20-12-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  20.03.87    બાપદાદા મધુબન


“ સ્નેહ અને સત્યતા ની ઓથોરિટી નું બેલેન્સ ”
 


આજે સત્ બાપ, સત્ શિક્ષક, સત્ ગુરુ પોતાનાં સત્યતા નાં શક્તિશાળી સત્ બાળકો ને મળવાં આવ્યાં છે. સૌથી મોટામાં મોટી શક્તિ અથવા ઓથોરિટી (સત્તા) સત્યતા ની જ છે. સત્ બે અર્થ થી કહેવાય છે. એક-સત્ અર્થાત્ સત્ય. બીજુ-સત્ અર્થાત અવિનાશી. બંને અર્થ થી સત્યતાની શક્તિ સૌથી મોટી છે. બાપને સત્ બાપ કહે છે. બાપ તો અનેક છે પરંતુ સત્ બાપ એક છે. સત્ શિક્ષક, સત્ ગુરુ એક જ છે. સત્ય ને જ પરમાત્મા કહે છે અર્થાત્ પરમ આત્માની વિશેષતા સત્ય અર્થાત્ સત્ છે તમારું ગીત પણ છે. સત્ય હી શિવ હૈ ... દુનિયામાં પણ કહે છે- સત્યમ્ શિવમ્ સુન્દરમ્. સાથે-સાથે બાપ પરમાત્મા નાં માટે સત-ચિત-આનંદ સ્વરુપ કહે છે. આપ આત્માઓ ને સત-ચિત-આનંદ કહે છે. તો ‘સત્’ શબ્દની મહિમા બહુજ ગવાયેલી છે. અને ક્યારેય પણ કોઈ પણ કાર્ય માં ઓથોરિટી થી બોલે તો એ જ કહેશે - હું સાચો છું, એટલે ઓથોરિટી થી બોલું છું. સત્ય નાં માટે ગાયન છે - સત્યની નાવ ડોલશે પરંતુ ડૂબશે નહીં. તમે લોકો પણ કહો છો - સચ તો બિઠો નચ. સાચાં અર્થાત્ સત્યતા ની શક્તિ વાળા સદા નાચતાં રહેશે, કયારેય મૂરઝાશે નહીં, મૂંઝાશે નહીં, ગભરાશે નહીં, કમજોર નહિં થશે. સત્યતાની શક્તિવાળા સદા ખુશીમાં નાચતાં રહેશે. શક્તિશાળી હશે, સામનો કરવાની શક્તિ હશે, એટલે ગભરાશે નહીં. સત્યતા ને સોના સમાન કહે છે, અસત્યને માટી સમાન કહે છે. ભક્તિમાં પણ જે પરમાત્મા ની તરફ લગન લગાવે છે, એમને સતસંગી કહે છે, સત્ નો સંગ કરવા વાળા છે. અને અંતમાં જ્યારે આત્મા શરીર છોડે છે તો પણ શું કહે છે - સત્ નામ સંગ છે. તો સત્ અવિનાશી, સત્ સત્ય છે. સત્યતા ની શક્તિ મહાન્ શક્તિ છે. વર્તમાન સમયે અધિકતમ લોકો તમને બધાને જોઈને શું કહે છે - આમનામાં સત્યતાની શક્તિ છે, ત્યારે આટલો સમય વૃદ્ધિ કરતાં ચાલી રહ્યાં છે. સત્યતા ક્યારેય હલતી નથી, અચળ હોય છે. સત્યતા વૃદ્ધિ ને પ્રાપ્ત કરવાની વિધિ છે. સત્યતા ની શક્તિ થી સતયુગ બનાવો છો, સ્વયં પણ સત્ય નારાયણ, સત્ય લક્ષ્મી બનો છો. આ સત્ય જ્ઞાન છે, સત્ બાપ નું જ્ઞાન છે એટલે દુનિયા થી ન્યારું અને પ્યારું છે.

તો આજે બાપદાદા બધાં બાળકોને જોઈ રહ્યાં છે કે સત્ય જ્ઞાન ની સત્યતા ની ઓથોરિટી કેટલી ધારણ કરી છે? સત્યતા દરેક આત્મા ને આકર્ષિત કરે છે. ભલે આજની દુનિયાં જુઠ્ઠખંડ છે, બધું જુઠ્ઠુંછે અર્થાત્ બધામાં જુઠ્ઠું ભળેલું છે, તો પણ સત્યતાની શક્તિ વાળા વિજયી બને છે. સત્યતા ની પ્રાપ્તિ ખુશી અને નિર્ભયતા છે. સત્ય બોલવા વાળા સદા નિર્ભય હશે. એમને ક્યારેય ભય નહીં હશે. જે સત્ય નહીં હશે તો એમને ભય જરુર હશે. તો તમે બધાં સત્યતા ની શક્તિશાળી શ્રેષ્ઠ આત્માઓ છો. સત્ય જ્ઞાન, સત્ય બાપ, સત્ય પ્રાપ્તિ, સત્ય યાદ, સત્ય ગુણ, સત્ય શક્તિઓ સર્વ પ્રાપ્તિ છે. તો એટલો ઓથોરિટી નો નશો રહે છે? ઓથોરિટી નો અર્થ અભિમાન નથી. જેટલી મોટામાં મોટી ઓથોરિટી, એટલી એમની વૃત્તિમાં રુહાની ઓથોરિટી રહે છે. વાણી માં સ્નેહ અને નમ્રતા હશે - એ જ ઓથોરિટી ની નિશાની છે. જેમ તમે લોકો વૃક્ષનું દૃષ્ટાંત આપો છો. વૃક્ષ માં જ્યારે સંપૂર્ણ ફળ ની ઓથોરિટી આવી જાય છે તો વૃક્ષ ઝુકે છે અર્થાત્ નિર્માણ બનવાની સેવા કરે છે. એમ રુહાની ઓથોરિટી વાળા બાળકો જેટલી મોટી ઓથોરિટી, એટલાં નિર્માણ અને સર્વ સ્નેહી હશે. પરતું સત્યતાની ઓથોરિટી વાળા નિર-અહંકારી હોય છે. તો ઓથોરિટી પણ હોય, નશો પણ હોય અને નિર-અહંકારી પણ હોય -આને કહેવાય છે સત્ય જ્ઞાન નું પ્રત્યક્ષ સ્વરુપ.

જેમ આ જુઠ્ઠખંડ ની અંદર બ્રહ્મા બાપ સત્યતાની ઓથોરિટી નું પ્રત્યક્ષ સાકાર સ્વરુપ જોયું ને. એમનાં ઓથોરિટી નાં બોલ ક્યારેય પણ અહંકાર ની ભાસના નહીં આપશે. મુરલી સાંભળો છો તો કેટલાં ઓથોરિટી નાં બોલ છે! પરંતુ અભિમાન નાં નહીં. ઓથોરિટી નાં બોલ માં સ્નેહ સમાયેલો છે, નિર્માણતા છે, નિર-અહંકાર છે એટલે ઓથોરિટી નાં બોલ પ્રિય લાગે છે. ફકત પ્રિય નહીં પરંતુ પ્રભાવશાળી હોય છે. ફોલો ફાધર છે ને. સેવામાં અથવા કર્મ માં ફોલો બ્રહ્મા બાપ છે કારણ કે સાકારી દુનિયામાં સાકાર ‘એક્ઝામ્પલ’ (ઉદાહરણ) છે, સેમ્પલ છે. તો જેમ બ્રહ્મા બાપ ને કર્મ માં, સેવા માં, ચહેરા થી, દરેક ચલન થી ચાલતાં-ફરતાં ઓથોરિટી સ્વરુપ જોયાં, એમ ફોલો ફાધર કરવા વાળામાં પણ સ્નેહ અને ઓથોરિટી, નિર્માણતા અને મહાનતા - બંને સાથે-સાથે દેખાઈ આવે. એવું નહીં ફક્ત સ્નેહ દેખાય અને ઓથોરિટી ગુમ થઈ જાય અથવા ઓથોરિટી દેખાય અને સ્નેહ ગુમ થઈ જાય. જેમ બ્રહ્મા બાપ ને જોયાં કે હમણાં પણ મુરલી સાંભળો છો. પ્રત્યક્ષ પ્રમાણ છે. તો બાળકો-બાળકો પણ કહેશે પરંતુ ઓથોરિટી પણ દેખાડશે. સ્નેહ થી બાળકો પણ કહેશે અને ઓથોરિટી થી શિક્ષા પણ આપશે. સત્ય જ્ઞાન ને પ્રત્યક્ષ પણ કરશે પરંતુ બાળકો-બાળકો કહેતાં નવું જ્ઞાન બધું સ્પષ્ટ કરી દેશે. આને કહેવાય છે સ્નેહ અને સત્યતાની ઓથોરીટી નું બેલેન્સ. તો વર્તમાન સમયે સેવામાં આ બેલેન્સ ને અન્ડરલાઈન (મહત્વ આપો) કરો.

ધરણી બનાવવા માટે સ્થાપના થી લઈને હમણાં સુધી ૫૦ વર્ષ પૂરા થઈ ગયાં. વિદેશની ધરણી પણ હવે ઘણી બની ગઈ છે. ભલે ૫0 વર્ષ નથી થયાં, પરંતુ બન્યાં બનાવેલા સાધનો પર આવ્યાં છો, એટલે શરુ નાં ૫૦ વર્ષ અને હમણાં નાં ૫ વર્ષ બરાબર છે. ડબલ વિદેશી બધાં કહે છે - અમે લાસ્ટ સો ફાસ્ટ સો ફર્સ્ટ છીએ. તો સમયમાં પણ ફાસ્ટ સો ફર્સ્ટ હશો ને. નિર્ભય ની ઓથોરિટી જરુર રાખો. એક જ બાપ નું નવું જ્ઞાન સત્ય જ્ઞાન છે અને નવા જ્ઞાન થી નવી દુનિયા સ્થાપન થાય છે - આ ઓથોરિટી અને નશો સ્વરુપ માં ઈમર્જ હોય. ૫૦ વર્ષ તો મર્જ રાખ્યું. પરંતુ આનો અર્થ એ નથી કે જે પણ આવે એમને પહેલે થી જ નવાં જ્ઞાન ની નવી વાતો સંભળાવી ને કન્ફયુઝ (મૂંઝવી) કરી દો. એ ભાવ નથી. ધરણી, નસ (નાડી), સમય આ બધું જોઈ ને જ્ઞાન આપવું - એ જ નોલેજફુલ ની નિશાની છે. આત્મા ની ઈચ્છા જુઓ, નાડી જુઓ, ધરણી બનાવો પરંતુ અંદર સત્યતા ની નિર્ભયતા ની શક્તિ જરુર હોય. લોકો શું કહેશે - એ ભય ન હોય. નિર્ભય બની ધરણી ભલે બનાવો. ઘણાં બાળકો સમજે છે - આ જ્ઞાન તો નવું છે, ઘણાં લોકો સમજી જ નહીં શકશે. પરંતુ બેસમજ ને જ તો સમજાવવાનું છે. એ જરુર છે - જેવાં વ્યક્તિ એવી રુપરેખા બનાવવી પડે છે, પરંતુ વ્યક્તિનાં પ્રભાવ માં નહીં આવી જાઓ. પોતાનાં સત્ય જ્ઞાન ની ઓથોરિટી થી વ્યક્તિને પરિવર્તન કરવાનાં જ છે - આ લક્ષ્ય નહીં ભુલો.

હમણાં સુધી જે કર્યુ, તે ઠીક હતું. કરવાનું જ હતું, આવશ્યક હતું કારણ કે ધરણી બનાવવાની હતી. પરંતુ ક્યાં સુધી ધરણી બનાવશો? હજું કેટલો સમય જોઈએ? દવા પણ અપાય છે તો પહેલા જ વધારે તાકાત ની નથી અપાતી, પહેલાં હલ્કી અપાય છે. પરંતુ તાકાત વાળી દવા આપો જ નહીં, હલ્કી પર જ ચલાવતાં રહો - એવું નહીં કરો. કોઈ કમજોર ને વધારે પાવર વાળી દવા આપી દીધી તો એ પણ ખોટું છે. પારખવાની પણ શક્તિ જોઈએ. પરંતુ પોતાનાં સત્ય નવા જ્ઞાનની ઓથોરિટી જરુર જોઈએ. તમારી સૂક્ષ્મ ઓથોરિટી ની વૃત્તિ જ એમની વૃત્તિઓને ચેન્જ (પરિવર્તન) કરશે. આ જ ધરણી બનશે. અને વિશેષ જ્યારે સેવા કરી મધુબન સુધી પહોંચો છો તો ઓછામાં ઓછું એમને આ જરુર ખબર પડવી જોઈએ. આ ધરણી પર એમની પણ ધરણી બની જાય છે. કેટલી પણ કલરાઠી (ઉજ્જડ) ધરણી હોય, કોઈપણ ધર્મ વાળા હોય, કોઈ પણ પોઝિશન (પદ) વાળા હોય પરંતુ આ ધરણી પર તે પણ નરમ થઈ જાય છે અને નરમ ધરણી બનવાનાં કારણે એમાં જે પણ બીજ નાખશો, એનું ફળ સહજ નીકળશે. ફકત ડરો નહીં, નિર્ભય જરુર બનો. યુક્તિ થી આપો, એવું ન થાય કે તે તમને લોકોને એમ ફરિયાદ કરે કે આવી ધરણી પર પણ હું પહોંચ્યો પરંતુ એ ખબર નહીં પડી કે પરમાત્મ-જ્ઞાન શું છે? પરમાત્મ-ભૂમિ પર આવીને પરમ-આત્મા ની પ્રત્યક્ષતા નો સંદેશ જરુર લઈ જાય. લક્ષ્ય ઓથોરિટી નું હોવું જોઈએ.

આજકાલ નાં જમાનાનાં હિસાબ થી પણ નવીનતા નું મહત્વ છે. પછી ભલે કોઈ ઉલ્ટી પણ નવી ફેશન નીકાળે છે, તો પણ ફોલો કરે છે. પહેલા આર્ટ (કળા) જુઓ કેટલી સરસ હતી! આજકાલ ની કળા તો એની આગળ જેમકે રેખા દોરાશે. પરંતુ મોર્ડન કળા પસંદ કરે છે. માનવ ની પસંદગી દરેક વાતમાં નવીનતા છે અને નવીનતા સ્વતઃ જ પોતાની તરફ આકર્ષિત કરે છે એટલે નવીનતા, સત્યતા, મહાનતા - આનો નશો જરુર રાખો. પછી સમય અને વ્યક્તિ જોઈ સેવા કરો. આ લક્ષ્ય જરુર રાખો કે નવી દુનિયાનું નવું જ્ઞાન પ્રત્યક્ષ જરુર કરવાનું છે. હમણાં સ્નેહ અને શાંતિ પ્રત્યક્ષ થઈ છે. બાપનું પ્રેમનાં સાગર નું સ્વરુપ, શાંતિનાં સાગર નું સ્વરુપ પ્રત્યક્ષ કર્યુ છે પરંતુ જ્ઞાન સ્વરુપ આત્મા અને જ્ઞાન સાગર બાપ છે, આ નવા જ્ઞાન ને કઈ રીત થી આપો, એનાં પ્લાન (યોજના) હમણાં ઓછા બનાવ્યાં છે. એ પણ સમય આવશે જે બધાનાં મુખથી આ અવાજ નીકળશે કે નવી દુનિયાનું નવું જ્ઞાન આ છે. હમણાં ફક્ત સારું કહે છે, નવું નથી કહેતાં. યાદ નાં વિષયને સારો પ્રત્યક્ષ કર્યો છે, એટલે ધરણી સારી બની ગઈ છે અને ધરણી બનાવવી - પહેલું આવશ્યક કાર્ય પણ જરુરી છે. જે કર્યુ છે, એ બહુજ સરસ અને બહુજ કર્યુ છે, તન-મન-ધન લગાવીને કર્યુ છે. એનાં માટે આફરીન પણ આપે છે.

પહેલાં જ્યારે વિદેશમાં ગયાં હતાં તો આ જ ત્રિમૂર્તિ નાં ચિત્ર પર સમજાવવું કેટલું મુશ્કેલ સમજતાં હતાં! હવે ત્રિમૂર્તિ નાં ચિત્ર પર જ આકર્ષિત થાય છે. આ સીડી નું ચિત્ર ભારતની કહાની સમજતાં હતાં. પરંતુ વિદેશમાં આ ચિત્ર પર આકર્ષિત થાય છે. તો જેમ તે પ્લાન (યોજના) બનાવ્યાં કે આ નવી વાત કઈ રીત થી સંભળાવીએ, તો હમણાં પણ ઇન્વેન્શન (શોધ) કરો. એમ નહીં વિચારો કે આ તો કરવું જ પડશે. ના. બાપદાદાનું લક્ષ્ય ફક્ત એ જ છે કે નવીનતા ની મહાનતાની શક્તિ ધારણ કરો, આને ભૂલો નહીં. દુનિયાને સમજાવવાનું છે, દુનિયાની વાતોથી ગભરાઓ નહીં. પોતાની રીત ઇન્વેન્ટ (શોધ) કરો કારણકે ઇન્વેન્ટર (શોધક) આપ બાળકો જ છો ને. સેવાનાં પ્લાન બાળકો જ જાણે છે. જેવું લક્ષ્ય રાખશો, એવાં પ્લાન બહુજ સારાં થી સારાં બની જશે અને સફળતા તો જન્મ-સિદ્ધ અધિકાર છે જ એટલે નવીનતા ને પ્રત્યક્ષ કરો. જે પણ જ્ઞાન ની ગુહ્ય વાતો છે, એને સ્પષ્ટ કરવાની વિધિ તમારી પાસે બહુ જ સારી છે અને સ્પષ્ટીકરણ છે. એક-એક પોઇન્ટ ને લોજીકલ (તર્ક થી) સ્પષ્ટ કરી શકો છો. પોતાની ઓથોરિટી વાળા છો. કોઈ મનોમય કે કલ્પનાની વાતો તો છે નહીં. યથાર્થ છે. અનુભવ છે. અનુભવ ની ઓથોરિટી, નોલેજ ની ઓથોરિટી, સત્યતા ની ઓથોરિટી….. કેટલી ઓથોરિટી છે! તો ઓથોરિટી અને સ્નેહ - બંને ને સાથે-સાથે કાર્યમાં લગાવો.

બાપદાદા ખુશ છે કે મહેનત થી સેવા કરતાં-કરતાં આટલી વૃદ્ધિને પ્રાપ્ત કરી છે અને કરતાં જ રહેશો. ભલે દેશ છે, ભલે વિદેશ છે. દેશમાં પણ વ્યક્તિ અને નબ્સ (નાડી) જોઈ સેવા કરવામાં સફળતા છે. વિદેશમાં પણ આ જ વિધિ થી સફળતા છે. પહેલાં સંપર્કમાં લાવો છો - આ ધરણી બને છે. સંપર્ક નાં પછી સંબંધમાં લાવો, ફક્ત સંપર્ક સુધી છોડી નહીં દો. સંબંધ માં લાવીને પછી એમને બુદ્ધિ થી સમર્પિત કરાવો - આ છે લાસ્ટ સ્ટેજ (અંતિમ અવસ્થા). સંપર્ક માં લાવવાં પણ આવશ્યક છે, પછી સંબંધમાં લાવવાનાં છે. સંબંધ માં આવતાં-આવતાં સમર્પણ બુદ્ધિ થઈ જાય કે ‘જે બાપે કહ્યું, તે જ સત્ય છે.’ પછી પ્રશ્ન નથી ઉઠતાં. જે બાબા કહે, તે જ સાચું છે કારણ કે અનુભવ થઈ જાય તો પછી પ્રશ્ન સમાપ્ત થઈ જાય. આને કહેવાય સમર્પણ બુદ્ધિ જેમાં બધું સ્પષ્ટ અનુભવ થાય. લક્ષ્ય એ રાખો કે સમર્પણ બુદ્ધિ સુધી લાવવાનાં અવશ્ય છે. ત્યારે કહેશે માઇક તૈયાર થયાં છે. માઈક શું અવાજ કરશે? ફક્ત સારું જ્ઞાન છે આમનું, ના. આ નવું જ્ઞાન છે, આ જ નવી દુનિયા લાવશે - આ અવાજ હોય, ત્યારે તો કુંભકરણ જાગશે ને. નહીં તો ફક્ત આંખો ખોલે છે -બહુ જ સરસ, બહુ જ સરસ કહી પછી નિંદર આવી જાય છે એટલે જેમ સ્વયં બાળક સો માલિક બની ગયાં ને, એમ બનાવો. બિચારાઓને ફક્ત સાધારણ પ્રજા સુધી જ નહિં લાવો, પરંતુ રાજ્ય અધિકારી બનાવો. એનાં માટે પ્લાન બનાવો - કઈ વિધિ થી કરો જે મુંઝાય પણ નહીં અને સમર્પણ બુદ્ધિ પણ થઈ જાય. નવીનતા પણ લાગે, મૂંઝવણ પણ અનુભવ ન કરે. સ્નેહ અને નવીનતા ની ઓથોરિટી લાગે.

હમણાં સુધી જે રિઝલ્ટ રહ્યું, સેવા ની વિધિ, બ્રાહ્મણો ની વૃદ્ધિ રહી, તે બહુ જ સરસ છે કારણ કે પહેલાં બીજ ને ગુપ્ત રાખ્યું, તે પણ આવશ્યક છે. બીજને ગુપ્ત રાખવાનું હોય છે, બહાર રાખવાથી ફળ નથી આપતું. ધરણી ની અંદર બીજ ને રાખવાનું હોય છે પરંતુ અંદર ધરણી માં જ ન રહી જાય. બાહર પ્રત્યક્ષ થાય, ફળ સ્વરુપ બને - આ આગળ ની સ્ટેજ (અવસ્થા) છે. સમજ્યાં? લક્ષ્ય રાખો - નવું કરવાનું છે. એવું નહીં કે આ વર્ષે જ થઈ જશે. પરંતુ લક્ષ્ય બીજને પણ બહાર પ્રત્યક્ષ કરશે. એવું પણ નહીં સીધું જઈને ભાષણ કરવાનું શરું કરી દો. પહેલાં સત્યતા ની શક્તિની ભાસના અપાવવા નું ભાષણ કરવું પડશે. આખરે તે દિવસ આવ્યાં’ - આ બધાનાં મુખ થી નીકળે. જેમ ડ્રામા માં દેખાડો છો ને, બધાં ધર્મ વાળા મળીને કહે છે - અમે એક છીએ, એક નાં છીએ. તે ડ્રામા દેખાડો છો, આ પ્રેક્ટિકલ માં સ્ટેજ પર બધાં ધર્મ વાળા મળીને એક જ આવાજ માં બોલે. એક બાપ છે, એક જ જ્ઞાન છે, એક જ લક્ષ્ય છે, એક જ ઘર છે, આ જ છે - હવે આ અવાજ જોઈએ. એવું દૃશ્ય જ્યારે બેહદનાં સ્ટેજ પર આવે, ત્યારે પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાશે અને એ ઝંડા ની નીચે બધાં આ જ ગીત ગાશે. બધાનાં મુખ થી એક શબ્દ નીકળશે - ‘બાબા અમારા’ ત્યારે કહેશું પ્રત્યક્ષ રુપમાં શિવરાત્રી મનાવી. અંધકાર ખતમ થઈ ગોલ્ડન મોર્નિંગ નાં નજારા દેખાશે. આને કહેવાય છે આજ અને કાલ નો ખેલ. આજે અંધકાર, કાલે ગોલ્ડન મોર્નિંગ. આ છે છેલ્લો પડદો. સમજ્યાં?

બાકી જે પ્લાન બનાવ્યાં છે, તે સારા છે. દરેક સ્થાન ની ધરણી પ્રમાણે પ્લાન બનાવવાં જ પડે છે. ધરણી નાં પ્રમાણે વિધિ માં કોઈ અંતર પણ જો કરવું પડે છે તો એવી કોઈ વાત નથી. અંતમાં બધાને તૈયાર કરી મધુબન ધરણી પર છાપ જરુર લગાવવાની છે. ભિન્ન-ભિન્ન વર્ગ ને તૈયાર કરી સ્ટેમ્પ (છાપ) જરુર લગાવવાની છે. પાસપોર્ટ પર પણ સ્ટેમ્પ લગાવવા સિવાય જવા નથી દેતાં ને. તો સ્ટેમ્પ અહીંયા મધુબન માં જ લાગશે.

આ બધાં તો છે જ સરેન્ડર (સમર્પિત) જો આ સરેન્ડર ન હોત તો સેવાનાં નિમિત્ત કેવી રીતે બનત. સરેન્ડર છે ત્યારે તો બ્રહ્માકુમાર/બ્રહ્માકુમારી બની સેવાનાં નિમિત્ત બન્યાં છો. દેશ હોય કે વિદેશમાં કોઈ ક્રિશ્ચયન-કુમારી કે બૌદ્ધ-કુમારી બનીને તો સેવા નથી કરતાં ને? બી.કે. બનીને જ સેવા કરો છો ને. તો સરેન્ડર બ્રાહ્મણો ની લિસ્ટમાં બધાં છે. હવે બીજાઓને કરાવવાનાં છે. મરજીવા બની ગયાં. બ્રાહ્મણ બની ગયાં. બાળકો કહે - ‘મારા બાબા’, તો બાબા કહે - તારા થઈ ગયાં. તો સરેન્ડર થયાં ને. ભલે પ્રવૃત્તિમાં હોય, ભલે સેવાકેન્દ્ર પર હોય પરંતુ જેમણે દિલ થી કહ્યું - ‘મારા બાબા’ તો બાપે પોતાનાં બનાવ્યાં. આ તો દિલનો સૌદો છે. મુખ નો સ્થૂળ સૌદો નથી, આ દિલનો છે. સરેન્ડર અર્થાત્ શ્રીમત ની અંદર રહેવા વાળા. આખી સભા સરેન્ડર છે ને એટલે ફોટો પણ નીકાળ્યો છે ને. હવે ચિત્રમાં આવી ગયાં તો બદલી ન શકાય. પરમાત્મ-ઘર માં ચિત્રિત થઈ જાય, આ ઓછું ભાગ્ય નથી. આ સ્થૂળ ફોટો નથી પરંતુ બાપનાં દિલમાં ફોટો નીકળી ગયો. અચ્છા.

સર્વ સત્યતાની ઓથોરિટી વાળી શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ નવીનતા અને મહાનતા ને પ્રત્યક્ષ કરવાવાળા સાચાં સેવાધારી બાળકો ને, સર્વ સ્નેહ અને ઓથોરિટીનું બેલેન્સ રાખવા વાળા, દરેક કદમ માં બાપ દ્વારા બ્લેસિંગ (આશીર્વાદ) લેવાનાં અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ સત્ અર્થાત અવિનાશી રત્નો ને, અવિનાશી પાર્ટ ભજાવવા વાળા ને, અવિનાશી ખજાનાનાં બાળક સો માલિકો ને વિશ્વ-રચતા સત્ બાપ, સત્ શિક્ષક, સદ્દગુરુ નાં યાદપ્યાર અને નમસ્તે.

વરદાન :-
મન નાં મૌન થી સેવા ની નવી ઇન્વેન્શન નીકાળવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

જેમ પહેલાં-પહેલાં મૌન વ્રત રાખ્યું હતું તો બધાં ફ્રી થઈ ગયાં હતાં, સમય બચી ગયો હતો એમ હવે મનનું મૌન રાખો જેનાથી વ્યર્થ સંકલ્પ આવે જ નહીં. જેમ મુખ થી અવાજ ન નીકળે તેમ વ્યર્થ સંકલ્પ ન આવે - આ છે મન નું મૌન. તો સમય બચી જશે. આ મન નાં મૌન થી સેવાની એવી નવી ઇન્વેન્શન નીકળશે જે સાધના ઓછી અને સિદ્ધિ વધારે થશે. જેમ સાયન્સ નાં સાધન સેકન્ડ માં વિધિને પ્રાપ્ત કરાવે છે તેમ આ સાઈલેન્સ નાં સાધન દ્વારા સેકન્ડ માં વિધિ પ્રાપ્ત થશે.

સ્લોગન :-
જે સ્વયં સમર્પિત સ્થિતિ માં રહે છે - સર્વ નો સહયોગ પણ એમની આગળ સમર્પિત થાય છે.


સુચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં લાઈટ માઈટ સ્વરુપ માં સ્થિત થઈ, ભ્રકુટી નાં મધ્યમાં બાપદાદા નું આહ્વાહન કરતાં, કમ્બાઈન્ડ સ્વરુપ નો અનુભવ કરો અને ચારે તરફ લાઈટ માઈટ ની કિરણો ફેલાવવાની સેવા કરો.