08-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
જે છે , જેવા છે , એમને યથાર્થ ઓળખી ને યાદ કરો , એનાં માટે પોતાની બુદ્ધિને વિશાળ
બનાવો ”
પ્રશ્ન :-
બાપ ને
ગરીબ-નિવાઝ કેમ કહેવાયાં છે?
ઉત્તર :-
કારણ કે આ સમયે જ્યારે આખી દુનિયા ગરીબ અર્થાત્ દુઃખી બની ગઈ છે ત્યારે બાપ આવ્યાં
છે બધાંને દુ:ખથી છોડાવવાં. બાકી કોઈ પર તરસ ખાઈ ને કપડાં આપી દેવા, પૈસા આપી દેવા
તે કોઈ કમાલની વાત નથી. એનાથી એ કોઈ સાહૂકાર નથી બની જતાં. એવું નહીં હું કોઈ આ ભીલો
ને પૈસા આપીને ગરીબ-નિવાઝ કહેવાઈશ. હું તો ગરીબ અર્થાત્ પતિતો ને, જેનામાં જ્ઞાન નથી,
એમને જ્ઞાન આપીને પાવન બનાવું છું.
ગીત :-
યહી બહાર હૈ
દુનિયા કો ભૂલ જાને કી …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે ગીત તો દુનિયાવી મનુષ્યો એ ગાયેલું છે. અક્ષર
ખુબ સરસ છે, આ જૂની દુનિયા ને ભુલવાની છે. પહેલાં એવું નહોતાં સમજતાં. કળયુગી
મનુષ્યો ને પણ સમજમાં નથી આવતું કે નવી દુનિયામાં જવાનું હશે તો જરુર જૂની દુનિયાને
ભુલવું પડશે. ભલે એટલું સમજે છે જૂની દુનિયાને છોડવાની છે પરંતુ તે સમજે છે હજું બહુ
જ સમય પડ્યો છે. નવી થી જૂની થશે, આ તો સમજે છે પરંતુ લાંબો સમય નાખવાથી ભૂલી ગયાં
છે. તમને હવે સ્મૃતિ અપાવાય છે, હવે નવી દુનિયા સ્થાપન થાય છે એટલે જૂની દુનિયા ને
ભૂલવાની છે. ભૂલી જવાથી શું થશે? આપણે આ શરીર છોડી નવી દુનિયામાં જઈશું. પરંતુ
અજ્ઞાનકાળ માં આવી-આવી વાતો નાં અર્થ પર કોઈનું ધ્યાન નથી જતું. જે પ્રકારે બાપ
સમજાવે છે, એમ કોઈ પણ સમજાવવા વાળું નથી. તમે આનાં અર્થ ને સમજી શકો છો. આ પણ બાળકો
જાણે છે-બાપ છે ખુબજ સાધારણ. અનન્ય, સારા-સારા બાળકો પણ પૂરું સમજતાં નથી. ભૂલી જાય
છે કે આમનામાં શિવબાબા આવે છે. કોઈ પણ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે તો સમજતાં નથી
કે આ શિવબાબા નું ડાયરેક્શન છે. શિવબાબા ને આખો દિવસ જેમ કે ભૂલેલાં છે. પૂરું ન
સમજવાનાં કારણે તે કામ નથી કરતાં. માયા યાદ કરવા નથી દેતી. સ્થાઈ તે યાદ રહેતી નથી.
મહેનત કરતાં-કરતાં પાછળથી છેવટે તે અવસ્થા થવાની જરુર છે. એવું કોઈ પણ નથી જે આ સમયે
કર્માતીત અવસ્થાને પામી લે. બાપ જે છે, જેવા છે એમને જાણવામાં વિશાળ બુદ્ધિ જોઈએ.
તમને પૂછશે બાપદાદા ગરમ કપડાં પહેરે છે? કહેશે બંને નાં પડેલાં છે. શિવબાબા કહેશે
હું થોડી ગરમ કપડાં પહેરીશ. મને ઠંડી નથી લાગતી. હાં, જેનામાં પ્રવેશ કર્યો છે એમને
ઠંડી લાગશે. મને તો ન ભૂખ, ન તરસ કંઈ નથી લાગતું. હું તો નિર્લેપ છું. સર્વિસ કરવા
છતાં પણ આ બધી વાતો થી ન્યારો છું. હું ખાતો, પીતો નથી. જેમ એક સાધુ પણ કહેતાં હતાં
ને, હું ન ખાઉં છું, ન પીવું છું…... તેમણે પછી આર્ટિફિશિયલ (બનાવટી) વેશ ધારણ કરી
લીધો છે. દેવતાઓનાં નામ પણ તો અનેકોએ રાખ્યાં છે. બીજા કોઈ ધર્મમાં દેવી-દેવતા બનતાં
નથી. અહીંયા કેટલાં મંદિર છે. બહાર તો એક શિવબાબા ને જ માને છે. બુદ્ધિ પણ કહે છે
પિતા તો એક હોય છે. પિતા થી જ વારસો મળે છે. આપ બાળકો ની બુદ્ધિમાં છે-કલ્પ નાં આ
પુરુષોત્તમ સંગમયુગ પર જ બાબા થી વારસો મળે છે. જ્યારે આપણે સુખધામ માં જઈએ છે તો
બાકી બધાં શાંતિધામ માં રહે છે. તમારામાં પણ આ સમજ નંબરવાર છે. જો જ્ઞાન નાં વિચારો
માં રહે છે તો એમનાં બોલ જ તેવાં નીકળશે. આપ રુપ-વસંત બની રહ્યાં છો - બાબા દ્વારા.
તમે રુપ પણ છો અને વસંત પણ છો. દુનિયામાં બીજું કોઈ કહી ન શકે કે અમે રુપ-વસંત છીએ.
તમે હમણાં ભણી રહ્યાં છો, અંત સુધી નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણી લેશો. શિવબાબા આપણા
આત્માઓનાં બાપ છે ને. આ પણ દિલ થી લાગે તો છે ને. ભક્તિમાર્ગ માં થોડી દિલ થી લાગે
છે. અહીંયા તમે સમ્મુખ બેઠા છો. સમજો છો બાપ પછી આ સમયે જ આવશે પછી કોઈ બીજા સમયે
બાપ ને આવવાની દરકાર જ નથી. સતયુગ થી ત્રેતા સુધી આવવાનું નથી. દ્વાપર થી કળયુગ સુધી
પણ આવવાનું નથી. એ આવે જ છે કલ્પ નાં સંગમયુગ પર. બાપ છે પણ ગરીબ-નિવાઝ અર્થાત્ આખી
દુનિયા જે દુઃખી ગરીબ થઇ જાય છે એમનાં બાપ છે. આમનાં દિલમાં શું હશે? હું ગરીબ
નિવાઝ છું. બધાનું દુઃખ અથવા ગરીબી દૂર થઈ જાય. તે તો સિવાય જ્ઞાન થી ઓછું થઇ ન શકે.
બાકી કપડાં વગેરે આપવાથી કોઇ સાહૂકાર તો નહીં બની જશે ને. ગરીબને જોવાથી દિલ થશે
એમને કપડા આપી દઈએ, કારણ કે યાદ આવે છે ને-હું ગરીબ નિવાઝ છું. સાથે-સાથે આ પણ સમજુ
છું - હું ગરીબ નિવાઝ કોઈ આ ભીલો નાં માટે નથી. હું ગરીબ નિવાઝ છું જે બિલ્કુલ જ
પતિત છે એમને પાવન બનાવું છું. હું છું જ પતિત-પાવન. તો વિચાર ચાલે છે, હું ગરીબ
નિવાઝ છું પરંતુ પૈસા વગેરે કેવી રીતે આપું. પૈસા વગેરે આપવા વાળા તો દુનિયામાં ઘણાં
છે. ખુબજ ફંડ્સ (પૈસા) કાઢે છે, જે પછી અનાથ આશ્રમમાં મોકલી દે છે. જાણે છે અનાથ
હોય છે અર્થાત્ જેમને નાથ નથી. અનાથ એટલે ગરીબ. તમારા પણ નાથ નહોતાં અર્થાત્ બાપ
નહોતાં. તમે ગરીબ હતાં, જ્ઞાન નહોતું. જે રુપ-વસંત નથી, તે ગરીબ અનાથ છે. જે
રુપ-વસંત છે એમને સનાથ કહેવાય છે. સનાથ સાહૂકાર ને, અનાથ ગરીબ ને કહેવાય છે. તમારી
બુદ્ધિમાં છે બધાં ગરીબ છે, કાંઈક એમને આપી દઈએ. બાપ ગરીબ-નિવાઝ છે તો કહેશે એવી
વસ્તુ આપીએ જેનાથી સદાનાં માટે સાહૂકાર બની જાય. બાકી આ કપડાં વગેરે આપવા તો
સામાન્ય વાત છે. એમાં આપણે શું કામ પડીએ. આપણે તો એમને અનાથ થી સનાથ બનાવી દઈએ. ભલે
કેટલાં પણ કોઈ પદમપતિ છે, પરંતુ તે પણ બધાં અલ્પકાળ માટે છે. આ છે જ અનાથોની દુનિયા.
ભલે પૈસા વાળા છે, તે પણ અલ્પકાળ માટે. ત્યાં છે સદૈવ સનાથ. ત્યાં આવું કર્મ નથી
કૂટતાં. અહીંયા કેટલાં ગરીબ છે. જેમને ધન છે, એમને તો પોતાનો નશો ચઢેલો રહે છે-અમે
સ્વર્ગમાં છીએ. પરંતુ છે નહિં, આ તમે જાણો છો. આ સમયે કોઈ પણ મનુષ્ય સનાથ નથી, બધાં
અનાથ છે. આ પૈસા વગેરે તો બધું માટી માં મળી જવાનું છે. મનુષ્ય સમજે છે અમારી પાસે
આટલું ધન છે જે પુત્ર-પૌત્ર ખાતાં રહેશે. પરંપરા ચાલતું રહેશે. પરંતુ એમ ચાલવાનું
નથી. આ તો બધું વિનાશ થઇ જશે એટલે તમને આ આખી જૂની દુનિયા થી વૈરાગ્ય છે.
તમે જાણો છો નવી દુનિયાને સ્વર્ગ, જૂની દુનિયાને નર્ક કહેવાય છે. આપણને બાબા નવી
દુનિયાનાં માટે સાહૂકાર બનાવી રહ્યાં છે. આ જૂની દુનિયા તો ખત્મ થઈ જવાની છે. બાપ
કેટલાં સાહૂકાર બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ સાહૂકાર કેવી રીતે બન્યાં? શું કોઈ
સાહૂકાર થી વારસો મળ્યો કે લડાઈ કરી? જેમ બીજા રાજગાદી મેળવે છે, શું એમ રાજગાદી
લીધી? કે કર્મો અનુસાર આ ધન મળ્યું? બાપ નું કર્મ શીખવાડવાનું તો બિલ્કુલ જ ન્યારુ
છે. કર્મ-અકર્મ-વિકર્મ અક્ષર પણ ક્લીયર (સ્પષ્ટ) છે ને. શાસ્ત્રો માં કંઈક અક્ષર
છે, લોટ માં મીઠા જેટલું રહી જાય છે. ક્યાં આટલાં કરોડ મનુષ્ય, બાકી ૯ લાખ રહે છે.
ક્વાર્ટર (પા) ટકા પણ ન થયું. તો આને કહેવાય છે લોટમાં મીઠું. દુનિયા આખી વિનાશ થઈ
જાય છે. બહુજ થોડાં સંગમયુગ માં રહે છે. કોઈ પહેલાથી જ શરીર છોડી જાય છે. તે પછી
રિસીવ કરશે. જેમ મોગલી બાળકી હતી, સારી હતી તો જન્મ બિલ્કુલ સારા ઘરમાં લીધો હશે.
નંબરવાર સુખમાં જ જન્મ લે છે. સુખ તો એમણે જોવાનું છે, થોડું દુઃખ પણ જોવાનું છે.
કર્માતીત અવસ્થા તો કોઈની થઈ નથી. જન્મ મોટા સુખી ઘરમાં જઈને લેશે. એવું નહીં સમજો
અહીંયા કોઈ સુખી ઘર નથી. ઘણાં પરિવાર એવાં સારા હોય છે, વાત ન પૂછો. બાબા નું જોયેલું
છે. વહુઓ એક જ ઘરમાં એવા શાંત મિલનસાર માં રહે છે જે બસ, બધાં સાથે ભક્તિ કરે છે,
ગીતા વાંચે છે…. બાબા એ પૂછ્યું આટલી બધી સાથે રહે છે, ઝઘડો વગેરે નથી થતો! કહ્યું
અમારી પાસે તો સ્વર્ગ છે, અમે બધાં સાથે રહીએ છીએ. ક્યારેય લડતાં-ઝઘડતાં નથી,
શાંતિમાં રહીએ છીએ. કહે છે અહીંયા તો જેમ કે સ્વર્ગ છે તો જરુર સ્વર્ગ ભૂતકાળ થઈ ગયું
છે ત્યારે તો કહેવામાં આવે છે ને કે અહીંયા તો જેમ કે સ્વર્ગ આવી ગયું છે. પરંતુ
અહીંયા તો ઘણાનાં સ્વભાવ સ્વર્ગવાસી બનવાનાં દેખાતાં નથી. દાસ-દાસીઓ પણ બનવાનાં છે
ને. આ રાજધાની સ્થાપન થાય છે. બાકી જે બ્રાહ્મણ બને છે તે દૈવી ઘરાનામાં આવવા વાળા
છે. પરંતુ નંબરવાર છે. કોઈ તો બહુજ મીઠા હોય છે, બધાંને પ્રેમ કરતાં રહેશે. ક્યારેય
કોઈને ગુસ્સો નહીં કરશે. ગુસ્સો કરવાથી દુઃખ થાય છે. જે મન્સા-વાચા-કર્મણા કોઈને
દુઃખ જ આપતાં રહે છે - એમને કહેવાય છે દુઃખી આત્મા. જેમ પુણ્ય આત્મા, પાપ આત્મા
કહેવાય છે ને. શરીર નું નામ લે છે શું? હકીકતમાં આત્મા જ બને છે, બધી પાપ આત્માઓ પણ
એક જેવી નથી હોતી. પુણ્ય આત્મા પણ બધી એક જેવી નથી હોતી. નંબરવાર પુરુષાર્થ અનુસાર
હોય છે. વિદ્યાર્થી પોતે સમજતા હશે ને કે અમારા કેરેક્ટર્સ (ચરિત્ર), અવસ્થા કેવી
છે? અમે કેવી રીતે ચાલીએ છીએ? બધાંને મીઠું બોલીએ છીએ? કોઈ કંઈ કહે તો અમે
ઉલ્ટો-સુલટો જવાબ તો નથી આપતાં? બાબા ને ઘણાં બાળકો કહે છે - બાળકો પર ગુસ્સો આવી
જાય છે. બાબા કહે છે જેટલું થઈ શકે પ્રેમ થી કામ લો. નાના બાળકોને સુધારવા માટે કાન
થી પકડે છે. કૃષ્ણ નાં માટે દેખાડે છે ને એમને ઓખલી થી બાંધ્યાં. આ પણ અહીંયા ની જ
વાત છે. નાનું બાળક ચંચળ છે તો ખાટલા થી કે ઝાડ થી બાંધી દો. થપ્પડ નહીં મારો. નહીં
તો તે પણ એવું શીખી જશે. બાંધવું ઠીક છે. એવું તો નથી બાળક મોટો થઈને મા-બાપ ને
બાંધશે? ના. આ છે જ બાળકો માટે શિક્ષા. બિલ્કુલ હેરાન કરે તો કાન થી પકડી શકો છો.
કોઈ બાળકો એકદમ નાક માં દમ કરી દે છે. નિર્મોહી પણ બનવું જોઈએ.
આ તો આપ બાળકો સમજો છો - આપણે આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે. લક્ષ્ય-હેતુ સામે ઉભું
છે. કેટલું ઉચું લક્ષ્ય-હેતુ છે. ભણાવવા વાળા પણ હાઇએસ્ટ (સર્વોચ્ચ) છે ને.
શ્રીકૃષ્ણ ની મહિમા કેટલી ગાએ છે - સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપન્ન…. હવે આપ બાળકો
જાણો છો આપણે એવાં બની રહ્યાં છીએ. તમે અહીંયા આવ્યાં છો જ આ બનવા માટે. તમારી આ
સાચ્ચી સત્યનારાયણની કથા છે જ નર થી નારાયણ બનવાની. અમર કથા છે અમરપુરી જવાની. કોઈ
સન્યાસી વગેરે આ વાતોને નથી જાણતાં. કોઈ પણ મનુષ્ય માત્રને જ્ઞાન નાં સાગર કે
પતિત-પાવન નહીં કહીશું. જ્યારે આખી સૃષ્ટિ જ પતિત છે તો આપણે પતિત-પાવન કોને કહીએ?
અહીંયા કોઈ પુણ્ય આત્મા હોઈ ન શકે. બાપ સમજાવે છે - આ દુનિયા પતિત છે. શ્રીકૃષ્ણ છે
અવ્વલ નંબર. તેમને પણ ભગવાન નથી કહી શકાતું. જન્મ-મરણ રહિત એક જ નિરાકાર બાપ છે.
ગવાય છે શિવ પરમાત્માય નમઃ, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને દેવતા કહી પછી શિવને પરમાત્મા
કહે છે. તો શિવ સૌથી ઉપર થયાં ને. એ છે બધાનાં બાપ. વારસો પણ બાપ થી મળવાનો છે,
સર્વવ્યાપી કહેવાથી વારસો નથી મળતો. બાપ સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે તો જરુર
સ્વર્ગનો વારસો જ આપશે. આ લક્ષ્મી-નારાયણ છે નંબરવન. અભ્યાસ થી આ પદ પામ્યાં. ભારત
નો પ્રાચીન યોગ કેમ નહીં પ્રખ્યાત થશે. જેનાથી મનુષ્ય વિશ્વનાં માલિક બને છે એને કહે
છે સહજયોગ, સહજજ્ઞાન. છે પણ બહુજ સહજ, એક જ જન્મનાં પુરુષાર્થ થી કેટલી પ્રાપ્તિ થઈ
જાય છે. ભક્તિમાર્ગ માં તો જન્મ પછી જન્મ ઠોકરો ખાતાં આવ્યાં, મળતું તો કંઈ પણ નથી.
આ તો એક જ જન્મમાં મળે છે એટલે સહજ કહેવાય છે. સેકન્ડ માં જીવનમુક્તિ કહેવાય છે.
આજકાલ તો જુઓ કેવા-કેવા ઇન્વેન્શન (સંશોધન) કાઢતાં રહે છે. સાયન્સ (વિજ્ઞાન) નું પણ
વન્ડર (અદ્દભુત) છે. સાઈલેન્સ (શાંતિ) નું પણ વન્ડર જુઓ કેવું છે? તે બધું કેટલું
જોવામાં આવે છે. અહીંયા કંઈ નથી. તમે શાંતિ માં બેઠા છો, નોકરી વગેરે પણ કરો છો,
હાથ કાર ડે…. અને આત્માનું દિલ યાર તરફ, આશિક માશૂક પણ ગવાયેલ છે ને. તેઓ એક-બીજા
ની શકલ (ચહેરા) પર આશિક થાય છે, વિકારની વાત નથી રહેતી. ક્યાંય પણ બેઠા યાદ આવી જશે.
રોટલી ખાતા રહેશે બસ સામે એમને જોતાં રહેશે. અંતમાં તમારી આ અવસ્થા થઈ જશે. બસ બાપ
ને જ યાદ કરતાં રહેશો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત
બની મુખ થી સદા સુખદાઈ બોલ બોલવાનાં છે, દુઃખદાઈ નથી બનવાનું. જ્ઞાન નાં વિચારો માં
રહેવાનું છે, મુખથી જ્ઞાન રત્ન જ નીકાળવાનાં છે.
2. નિર્મોહી બનવાનું છે, દરેક થી પ્રેમ થી કામ લેવાનું છે, ગુસ્સો નથી કરવાનો. અનાથ
ને સનાથ બનાવવાની સેવા કરવાની છે.
વરદાન :-
અપવિત્રતા નાં
નામ નિશાન ને પણ સમાપ્ત કરી હિઝ હોલિનેસ નું ટાઈટલ પ્રાપ્ત કરવા વાળા હોલીહંસ ભવ .
જેમ હંસ ક્યારેય પણ
કાંકરા નથી ચણતાં, રત્ન ધારણ કરે છે. એમ હોલીહંસ કોઈ નાં અવગુણ અર્થાત્ કાંકરા ને
ધારણ નથી કરતાં. તેઓ વ્યર્થ અને સમર્થ ને અલગ કરી વ્યર્થ ને છોડી દે છે, સમર્થ ને
અપનાવી લે છે. એવાં હોલીહંસ જ પવિત્ર શુદ્ધ આત્માઓ છે, એમનો આહાર, વ્યવહાર બધું
શુદ્ધ હોય છે. જ્યારે અશુદ્ધિ અર્થાત્ અપવિત્રતાનું નામ નિશાન પણ સમાપ્ત થઈ જાય
ત્યારે ભવિષ્યમાં હિઝ હોલીનેસ નું ટાઈટલ પ્રાપ્ત થાય એટલે ક્યારેય ભૂલ થી પણ કોઈ
નાં અવગુણ ધારણ નહીં કરતાં.
સ્લોગન :-
સર્વંશ ત્યાગી
એ છે જે જૂના સ્વભાવ સંસ્કાર નાં વંશ નો પણ ત્યાગ કરે છે.