14-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારા
દુઃખ નાં દિવસો હવે પૂરા થયાં , તમે હવે એવી દુનિયામાં જઈ રહ્યાં છો જ્યાં કોઈ પણ
અપ્રાપ્ત વસ્તુ નથી ”
પ્રશ્ન :-
કયાં બે
શબ્દોનું રહસ્ય તમારી બુદ્ધિ માં હોવાનાં કારણે જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ્ય રહે
છે?
ઉત્તર :-
ઉતરતી કળા અને ચઢતી કળાનું રહસ્ય તમારી બુદ્ધિમાં છે. તમે જાણો છો અડધોકલ્પ આપણે
ઉતરતા આવ્યાં, હવે છે ચઢવાનો સમય. બાપ આવ્યાં છે નર થી નારાયણ બનાવવાનું સત્ય નોલેજ
આપવાં. આપણા માટે હવે કળયુગ પૂરો થયો, નવી દુનિયામાં જવાનું છે એટલે આનાથી બેહદ નો
વૈરાગ્ય છે.
ગીત :-
ધીરજ ધર મનવા
…
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાપ બેસી સમજાવે છે - આ એક જ પુરુષોત્તમ
સંગમયુગ છે જ્યારે કે કલ્પ-કલ્પ બાપ આવીને રુહાની બાળકોને ભણાવે છે. રાજયોગ શીખવાડે
છે. બાપ રુહાની બાળકો ને કહે છે મનવા અર્થાત્ આત્મા, હેં આત્મા ધીરજ ધરો. આત્માઓ થી
વાત કરે છે. આ શરીરની માલિક આત્મા છે. આત્મા કહે છે-હું અવિનાશી આત્મા છું, આ મારું
શરીર વિનાશી છે. રુહાની બાપ કહે છે-હું એક જ વાર કલ્પ નાં સંગમ પર આવીને આપ બાળકો
ને ધીરજ આપું છું કે હવે સુખનાં દિવસ આવે છે. હમણાં તમે દુઃખધામ રાૈરવ નર્ક માં છો.
ફકત તમે નથી પરંતુ આખી દુનિયાં રૌરવ નર્ક માં છે, તમે જે મારા બાળકો બન્યાં છો,
રૌરવ નર્ક થી નીકળીને સ્વર્ગમાં જઈ રહ્યાં છો. સતયુગ, ત્રેતા, દ્વાપર પસાર થઈ ગયું.
કળયુગ પણ તમારા માટે પસાર થઈ ગયું. તમારા માટે આ પુરુષોત્તમ સંગમયુગ છે જ્યારે તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. આત્મા જ્યારે સતોપ્રધાન બની જશે તો પછી આ શરીર પણ
છોડશે. સતોપ્રધાન આત્માને સતયુગ માં નવું શરીર જોઈએ. ત્યાં બધું જ નવું હોય છે. બાપ
કહે છે બાળકો હવે દુઃખધામ થી સુખધામ માં જવાનું છે, એનાં માટે પુરુષાર્થ કરવાનો છે.
સુખધામમાં આ લક્ષ્મી-નારાયણ ની રાજાઈ હતી. તમે પુરુષાર્થ કરી રહ્યાં છો નર થી
નારાયણ બનવાનો. આ સત્ય નર થી નારાયણ બનવાનું નોલેજ છે. ભક્તિમાર્ગ માં દરેક પૂર્ણિમા
પર કથા સાંભળતા આવ્યાં છો, પરંતુ તે છે જ ભક્તિમાર્ગ. એને સત્ય માર્ગ નહીં કહીશું,
જ્ઞાન માર્ગ છે સત્ય માર્ગ. તમે સીડી ઉતરતાં-ઉતરતાં જુઠ્ઠખંડ માં આવો છો. હમણાં તમે
જાણો છો સત્ય બાપ થી આપણે આ જ્ઞાન પામીને ૨૧ જન્મ દેવી-દેવતા બનશું. આપણે હતાં, પછી
સીડી ઉતરતાં આવ્યાં. ઉતરતી કળા અને ચઢતી કળાનું રહસ્ય તમારી બુદ્ધિ માં છે. પોકારે
પણ છે હેં બાબા આવીને અમને પાવન બનાવો. એક બાપ જ પાવન બનાવવા વાળા છે. બાપ કહે છે -
બાળકો, તમે સતયુગ માં વિશ્વનાં માલિક હતાં. બહુ જ ધનવાન, બહુ જ સુખી હતાં. હવે બાકી
થોડો સમય છે. જૂની દુનિયાનો વિનાશ સામે ઉભો છે. નવી દુનિયામાં એક રાજ્ય, એક ભાષા હતી.
તેને કહેવાય છે અદ્વૈત રાજ્ય. હમણાં કેટલાં દ્વૈત છે, અનેક ભાષાઓ છે. જેમ મનુષ્યો
નું ઝાડ વધતું જાય છે, ભાષાઓનું પણ ઝાડ વૃદ્ધિ ને પામતું જાય છે. પછી હશે એક ભાષા.
ગાયન છે ને વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ. મનુષ્યોની બુદ્ધિ માં નથી બેસતું.
બાપ જ દુઃખની જૂની દુનિયાને બદલી સુખ ની નવી દુનિયા સ્થાપન કરે છે. લખેલું છે
પ્રજાપિતા બ્રહ્મા દ્વારા દૈવી રાજ્યની સ્થાપના. આ છે રાજયોગ નો અભ્યાસ. આ જ્ઞાન જે
ગીતામાં લખેલું છે, બાપે જે સમ્મુખ સંભળાવ્યું તે પછી મનુષ્યોએ ભક્તિમાર્ગ માં
બેસીને લખ્યું છે, જેનાથી તમે ઉતરતાં આવ્યાં છો. હમણાં ભગવાન તમને ભણાવે છે ઉપર ચઢવા
માટે. ભક્તિ ને કહેવાય જ છે ઉતરતી કળા નો માર્ગ. જ્ઞાન છે ચઢતી કળા નો માર્ગ. આ
સમજાવવામાં તમે ડરો નહીં. ભલે એવાં પણ છે જે આ વાતો ને ન સમજવાનાં કારણે વિરોધ કરશે,
શાસ્ત્રવાદ કરશે. પરંતુ તમારે કોઈ થી શાસ્ત્રવાદ નથી કરવાનો. બોલો શાસ્ત્ર, વેદ,
ઉપનિષદ કે ગંગા સ્નાન કરવું, તીર્થ વગેરે કરવાં આ બધું ભક્તિકાંડ છે. ભારતમાં રાવણ
પણ છે બરાબર, જેની એફિજી (પૂતળુ) બાળે છે. આમ તો દુશ્મનોની એફિજી બાળે છે, અલ્પકાળ
નાં માટે. આ એક રાવણની જ એફીજી દર વર્ષે બાળતા આવે છે. બાપ કહે છે તમે ગોલ્ડન એજેડ
(સતયુગી) બુદ્ધિ થી આઇરન એજેડ (કળયુગી) બુદ્ધિ થઈ ગયાં છો. તમે કેટલાં સુખી હતાં.
બાપ આવે જ છે સુખધામ ની સ્થાપના કરવાં. પછી જ્યારે ભક્તિમાર્ગ શરું થાય છે તો દુઃખી
બનો છો. પછી સુખદાતા ને યાદ કરે છે, તે પણ નામ માત્ર કારણ કે એમને જાણતાં નથી.
ગીતામાં નામ બદલી દીધું છે. પહેલાં-પહેલાં તમે આ સમજાવો કે ઊંચે થી ઊંચા ભગવાન એક
છે, યાદ પણ એમને કરવાં જોઈએ. એક ને યાદ કરવાં એને જ અવ્યભિચારી યાદ, અવ્યભિચારી
જ્ઞાન કહેવાય છે. તમે હમણાં બ્રાહ્મણ બન્યાં છો તો ભક્તિ નથી કરતાં. તમને જ્ઞાન છે.
બાપ ભણાવે છે જેનાથી આપણે આ દેવતા બનીએ છીએ. દૈવી ગુણ પણ ધારણ કરવાનાં છે એટલે બાબા
કહે છે પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડશે કે અમારામાં કોઇ આસુરી ગુણ તો નથી.
દેહ-અભિમાન છે પહેલો અવગુણ, પછી દુશ્મન છે કામ. કામ પર જીત પામવાથી જ તમે જગતજીત
બનશો. તમારો ઉદ્દેશ્ય જ આ છે, આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં કોઈ અનેક ધર્મ હતાં
નહીં. સતયુગ માં દેવતાઓનું જ રાજ્ય હોય છે. મનુષ્ય હોય છે કળયુગ માં. છે ભલે તે પણ
મનુષ્ય, પરતું દૈવી ગુણો વાળા. આ સમયે બધાં મનુષ્ય છે આસુરી ગુણો વાળા. સતયુગમાં
કામ મહાશત્રુ હોતો નથી. બાપ કહે છે આ કામ મહાશત્રુ પર જીત પામવાથી તમે જગતજીત બનશો.
ત્યાં રાવણ હોતો નથી. આ પણ મનુષ્ય સમજી નથી શકતાં. ગોલ્ડન એજ થી ઉતરતાં-ઉતરતાં
તમોપ્રધાન બુદ્ધિ બન્યાં છે. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. એનાં માટે એક જ દવા મળે
છે - બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થઈ
જશે. તમે બેઠા છો પાપો ને ભસ્મ કરવાં તો પછી હવે પાપ ન કરવાં જોઈએ. નહીં તો તે
સોગુણા બની જશે. વિકારમાં ગયાં તો સોગુણા દંડ પડી જશે, પછી તે મુશ્કેલ ચઢી શકે છે.
પહેલો નંબર દુશ્મન છે આ કામ. ૫ માળે થી પડશે તો હાડકાં એકદમ તૂટી જશે. કદાચ મરી પણ
જાય. ઉપર થી પડવાથી એકદમ ચકનાચૂર થઈ જાય છે. બાપ થી પ્રતિજ્ઞા તોડી કાળુ મોઢું કર્યું
તો આસુરી દુનિયામાં ચાલ્યાં ગયાં. અહીંયા થી મરી ગયાં. એમને બ્રાહ્મણ પણ નહીં,
શૂદ્ર કહેવાશે.
બાપ કેટલું સહજ સમજાવે છે. પહેલાં તો આ નશો રહેવો જોઈએ. જો સમજો કૃષ્ણ ભગવાનુવાચ પણ
હોય, તે પણ તો જરુર ભણાવીને આપ સમાન બનાવશે ને. પરંતુ કૃષ્ણ તો ભગવાન હોઈ ન શકે. તે
તો પુનર્જન્મ માં આવે છે. બાપ કહે છે હું જ પુનર્જન્મ રહિત છું. રાધે-કૃષ્ણ,
લક્ષ્મી-નારાયણ અથવા વિષ્ણુ એક જ વાત છે. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ અને
લક્ષ્મી-નારાયણનું જ બાળપણ છે રાધા-કૃષ્ણ. બ્રહ્માનું પણ રહસ્ય સમજાવ્યું છે -
બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ. હવે ટ્રાન્સફર થાય છે. પાછળ નું નામ આમનું
બ્રહ્મા રાખ્યું છે. બાકી આ બ્રહ્મા તો જુઓ એકદમ આઈરન એજ (કળયુગ) માં ઉભાં છે. આ જ
પછી તપસ્યા કરી કૃષ્ણ અથવા શ્રી નારાયણ બને છે. વિષ્ણુ કહેવાથી એમાં બંને આવી જાય
છે. બ્રહ્માની દીકરી સરસ્વતી. આ વાતો કોઈ સમજી ન શકે. ૪ ભુજા બ્રહ્મા ને પણ આપે છે
કારણ કે પ્રવૃત્તિ માર્ગ છે ને. નિવૃત્તિ માર્ગ વાળા આ જ્ઞાન આપી ન શકે. અનેકોને
બહારથી ફસાવીને લઈ આવે છે કે ચાલો અમે પ્રાચીન રાજયોગ શીખવાડીએ. હવે સન્યાસી
રાજ્યોગ શીખવાડી ન શકે. હવે ઈશ્વર આવ્યાં છે, તમે હવે એમનાં બાળકો ઈશ્વરીય સંપ્રદાય
બન્યાં છો. ઈશ્વર આવ્યાં છે તમને ભણાવવાં. તમને રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. એ તો છે
નિરાકાર. બ્રહ્મા દ્વારા તમને પોતાનાં બનાવ્યાં છે. બાબા-બાબા તમે એમને કહો છો,
બ્રહ્મા તો વચમાં ઈન્ટરપ્રેટર (અનુવાદક) છે. ભાગ્યશાળી રથ છે. આમનાં દ્વારા બાબા
તમને ભણાવે છે. તમે પણ પતિત થી પાવન બનો છો. બાપ ભણાવે છે - મનુષ્ય થી દેવતા બનાવવાં.
હમણાં તો રાવણ રાજ્ય, આસુરી સંપ્રદાય છે ને. હમણાં તમે ઈશ્વરીય સંપ્રદાય બન્યાં છો
પછી દૈવી સંપ્રદાય બનશો. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો, પાવન બની રહ્યાં છો.
સન્યાસી લોકો તો ઘરબાર છોડી જાય છે. અહીંયા બાપ તો કહે છે - ભલે સ્ત્રી-પુરુષ ઘરમાં
સાથે રહે, એવું નહીં સમજો કે સ્ત્રી નાગીન છે એટલે અમે અલગ થઈ જઈએ તો છૂટી જઈશું.
તમારે ભાગવાનું નથી. તે હદનો સન્યાસ છે જે ભાગે છે, તમે અહીંયા બેઠા છો પરંતુ તમને
આ વિકારી દુનિયાથી વૈરાગ્ય છે. આ બધી વાતો તમારે સારી રીતે ધારણ કરવાની છે, નોંધ
કરવાની છે અને પરહેજ પણ રાખવાની છે. દૈવીગુણ ધારણ કરવાનાં છે. શ્રીકૃષ્ણનાં ગુણ
ગવાય છે ને. આ તમારું લક્ષ્ય-હેતુ છે. બાપ નથી બનતાં, તમને બનાવે છે. પછી અડધાકલ્પ
પછી તમે નીચે ઉતરતાં, તમોપ્રધાન બનો છો. હું નથી બનતો, આ બને છે. ૮૪ જન્મ પણ આમણે
લીધાં છે. આમને પણ હમણાં સતોપ્રધાન બનવાનું છે, આ પુરુષાર્થી છે. નવી દુનિયા ને
સતોપ્રધાન કહીશું. દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો માં આવે છે. નાના
બાળકો પણ મહાત્મા કહેવાય છે કારણ કે એમનામાં વિકાર હોતાં નથી, એટલે એમને ફૂલ કહેવાય
છે. સંન્યાસીઓથી નાનાં બાળકો ને ઉત્તમ કહીશું કારણ કે સન્યાસીઓ તો છતાં પણ જીવન
પસાર કરી આવે છે ને. ૫ વિકારોનો અનુભવ છે. બાળકોને તો ખબર નથી રહેતી એટલે બાળકોને
જોઈ ખુશી થાય છે, ચૈતન્ય ફૂલ છે. આપણો તો છે જ પ્રવૃત્તિ માર્ગ.
હવે આપ બાળકોએ આ જૂની દુનિયાથી નવી દુનિયામાં જવાનું છે. અમરલોક માં જવા માટે તમે
બધાં પુરુષાર્થ કરો છો, મૃત્યુલોક થી ટ્રાન્સફર (બદલી) થાઓ છો. દેવતા બનવાનું છે તો
એનાં માટે હવે મહેનત કરવી પડે, પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો ભાઈ-બહેન થઈ જાઓ છો.
ભાઈ-બહેન તો હતાં ને. પ્રજાપિતા બ્રહ્માની સંતાન આપસમાં શું થયાં? પ્રજાપિતા બ્રહ્મા
ગવાય છે. જ્યાં સુધી પ્રજાપિતા નાં બાળકો ન બને, સૃષ્ટિની રચના કેવી રીતે થાય?
પ્રજાપિતા બ્રહ્માનાં છે બધાં રુહાની બાળકો. તે બ્રાહ્મણ હોય છે શારીરિક યાત્રા વાળા.
તમે છો રુહાની યાત્રા વાળા. તે પતિત, તમે પાવન. તે કોઈ પ્રજાપિતા ની સંતાન નથી, આ
તમે સમજો છો. ભાઈ-બહેન જ્યારે સમજે ત્યારે વિકાર માં ન જાય. બાપ પણ કહે છે ખબરદાર
રહેજો, મારા બાળક બનીને કોઈ ક્રિમિનલ (અપવિત્ર) કામ નથી કરવાનું, નહીં તો પથ્થર
બુદ્ધિ બની જશો. ઇન્દ્રસભા ની વાર્તા પણ છે. શૂદ્ર ને લઈ આવી તો ઈન્દ્રસભા માં એમની
દુર્ગંધ આવવા લાગી. તો કહ્યું પતિત ને અહીંયાં કેમ લાવ્યાં છો. પછી એમને શ્રાપ આપી
દીધો. હકીકતમાં આ સભા માં પણ કોઈ પતિત આવી ન શકે. ભલે બાપને ખબર પડે કે ન પડે, આ તો
પોતાનું જ નુકસાન કરે છે, વધારે જ સો ગુણા દંડ પડી જાય છે. પતિત ને એલાઉ (પરવાનગી)
નથી. એમનાં માટે વીઝીટીંગ રુમ (મુલાકાત કક્ષ) ઠીક છે. જ્યારે પાવન બનવાની ગેરંટી કરે,
દૈવીગુણ ધારણ કરે ત્યારે એલાઉ થાય. દૈવી ગુણ ધારણ કરવામાં સમય લાગે છે. પાવન બનવાની
એક જ પ્રતિજ્ઞા છે.
આ પણ સમજાવ્યું છે, દેવતાઓની અને પરમાત્માની મહિમા અલગ-અલગ છે. પતિત-પાવન, લિબરેટર
(મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) બાપ જ છે. બધાં દુઃખોથી મુક્ત કરી પોતાના શાંતિધામ
માં લઈ જાય છે. શાંતિધામ, સુખધામ અને દુઃખધામ આ પણ ચક્ર છે. હવે દુઃખધામ ને ભૂલી
જવાનું છે. શાંતિધામ થી સુખધામ માં તે આવશે જે નંબરવાર પાસ થશે, તે જ આવતાં રહેશે.
આ ચક્ર ફરતું રહે છે. અનેકોનેક આત્માઓ છે, બધાનો પાર્ટ નંબરવાર છે. જશે પણ નંબરવાર.
એને કહેવાય છે શિવબાબા નો સિજરો અથવા રુદ્ર માળા. નંબરવાર જાય છે પછી નંબરવાર આવે
છે. બીજા ધર્મ વાળા નું પણ એવું હોય છે. બાળકોને રોજ સમજાવાય છે, સ્કૂલમાં રોજ નહિં
ભણશો, મુરલી નહીં સાંભળશો તો પછી ગેરહાજરી થઈ જશે. ભણવાની લિફ્ટ તો જરુર જોઈએ. ગોડલી
યુનિવર્સિટીમાં એબસન્ટ (ગેરહાજરી) થોડી હોવી જોઈએ. ભણતર કેટલું ઊંચું છે, જેનાથી તમે
સુખધામ નાં માલિક બનો છો. ત્યાં તો અનાજ બધું ફ્રી (મફત) હોય છે, પૈસા નથી લાગતાં.
હમણાં તો કેટલું મોંઘુ છે. ૧૦૦ વર્ષમાં કેટલું મોંઘુ થઈ ગયું છે. ત્યાં કોઈ
અપ્રાપ્ત વસ્તુ નથી હોતી જેનાં માટે મુશ્કિલાત આવે. તે છે જ સુખધામ. તમે હમણાં
ત્યાનાં માટે તૈયારી કરી રહ્યાં છો. તમે બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી ધનવાન) બનો છો.
સાહૂકાર લોકો પોતાને બેગર નથી સમજતાં. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી જે
સંપૂર્ણ પાવન બનવાની પ્રતિજ્ઞા કરી છે, એને તોડવાની નથી. બહુજ-બહુજ પરહેજ રાખવાની
છે. પોતાનો ચાર્ટ જોવાનો છે-અમારામાં કોઈ અવગુણ તો નથી?
2. ગોડલી યુનિવર્સિટી માં ક્યારેય પણ ગેરહાજર નથી રહેવાનું. સુખધામ નાં માલિક બનવાનું
ઊચું ભણતર એક દિવસ પણ મિસ નથી કરવાનું. મુરલી રોજ જરુર સાંભળવાની છે.
વરદાન :-
મન્સા - વાચા
અને કર્મણા ની પવિત્રતા માં સંપૂર્ણ માર્કસ લેવા વાળા નંબર વન આજ્ઞાકારી ભવ .
મન્સા પવિત્રતા
અર્થાત્ સંકલ્પ માં પણ અપવિત્રતાનાં સંસ્કાર ઈમર્જ (જાગૃત) ન થાય. સદા આત્મિક
સ્વરુપ અર્થાત્ ભાઈ-ભાઈ ની શ્રેષ્ઠ સ્મૃતિ રહે. વાચા માં સદા સત્યતા અને મધુરતા હોય,
કર્મણા માં સદા નમ્રતા, સંતુષ્ટતા અને હર્ષિતમુખતા હોય. એ જ આધાર પર નંબર મળે છે અને
એવાં સંપૂર્ણ પવિત્ર આજ્ઞાકારી બાળકોનાં બાપ પણ ગુણગાન કરે છે. તે જ પોતાના દરેક
કર્મ થી બાપનાં કર્તવ્યને સિદ્ધ કરવા વાળા સમીપ રત્ન છે.
સ્લોગન :-
સંબંધ-સંપર્ક
અને સ્થિતિ માં લાઈટ (હલકા) બનો, દિનચર્યા માં નહીં.