06-12-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  20.02.87    બાપદાદા મધુબન


“ યાદ , પવિત્રતા અને સાચાં સેવાધારી ની ત્રણ રેખાઓ ”
 


આજે સર્વ સ્નેહી, વિશ્વ-સેવાધારી બાપ પોતાનાં સદા સેવાધારી બાળકો ને મળવા આવ્યાં છે. સેવાધારી બાપદાદા ને સમાન સેવાધારી બાળકો સદા પ્રિય છે. આજે વિશેષ, સર્વ સેવાધારી બાળકોનાં મસ્તક પર ચમકતી વિશેષ ૩ રેખાઓ જોઈ રહ્યાં છે. દરેકનું મસ્તક ત્રિમૂર્તિ તિલક સમાન ચમકી રહ્યું છે. આ ત્રણ રેખાઓ શેની નિશાની છે? આ ત્રણ પ્રકાર નાં તિલક દ્વારા દરેક બાળકનાં વર્તમાન રીઝલ્ટ ને જોઈ રહ્યાં છે. એક છે સંપૂર્ણ યોગી જીવનની રેખા. બીજી છે પવિત્રતા ની રેખા કે લકીર. ત્રીજી છે સાચાં સેવાધારી ની રેખા. ત્રણેય રેખાઓમાં દરેક બાળકનાં રીઝલ્ટ ને જોઈ રહ્યાં છે. યાદની રેખા બધાંની ચમકી રહી છે પરંતુ નંબરવાર છે. કોઈની લકીર અથવા રેખા આદિ થી હમણાં સુધી અવ્યભિચારી અર્થાત્ સદા એકની લગન માં મગન રહેવા વાળી છે. બીજી વાત - સદા અટૂટ રહી છે? સદા સીધી રેખા અર્થાત્ ડાયરેક્ટ બાપ થી સર્વ સંબંધની લગન સદૈવ રહી છે કે કોઈ નિમિત્ત આત્માઓનાં દ્વારા બાપ થી સંબંધ જોડવાનાં અનુભવી છે? ડાયરેક્ટ બાપનો સહારો છે કે કોઈ આત્માનાં સહારા દ્વારા બાપ નો સહારો છે? એક છે સીધી રેખાવાળા, બીજા છે વચ્ચે-વચ્ચે થોડી વાંકી રેખા વાળા. આ છે યાદ ની રેખાની વિશેષતાઓ.

બીજી છે સંપૂર્ણ પવિત્રતા ની લકીર અથવા રેખા. એમાં પણ નંબરવાર છે. એક છે બ્રાહ્મણ જીવન લેતાં જ બ્રાહ્મણ જીવન નું, વિશેષ બાપનું વરદાન પ્રાપ્ત કરી સદા અને સહજ આ વરદાન ને જીવનમાં અનુભવ કરવાવાળા. એમની જ રેખા આદિ થી હમણાં સુધી સીધી છે. બીજા - બ્રાહ્મણ જીવનનાં આ વરદાન ને અધિકાર નાં રુપમાં અનુભવ નથી કરતાં; ક્યારેક સહજ, ક્યારેક મહેનત થી, બહુજ પુરુષાર્થ થી અપનાવવા વાળા છે. તેમની રેખા સદા સીધી અને ચમકતી નથી રહેતી. હકીકતમાં યાદ અથવા સેવાની સફળતાનો આધાર છે-પવિત્રતા. ફક્ત બ્રહ્મચારી બનવું-આ પવિત્રતા નથી પરંતુ પવિત્રતાનું સંપૂર્ણ રુપ છે-બ્રહ્મચારી ની સાથે-સાથે બ્રહ્માચારી બનવું. બ્રહ્માચારી અર્થાત્ બ્રહ્માનાં આચરણ પર ચાલવા વાળા, જેને ફોલો ફાધર કહેવાય છે કારણ કે ફોલો બ્રહ્મા બાપ ને કરવાનાં છે. શિવ બાપની સમાન સ્થિતિ માં બનવાનું છે પરંતુ આચરણ કે કર્મ માં બ્રહ્મા બાપ ને ફોલો કરવાનાં છે. દરેક કદમ માં બ્રહ્મચારી. બ્રહ્મચર્ય નું વ્રત સદા સંકલ્પ અને સ્વપ્ન સુધી હોય. પવિત્રતા નો અર્થ છે-સદા બાપને કમ્પેનિયન (સાથી) બનાવવા અને બાપ ની કંપની (સાથે) માં સદા રહેવું. કમ્પેનિયન બનાવી દીધાં? ‘બાબા મારા’ - આ પણ આવશ્યક છે પરંતુ દરેક સમયે કંપની પણ બાપની રહે. આને કહેવાય છે સંપૂર્ણ પવિત્રતા. સંગઠન ની કંપની, પરિવાર નાં સ્નેહ ની મર્યાદા, તે અલગ વસ્તુ છે, તે પણ આવશ્યક છે. પરંતુ બાપનાં કારણે જ આ સંગઠન નાં સ્નેહ ની કંપની છે - આ નથી ભૂલવાનું. પરિવાર નો પ્રેમ છે, પરંતુ પરિવાર કોનો? બાપ નો. બાપ ન હોત તો પરિવાર ક્યાંથી આવત? પરિવાર નો પ્રેમ, પરિવારનું સંગઠન બહુ જ સરસ છે પરંતુ પરિવાર નું બીજ નહીં ભૂલી જાઓ. બાપ ને ભૂલી પરિવાર ને જ કંપની બનાવી દો છો. વચ્ચે-વચ્ચે બાપ ને છોડ્યાં તો ખાલી જગ્યાં થઈ ગઈ. ત્યાં માયાં આવી જશે એટલે સ્નેહ માં રહેતાં, સ્નેહ આપતાં-લેતાં સમૂહને નહીં ભૂલો. આને કહેવાય છે પવિત્રતા. સમજવામાં તો હોશિયાર છો ને.

ઘણાં બાળકોને સંપૂર્ણ પવિત્રતા ની સ્થિતી માં આગળ વધવામાં મહેનત લાગે છે એટલે વચ્ચે-વચ્ચે કોઈ ને સાથી બનાવવાનો પણ સંકલ્પ આવે છે અને કંપની પણ આવશ્યક છે-આ પણ સંકલ્પ આવે છે. સન્યાસી તો નથી બનવાનું પરંતુ આત્માઓની કંપનીમાં રહેતાં બાપની કંપની ને ભૂલી નહિં જાઓ. નહીં તો સમય પર એ આત્માની કંપની યાદ આવશે અને બાપ ભૂલી જવાશે. તો સમય પર દગો મળવો સંભવ છે કારણ કે સાકાર શરીરધારી નાં સહારા ની આદત હશે તો અવ્યક્ત બાપ અને નિરાકાર બાપ પાછળ થી યાદ આવશે, પહેલાં શરીરધારી યાદ આવશે. જો કોઈ પણ સમયે પહેલાં સાકાર નો સહારો યાદ આવ્યો તો નંબરવન તે થઈ ગયાં અને બીજો નંબર બાપ થઈ ગયાં. જે બાપ ને બીજા નંબર માં રાખે તો એમને પદ શું મળશે? નંબર એક કે બે? ફક્ત સહયોગ લેવો, સ્નેહી રહેવું એ અલગ વસ્તુ છે, પરંતુ સહારો બનાવવો અલગ વસ્તુ છે. આ બહુજ ગુહ્ય વાત છે. આને યથાર્થ રીતે થી જાણવું પડે. કોઈ-કોઈ સંગઠન માં સ્નેહી બનવાનાં બદલે ન્યારા પણ બની જાય છે. ડરે છે ને ખબર નહીં ફસાઈ જઈએ, એનાથી તો દૂર રહેવું, સારું છે. પરંતુ નહીં. ૨૧ જન્મ પણ પ્રવૃત્તિમાં, પરિવારમાં રહેવાનું છે ને. તો જો ડર નાં કારણે કિનારો કરી લો, ન્યારા બની જાઓ તો તે કર્મ સંન્યાસીનાં સંસ્કાર થઈ જાય છે. કર્મયોગી બનવાનું છે, કર્મ સન્યાસી નહીં. સંગઠનમાં રહેવાનું છે, સ્નેહી બનવાનું છે પરંતુ બુદ્ધિ નો સહારો એક બાપ હોય, બીજું ન કોઈ. બુદ્ધિ ને કોઈ આત્માનો સાથ કે ગુણ કે કોઈ વિશેષતા આકર્ષિત ન કરે, આને કહેવાય છે પવિત્રતા.

પવિત્રતા માં મહેનત લાગે - એનાથી સિદ્ધ છે વરદાતા બાપ થી જન્મનું વરદાન નથી લીધું. વરદાન માં મહેનત નથી હોતી. દરેક બ્રાહ્મણ આત્માને બ્રાહ્મણ જન્મનું પહેલું વરદાન - ‘પવિત્ર ભવ, યોગી ભવ’ નું મળેલું છે. તો પોતાને પૂછો - પવિત્રતાનાં વરદાની છો કે મહેનત થી પવિત્રતાને અપનાવવાળા છો? આ યાદ રાખો કે અમારો બ્રાહ્મણ જન્મ છે. ફકત જીવન પરિવર્તન નહીં પરંતુ બ્રાહ્મણ જીવનનાં આધાર પર જીવનનું પરિવર્તન છે. જન્મનાં સંસ્કાર બહુજ સહજ અને સ્વત: હોય છે. આપસમાં પણ કહો છો ને - મારા જન્મથી જ આવાં સંસ્કાર છે. બ્રાહ્મણ જન્મનાં સંસ્કાર છે જ ‘યોગી ભવ, પવિત્ર ભવ’. વરદાન પણ છે, નીજી સંસ્કાર પણ છે. જીવનમાં બે વસ્તુ જ આવશ્યક છે. એક-કમ્પેનિયન (સાથી), બીજું - કંપની (સાથ), એટલે ત્રિકાળદર્શી બાપ બધાની આવશ્યકતાઓને જાણી કમ્પેનિયન પણ સરસ, કંપની પણ સરસ આપે છે. વિશેષ ડબલ વિદેશી બાળકોને બંને જોઈએ એટલે બાપદાદાએ બ્રાહ્મણ જન્મ થતાં જ કમ્પેનિયન નો અનુભવ કરાવી લીધો, સુહાગન બનાવી દીધાં. જન્મતા જ કમ્પેનિયન મળી ગયાં ને? કમ્પેનિયન મળી ગયાં છે કે શોધી રહ્યાં છો? તો પવિત્રતા નીજી સંસ્કાર નાં રુપમાં અનુભવ કરવી, આને કહેવાય છે શ્રેષ્ઠ લકીર અથવા શ્રેષ્ઠ રેખા વાળા. ફાઉન્ડેશન પાક્કું છે ને?

ત્રીજી રેખા છે સાચાં સેવાધારી ની. આ સેવાધારી ની રેખા પણ બધાનાં મસ્તક પર છે. સેવાનાં વગર પણ રહી નથી શકતાં. સેવા બ્રાહ્મણ જીવનને સદા નિર્વિઘ્ન બનાવવાનું સાધન પણ છે અને પછી સેવામાં જ વિઘ્નો નું પેપર પણ વધારે આવે છે. નિર્વિઘ્ન સેવાધારી ને સાચાં સેવાધારી કહેવાય છે. વિઘ્ન આવવું, આ પણ ડ્રામા ની નોંધ છે. આવવાનાં જ છે અને આવતાં પણ રહેશે કારણ કે આ વિઘ્ન અથવા પેપર અનુભવી બનાવે છે. આને વિઘ્ન ન સમજી, અનુભવની ઉન્નતી થઇ રહી છે-એ ભાવથી જુઓ તો ઉન્નતી ની સીડી અનુભવ થશે. આનાથી હજું આગળ વધવાનું છે કારણ કે સેવા અર્થાત્ સંગઠન ની, સર્વ આત્માઓની દુવાઓનો અનુભવ કરવો. સેવાનાં કાર્યમાં સર્વની દુવાઓ મળવાનું સાધન છે. આ વિધિ થી, આ વૃત્તિ થી જુઓ તો સદા એવો અનુભવ કરશો કે અનુભવની ઓથોરિટી હજું આગળ વધી રહી છે. વિઘ્ન ને વિઘ્ન નહીં સમજો અને વિઘ્ન અર્થ નિમિત્ત બનેલી આત્માને વિઘ્નકારી આત્મા નહીં સમજો, અનુભવી બનાવવા વાળા શિક્ષક સમજો. જ્યારે કહો છો નિંદા કરવા વાળા મિત્ર છે, તો વિઘ્નોને પાસ કરાવીને અનુભવી બનાવવા વાળા શિક્ષક થયાં ને. પાઠ ભણાવ્યો ને. જેમ આજકાલનાં જે બીમારીઓ ને મટાડવા વાળા ડોક્ટર્સ છે, તે એક્સરસાઇઝ (વ્યાયામ) કરાવે છે, તો એક્સરસાઇઝ માં પહેલાં પીડા (દર્દ) થાય છે, પરંતુ તે દર્દ સદા નાં માટે બેદર્દ બનાવવાનાં નિમિત્ત હોય છે, જેમને આ સમજ નથી હોતી તે ચિલ્લાવે છે, આમણે તો વધારે જ પીડા કરી દીધી. પરંતુ આ દર્દ ની અંદર છુપાયેલી દવા છે. આ પ્રકારે રુપ ભલે વિઘ્ન નું છે, તમને વિઘ્નકારી આત્મા દેખાય છે પરંતુ સદા માટે વિઘ્નો થી પાર કરાવવાનાં નિમિત્ત, અચળ બનાવવાનાં નિમિત્ત તે જ બનશે એટલે સદા નિર્વિઘ્ન સેવાધારી ને કહેવાય છે સાચાં સેવાધારી. એવાં શ્રેષ્ઠ લકીર વાળા સાચાં સેવાધારી કહેવાય છે.

સેવામાં સદૈવ સ્વચ્છ બુદ્ધિ, સ્વચ્છ વૃત્તિ અને સ્વચ્છ કર્મ સફળતા નો સહજ આધાર છે. કોઈપણ સેવાનું કાર્ય જ્યારે આરંભ કરો છો તો પહેલાં આ તપાસ કરો કે બુદ્ધિમાં કોઈ આત્માનાં પ્રતિ પણ સ્વચ્છતા નાં બદલે જો વીતી ગયેલી વાતોની જરા પણ સ્મૃતિ હશે તો એ જ વૃત્તિ, દૃષ્ટિ થી એમને જોવાનું, એમનાં થી બોલવાનું થાય. તો સેવામાં જે સ્વચ્છતા થી સંપૂર્ણ સફળતા થવી જોઈએ, તે નથી થતી. વીતી ગયેલી વાતોને અથવા વૃત્તિઓ વગેરે બધાને સમાપ્ત કરવી - આ છે સ્વચ્છતા. વીતી ગયેલ નો સંકલ્પ પણ કરવો કંઈક પર્સન્ટેજ (માત્રા) માં હલ્કું પાપ છે. સંકલ્પ પણ સૃષ્ટિ બનાવી દે છે. વર્ણન કરવું તો એનાથી મોટી વાત છે પરંતુ સંકલ્પ કરવાથી પણ જૂનાં સંકલ્પ ની સ્મૃતિ, સૃષ્ટિ અથવા વાયુમંડળ પણ એવું બનાવી દે છે. પછી કહી દે - ‘મેં જે કહ્યું હતું ને, એવું જ થયું ને’. પરંતુ થયું કેમ? તમારા કમજોર, વ્યર્થ સંકલ્પે આ વ્યર્થ વાયુમંડળ ની સૃષ્ટિ બનાવી, એટલે સદા સાચાં સેવાધારી અર્થાત્ જૂનાં વાઇબ્રેશન ને સમાપ્ત કરવાવાળા. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા શસ્ત્ર થી શસ્ત્ર ને ખત્મ કરી દે છે, એક વિમાન થી બીજા વિમાન ને પાડી દે છે. યુદ્ધ કરે છે તો સમાપ્ત કરી દે છે ને. તો તમારું શુદ્ધ વાઈબ્રેશન, શુદ્ધ વાઈબ્રેશન ને ઈમર્જ કરી શકે છે અને વ્યર્થ વાઈબ્રેશન ને સમાપ્ત કરી શકે છે. સંકલ્પ, સંકલ્પ ને સમાપ્ત કરી શકે છે. જો તમારો પાવરફુલ (શક્તિશાળી) સંકલ્પ છે તો સમર્થ સંકલ્પ વ્યર્થ ને ખત્મ જરુર કરશે. સમજ્યાં? સેવામાં પહેલાં સ્વચ્છતા અર્થાત્ પવિત્રતાની શક્તિ જોઈએ. આ ત્રણ રેખાઓ ચમકતી જોઈ રહ્યાં છે.

સેવાની વિશેષતાની બીજી અનેક વાતો સાંભળી પણ છે. બધી વાતો નો સાર છે - નિ:સ્વાર્થ, નિર્વિકલ્પ સ્થિતિ થી સેવા કરવી સફળતાનો આધાર છે. આ જ સેવામાં જ સ્વયં પણ સંતુષ્ટ અને હર્ષિત રહે અને બીજા પણ સંતુષ્ટ રહે. સેવાનાં વગર સંગઠન નથી હોતું. સંગઠન માં ભિન્ન-ભિન્ન વાતો, ભિન્ન-ભિન્ન વિચાર, ભિન્ન-ભિન્ન રીત, સાધન - આ થવાનું જ છે. પરંતુ વાતો આવતાં પણ, ભિન્ન-ભિન્ન સાધન સાંભળવા છતાં પણ સ્વયં સદા અનેક ને એક બાપની યાદ માં મળાવવા વાળા, એકરસ સ્થિતિ વાળા રહો. ક્યારેય પણ અનેકતા માં મુંઝાઓ નહીં - હવે શું કરીએ, અનેક વિચાર થઈ ગયાં છે, કોનું માનીએ, કોનું ન માનીએ? જો નિ:સ્વાર્થ, નિર્વિકલ્પ ભાવ થી નિર્ણય કરશો તો ક્યારેય કોઈને કંઈ વ્યર્થ સંકલ્પ નહિં આવશે કારણ કે સેવા વગર પણ રહી નથી શકતાં, યાદ વગર પણ રહી નથી શકતાં એટલે સેવા ને પણ વધારતાં ચાલો. સ્વયં ને પણ સ્નેહ, સહયોગ અને નિ:સ્વાર્થ ભાવ થી વધારતાં ચાલો. સમજ્યાં?

બાપદાદા ને ખુશી છે કે દેશ-વિદેશમાં નાનાં-મોટાં બધાંએ ઉમંગ-ઉત્સાહ થી સેવા નું સબૂત આપ્યું. વિદેશની સેવાનું પણ સફળતાપૂર્વક કાર્ય સંપન્ન થયું અને દેશમાં પણ બધાનાં સહયોગ થી સર્વ કાર્ય સંપન્ન થયાં, સફળ થયાં. બાપદાદા બાળકોની સેવાની લગન ને જોઈ હર્ષિત થાય છે. બધાનું લક્ષ્ય બાપ ને પ્રત્યક્ષ કરવાનું સારું રહ્યું અને બાપનાં સ્નેહમાં મહેનત ને મોહબ્બત માં બદલી કાર્યનું પ્રત્યક્ષ ફળ દેખાડ્યું. બધાં બાળકો વિશેષ સેવાનાં નિમિત્ત આવેલાં છે. બાપદાદા પણ ‘વાહ બાળકો! વાહ!’ નાં ગીત ગાએ છે. બધાએ બહુજ સરસ કર્યું. કોઈએ કર્યુ, કોઈએ ન કર્યુ, એવું નથી. ભલે નાનાં સ્થાન છે કે મોટા સ્થાન છે, પરંતુ નાનાં સ્થાન વાળાઓએ પણ ઓછું નથી કર્યુ એટલે, સર્વની શ્રેષ્ઠ ભાવનાઓ અને શ્રેષ્ઠ કામનાઓ થી કાર્ય સારા રહ્યાં અને સદા સારા રહેશે. સમય પણ ખુબ લગાવ્યો, સંકલ્પ પણ ખુબ લગાવ્યાં, પ્લાન (યોજના) બનાવ્યો તો સંકલ્પ કર્યો ને. શરીરની શક્તિ પણ લગાવી, ધનની શક્તિ પણ લગાવી, સંગઠનની શક્તિ પણ લગાવી. સર્વ શક્તિઓની આહુતિઓ થી સેવા નો યજ્ઞ બંને તરફ (દેશ અને વિદેશ) સફળ થયો. બહુજ સારું કાર્ય રહ્યું. ઠીક કર્યુ કે ન કર્યુ - આ પ્રશ્ન જ નથી. સદા ઠીક રહ્યું છે અને સદા ઠીક રહેશે. ભલે મલ્ટી મિલિયન પીસ નું કાર્ય કર્યું, ભલે ગોલ્ડન જુબલી નું કાર્ય કર્યુ - બંનેવ કાર્ય સુંદર રહ્યાં. જે વિધિ થી કર્યા, તે વિધિ પણ ઠીક છે. ક્યાંક-ક્યાંક વસ્તુનું મુલ્ય વધારવા માટે પડદા ની અંદર તે વસ્તુને રખાય છે. પડદો વધારે જ મુલ્ય ને વધારી દે છે અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે જોઈએ શું છે, પડદા ની અંદર છે તો જરુર કંઈક હશે. પરંતુ આ જ પડદો પ્રત્યક્ષતા નો પડદો બની જશે. હમણાં ધરણી બનાવી લીધી. ધરણી માં જ્યારે બીજ નખાય છે તો તે અંદર છુપાયેલા નખાય છે. બીજ ને બહાર નથી રાખતાં, અંદર છુપાવીને રાખે છે. અને ફળ કે વૃક્ષ ગુપ્ત બીજ નું જ સ્વરુપ પ્રત્યક્ષ થાય. તો હવે બીજ નાખ્યું છે, વૃક્ષ બહાર સ્ટેજ પર સ્વતઃ જ આવતું જશે.

ખુશી માં નાચી રહ્યાં છો ને? ‘વાહ બાબા’! તો કહો છો પરંતુ વાહ સેવા! પણ કહો છો. અચ્છા. સમાચાર તો બધાં બાપદાદા એ સાંભળી લીધાં. એ સેવાથી જે દેશ-વિદેશ નાં સંગઠન થી વર્ગ ની સેવા થઈ, આ ચારેય તરફ એક જ સમયે એક જ અવાજ બુલંદ થવાનું કે ફેલાવવાનું સાધન સારું છે. આગળ પણ જે પણ પ્રોગ્રામ કરો, પરંતુ એક જ સમયે દેશ-વિદેશમાં ચારે તરફ એક જ પ્રકારની સેવા કરી પછી સેવાનાં ફળ સ્વરુપ મધુબન માં સંગઠિત રુપમાં હોય. ચારે તરફ એક લહેર હોવાનાં કારણે બધામાં ઉમંગ-ઉત્સાહ પણ હોય છે અને ચારે તરફ રુહાની રેસ હોય, (રીસ નહીં) કે અમે વધારે માં વધારે સેવાનું સબૂત આપીએ. તો આ ઉમંગ થી ચારે બાજુ નામ બુલંદ થઈ જાય છે એટલે કોઈ પણ વર્ગનાં બનાવો પરંતુ ચારે તરફ આખું વર્ષ એક જ રુપ-રેખાની સેવા તરફ અટેન્શન (ધ્યાન) હોય. તો એ આત્માઓને પણ ચારે તરફનું સંગઠન જોઈ ઉમંગ આવે છે, આગળ વધવાનો ચાન્સ મળે છે. એ વિધિ થી પ્લાન બનાવતાં, આગળ ચાલો. પહેલાં પોત-પોતાનાં ક્ષેત્રમાં એ વર્ગની સેવા કરી નાનાં-નાનાં સંગઠન નાં રુપમાં પ્રોગ્રામ કરતાં રહો અને તે સંગઠન થી પછી જે વિશેષ આત્માઓ હોય, તેમને એ મોટા સંગઠન માટે તૈયાર કરો. પરંતુ દરેક સેવાકેન્દ્ર કે આસપાસ નાં મળીને કરો કારણ કે કોઈ અહિયાં સુધી નથી પહોંચી શકતાં તો ત્યાં પણ સંગઠન નો જે પ્રોગ્રામ થાય, એનાથી પણ તેમને લાભ થાય છે. તો પહેલાં નાનાં-નાનાં ‘સ્નેહ-મિલન’ કરો, પછી ઝોન ને મળાવીને સંગઠન કરો, પછી મધુબન નું મોટું સંગઠન થાય. તો પહેલાથી જ અનુભવી બનીને પછી અહીંયા સુધી પણ આવશે. પરંતુ દેશ-વિદેશ માં એક જ વિષય હોય અને એક જ વર્ગનાં હોય. એવા પણ વિષયો હોય છે જેમાં બે ચાર વર્ગ પણ મળી શકે છે. વિષય વિશાળ છે તો બે-ત્રણ વર્ગ નાં પણ એ જ વિષય વચ્ચે આવી શકે છે. તો હવે દેશ-વિદેશમાં ધર્મ સત્તા, રાજ્ય સત્તા અને સાયન્સ ની સત્તા - ત્રણેય નાં સેમ્પલ્સ (નમુના) તૈયાર કરો. અચ્છા.

સર્વ પવિત્રતાનાં વરદાનનાં અધિકારી આત્માઓ ને, સદા એકરસ, નિરંતર યોગી જીવનનાં અનુભવી આત્માઓ ને, સદા દરેક સંકલ્પ, દરેક સમયે સાચાં સેવાધારી બનવા વાળી શ્રેષ્ઠ આત્માઓને વિશ્વ-સ્નેહી, વિશ્વ-સેવાધારી બાપદાદાનાં યાદ પ્યાર અને નમસ્તે.

વરદાન :-
કંબાઈન્ડ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા અભુલ બનવા વાળા નિરંતર યોગી ભવ

જે બાળકો સ્વયં ને બાપની સાથે કંબાઈન્ડ (જોડાયેલાં) અનુભવે કરે છે એમને નિરંતર યોગી ભવ નું વરદાન સ્વતઃ જ મળી જાય છે કારણ કે તે જ્યાં પણ રહે છે મિલન મેળો થતો રહે છે. એમને કોઈ કેટલું પણ ભુલાવવાની કોશિશ કરે પરંતુ તે અભૂલ હોય છે. એવાં અભુલ બાળકો જે બાપને અતિ પ્રિય છે તે જ નિરંતર યોગી છે કારણ કે પ્રેમ ની નિશાની છે - સ્વતઃ યાદ. એમના સંકલ્પ રુપી નખ ને પણ માયા હલાવી નથી શકતી.

સ્લોગન :-
કારણ સંભળાવવાનાં બદલે એનું નિવારણ કરો તો દુવાઓનાં અધિકારી બની જશો.