25-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જ્યાં
સુધી જીવવાનું છે બાપ ને યાદ કરવાનાં છે , યાદ થી જ આયુષ્ય વધશે , ભણતર નો તંત (
સાર ) જ છે યાદ ”
પ્રશ્ન :-
આપ બાળકો નું
અતીન્દ્રિય સુખ ગવાયેલું છે, કેમ?
ઉત્તર :-
કારણકે તમે સદા બાબાની યાદમાં ખુશી મનાવો છો, હમણાં તમારી સદા ક્રિસમસ છે. તમને
ભગવાન ભણાવે છે, આનાથી વધારે ખુશી બીજી કઈ હશે, આ રોજ ની ખુશી છે એટલે તમારું જ
અતીન્દ્રિય સુખ ગવાયેલું છે.
ગીત :-
નયન હીન કો
રાહ દિખાઓ પ્રભૂ …
ઓમ શાંતિ!
જ્ઞાનનું
ત્રીજું નેત્ર આપવા વાળા રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. જ્ઞાનનું ત્રીજું
નેત્ર સિવાય બાપ કોઈ આપી નથી શકતું. તો હમણાં બાળકોને જ્ઞાનનું નેત્ર મળ્યું છે. હવે
બાપે સમજાવ્યું છે કે ભક્તિમાર્ગ છે જ અંધારા વાળો માર્ગ. જેમ રાતનાં પ્રકાશ નથી
હોતો તો મનુષ્ય ધક્કા ખાય છે. ગવાય પણ છે બ્રહ્માની રાત, બ્રહ્માનો દિવસ. સતયુગ માં
એમ નહીં કહેશો કે અમને રાહ બતાવો કારણ કે હમણાં તમને રાહ મળી રહી છે. બાપ આવીને
મુક્તિધામ અને જીવન મુક્તિધામ ની રાહ બતાવી રહ્યાં છે. હમણાં તમે પુરુષાર્થ કરી
રહ્યાં છો. હવે જાણો છો કે બાકી થોડો સમય છે, દુનિયા તો બદલવાની છે. આ તો ગીત પણ
બનેલા છે દુનિયા બદલ ને વાલી હૈ…. પરંતુ મનુષ્ય બિચારા જાણતાં નથી કે દુનિયા ક્યારે
બદલાવાની છે, કેવી રીતે બદલાવાની છે, કોણ બદલાવે છે કારણ કે ત્રીજું નેત્ર તો
જ્ઞાનનું છે નહીં. હમણાં આપ બાળકોને આ ત્રીજું નેત્ર મળ્યું છે જેનાથી તમે આ સૃષ્ટિ
ચક્રનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. અને આ જ તમારી બુદ્ધિમાં જ્ઞાન ની સૈક્રીન (મીઠાસ)
છે. જેમ થોડીક સૈક્રીન ખુબ મીઠી હોય છે તેમ આ જ્ઞાનનાં બે અક્ષર ‘મનમનાભવ….’ આ જ
સૌથી મીઠી ચીજ છે, બસ બાપ ને યાદ કરો.
બાબા આવે છે અને આવીને રસ્તો બતાવે છે. ક્યાંનો રસ્તો બતાવે છે? શાંતિધામ અને
સુખધામ નો. તો બાળકોને ખુશી થાય છે. દુનિયા નથી જાણતી કે ખુશી ક્યારે મનાવાય છે?
ખુશી તો નવી દુનિયામાં મનાવાશે ને. આ તો બિલ્કુલ સાધારણ વાત છે કે જૂની દુનિયામાં
ખુશી ક્યાંથી આવી? જૂની દુનિયામાં મનુષ્ય ત્રાહિ-ત્રાહિ કરી રહ્યાં છે કારણ કે
તમોપ્રધાન છે. તમોપ્રધાન દુનિયામાં ખુશી ક્યાંથી આવી? સતયુગ નું જ્ઞાન તો કોઈમાં પણ
નથી, એટલે બિચારા અહીંયા ખુશી મનાવતાં રહે છે. જુઓ, ક્રિસમસની ખુશી પણ કેટલી મનાવે
છે. બાબા તો કહે છે કે જો ખુશી ની વાત પૂછવી હોય તો ગોપ-ગોપીઓ ને (મારા બાળકોથી)
પૂછો કારણ કે બાપ ખુબ સહજ રસ્તો બતાવી રહ્યાં છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં, પોતાનાં
ધંધાધોરી નું કર્તવ્ય કરતાં કમળફૂલ સમાન રહો અને મને યાદ કરો. જેમ આશિક-માશૂક હોય
છે ને, તે પણ ધંધાદોરી કરતાં એકબીજાને યાદ કરતાં રહે છે. તેમને સાક્ષાત્કાર પણ થાય
છે જેવી રીતે લૈલા-મજનૂ, હીરા-રાંઝા, તેઓ વિકાર માટે એકબીજાનાં આશિક નથી બનતાં.
તેમનો પ્રેમ ગવાયેલો છે. તેમાં એક-બીજાનાં આશિક હોય છે. પરંતુ અહીંયા એ વાત નથી.
અહીંયા તો તમે જન્મ-જન્માંતર એ માશૂક નાં આશિક જ રહ્યાં છો. એ માશૂક તમારા આશિક નથી.
તમે એમને બોલાવો છો અહીંયા આવવા માટે, હેં ભગવાન નયનહીન ને આવીને રાહ બતાવો. તમે
અડધોકલ્પ બોલાવ્યાં છે. જ્યારે દુઃખ વધારે હોય છે તો વધારે બોલાવે છે. વધારે દુઃખમાં
વધારે સિમરણ કરવા વાળા પણ હોય છે. જુઓ, હમણાં કેટલા યાદ કરવા વાળા અનેકાનેક છે.
ગવાયેલું છે ને - દુઃખ મેં સિમરણ સબ કરે….. જેટલું મોડું થતું જાય છે, એટલાં
તમોપ્રધાન વધારે થતાં જાય છે. તો તમે ચઢી રહ્યાં છો, તેઓ વધારે જ ઉતરી રહ્યાં છે
કારણ કે જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી તમોપ્રધાનતા વૃદ્ધિને પામતી રહે છે.
દિવસ-પ્રતિદિવસ માયા પણ તમોપ્રધાન, વૃદ્ધિ ને પામતી જાય છે. આ સમયે બાપ પણ
સર્વશક્તિમાન્ છે, તો માયા પણ પછી સર્વશક્તિમાન્ આ સમય માં છે. તે પણ જબરજસ્ત છે.
આપ બાળકો આ સમયે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુલ ભૂષણ છો. તમારો છે સર્વોત્તમ કુળ,
આને કહેવાય છે ઊંચ થી ઊંચ કુળ. આ સમયે તમારું આ જીવન અમૂલ્ય છે એટલે આ જીવન ની (શરીરની)
સંભાળ પણ કરવી જોઈએ કારણ કે પાંચ વિકારોનાં કારણે શરીર ની પણ આયુ તો ઓછી થતી જાય છે
ને. તો બાબા કહે છે આ સમયે પાંચ વિકારોને છોડી યોગમાં રહો તો આયુ વધતી રહેશે.
આયુષ્ય વધતા-વધતા ભવિષ્યમાં તમારી આયુ ૧૫૦ વર્ષ ની થઈ જશે. હમણાં નથી એટલે બાપ કહે
છે કે આ શરીરની પણ ખુબ સંભાળ રાખવી જોઈએ. નહીં તો કહે છે આ શરીર કામનું નથી, માટીનું
પૂતળું છે. હમણાં આપ બાળકોને સમજ મળે છે કે જ્યાં સુધી જીવવાનું છે બાબા ને યાદ
કરવાનાં છે. આત્મા બાબા ને યાદ કરે છે - કેમ? વારસા નાં માટે. બાપ કહે છે તમે પોતાને
આત્મા સમજી ને બાપને યાદ કરો અને દૈવીગુણ ધારણ કરો તો તમે પછી આવાં બની જશો. તો
બાળકોએ ભણતર સારી રીતે ભણવું જોઈએ. ભણતર માં સુસ્તી વગેરે ન કરવી જોઈએ નહીં તો નપાસ
થઈ જશો. બહુ ઓછું પદ પામશો. ભણતરમાં પણ મુખ્ય વાત આ છે જેને તંત કહેવાય છે કે બાપ
ને યાદ કરો. જ્યારે પ્રદર્શની માં કે સેવાકેન્દ્ર પર કોઈ પણ આવે છે તો પહેલાં-પહેલાં
એ સમજાવો કે બાબાને યાદ કરો કારણ કે એ ઊંચે થી ઊંચા છે. તો ઊંચે થી ઊંચા ને જ યાદ
કરવાં જોઈએ, એનાથી ઓછા ને થોડી યાદ કરવાં જોઈએ. કહે છે ઊંચે થી ઊંચા ભગવાન. ભગવાન જ
તો નવી દુનિયાની સ્થાપના કરવા વાળા છે. જુઓ, બાપ પણ કહે છે નવી દુનિયાની સ્થાપના
હું કરું છું એટલે તમે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તો આ પાક્કું યાદ કરી લો
કારણ કે બાપ પતિત-પાવન છે ને. એ આ જ કહે છે કે જ્યારે તમે મને પતિત-પાવન કહો છો તો
તમે તમોપ્રધાન છો, ખુબ પતિત છો, હવે તમે પાવન બનો.
બાપ આવી ને બાળકો ને સમજાવે છે કે તમારા હવે સુખનાં દિવસો આવવાનાં છે, દુઃખનાં દિવસ
પૂરા થયાં છે, પોકારો પણ છો - હેં દુઃખહર્તા, સુખદાતા. તો જાણો છો ને કે બરાબર
સતયુગમાં બધાં સુખી જ સુખી છે. તો બાપ બાળકોને કહે છે કે બધાં શાંતિધામ અને સુખધામ
ને યાદ કરતાં રહો. આ છે સંગમયુગ, ખેવૈયા તમને પાર લઈ જાય છે. બાકી આમાં કોઈ ખેવૈયા
કે નાવ ની વાત છે નહીં. આ તો મહિમા કરી દે છે કે નાવ ને પાર લગાવો. હવે એક ની નાવ
તો પાર નથી લાગવાની ને. આખી દુનિયાની નાવ ને પાર લગાવવાની છે. આ આખી દુનિયા જેમ કે
એક બહુ મોટું જહાજ છે એને પાર લગાવે છે. તો આપ બાળકોએ બહુજ ખુશી મનાવવી જોઈએ કારણ
કે તમારા માટે સદૈવ ખુશી છે, સદૈવ ક્રિસમસ છે. જ્યાર થી આપ બાળકોને બાપ મળ્યાં છે
તમારી ક્રિસમસ સદૈવ છે એટલે અતીન્દ્રિય સુખ ગવાયેલું છે. જુઓ, આ સદૈવ ખુશ રહે છે,
કેમ? અરે બેહદનાં બાપ મળ્યાં છે! એ આપણને ભણાવી રહ્યાં છે. તો આ રોજ ની ખુશી હોવી
જોઈએ ને. બેહદનાં બાપ ભણાવી રહ્યાં છે વાહ! ક્યારેય કોઈએ સાંભળ્યું? ગીતામાં પણ
ભગવાનુવાચ છે કે હું તમને રાજયોગ શીખવાડું છું, જેવી રીતે તે લોકો બેરિસ્ટરી યોગ,
સર્જનરી યોગ શીખવાડે છે, હું આપ રુહાની બાળકોને રાજયોગ શીખવાડું છું. તમે અહીંયા આવો
છો તો બરાબર રાજયોગ શીખવા આવો છો ને. મૂંઝાવાની તો દરકાર નથી. તો રાજયોગ શીખીને પૂરું
કરવું જોઈએ ને. ભાગન્તી તો ન થવું જોઈએ. ભણવાનું પણ છે તો ધારણા પણ સારી કરવાની છે.
ટીચર (શિક્ષક) ભણાવે છે ધારણા કરવાનાં માટે.
દરેકને પોત-પોતાની બુદ્ધિ હોય છે - કોઈની ઉત્તમ, કોઈની મધ્યમ, કોઈની કનિષ્ટ. તો
પોતાનાથી પૂછવું જોઈએ કે હું ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ટ છું? પોતાને પોતે જ
પારખવું જોઈએ કે હું આમ ઊંચે થી ઊંચી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ પદ પામવાને લાયક છું?
હું સર્વિસ (સેવા) કરું છું? બાપ કહે છે - બાળકો, સર્વિસેબલ (સેવાધારી) બનો, બાબાને
ફોલો કરો કારણકે હું પણ તો સર્વિસ કરું છું ને. આવ્યો જ છું સર્વિસ કરવાનાં માટે અને
રોજ-રોજ સર્વિસ કરું છું કારણ કે રથ પણ તો લીધો છે ને. રથ પણ મજબૂત, સારો છે અને
સર્વિસ તો આમની સદૈવ છે. બાપદાદા તો આમના રથમાં સદૈવ છે. ભલે આમનું શરીર બીમાર પડી
જાય, હું તો બેઠો છું ને. તો હું આમની અંદર બેસીને લખું પણ છું, જો આ મુખથી ન પણ
બોલી શકે તો હું લખી શકું છું. મુરલી નથી મિસ થતી (છૂટતી). જ્યાં સુધી બેસી શકે, લખી
શકે, તો હું મુરલી પણ ચલાવું છું, બાળકોને લખીને મોકલી આપું છું કારણ કે સર્વિસેબલ
છું ને. તો બાપ આવીને સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજી ને નિશ્ચય બુદ્ધિ થઈને
સર્વિસમાં લાગી જાઓ. બાપની સર્વિસ, ઓન ગોડ ફાધરલી સર્વિસ. જેમ તેઓ લખે છે ઓન હિઝ
મૈજિસ્ટી સર્વિસ. તો તમે શું કહેશો? આ મૈજિસ્ટી થી પણ ઊંચી સર્વિસ છે કારણ કે
મૈજિસ્ટી (મહારાજા) બનાવે છે. આ પણ તમે સમજી શકો છો કે બરોબર આપણે વિશ્વનાં માલિક
બનીએ છીએ.
આપ બાળકોમાં જે સારી રીતે પુરુષાર્થ કરે છે તેમને જ મહાવીર કહેવાય છે. તો આ તપાસ
કરવાની હોય છે કે કોણ મહાવીર છે જે બાબાનાં ડાયરેક્શન પર ચાલે છે. બાપ સમજાવે છે કે
બાળકો પોતાને આત્મા સમજો, ભાઈ-ભાઈ ને જુઓ. બાપ પોતાને ભાઈઓનાં બાપ સમજે છે અને
ભાઈઓને જ જુએ છે. બધાને તો નહીં જોશે. આ તો જ્ઞાન છે કે શરીર વગર તો કોઈ સાંભળી ન
શકે, બોલી ન શકે. તમે તો જાણો છો ને કે હું પણ અહીંયા શરીરમાં આવ્યો છું. મેં આ
શરીર લોન લીધું છે. શરીર તો બધાને છે, શરીરની સાથે જ આત્મા અહીંયા ભણી રહી છે. તો
હવે આત્માઓએ સમજવું જોઈએ કે બાબા અમને ભણાવી રહ્યાં છે. બાબાની બેઠક ક્યાં છે? અકાળ
તખ્ત પર. બાબાએ સમજાવ્યું છે કે દરેક આત્મા અકાળમૂર્ત છે, તે ક્યારેય વિનાશ નથી થતી,
ક્યારેય પણ બળતી, કપાતી, ડૂબતી નથી. નાની-મોટી નથી થતી. શરીર નાનું-મોટું થાય છે.
તો દુનિયામાં જે પણ મનુષ્ય માત્ર છે, તેમાં જે આત્માઓ છે તેમનું તખ્ત આ ભ્રકુટી છે.
શરીર ભિન્ન-ભિન્ન છે. કોઈનું અકાળ તખ્ત પુરુષ નું, કોઈનું સ્ત્રી નું, કોઈનું બાળક
નું. તો જ્યારે પણ કોઈ થી વાત કરો તો એ જ સમજો કે અમે આત્મા છીએ, પોતાનાં ભાઈ થી
વાત કરીએ છીએ. બાપનો સંદેશ આપીએ છીએ કે શિવબાબા ને યાદ કરો તો આ જે જંક (કાટ) લાગેલી
છે તે નીકળી જશે. જેમ સોનામાં એલોય (ખાદ) પડે છે તો વેલ્યુ ઓછી થાય છે તો તમારી પણ
વેલ્યુ ઓછી થઈ ગઈ છે. હવે બિલ્કુલ જ વેલ્યુલેસ (મૂલ્યહીન) થઈ ગયાં છો. આને દેવાળું
પણ કહેવાય છે. ભારત કેટલો ધનવાન હતો, હવે કર્જો ઉઠાવતાં રહે છે. વિનાશ માં તો બધાનાં
પૈસા ખતમ થઇ જશે. દેવા વાળા, લેવા વાળા બધાં ખતમ થઇ જશે બાકી જે અવિનાશી જ્ઞાન રત્ન
લેવા વાળા છે તે ફરી આવીને પોતાનું ભાગ્ય લેશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ને ફોલો
કરી બાબાનાં સમાન સર્વિસેબલ બનવાનું છે. પોતાને પોતે જ પારખવાનું છે કે હું ઊંચે થી
ઊંચી પરીક્ષા પાસ કરીને ઊંચ પદ પામવાનાં લાયક છું.
2. બાબાનાં ડાયરેક્શન પર ચાલીને મહાવીર બનવાનું છે, જેમ બાબા આત્માઓને જુએ છે,
આત્માઓને ભણાવે છે, એમ આત્મા ભાઈ-ભાઈ ને જોઈને વાત કરવાની છે.
વરદાન :-
તન ની
તંદુરસ્તી , મન ની ખુશી અને ધન ની સમૃદ્ધિ દ્વારા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ
સંગમયુગ પર સદા સ્વ
માં સ્થિત રહેવાથી તન નો કર્મભોગ સૂડી થી કાંટો થઈ જાય છે, તન નો રોગ યોગમાં
પરિવર્તન કરી દો છો એટલે સદા સ્વસ્થ છો. મનનનાભવ હોવાનાં કારણે ખુશીઓની ખાણ થી સદા
સમ્પન્ન છો એટલે મનની ખુશી પણ પ્રાપ્ત છે અને જ્ઞાન ધન બધાં ધનો માં શ્રેષ્ઠ છે.
જ્ઞાન ધન વાળાની પ્રકૃતિ સ્વતઃ દાસી બની જાય છે અને સર્વ સંબંધ પણ એક ની સાથે છે,
સંપર્ક પણ હોલી હંસો થી છે….. એટલે શ્રેષ્ઠ ભાગ્યવાન નું વરદાન સ્વતઃ પ્રાપ્ત છે.
સ્લોગન :-
યાદ અને સેવા
બંનેનું બેલેન્સ જ ડબલ અહિંસક લોક (તાળું) છે.