05-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - હવે ઘરે જવાનું છે એટલે દેહી - અભિમાની બનો , એક બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે ”

પ્રશ્ન :-
વન્ડરફુલ બાપે તમને કયું એક વન્ડરફુલ રહસ્ય સંભળાવ્યું છે?

ઉત્તર :-
બાબા કહે - બાળકો, આ અનાદિ અવિનાશી ડ્રામા બનેલો છે, આમાં દરેક નો પાર્ટ નોંધાયેલો છે. કંઈ પણ થાય છે નથિંગન્યુ (કાંઈ જ નવું નથી). બાપ કહે છે બાળકો આમાં મારી પણ કોઈ મોટાઈ નથી, હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો છું. આ વન્ડરફુલ રહસ્ય સંભળાવીને બાપે જાણે પોતાનાં પાર્ટ નું મહત્વ ઓછું કરી દીધું છે.

ગીત :-
આખિર વહ દિન આયા આજ …

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો આ ગીત ગાઈ રહ્યાં છે. બાળકો સમજે છે કે કલ્પ પછી ફરીથી અમને ધનવાન, હેલ્દી અને વેલ્દી બનાવવાં, પવિત્રતા, સુખ, શાંતિ નો વારસો આપવા બાપ આવે છે. બ્રાહ્મણ લોકો પણ આશીર્વાદ આપે છે ને કે આયુશ્વાન ભવ, ધનવાન ભવ, પુત્રવાન ભવ. આપ બાળકો ને તો વારસો મળી રહ્યો છે, આશીર્વાદ ની કોઈ વાત નથી. બાળકો ભણી રહ્યાં છે. જાણે છે ૫ હજાર વર્ષ પહેલાંં પણ અમને બાપે આવીને મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનવાની શિક્ષા આપી હતી. બાળકો જે ભણે છે, તે જાણે છે અમે શું ભણી રહ્યાં છીએ. ભણાવવા વાળા કોણ છે? એમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. એમ તો કહેશું જ કે આપણને બાળકો ને ખબર છે - આ રાજધાની સ્થાપન થઈ રહી છે અથવા ડીટી કિંગડમ સ્થાપન થઈ રહ્યું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. પહેલાં શુદ્ર હતાં પછી બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનવાનું છે. દુનિયામાં કોઈને આ ખબર નથી કે હમણાં આપણે શૂદ્ર વર્ણનાં છીએ. આપ બાળકો સમજો છો આ તો સત્ય વાત છે. બાપ સત્ય જણાવીને, સચખંડ ની સ્થાપના કરી રહ્યાં છે. સતયુગ માં જુઠ્ઠ, પાપ વગેરે કાંઈ પણ નથી હોતું. કળયુગ માં જ અજામિલ, પાપ આત્માઓ હોય છે. આ સમય બિલકુલ રૌરવ નરક નો જ છે. દિવસ-પ્રતિદિવસ રૌરવ નરક દેખાશે. મનુષ્ય એવાં-એવાં કર્તવ્ય કરતાં રહેશે જે સમજાશે બિલ્કુલ જ તમોપ્રધાન દુનિયા બનતી જઈ રહી છે. આમાં પણ કામ મહાશત્રુ છે. કોઈ મુશ્કિલ પવિત્ર શુદ્ધ રહી શકે છે. પહેલાં જંગમ (ફકીર) લોકો કહેતા હતાં - એવો કળયુગ આવશે જે ૧૨-૧૩ વર્ષ ની કુમારીઓ બાળક પેદા કરશે. હવે એ સમય છે. કુમાર-કુમારીઓ વગેરે બધાં ગંદ કરતાં રહે છે. જ્યારે બિલ્કુલ જ તમોપ્રધાન બની જાય છે ત્યારે બાપ કહે છે હું આવું છું, મારો પણ ડ્રામા માં પાર્ટ છે. હું પણ ડ્રામાનાં બંધન માં બંધાયેલો છું. આપ બાળકોનાં માટે કોઇ નવી વાત નથી. બાપ સમજાવે જ એવું છે. ચક્ર લગાવ્યું, નાટક પૂરું થાય છે. હવે બાપ ને યાદ કરો તો તમે સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો. કેટલું સાધારણ રીતે સમજાવે છે. બાપ કાંઈ પોતાનાં પાર્ટ ને એટલું મહત્વ નથી આપતાં. આ તો મારો પાર્ટ છે, નવી વાત નથી. દર ૫ હજાર વર્ષ પછી મારે આવવું પડે છે. ડ્રામામાં હું બંધાયમાન છું. આવીને આપ બાળકોને ખુબ સહજ યાદની યાત્રા બતાવું છું. અંત મતિ સો ગતિ…. તે આ સમયનાં માટે જ કહેવાયું છે. આ અંતકાળ છે ને. બાપ યુક્તિ બતાવે છે - મામેકમ્ યાદ કરો તો સતોપ્રધાન બની જશો. બાળકો પણ સમજે છે અમે નવી દુનિયાનાં માલિક બનીશું. બાપ ઘડી-ઘડી કહે છે નથિંગન્યુ. એક જીન્ન ની વાર્તા સંભળાવે છે ને - તેણે કહ્યું કામ આપો, તો કહ્યું સીડી ઉતરો અને ચઢો. બાપ પણ કહે છે આ રમત પણ ઉતરવાની અને ચઢવાની છે. પતિત થી પાવન, પાવન થી પતિત બનવાનું છે. આ કોઈ ડિફિકલ્ટ વાત નથી. છે ખુબ સહજ, પરંતુ યુદ્ધ કયુ છે, એ ન સમજવાનાં કારણે શાસ્ત્રોમાં લડાઈ ની વાત લખી દીધી છે. હકીકતમાં માયા રાવણ પર જીત પામવી તો બહુ મોટી લડાઈ છે. બાળકો જુએ છે અમે ઘડી-ઘડી બાપ ને યાદ કરીએ છીએ, પછી યાદ તૂટી જાય છે. માયા દીવો બુઝાવી દે છે. આનાં પર ગુલબકાવલી ની પણ વાર્તા છે. બાળકો જીત પામે છે. બહુ સારા ચાલે છે પછી માયા આવીને દીવો બુઝાવી દે છે. બાળકો પણ કહે છે બાબા માયાનાં તોફાન તો ખુબ આવે છે. તોફાન પણ અનેક પ્રકારનાં બાળકો ની પાસે આવે છે. ક્યારેક-ક્યારેક તો એવું તોફાન જોર થી આવે છે જે આ ૮-૧૦ વર્ષ નાં જૂનાં સારાં-સારાં ઝાડ પણ પડી જાય છે. બાળકો જાણે છે, વર્ણન પણ કરે છે. સારાં-સારાં માળા નાં દાણા હતાં. આજે છે જ નહીં. આ પણ ઉદાહરણ છે, ગજ ને ગ્રાહે ખાધો. આ છે માયા નું તોફાન.

બાપ કહે છે આ ૫ વિકારો થી સંભાળ રાખતાં રહો. યાદમાં રહેશો તો મજબૂત થઈ જશો. દેહી-અભિમાની બનો. આ શિક્ષા બાપ ની એક જ વાર મળે છે. એવું ક્યારેય બીજું કોઈ કહેશે નહીં કે તમે આત્મ-અભિમાની બનો. સતયુગમાં પણ એવું નહીં કહેશે. નામ, રુપ, દેશ, કાળ બધું યાદ રહે જ છે. આ સમયે તમને સમજાવું છું - હવે પાછાં ઘરે જવાનું છે. તમે પહેલાં સતોપ્રધાન હતાં, સતો-રજો-તમો માં તમે પૂરા ૮૪ જન્મ લીધાં છે. એમાં પણ નંબરવન આ (બ્રહ્મા) છે. બીજાઓનાં ૮૩ જન્મ પણ હોઈ શકે છે આમનાં માટે પૂરા ૮૪ જન્મ છે. આ પહેલાં-પહેલાં શ્રી નારાયણ હતાં. આમનાં માટે કહે છે એટલે બધાં માટે સમજી જાય છે, ઘણાં જન્મો નાં અંતમાં જ્ઞાન લઈને પછી એ નારાયણ બને છે. ઝાડમાં પણ દેખાડ્યું છે ને - અહીંયા શ્રી નારાયણ અને પાછળ માં બ્રહ્મા ઉભાં છે. નીચે રાજયોગ શીખી રહ્યાં છે. પ્રજાપિતા ને ક્યારેય પરમપિતા નહીં કહીશું. પરમપિતા એક ને કહેવાય છે. પ્રજાપિતા પછી આમને કહેવાય છે. આ દેહધારી છે, એ વિદેહી, વિચિત્ર છે. લૌકિક બાપ ને પિતા કહીશું, આમને પ્રજાપિતા કહીશું. એ પરમપિતા તો પરમધામ માં રહે છે. પ્રજાપિતા બ્રહ્મા પરમધામ માં નહીં કહીશું. તે તો અહીં સાકારી દુનિયામાં થઈ ગયાં. સૂક્ષ્મવતન માં પણ નથી. પ્રજા તો છે સ્થૂળ-વતનમાં. પ્રજાપિતા ને ભગવાન નથી કહેવાતાં. ભગવાનનું કોઈ શરીર નું નામ નથી. મનુષ્ય તન જેનાં પર નામ પડે છે, તેનાથી એ ન્યારા છે. આત્માઓ ત્યાં રહે છે તો સ્થૂળ નામ-રુપ થી ન્યારી છે. પરંતુ આત્મા તો છે ને. સાધુ-સંત વગેરે કાંઈ પણ નથી જાણતાં. તે લોકો ફક્ત ઘરબાર છોડે છે. બાકી દુનિયાનાં વિકારો નાં અનુભવી તો છે ને. નાનાં બાળકો ને કાંઈ પણ ખબર નથી હોતી એટલે તેમને મહાત્મા કહેવાય છે. ૫ વિકારો ની એમને ખબર જ નથી હોતી. નાનાં બાળકો ને પવિત્ર કહેવાય છે. આ સમયે તો કોઈ પવિત્ર આત્મા હોઈ નથી શકતી. નાનાં થી મોટા થશે છતાં પણ પતિત તો કહેશું ને. બાપ સમજાવે છે બધાંનો અલગ-અલગ પાર્ટ આ ડ્રામામાં નોંધાયેલો છે. આ ચક્ર માં કેટલાં શરીર લે છે, કેટલાં કર્મ કરે છે, તે બધું પછી રીપીટ થવાનું છે. પહેલાં-પહેલાં આત્માને ઓળખવાની છે. આટલી નાની આત્મામાં ૮૪ જન્મોનો અવિનાશી પાર્ટ ભરેલો છે. આ જ છે સૌથી વન્ડરફુલ વાત. આત્મા પણ અવિનાશી છે. ડ્રામા પણ અવિનાશી છે, બન્યો-બનેલ છે. એવું નહીં કહીશું ક્યાર થી શરું થયો. કુદરત કહે છે ને. આત્મા કેવી છે, આ ડ્રામા કેવી રીતે બનેલો છે, આમાં કોઈ કાંઈ પણ કરી નથી શકતું. જેમ સમુદ્ર અથવા આકાશ નો અંત નથી કાઢી શકાતો. આ અવિનાશી ડ્રામા છે. કેટલું વન્ડર (આશ્ચર્ય) લાગે છે. જેમ બાબા વન્ડરફુલ તેમ જ્ઞાન પણ ખુબ વન્ડરફુલ છે. ક્યારેય કોઈ બતાવી ન શકે. આટલાં બધાં એક્ટર્સ પોત-પોતાનો પાર્ટ ભજવતાં જ આવે છે. નાટક ક્યારે બન્યું, આ કોઈ પ્રશ્ન ઉઠાવી ન શકે. ઘણાં કહે છે ભગવાન ને શું પડી હતી જે દુઃખ-સુખ ની દુનિયા બેસી બનાવી. અરે આ તો અનાદિ છે. પ્રલય વગેરે થતી નથી. બની-બનાવેલી છે, એવું થોડી કહી શકીએ આ કેમ બનાવી! આત્માનું જ્ઞાન પણ બાપ તમને ત્યારે સંભળાવે છે જ્યારે સમજદાર બનો છો. તો તમે દિવસ-પ્રતિદિવસ ઉન્નતિ ને પામતાં રહો છો. પહેલાં-પહેલાં તો બાબા ખુબ થોડું-થોડું સંભળાવતાં હતાં. વન્ડરફુલ વાતો હતી છતાં પણ કશિશ તો હતી ને. એમણે ખેંચ્યાં. ભઠ્ઠી ની પણ કશિશ હતી. શાસ્ત્રોમાં પછી દેખાડ્યું છે કૃષ્ણ ને કંસપુરી થી નીકાળી લઈ ગયાં. હવે તમે જાણો છો કંસ વગેરે તો ત્યાં હોતાં જ નથી. ગીતા ભાગવત, મહાભારત આ બધાં કનેક્શન (સંબંધ) રાખે છે, છે તો કાંઈ પણ નહીં. સમજે છે આ દશેરા વગેરે તો પરંપરા થી ચાલ્યું આવે છે. રાવણ શું ચીજ છે, એ પણ કોઈ જાણતું નથી. જે પણ દેવી-દેવતા હતાં તે નીચે ઉતરતાં-ઉતરતાં પતિત બની ગયાં છે. બુમો પણ તે મારે છે જે વધારે પતિત બન્યાં છે એટલે પોકારે પણ છે હેં પતિત-પાવન. આ બધી વાતો બાપ જ બેસી સમજાવે છે. સૃષ્ટિ ચક્રનાં આદિ-મધ્ય-અંત ને બીજું કોઈ નથી જાણતું. તમે જાણવાથી ચક્રવર્તી રાજા બની જાઓ છો. ત્રિમૂર્તિ માં લખેલું છે - આ તમારો ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના….. વિનાશ પણ જરુર થવાનો છે. નવી દુનિયામાં ખુબ થોડાં હોય છે. હમણાં તો અનેક ધર્મ છે. સમજે છે એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે નહીં. પછી જરુર તે એક ધર્મ જોઈએ, મહાભારત પણ ગીતા થી સંબંધ રાખે છે. આ ચક્ર ફરતું રહે છે. એક સેકન્ડ પણ બંધ નથી થઇ શકતું. કોઈ નવી વાત નથી, અનેકવાર રાજાઈ લીધી છે, જેમનું પેટ ભરેલું હોય છે, તે ગંભીર રહે છે. અંદરમાં સમજો છો આપણે કેટલીવાર રાજાઈ લીધી હતી, કાલની જ વાત છે. કાલે જ દેવી-દેવતા હતાં પછી ચક્ર લગાવી આજે આપણે પતિત બન્યાં છીએ પછી આપણે યોગબળ થી વિશ્વની બાદશાહી લઈએ છીએ. બાપ કહે છે કલ્પ-કલ્પ તમે જ બાદશાહી લો છો. જરા પણ ફરક નથી પડી શકતો. રાજાઈ માં કોઈ ઓછું, કોઈ ઊંચ બનશે. આ પુરુષાર્થ થી જ થાય છે.

તમે જાણો છો પહેલાં આપણે બંદર થી પણ બદતર હતાં. હવે બાપ મંદિર લાયક બનાવી રહ્યાં છે. જે સારાં-સારાં બાળકો છે તેમની આત્મા અનુભવ કરે છે, બરાબર અમે તો કોઈ કામના નહોતાં. હવે આપણે વર્થ પાઉન્ડ બની રહ્યાં છીએ. કલ્પ-કલ્પ બાપ આપણ ને પેની થી પાઉન્ડ (કૌડીતુલ્ય થી હીરાતુલ્ય) બનાવે છે. કલ્પ પહેલાં વાળા જ આ વાતોને સારી રીતે સમજશે. તમે પણ પ્રદર્શની વગેરે કરો છો, નથિંગન્યુ. આમનાં દ્વારા જ તમે અમરપુરી ની સ્થાપના કરી રહ્યાં છો. ભક્તિમાર્ગમાં દેવીઓ વગેરેનાં કેટલાં મંદિર છે. આ બધી છે પૂજારીપણા ની સામગ્રી. પૂજ્યપણા ની સામગ્રી કંઈ પણ નથી. બાપ કહે છે દિવસ-પ્રતિદિવસ તમને ગુહ્ય પોઈન્ટ્સ (વાતો) સમજાવતાં રહે છે. પહેલાંની અસંખ્ય પોઈન્ટ્સ તમારી પાસે રાખેલી છે. તે હવે શું કરશો. એમ જ પડી રહે છે. વર્તમાન માં બાપદાદા નવી-નવી પોઈન્ટ્સ સમજાવતાં રહે છે. આત્મા આટલી નાની એવી બિંદી છે, તેમાં આખો પાર્ટ ભરેલો છે. આ પોઈન્ટ્સ કોઈ પહેલાં વાળી ચોપડીમાં થોડી હશે. પછી જૂની પોઈન્ટ્સ ને તમે શું કરશો. અંતનું રીઝલ્ટ જ કામ આવે છે. બાપ કહે છે કલ્પ પહેલાં પણ તમને આવી રીતે જ સંભળાવ્યું હતું. નંબરવાર ભણતાં રહે છે. કોઈ સબ્જેક્ટ (વિષય) માં નીચે-ઉપર થતાં રહે છે. વ્યાપારમાં પણ ગ્રહચારી બેસે છે, આમાં હાર્ટફેલ નથી થવાનું. ફરી ઉઠીને પુરુષાર્થ કરાય છે. મનુષ્ય દેવાળું કાઢે છે ફરી ધંધો વગેરે કરી ખુબ ધનવાન બની જાય છે. અહીંયા પણ કોઈ વિકારમાં પડે છે છતાં પણ બાપ કહેશે સારી રીતે પુરુષાર્થ કરી ઊંચુ પદ પામો. ફરીથી ચઢવાનું શરું કરવું જોઈએ. બાપ કહે છે ઉતર્યા છો ફરી ચઢો. એવાં ઘણાં છે, ઉતરે છે તો પછી ચઢવાની કોશિશ કરે છે. બાબા મનાઈ થોડી કરશે. બાપ જાણે છે એવાં પણ ઘણાં આવશે. બાપ કહેશે પુરુષાર્થ કરો. છતાં પણ કંઈ ન કંઈ મદદગાર તો બની જશે ને. ડ્રામા પ્લાન અનુસાર જ કહીશું. બાપ કહેશે - સારું બાળકો, હવે તૃપ્ત થયાં, ખુબ ગોતા ખાધાં હવે ફરીથી પુરુષાર્થ કરો. બેહદ નાં બાપ તો એવું કહેશે ને. બાબા ની પાસે કેટલાં આવે છે મળવાં. કહું છું બેહદ નાં બાપ નું કહેવાનું નહીં માનશો, પવિત્ર નહીં બનશો! બાપ આત્મા સમજી આત્માને કહે છે તો તીર જરુર લાગશે. સમજો સ્ત્રી ને તીર લાગી જાય છે તો કહેશે અમે તો પ્રતિજ્ઞા કરીએ છીએ. પુરુષ ને નથી લાગતું. પછી આગળ ચાલીને તેમને પણ ચઢાવવાની કોશિશ કરશે. પછી એવાં પણ ઘણાં આવે છે, જેમને સ્ત્રી જ્ઞાન માં લઇ આવે છે. તો કહે છે સ્ત્રી અમારી ગુરુ છે. તે બ્રાહ્મણ લોકો રાખડી બાંધતા સમયે કહે છે આ તમારા ગુરુ ઈશ્વર છે. અહીંયા બાપ કહે છે તમારા એક જ બાપ બધુંજ છે. મારા તો એક બીજું ન કોઈ. બધાં એમને જ યાદ કરે છે. એ એક થી જ યોગ લગાવવાનો છે. આ દેહ પણ મારી નથી. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
 

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ ગ્રહચારી આવે છે તો દિલશિકસ્ત થઈ બેસી નથી જવાનું. ફરીથી પુરુષાર્થ કરી, બાપ ની યાદ માં રહી ઉંચ પદ પામવાનું છે.

2. સ્વયં ની સ્થિતિ યાદ થી એવી મજબૂત બનાવવાની છે જે કોઈપણ માયાનાં તોફાન વાર ન કરી શકે. વિકારો થી પોતાની સંભાળ કરતાં રહેવાનું છે.

વરદાન :-
ત્રિકાળદર્શી અને સાક્ષી દૃષ્ટા બની દરેક કર્મ કરતાં બંધનમુક્ત સ્થિતિનાં અનુભવ દ્વારા દૃષ્ટાંત રુપ ભવ

જો ત્રિકાળદર્શી સ્ટેજ પર સ્થિત થઇ, કર્મનાં આદિ મધ્ય અંત ને જાણીને કર્મ કરો છો તો કોઈ પણ કર્મ વિકર્મ નથી થઈ શકતું, સદા સુકર્મ થશે. એમ જ સાક્ષી દૃષ્ટા બની કર્મ કરવાથી કોઈ પણ કર્મનાં બંધનમાં કર્મબંધની આત્મા નહીં બનશો. કર્મનું ફળ શ્રેષ્ઠ હોવાનાં કારણે કર્મ સંબંધ માં આવશો, બંધનમાં નહીં. કર્મ કરતાં ન્યારા અને પ્યારા રહેશો તો અનેક આત્માઓની સામે દૃષ્ટાંત રુપ અર્થાત્ ઉદાહરણ બની જશો.

સ્લોગન :-
જે મન થી સદા સંતુષ્ટ છે તે જ ડબલ લાઈટ છે.