02-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમારે ભણતર ભણવાનું અને ભણાવવાનું છે , આમાં આશીર્વાદ ની વાત નથી , તમે બધાને આ જ બતાવો કે બાપ ને યાદ કરો તો બધાં દુઃખ દૂર થઈ જશે ”

પ્રશ્ન :-
મનુષ્યો ને કઈ-કઈ ફિકરો છે? આપ બાળકોને કોઈ પણ ફિકર નથી-કેમ?

ઉત્તર :-
મનુષ્યો ને આ સમયે ફિકર જ ફિકર છે - બાળક બિમાર થયું તો ફિકર, બાળક મર્યુ તો ફિકર, કોઈને બાળક ન થયું તો ફિકર, કોઈએ અનાજ વધારે રાખ્યું, પોલીસ અથવા ઇન્કમટેક્સ વાળા આવ્યાં તો ફિકર….. આ છે જ ગંદી દુનિયા, દુઃખ આપવા વાળી. આપ બાળકોને કોઈ ફિકર નથી, કારણ કે તમને સદ્દગુરુ બાબા મળ્યાં છે. કહે પણ છે ફિકર સે ફારિગ કિંદા સ્વામી સદ્દગુરુ… હવે તમે એવી દુનિયામાં જાઓ છો જ્યાં કોઈ ફિકર નથી.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ …..

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ ગીત સાંભળ્યું. અર્થ પણ સમજે છે, આપણે પણ માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે. આત્માઓ બધાં છે ભાઈઓ. તો બાપ આપ ભાઈઓ ને કહે છે, જેમ હું પ્રેમ નો સાગર છું, તમારે પણ બહુ જ પ્રેમથી ચાલવાનું છે. દેવતાઓ માં બહુ જ પ્રેમ છે, કેટલો એમને પ્રેમ કરે છે, ભોગ લગાવે છે. હવે તમારે પવિત્ર બનવાનું છે, મોટી વાત તો છે નહીં. આ બહુજ છી-છી દુનિયા છે. દરેક વાતની ફિકર રહે છે. દુઃખ પાછળ દુઃખ જ છે. આને કહેવાય છે દુઃખધામ. પોલીસ અથવા ઇન્કમટેકસ વાળા આવે છે, કેટલાં મનુષ્યો ને ત્રાસ થઈ જાય છે, વાત ન પૂછો! કોઈએ અનાજ વધારે રાખ્યું, પોલીસ આવી, પીળા થઈ જાય છે. આ કેવી ગંદી દુનિયાં છે. નર્ક છે ને. સ્વર્ગ ને યાદ પણ કરે છે. નર્ક પછી સ્વર્ગ, સ્વર્ગ પછી નર્ક - આ ચક્ર ફરતું રહે છે. બાળકો જાણે છે હમણાં બાપ આવ્યાં છે સ્વર્ગવાસી બનાવવાં. નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે. ત્યાં વિકાર હોતાં નથી કારણ કે રાવણ જ નથી. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી શિવાલય. આ છે વેશ્યાલય. હવે થોડા થોભો, બધાને ખબર પડી જશે - આ દુનિયામાં સુખ છે કે દુઃખ છે. થોડો ધરતીકંપ વગેરે થાય છે તો મનુષ્ય ની શું હાલત થઈ જાય છે. સતયુગમાં ફિકર ની જરા પણ વાત નથી. અહીંયા તો ફિકર ખુબજ છે - બાળક બીમાર થયું ફિકર, બાળક મરે ફિકર. ફિકર જ ફિકર છે. ફિકર સે ફારિગ કીંદા સ્વામી… બધાનાં સ્વામી તો એક જ છે ને. તમે શિવબાબાની આગળ બેઠા છો. આ બ્રહ્મા કોઈ ગુરુ નથી. આ તો ભાગ્યશાળી રથ છે. બાપ આ ભાગીરથ દ્વારા તમને ભણાવે છે. તે જ્ઞાન નાં સાગર છે. તમને પણ બધું જ્ઞાન મળ્યું છે. એવાં કોઈ દેવતા નથી જેમને તમે ન જાણો. સાચા અને ખોટા ની પરખ તમને છે. દુનિયામાં કોઈ પણ નથી જાણતું. સચખંડ હતો, હમણાં છે જૂઠખંડ. આ કોઈને ખબર નથી - સચખંડ ક્યારે અને કોણે સ્થાપન કર્યો. આ છે અજ્ઞાનની અંધારી રાત. બાપ આવી ને પ્રકાશ આપે છે. ગાએ પણ છે તમારી ગત-મત તમે જ જાણો. ઊંચે થી ઊંચા એ એક જ છે, બાકી બધી છે રચના. એ છે રચતા બેહદ નાં બાપ. તે છે હદ નાં બાપ જે ૨-૪ બાળકોને રચે છે. બાળક ન થયું તો ફિકર થઈ જાય છે. ત્યાં તો એવી વાત નથી રહેતી. આયુષ્યવાન ભવ, ધનવાન ભવ… તમે રહો છો. તમે કોઈ આશીર્વાદ નથી આપતાં. આ તો ભણતર છે ને. તમે છો શિક્ષક. તમે તો ફક્ત કહો છો શિવબાબા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ પણ શિક્ષણ થયું ને. આને કહેવાય છે સહજ યોગ અથવા યાદ. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. બાપ કહે છે હું પણ અવિનાશી છું. તમે મને બોલાવો છો કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા જ કહે છે ને. પતિત આત્મા, મહાન આત્મા કહેવાય છે. પવિત્રતા છે તો સુખ-શાંતિ પણ છે.

આ છે હોલીએસ્ટ ઓફ હોલી (સૌથી પવિત્ર) ચર્ચ. ક્રિશ્ચનનું કોઈ હોલી ચર્ચ નથી હોતું. ત્યાં તો વિકારી જાય છે. અહીંયા વિકારી ને આવવાનો હુકમ નથી. એક વાર્તા પણ છે ને - ઈન્દ્રસભા માં કોઈ પરી કોઈને છુપાવીને લઈ ગઈ, એમને ખબર પડી ગઈ તો પછી એને શ્રાપ મળ્યો પથ્થર બની જા. અહીંયા શ્રાપ વગેરેની કોઈ વાત નથી. અહીંયા જ્ઞાન વર્ષા થાય છે. પતિત કોઈ પણ આ હોલી-પેલેસ માં આવી ન શકે. એક દિવસ આ પણ થશે, હોલ પણ બહુ મોટો બની જશે. આ હોલીએસ્ટ ઓફ હોલી પેલેસ છે. તમે પણ હોલી બનો છો. મનુષ્ય સમજે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? આ કેવી રીતે થશે? પોતાનું જ્ઞાન હોય છે. દેવતાઓનાં આગળ કહે પણ છે આપ સર્વ ગુણ સમ્પન્ન છો, અમે પાપી છીએ. તો સ્વર્ગ છે પવિત્રમાં પવિત્ર. તેઓ જ પછી ૮૪ જન્મ લઈ હોલીએસ્ટ ઓફ હોલી બને છે. તે છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. બાળક આવ્યું તો ખુશી મનાવે, બિમાર થયું તો મોઢું પીળું પડી જાય, મરી જાય તો એકદમ પાગલ બની જાય. એવાં પણ કોઈ-કોઈ થઈ જાય છે. એવાં ને પણ લઈ આવે છે, બાબા આમનું બાળક મરી જવાથી માથું ખરાબ થઈ ગયું છે, આ દુઃખની દુનિયા છે ને. હવે બાપ સુખની દુનિયામાં લઈ જાય છે. તો શ્રીમત પર ચાલવું જોઈએ. ગુણ પણ ખુબ સારા જોઈએ. જે કરશે તે પામશે. દૈવી કેરેક્ટર (ચરિત્ર) પણ જોઈએ. સ્કૂલમાં રજીસ્ટર માં કેરેક્ટર પણ લખે છે. કોઈ તો બહાર ધક્કા ખાતાં રહે છે. મા-બાપ નાં નાકમાં દમ કરી દે છે. હવે બાપ શાંતિધામ-સુખધામ માં લઈ જાય છે. આને કહેવાય છે ટાવર ઓફ સાઈલેન્સ અર્થાત્ સાઈલેન્સ (શાંતિ) ની ઊંચાઈ, જ્યાં આત્માઓ નિવાસ કરે છે તે છે ટાવર ઓફ સાઈલેન્સ. સૂક્ષ્મવતન છે મૂવી, એનો ફક્ત તમે સાક્ષાત્કાર કરો છો, બાકી એમાં કંઈ પણ છે નહીં. આ પણ બાળકોને સાક્ષાત્કાર થયો છે. સતયુગ માં વૃદ્ધ થાય છે તો ખુશી થી શરીર છોડી દે છે. આ છે ૮૪ જન્મોનું જૂનું શરીર. બાપ કહે છે - તમે પાવન હતાં, હવે પતિત બન્યાં છો. હવે બાપ આવ્યાં છે તમને પાવન બનાવવાં. તમે મને બોલાવ્યો છે ને. જીવાત્મા જ પતિત બની છે પછી તે જ પાવન બનશે. તમે આ દેવી-દેવતાં સંપ્રદાય નાં હતાં ને. હવે આસુરી ઘર નાં છો. આસુરી અને ઈશ્વરીય અથવા દૈવી ઘરો માં કેટલો ફરક છે. આ છે તમારું બ્રાહ્મણ કુળ. ઘરાનાં કુળ ને કહેવાય છે, જ્યાં રાજ્ય હોય છે. અહીંયા રાજ્ય નથી. ગીતા માં પાંડવ અને કૌરવો નું રાજ્ય લખ્યું છે પરંતુ એવું છે નહીં.

તમે તો છો રુહાની બાળકો. બાપ કહે છે-મીઠા બાળકો, બહુજ બહુજ મીઠા બની જાઓ. પ્રેમ નાં સાગર બની જાઓ. દેહ અભિમાનનાં કારણે જ પ્રેમ નાં સાગર નથી બનતાં એટલે પછી બહુજ સજાઓ ખાવી પડે છે. પછી મોચરા (સજા) અને માની (પદ). સ્વર્ગમાં તો આવશે પરંતુ સજા બહુજ ખાશે. સજાઓ કેવી રીતે મળે છે, તે પણ આપ બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. બાબા તો સમજાવે છે બહુજ પ્રેમ થી ચાલો, નહીં તો ક્રોધનો અંશ આવી જાય છે. ધન્યવાદ કરો - બાપ મળ્યાં છે જે આપણને નર્ક થી કાઢીને સ્વર્ગ માં લઈ જાય છે. સજાઓ ખાવી તો બહુ ખરાબ છે. તમે જાણો છો સતયુગમાં છે પ્રેમ ની રાજધાની. પ્રેમનાં સિવાય કંઈ પણ નથી. અહીંયા તો થોડી વાતમાં શકલ (ચહેરો) બદલાઇ જાય છે. બાપ કહે છે હું પતિત દુનિયામાં આવ્યો છું, મને નિમંત્રણ જ પતિત દુનિયામાં આપો છો. બાપ પછી બધાને નિમંત્રણ આપે છે - અમૃત પીઓ. વિષ અને અમૃત નું એક પુસ્તક નીકળ્યું છે. પુસ્તક લખવાવાળા ને ઈનામ મળ્યું છે, નામીગ્રામી છે. જોવું જોઈએ શું લખ્યું છે. બાપ તો કહે છે તમને જ્ઞાન અમૃત પીવડાવું છું, તમે પછી વિષ કેમ ખાઓ (પીઓ) છો? રક્ષાબંધન પણ આ સમયનું યાદગાર છે ને. બાપ બધાને કહે છે પ્રતિજ્ઞા કરો, પવિત્ર બનવાની, આ અંતિમ જન્મ છે. પવિત્ર બનશો, યોગ માં રહેશો તો પાપ કપાઈ જશે. પોતાનાં દિલ થી પૂછવાનું છે, અમે યાદમાં રહીએ છીએ કે નહીં? બાળક ને યાદ કરી ખુશ થાય છે ને. સ્ત્રી-પુરુષ ને યાદ કરી ખુશ થાય છે ને. આ કોણ છે? ભગવાનુવાચ, નિરાકાર. બાપ કહે છે હું આમનાં (શ્રીકૃષ્ણ નાં) ૮૪ માં જન્મ પછી ફરીથી સ્વર્ગનાં માલિક બનાવું છું. હમણાં ઝાડ નાનું છે. માયાનાં તોફાન બહુ જ લાગે છે. આ બધી બહુ ગુપ્ત વાતો છે. બાપ તો કહે છે બાળકો યાદની યાત્રામાં રહો અને પવિત્ર રહો. અહીંયા જ પૂરી રાજધાની સ્થાપન થઈ જવાની છે. ગીતામાં લડાઈ દેખાડે છે. પાંડવ પહાડો માં ગળી ગયાં. બસ રીઝલ્ટ (પરિણામ) કંઈ નથી.

હમણાં આપ બાળકો સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. બાપ જ્ઞાન નાં સાગર છે ને. એ છે સુપ્રીમ સોલ (સર્વોચ્ય આત્મા). આત્મા નું રુપ શું છે, આ પણ કોઈને ખબર નથી. તમારી બુદ્ધિ માં તે બિંદી છે. તમારામાં પણ યથાર્થ રીતે કોઈ સમજતું નથી. પછી કહે છે બિંદી ને કેવી રીતે યાદ કરીએ. કંઈ પણ નથી સમજતાં. તો પણ બાપ કહે છે થોડું પણ સાંભળે છે તો જ્ઞાન નો વિનાશ નથી થતો. જ્ઞાન માં આવીને પછી ચાલ્યાં જાય છે, પરંતુ થોડું પણ સાંભળે છે તો સ્વર્ગમાં જરુર આવશે. જે બહુ જ સાંભળશે, ધારણા કરશે તો રાજાઈ માં આવી જશે. થોડું સાંભળવા વાળા પ્રજામાં આવશે. રાજધાની માં તો રાજા-રાણી વગેરે બધાં હોય છે ને. ત્યાં વજીર હોતાં નથી, અહીંયા વિકારી રાજાઓને વજીર રાખવા પડે છે. બાપ તમારી બહુ જ વિશાળ બુદ્ધિ બનાવે છે. ત્યાં વજીર ની દરકાર (જરુરત) જ નથી રહેતી. સિંહ-બકરી સાથે જળ પીવે છે. તો બાપ સમજાવે છે તમે પણ લૂણ-પાણી નહીં બનો, ક્ષીરખંડ બનો. ક્ષીર (દૂધ) અને ખંડ (સાકર) બંને સારી વસ્તુ છે ને. મતભેદ વગેરે કંઈ પણ નહીં રાખો. અહીંયા તો મનુષ્ય કેટલાં લડે-ઝઘડે છે. આ છે જ રૌરવ નર્ક. નર્ક માં ગોતા ખાતાં રહે છે. બાપ આવી ને નીકાળે છે. નીકળતાં-નીકળતાં ફરી ફસાઇ જાય છે. કોઈ તો બીજાને નીકાળવાં જાય છે તો પોતે પણ ચાલ્યાં જાય છે. શરું માં ઘણાને માયા રુપી ગ્રાહે પકડી લીધાં. એકદમ બધું હપ કરી લીધું. જરા નિશાન પણ નથી. કોઈ કોઈ ની નિશાની છે જે પછી પાછાં આવે છે. કોઈ એકદમ ખતમ. અહીંયા પ્રેક્ટીકલ બધુંજ થઈ રહ્યું છે. તમે હિસ્ટ્રી સાંભળો તો વન્ડર (આશ્ચર્ય) ખાઓ. ગાયન છે તમે પ્રેમ કરો કે ઠુકરાવો. અમે તમારા દરવાજા થી બહાર નહીં નીકળીશું. બાબા તો ક્યારેય જુબાન થી પણ એવું કંઇ નથી કહેતાં. કેટલાં પ્રેમ થી ભણાવે છે. સામે લક્ષ્ય-હેતુ ઉભો છે. ઊંચે થી ઊંચા બાપ આ (વિષ્ણુ) બનાવે છે. એ જ વિષ્ણુ પછી બ્રહ્મા બને છે. સેકન્ડ માં જીવનમુક્તિ મળી પછી ૮૪ જન્મ લઈ આ બન્યાં. તતત્વમ. તમારા પણ ફોટો નીકળતાં હતાં ને. તમે બ્રહ્માનાં બાળકો બ્રાહ્મણ છો. તમને તાજ હમણાં તો છે નહીં, ભવિષ્યમાં મળવાનો છે એટલે તમારો તે ફોટો પણ રાખ્યો છે. બાપ આવીને બાળકોને ડબલ સિરતાજ બનાવે છે. તમે અનુભવ કરો છો બરાબર પહેલાં અમારામાં પાંચ વિકાર હતાં. (નારદનું દૃષ્ટાંત) પહેલાં-પહેલાં ભક્ત પણ તમે બન્યાં છો. હવે બાપ કેટલાં ઊંચ બનાવે છે. એકદમ પતિત થી પાવન. બાપ કંઈ પણ લેતાં નથી. શિવબાબા પછી શું લેશે! તમે શિવબાબાની ભંડારી માં નાખો છો. હું તો ટ્રસ્ટી છું. લેણ-દેણ નો હિસાબ બધો શિવબાબા થી છે. હું ભણું છું, ભણાવું છું. જેણે પોતાનું જ બધું આપી દીધું તે પછી લેશે શું. કોઈ પણ વસ્તુ માં મમત્વ નથી રહેતું. ગાએ પણ છે ફલાણા સ્વર્ગ પધાર્યા. પછી તેમને નર્ક નું ખાન-પાન વગેરે કેમ ખવડાવો છો. અજ્ઞાન છે ને. નર્ક માં છે તો પુનર્જન્મ પણ નર્ક માં જ થશે ને. હવે તમે ચાલો છો અમરલોક માં. આ બાજોલી છે. આપ બ્રાહ્મણ ચોટી છો પછી દેવતા, ક્ષત્રિય બનશો એટલે બાપ સમજાવે છે બહુજ મીઠા બનો. છતાં પણ નથી સુધરતાં તો કહેશે એમનું નસીબ. પોતાને જ નુકસાન પહોંચાડે છે. સુધરતાં જ નથી તો ઈશ્વરની તદબીર (આશીર્વાદ) પણ શું કરે.

બાપ કહે છે હું આત્માઓથી વાત કરી રહ્યો છું. અવિનાશી આત્માઓને અવિનાશી પરમાત્મા બાપ જ્ઞાન આપી રહ્યાં છે. આત્મા કાનો થી સાંભળે છે. બેહદનાં બાપ આ જ્ઞાન સંભળાવી રહ્યાં છે. તમને મનુષ્ય થી દેવતા બનાવે છે. રસ્તો દેખાડવા વાળા સુપ્રીમ પંડા બેઠા છે. શ્રીમત કહે છે - પવિત્ર બનો, મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. તમે જ સતોપ્રધાન હતાં. ૮૪ જન્મ પણ તમે લીધાં છે. બાપ આમને જ સમજાવે છે તમે સતોપ્રધાન થી હવે તમોપ્રધાન બન્યાં છો, હવે ફરી મને યાદ કરો. આને યોગ અગ્નિ કહેવાય છે. આ જ્ઞાન પણ હમણાં તમને છે. સતયુગમાં મને કોઈ યાદ નથી કરતું. આ સમયે જ હું કહું છું - મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જાય બીજો કોઈ રસ્તો નથી. આ સ્કૂલ છે ને. આને કહેવાય છે વિશ્વવિદ્યાલય, વર્લ્ડ યુનિવર્સિટી. રચયિતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બીજું કોઈ જાણતું નથી. શિવબાબા કહે છે આ લક્ષ્મી-નારાયણ માં પણ આ જ્ઞાન નથી. આ તો પ્રાલબ્ધ છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પ્રેમ ની રાજધાની માં જવાનું છે, એટલે આપસ માં ક્ષીરખંડ થઇને રહેવાનું છે. ક્યારેય પણ લૂણ-પાણી બની મતભેદ માં નથી આવવાનું. પોતે પોતાને સ્વયં જ સુધારવાનું છે.

2. દેહ-અભિમાન ને છોડી માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે. પોતાનાં દૈવી કેરેક્ટર (ચરિત્ર) બનાવવાનાં છે. બહુ જ-બહુ જ મીઠા થઈને ચાલવાનું છે.

વરદાન :-
મગન અવસ્થા નાં અનુભવ દ્વારા માયાને પોતાનાં ભક્ત બનાવવા વાળા માયાજીત ભવ

મગન અવસ્થા નો અનુભવ કરવા માટે પોતાનાં અનેક શીર્ષક કે સ્વરુપ, અનેક ગુણોનાં શ્રુંગાર, અનેક પ્રકારની ખુશીની, રુહાની નશાની, રચતા અને રચનાનાં વિસ્તાર ની પોઇન્ટસ્ (વાત), પ્રાપ્તિઓની પોઇન્ટસ્ સ્મૃતિમાં રાખો. જે તમારી પસંદ હોય એનાં પર મનન કરો તો મગન અવસ્થા સહજ અનુભવ થશે. પછી ક્યારેય પરવશ નહીં થશો, માયા સદા નાં માટે નમસ્કાર કરશે. સંગમયુગ ની પહેલી ભક્ત માયા બની જશે. જ્યારે તમે માયાજીત માસ્ટર ભગવાન બનશો ત્યારે માયા ભક્ત બનશે.

સ્લોગન :-
તમારું ઉચ્ચારણ અને આચરણ બ્રહ્મા બાપનાં સમાન હોય ત્યારે કહેવાશો સાચા બ્રાહ્મણ