28-12-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - ચેરિટી બિગન્સ એટ હોમ અર્થાત્ પહેલાં સ્વયં આત્મ - અભિમાની બનવાની મહેનત કરો પછી બીજાઓ ને કહો , આત્મા સમજીને આત્માને જ્ઞાન આપો તો જ્ઞાન તલવારમાં ધાર આવી જશે ”

પ્રશ્ન :-
સંગમયુગ પર કઈ બે વાતો ની મહેનત કરવાથી સતયુગી તખ્ત નાં માલિક બની જશો?

ઉત્તર :-
૧. દુઃખ-સુખ, નિંદા-સ્તુતિ માં સમાન સ્થિતિ રહે-આ મહેનત કરો. કોઈ પણ કંઈ ઊલટું-સુલટું બોલે, ક્રોધ કરે તો તમે ચુપ થઇ જાઓ, કયારેય પણ મુખની તાળી નહિં વગાડો. ૨. આંખો ને સિવિલ (પવિત્ર) બનાવો, ક્રિમીનલ આંખો (કુદૃષ્ટિ) બિલકુલ સમાપ્ત થઈ જાય, આપણે આત્મા ભાઈ-ભાઈ છે, આત્મા સમજીને જ્ઞાન આપો, આત્મ-અભિમાની બનવાની મહેનત કરો તો સતયુગી તખ્ત નાં માલિક બની જશો. સંપૂર્ણ પવિત્ર બનવા વાળા જ ગાદી નશીન બને છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો થી વાત કરે છે, આપ આત્માઓને આ ત્રીજું નેત્ર મળ્યું છે જેને જ્ઞાનનું ત્રીજું નેત્ર પણ કહેવાય છે, એનાથી તમે જુઓ છો પોતાના ભાઈઓ ને. તો આ બુદ્ધિથી સમજો છો ને કે જ્યારે આપણે ભાઈ-ભાઈ ને જોઈશું તો કર્મેન્દ્રિયો ચંચલ નહીં થશે. અને આમ કરતાં-કરતાં આંખો જે ક્રિમીનલ છે તે સિવિલ થઈ જશે. બાપ કહે છે વિશ્વનાં માલિક બનવા માટે મહેનત તો કરવી પડશે ને. તો હમણાં આ મહેનત કરો. મહેનત કરવા માટે બાબા નવી-નવી ગુહ્ય પોઇન્ટ્સ (વાત) સંભળાવે છે ને. તો હમણાં પોતાને ભાઈ-ભાઈ સમજીને જ્ઞાન આપવાની આદત પાડવાની છે. પછી આ જે ગવાય જાય છે કે - “વી આર ઓલ બ્રધર્સ” (આપણે બધાં ભાઈઓ છે) - આ પ્રેક્ટિકલ થઈ જશે. હમણાં તમે સાચાં-સાચાં બ્રધર્સ છો કારણ કે બાપને જાણો છો. બાપ આપ બાળકોની સાથે સેવા કરી રહ્યાં છે. હિંમતે બાળકો મદદે બાપ. તો બાપ આવીને આ હિંમત આપે છે સર્વિસ (સેવા) કરવાની. તો આ સહજ થયું ને. તો રોજ આ પ્રેક્ટિસ કરવી પડશે, સુસ્ત (આળસુ) ન થવું જોઈએ. આ નવી-નવી પોઇન્ટ બાળકોને મળે છે, બાળકો જાણે છે કે આપણને ભાઈઓને બાબા ભણાવી રહ્યાં છે. આત્માઓ ભણે છે, આ રુહાની નોલેજ છે, આને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. ફકત આ સમયે રુહાની નોલેજ, રુહાની બાપ થી મળે છે કારણ કે બાપ આવે જ છે સંગમયુગ પર જ્યારે સૃષ્ટિ બદલાય છે, આ રુહાની નોલેજ મળે પણ ત્યારે છે જ્યારે સૃષ્ટિ બદલવાની છે. બાપ આવીને આ જ તો રુહાની નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો. આત્મા નગ્ન (અશરીરી) આવી હતી, અહીંયા પછી શરીર ધારણ કરે છે. શરું થી હમણાં સુધી આત્માએ ૮૪ જન્મ લીધાં છે. પરંતુ નંબરવાર જે જેમ આવ્યાં હશે, તે તેમ જ જ્ઞાન-યોગ ની મહેનત કરશે. પછી જોવામાં પણ આવે છે કે જેમ જેમણે કલ્પ પહેલા જે પુરુષાર્થ કર્યો, મહેનત કરી તે હમણાં પણ એવી જ મહેનત કરતાં રહે છે. પોતાનાં માટે મહેનત કરવાની છે. બીજા કોઈ માટે તો નથી કરવાની હોતી. તો પોતાને જ આત્મા સમજી ને પોતાની સાથે મહેનત કરવાની છે. બીજા શું કરે છે, એમાં આપણું શું જાય છે. ચેરિટી બિગન્સ એટ હોમ એટલે પહેલાં-પહેલાં પોતે મહેનત કરવાની છે, પછી બીજાઓ ને (ભાઈઓ ને) કહેવાનું છે. જ્યારે તમે પોતાને આત્મા સમજી ને આત્માને જ્ઞાન આપશો તો તમારી જ્ઞાન તલવાર માં ધાર રહેશે. મહેનત તો છે ને. તો જરુર કંઈ ને કંઈ સહન કરવું પડે છે. આ સમયે સુખ-દુ:ખ, નિંદા-સ્તુતિ, માન-અપમાન આ બધું થોડું ઘણું સહન કરવું પડે છે. તો જ્યારે પણ કોઇ ઉલટું-સુલટું બોલે છે તો કહે છે ચુપ. જ્યારે કોઈ ચૂપ કરી દે છે તો પછી કોઈ ગુસ્સો શું કરશે. જ્યારે કોઈ વાત કરે છે અને બીજા પણ વાત કરે છે તો મુખ ની તાળી વાગે છે. જો એકે મુખ ની તાળી વગાડી અને બીજાએ શાંત કર્યા તો ચૂપ. બસ આ બાપ શીખવાડે છે. ક્યારેય પણ જુઓ કોઈ ક્રોધમાં આવે છે તો ચૂપ થઈ જાઓ, જાતે જ તેમનો ક્રોધ શાંત થઈ જશે. બીજી તાળી વાગશે નહીં. જો તાળી થી તાળી વાગે તો પછી ગડબડ થઈ જાય છે એટલે બાપ કહે છે બાળકો ક્યારેય પણ આવી વાતો માં તાળી નહીં વગાડો. ન વિકાર ની, ન કામ ની, ન ક્રોધ ની.

બાળકો એ દરેકનું કલ્યાણ કરવાનું જ છે, આટલાં જે સેવાકેન્દ્રો બન્યાં છે શેના માટે? કલ્પ પહેલા પણ તો આવાં સેવાકેન્દ્રો નીકળ્યાં હશે. દેવો નાં દેવ બાપ જોતા રહે છે કે ઘણાં બાળકો ને આ શોખ રહે છે કે બાબા સેવાકેન્દ્ર ખોલું. અમે સેવાકેન્દ્ર ખોલીએ છીએ, અમે ખર્ચો ઉઠાવશું. તો દિન-પ્રતિદિન એવું થતું જ જશે કારણ કે જેટલાં વિનાશ નાં દિવસ નજીક આવતાં જશે એટલાં પછી આ તરફ પણ સર્વિસનાં શોખ વધતા જશે. હમણાં બાપદાદા બંને સાથે છે તો દરેકને જુએ છે કે શું પુરુષાર્થ કરે છે? શું પદ પામશે? કોનો પુરુષાર્થ ઉત્તમ, કોનો મધ્યમ, કોનો કનિષ્ઠ છે? તે તો જોઈ રહ્યાં છે. શિક્ષક પણ સ્કૂલ માં જુએ છે કે સ્ટુડન્ટ કયાં વિષય માં ઉપર-નીચે થાય છે. તો અહીંયા પણ એવું જ છે. કોઈ બાળકો સારી રીતે થી અટેન્શન (ધ્યાન) આપે છે તો પોતાને ઉંચા સમજે છે. કોઈ સમયે પછી ભૂલ કરે છે, યાદમાં નથી રહેતાં તો પોતાને ઓછા (કમજોર) સમજે છે. આ સ્કૂલ છે ને. બાળકો કહે છે બાબા અમે ક્યારેક-ક્યારેક બહુજ ખુશીમાં રહીએ છીએ, ક્યારેક-ક્યારેક ખુશી ઓછી થઈ જાય છે. તો બાબા હમણાં સમજાવતાં રહે છે કે જો ખુશી માં રહેવા ઈચ્છો છો તો મનમનાભવ, પોતાને આત્મા સમજો અને બાપને પણ યાદ કરો. સામે પરમાત્માને જુઓ તો તે અકાળ તખ્ત પર બેઠેલાં છે. એમ ભાઈઓની તરફ પણ જુઓ, પોતાને આત્મા સમજી ને પછી ભાઈ થી વાત કરો. ભાઈ ને આપણે જ્ઞાન આપીએ છીએ. બહેન નહિં, ભાઈ-ભાઈ. આત્માઓને જ્ઞાન આપીએ છીએ જો આ આદત તમારી પડી જશે તો તમારી જે અપવિત્ર આંખ છે, જે તમને દગો આપે છે તે ધીરે-ધીરે બંધ થઈ જશે. આત્મા-આત્મા માં શું કરશે? જ્યારે દેહ-અભિમાન આવે છે ત્યારે પડે છે. ઘણાં કહે છે બાબા અમારી અપવિત્ર આંખો છે. અચ્છા અપવિત્ર આંખ ને હવે સિવિલ આંખ બનાવો. બાપે આત્માને આપ્યું જ છે ત્રીજું નેત્ર. ત્રીજા નેત્ર થી જોશો તો પછી તમારી દેહને જોવાની આદત જતી રહેશે. બાબા બાળકો ને ડાયરેક્શન તો આપતાં રહે છે, આમને (બ્રહ્મા ને) પણ એવું જ કહે છે. આ બાબા પણ દેહ માં આત્માને જોશે. તો આને જ કહેવાય છે રુહાની નોલેજ. જુઓ, પદ કેટલું ઊંચુ પામો છે. જબરજસ્ત પદ છે. તો પુરુષાર્થ પણ એવો કરવો જોઈએ. બાબા પણ સમજે છે કલ્પ પહેલા માફક બધાનો પુરુષાર્થ ચાલશે. કોઈ રાજા-રાણી બનશે, કોઈ પ્રજામાં ચાલ્યાં જશે. તો અહીંયા જ્યારે બેસીને નેષ્ઠા (યોગ) પણ કરાવો છો તો પોતાને આત્મા સમજી ને બીજાની પણ ભ્રકુટી માં આત્માને જોતાં રહેશો તો પછી એમની સર્વિસ સારી થશે. જે દેહી-અભિમાની થઈને બેસે છે તે આત્માઓ ને જ જુએ છે. આની ખુબ પ્રેક્ટિસ કરો. અરે ઊંચ પદ પામવું છે તો કંઈક તો મહેનત કરશો ને. તો હમણાં આત્માઓ માટે આ જ મેહનત છે. આ રુહાની નોલેજ એક જ વખત મળે છે પછી ક્યારેય પણ નહીં મળશે. ન કળયુગ માં, ન સતયુગ માં, ફક્ત સંગમયુગ માં તે પણ બ્રાહ્મણો ને. આ પાક્કું યાદ કરી લો. જ્યારે બ્રાહ્મણ બનશો ત્યારે દેવતા બનશો. બ્રાહ્મણ નહીં બન્યાં તો પછી દેવતા કેવી રીતે બનશો? આ સંગમયુગ માં જ આ મહેનત કરો છો. બીજા કોઈ સમયમાં આ નહીં કહેશો કે પોતાને આત્મા, બીજાને પણ આત્મા સમજી એમને જ્ઞાન આપો. બાપ જે સમજાવે છે એનાં પર વિચાર સાગર મંથન કરો. જજ કરો કે શું આ ઠીક છે, અમારા ફાયદાની વાત છે? આપણને આદત પડી જશે કે બાપની જે શિક્ષા છે તે ભાઈઓ ને આપવાની છે, સ્ત્રી ને પણ આપવાની છે તો પુરુષ ને પણ આપવાની છે. આપવાનું તો આત્માઓ ને જ છે. આત્મા જ મેલ, ફિમેલ (પુરુષ-સ્ત્રી) બની છે. બહેન-ભાઈ બની છે.

બાપ કહે છે હું આપ બાળકોને જ્ઞાન આપું છું. હું બાળકોની તરફ, આત્માઓને જોઉં છું અને આત્માઓ પણ સમજે છે કે અમારા પરમાત્મા જે બાપ છે તે જ્ઞાન આપે છે તો આને કહેશું આ રુહાની અભિમાની બને છે. આને જ કહેવાય છે આધ્યાત્મિક જ્ઞાનની લેણ-દેણ - આત્માની પરમાત્મા સાથે. તો આ બાપ શિક્ષા આપે છે કે જ્યારે પણ કોઈ વિઝીટર (મહેમાન) વગેરે આવે છે તો પણ પોતાને આત્મા સમજી, આત્માને બાપનો પરિચય આપવાનો છે. આત્મામાં જ્ઞાન છે, શરીરમાં નથી. તો એમને પણ આત્મા સમજીને જ જ્ઞાન આપવાનું છે. આનાથી એમને પણ સારું લાગશે. જેમ કે આ ધાર છે તમારા મુખમાં. આ જ્ઞાન ની તલવાર માં ધાર ભરાઈ જશે કારણ કે દેહી-અભિમાની થાઓ છો ને. તો આ પણ પ્રેક્ટિસ કરીને જુઓ. બાબા કહે છે જજ કરો - આ ઠીક છે? અને બાળકો માટે પણ આ કોઇ નવી વાત નથી કારણ કે બાપ સમજાવે જ છે સહજ કરીને. ચક્ર લગાવ્યું, હવે નાટક પૂરું થાય છે, હવે બાબાની યાદ માં રહીએ છીએ. તમોપ્રધાન થી સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયા નાં માલિક બનીએ છીએ પછી એમ જ સીડી ઉતરીએ છીએ, જુઓ કેટલું સહજ બતાવે છે. દર ૫ હજાર વર્ષ પછી મારે આવવાનું હોય છે. ડ્રામાનાં પ્લાન અનુસાર હું બંધાયમાન છું. આવીને બાળકોને બહુજ સહજ યાદ ની યાત્રા શીખવાડું છું. બાપની યાદમાં અંત મતિ સો ગતિ થઈ જશે, આ સમયનાં માટે છે. આ અંતકાળ છે. હમણાં આ સમયે બાપ બેસીને યુક્તિ બતાવે છે કે મામેકમ્ યાદ કરો તો સદ્દગતિ થઈ જશે. બાળકો પણ સમજે છે કે ભણતર થી આ બનીશ, ફલાણો બનીશ. આમાં પણ આ જ છે કે હું જઈને નવી દુનિયામાં દેવી-દેવતા બનીશ. કોઈ નવી વાત નથી, બાપ તો ઘડી-ઘડી કહે છે નથીંગ ન્યુ (કાંઈ જ નવું નથી). આ તો સીડી ઉતરવાની-ચઢવાની છે, જિન્નની વાર્તા છે ને. એને સીડી ઉતરવાનું અને ચઢવાનું કામ આપી દીધું. આ નાટક જ છે ચઢવાનું અને ઉતરવાનું. યાદ ની યાત્રાથી બહુજ મજબૂત થઈ જશો એટલે ભિન્ન-ભિન્ન પ્રકાર થી બાપ બાળકોને બેસીને શીખવાડે છે કે બાળકો હવે દેહી-અભિમાની બનો. હવે બધાએ પાછાં જવાનું છે. આપ આત્માઓ પૂરા ૮૪ જન્મ લઈને તમોપ્રધાન બની ગઈ છો. ભારતવાસી જ સતો-રજો-તમો બને છે. બીજી કોઈ રાષ્ટ્રીયતા ને નહિં કહેશું કે પૂરા ૮૪ જન્મ લીધાં છે. બાપે આવી ને બતાવ્યું છે નાટકમાં દરેકનો પાર્ટ પોત-પોતાનો હોય છે. આત્મા કેટલી નાની છે. સાયન્સદાનો (વૈજ્ઞાનિકો) ને આ સમજમાં નહીં આવશે કે આટલી નાની આત્મામાં આ અવિનાશી પાર્ટ ભરેલો છે. આ છે સૌથી વન્ડરફુલ વાત. આ નાની એવી આત્મા અને પાર્ટ કેટલો ભજવે છે! તે પણ અવિનાશી! આ ડ્રામા પણ અવિનાશી છે અને બન્યો-બનેલ છે. એવું નહીં કોઈ કહેશે કે ક્યારે બન્યો? ના. આ કુદરત છે. આ જ્ઞાન બહુ વન્ડરફુલ છે, ક્યારેય કોઈ આ જ્ઞાન બતાવી જ નહીં શકે. એવી કોઈની તાકાત જ નથી જે આ જ્ઞાન બતાવે.

તો હમણાં બાળકોને બાપ દિવસ-પ્રતિદિવસ સમજાવતાં રહે છે. હમણાં પ્રેક્ટિસ કરો કે અમે પોતાનાં ભાઈ આત્માને જ્ઞાન આપીએ છીએ, આપસમાન બનાવવા માટે. બાપ થી વારસો લેવા માટે કારણ કે બધી આત્માઓનો હક છે. બાબા આવે છે બધી આત્માઓને પોત-પોતાનો શાંતિ કે સુખ નો વારસો આપવાં. આપણે જ્યારે રાજધાનીમાં હોઈશું તો બાકી બધાં શાંતિધામ માં હશે. પછી જય જયકાર થશે, અહીંયા સુખ જ સુખ હશે એટલે બાપ કહે છે પાવન બનવાનું છે. જેટલાં-જેટલાં તમે પવિત્ર બનો છો એટલી કશિશ (ખેંચાણ) થાય છે. જ્યારે તમે બિલ્કુલ પવિત્ર થઈ જાઓ છો તો ગાદી નશીન થઈ જાઓ છો. તો આ પ્રેક્ટિસ કરો. એવું નહિં સમજતાં કે બસ આ સાંભળ્યું અને કાન થી નીકાળ્યું. નહીં, આ પ્રેક્ટિસ વગર તમે ચાલી નહીં શકશો. પોતાને આત્મા સમજો, તે પણ આત્મા ભાઈ-ભાઈ ને બેસીને સમજાવો. રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે આને કહેવાય છે રુહાની આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પિતા આપવા વાળા છે. જ્યારે બાળકો પૂરા આધ્યાત્મિક બની જાય છે, એકદમ પવિત્ર બની જાય છે તો જઈને સતયુગી તખ્તનાં માલિક બને છે. જે પ્યોર (પવિત્ર) નહીં બનશે તે માળા માં પણ નહીં આવશે. માળા નો પણ કોઈ અર્થ થતો હશે ને. માળાનું રાઝ (રહસ્ય) બીજા કોઈ પણ નથી જાણતાં. માળા ને કેમ સિમરે (ફેરવે) છે? કારણ કે બાપ ની બહુજ મદદ કરી છે, તો કેમ નહીં સિમરવામાં આવશે. તમે સિમરાવો પણ છો, તમારી પૂજા પણ થાય છે અને તમારા શરીર ને પણ પૂજાય છે. અને મારી તો ફક્ત આત્માને પૂજાય છે. જુઓ તમે તો ડબલ પૂજાઓ છો, મારા થી પણ વધારે. તમે જ્યારે દેવતા બનો છો તો દેવતાઓની પણ પૂજા કરે છે એટલે પૂજા માં પણ તમે આગળ, યાદગાર માં પણ તમે આગળ અને બાદશાહી માં પણ તમે આગળ. જુઓ, તમને કેટલા ઊંચા બનાવું છું. તો જેમ પ્રેમાળ બાળકો હોય છે, બહુજ પ્રેમ હોય છે તો બાળકો ને ખોળા માં, માથા પર પણ રાખે છે. બાબા એકદમ માથા પર રાખી દે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ગાયન અને પૂજન યોગ્ય બનવા માટે આધ્યાત્મિક બનવાનું છે, આત્માને પવિત્ર બનાવવાની છે. આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે.

2. મનમનાભવ નાં અભ્યાસ દ્વારા અપાર ખુશી માં રહેવાનું છે. સ્વયંને આત્મા સમજીને આત્મા થી વાત કરવાની છે, આંખો ને સિવિલ (અપવિત્ર) બનાવવાની છે.

વરદાન :-
સદાકાળ નાં અટેંશન દ્વારા વિજય માળામાં પરોવવા વાળા બહુજ સમય નાં વિજયી ભવ

બહુજ સમય નાં વિજયી, વિજય માળા નાં મણકા બને છે. વિજયી બનવા માટે સદા બાપને સામે રાખો - જે બાપે કર્યુ તે જ મારે કરવાનું છે. દરેક કદમ પર જે બાપ નાં સંકલ્પ તે જ બાળકો નાં સંકલ્પ, જે બાપ નાં બોલ તે જ બાળકો નાં બોલ - ત્યારે વિજયી બનશો. આ અટેંશન સદાકાળ નું જોઈએ ત્યારે સદાકાળ નું રાજ્ય-ભાગ્ય પ્રાપ્ત થશે કારણ કે જેવો પુરુષાર્થ એવી પ્રાલબ્ધ છે. સદા નો પુરુષાર્થ છે તો સદા નું રાજ્ય-ભાગ્ય છે.

સ્લોગન :-
સેવામાં સદા જી હાજીર કરવું - આ જ પ્રેમ નું સાચું સબૂત છે.