17-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - સદ્દગુરુ આવ્યાં છે તમારી ઉંચી તકદીર બનાવવા તો તમારી ચલન ખુબ - ખુબ રોયલ હોવી જોઈએ ”

પ્રશ્ન :-
ડ્રામા નો કયો પ્લાન (યોજના) બનેલો છે એટલે કોઈને દોષ ન આપી શકાય?

ઉત્તર :-
ડ્રામામાં આ જૂની દુનિયાનાં વિનાશ નો પ્લાન બનેલો છે, આમાં કોઈનો દોષ નથી. આ સમયે આનાં વિનાશનાં માટે પ્રકૃતિ ને જોરથી ગુસ્સો આવ્યો છે. ચારે તરફ અર્થકવેક (ધરતીકંપ) થશે, મકાન પડશે, ફ્લડ (પુર) આવશે, અકાળ પડશે એટલે બાપ કહે છે બાળકો હવે આ જૂની દુનિયાથી તમે પોતાનો બુદ્ધિયોગ નિકાળી દો, સદ્દગુરુ ની શ્રીમત પર ચાલો. જીવતે જીવ દેહનું ભાન છોડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરતાં રહો.

ગીત :-
હમેં ઉન રાહો પર ચલના હૈ …

ઓમ શાંતિ!
કઈ રાહ (માર્ગ) પર ચાલવાનું છે? ગુરુની રાહ પર ચાલવાનું છે. આ કયા ગુરુ છે? ઉઠતાં-બેસતાં મનુષ્યો નાં મુખથી નીકળી જાય છે વાહ ગુરુ. ગુરુ તો અનેક છે. વાહ ગુરુ કોને કહેશો? કોની મહિમા ગાશો? સદ્દગુરુ એક જ બાપ છે. ભક્તિમાર્ગ નાં અનેક ગુરુ છે. કોઈ કોઈની મહિમા કરે, કોઈ કોઈની મહિમા કરે છે. બાળકોની બુદ્ધિમાં છે સાચાં સદ્દગુરુ એ એક છે, જેમની જ વાહ-વાહ મનાય છે. સાચાં સદ્દગુરુ છે તો જરુર જુઠ્ઠા પણ હશે. સાચું હોય છે સંગમ પર. ભક્તિમાર્ગમાં પણ સાચાં ની મહિમા ગાએ છે. ઊંચે થી ઊંચા બાપ જ સાચાં છે, એ જ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પણ બને છે. આજકાલનાં ગુરુ લોકો તો ગંગાસ્નાન પર કે તીર્થો પર લઈ જવાનાં ગાઈડ બને છે. આ સદ્દગુરુ તો એવાં નથી. જેમને બધાં યાદ કરે છે-હેં પતિત-પાવન આવો. પતિત-પાવન, સદ્દગુરુ ને જ કહેવાય છે. એ જ પાવન બનાવી શકે છે. તે ગુરુ લોકો પાવન બનાવી ન શકે. તે કોઈ એવું નથી કહેતાં કે મામેકમ્ યાદ કરો. ભલે ગીતા પણ વાંચે છે પરંતુ અર્થ ની ખબર બિલ્કુલ નથી. જો સમજે સદ્દગુરુ એક છે તો પોતાને ગુરુ ન કહેવડાવત. ડ્રામા અનુસાર ભક્તિમાર્ગની ડિપાર્ટમેન્ટ (વિભાગ) જ અલગ છે જેમાં અનેક ગુરુ, અનેક ભક્ત છે. આ તો એક જ છે. પછી આ દેવી-દેવતાઓ પહેલાં નંબર માં આવે છે. હમણાં લાસ્ટ માં છે. બાપ આવીને આમને સતયુગની બાદશાહી આપે છે. તો બીજા બધાને ઓટોમેટિકલી (આપોઆપ) પાછાં જવાનું છે, એટલે સર્વનાં સદ્દગતિ દાતા એક કહેવાય છે. તમે સમજો છો કલ્પ-કલ્પ સંગમ પર જ દેવી-દેવતા ધર્મની સ્થાપના થાય છે. તમે પુરુષોત્તમ બનો છો. બાકી બીજું કોઈ કામ નથી કરતાં. ગવાય પણ છે ગતિ-સદ્દગતિ દાતા એક છે. આ બાપની જ મહિમા છે. ગતિ-સદ્દગતિ સંગમ પર જ મળે છે. સતયુગમાં તો છે એક ધર્મ. આ પણ સમજ ની વાત છે ને. પરંતુ આ બુદ્ધિ આપે કોણ? તમે સમજો છો બાપ જ આવીને યુક્તિ બતાવે છે. શ્રીમત આપે છે કોને? આત્માઓને. એ બાપ પણ છે, સદ્દગુરુ પણ છે, શિક્ષક પણ છે. જ્ઞાન શીખવાડે છે ને. બાકી બધાં ગુરુ ભક્તિ જ શીખવાડે છે. બાપનાં જ્ઞાનથી તમારી સદ્દગતિ થાય છે. પછી આ જૂની દુનિયાથી ચાલ્યાં જાય છે. તમારો આ બેહદનો સંન્યાસ પણ છે. બાપે સમજાવ્યું છે હવે ૮૪ જન્મો નું ચક્ર તમારું પૂરું થયું છે. હવે આ દુનિયા ખતમ થવાની છે. જેમ કોઇ બિમાર સીરિયસ હોય છે તો કહેશે હવે આ તો જવાનાં છે, તેમને યાદ શું કરીશું. શરીર ખતમ થઇ જશે. બાકી આત્મા તો જઈ ને બીજું શરીર લે છે. ઉમ્મીદ તૂટી જાય છે. બંગાળમાં તો જ્યારે જુએ છે ઉમ્મીદ નથી તો ગંગા પર જઈને ડુબાડે છે કે પ્રાણ નીકળી જાય. મૂર્તિઓની પણ પૂજા કરી પછી જઈને કહે છે ડૂબી જા, ડૂબી જા…..હમણાં તમે જાણો છો આ આખી જૂની દુનિયા ડૂબી જવાની છે. ફલડ્સ થશે, આગ લાગશે, ભૂખ થી મનુષ્ય મરશે. આ બધી હાલતો આવવાની છે. અર્થકવેક માં મકાન વગેરે પડી જશે. આ સમયે પ્રકૃતિને ગુસ્સો આવે છે તો બધાં ને ખલાસ કરી દે છે. આ બધી હાલતો આખી દુનિયાનાં માટે આવવાની છે. અનેક પ્રકારનાં મોત આવી જાય છે. બોમ્બસ માં પણ ઝેર ભરેલું છે. થોડી વાસ આવવાથી બેહોશ થઈ જાય છે. આ આપ બાળકો જાણો છો કે શું-શું થવાનું છે. આ બધું કોણ કરાવે છે? બાપ તો નથી કરાવતાં. આ ડ્રામા માં નોંધ છે. કોઈનાં પર દોષ નહીં આપે. ડ્રામા નો પ્લાન બનેલો છે. જૂની દુનિયા સો ફરી નવી જરુર થશે. નેચરલ કેલામિટીઝ (પ્રાકૃતિક આપદાઓ) આવશે. વિનાશ થવાનો જ છે. આ જૂની દુનિયાથી બુદ્ધિનો યોગ હટાવી દેવો, આને બેહદ નો સન્યાસ કહેવાય છે.

હવે તમે કહેશો વાહ સદ્દગુરુ વાહ! જે અમને આ રસ્તો બતાવ્યો. બાળકોને પણ સમજાવે છે-એવી ચલન નહીં ચાલો જે એમની નિંદા થાય. તમે અહિયાં જીવતે જીવ મરો છો. દેહને છોડી પોતાને આત્મા સમજો છો. દેહ થી ન્યારી આત્મા બની બાપ ને યાદ કરવાનાં છે. આ તો ખુબ સારું કહે છે વાહ સદ્દગુરુ વાહ! પારલૌકિક સદ્દગુરુ ની જ વાહ-વાહ થાય છે. લૌકિક ગુરુ તો અનેક છે. સદ્દગુરુ તો એક જ છે સાચાં-સાચાં, જેમનું પછી ભક્તિમાર્ગ માં પણ નામ ચાલ્યું આવે છે. આખી સૃષ્ટીનાં બાપ તો એક જ છે. નવી સૃષ્ટિની સ્થાપના કેવી રીતે થાય છે, એ પણ કોઈને ખબર નથી. શાસ્ત્રોમાં તો દેખાડે છે પ્રલય થઈ ગઈ પછી પીપળ નાં પાન પર શ્રીકૃષ્ણ આવ્યાં. હવે તમે સમજો છો પીપળ નાં પાન પર કેવી રીતે આવશે. કૃષ્ણની મહિમા કરવાથી કંઈ ફાયદો નથી થતો. તમને હવે ચઢતી કળામાં લઈ જવાનાં માટે સદ્દગુરુ મળ્યાં છે. કહે છે ને ચઢતી કળા તેરે ભાને સર્વ કા ભલા. તો રુહાની બાપ આત્માઓને બેસી સમજાવે છે. ૮૪ જન્મ પણ આત્માનાં માટે છે. દરેક જન્મમાં નામ-રુપ બીજા થઇ જાય છે. એવું નહીં કહેશું કે ફલાણાએ ૮૪ જન્મ લીધાં છે. ના, આત્માએ ૮૪ જન્મ લીધાં. શરીર તો બદલાતાં જાય છે. તમારી બુદ્ધિમાં આ બધી વાતો છે. બધું નોલેજ બુદ્ધિમાં રહેવું જોઈએ. કોઈપણ આવે તો તેમને સમજાઓ. આદિમાં હતું જ દેવી-દેવતાઓનું રાજ્ય, પછી મધ્યમાં રાવણ રાજ્ય થયું. સીડી ઉતરતાં રહ્યાં. સતયુગમાં કહેશું સતોપ્રધાન પછી સતો, રજો, તમો માં ઉતરો છો. ચક્ર ફરતું રહે છે. કોઈ-કોઈ કહે છે બાબા ને શું પડી હતી જે ૮૪ નાં ચક્રમાં અમને લાવ્યાં. પરંતુ આ તો સૃષ્ટિ ચક્ર અનાદિ બનેલું છે, આનાં આદિ-મધ્ય-અંત ને જાણવાનું છે. મનુષ્ય થઈને જો નથી જાણતાં તો તે નાસ્તિક છે. જાણવાથી તમને કેટલું ઉંચ પદ મળે છે. આ ભણતર કેટલું ઉંચ છે. મોટી પરીક્ષા પાસ કરવા વાળાનાં દિલ માં ખુશી થાય છે ને, અમે મોટામાં મોટું પદ પામશું. તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ પોતાનાં પૂર્વજન્મમાં શીખીને પછી મનુષ્ય થી દેવતા બન્યાં.

આ ભણતર થી આ રાજધાની સ્થાપન થઈ રહી છે. ભણતર થી કેટલું ઉંચ પદ મળે છે. વન્ડર (આશ્ચર્ય) છે ને. આટલાં મોટા-મોટા મંદિર જે બનાવે છે અથવા જે મોટા-મોટા વિદ્વાન વગેરે છે એમને પૂછો સતયુગ વગેરેમાં તેમણે જન્મ કેવી રીતે લીધાં તો બતાવી નહીં શકશે. તમે જાણો છો આ તો ગીતા વાળો જ રાજયોગ છે. ગીતા વાંચતા આવ્યાં છે પરંતુ તેનાથી ફાયદો કંઈ નથી. હવે તમને બાપ બેસી સંભળાવે છે. તમે કહો છો બાબા અમે તમારાથી ૫ હજાર વર્ષ પહેલાં પણ મળ્યાં હતાં. કેમ મળ્યાં હતાં? સ્વર્ગ નો વારસો લેવાં. લક્ષ્મી-નારાયણ બનવાનાં માટે. કોઈપણ નાનાં, મોટા, ઘરડા વગેરે આવે છે, આ જરુર શીખીને આવે છે. લક્ષ્ય-હેતુ જ આ છે. સત્ય નારાયણની સાચી કથા છે ને. આ પણ તમે સમજો છો, રાજાઈ સ્થાપન થઈ રહી છે. જે સારી રીતે સમજી લે છે તેમને આંતરિક ખુશી રહે છે. બાબા પૂછશે હિંમત છે ને રાજાઈ લેવાની? કહે છે બાબા કેમ નહીં, અમે ભણીએ જ છીએ, નર થી નારાયણ બનવાં. આટલો સમય અમે પોતાને દેહ સમજી બેઠા હતાં હવે બાપે અમને સાચો રસ્તો બતાવ્યો છે. દેહી-અભિમાની બનવામાં મહેનત લાગે છે. ઘડી-ઘડી પોતાનાં નામ-રુપમાં ફસાય પડે છે. બાપ કહે છે આ નામ-રુપથી ન્યારા થવાનું છે. હવે આત્મા પણ નામ તો છે ને. બાપ છે સુપ્રીમ પરમપિતા, લૌકિક બાપને પરમપિતા નહીં કહેશે. પરમ અક્ષર એક જ બાપ ને આપ્યો છે. વાહ ગુરુ પણ આમને કહે છે. તમે સિક્ખ લોકોને પણ સમજાવી શકો છો. ગ્રંથ સાહેબમાં તો પૂરું વર્ણન છે. બીજા કોઈ શાસ્ત્રમાં આટલું વર્ણન નથી જેટલું ગ્રંથમાં છે, જપ સાહેબ સુખમણી માં છે. આ ઊંચા અક્ષર જ બે છે. બાપ કહે છે - સાહેબ ને યાદ કરો તો તમને ૨૧ જન્મનાં માટે સુખ મળશે. આમાં મુંઝાવાની તો વાત જ નથી. બાપ બહુ જ સહજ કરી ને સમજાવે છે. કેટલાં હિન્દુ ટ્રાન્સફર થઇ જઇને સિક્ખ બન્યાં છે.

તમે મનુષ્યોને રસ્તો બતાવવા માટે કેટલાં ચિત્ર વગેરે બનાવો છો. કેટલું સહજ સમજાવી શકો છો. તમે આત્મા છો, પછી ભિન્ન-ભિન્ન ધર્મોમાં આવ્યાં છો. આ વેરાઈટી (વિવિધ) ધર્મોનું ઝાડ છે બીજા કોઈને આ ખબર નથી કે ક્રાઈસ્ટ કેવી રીતે આવે છે. બાપે સમજાવ્યું હતું - નવી આત્માને કર્મભોગ નથી હોઈ શકતો. ક્રાઈસ્ટની આત્માએ કોઈ વિકર્મ થોડી કર્યુ જે સજા મળે. તે તો સતોપ્રધાન આત્મા આવે છે, જેમાં આવીને પ્રવેશ કરે છે તેમને ક્રોસ વગેરે પર ચઢાવે છે, ક્રાઈસ્ટ ને નહીં. તે તો જઈને બીજો જન્મ લઈને ઉંચ પદ પામે છે. પોપ નાં પણ ચિત્ર છે.

આ સમયે આ આખી દુનિયા બિલ્કુલ વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. તમે પણ હતાં. હવે તમે વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યાં છો. એવું નથી કે તેમના વારીસ પાછળ માં ખાશે, કાંઈ પણ નહીં. તમે પોતાનો હાથ ભરપૂર કરી જાઓ છો, બાકી બધાં ખાલી હાથે જશે. તમે ભરપૂર થવા માટે જ ભણો છો. એ પણ જાણો છો જે કલ્પ પહેલાં આવ્યાં છે, તે જ આવશે. થોડું પણ સાંભળશે તો આવી જશે. બધાં ભેગા તો જોઈ પણ નહીં શકશે. તમે અસંખ્ય પ્રજા બનાવો છો, બાબા બધાને થોડી જોઈ શકે છે. થોડું ઘણું સાંભળવાથી પણ પ્રજા બનતી જાય છે. તમે ગણતરી પણ નહીં કરી શકો.

આપ બાળકો સર્વિસ (સેવા) પર છો, બાબા પણ સર્વિસ પર છે. બાબા સર્વિસ વગર રહી નથી શકતાં. રોજ સવારે સર્વિસ કરવા આવે છે. સતસંગ વગેરે પણ સવારે જ કરે છે. તે સમયે બધાને ફુરસદ હોય છે. બાબા તો કહે છે આપ બાળકોએ ઘરે થી વહેલા સવારે પણ નથી આવવાનું અને રાતનાં પણ ન આવવું જોઈએ કારણ કે દિવસ-પ્રતિદિવસ દુનિયા બહુજ ખરાબ થતી જાય છે એટલે ગલી-ગલીમાં સેવાકેન્દ્ર એટલાં નજીક હોવા જોઈએ, જે ઘરથી નીકળી સેવાકેન્દ્ર પર આવે, સહજ થઈ જાય. તમારી વૃદ્ધિ થઈ જશે ત્યારે રાજધાની સ્થાપન થશે. બાપ સમજાવે તો બહુજ સહજ છે. આ રાજ્યોગ દ્વારા સ્થાપના કરી રહ્યાં છે. બાકી આ આખી દુનિયા હશે જ નહીં. પ્રજા તો કેટલી અસંખ્ય બને છે. માળા પણ બને છે. મુખ્ય તો જે અનેકોની સર્વિસ (સેવા) કરી આપસમાન બનાવે છે, તે જ માળાનાં દાણા બને છે. લોકો માળા ફેરવે છે પરંતુ અર્થ થોડી સમજે છે. ઘણાં ગુરુ લોકો માળા ફેરવવા માટે આપે છે કે બુદ્ધિ એમાં લાગેલી રહે. કામ મહાશત્રુ છે, દિવસ-પ્રતિદિવસ બહુ કઠોર થતો જશે. તમોપ્રધાન બનતાં જાય છે. આ દુનિયા બહુ ગંદી છે. બાબાને ઘણાં કહે છે અમે તો બહુ હેરાન થઇ ગયાં છીએ, જલ્દી સતયુગમાં લઈ જાઓ. બાપ કહે છે ધીરજ ધરો, સ્થાપના થવાની જ છે - આ ખાતરી છે. આ ખાતરી જ તમને લઈ જશે. બાળકોને એ પણ બતાવ્યું છે કે તમે આત્માઓ પરમધામ થી આવી છો પછી ત્યાં જવાનું છે, ફરી આવશો પાર્ટ ભજવવાં. તો પરમધામને યાદ કરવું પડે. બાપ પણ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ જ સંદેશ બધાને આપવાનો છે બીજા કોઈ પેગંબર મેસેન્જર વગેરે છે નહીં. તે તો મુક્તિધામ થી નીચે લઈ આવે છે. પછી તેમણે સીડી નીચે ઉતરવાની છે. જ્યારે પૂરા તમોપ્રધાન બની જાય છે ત્યારે ફરી બાપ આવી બધાને સતોપ્રધાન બનાવે છે. તમારાં કારણે બધાએ પાછાં જવું પડે છે કારણ કે તમને નવી દુનિયા જોઈએ છે ને - આ પણ ડ્રામા બનેલો છે. બાળકોને ખુબ નશો રહેવો જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દેહનાં નામ-રુપથી ન્યારા થઈ દેહી-અભિમાની બનવાનું છે. એવી ચલન નથી ચાલવાની જે સદ્દગુરુ ની નિંદા થાય.

2. માળાનો દાણો બનવા માટે અનેકોને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. આંતરિક ખુશી માં રહેવાનું છે કે અમે રાજાઈ લેવા માટે ભણી રહ્યાં છીએ. આ ભણતર છે જ નર થી નારાયણ બનવાનું.

વરદાન :-
કલ્યાણકારી વૃત્તિ દ્વારા સેવા કરવા વાળા સર્વ આત્માઓની દુવાઓનાં અધિકારી ભવ

કલ્યાણકારી વૃત્તિ દ્વારા સેવા કરવી - એ જ સર્વ આત્માઓની દુવાઓ પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્યારે લક્ષ્ય રહે છે કે આપણે વિશ્વ કલ્યાણકારી છીએ, તો અકલ્યાણ નું કર્તવ્ય થઇ નથી શકતું. જેવું કાર્ય હોય છે તેવી પોતાની ધારણાઓ હોય છે, જો કાર્ય યાદ રહે તો સદા રહેમદિલ, સદા મહાદાની રહેશો. દરેક પગલે કલ્યાણકારી વૃત્તિ થી ચાલશો, હું પણું નહીં આવશે, નિમિત્તપણું યાદ રહેશે. એવાં સેવાધારી ને સેવાનાં રિટર્ન (વળતર) માં સર્વ આત્માઓની દુવાઓનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે.

સ્લોગન :-
સાધનો નું આકર્ષણ સાધના ને ખંડિત કરી દે છે.