યારેય એ વહેમ માં નહીં આવશે કે આ તો ક્યારેય બદલાઈ જ નહિં શકે, આ તો છે જ એવાં…. અથવા આ કંઈ નહિં કરી શકે, હું જ બધું છું… આ કંઈ નથી. આ પ્રકાર નો અહમ્ અને વહેમ છોડી, કમજોરીઓ અને કુટેવોને જાણવાં છતાં પણ ક્ષમા કરવા વાળા રહેમદિલ બાળકો જ વિશ્વ કલ્યાણની સેવામાં સફળ થાય છે.

સ્લોગન :-
જ્યાં બ્રાહમણો નાં તન-મન-ધન નો સહયોગ છે ત્યાં સફળતા સાથે છે.