12-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - પોતાની તકદીર ઊંચી બનાવવી છે તો કોઈથી પણ વાત કરતાં , જોતાં બુદ્ધિનો યોગ એક બાપ થી લગાવો ”

પ્રશ્ન :-
નવી દુનિયાની સ્થાપના નાં નિમિત્ત બનવા વાળા બાળકો ને બાપનું કયું ડાયરેક્શન (માર્ગદર્શન) મળેલું છે?

ઉત્તર :-
બાળકો, તમારું આ જુની દુનિયાથી કોઈ કનેક્શન (સંબંધ) નથી. પોતાનું દિલ આ જૂની દુનિયાથી નહીં લગાવો. તપાસ કરો અમે શ્રીમત નાં વિરુદ્ધ કર્મ તો નથી કરતાં? રુહાની સર્વિસ (સેવા) નાં નિમિત્ત બન્યાં છીએ?

ગીત :-
ભોલેનાથ સે નિરાલા …

ઓમ શાંતિ!
હવે ગીત સાંભળવાની કોઈ જરુરત નથી રહેતી. ગીત વધારે કરીને ભક્ત જ ગાએ છે અને સાંભળે છે. તમે તો ભણતર ભણો છો. આ ગીત પણ બાળકો માટે જ ખાસ બનેલાં છે. બાળકો જાણે છે - બાપ આપણી તકદીર ઉંચી બનાવી રહ્યાં છે. હવે આપણે બાપ ને જ યાદ કરવાનાં છે અને દૈવી ગુણ ધારણ કરવાનાં છે. પોતાનો પોતામેલ જોવાનો છે. જમા થાય છે કે ઘાટો થતો રહે છે. આપણામાં કોઈ ખામી તો નથી? જો ખામી છે, જેનાથી આપણી તકદીરમાં ઘાટો પડી જશે તો એને નીકાળી દેવી જોઈએ. આ સમયે દરેકે પોતાની તકદીર ઊંચી બનાવવાની છે. તમે સમજાવો છો આપણે આ લક્ષ્મી-નારાયણ બની શકીએ છીએ. જો સિવાય એક બાપનાં બીજા કોઈ ને યાદ નહીં કરશો તો. કોઈથી વાત કરતાં, જોવાં છતાં બુદ્ધિનો યોગ ત્યાં એકની સાથે લાગેલો રહે. આપણે આત્માઓએ બાપને જ યાદ કરવાનાં છે. બાપનું ફરમાન મળેલું છે. સિવાય મારા બીજા કોઈથી દિલ નહીં લગાવો અને દૈવી ગુણ ધારણ કરો. બાપ સમજાવે છે, તમારા હવે ૮૪ જન્મ પૂરા થયાં છે. હવે પાછાં તમે જઈ ને પહેલો નંબર લો રાજાઈ માં. એવું ન થાય કે રાજાઈ થી ઉતરીને નીચે પ્રજામાં ચાલ્યાં જાઓ, પ્રજામાં પણ નીચે ચાલ્યાં જાઓ. ના, પોતાની તપાસ કરતાં રહો. આ સમજણ બાપ વગર તો બીજું કોઈ આપી ન શકે. બાપ ને, શિક્ષક ને યાદ કરવાથી ડર રહેશે. એવું ન થાય અમને કોઈ સજા મળી જાય. ભક્તિમાં પણ સમજે છે પાપ કર્મ કરવાથી અમે સજાનાં ભાગી બની જઈશું. મોટા બાબાનાં ડાયરેક્શન તો હમણાં જ મળે છે, જેને શ્રીમત કહે છે. બાળકો જાણે છે કે શ્રીમત થી આપણે શ્રેષ્ઠ બનીએ છીએ. પોતાની તપાસ કરવાની છે. ક્યાંક-ક્યાંક આપણે શ્રીમત નાં વિરુદ્ધ તો કંઈ કરતાં નથી? જે વાત સારી ન લાગે તે કરવી ન જોઈએ. સારા ખરાબ ને તો હવે સમજો છો, પહેલાં સમજતા નહોતાં. હવે તમે એવાં કર્મ શીખો છો જે પછી જન્મ-જન્માંતર કર્મ અકર્મ બની જાય છે. આ સમયે તો બધામાં ૫ ભૂત પ્રવેશ છે. હવે સારી રીતે પુરુષાર્થ કરી કર્માતીત બનવાનું છે. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. સમય નાજુક થતો જાય છે, દુનિયા બગડતી જાય છે. દિન-પ્રતિદિન બગડતી જ રહેશે. આ દુનિયાથી તમારું જેમકે કનેક્શન (સંબંધ) જ નથી. તમારું કનેક્શન છે નવી દુનિયાથી, જે સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો આપણે નિમિત્ત બનીએ છીએ નવી દુનિયા સ્થાપન કરવાં. તો જે લક્ષ્ય-હેતુ સામે છે, એમનાં જેવું બનવાનું છે. કોઈ પણ આસુરી ગુણ અંદર ન હોય. રુહાની સર્વિસમાં લાગેલા રહેવાથી ઉન્નતી બહુજ થાય છે. પ્રદર્શની, મ્યુઝિયમ વગેરે બનાવે છે. સમજે છે બહુજ લોકો આવશે, એમને બાપનો પરિચય આપશું, પછી તે પણ બાપ ને યાદ કરવાં લાગી જશે. આખો દિવસ આ જ વિચારો ચાલતાં રહે. સેવાકેન્દ્ર ખોલી સર્વિસને વધારીએ, આ રત્ન બધાં તમારી પાસે છે. બાપ દૈવી ગુણ પણ ધારણ કરાવે છે અને ખજાનો આપે છે. તમે અહીંયા બેઠા છો બુદ્ધિમાં છે સૃષ્ટિનાં આદિ મધ્ય અંત ને જાણો છો. પવિત્ર પણ રહો છો. મન્સા-વાચા-કર્મણા કોઈ ખરાબ કર્મ ન થાય, એની પૂરી તપાસ કરવાની હોય છે. બાપ આવ્યાં જ છે પતિતો ને પાવન બનાવવાં. એનાં માટે યુક્તિઓ પણ બતાવતાં રહે છે. એમાં જ રમણ કરતાં રહેવાનું છે. સેવાકેન્દ્ર ખોલી અનેકોને નિમંત્રણ આપવાનું છે. પ્રેમ થી બેસીને સમજાવવાનું છે. આ જુની દુનિયા ખતમ થવાની છે. પહેલાં તો નવી દુનિયા ની સ્થાપના બહુ જરુરી છે. સ્થાપના થાય છે સંગમ પર. આ પણ મનુષ્યોને ખબર નથી કે હમણાં સંગમયુગ છે. આ પણ સમજાવવાનું છે કે નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ એનો હવે સંગમ છે. નવી દુનિયાની સ્થાપના શ્રીમત પર થઈ રહી છે. સિવાય બાપનાં બીજું કોઈ નવી દુનિયાની સ્થાપના ની મત આપશે નહીં. બાપ જ આવીને આપ બાળકો થી નવી દુનિયાનું ઉદ્દઘાટન કરાવે છે. એકલા તો નહીં કરશે. બધાં બાળકો ની મદદ લે છે. તે લોકો ઉદ્દઘાટન કરવા માટે મદદ નહીં લેશે. આવીને કાતરથી રીબીન કાપશે. અહીંયા તો તે વાત નથી. આમાં તમે બ્રાહ્મણ કુલભૂષણ મદદગાર બનો છો. બધાં મનુષ્ય માત્ર રસ્તો બિલ્કુલ મૂંઝાયેલાં છે. પતિત દુનિયાને પાવન બનાવવી એ બાપનું જ કામ છે. બાપ જ નવી દુનિયાની સ્થાપના કરે છે, જેનાં માટે રુહાની નોલેજ આપે છે. તમે જાણો છો બાપની પાસે નવી દુનિયાની સ્થાપના કરવાની યુક્તિ છે. ભક્તિમાર્ગ માં એમને પોકારો છો ને-હેં પતિત-પાવન આવો. ભલે શિવની પૂજા પણ કરતાં રહે છે. પરંતુ આ જાણતાં નથી કે પતિત-પાવન કોણ છે. દુઃખમાં યાદ તો કરે છે હેં ભગવાન, હેં રામ. રામ પણ નિરાકાર ને જ કહે છે. નિરાકાર ને જ ઊંચ ભગવાન કહે છે. પરંતુ મનુષ્ય બહુજ મૂંઝાયેલાં છે. બાપે આવીને નીકાળ્યાં છે. જેમ ફાગી (ધુમ્મસ) માં મનુષ્ય મૂંઝાઈ જાય છે ને. આ તો છે બેહદની વાત. ખુબજ મોટા જંગલમાં આવીને પડ્યાં છે. તમને પણ બાપે મહેસૂસ કરાવ્યું છે કે આપણે કયા જંગલમાં પડયાં હતાં. આ પણ હવે ખબર પડી છે-આ જૂની દુનિયા છે. આનો પણ અંત છે. મનુષ્ય તો બિલ્કુલ રસ્તો જાણતાં જ નથી. બાપને પોકારતાં રહે છે. તમે હવે પોકારતાં નથી. હમણાં આપ બાળકો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. તે પણ નંબરવાર. જે જાણે છે તે બહુજ ખુશી માં રહે છે. બીજાઓને પણ રસ્તો બતાવવા માટે તત્પર રહે છે. બાપ તો કહેતાં રહે છે મોટાં-મોટાં સેવાકેન્દ્ર ખોલો. ચિત્ર મોટાં-મોટાં હશે તો મનુષ્ય સહજ સમજી શકશે. બાળકો માટે નક્શા (ચિત્ર) જરુર જોઈએ. કહેવું જોઈએ - આ પણ સ્કૂલ છે. અહીંયા નાં આ વન્ડરફુલ નક્શા છે, એ સ્કૂલો નાં નક્શામાં તો હોય છે હદ ની વાતો. આ છે બેહદ ની વાતો. આ પણ પાઠશાળા છે, જેમાં બાપ અમને સૃષ્ટિનાં આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવી અને લાયક બનાવે છે. મનુષ્ય થી દેવતા બનવાની આ ઈશ્વરીય પાઠશાળા છે. લખેલું જ છે ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય. આ છે રુહાની પાઠશાળા. ફક્ત ઈશ્વરીય વિશ્વવિદ્યાલય થી પણ મનુષ્ય સમજી નથી શકતાં. યુનિવર્સિટી પણ લખવું જોઈએ. આવું ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કોઈ છે નહીં. બાબાએ કાર્ડ જોયાં હતાં. કોઈક અક્ષર ભૂલાયેલાં હતાં. બાબાએ કેટલીવાર કહ્યું છે કે પ્રજાપિતા અક્ષર જરુર નાખો છતાં પણ બાળકો ભૂલી જાય છે. લખાણ પૂરું હોવું જોઈએ. જે મનુષ્યો ને ખબર પડે કે આ ઈશ્વરીય મોટી કોલેજ છે. બાળકો જે સેવા પર ઉપસ્થિત છે, જે સારા સેવાધારી છે, એમને પણ દિલમાં રહે છે અમે ફલાણા સેવાકેન્દ્રને જઈને જગાડીએ, ઠંડુ પડી ગયું છે, એમને જગાડીએ કારણ કે માયા એવી છે જે ઘડી-ઘડી સુવડાવી દે છે. હું સ્વદર્શન ચક્રધારી છું, એ પણ ભૂલી જાય છે. માયા બહુ જ ઓપોઝિશન (વિરોધ) કરે છે. તમે યુદ્ધનાં મેદાન માં છો. માયા માથું ફેરવીને ઉલટી તરફ ન લઈ જાય, એની બહુ જ સંભાળ કરવાની છે. માયાનાં તોફાન તો બહુ જ બધાને લાગે છે. નાનાં અથવા મોટા બધાં યુદ્ધ નાં મેદાનમાં છો. પહેલવાન ને માયાનાં તોફાન હલાવી ન શકે. તે અવસ્થા પણ આવવાની છે.

બાપ સમજાવે છે- સમય બહુજ ખરાબ છે, હાલત બગડેલી છે. રાજાઈ તો બધી ખતમ થઈ જવાની છે. બધાને ઉતારી દેશે. પછી પ્રજાનું પ્રજા પર રાજ્ય આખી દુનિયામાં થઇ જશે. તમે પોતાની નવી રાજાઈ સ્થાપન કરો છો તો અહીંયા રાજાઈ નું નામ પણ ખતમ થઇ જશે. પંચાયતી રાજ્ય થતું જાય છે. જ્યારે પ્રજા નું રાજ્ય છે ત્યારે તો આપસમાં લડે ઝઘડે. સ્વરાજ્ય અથવા રામરાજ્ય તો વાસ્તવ હકીકતમાં છે નહીં એટલે આખી દુનિયામાં ઝઘડા જ થતાં રહે છે. આજકાલ તો હંગામા બધી જગ્યાએ છે. તમે જાણો છો - આપણે પોતાની રાજાઈ સ્થાપન કરી રહ્યાં છીએ. તમે બધાને રસ્તો બતાવો છો. બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. બાપની યાદમાં રહી બીજાઓને પણ આ સમજાવવાનું છે - દેહી-અભિમાની બનો. દેહ-અભિમાન છોડો. એવું નથી કે તમારામાં બધાં દેહી-અભિમાની બન્યાં છે. ના, બનવાનું છે. તમે પુરુષાર્થ કરો છો બીજાઓને પણ કરાવો છો. યાદ કરવાની કોશિશ કરે છે પછી ભૂલી જાય છે. પુરુષાર્થ આ જ કરવાનો છે. મૂળ વાત છે બાપ ને યાદ કરવાં. બાળકોને કેટલું સમજાવે છે. નોલેજ બહુજ સારું મળે છે. મૂળ વાત છે પવિત્ર રહેવું. બાપ પાવન બનાવવા આવ્યાં છે તો પછી પતિત નથી બનવાનું, યાદ થી જ તમે સતોપ્રધાન બની જશો. આ ભૂલવાનું નથી. માયા આમાં જ વિઘ્ન નાખી ભુલાવી દે છે. રાત-દિવસ આ તાત (લગન) રહે અમે બાપ ને યાદ કરી સતોપ્રધાન બનીએ. યાદ એવી પાક્કી હોવી જોઈએ જે પાછળ થી સિવાય એક બાપનાં બીજું કોઈ પણ યાદ ન રહે. પ્રદર્શનીમાં પણ પહેલાં-પહેલાં આ સમજાવવું જોઈએ આ છે સૌનાં બાપ ઊંચે થી ઊંચા ભગવાન. સૌનાં બાપ પતિત-પાવન સદ્દગતિ દાતા આ છે. આ જ સ્વર્ગ નાં રચયિતા છે.

હવે આપ બાળકો જાણો છો બાપ આવે જ છે સંગમયુગ પર. બાપ જ રાજયોગ શીખવાડે છે. પતિત-પાવન એક નાં સિવાય બીજું કોઈ હોઈ ન શકે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવો પડે છે. હવે એક-એક ને આમ એક ચિત્ર પર બેસીને સમજાવશો તો આટલી ભીડ ને કેવી રીતે સમજાવી શકશો. પરંતુ પહેલાં-પહેલાં બાપનાં ચિત્ર પર સમજાવવું મુખ્ય છે. સમજાવવું પડે છે - ભક્તિ છે અથાહ, જ્ઞાન તો છે એક. બાપ કેટલી યુક્તિઓ બાળકોને બતાવતાં રહે છે. પતિત-પાવન એક બાપ છે. રસ્તો પણ બતાવે છે. ગીતા ક્યારે સંભળાવી? એ પણ કોઈને ખબર નથી. દ્વાપરયુગ ને કાંઈ સંગમયુગ નથી કહેવાતો. યુગે-યુગે તો બાપ નથી આવતાં. મનુષ્ય તો બિલ્કુલ મુંઝાઈ ગયાં છે. આખો દિવસ આ જ વિચાર ચાલે છે, કેવી રીતે સમજાવાય. બાપને ડાયરેક્શન આપવાં પડે છે. ટેપ પર પણ મુરલી પૂરી સાંભળી શકો છો. કોઈ-કોઈ કહે છે ટેપ દ્વારા અમે સાંભળી રહ્યાં છીએ, કેમ નહીં ડાયરેક્ટ જઈને સાંભળીએ, એટલે સમ્મુખ આવે છે. બાળકોએ બહુજ સર્વિસ કરવાની છે. રસ્તો બતાવવાનો છે. પ્રદર્શની માં આવે છે. સારું-સારું પણ કહે છે પછી બહાર જવાથી માયાનાં વાયુમંડળમાં બધું ઉડી જાય છે. સિમરણ નથી કરતાં. એમની પછી પીઠ કરવી જોઈએ. બહાર જવાથી માયા ખેંચી લે છે. ગોરખધંધા માં લાગી જાય છે એટલે મધુબન નું ગાયન છે. તમને તો હમણાં સમજ મળી છે. તમે ત્યાં પણ જઈને સમજાવશો. ગીતાનાં ભગવાન કોણ છે? પહેલાં તો તમે પણ આમ જ જઈને માથું ઝુકાવતાં હતાં. હવે તો તમે બિલ્કુલ બદલાઈ ગયાં છો. ભક્તિ છોડી દીધી છે. તમે હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. બુદ્ધિમાં પૂરું નોલેજ છે. બીજા શું જાણે પ્રજાપિતા બ્રહ્માકુમાર, કુમારીઓ કોણ છે. તમે સમજાવો છો, હકીકતમાં તમે પણ પ્રજાપિતા બ્રહ્માકુમાર, કુમારી છો. આ સમયે જ બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ રહી છે. બ્રાહ્મણ કુળ પણ જરુર જોઈએ ને. સંગમ પર જ બ્રાહ્મણ કુળ હોય છે. પહેલાં બ્રાહ્મણોની ચોટી પ્રસિદ્ધ હતી. ચોટી થી કે જનોઈ થી ઓળખતાં હતાં કે આ હિન્દુ છે. હવે તો તે નિશાનીઓ પણ ચાલી ગઈ છે. હવે તમે જાણો છો આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બની શકાય છે. બ્રાહ્મણોએ જ નવી દુનિયા સ્થાપન કરી છે. યોગબળ થી સતોપ્રધાન બની રહ્યાં છીએ. પોતાની તપાસ કરવાની છે. કોઈ પણ આસુરી ગુણ ન હોય. લૂણપાણી નથી બનવાનું. આ તો યજ્ઞ છે ને. યજ્ઞ થી બધાની સંભાળ થતી રહે છે. યજ્ઞ માં સંભાળવા વાળા ટ્રસ્ટી પણ હોય છે. યજ્ઞ નાં માલિક તો છે શિવબાબા. આ બ્રહ્મા પણ ટ્રસ્ટી છે. યજ્ઞની સંભાળ કરવી પડે છે. આપ બાળકોને જે જોઈએ યજ્ઞ થી લેવાનું છે. બીજા કોઈ થી લઈને પહેરશો તો તે યાદ આવતાં રહેશે. એમાં બુદ્ધિની લાઈન બહુ જ ક્લિયર જોઈએ. હવે તો પાછું જવાનું છે. સમય બહુ થોડો છે એટલે યાદની યાત્રા પાક્કી રહે. આ જ પુરુષાર્થ કરવાનો છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ઉન્નતીનાં માટે રુહાની સર્વિસમાં તત્પર રહેવાનું છે. જે પણ જ્ઞાન રત્ન મળ્યાં છે એને ધારણ કરીને બીજાઓને પણ કરાવવાનાં છે.

2. પોતાની તપાસ કરવાની છે-અમારા માં કોઇ આસુરી ગુણ તો નથી? અમે ટ્રસ્ટી બનીને રહીએ છીએ? ક્યારેય લૂણપાણી તો નથી બનતાં? બુદ્ધિ ની લાઈન ક્લિયર છે?

વરદાન :-
કહેવું , વિચારવું અને કરવું - આ ત્રણેય ને સમાન બનાવવા વાળા જ્ઞાની તૂ આત્મા ભવ

હવે વાનપ્રસ્થ અવસ્થામાં જવાનો સમય સમીપ આવી રહ્યો છે - એટલે કમજોરીઓનાં મારાપણા ને કે વ્યર્થ નાં ખેલને સમાપ્ત કરી કહેવું, વિચારવું અને કરવું સમાન બનાવો ત્યારે કહેશે જ્ઞાન સ્વરુપ. જે આવાં જ્ઞાન સ્વરુપ જ્ઞાની તૂ આત્માઓ છે એમનાં દરેક કર્મ, સંસ્કાર, ગુણ અને કર્તવ્ય સમર્થ બાપનાં સમાન હશે. તે ક્યારેય વ્યર્થ નાં વિચિત્ર ખેલ નહીં રમી શકે. સદા પરમાત્મા મિલન નાં ખેલ માં વ્યસ્ત રહેશે. એક બાપ થી મિલન મનાવશે અને બીજાઓને બાપ સમાન બનાવશે.

સ્લોગન :-
સેવાઓનો ઉમંગ નાની-નાની બીમારીઓને મર્જ (વિસ્મૃત) કરી દે છે, એટલે સેવામાં સદા વ્યસ્ત રહો.