10-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - અવિનાશી જ્ઞાન રત્નો નું દાન જ મહાદાન છે , આ દાન થી જ રાજાઈ પ્રાપ્ત થાય છે એટલે મહાદાની બનો ”

પ્રશ્ન :-
જે બાળકોને સેવા નો શોખ હશે તેમની મુખ્ય નિશાનીઓ કઈ હશે?

ઉત્તર :-
૧. તેમને જૂની દુનિયાનું વાતાવરણ બિલ્કુલ સારું નહીં લાગે, ૨. તેમને અનેકોની સેવા કરી આપ સમાન બનાવવામાં જ ખુશી થશે, ૩. તેમને ભણવામાં અને ભણાવવામાં જ આરામ આવશે, ૪. સમજાવતાં-સમજાવતાં ગળું પણ ખરાબ થઈ જાય તો પણ ખુશી માં રહેશે, ૫. તેમને કોઈ ની પણ મિલકિયત નહીં જોઈએ. તે કોઈ ની પણ પ્રોપર્ટી ની પાછળ પોતાનો સમય નહીં ગુમાવશે. ૬. એમની રગ (નસ) બધી તરફ થી તૂટેલી હશે. ૭. તે બાપ સમાન ઉદારચિત હશે. તેમને સેવાનાં સિવાય બીજું કંઈ પણ મીઠું નહીં લાગે.

ગીત :-
ઓમ્ નમઃ શિવાય …

ઓમ શાંતિ!
રુહાની બાપ જેમની મહિમા સાંભળી એ બેસી બાળકોને પાઠ ભણાવે છે, આ પાઠશાળા છે ને. તમે બધાં અહીંયા પાઠ ભણી રહ્યાં છો શિક્ષક થી. આ છે સુપ્રીમ શિક્ષક, જેમને પરમપિતા પણ કહેવાય છે. પરમપિતા રુહાની બાપ ને જ કહેવાય છે. લૌકિક બાપને ક્યારેય પરમપિતા નહીં કહેશું. તમે કહેશો હમણાં અમે પારલૌકિક બાપ ની પાસે બેઠા છીએ. કોઈ બેઠા છે, કોઈ મહેમાન બની આવે છે. તમે સમજો છો અમે બેહદ નાં બાપની પાસે બેઠા છીએ, વારસો લેવા માટે. તો અંદર માં કેટલી ખુશી થવી જોઈએ. મનુષ્ય તો બિચારા ચિલ્લાવતાં રહે છે. આ સમયે દુનિયામાં બધાં કહે છે દુનિયામાં શાંતિ થાય. આ તો બિચારાઓ ને ખબર નથી, શાંતિ શું વસ્તુ છે. જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર બાપ જ શાંતિ સ્થાપન કરવા વાળા છે. નિરાકારી દુનિયામાં તો શાંતિ જ છે. અહીંયા ચિલ્લાવે છે કે દુનિયામાં શાંતિ કેવી રીતે થાય? હવે નવી દુનિયા સતયુગમાં તો શાંતિ હતી જ્યારે એક ધર્મ હતો. નવી દુનિયા ને કહે છે પેરેડાઇઝ (વૈકુંઠ), દેવતાઓની દુનિયા. શાસ્ત્રો માં જ્યાં-ત્યાં અશાંતિ ની વાતો લખી દીધી છે. દેખાડે છે દ્વાપર માં કંસ હતો, પછી હિરણ્યકશ્યપ ને સતયુગમાં દેખાડે છે, ત્રેતામાં રાવણનાં હંગામા…. બધી જગ્યાએ અશાંતિ દેખાડી દીધી છે. મનુષ્ય બિચારા કેટલાં ઘોર અંધકાર માં છે. પોકારે પણ છે બેહદનાં બાપ ને. જ્યારે ગોડફાધર આવે ત્યારે એ જ આવીને શાંતિ સ્થાપન કરે. ગોડ ને બિચારા જાણતાં જ નથી. શાંતિ હોય જ છે નવી દુનિયામાં. જૂની દુનિયામાં હોતી નથી. નવી દુનિયા સ્થાપન કરવા વાળા તો બાપ જ છે. એમને જ બોલાવે છે કે આવીને પીસ સ્થાપન કરો. આર્ય સમાજી પણ ગાએ છે શાંતિ દેવા.

બાપ કહે છે પહેલાં છે પવિત્રતા. હમણાં તમે પવિત્ર બની રહ્યાં છો. ત્યાં પવિત્રતા પણ છે, પીસ પણ છે, હેલ્થ-વેલ્થ બધું છે. ધન વગર તો મનુષ્ય ઉદાસ થઈ જાય છે. તમે અહીંયા આવો છો આ લક્ષ્મી-નારાયણ જેવા ધનવાન બનવાં. આ વિશ્વનાં માલિક હતાં ને. તમે આવ્યાં છો વિશ્વનાં માલિક બનવાં. પરંતુ તે દિમાગ બધાનું નંબરવાર છે. બાબાએ કહ્યું હતું-જ્યારે પ્રભાતફેરી નીકાળો છો તો સાથે લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જરુર ઉપાડો. એવી યુક્તિ રચો. હવે બાળકોની બુદ્ધિ પારસબુદ્ધિ બનવાની છે. આ સમયે હજું તમોપ્રધાન થી રજો સુધી ગયાં છે. હવે સતો, સતોપ્રધાન સુધી જવાનું છે. તે તાકાત હમણાં નથી. યાદ માં રહેતા નથી. યોગબળ ની બહુજ કમી છે. ફટ થી સતોપ્રધાન નથી બની શકતાં. આ જે ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ, તે તો ઠીક છે. તમે બ્રાહ્મણ બન્યાં છો તો જીવનમુક્ત બની જ ગયાં, પછી જીવનમુક્તિ માં પણ સર્વોત્તમ, મધ્યમ, કનિષ્ટ હોય છે. જે બાપનાં બને છે તો જીવનમુક્તિ મળે જરુર છે. ભલે બાપનાં બની પછી બાપને છોડી દે છે તો પણ જીવનમુક્તિ જરુર મળશે. સ્વર્ગમાં ઝાડૂ લગાવવા વાળા બની જશે. સ્વર્ગ માં તો જશે. બાકી પદ ઓછું મળી જાય. બાપ અવિનાશી જ્ઞાન આપે છે, એનો ક્યારેય વિનાશ નથી થતો. બાળકોનાં અંદર ખુશી નાં ઢોલ વાગવાં જોઈએ. આ હાય-હાય થયા પછી વાહ-વાહ થવાની છે.

તમે હમણાં ઈશ્વરીય સંતાન છો. પછી બનશો દૈવી સંતાન. આ સમયે તમારું આ જીવન હીરાતુલ્ય છે. તમે ભારતની સેવા કરી ભારતને પીસફુલ બનાવો છો. ત્યાં પવિત્રતા, સુખ, શાંતિ બધું રહે છે. આ જીવન તમારું દેવતાઓથી પણ ઊંચું છે. હમણાં તમે રચતા બાપને અને સૃષ્ટિ ચક્ર ને જાણો છો. કહે છે આ તહેવાર વગેરે જે પણ છે પરંપરા થી ચાલતા આવે છે. પરંતુ ક્યાર થી? એ કોઈ નથી જાણતું. સમજે છે જ્યાર થી સૃષ્ટિ શરું થઈ, રાવણને બાળવું વગેરે પણ પરંપરા થી ચાલતું આવ્યું છે. હવે સતયુગમાં તો રાવણ હોતો નથી. ત્યાં કોઈ પણ દુઃખી નથી એટલે ભગવાન ને પણ યાદ નથી કરતાં. અહીંયા બધાં ભગવાન ને યાદ કરતાં રહે છે. સમજે છે ભગવાન જ વિશ્વમાં શાંતિ કરશે, એટલે કહે છે આવીને રહેમ કરો. અમને દુઃખ થી લીબરેટ (મુક્ત) કરો. બાળકો જ બાપ ને બોલાવે છે કારણ કે બાળકોએ જ સુખ જોયું છે. બાપ કહે છે-તમને પવિત્ર બનાવીને સાથે લઈ જઈશ. જે પવિત્ર નહીં બનશે તે તો સજા ખાશે. આમાં મન્સા, વાચા, કર્મણા પવિત્ર રહેવાનું છે. મન્સા પણ ખુબ સારી જોઈએ. એટલી મહેનત કરવાની છે જે પાછળ થી મન્સા માં કોઈ વ્યર્થ વિચાર ન આવે. એક બાપનાં સિવાય કોઈ પણ યાદ ન આવે. બાપ સમજાવે છે હમણાં મન્સા સુધી તો આવશે જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય. હનુમાન સમાન અડોલ બનો, એમાં જ તો બહુ મહેનત જોઈએ. જે આજ્ઞાકારી, વફાદાર, સપૂત બાળકો હોય છે બાપનો પ્રેમ પણ એમનાં પર વધારે રહે છે. ૫ વિકારો પર જીત ન પામવા વાળા એટલા પ્રિય લાગી ન શકે. આપ બાળકો જાણો છો આપણે કલ્પ-કલ્પ બાપથી આ વારસો લઈએ છે તો કેટલો ખુશી નો પારો ચઢવો જોઈએ. એ પણ જાણો છો સ્થાપના તો જરુર થવાની છે. આ જૂની દુનિયા કબ્રદાખિલ થવાની છે જરુર. આપણે પરિસ્તાન માં જવા માટે કલ્પ પહેલાં માફક પુરુષાર્થ કરતા રહીએ છીએ. આ તો કબ્રિસ્તાન છે ને. જૂની દુનિયા અને નવી દુનિયાની સમજ સીડીમાં છે. આ સીડી કેટલી સારી છે તો પણ મનુષ્ય સમજતાં નથી. અહીંયા સાગર નાં કાંઠા પર રહેવા વાળા પણ પૂરું સમજતાં નથી. તમારે જ્ઞાન ધનનું દાન તો જરુર કરવું જોઈએ. ધન આપે ધન ન ખૂટે. દાની, મહાદાની કહો છો ને. જે હોસ્પિટલ, ધર્મશાળા વગેરે બનાવે છે, એમને મહાદાની કહે છે. એનું ફળ પછી બીજા જન્મમાં અલ્પકાળ માટે મળે છે. સમજો ધર્મશાળા બનાવે છે તો બીજા જન્મમાં મકાનનું સુખ મળશે. કોઈ બહુ જ-બહુ જ ધન દાન કરે છે તો રાજાનાં ઘરમાં કે સાહૂકાર નાં ઘરમાં જન્મ લે છે. એ દાન થી બને છે. તમે ભણતર થી રાજાઈ પદ પામો છો. ભણતર પણ છે, દાન પણ છે. અહીંયા છે ડાયરેક્ટ, ભક્તિમાર્ગ માં છે ઈનડાયરેક્ટ. શિવબાબા તમને ભણતર થી આવાં બનાવે છે. શિવબાબા ની પાસે તો છે જ અવિનાશી જ્ઞાન રત્ન. એક-એક રત્ન લાખો રુપિયા નાં છે. ભક્તિનાં માટે એવું નથી કહેવાતું. જ્ઞાન આને કહેવાય છે. શાસ્ત્રોમાં ભક્તિનું જ્ઞાન છે, ભક્તિ કેવી રીતે કરાય એનાં માટે શિક્ષા મળે છે. આપ બાળકોને છે જ્ઞાન નો કાપારી (રુહાની) નશો. તમને ભક્તિ પછી જ્ઞાન મળે છે. જ્ઞાન થી વિશ્વની બાદશાહી નો કાપારી નશો ચઢે છે. જે વધારે સર્વિસ કરશે, એમને નશો ચઢશે. પ્રદર્શની અથવા મ્યુઝિયમ માં પણ સારા ભાષણ કરવાવાળા ને બોલાવે છે ને. ત્યાં પણ જરુર નંબરવાર હશે. મહારથી, ઘોડેસવાર, પ્યાદા હોય છે. દેલવાડા મંદિરમાં પણ યાદગાર બનેલું છે. તમે કહેશો આ છે ચૈતન્ય દેલવાડા, તે છે જડ. તમે છો ગુપ્ત એટલે તમને જાણતાં નથી.

તમે છો રાજઋષિ, તે છે હઠયોગ ઋષિ. હમણાં તમે જ્ઞાન જ્ઞાનેશ્વરી છો. જ્ઞાન સાગર તમને જ્ઞાન આપે છે. તમે અવિનાશી સર્જન નાં બાળકો છો. સર્જન જ નસ જોશે. જે પોતાની નસ ને જ નથી જાણતાં તો બીજાને પછી કેવી રીતે જાણશે. તમે અવિનાશી સર્જન નાં બાળકો છો ને. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા.... આ જ્ઞાન ઇન્જેક્શન છે ને. આત્મા ને ઇન્જેક્શન લાગે છે ને. આ મહિમા પણ હમણાં ની છે. સદ્દગુરુ ની જ મહિમા છે. ગુરુઓને પણ જ્ઞાન ઇન્જેક્શન સદ્દગુરુ જ આપશે. તમે અવિનાશી સર્જનનાં બાળકો છો તો તમારો ધંધો જ છે જ્ઞાન ઇન્જેક્શન લગાવવાનો. ડોક્ટરો માં પણ કોઈ મહિનામાં લાખ, કોઈ ૫૦૦ પણ મુશ્કેલ કમાશે. નંબરવાર એક-બે ની પાસે જાઓ છો ને. હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટ (નિર્ણય) મળે છે - ફાંસી પર ચઢવાનું છે. પછી પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) પાસે અપીલ કરે છે તો તે માફ પણ કરી દે છે.

આપ બાળકોને તો નશો રહેવો જોઈએ, ઉદારચિત્ત હોવું જોઈએ. આ ભાગીરથ માં બાપ પ્રવેશ થયાં તો આમને બાપે ઉદારચિત્ત બનાવ્યાં ને. પોતે તો કંઈ પણ કરી શકે છે ને. એ આમાં આવીને માલિક બની બેઠાં. ચલો આ બધું ભારતનાં કલ્યાણ માટે લગાવવાનું છે. તમે ધન લગાવો છો, ભારતનાં જ કલ્યાણ માટે. કોઈ પૂછે ખર્ચો ક્યાંથી લાવો છો? બોલો, અમે પોતાનાં જ તન-મન-ધન થી સેવા કરીએ છીએ. અમે રાજ્ય કરીશું તો પૈસા પણ અમે જ લગાવીશું. અમે પોતાનો જ ખર્ચો કરીએ છીએ. આપણે બ્રાહ્મણ શ્રીમત પર રાજ્ય સ્થાપન કરીએ છીએ. જે બ્રાહ્મણ બનશે એ જ ખર્ચો કરશે. શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનવાનું છે. બાબા તો કહે છે બધાં ચિત્ર એવા ટ્રાંસલાઈટ નાં બનાવો જે મનુષ્ય ને કશિશ (ખેંચ) થાય. કોઈને ઝટ થી તીર લાગી જાય. કોઈ જાદૂનાં ડર થી આવશે નહીં. મનુષ્ય થી દેવતા બનાવવાં - આ જાદૂ છે ને. ભગવાનુવાચ, હું તમને રાજયોગ શીખવાડું છું. હઠયોગી ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. આ વાતો હમણાં તમે સમજો છો. તમે મંદિર લાયક બની રહ્યાં છો. આ સમયે આ આખું વિશ્વ બેહદની લંકા છે. આખાં વિશ્વમાં રાવણનું રાજ્ય છે. બાકી સતયુગ-ત્રેતા માં આ રાવણ વગેરે હોઈ કેવી રીતે શકે.

બાપ કહે છે હમણાં હું જે સંભળાવું છું, તે સાંભળો. આ આંખોથી કંઈ જુઓ નહીં. આ જૂની દુનિયા જ વિનાશ થવાની છે, એટલે આપણે આપણા શાંતિધામ-સુખધામ ને જ યાદ કરીએ છીએ. હમણાં તમે પૂજારી થી પૂજ્ય બની રહ્યાં છો. આ નંબરવન પુજારી હતાં, નારાયણ ની બહુજ પૂજા કરતાં હતાં. હવે ફરી પૂજ્ય નારાયણ બની રહ્યાં છે. તમે પણ પુરુષાર્થ કરી બની શકો છો. રાજધાની તો ચાલે છે ને. જેમ કિંગ એડવર્ડ ધી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચાલે છે. બાપ કહે છે તમે સર્વવ્યાપી કહીને મારો તિરસ્કાર કરતાં આવ્યાં છો. તો પણ હું તમારા પર ઉપકાર કરું છું. આ ખેલ જ એવો વન્ડરફુલ બનેલો છે. પુરુષાર્થ જરુર કરવાનો છે. કલ્પ પહેલાં જે પુરુષાર્થ કર્યો છે, તે જ ડ્રામા અનુસાર કરશે. જે બાળકને સર્વિસ નો શોખ રહે છે, એમને રાત-દિવસ આ જ ચિંતન રહે છે. આપ બાળકોને બાપ થી રસ્તો મળ્યો છે, તો આપ બાળકોને સર્વિસ વગર બીજું કંઈ સારું નથી લાગતું. દુનિયાવી વાતાવરણ સારું નથી લાગતું. સર્વિસ વાળા ને તો સર્વિસ વગર આરામ નથી. શિક્ષક ને ભણાવવામાં મજા આવે છે. હવે તમે બન્યાં છો બહુ જ ઊંચા શિક્ષક. તમારો ધંધો જ આ છે, જેટલાં સારા શિક્ષક અનેકોને આપ સમાન બનાવશે, એમને એટલું ફળ મળે છે. તેમને ભણાવ્યાં વગર આરામ નહિં આવે. પ્રદર્શની વગેરેમાં રાતનાં ૧૨ પણ વાગી જાય છે તો પણ ખુશી થાય છે. થકાવટ થાય છે, ગળું ખરાબ થઈ જાય છે તો પણ ખુશીમાં રહે છે. ઈશ્વરીય સર્વિસ છે ને. આ બહુજ ઊંચ સર્વિસ છે, તેમને પછી કંઈ પણ મીઠું નથી લાગતું. કહેશે અમે આ મકાન વગેરે લઈને પણ શું કરીશું, અમારે તો ભણાવવાનું છે. આ જ સર્વિસ કરવાની છે. મિલકત વગેરેમાં ખીટપીટ જોશે તો કહેશે આ સોનું જ શું કામનું જે કાન કપાય. સર્વિસ થી તો બેડો પાર થવાનો છે. બાબા કહી દે છે, મકાન પણ ભલે તેમનાં નામ પર હોય. બી.કે. એ તો સર્વિસ કરવાની છે. આ સર્વિસમાં કોઈ બહારનું બંધન સારું નથી લાગતું. કોઈની તો રગ જાય છે. કોઈની રગ તૂટેલી હોય છે. બાબા કહે છે મનમનાભવ તો તમારા વિકર્મ વિનાશ થશે. ખુબજ મદદ મળી જાય છે. આ સર્વિસમાં તો લાગી જવું જોઈએ. આમાં આવક છે બહુજ. મકાન વગેરે ની વાત નથી. મકાન આપે અને બંધન નાખે તો એવું લઈશું નહીં. જે સર્વિસ નથી જાણતાં તે તો આપણા કામના નથી. શિક્ષક આપસમાન બનાવશે. નહીં બને તો તે શું કામના. હેડંસ (મદદગાર) ની બહુ જ જરુરત હોય છે ને. એમાં પણ કન્યાઓ, માતાઓની વધારે જરુર રહે છે. બાળકો સમજે છે - બાપ શિક્ષક છે, બાળકો પણ શિક્ષક જોઈએ. એવું નથી કે શિક્ષક બીજું કોઈ કામ ન કરી શકે. બધું કામ કરવું જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દિવસ-રાત સેવા નાં ચિંતનમાં રહેવાનું છે અને બધી રગ તોડી દેવાની છે. સર્વિસનાં વગર આરામ નહિં, સર્વિસ કરી આપ સમાન બનાવવાનાં છે.

2. બાપ સમાન ઉદારચિત બનવાનું છે. બધાં ની નસ જોઈ સેવા કરવાની છે. પોતાનું તન-મન-ધન ભારત નાં કલ્યાણમાં લગાડવાનું છે. અચળ-અડોલ બનવા માટે આજ્ઞાકારી વફાદાર બનવાનું છે.

વરદાન :-
અંતર્મુખતા ની ગુફામાં રહેવાવાળા દેહ થી ન્યારા દેહી ભવ

જેમ પાંડવોની ગુફાઓ દેખાડે છે - તે આ જ અંતર્મુખતા ની ગુફાઓ છે, જેટલાં -દેહ થી ન્યારા, દેહી રુપમાં સ્થિત થવાની ગુફામાં રહો છો એટલાં દુનિયાનાં વાતાવરણ થી પરે થઈ જાઓ છો, વાતાવરણ નાં પ્રભાવમાં નથી આવતાં. જેમ ગુફાની અંદર રહેવાથી બહારનાં વાતાવરણ થી પરે થઈ જાઓ છો એમ આ અંતર્મુખતા ની ગુફા પણ સૌથી ન્યારા બની અને બાપ નાં પ્યારા બનાવી દે છે. અને જે બાપનાં પ્યારા છે તે સ્વતઃ સૌથી ન્યારા થઈ જાય છે.

સ્લોગન :-
સાધના બીજ છે અને સાધન એનો વિસ્તાર છે. વિસ્તાર માં સાધના ને છુપાડી નહીં દેતાં.