19-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમારો
વાયદો છે કે જ્યારે તમે આવશો તો અમે વારી જઈશું , હવે બાપ આવ્યાં છે - તમને વાયદો
યાદ અપાવવાં ”
પ્રશ્ન :-
કઈ મુખ્ય
વિશેષતા નાં કારણે પૂજ્ય ફક્ત દેવતાઓને જ કહી શકાય છે?
ઉત્તર :-
દેવતાઓ ની જ વિશેષતા છે જે ક્યારેય કોઇને યાદ નથી કરતાં. ન બાપ ને યાદ કરે, ન કોઈ
નાં ચિત્રો ને યાદ કરે, એટલે એમને પૂજ્ય કહીશું. ત્યાં સુખ જ સુખ રહે છે એટલે કોઈને
યાદ કરવાની દરકાર નથી. હમણાં તમે એક બાપની યાદ થી એવાં પૂજ્ય, પાવન બનો છો જે પછી
યાદ કરવાની દરકાર જ નથી રહેતી.
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો…... હવે રુહાની આત્મા તો નહીં કહેશે. રુહ અથવા આત્મા એક જ વાત છે.
રુહાની બાળકો પ્રતિ બાપ સમજાવે છે. પહેલાં ક્યારેય પણ આત્માઓને પરમપિતા પરમાત્માએ
જ્ઞાન નથી આપ્યું. બાપ સ્વયં કહે છે હું એક જ વાર કલ્પ નાં પુરુષોત્તમ સંગમયુગ પર
આવું છું. આવું બીજા કોઈ કહી ન શકે - આખાં કલ્પ માં સિવાય સંગમયુગ નાં, બાપ સ્વયં
ક્યારેય આવતાં જ નથી. બાપ સંગમ પર જ આવે છે જ્યારે ભક્તિ પૂરી થાય છે અને બાપ પછી
બાળકોને બેસી જ્ઞાન આપે છે. પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરો. આ ઘણાં બાળકો
માટે ખુબ મુશ્કિલ લાગે છે. છે બહુ સહજ પરંતુ બુદ્ધિમાં ઠીક રીતે બેસતું નથી. તો
ઘડી-ઘડી સમજાવતાં રહે છે. સમજાવવા છતાં પણ નથી સમજતાં. સ્કૂલમાં શિક્ષક ૧૨ મહિના
ભણાવે છે છતાં પણ કોઈ નપાસ થઈ જાય છે. આ બેહદનાં બાપ પણ રોજ બાળકોને ભણાવે છે. છતાં
પણ કોઈને ધારણા થાય છે, કોઈ ભૂલી જાય છે. મુખ્ય વાત તો આ જ સમજાવાય છે કે પોતાને
આત્મા સમજો અને બાપ ને યાદ કરો. બાપ જ કહે છે મામેકમ્ યાદ કરો, બીજા કોઈ મનુષ્ય
માત્ર ક્યારેય કહી ન શકે. બાપ કહે છે હું એક જ વાર આવું છું. કલ્પ પછી ફરી સંગમ પર
એક જ વાર આપ બાળકોને જ સમજાવું છું. તમે જ આ જ્ઞાન પ્રાપ્ત કરો છો. બીજા કોઈ લેતાં
જ નથી. પ્રજાપિતા બ્રહ્માનાં તમે મુખ વંશાવલી બ્રાહ્મણ આ જ્ઞાનને સમજો છો. જાણો છો
કલ્પ પહેલાં પણ બાપે સંગમ પર આ જ્ઞાન સંભળાવ્યું હતું. આપ બ્રાહ્મણોનો જ પાર્ટ છે,
આ વર્ણો માં પણ ફરવાનું તો જરુર છે. બીજા ધર્મ વાળા આ વર્ણો માં આવતાં જ નથી,
ભારતવાસી જ આ વર્ણો માં આવે છે. બ્રાહ્મણ પણ ભારતવાસી જ બને છે, એટલે બાપે ભારતમાં
આવવું પડે છે. તમે છો પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી બ્રાહ્મણ. બ્રાહ્મણો પછી છે
દેવતાઓ અને ક્ષત્રિય. ક્ષત્રિય કોઈ બનતાં નથી. તમને તો બ્રાહ્મણ બનાવે છે પછી તમે
દેવતા બનો છો. એ જ પછી ધીરે-ધીરે કળા ઓછી થાય તો તેમને ક્ષત્રિય કહે છે. ક્ષત્રિય
આપમેળે બનવાનું છે. બાપ તો આવીને બ્રાહ્મણ બનાવે છે પછી બ્રાહ્મણ થી દેવતા પછી તે જ
ક્ષત્રિય બને છે. ત્રણેય ધર્મ એક જ બાપ હમણાં સ્થાપન કરે છે. એવું નથી કે
સતયુગ-ત્રેતા માં ફરી આવે છે. મનુષ્ય ન સમજવાનાં કારણે કહી દે છે સતયુગ-ત્રેતા માં
પણ આવે છે. બાપ કહે છે હું યુગે-યુગે આવતો નથી, હું આવું જ છું એક વાર, કલ્પ નાં
સંગમ પર. તમને હું જ બ્રાહ્મણ બનાવું છું - પ્રજાપિતા બ્રહ્મા દ્વારા. હું તો
પરમધામ થી આવું છું. અચ્છા બ્રહ્મા ક્યાંથી આવે છે? બ્રહ્મા તો ૮૪ જન્મ લે છે, હું
નથી લેતો. બ્રહ્મા સરસ્વતી એ જ વિષ્ણુનાં બે રુપ લક્ષ્મી-નારાયણ બને છે, તે જ ૮૪
જન્મ લે છે પછી તેમનાં અનેક જન્મોનાં અંત માં પ્રવેશ કરી આમને બ્રહ્મા બનાવું છું.
આમનું નામ બ્રહ્મા હું રાખું છું. આ કોઈ આમનું નામ પોતાનું નથી. બાળકનો જન્મ થાય છે
તો છઠ્ઠી કરે છે, જન્મ દિવસ મનાવે છે, આમની જન્મપત્રી નું નામ તો લેખરાજ હતું. તે
તો નાનપણનું હતું. હવે નામ બદલાયું છે જ્યારે આમનામાં બાપે પ્રવેશ કર્યો છે સંગમ પર.
તે પણ નામ બદલે ત્યારે છે જ્યારે આ વાનપ્રસ્થ અવસ્થા માં છે. તે સન્યાસી તો ઘરબાર
છોડી ચાલ્યાં જાય છે ત્યારે નામ બદલાય છે. આ તો ઘરમાં જ રહે છે, આમનું નામ બ્રહ્મા
રાખ્યું, કારણ કે બ્રાહ્મણ જોઈએ ને. તમને પોતાનાં બનાવીને પવિત્ર બ્રાહ્મણ બનાવે
છે. પવિત્ર બનાવાય છે. એવું નથી કે તમે જન્મ થી જ પવિત્ર છો. તમને પવિત્ર બનવાની
શિક્ષા મળે છે. કેવી રીતે પવિત્ર બનાય? આ છે મુખ્ય વાત.
તમે જાણો છો કે ભક્તિમાર્ગમાં પૂજ્ય એક પણ હોઈ ન શકે. મનુષ્ય ગુરુઓ વગેરે ને માથું
ટેકવે છે કારણ કે ઘરબાર છોડી પવિત્ર બને છે, બાકી તેમને પૂજ્ય નહીં કહીશું. પૂજ્ય એ
જે કોઈને પણ યાદ ન કરે. સન્યાસી લોકો બ્રહ્મ તત્વ ને યાદ કરે છે ને, પ્રાર્થના કરે
છે. સતયુગ માં કોઈને પણ યાદ નથી કરતાં. હવે બાપ કહે છે તમારે યાદ કરવાનાં છે એક ને.
એ તો છે ભક્તિ. તમારી આત્મા પણ ગુપ્ત છે. આત્માને યથાર્થ રીતે કોઈ જાણતું નથી.
સતયુગ-ત્રેતા માં પણ શરીરધારી પોતાનાં નામ થી પાર્ટ ભજવે છે. નામ વગર તો પાર્ટધારી
હોઈ ન શકે. ક્યાંય પણ છો શરીર પર નામ જરુર પડે છે. નામ વગર પાર્ટ કેવી રીતે ભજવશે.
તો બાપે સમજાવ્યું છે ભક્તિમાર્ગ માં ગાએ છે - તમે આવશો તો અમે તમને જ પોતાનાં
બનાવીશું, બીજું ન કોઈ. અમે તમારા જ બનીશું, આ આત્મા કહે છે. ભક્તિમાર્ગ માં જે પણ
દેહધારી છે જેમનાં નામ રખાય છે, તેમને આપણે નહીં પુજશું. જ્યારે તમે આવશો તો તમારા
પર જ કુર્બાન જઈશું. ક્યારે આવશે, એ પણ નથી જાણતાં. અનેક દેહધારીઓની, નામધારીઓની
પૂજા કરતાં રહે છે. જ્યારે અડધોકલ્પ ભક્તિ પૂરી થાય છે ત્યારે બાપ આવે છે. કહે છે
તમે જન્મ-જન્માંતર કહેતાં આવ્યાં છો-અમે તમારા વગર કોઈને પણ યાદ નહીં કરીશું. પોતાનાં
દેહને પણ યાદ નહીં કરીશું. પરંતુ મને જાણતાં જ નથી તો યાદ કેવી રીતે કરશો. હવે બાપ
બાળકોને બેસી સમજાવે છે મીઠા-મીઠા બાળકો, પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો.
બાપ જ પતિત-પાવન છે, એમને યાદ કરવાથી તમે પાવન સતોપ્રધાન બની જશો. સતયુગ-ત્રેતા માં
ભક્તિ હોતી નથી. તમે કોઈને પણ યાદ નથી કરતાં. ન બાપ ને, ચિત્રો ને. ત્યાં તો સુખ જ
સુખ રહે છે. બાપે સમજાવ્યું છે - જેટલાં તમે નજીક આવતાં જશો, કર્માતીત અવસ્થા થતી
જશે. સતયુગ માં નવી દુનિયા, નવાં મકાન માં ખુશી પણ બહુ રહે છે પછી ૨૫ ટકા જૂનું થાય
છે તો જેમ સ્વર્ગ જ ભૂલાય જાય છે. તો બાપ કહે છે તમે ગાતા હતાં તમારા જ બનીશું,
તમારાથી જ સાંભળશું. તો જરુર તમે પરમાત્માને જ કહો છો ને. આત્મા કહે છે પરમાત્મા
બાપનાં માટે. આત્મા સૂક્ષ્મ બિંદી છે, તેને જોવા માટે દિવ્ય દૃષ્ટિ જોઇએ. આત્માનું
ધ્યાન કરી નહિં શકો. હું આત્મા આટલી નાની બિંદુ છું, એવું સમજી યાદ કરવું મહેનત છે.
આત્માનાં સાક્ષાત્કાર ની કોશિશ નથી કરતાં, પરમાત્મા માટે કોશિશ કરે છે, જેમનાં માટે
સાંભળ્યું છે એ હજાર સૂર્ય થી તેજોમય છે. કોઈને સાક્ષાત્કાર થાય છે તો કહે છે બહુ
તેજોમય હતાં કારણ કે તે જ સાંભળેલું છે. જેમની નૌધા ભક્તિ કરશે, જોશે પણ તે જ. નહીં
તો વિશ્વાસ જ ન બેસે. બાપ કહે છે આત્મા ને જ નથી જોઈ તો પરમાત્મા ને કેવી રીતે જોશે.
આત્મા ને જોઈ જ કેવી રીતે શકે બીજા બધાનાં તો શરીરનાં ચિત્ર છે, નામ છે, આત્મા છે
બિંદી, બહુ નાની છે, તેને કેવી રીતે જુએ. કોશિશ ખુબ કરે છે, પરંતુ આ આંખો થી જોઈ નથી
શકતાં. આત્માને જ્ઞાન ની અવ્યક્ત આંખો મળે છે.
હવે તમે જાણો છો આપણે આત્મા કેટલી નાની છીએ. મુજ આત્મામાં ૮૪ જન્મો નો પાર્ટ
નોંધાયેલો છે, જે મારે રીપીટ (ફરી થી) કરવાનો છે. બાપની શ્રીમત મળે છે શ્રેષ્ઠ
બનાવવા માટે, તો એનાં પર ચાલવું જોઈએ. તમારે દૈવીગુણ ધારણ કરવાનાં છે. ખાવું-પીવું
પણ રોયલ હોવું જોઈએ, ચલન ખુબ રોયલ જોઈએ. તમે દેવતા બનો છો. દેવતાઓ સ્વયં પૂજ્ય છે,
તે ક્યારેય કોઈની પૂજા નથી કરતાં, આ તો ડબલ સિરતાજ છે ને. તેઓ ક્યારેય કોઈને પૂજતાં
નથી, તો પૂજ્ય થયાં ને. સતયુગ માં કોઈને પૂજવાની દરકાર જ નથી. બાકી હાં એક-બીજાને
રિગાર્ડ (સમ્માન) જરુર આપશે. આમ નમન કરવું, આને રિગાર્ડ કહેવાય છે. એવું નથી દિલમાં
તેમને યાદ કરવાનાં છે. રિગાર્ડ તો આપવાનો જ છે. જેમ પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) છે, બધાં
રિગાર્ડ રાખે છે. જાણે છે આ ઉંચા પદ વાળા છે. નમન થોડી કરવાનું છે. તો બાપ સમજાવે
છે - આ જ્ઞાન માર્ગ બિલ્કુલ અલગ ચીજ છે, આમાં ફક્ત પોતાને આત્મા સમજવાનું છે જે તમે
ભૂલી ગયાંં છો. શરીર નાં નામને યાદ કરી લીધું છે. કામ તો જરુર નામ થી જ કરવાનું છે.
વગર નામે કોઈ ને બોલાવશો કેવી રીતે. ભલે તમે શરીરધારી બની પાર્ટ ભજવો છો પરંતુ
બુદ્ધિ થી શિવાબાબા ને યાદ કરવાનાં છે. કૃષ્ણ નાં ભક્ત સમજે છે અમારે કૃષ્ણને જ યાદ
કરવાનાં છે. બસ જ્યાં જોવું છું - કૃષ્ણ જ કૃષ્ણ છે. અમે પણ કૃષ્ણ, તમે પણ કૃષ્ણ.
અરે તમારું નામ અલગ, તેમનું નામ અલગ…. બધાં કૃષ્ણ જ કૃષ્ણ કેવી રીતે હોઈ શકે. બધાનું
નામ કૃષ્ણ થોડી હોય છે, જે આવ્યું તે બોલતાં રહે છે. હવે બાપ કહે છે ભક્તિમાર્ગ નાં
બધાં જ ચિત્રો વગેરે ને ભૂલી એક બાપ ને યાદ કરો. ચિત્રો ને તો તમે પતિત-પાવન નથી
કહેતાં, હનુમાન વગેરે પતિત-પાવન થોડી છે. અનેક ચિત્ર છે, કોઈ પણ પતિત-પાવન નથી.
કોઈપણ દેવી વગેરે જેમનું શરીર છે તેમને પતિત-પાવન નહીં કહીશું. ૬-૮ ભુજાઓ વાળી
દેવીઓ વગેરે બનાવે છે, બધું પોતાની બુદ્ધિ થી. આ છે કોણ, તે તો જાણતાં નથી. આ
પતિત-પાવન બાપની સંતાન મદદગાર છે, એ કોઈને પણ ખબર નથી. તમારું રુપ તો આ સાધારણ જ
છે. આ શરીર તો વિનાશ થઇ જશે. એવું નથી કે તમારા ચિત્ર વગેરે રહેશે. આ બધું ખતમ થઇ
જશે. હકીકતમાં દેવીઓ તમે છો. નામ પણ લેવાય છે - સીતા દેવી, ફલાણી દેવી. રામ દેવતા
નહીં કહેશે. ફલાણી દેવી કે શ્રીમતી કહી દેશે, તે પણ ખોટું થઈ જાય છે. હવે પાવન
બનવાનાં માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહો પણ છો પતિત થી પાવન બનાવો. એવું નથી
કહેતાં કે લક્ષ્મી-નારાયણ બનાવો. પતિત થી પાવન પણ બાપ બનાવે છે. નર થી નારાયણ પણ એ
બનાવે છે. તે લોકો પતિત-પાવન નિરાકાર ને કહે છે. અને સત્ય-નારાયણની કથા સંભળાવવા
વાળા પછી બીજા દેખાડયાં છે. એવું તો કહેતાં નથી બાબા સત્ય-નારાયણની કથા સંભળાવી અમર
બનાવો, નર થી નારાયણ બનાવો. ફક્ત કહે છે આવીને પાવન બનાવો. બાબા જ સત્ય-નારાયણની કથા
સંભળાવી પાવન બનાવે છે. તમે પછી બીજાઓને સત્ય કથા સંભળાવો છો. બીજા કોઈ જાણી ન શકે.
તમે જ જાણો છો. ભલે તમારા ઘરમાં મિત્ર, સંબંધી, ભાઈ વગેરે છે પરંતુ તેઓ પણ નથી સમજતાં.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને
શ્રેષ્ઠ બનાવવા માટે બાપની જે શ્રીમત મળે છે, તેનાં પર ચાલવાનું છે, દૈવીગુણ ધારણ
કરવાનાં છે. ખાન-પાન, ચલન બધું રોયલ રાખવાનું છે.
2. એકબીજાને યાદ નથી કરવાનાં, પરંતુ રિગાર્ડ જરુર આપવાનો છે. પાવન બનવાનો પુરુષાર્થ
કરવાનો અને કરાવવાનો છે.
વરદાન :-
સર્વ ખજાનાઓ
ને સમય પર યૂઝ કરી નિરંતર ખુશીનો અનુભવ કરવા વાળા ખુશનસીબ આત્મા ભવ
બાપદાદા દ્વારા
બ્રાહ્મણ જન્મ થતાં જ આખાં દિવસ માટે અનેક શ્રેષ્ઠ ખુશી નાં ખજાના પ્રાપ્ત થાય છે.
એટલે તમારા નામથી જ હમણાં સુધી અનેક ભક્ત અલ્પકાળ ની ખુશી માં આવી જાય છે, તમારા જડ
ચિત્રો ને જોઈને ખુશીમાં નાચવા લાગે છે. એવાં તમે બધાં ખુશનસીબ છો, ઘણાં ખજાના મળ્યાં
છે પરંતુ ફક્ત સમય પર યુઝ કરો. ચાવી ને સદા સામે રાખો અર્થાત્ સદા સ્મૃતિ માં રાખો
અને સ્મૃતિને સ્વરુપમાં લાવો તો નિરંતર ખુશીનો અનુભવ થતો રહેશે.
સ્લોગન :-
બાપ ની શ્રેઠ
આશાઓનાં દીપક જગાડવા વાળા જ કુળ દીપક છે.