04-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બેહદ
નાં બાબા આવ્યાં છે આપ બાળકો નો જ્ઞાન થી શ્રુંગાર કરવાં , ઊંચ પદ પામવું છે તો સદા
શ્રુંગારેલા રહો ”
પ્રશ્ન :-
ક્યા બાળકોને
જોઈને બેહદ નાં બાપ બહુજ ખુશ થાય છે?
ઉત્તર :-
જે બાળકો સેવાનાં માટે એવરરેડી (સદા તૈયાર) રહે છે, અલૌકિક અને પારલૌકિક બંને બાપને
પૂરું ફોલો (અનુકરણ) કરે છે, જ્ઞાન-યોગ થી આત્મા ને શ્રુંગારે છે, પતિતો ને પાવન
બનાવવાની સેવા કરે છે, એવાં બાળકોને જોઈ બેહદનાં બાપ ને બહુજ ખુશી થાય છે. બાપની
ઈચ્છા છે મારા બાળકો મહેનત કરી ઊંચ પદ પામે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો પ્રતિ કહે છે - મીઠા-મીઠા બાળકો, જેમ લૌકિક બાપ ને બાળકો પ્રિય લાગે
છે તેમ બેહદનાં બાપને પણ બેહદનાં બાળકો પ્રિય લાગે છે. બાપ બાળકો ને શિક્ષા, સાવધાની
આપે છે કે બાળકો ઊંચ પદ પામે. આ જ બાપની ઈચ્છા હોય છે. તો બેહદનાં બાપની પણ આ ઈચ્છા
રહે છે. બાળકોને જ્ઞાન અને યોગનાં ઘરેણાં થી શ્રુંગારે છે. તમને બંને બાપ બહુજ સારી
રીતે શ્રુંગારે છે કે બાળકો ઊંચ પદ પામે. અલૌકિક બાપ પણ ખુશ થાય છે તો પારલૌકિક બાપ
પણ ખુશ થાય છે, જે સારી રીતે પુરુષાર્થ કરે છે, એમને જોઈને ગવાય પણ છે ફોલો ફાધર.
તો બંનેવ ને ફોલો કરવાનાં છે. એક છે રુહાની બાપ, બીજા પછી આ છે અલૌકિક પિતા. તો
પુરુષાર્થ કરી ઊંચ પદ પામવાનું છે.
તમે જ્યારે ભઠ્ઠીમાં હતાં તો બધાં નો તાજ સહિત ફોટો કાઢવામાં આવ્યો હતો. બાપે તો
સમજાવ્યું છે લાઈટ (પ્રકાશ) નો તાજ કોઈ હોતો નથી. આ એક નિશાની છે પવિત્રતાની, જે
બધાને આપે છે. એવું નથી કોઈ સફેદ લાઇટ નો તાજ હોય છે. આ પવિત્રતાની નિશાની સમજાવાય
છે. પહેલાં-પહેલાં તમે રહો છો સતયુગ માં. તમે જ હતાં ને. બાપ પણ કહે છે, આત્માઓ અને
પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ…. આપ બાળકો જ પહેલાં-પહેલાં આવો છો પછી પહેલાં તમારે જ
જવાનું છે. મુક્તિધામ નાં દરવાજા પણ તમારે જ ખોલવાનાં છે. આપ બાળકોને બાપ શ્રુંગારે
છે. પિયરઘરમાં વનવાહ માં રહે છે. આ સમયે તમારે પણ સાધારણ રહેવાનું છે. ન ઉંચા, ન
નીચાં. બાપ પણ કહે છે સાધારણ તન માં પ્રવેશ કરું છું. કોઈ પણ દેહધારી ને ભગવાન કહી
ન શકાય. મનુષ્ય, મનુષ્યની સદ્દગતિ કરી ન શકે. સદ્દગતિ તો ગુરુ જ કરે છે. મનુષ્ય ૬૦
વર્ષ પછી વાનપ્રસ્થ લે છે પછી ગુરુ કરે છે. આ પણ રિવાજ હમણાં નો જ છે જે પછી
ભક્તિમાર્ગ માં ચાલે છે. આજકાલ તો નાનાં બાળકો ને પણ ગુરુ કરાવી દે છે. ભલે
વાનપ્રસ્થ અવસ્થા નથી પરંતુ અચાનક મોત તો આવી જાય છે ને એટલે બાળકો ને પણ ગુરુ કરાવી
દે છે. જેમ બાપ કહે છે તમે બધી આત્માઓ છો, હક છે વારસો પામવાનો. તેઓ કહી દે છે ગુરુ
વગર ઠોર (દિશા) નહીં પામશે અર્થાત્ બ્રહ્મમાં લીન નહીં થશે. તમારે તો લીન નથી થવાનું.
આ ભક્તિમાર્ગ નાં અક્ષર છે. આત્મા તો સ્ટાર જેવી, બિંદી છે. બાપ પણ બિંદી જ છે. એ
બિંદી ને જ જ્ઞાન સાગર કહેવાય છે. તમે પણ નાની આત્મા છો. એમાં સંપૂર્ણ જ્ઞાન ભરાય
છે. તમે પૂરું જ્ઞાન લો છો. પાસ વીથ ઓનર થાઓ છો ને. એવું નથી કે શિવલિંગ કોઈ મોટું
છે. જેટલી મોટી આત્મા છે, એટલા જ પરમ આત્મા છે. આત્મા પરમધામ થી આવે છે પાર્ટ ભજવવાં.
બાપ કહે છે હું પણ ત્યાંથી જ આવું છું. પરંતુ મને પોતાનું શરીર નથી. હું રુપ પણ
છું, વસંત પણ છું. પરમ આત્મા રુપ છે, એમાં સંપૂર્ણ જ્ઞાન ભરેલું છે. જ્ઞાનની વર્ષા
વરસાવે છે તો બધાં મનુષ્ય પાપ આત્મા થી પુણ્ય આત્મા બની જાય છે. બાપ ગતિ સદ્દગતિ
બંને આપે છે. તમે સદ્દગતિ માં જાઓ છો બાકી બધાં ગતિ માં અર્થાત્ પોતાના ઘરે જાય છે.
તે છે સ્વીટ હોમ. આત્મા જ આ કાનો દ્વારા સાંભળે છે. હવે બાપ કહે છે મીઠા-મીઠા
સિકીલધા બાળકો પાછું જવાનું છે, એનાં માટે પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બન્યાં
વગર કોઈપણ પાછું જઈ ન શકે. હું બધાને લઇ જવા આવ્યો છું. આત્માઓને શિવની બારાત કહે
છે. હવે શિવબાબા શિવાલયની સ્થાપના કરી રહ્યાં છે. પછી રાવણ આવીને વેશ્યાલય સ્થાપન
કરે છે. વામમાર્ગ ને વેશ્યાલય કહેવાય છે. બાબા ની પાસે ઘણાં બાળકો છે જે લગ્ન કરીને
પણ પવિત્ર રહે છે. સન્યાસી તો કહે છે - આ થઈ ન શકે, જે બંને સાથે રહી શકે. અહીં
સમજાવાય છે આમાં આવક બહુ જ છે. પવિત્ર રહેવાથી ૨૧ જન્મો ની રાજધાની મળે છે તો એક
જન્મ પવિત્ર રહેવું કોઈ મોટી વાત થોડી છે. બાપ કહે છે તમે કામ ચિતા પર બેસી બિલકુલ
જ કાળા બની ગયાં છો. કૃષ્ણ માટે પણ કહે છે ગોરા અને સાવરા, શ્યામ સુંદર. આ સમજણ આ
સમય ની છે. કામ ચિતા પર બેસવાથી સાવરા બની ગયા, પછી એમને ગામનો છોકરો પણ કહેવાય છે.
બરાબર હતાં ને. કૃષ્ણ તો હોઈ ન શકે. આમનાં જ અનેક જન્મોનાં અંત માં પ્રવેશ કરી ગોરા
બનાવે છે. હવે તમારે એક બાપ ને જ યાદ કરવાનાં છે. બાબા તમે કેટલાં મીઠા છો, કેટલો
મીઠો વારસો તમે આપો છો. અમને મનુષ્ય થી દેવતા, મંદિર લાયક બનાવો છો. એવી-એવી
પોતાનાથી વાતો કરવાની છે. મુખ થી કંઈ બોલવાનું નથી. ભક્તિમાર્ગમાં તમે માશૂક ને
કેટલાં યાદ કરતાં આવ્યાં છો. હવે તમે આવીને મળ્યાં છો, બાબા તમે તો સૌથી મીઠા છો.
તમને અમે કેમ યાદ નહીં કરીશું. તમને પ્રેમ નાં, શાંતિ નાં સાગર કહેવાય છે, તમે જ
વારસો આપો છો, બાકી પ્રેરણા થી કંઈ પણ મળતું નથી. બાપ તો સમ્મુખ આવીને આપ બાળકોને
ભણાવે છે. આ પાઠશાળા છે ને. બાપ કહે છે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. આ
રાજયોગ છે. હવે તમે મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન ને જાણી ગયાં છો. આટલી નાની આત્મા
કેવી રીતે પાર્ટ ભજવે છે. છે પણ બન્યુ-બનાવેલ. આને કહેવાય છે અનાદિ-અવિનાશી વર્લ્ડ
ડ્રામા. ડ્રામા ફરતો રહે છે, આમાં સંશય ની કોઈ વાત નથી. બાપ સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે, તમે સ્વદર્શન ચક્રધારી છો. તમારી બુદ્ધિ માં આખું
ચક્ર ફરતું રહે છે. તો એનાથી તમારા પાપ કપાઈ જાય છે. બાકી કૃષ્ણએ કોઈ સ્વદર્શન ચક્ર
ચલાવીને હિંસા નથી કરી. ત્યાં તો ન લડાઈ ન હિંસા થાય, ન કામ કટારી ચાલે છે. ડબલ
અહિંસક હોય છે. આ સમયે તમારું પાંચ વિકારો થી યુદ્ધ ચાલે છે. બાકી બીજા કોઈ યુદ્ધની
વાત જ નથી. હવે બાપ છે ઊંચે થી ઊંચા, પછી ઊંચે થી ઊંચો આ વારસો લક્ષ્મી-નારાયણ, એમનાં
જેવાં ઊંચા બનવાનું છે. જેટલો તમે પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ પામશો. કલ્પ-કલ્પ એ
જ તમારું ભણતર રહેશે. હમણાં સારો પુરુષાર્થ કર્યો તો કલ્પ-કલ્પ કરતાં રહેશો. શારીરક
ભણતર થી એટલું પદ નથી મળી શકતું જેટલું રુહાની ભણતર થી મળે છે. ઊંચ થી ઊંચ આ
લક્ષ્મી-નારાયણ બને છે. એ પણ છે તો મનુષ્ય પરંતુ દૈવીગુણ ધારણ કરે છે એટલે દેવતા
કહેવાય છે. બાકી ૮-૧૦ ભુજાઓ વાળા કોઈ છે નહીં. ભક્તિમાં દીદાર (પ્રેમ, ભાવ) થાય છે
તો બહુ જ રડે છે, દુઃખ માં આવી ને બહુ જ આંસુ વહાવે છે. અહીંયા તો બાપ કહે છે આંસુ
આવ્યાં તો નપાસ. અમ્મા મરે તો હલવો ખાઓ... આજકાલ તો બોમ્બે માં પણ કોઈ બીમાર પડે
અથવા મરે છે તો બી.કે. ને બોલાવે છે કે આવી ને શાંતિ આપો. તમે સમજાવો છો આત્માએ એક
શરીર છોડી બીજું લીધું, એમાં તમારું શું જાય. રડવાથી શું ફાયદો. કહે છે, એમને કાળ
ખાઈ ગયો….એવી કોઈ વસ્તુ છે નહીં. આ તો આત્મા પોતે જ એક શરીર છોડી જાય છે. પોતાનાં
સમય પર શરીર છોડી ભાગે છે. બાકી કાળ કોઈ વસ્તુ નથી. સતયુગ માં ગર્ભ મહેલ હોય છે,
સજાની વાત જ નથી. ત્યાં તમારા કર્મ અકર્મ થઈ જાય છે. માયા જ નથી જે વિકર્મ થાય. તમે
વિકર્માજીત બનો છો. પહેલાં-પહેલાં વિકર્માજીત સવંત ચાલે છે પછી ભક્તિ માર્ગ શરું
થાય છે તો રાજા વિક્રમ સંવત શરું થાય છે. આ સમયે જે વિકર્મ કર્યા છે એનાં પર જીત
પામો છો, નામ રખાય છે વિકર્માજીત. પછી દ્વાપર માં વિક્રમ રાજા થઈ જાય, વિકર્મ કરતાં
રહે છે. સોય પર જો કાટ ચઢેલી હશે તો ચુંબક ખેંચશે નહીં. જેટલી પાપો ની કાટ ઉતરતી જશે
તો ચુંબક ખેંચશે. બાપ તો પૂરા પ્યોર (પવિત્ર) છે. તમને પણ પવિત્ર બનાવે છે યોગબળ
થી. જેમ લૌકિક બાપ પણ બાળકો ને જોઈ ખુશ થાય છે ને. બેહદ નાં બાપ પણ ખુશ થાય છે
બાળકોની સેવા પર. બાળકો બહુજ મહેનત પણ કરી રહ્યાં છે. સર્વિસ પર તો હંમેશા એવરરેડી
રહેવાનું છે. આપ બાળકો છો પતિતો ને પાવન બનાવવા વાળા ઈશ્વરીય મિશન. હમણાં તમે
ઈશ્વરીય સંતાન છો, બેહદનાં બાપ છે અને તમે બધાં બહેન-ભાઈ છો. બસ બીજો કોઈ સંબંધ નથી.
મુક્તિધામ માં છે જ બાપ અને તમે આત્માઓ ભાઈ-ભાઈ પછી તમે સતયુગ માં જાઓ છો તો ત્યાં
એક બાળક, એક બાળકી બસ, અહીંયા તો બહુ જ સંબંધ હોય છે - ચાચા, કાકા, મામા... વગેરે.
મૂળવતન તો છે જ સ્વીટ હોમ, મુક્તિધામ. એનાં માટે મનુષ્ય કેટલાં યજ્ઞ તપ વગેરે કરે
છે પરંતુ પાછાં તો કોઈ પણ જઈ ન શકે. ગપ્પા બહુ જ મારતાં રહે છે. સર્વના સદ્દગતિ દાતા
તો છે જ એક. બીજું ન કોઈ. હમણાં તમે છો સંગમયુગ પર. અહીંયા છે અસંખ્ય મનુષ્ય. સતયુગ
માં તો બહુ જ થોડા હોય છે. સ્થાપના પછી વિનાશ થાય છે. હમણાં અનેક ધર્મ હોવાનાં કારણે
કેટલાં હંગામા છે. તમે ૧૦૦ ટકા સાલવેન્ટ (ભરપુર) હતાં. પછી ૮૪ જન્મોનાં બાદ ૧૦૦ ટકા
ઈનસાલવેન્ટ (કંગાળ) બની ગયાં છો. હવે બાપ આવીને બધાને જગાડે છે. હવે જાગો, સતયુગ આવી
રહ્યું છે. સત્ય બાપ જ તમને ૨૧ જન્મો નો વારસો આપે છે. ભારત જ સચખંડ બને છે. બાપ
સચખંડ બનાવે છે, જૂઠખંડ પછી કોણ બનાવે છે? ૫ વિકારો રુપી રાવણ. રાવણનું કેટલું મોટું
પૂતળું બનાવે છે પછી એને બાળે છે કારણ કે એ છે નંબરવન દુશ્મન. મનુષ્યો ને એ ખબર નથી
કે ક્યાર થી રાવણ નું રાજ્ય થયું છે. બાપ સમજાવે છે અડધોકલ્પ છે રામ રાજ્ય,
અડધોકલ્પ છે રાવણ રાજ્ય. બાકી રાવણ કોઈ મનુષ્ય નથી, જેને મારવાનો છે. આ સમયે આખી
દુનિયા પર રાવણ રાજ્ય છે, બાપ આવીને રામ રાજ્ય સ્થાપન કરે છે, પછી જય-જયકાર થઈ જાય
છે. ત્યાં સદૈવ ખુશી રહે છે. તે છે જ સુખધામ. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ.
બાપ કહે છે આ પુરુષાર્થ થી તમે આ બનવા વાળા છો. તમારા ચિત્ર પણ બનાવ્યાં હતાં, ઘણાં
આવ્યાં પછી સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ ગયાં. બાપ આવીને આ બાળકોને બહુજ પ્રેમ થી
સમજાવે છે. બાપ, શિક્ષક પ્રેમ કરે છે, ગુરુ પણ પ્રેમ કરે છે. સદ્દગુરુ નો નીંદક ઠોર
ન પામે. તમારું લક્ષ્ય હેતું સામે છે. એ ગુરુઓની પાસે તો લક્ષ્ય હેતું કોઈ હોતું નથી.
તે કોઈ ભણતર નથી, આ તો ભણતર છે. આને કહેવાય છે યુનિવર્સિટી કમ હોસ્પિટલ, જેનાથી તમે
એવરહેલ્થી (સદા સ્વસ્થ), વેલ્થી (સંપત્તિવાન) બનો છો. અહીંયા તો છે જ જુઠ્ઠ, ગાએ પણ
છે જુઠ્ઠી કાયા... સતયુગ છે સચખંડ. ત્યાં તો હીરા ઝવેરાતો નાં મહેલ હોય છે. સોમનાથનું
મંદિર પણ ભક્તિમાર્ગ માં બનાવ્યું છે. કેટલું ધન હતું જે પછી મુસલમાનોએ આવી ને
લૂંટ્યું. મોટી-મોટી મસ્જિદો બનાવી. બાપ તમને કારુંડ નો ખજાનો આપે છે. શરું થી જ
તમને બધાં સાક્ષાત્કાર કરાવતાં આવ્યાં છે. અલ્લાહ અવલદિન બાબા છે ને. પહેલો-પહેલો
ધર્મ સ્થાપન કરે છે. તે છે ડીટીઝમ (દૈવી રાજ્ય). જે ધર્મ નથી તે ફરી થી સ્થાપન થાય
છે. બધાં જાણે છે પ્રાચીન સતયુગમાં આમનું જ રાજ્ય હતું, એમની ઉપર કોઈ નથી. દૈવી
રાજ્ય ને જ પેરેડાઇઝ (વૈકુંઠ) કહેવાય છે. હમણાં તમે જાણો છો પછી બીજાઓને કહેવાનું
છે. બધાં ને કેવી રીતે ખબર પડે જે પછી એવી કોઈ ફરિયાદ ન કરે કે અમને ખબર જ ન પડી.
તમે બધાં ને કહો છો તો પણ બાપ ને છોડીને ચાલ્યાં જાય છે. આ હિસ્ટ્રી મસ્ટ (જરુર)
રિપીટ. બાબાની પાસે આવે છે તો બાબા પૂછે છે - પહેલાં ક્યારેય મળ્યાં છો? કહે છે હાં
બાબા ૫ હજાર વર્ષ પહેલાં અમે મળવાં આવ્યાં હતાં. બેહદ નો વારસો લેવા આવ્યાં હતાં,
કોઈ આવીને સાંભળે છે, કોઈને સાક્ષાત્કાર થાય છે બ્રહ્માનો તો તે યાદ આવે છે. પછી કહે
છે અમે તો આ જ રુપ જોયું હતું. બાપ પણ બાળકોને જોઈ ખુશ થાય છે. તમારી અવિનાશી જ્ઞાન
રત્નો થી ઝોલી ભરાય છે ને. આ ભણતર છે. ૭ દિવસનો કોર્સ કરીને પછી ભલે ક્યાંય પણ રહો
મુરલીનાં આધાર પર ચાલી શકો છો, ૭ દિવસમાં એટલું સમજાવશું જે પછી મુરલી ને સમજી શકશો.
બાપ તો બાળકોને બધું રહસ્ય સારી રીતે સમજાવતાં રહે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વદર્શન
ચક્ર ફરાવતાં પાપો ને ભસ્મ કરવાનાં છે, રુહાની ભણતર થી પોતાનું પદ શ્રેષ્ઠ બનાવવાનું
છે. કોઈ પણ પરિસ્થિતિ માં આંસુ નથી વહાવવાનાં.
2. આ વાનપ્રસ્થ અવસ્થામાં રહેવાનો સમય છે, એટલે વનવાહ માં બહુજ સાધારણ રહેવાનું છે.
ન બહુજ ઊંચા, ન બહુજ નીચાં. પાછાં જવા માટે આત્મા ને સંપૂર્ણ પાવન બનાવવાની છે.
વરદાન :-
મનન શક્તિ
દ્વારા બુદ્ધિને શક્તિશાળી બનાવવા વાળા માસ્ટર સર્વશક્તિમાન ભવ
મનન શક્તિ જ દિવ્ય
બુદ્ધિ નો ખોરાક છે. જેમ ભક્તિ માં સિમરણ (યાદ) કરવાનાં અભ્યાસી છો, એમ જ્ઞાનમાં
સ્મૃતિની શક્તિ છે. આ શક્તિ દ્વારા માસ્ટર સર્વશક્તિમાન બનો. રોજ અમૃતવેલાએ પોતાનાં
એક ટાઇટલ ને સ્મૃતિમાં લાવો અને મનન કરતાં રહો તો મનન શક્તિ થી બુદ્ધિ શક્તિશાળી
રહેશે. શક્તિશાળી બુદ્ધિ ની ઉપર માયાનો વાર નથી થઈ શકતો, પરવશ નહિં થઈ શકો કારણ કે
માયા સૌથી પહેલાં વ્યર્થ સંકલ્પ રુપી બાણ દ્વારા દિવ્ય બુદ્ધિ ને જ કમજોર બનાવી દે
છે, આ કમજોરી થી બચવાનું સાધન જ છે મનન શક્તિ.
સ્લોગન :-
આજ્ઞાકારી
બાળકો જ દુવાઓનાં પાત્ર છે, દુવાઓનો પ્રભાવ દિલ ને સદા સંતુષ્ટ રાખે છે.